Thursday, September 29, 2016

...તો રમેશ પારેખ કવિ ઉપરાંત અફલાતૂન નવલકથાકાર પણ હોત!

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૬  

 કોલમ: વાંચવા જેવું 

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’
                                                                                        
                     


ગુજરાતે જેમને ચિક્કાર પ્રેમ કર્યો છે એવા આપણી ભાષાના શ્રેષ્ઠ કવિ રમેશ પારેખના વ્યક્તિત્ત્વ વિશે બહુ લખાયું નથી અને લખાયું છે તો ગ્રંથસ્થ થયું નથી. આજનાં પુસ્તકના સંપાદક કૌશિક મહેતાની આ વાત સાથે કોણ સહમત નહીં થાય? આ વાત અથવા વિચારમાંથી જ આજનું પુસ્તક જન્મ્યું છે. રમેશ પારેખ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલી વીસેક વ્યક્તિઓએ આ પુસ્તક માટે દિલપૂર્વક સ્મરણલેખો લખ્યા છે. એેમાંથી કવિ વિશેની કેટલીય વાતો આપણી સામે ઊઘડે છે.

 જેમ કે, રમેશ પારેખ મેટ્રિકમાં હતા એ અરસામાં એક વાર્તા લખેલી - ‘પ્રેતની દુનિયા’. વાર્તા ‘ચાંદની’ સામયિકમાં છપાઈ. સાથે એમનો પરિચય અને તસવીર પણ છપાયાં. લટકામાં પાંચ રુપિયાનો પુરસ્કાર પણ મળ્યો. રમેશ પારેખને આશ્ર્ચર્યનો પાર  ન રહ્યો. લખવાના પૈસા પણ મળે? એ પૈસામાંથી એમણે પછી દોસ્તારોને ચા-નાસ્તો કરાવ્યા હતા. વર્ષો પછી મુંબઈમાં યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં એમને પાંચ લાખ રુપિયાની થેલી અર્પણ થઈ હતી, પણ પેલા પાંચ રુપિયાએ જે ગજબનાક રોમાંચ પેદા કરેલો એની તોલે આ પાંચ લાખની થેલી ક્યાંથી આવે?

 પુરસ્કારની પાર્ટીમાં રમેશ પારેખે દોસ્તારોને ગાંઠીયા જરુર ખવડાવ્યા હશે! એમને અને ખાસમખાસ કવિમિત્ર અનિલ જોશીને ગાંઠીયા ખૂબ વ્હાલા. કોઈ વાર ગાંઠીયા ખાતા ખાતા રમેશ પારેખ કહેતા કે, અનિલ, આપણને યમરાજ લેવા આવશે ત્યારે એને કહીશું યાર, ગાઠીયા ખાઈને આવું છું. તો યમરાજ સામું કહેશે, મારા માટે પણ પડીકું બંધાવતા આવજો, મરચાં ભૂલશો નહીં!

 અનિલ જોશીએ અમરેલી છોડ્યું ત્યારે વિદાય વખતે રમેશ પારેખ એમના ખભે માથું મૂકીને ધોધમાર રડ્યા હતા. અનિલ જોશી લખે છે કે, ‘એ ડૂસકાં હજીયે મારા ખભાને વળગેલાં છેે...’

 કૌશિક મહેતાને આપેલી એક મુલાકાતમાં રમેશ પારેખે તીખાં મરચાં જેવી ચટાકેદાર વાત કરી હતી. કવિ પોતાના નવલિકાકાળ દરમિયાન ‘ચિત્રલેખા’માં પણ ત્રણ મહિના કામ કરી ચુક્યા છે એ તમે જાણો છો? સ્થાપક તંત્રી હરકિસન મહેતાએ નોકરી આપતા પહેલાં ટેસ્ટ તરીકે તેમની પાસે ટૂંકી વાર્તા લખાવી હતી. તત્કાલીન આસિસ્ટન્ટ એડિટર બિપીન બૂચ પાસેથી કોરાં પાનાં લઈને રમેશ પારેખે ‘ચિત્રલેખા’ની મુંબઈસ્થિત ઓફિસમાં ત્યારે ને ત્યારે વાર્તા લખી નાખી હતી. એેનું શીર્ષક હતું, ‘એ આંખોએ શું કહ્યું?’ રમેશ પારેખને ખુદને વાર્તા કાચી લાગી હતી, પણ હરકિસનભાઈએ તે સીધી કમ્પોઝમાં મોકલી આપી હતી!

 આ ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન રમેશ પારેખ ‘જી’ મેગેઝિનમાં છપાતા હીરો-હિરોઈનોની તસવીરો માટે કેપ્શન તરીકે કાવ્યપંક્તિઓ પણ લખી આપતા. દરમિયાન એમની મૂળ પંચાયતની નોકરીનું ઠેકાણું લાઠીથી બદલાઈને પાછું અમરેલી થઈ જતાં એ વતન ઉપડી ગયા. હરકિસન મહેતાએ એમને રોકવાની ખાસ્સી કોશિશ કરી હતી, પણ એ ન જ માન્યા. જો રમેશ પારેખ મુંબઈ રોકાઈ ગયા હોત તો, કોને ખબર, હરકિસન મહેતાએ એમને અફલાતૂન નવલકથાકાર બનાવી દીધા હોત ને ગુજરાતને પ્રથમકક્ષ કવિ-નવલકથાકારનું અફલાતૂન કોમ્બિનેશન મળ્યું હોત!



 એક સર્જક શી રીતે લખતો હોય છે? ‘લખવાની પ્રક્રિયા સમજાવી શકાય તેવી હોતી જ નથી,’ કહીને રમેશ પારેખે પત્રકાર-લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાથેની વાતચીતમાં ઉમેરેલું:

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’

 કાઠિયાવાડી ભાષાને શેડકઢો લહેકો ધરાવતા રમેશ પારેખ સારું ચિત્રકામ પણ કરી શકતા. કવિમિત્ર હર્ષદ ચંદારાણા સાથે તેમણે એક જમાનાના દુકાનોના સાઈનબોર્ડ, ચૂંટણીને લગતાં ચિત્રો અને સિનેમાના બોર્ડ સુધ્ધાં ચીતર્યા ં છે. પત્ની રસીલાનું પોટ્રેટ બનાવી રહેલા રમેેશ પારેખને જોઈને કવિ રાજેન્દ્ર શુક્લને જબરું આશ્ર્ચર્ય થયેલું.

 કવિના ગૃહસ્થજીવનનો એક રમૂજી કિસ્સો પુસ્તકમાં નોંધાયેલો છે. રમેશ પારેખે એક વાર જાતે ગુલાબ જાંબુ બનાવવાનો અખતરો કરેલો. જાંબુ તો ન બન્યા, પણ મીઠા રગડા જેવું કશુંક જરુર બન્યું. પત્ની રસીલા બેસતા વર્ષે ધરે આવતા મહેમાનોને નાસ્તો પીરસે ત્યારે સાથે રકાબીમાં પેલા પ્રવાહી જાંબુ જરુર આપે ને ઠાવકા મોંએ ઉમેરે પણ ખરા કે, આ ચા નથી હોં, જાંબુ છે, તમારા ભાઈએ બનાવ્યા છે! એ પછી કેટલાય દિવસો સુધી જમવાના સમયે કવિની થાળીમાં પ્રવાહી જાંબુ પીરસાતાં રહ્યાં ને કવિ રોટલી એમાં બોળીબોળીને ખાતા રહ્યા!
 
 નિવૃત્ત શિક્ષક છેલભાઈ વ્યાસ કહે છે તેમ, રમેશ પારેખ સ્વભાવે સાવ સરળ, દુનિયાદારીનો અદનો માણસ લાગે. હસે, રડે, ખીઝે, મૂંજાય, ઝઘડી પડે, પેટ છૂટી વાત કરે. જરાય દંભી નહીં, મોટપ નહીં... અને આવા સીધાસાદા  માણસ પાછળ આખુંય ગુજરાત ઘેલું થતું. સુરેશ દલાલે એમની લાક્ષાણિક શૈલીમાં નોંધ્યું છે તેમ, રમેશ પારેખ માત્ર ગુજરાતી કવિતાનું ઘરેણું નથી, પણ ગુજરાતી કવિતાની ત્વચા અને વાચા છે.

 ‘અડખેપડખે ઉપર-નીચે અંદર-બહાર અનરાધાર’ જીવેલા આ કવિ વિશે નરોત્તમ પલાણે સરસ લખ્યું છે:

 ‘રમેશ પારેખ પોતાની આખી જિંદગી દરમિયાન કાચેકાચા ઈશ્ર્વરને પોતાની અંદર અવળસવળ શેકતા રહ્યા છે... એ સતત વિકસતા જ રહેલા.’

 જોકે પાછલાં વર્ષોેમાં કવિનો સ્વભાવ ક્રમશ: વધુ ને વધુ ઉદાસ બનતો ગયેલો. તેમને ડિપ્રેશનના અટેક આવતા. આજે શારીરિક સ્તરે એ આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી ભાષા જીવે છે ત્યાં સુધી રમેશ પારેખ જીવતા રહેવાના છે એ તો નક્કી.

 કાયમ કાળી ફ્રેમનાં ચશ્માં પહેરી રાખતા રમેશ પારેખે એક વાર જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે દિલથી ફોટો સેશન કર્યું હતું. સંજય વૈદ્યે તે વખતે તેમની ચશ્માં વગરની તસવીરો ખેંચી હતી, જેમાંના બે ફોટોગ્રાફ્સ પુસ્તકના આગલાં અને પાછળાં મુખપૃષ્ઠ પર મૂકાયા છે. આ નાનકડું પણ સુંદર પુસ્તક રમેશ પારેખના ચાહકોને જલસો પડી જાય એવું છે. અ મસ્ટ રીડ!  0 0 0

રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો  
સંપાદક: કૌશિક મહેતા 
પ્રકાશન: ડબલ્યુબીજી પબ્લિકેશન,
 બાપુનગર, અમદાવાદ. 
 ફોન: ૦૯૧૭૩૪ ૦૪૧૪૨
 કિંમત: Rs. ૧૦૦ /
  પૃષ્ઠ: ૯૮  

 



Wednesday, September 28, 2016

ટેક ઓફ: તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ... તૂ કિસ લિયે હતાશ હૈ


સંદશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

જીવનમાં ક્યારેક ફોકસ ગુમાવી બેસીએ ત્યારે જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી.





‘પિ'ન્ક ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમે આ કહાની, પાત્રો, ફિલ્મનો મેસેજ અને રજૂઆતથી એટલી હદૃે અસ્થિર થઈ ચુક્યા હો છો કે ‘ધી એન્ડ' થતાંની સાથે તમે તરત જ ઓડિરોટિયમના એકિઝટ ગેટ તરફ ચાલવાનું શરુ કરી શકતા નથી. એન્ડ ક્રેડિટ્સ સ્ક્રોલ થઈ રહ્યા હોય તે દૃરમિયાન હજુ પણ તમારી સીટ પર જ બેઠા હો છો ત્યારે તમને એક અણધાર્યું બોનસ મળે છે. તે છે તનવીર ગાઝીએ લખેલી અને અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં ગૂંજતી એક અફલાતૂન કવિતા. ઢીલા પડી ગયેલા માણસને ધનુષ્યના પણછની  જેમ તંગ કરી દૃે એવી, પોતાને શકિતહીન માનવા લાગેલી વ્યકિતના શરીરની રગેરગમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરી દૃે તેવી આ રચના છે.  આને ભુલેચુકેય ફેમિનિસ્ટ કે નારીવાદૃી કવિતા ન ગણશો. આ માનવવાદૃી કવિતા છે. તે સૌને એકસરખી તીવ્રતાથી અપીલ કરે છે. આવો, આ કવિતાને આખેઆખી માણીએ.  

કવિ કહે છે -

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...

જીવન આસાન હોતું નથી. ઘારો કે આસાન લાગતું હોય તોય આ સ્મૂધ તબક્કો આખી િંજદૃગી ટકવાનો હોતો નથી. કેટલાંય પરિબળો, આસપાસની પરિસ્થિતિઓ અને જેની સાથે આપણે ઇચ્છાપૂર્વક કે અનીચ્છાએ જોડાયેલા છીએ તેવી વ્યકિતઓ આપણા જીવન પર અસર કરતાં હોય છે. આને લીધે આપણે ક્યારેક આપણું ફોકસ ગુમાવી બેસીએ છીએ.  જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? આ કયો રસ્તો પકડી લીધો છે? બરાબર સમજાય છે કે ખોટી દિૃશામાં ફંટાઈ ગયા છીએ તો પણ કેમ અટકી જતા નથી? શા માટે ખોટા વહેણમાં ઢસડાયા કરીએ છીએ? શું એટલા માટે કે લાંબા સમયથી પકડી રાખેલો  રસ્તો ભલે ખોટો હોય તોય હવે એક ‘કમ્ફર્ટ ઝોન' બની ગયો છે? એમાં જીવવાની આદૃત પડી ગઈ છે? આ ઝોનમાંથી બહાર નીકળવાનો હવે ડર લાગે છે? એક સમાધાન કરી લીધુું છે જાત સાથે કે જે છે તે આ જ છે ને હવે આ જ રીતે િંજદૃગી પૂરી કરી નાખવાની છે?




એકધારું જૂઠ જીવ્યા કરવાથી આપણો માંહ્યલો, આપણો આત્મા પીડાયા કરે છે. એ ચીસો પાડીને આપણને કશુંક કહેતો હોય છે, પણ કાં તો આપણે જાણી જોઈને ધ્યાન-બહેરા થઈ જઈએ છીએ અથવા તો માંહ્યલાને ધમકાવીને ચુપ કરી દૃઈએ છીએ. આ સ્થિતિમાં જો સમયસર પરિવર્તન ન આવે તો શક્ય છે કે એટલે આપણી જ નજરમાં અપરિચિત બનવા લાગીએ. આપણું સત્ત્વ, આપણું સ્વત્ત્વ ગુમાવવા માંડીએ. આ સ્થિતિ તીવ્ર હતાશા જન્માવતી હોય છે. આથી જ કવિ કહે છે કે, તું શા માટે આટલો બધો ઉદૃાસ થઈને બેઠો છે, ભાઈ (અથવા બહેન)? તું શા માટે તારી અસલિયતને, તારી ઓરિજીનાલિટીને, તારા મૂળ વ્યકિતત્ત્વને ભુલી ગયો છે? તેને શોધતો કેમ નથી તું? કોણે બાંધી રાખ્યો છે તને?

દૃુનિયામાં બનાવટી માણસોનો તોટો નથી. કોમ્પ્રોમાઈઝ કરીને જીવી જીવનારાઓ ઊભરાઈ રહી છે આ ધરતી. આવી સ્થિતિમાં જરુર હોય છે સાચુકલું જીવન જીવી શકતા જેન્યુઈન માણસોની. આપણે ખુદૃનું વજૂદૃ શોધીશું અને કુદૃરતી રિધમ પ્રમાણે જીવીશું તો કેવળ આપણી જાત પર જ નહીં, લાંબા ગાળે આસપાસના માહોલ અને સમાજ પણ પણ ઉપકાર કર્યો ગણાશે.    

તનવીર ગાઝી આગળ લખે છે -

જો તુઝસે લિપટી બેડીયાં... સમજ ના ઇનકો વસ્ત્ર તૂ
યે બેડીયાં પિઘલા કે... બના લે ઇનકો શસ્ત્ર તૂ
બના લે ઇનકો શસ્ત્ર તૂ.

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ 
સમય કો ભી તલાશ હૈ...



આપણને બાંધી રાખતી ઝંઝીરોથી, બેડીઓથી ઘણી વાર આપણને પ્રેમ થઈ જતો હોય છે. આપણે સમજવું અને સ્વીકારવું પડશે કે આ બેડી જીવનરસને સૂકવી નાખતું બંધન છે, તે કોઈ આભૂષણ નથી. વસ્ત્ર તો બિલકુલ નથી. આપણને બાંધી રાખતી વસ્તુઓને તોડીફોડી નાખવાની હોય. અત્યાર સુધી જે ચીજ આપણને અવરોધરુપ બનીને ગૂંગળાવતી હતી તેને જ જો અસ્ત્ર કે  શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકીએ, કોઈક રીતે તેને આગળ વધવા માટેનો સ્ટેિંપગ સ્ટોન બનાવી શકીએ તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. ઘારો કે એમ ન થઈ શકે અને ખુદૃને આ હાનિકારક બંધનમાથી આઝાદૃ કરી શકીએ તોય ઘણું છે. તો હવે ઊભા છો શું? ચાલવા માંડો તમારી મંઝિલ તરફ. એકલા તમને જ મંઝિલ સુધી પહોંચવાની તાલાવેલી છે એવું નથી, મંઝિલ પણ ક્યારની તમારી રાહ જોઈને ઊભી છે.

ચરિત્ર જબ પવિત્ર હૈ... તો કયૂં હૈ યે દૃશા તેરી
યે પાપીયોં કો હક નહીં...કિ લેં પરીક્ષા તેરી.
કિ લેં પરીક્ષા તેરી....

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ.
સમય કો ભી તલાશ હૈ...

કવિ પૂછે છે કે કઈ વાતની બીક ડરે છે તને ? જ્યારે તારો કશો વાંક જ નથી, તું નિર્દૃોષ - નિષ્પાપ - પવિત્ર છે, તારું મન સાફ છે તો પછી તું શા માટે આટલો સહમેલો અને ડરેલો રહે છે? અમુક માણસો વધારે પડતા સીધા અને સરળ હોય છે. તેમને છળકપટ કરતાં કે માઈન્ડ-ગેમ્સ રમતાં આવડતું નથી. સ્વભાવગત ભીરુતાને કારણે સામેવાળા દૃુષ્ટ કે અતિ ચાલાક માણસને એ ખોંખારો ખાઈને અટકાવી શકતો નથી, એનો વિરોધ કરી શકતા નથી. ઢીલો માણસ ચુપચાપ સહન કરી લે છે, મનમાં ને મનમાં પીડાયા કરે છે, ધૂંધવાયા રાખે છે. સામેવાળો આપોઆપ સુધરી જશે, વહેલામોડી એને પોતાની ભુલ સમજાશે ને પછી સૌ સારાં વાનાં થઈ જશે એવા વિશફુલ િંથિંકગમાં જીવ્યા કરે છે. આ રાહમાં ને રાહમાં વર્ષો વીતી જાય છે, િંજદૃગી વેડફાઈ જાય છે.
સ્વભાવના ‘સારા હોવું એક વાત છે, પણ નમાલા હોવું, દૃુર્બળ હોવું તે તદ્દન જુદૃી વાત છે. જો માણસ નિર્દૃોષ અને સાચો હોય તો એણે દૃુર્બળ બનવાનું કોઈ કારણ નથી. સચ્ચાઈ સ્વયં એક તાકાત છે અને સાચા માણસના વ્યકિતત્ત્વ અને વર્તન-વ્યવહારમાં તે ઝળકવી જ જોઈએ. શું ઈમાનદૃાર માણસે લબાડ દૃુર્જનોની દૃયા પર જીવવાનું છે? શું  બેશરમ પાપીઓ એની પરીક્ષા લેશે? એનું મૂલ્યાંકન કરશે? એણે કઈ રીતે જીવવું તે નક્કી કરી આપશે? ઔકાત શું હોય છે આ નફ્ફટ નૈતિકતાહીન છછૂંદૃરોની?

Tanveer Ghazi


વારંવાર આંખ આડા કાન કર્યા પછી પણ, વારંવાર માફ કરી દૃીધા પછી પણ, વધારે પડતું સહન કરી લીધા પછી પણ જો સામેવાળો ન સુધરે તો આ પ્રકારની સ્પષ્ટતા અને વિદ્રોહી જીદૃ પ્રગટી જવા જોઈએ. આત્મવિશ્ર્વાસનો અભાવ હશે તે નહીં જ ચાલે. કોન્ફિડન્સ વગરનો માણસ સાચો હોય તોય હેરાન થતો રહે છે. પોતાની જેન્યુઈન કાબેલિયત પર વિશ્ર્વાસ રાખવો જ પડે, પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી જ પડે. જરુર હોય છે પોતાની અંદૃર ઝાંકવાની અને કાહ્લપનિક ડરથી પીછો છાડાવવાની. ભયમુકત થયા પછી -

જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હૈ
તૂ આરતી કી લૌ નહીં... તૂ ક્રોધ કી મશાલ હૈ
તૂ ક્રોધ કી મશાલ હૈ.

ચુનર ઉડા કે ધ્વજ બના... ગગન ભી કપકપાયેગા
અગર તેરી ચુનર ગીરી... તે એક ભૂકંપ આયેગા
એક ભૂકંપ આયેગા...

એકધારો અન્યાય સહન કરી રહેલા માણસનો પુણ્યપ્રકોપ વહેલામોડો પ્રગટતો હોય છે. એક પરાકાષ્ઠા પછી એના ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. પૂજાની થાળીમાં ટમટમતી પવિત્ર જ્યોત મશાલની માફક ભડભડવા લાગે છે. ‘ઇનફ ઇઝ ઇનફ કહીને એ જ્યારે પ્રચંડ ત્રાડ પાડે છે ત્યારે અત્યાર સુધી એનું દૃમન કરવાની ચેષ્ટા કરનારો ભયથી કાંપી ઉઠે છે.

પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી. એટલે જ તો કવિ પુન: એક જ વાત ભારપૂર્વક કહે છે કે -        

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...
                                                                             0 0 0 

Sunday, September 25, 2016

મલ્ટિપ્લેકસ: સરકાર રાજ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૫ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.'   




કોઈ જ પૂર્વસંકેત આપ્યા વગર ‘પિન્ક' ફિલ્મ થિયેટરોમાં અને આપણાં દિૃલદિૃમાગમાં એકાએક બોમ્બની જેમ ફાટી છે. ભૂતકાળમાં પાંચ બંગાળી ફિલ્મો બનાવી ચુકેલા અનિરુદ્ધ રોય ચૌધરીની આ પહેલી હિન્દૃી ફિલ્મ છે. ડિરેકટર હોવાને નાતે તેઓ કેપ્ટન-ઓફ-ધ-શિપ ગણાય, પણ ‘પિન્કની સફળતાને કારણે લાઈમલાઈટમાં શૂજિત સરકાર આવી ગયા છે. તેઓ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર છે, જે ભૂતકાળમાં ‘વિકી ડોનર', 'મદ્રાસ કાફે' અને ‘પિકુ' જેવી બ્રિલિયન્ટ ફિલ્મો ડિરેકટ કરી ચુક્યા છે. ઇન્ટરેસ્ટિંગ માણસ છે શૂજિત. કેટલાય પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક ઇન્ટરવ્યુઝમાં ફેલાયેલા એમના કવોટ્સ પર એકસાથે નજર ફેરવવાથી એમના માનસિક જગતનો સરસ ચિતાર મળે છે. તો પ્રસ્તુત છે શૂજિત સરકારનું કવોટ-માર્શલ. ઓવર ટુ હિમ:  

હું આકસ્મિકપણે ફિલ્મકર બની ગયેલો માણસ છું. ફિહ્લમમેિંકગ કરતાં ફૂટબોલ પ્રત્યે મને વધારે લગાવ છે. જો હું આ લાઈનમાં ન આવ્યો હોત તો ચોક્કસપણે ફૂટબોલર બન્યો હોત. ગ્રેજ્યુએશન પછી હું દિૃલ્હીની લા મેરિડીઅન હોટલમાં કામ કરતો હતો. એક વાર એમ જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફ રખડી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ચીસો પાડી રહ્યા છે. એ બધા એક થિયેટર ગ્રુપના લોકો હતા ને કોઈક સ્ટ્રીટ-પ્લે ભજવી રહ્યા હતા. પછી મેં કામિની થિયેટરમાં એક નાટક જોયું જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને અમરીશ પુરી અભિનય કરતા હતા. નાટક જોતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈક જુદૃી જ દૃુનિયામાં પહોંચી ગયો છુંં. આ અનુભવે મારી ભીતર કશુંક બદૃલી નાખ્યું.  પછી મેં સફદૃર હાશ્મિનું જન નાટ્યમંચ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. અમે ખૂબ બધાં સ્ટ્રીટપ્લે કર્યા્ં. આ શેરી નાટકોને કારણે સમાજના પ્રશ્ર્નો વિશેની, આપણી આસપાસની વાસ્તવિકતા વિશેની મારી સમજણ વિકસી, ફિલ્મો પ્રત્યેનો મારો પ્રેમ જાગ્રત થયો. પછી મેં ‘એકટ વન' નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું. હું વધારે ફિલ્મો જોવા લાગ્યો. સત્યજીત રાયની ફિલ્મો ઓલરેડી જોઈ ચુક્યો હતો છતાંય મેં નવેસરથી એ ફિલ્મો જોવાનું શરુ કર્યુંં. સિનેમા વિશેની મારી દૃષ્ટિ ખુલી ગઈ હતી. આમ, મેં ફિલ્મમેિંકગનો કોઈ કોર્સ કર્યો નથી, પણ હું જે કંઈ શીખ્યો છું તે સત્યજીત રાયની ફિલ્મો જોઈને અને સિનેમા વિશેનું સાહિત્ય વાંચીને શીખ્યો છું.

મારી પહેલી પહેલી ‘...યહાં' (૨૦૦૫) ખાસ ચાલી નહીં. અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી બીજી બીજી ફિલ્મ ‘શૂબાઈટ' કાનૂની વિવાદૃમાં ફસાઈ જવાને કારણે આજ સુધી રિલીઝ થઈ શકી નથી. હું હતાશ થઈ ગયેલો, ડિપ્રેશનનાં આવી ગયેલો. પછી મારી પત્નીએ મને સમજાવ્યું કે ભલે તારી ફિલ્મો ન ચાલે કે ડબ્બામાં પડી રહે, પણ તને લખતા આવડેે છે, તને ફિલ્મ બનાવતા આવડે છે. તારી આ ટેલેન્ટ કોઈ છીનવી શકવાનું નથી. મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે, હું ફિલ્મો તો બનાવીશ જ. ‘...યહાં'નાં સાત વર્ષો પછી મેં સ્પર્મ ડોનર જેવા અતરંગી વિષય પર ‘વિકી ડોનર' બનાવી જે કમર્શિયલી અને ક્રિટીકલી બન્ને રીતે વખણાઈ. આ ફિલ્મથી મારા જીવનની દિૃશા બદૃલાઈ.


કોઈ સ્ટાર મને હા પણ ન કહે કે ના પણ ન પાડે ને લબડાવ્યા કરે ત્યારે એક તબક્કે હું ચોખ્ખું કહી દૃઉં છું: ભાઈ, તું મારી ફિલ્મમાં કરીશ કે નહીં કરે? યેસ ઓર નો? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.


મિતાભ બચ્ચન એક મહાન લેજન્ડ છે, પણ એમની સાથે કામ કરવું બહુ જ આસાન છે. એમની સાથેની મારી એક પણ મિટીંગ પંદૃર મિનિટ કરતાં વધારે ચાલી નથી. એ મને સ્ટોરી સંભળાવાનું કહે ને હું ફટાફટ નરેશન આપવા માંડું. એમને મારી આંખોમાં કોન્ફિડન્સ દૃેખાય, હું વિષયને સારી રીતે હેન્ડલ કરી શકીશ એવો ભરોસો દૃેખાય એટલે તરત મારા વિઝનને સરન્ડર થઈ જાય. હાથમાં સ્ક્રિપ્ટ આવતાં જ તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા પેદૃા થઈ જાય છે. અમિતાભ માટી જેવા છે, જેને તમે ગમે કોઈ પણ ઘાટ આપી શકો છો. અફકોર્સ, એમની પાસે ફિલ્મોમાં કામ કરવાનો ૪૫ વર્ષોનો અનુભવ છે. સ્ક્રિપ્ટમાં કેવોક દૃમ છે તે તેઓ તરત કળી જાય છે. આખેઆખી સ્ક્રિપ્ટ એમને અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત યાદૃ હોય છે. એમના ખુદૃના પોઈન્ટ-ઓફ-વ્યુ હોવાના જ, પણ એમને કન્વિન્સ કરવા સહેલા છે.


મજોને કે હું સરેરાશ રોજની એક સ્ક્રિપ્ટ વાંચતો હોઈશ. જુઓ, તમને બહુ સારા શબ્દૃો, સરસ વાક્યો અને સરસ કોન્સેપ્ટ નોટ લખતા આવડતું હોય તો એનો મતલબ એવો નથી કે તમને સરસ સ્ક્રિપ્ટ લખતા પણ આવડતું જ હશે. સ્ક્રીનપ્લે લખવાની કળા બહુ જ અલગ વસ્તુ છે જેના પર બહુ ઓછા લોકો મહારત હાંસલ કરી શકે છે. મેં જોયું છે કે મોટા ભાગના લેખકો ટીવી સિરીયલોની માફક ફિલ્મ લખે છે. તેમનું લખાણ સિનેમેટિક નથી હોતું. હું હંમેશાં બધાને કહેતો હોઉં છું કે તમે સત્યજિત રાયની ફિલ્મોનો અભ્યાસ કરો. તમને ખબર પડશે કે ઉત્તમ સિનેમા કોને કહેવાય. આપણે ત્યાં જે સ્ક્રિપ્ટ્સ લખાય છે એમાં ઊંડાણ હોતું નથી. જો ઊંડાણ હોત તો આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો બનતી હોત. સારી ફિલ્મો જોવા માટે લોકો ઇરાનીઅન ફિલ્મો ડીવીડી ઘરે લાવશે, પણ ઉત્કૃષ્ટ બંગાળી કે તમિલ કે મલયાલમ ફિલ્મો નહીં જુએ. કેટલું સરસ કામ થાય છે આ ભાષાની ફિલ્મોમાં.


બોલિવૂડમાં ન્યુ-એજ સિનેમાની શરુઆત રામગોપાલ વર્માએ કરી હતી, ‘સત્યા'થી, ૧૯૯૮માં. બીજી એક ફિલ્મ જેનાથી ઇન્ડસ્ટ્રીને નવેસરથી ધક્કો લાગ્યો તે હતી, અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે' (૨૦૦૪). ૨૦૦૭માં શિમીત અમીનની ‘ચક દૃે ઇન્ડિયા' ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીની શરુઆતની સ્પોર્ટ્સ ફિલ્મોમાંની તે એક, જેણે મોટો ક્રિયેટિવ ઇમ્પેકટ પેદૃા કર્યો. વિક્રમાદિૃત્ય મોટવાણેની ‘ઉડાન' (૨૦૧૦) એક મહત્ત્વની ફિલ્મ પૂરવાર થઈ.  ટીનેજરને કેન્દ્રમાં રાખીને બનેલી આ પહેલી કમિંગ- ઓફ-એજ ફિલ્મ. ૨૦૧૨માં આવેલી ‘પાનસિંહ તોમર' જોઈને મને તિગ્માંશુ ધુલિયાની ખૂબ ઈર્ષ્યા થઈ હતી. મને થાય કે આ ફિલ્મ મેં કેમ ન બનાવી. આ સિવાય અયાન મુખર્જીની ‘વેક અપ સિડ',  દિૃવાકર બનર્જીની ‘ખોસલા કા ઘોસલા', રિતેશ બત્રાની ‘ધ લંચબોકસ', રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝ - આ બધી જ બ્રિલિયન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મારી ફેવરિટ ફિલ્મો છે.


  
કોર્પોરેટ હાઉસીસ પાસે ચિક્કાર નાણું છે. એમના મેનેજમેન્ટમાં ઓકસફર્ડમાં ભણી આવેલા એકિઝક્યુટિવ્સ અને ન્યુયોર્કમાં ચાર-છ મહિનાનો ફિલ્મનો કોર્સ કરી આવેલા માણસો છે જે માનવા લાગ્યા હોય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાં તેમનામાં વધારે અકકલ છે. કોર્પોરેટ હાઉસ સાથે મિટીંગ થાય ત્યારે આવા વીસ લોકો તમારી સામે બેસી જશે અને પછી પ્લોટ પોઈન્ટ ને કલાઈમેકસ ને કેરેકટરરાઈઝેશન જેવા શબ્દૃોની ફેંકાફેંક કરીને તમને કન્ફયુઝ કરી નાખશે. સિનેમા વિશે કશું જ ન જાણતા લોકો પોતાનું ડહાપણ ડહોળવાનું શરુ કરે એટલે ડિરેકટર ક્યારેક ખોટો નિર્ણય લઈ લેતો હોય છે. આખરે સઘળો આધાર ડિરેકટરના કન્વિકશન પર છે. પોતાના ઓરિજિનલ આઇડિયા અને સ્ટોરી પ્રત્યે પ્રામાણિક રહેવું જ પડે.

શો-સ્ટોપર

 કોઇપણ સંબંધમાં ભરોસો હોવો ખૂબ જરુરી છે. જો સામેના પાત્ર પર ટ્રસ્ટ નહીં હોય તો તદ્દન નિર્દૃોષ વસ્તુ પણ નિર્દૃોષ નહીં લાગે. આવો સંબંધ ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. 

- અભય દૃેઓલ 

Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0

Wednesday, August 24, 2016

ટેક ઓફ: વહાબીઝમ અને સલાફીઝમ: અધર્મ, આતંક અને આત્યંતિકતાની વચ્ચે...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ  - ૨4 ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

દૃુનિયામાં ચારે બાજુ જે આતંકવાદ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી  વિચારધારા છે એવું યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ?





લ-કાયદૃા, આઈએસઆઈએસ જેવાં ખતરનાક આતંકવાદૃી જુથો અને બે પગ વચ્ચે પૂંછડી દૃબાવીને વિદૃેશમાં લપાઈ ગયેલા ઝકિર નાઈક નામના નઠારા માણસનાં અધમ કારનામાને કારણે બે શબ્દૃો એકદૃમ ચર્ચામાં આવી ગયા છે - વહાબીઝમ અને સલાફીઝમ. દૃુનિયામાં ચારે તરફ જે આતંકવાદૃ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી  વિચારધારા છે એવું ખુદૃ યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ? સમજવાનો પ્રયત્ન કરીએ.

વહાબી વિચારધારાના જનક મોહમ્મદૃ ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ગણાય છે. અઢારમી સદૃીમાં તેઓ સાઉદૃી એરેબિયાના રણપ્રદૃેશમાં લગભગ વણઝારા જેવું જીવન જીવતા વસતા મુસ્લિમોને ઈસ્લામના પુનરુત્થાન વિશે ઉપદૃેશ આપતા. તેમનું માનવું હતું કે  વિદૃેશી આક્રમણો (યુરોપના આધુનિકવાદૃને પણ તેઓ વિદૃેશી આક્રમણનું જ એક સ્વરુપ ગણતા હતા) ઉપરાંત ઈસ્લામની કેટલીક પ્રચલિત માન્યતાઓને લીધે ઓરિજિનલ ઈસ્લામનું સૂક્ષ્મપણે ધોવાણ થઈ રહ્યું છે. ઈસ્લામનું પુનરુત્થાન કરવું હોય તો આ સઘળી અસરોને જડમૂળથી ઉખાડીને ફેંકી દૃેવી પડે. ઈબ્ન અબ્દૃ અલ-વહાબીનું સ્પષ્ટ માનવું હતું કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતિ માટે ભગવાન એક જ છે - અલ્લાહ. આ સિવાય બીજા કોઈ ભગવાન હોઈ જ ન શકે. ક્રમશ: એમના ઉપદૃેશોમાં જિહાદૃને વધારે પડતું મહત્ત્વ મળવા લાગ્યું. જિહાદૃ શબ્દૃના બે અર્થ થાય છે. એક તો, ખુદૃનાં પાપો અને નબળાઈઓ સામેનો આધ્યાત્મિક સંઘર્ષ અને બીજો, અલ્લાહમાં ન માનનારાઓ સામે યુદ્ધ.

ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ૮૯ વર્ષ જીવ્યા - ૧૭૦૩થી ૧૭૯૨. તેમના અનુયાયીઓ વહાબી કહેવાયા. અઢારમી સદૃીના મધ્યથી તેમને આરબ શાસકોનો રાજકીય સપોર્ટ મળવા લાગ્યો હતો. વહાબીઓ વધુ ને વધુ તાકાતવાન બનતા ગયા એનાં બે કારણ છે. એક તો, સાઉદૃીનું તૈલી નાણું અને બીજું, ઈસ્લામમાં જેને સૌથી પવિત્ર સ્થાન ગણવામાં આવ્યાં છે તે મક્કા અને મદૃીનાનો કારભાર સાઉદૃી એરેબિયાના હાથમાં હોવો. હવે મિડીયામાં જાહેર થયેલા થોડા આંકડા જાણી લો. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અંદૃાજ લગાવ્યો છે કે છેલ્લા ચાર દૃાયકામાં સાઉદૃી એરેબિયાએ દૃુનિયાભરમાં ફેલાયેલા અમુક મુસ્લિમ ચેરિટેબલ ફાઉન્ડેશન્સ એટલે કે સંસ્થાઓને ૧૦ બિલિયન ડોલર (લગભગ ૬૭૩ અબજ રુપિયા) કરતાંય વધારે નાણાંની ખેરાત કરી છે. શા માટે? આ સંસ્થાઓ મેઈનસ્ટ્રીમ સુન્ની ઈસ્લામને કટ્ટરવાદૃી વહાબીઝમમાં કન્વર્ટ કરવાની કોશિશ કરી શકે, તે માટે. દૃુનિયાના ૮૫ ટકા કરતાં વધારે મુસ્લિમો  સુન્ની છે. સુન્નીઓ સામાન્યપણે ભૌતિક જગત પર ઈશ્ર્વરની સર્વોપરીતા, રાજકારણ અને સમાજજીવન પર ભાર આપે છે, જ્યારે શિયા સંપ્રદૃાયમાં શહાદૃત અને ભોગ આપવાનો વિશેષ મહિમા છે. આરબ દૃેશો, તુર્કી, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદૃેશ, મલેશિયા, ઈન્ડોનેશિયામાં વસતા બહુમતી મુસ્લિમો સુન્ની છે, જ્યારે ઈરાક, ઈરાન અને બહેરીનમાં શિયા મુસ્લિમોનું પ્રમાણ વધારે છે.

સાઉદૃી એરેબિયાએ ચાલીસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર વહાબી વિચારધારાના પ્રચાર માટે ખર્ચ્યા છે તે વાત કરતાંય વધારે ગંભીર બાતમી તો આ છે: યુરોપિઅન યુનિયનના ઈન્ટેલિજન્સ એકસપર્ટ્સનું કહેવું છે કે આ અધધધ નાણાનો ૧૫થી ૨૦ ટકા હિસ્સો અલ-કાયદૃા પ્રકારના ખતરનાક જિહાદૃી આતંકવાદૃી જુથો તરફ ડાઈવર્ટ કરી દૃેવામાં આવ્યો છે. આતંકવાદૃી જુથો પાસે આધુનિક શસ્ત્રોઅસ્ત્રો વસાવવાના, ઊભરતા આતંકવાદૃીઓને ટ્રેિંનગ આપવાના તેમજ પોતાનો આંતરરાષ્ટ્રીય કારભાર ચલાવવાનાં નાણાં ક્યાંથી આવે છે તે વાતનો તાળો હવે મળે છે?



હવે સલાફીઝમ શું છે તે જોઈએ. સલાફી શબ્દૃ અસ-સલાફ અસ-સલીહીન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પુરાણી મુસ્લિમ કોમના પવિત્ર વારસદૃારો. સલાફી વિચારધારાનો જન્મ ઓગણીસમી સદૃીમાં ઈજિપ્તના કરો શહેરમાં આવેલી અલ-અઝહર યુનિવર્સિટીમાં એક બૌદ્ધિક ચળવળના ભાગરુપે થયો હોવાનું મનાય છે. મુહમ્મદૃ અબ્દૃુહ (૧૮૪૯-૧૯૦૫), જમાલ અલ-દિૃન અલ-અફઘાની અને રશિદૃ રિદૃા આ ચળવળના નેતા હતા. સલાફીઓ માને છે કે અગાઉના મુસ્લિમો ઈસ્લામનો મૂળ અર્થ સમજી શક્યા હતા અને તે અનુસાર સાચું ધર્મપાલન કરતા હતા, પણ ધીમે ધીમે ભેળસેળ થવા માંડી અને ઈસ્લામ ધર્મ પોતાના મૂળ રસ્તાથી ભટકી ગયો. સલાફીઓનો ઉદ્દેશ આ હતો: ઓરિજિનલ ઈસ્લામનું નવેસરથી અર્થઘટન કરવું અને સંભવત: ઈસ્લામને મોડર્ન ઘાટ આપવો.

સલાફીઓ ઈસ્લામના અત્યંત કડક અર્થઘટનમાં (જે એમની દૃષ્ટિએ સાચું અને અંતિમ અર્થઘટન છે) તેમજ તેેના પાલનમાં માને છે. તેમના માટે મધ્યમમાર્ગ કે વૈકલ્પિક વિચારધારા જેવું કશું છે જ નહીં. માણસ મુસ્લિમ હોય કે નોન-મુસ્લિમ હોય, જો એ સલાફીઓના અર્થઘટન મુજબના ઈસ્લમાનને અનુસરવા માગતો ન હોય તો એ આકરામાં આકરી સજાને પાત્ર બની જાય છે. સલાફીઓનો સંદૃેશો સ્પષ્ટ છે: સલાફી વિચારધારા જ ઈસ્લામનું સૌથી શુદ્ધ સ્વરુપ છે અને એને દૃેશ કે સંસ્કૃતિ સાથે કશું લાગતુંવળગતું નથી. \

આમ, વહાબી વિચારધારા અને સલાફી વિચારધારા ભલે એકમેકના પ્રતિબિંબ જેવી લાગતી હોય, પણ તે અલગ અલગ રીતે આકાર પામી છે. ઈજિપ્તમાં જન્મેલી સલાફી વિચારધારા િંકગ ફૈઝલના શાસન દૃરમિયાન સાઉદૃી એરેબિયા પહોંચી. વહાબી વિચારધારા આધુનિક અસરોનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે, જ્યારે સલાફી વિચારધારા ઈસ્લામના મૂળ સ્વરુપ સાથે આધુનિકતાને જોડવા માગે છે. એક વાત બન્નેમાં કોમન છે: ઈસ્લામના કેટલાક પ્રચલિત ઉપદૃેશ અને શિક્ષણ, કે જેમાં અન્ય ધર્મોનો આદૃર કરવાની વાત સામેલ છે, તેનો સંપૂર્ણ ત્યાગ અને તેને બદૃલે ઈસ્લામનું ફંડામેન્ટલિસ્ટ અર્થઘટન. અલબત્ત, વહાબીઓ અને સલાફીઓમાં બધા અનિવાર્યપણે આત્યંતિક જ હોય છે એવુંય નથી. આ બન્ને વિચારધારાઓમાં અમનના અિંહસક માર્ગે ચાલનારાઓથી માંડીને ખૂંખાર જિદૃાહીઓ સુધીની આખી રેન્જ છે.

૧૯૮૦ના દૃાયકા દૃરમ્યાન મુસ્લિમ યુવાવર્ગનો એક હિસ્સો નવાં સ્વરુપે ઊભરેલા વહાબીઓનાં જુથ ગ્રુપ્સ) તરફ આકર્ષાવા લાગ્યો હતો. આ એવાં જુથો હતા જેમણે સલાફી વિચારધારાના અમુક ટુકડાઓને પણ અપનાવ્યા હતા, જે  સામાજિક ન્યાય ઝંખતા હતા અને જે (તેમની દૃષ્ટિએ) કુરાનમાં સૂચવેલી સજાઓનો અમલ કરવા માગતા હતા. તેઓ બેધડક આત્મઘાતી હુમલા કરી જાણે છે. માણસને પોતાનો જીવ સૌથી વધારે વહાલો હોય છે. મોતનો ભય દૃેખાડીને એના પર બ્રેક મારી શકાય છે અથવા એ જાતે અટકીને પાછો વળી જાય છે, પણ જેનામાંથી મરવાનો ડર જ નાબૂદૃ થઈ ગયો હોય તેનું શું કરવું? આવો માણસ ઠંડા કલેજે ભયાનકમાં ભયાનક કાંડને અંજામ આપી શકે છે. દૃેખીતું છે ક્ે ધર્મના નામે આત્મઘાતી હુમલા કરવા તત્પર રહેતાં આવાં ઝનૂની સ્ત્રી-પુરુષોના જોરે જ આ ટેરરિસ્ટ ગુ્રપ્સ આટલા ઘાતક બની ગયા છે.

સલાફીઝમને યુરોપમાં સૌથી વધારે ઝડપે વિકસી રહેલી ઈસ્લામિક મુવમેન્ટ ગણવામાં આવે છે. જર્મનીમાં સક્રિય સલાફિસ્ટોની સંખ્યા ૨૦૧૨થી ૨૦૧૫ દૃરમિયાન ૩૮૦૦થી વધીને ૬૩૦૦ જેટલી થઈ ગઈ છે એવો અંદૃાજ  છે. સલાફિસ્ટ જુથોમાં જોડાતા પુરુષો પૈકીના મોટા ભાગના ૧૮ થી ૩૦ વર્ષના હોય છે. મોટે ભાગે એમનાં પરિવારો બીજા દૃેશોમાંથી આવ્યા હોય છે અને નવા યુરોપિયન માહોલમાં બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરતા હોય છે. આવાં ઘરોમાંથી આવતા જુવાનિયાઓને સલાફી જુથો ચલાવનારાઓ હૂંફનો અનુભવ કરાવે છે, તેમને જીવન જીવવાનો નવો હેતુ અને દિૃશા આપે છે. તેમના મનમાં એવું ભૂસું ભરાવે છે કે આજે તમે ભલે સમાજના નીચલા સ્તરે રહ્યા,  પણ જો સલાફી વિચારધારા પ્રમાણે ચાલશો ને ભવિષ્યમાં સલાફીઓનું રાજ સ્થપાયું તો તમે સૌથી ટોપ પર હશો!



ઈજિપ્તની ૮ કરોડ ૨૦ લાખની વસ્તીમાં ૫૦ થી ૬૦ લાખ લોકો સલાફી હોવાનો અંદૃાજ છે. બ્રિટનની યુનિવર્સિટીઓમાં પણ સલાફી વિચારધારા ઉત્તરોત્તર પોપ્યુલર બની રહી હોવાનું સ્થાનિક શાસકોનું નિરીક્ષણ છે. ચીનમાં પણ છેલ્લા કેટલાક દૃાયકાઓ દૃરમિયાન સલાફીઓએ હાજરી પૂરાવી છે. તેઓ હવે ચીની પ્રશાસનના ધ્યાનમાં આવી ગયા છે. ખાસ કરીને નાઈન-ઈલેવનના હુમલા પછી સલાફી જુથોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે દૃુનિયાભરના સલાફીઓને આવરી લેતું કોઈ એક આંતરરાષ્ટ્રીય સંગઠન કાર્યરત નથી. સલાફીઓના અલગ અગલ જુથો દૃુનિયાના જુદૃા જુદૃા હિસ્સાઓમાં પોતપોતાની રીતે એકિટવ છે. આમાંનું કોઈ જુથ બીજા જુથને જવાબદૃાર નથી કે કોઈની સાથે બંધાયેલું નથી.

ઈસ્લામમાં માનનારા જ સાચા, અને એ પણ શાંતિ અને ભાઈચારાની કદૃર કરતા ઈસ્લામમાં નહીં, પણ અમે જેવી રીતે ઈસ્લામનું અર્થઘટન કરીએ છીએ એમાં માનનારા, બાકી બધા ખોટા અને તેથી સજાને પાત્ર. આત્યંતિક વહાબી અને સલાફી વિચારાધારાનો આ અર્ક છે. આનો મુકાબલો ક્રવા માટે રાજક્ીય તાકતો જેટલું જ જોર અમન તેમજ  પ્રેમભાવમાં સક્રિય શ્રદ્ધા ધરાવતાં ડાહ્યાં, પ્રગતિશીલ, સુશિક્ષિત અને સ્વસ્થ મુસ્લિમ ભાઈબહેનો અને આગેવાનોએ પણ લગાવવું પડશે.  જો એમ નહીં થાય તો આ પાગલ લોકો ધરતીને નરક બનાવી મૂકશે.

૦ ૦ ૦

Tuesday, August 16, 2016

ટેક ઓફ: મેલું ઉપાડવું: જે દૃેખાતું નથી એનું અસ્તિત્ત્વ પણ નથી?

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

આજે અસંખ્ય દૃલિતો માટે મેલું ઉપાડવાનું કામ ભૂતકાળ બની ગયું છે. એમનાં સંતાનો ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા અતિદૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે. 



‘અદૃશ્ય ભારત.'
ભાષા સિંહ નામનાં સામાજિક નિસ્બત ધરાવતાં  એક મહેનતુ પત્રકારે લખેલાં હિન્દૃી પુસ્તકનું આ શીર્ષક છે, જેની ટેગલાઈન વધારે ધારદૃાર છે - 'મૈલા ઢોને કે બજબજાતે યથાર્થ સે મુઠભેડ.

મૈલા ઢોના એટલે મેલું ઉપાડવું. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવા. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાનું અતિ હીણપતભર્યું, ઘૃણાસ્પદૃ અને માણસના આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં અતિદૃલિત ગણાતી આવતી કેટલીક જાતિઓ સદૃીઓથી કરતી આવી છે. ડબ્બા સંડાસ (જેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, જે સફાઈકામદૃારો પછી ઊંચકીને લઈ જાય), વાડા સંડાસ અથવા શુષ્ક શૌચાલય (જાજરુના નામે ચાર દૃીવાલ ઊભી કરીને તૈયાર કરવામાં આવેલી વાડા જેવી જગ્યા, જેમાં લોકો આવી-આવીને મળત્યાગ કરીને જતા જાય. સફાઈકામદૃાર પછી તેને સાફ કરે), જાહેર શૌચાલયો, સેપ્ટિક ટેન્કો વગેરેને સાફ કરવાનું કામ કરતાં આ લોકો પાછા અશ્પૃશ્ય ગણાય એટલે સમાજના અન્ય વર્ગો એમને દૃૂર રાખે, એમની સાથે અપમાનજનક વર્તન કરે, હડધૂત કરે.

‘અરે પણ આ બધી તો ભૂતકાળની વાતો છે. હવે આપણે ત્યાં ક્યાં અશ્પૃશ્યતા કે મેલું ઉપાડવા જેવાં દૃૂષણો રહ્યા છે?' આવા નિર્દૃોષ સવાલ કરનારાઓના લાભાર્થે સૌથી પહેલાં તો ગયા બુધવારે ટાંકેલા આંકડા ફરી એક વાર નોંધી લઈએ. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. યાદૃ રહે, આ સરકારે ખુદૃે બહાર પાડેલા આંકડા છે. બિનસરકારી આંકડા આના કરતાં મોટા હોઈ શકે.

આપણે વાત માંડી હતી દૃલિત પરિવારમાં જન્મેલા, પારકા લોકોનાં મળમૂત્ર સાફ કરવાની કામગીરી (આપણે પ્રથા કે કુપ્રથાને બદૃલે કામગીરી શબ્દૃ વાપરીશું) વિરુદ્ધ ત્રણ દૃાયકાઓથી સતત લડતા રહેલા અને તાજેતરમાં મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવેલા બેઝવાડા વિલ્સન નામના જેન્યુઈન કર્મશીલની. ૧૯૮૬-૮૭માં તેમના પ્રયત્નોને લીધે પહેલી વાર સરકાર અને મિડીયા હલ્યાં, કર્ણાટકની એક સફાઈકર્મચારીઓની વસાહતમાં રહેતા દૃલિતોને રિહેબિલીટેટ કરવાની (અન્ય કામકાજમાં જોતરવાની) તજવીજ શરુ થઈ. છેલ્લાં પચ્ચીસ-સત્તાવીસ વર્ષથી વિલ્સન જિપ્સીની જેમ ભારતભરમાં ફરતા રહે છે, જ્યાં મેલું ઉપાડવાનું કામ થતું હોય ત્યાં જાતમુલાકાત લે છે. તેઓ સફાઈકામદૃારો સાથે વાતચીત કરે, સમજાવે, તેમની તસવીરો ખેંચે, ડોક્યુમેન્ટેશન કરે અને ડેટા સરકારને પહોંચાડે. સફાઈ કર્મચારી આંદૃોલન (એસકેએ)ના સ્થાપક અને નેશનલ કન્વિનર તરીકે વિહ્લસન અને તેમના સાથીઓ એકધારા પ્રયત્નોને કારણે ૧૯૯૩માં સરકારે એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન્સ (પ્રોહિબિશન) એકટ બનાવ્યો. તે અનુસાર શુષ્ક શૌચાલયનું બાંધકામ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે મેલું ઉપડાવવું અને ઉપાડવું ગેરકાયદૃે બન્યા.

તો શું કાયદૃો બન્યો એટલે મેલું ઉપાડવાના આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? કાયદૃામાં એવી તાકાત હોત તો જોઈએ જ શું. સરકારે ડિસ્ટ્રીકટ કલેકટરના હાથમાં સત્તા મૂકી હતી કે કાયદૃાનું ઉલ્લંઘન કરનાર સામે એ ત્વરિત પગલાં ભરી શકે, એને સજા ફરમાવી શકે, પણ ૧૯૯૩ થી ૨૦૧૨ સુધીમાં દૃેશના એક પર ડિસ્ટ્રિકટ કલેકટરે એક પણ માણસ સામે કેસ દૃાખલ ન કર્યો! કાયદૃાનું સૌથી વધારે ઉલ્લંઘન તો ખુદૃ સરકાર દ્વારા જ થતું રહ્યું. રેલવે મુસાફરી કરતા અસંખ્ય લોકો ટ્રેનમાં જાજરુએ જાય ત્યારે મળ સીધો નીચે પાટા પર પડે છે. તે દૃૂર કરનાર માટે સરકાર પોતે જ સફાઈકર્મચારીઓને નોકરીએ રાખે છે યા તો કોન્ટ્રે્કટ આપે છે. મ્યુનિસિપાલિટીઓ કમ્યુનિટી લેટ્રીન્સની સફાઈ માટે સફાઈકામદૃારોની ભરતી કરતી રહી. સૌથી રમૂજીકરુણ કિસ્સો તો નિઝામાબાદૃમાં બન્યો. અહીંના કોર્ટ કોમ્પલેકસમાં જ એક ડ્રાય લેટ્રીન હતું. તેને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું તો સ્વયં કોર્ટે લિખિતમાં આ કામ અટકાવવાનો આદૃેશ આપ્યો! વિહ્લસન અને એમની ટીમે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ફરિયાદૃ કરી કે સ્થાનિક અદૃાલત પોતે જ  કાયદૃાનો ભંગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટેે ચોવીસ કલાકમાં તે ડ્રાય લેટ્રીનને તોડી પાડવાનો આદૃેશ આપ્યો!



સરકારી સ્તરે આ હાલત હોય ત્યારે સામાજિક સ્તરે શું હાલત હોય તે સમજી શકાય તેમ છે. ચિત્તોડ જિલ્લાનાં ગામડાગામની કેટલીક સ્ત્રીઓએ એક કાર્યક્રમમાં પોતાની કથની સંભળાવી હતી જેમાં આખા ભારતની હાલતનો પડઘો પડે છે. હજુ થોડાં વર્ષ પહેલાં સુધી મેલું ઉપાડવાનું કામ કરતી આ મહિલાઓ કહે છે કે અમારાં સંતાનો અમારાથી દૃૂર દૃૂર ભાગતાં કેમ કે અમારાં શરીરમાંથી આવતી મળમૂત્રની વાસ એમનાથી સહન ન થતી. એમને અમારી શરમ આવતી અને કહ્યા કરતાં કે મા, દિૃવસમાં તું પાંચ-છ વાર નહાતી કેમ નથી? જેનાં સંડાસ સાફ કરતા હોઈએ તે ઘરની સ્ત્રીઓ આગલા દિૃવસની વધેલી વાસી રોટલી અમારા હાથમાં ન આપે, પણ નીચે ફેંકે. અમારે જમીન પર પડેલી રોટલી ઉંચકી લેવાની. ગામના કૂવાનું પાણી જોઈતું હોય તો બીજા બધા પાણી ભરી ન લે ત્યાં સુધી  કલાકો સુધી રાહ જોવાની. કાં તો અમને એવી જગ્યાએથી પાણી ભરવાનું કહેવામાં આવે જેમાં ક્યારેક મરેલાં પશુપક્ષીની લાશો તરતી હોય. મંદિૃરોમાં એ લોકોના પૂજાપાઠ ચાલતા હોય તો અમારાથી પગથિયાં પણ ન ચડાય. અમે પછી બહારથી જ ભગવાને માથું નમાવીને નીકળી જઈએ.

બીજાઓનું મેલું સાફ કરવું ગેરકાયદૃેસર છે એની ખબર પડતાં આમાંની કેટલીક મહિલાઓએ સિસ્ટમની સામે થવાનો નિર્ણય લીધો. જે સુંડલામાં તેઓ મળ-કચરો ભરતાં હતાં તે સુંડલા સળગાવી નાખ્યાં. એમણે મેલું સાફ કરવાની ના પાડી એટલે ગામવાળાઓ હેરાન કરવાનું શરુ કર્યું. એમને ટોન્ટ મારવા લાગ્યા કે તમે સફાઈ નહીં કરો તો જાશો ક્યાં? કરિયાણાની દૃુકાનેથી એમને કરિયાણું ન મળે. કેશકર્તનની દૃુકાને વાળ ન કાપે. અરે, દૃાયણ એમની મહિલાઓની સુવાવડ કરવા પણ ન આવે. સ્વજનનું મોત થાય તો ગામનું સ્મશાન વાપરી ન શકાય. લાશ બાળવા કશેક દૃૂર જવું પડે. ગામમાં કામ મળતું બંધ થયું એટલે એમણે કામની શોધમાં ૧૪-૧૫ કિલોમીટર દૃૂર બીજાં ગામે જવું પડતું. મહિલાઓ આખરે હિંમત કરીને અન્યાયકર્તાઓ સામે કેસ ઠોકી દૃીધો. પોતાના પર થઈ લઈ રહેલા ભેદૃભાવનો વિડીયો ઉતાર્યો. તેઓ કેસ જીતી ગયા. ગામલોકોએ પછી નછૂટકે અમને કામ આપવું પડ્યું ને અમારી સાથે માણસ જેવો વહેવાર કરવો પડ્યો.

પણ આ તો બીજા રાજ્યની વાત છે, આપણા ગુજરાતમાં આવું કશું બનતું નથી એવું કહેનારાઓએ લેખની શરુઆતમાં જેને ઉલ્લેખ કર્યો છે તે ‘અદૃશ્ય ભારત' પુસ્તકમાંથી ગુજરાત વિશેનું પ્રકરણ વાંચવું જોઈએ. ગુજરાતમાં મોદૃી સરકાર હતી ત્યારે ગુજરાતને ‘નિર્મલ રાજ્ય' ઘોષિત કરીને દૃાવો કરવામાં આવ્યો હતો કે અમારે ત્યાં મેલું ઉપાડવાની કુપ્રથા નાબૂદૃ થઈ ગઈ છે. જોકે ૨૦૦૬ થી ૨૦૦૯ દૃરમિયાન જમીની સ્તર પર અભ્યાસ થયા, સર્વે કરવામાં આવ્યા અને સરકારી દૃાવા પોકળ સાબિત થયા. લેખિકા ભાષા સિંહે નોંધ્યું છે તે પ્રમાણે ૨૦૦૬માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદૃીએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસને ગુજરાતમાં મેલું ઉપાડવાની સ્થિતિ વિશે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ આ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો, પણ સરકારે ન તેનો સ્વીકાર કર્યો કે ન તેની વિગતો બહાર પાડી. છાનબીન પછી આખરે ખબર પડી કે રિપોર્ટમાં માત્ર એ ગામડાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની વસ્તી દૃસ હજાર કરતાં વધારે હોય. આ માપદૃંડ અનુસાર જ્યાં મેલું ઉપાડવાનું પ્રથા ચાલતી હતી એવાં મોટા ભાગનાં ગામડાંને રિપોર્ટમાં ગણતરીમાં જ લેવાયાં નહોતાં. રિપોર્ટમાં લખાયું હતું કે (૨૦૦૬ સુધીમાં) ગુજરાતનાં ૨૪૫૬ પરિવારો જ  મેલું ઉપાડવાનું કામ કરે છે. દૃલિત સંગઠનોનું કહેવું હતું કે ગુજરાતના ૧૮,૫૦૦ ગામડાંમાંથી ૧૨,૫૦૦ ગામડાંમાં દૃલિત સમુદૃાયો રહે છે. સિલેકિટવ બનવાને બદૃલે આ તમામને ધ્યાનમાં લો તો જ સાચી તસવીર સામે આવે. નવસર્જન સંસ્થાએ ૨૦૦૬માં ગુજરાતમાં મેલું ઉપાડનારોની સંખ્યા ૫૫,૦૦૦ જેટલી આંકી હતી. છેલ્લા એક દૃાયકામાં આ આંકડો ધડામ્ કરતો શૂન્ય પર પહોંચી ગયો હશે એવું માની લઈએ એટલા ભોળા તો આપણે નથી જ.

Bezwada Wilson

બેઝવાડા વિલ્સનના અંદૃાજ પ્રમાણે ૨૦૧૨માં ભારતમાં મેલું ઉપાડતાં પરિવારોની સંખ્યા ૧૩ લાખ જેટલી હતી. દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરીનો સંદૃતર સફાયો કરી નાખવા માટે સરકારે અત્યાર સુધીમાં ૧૫ કરતાં વધારે વખત ડેડલાઈન પાછળ ઠેલી છે. છેલ્લે ૨૦૧૨ની ૧૫ ઓગસ્ટે દિૃલ્હીના લાલ કિહ્લલા પરથી પ્રવચન આપતી વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન િંસહે સ્વયં દૃેશમાં હજુય મેન્યુઅલ સ્કેવેન્જિંગ થાય છે એવું સ્વીકારીને તેને સંપૂર્ણપણે નાબુદૃ કરવાનો ઈરાદૃો વ્યકત કર્યો હતો.

વિલ્સન પૂછે છે, ‘આપણે કોમનવેલ્થ ગેમ્સ કે બીજી પ્રેસ્ટિજિયસ ઈવેન્ટ્સ ગોઠવીએ છીએ ત્યારે કઈ રીતે યેનકેન પ્રકારેણ ડેડલાઈનનું પાલન કરીએ છીએ? ત્યારે કેમ અતિવૃષ્ટિ થાય, કરપ્શન કે એવું કશું જ નડતું નથી? તો પછી મેલું ઉપાડવા જેવી જઘન્ય કુપ્રથાની નાબૂદૃી માટેની ડેડલાઈન શા માટે સતત પાછળ ઠેલાતી રહે છે?'

મેલું ઉપાડતા અમુક દૃલિતોએ પણ પોતાની માનસિકતા બદૃલવાની, પોતાના આત્મસન્માનને વધારે મજબૂત બનાવવાની જરુર છે. તેઓ શા માટે વાસી ખાવાનું લેવા માટે હજુય બીજાઓનાં ઘરે જાય છે? શા માટે ગટરમાં ઉતરતી વખતે સરકાર દ્વારા અપાતી માસ્ક વગેરે પહેરતાં નથી ને અકસ્માતનો ભોગ બને છે? શા માટે એમને અપાયેલાં સારાં રહેણાંકમાં રહેવા જવાને બદૃલે જુની ઓરડીમાં સાંકડમોંકડ રહેવાનું પસંદૃ કરે છે?



આજે અસંખ્ય દૃલિતો માટે આ કામ ભૂતકાળ બની ગયું છે. તેઓ અન્ય રિસ્પેકટેબલ કામો કરે છે, એમનાં સંતાનો મેલું ઉપાડવાના કોન્સેપ્ટ માત્રથી જોજનો દૃૂર છે, તેઓ ભણે છે, ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા દૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે.

ધારો કે કાલથી મેલું ઉપાડવાનું કામ એક ઝાટકે બંધ કરી નાખવામાં આવે તો એના વિકલ્પ તરીકે આપણી પાસે શું છે? નવસર્જન સંસ્થાના સ્થાપક અને દૃાયકોઓથી દૃલિતોના ઉત્થાન માટે કામ કરી રહેલા માર્ટિન મેકવાન કહે છે, ‘આપણે અંતરિક્ષમાં જઈ આવ્યા, જાતજાતના આવિષ્કારો કર્યાં તો શું મેલું સાફ કરવા માટેની ટેકનોલોજી ન અપનાવી શકીએ? વિદૃેશોમાં આ બધું શી રીતે થાય છે?'

આખા દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરી સંપૂર્ણપણે દૃૂર થવામાં કેટલો સમય લાગે એમ છે?

‘સમજોને, સિત્તેર-એંસી વર્ષ...' માર્ટિન મેકવાન જવાબ આપે છે.

આ સમયગાળો થથરાવી મૂકે તેવો છે...  

0 0 0

Sunday, August 14, 2016

મલ્ટિપ્લેક્સ: આશુતોષે નિષ્ફ્ળતાને હંમેશાં સ્પ્રિંગ બોર્ડ તરીકે વાપરી છે…



Sandesh - Sanskaar Purti - 14 Aug 2016

મલ્ટિપ્લેક્સ
મોહેન્જો દારો આશુતોષ ગોવારીકરની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય એમનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!



સિનેમાને પૈસા રળી આપતા ધંધા તરીકે નહીં પણ ઉત્તમ કળાસ્વરૂપ તરીકે ટ્રીટ કરતા ફ્લ્મિમેકરો હંમેશાં લઘુમતીમાં હોવાના. આશુતોષ એમાંના એક. હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી, એલિટ અને સૌથી એકસકલુઝિવ ડિરેકટરોનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં આશુતોષ ગોવારીકરને અનિવાર્યપણે ઊંચા પાયદાન પર મૂકવા પડે. એમણે જિંદગીમાં ફ્કત એક ‘લગાન’ (૨૦૦૧) જ બનાવી હોત અને આના સિવાય બીજું કશું જ કામ કર્યું ન હોત તો પણ હિન્દી સિનેમાનો ઈતિહાસ એમને હંમેશાં યાદ રાખત.
આશુતોષે જોકે ‘લગાન’ની પહેલાં અને પછી બીજું ઘણું કામ કર્યું છે. ‘સ્વદેસ’ (૨૦૦૪) શાહરુખ ખાનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોમાંની એક ગણાય છે, જે ‘લગાન’ પછી આવી. ત્યાર બાદ રિતિક રોશન-ઐશ્વર્યા રાયની સુપરહિટ ‘જોધા-અકબર’ (૨૦૦૮) આવી. એમ તો અત્યંત નિરાશાજનક ‘વોટ્સ યોર રાશિ?’ (૨૦૦૯) અને લોકોનાં ચિત્તમાં જેનું ટાઈટલ, એકાદું વિઝ્યુઅલ કે ગીતની એકાદ કડી સુધ્ધાં નોંધાઈ નથી એવી અભિષેક બચ્ચન-દિપિકા પદુકોણની ભયંકર નિષ્ફ્ળ નિવડેલી ‘ખેલેંગે હમ જી જાન સ’ (૨૦૧૦) પણ આશુતોષ ગોવારીકરે જ બનાવી છે. છેલ્લે એમણે પ્રોડયૂસ કરેલી ‘એવરેસ્ટ’ (૨૦૧૫) નામની ટીવી સિરીઝ પાસેથી ઠીક ઠીક અપેક્ષાઓ હતી, પણ આ સીરિયલ પણ આશ્ચર્ય થાય તેટલી હદે મામૂલી સાબિત થઈ. આશુતોષના ચાહકો વિચારમાં પડી ગયેલા કે બાવન વર્ષીય ગોવારીકરસાહેબ પોતાનો મિડાસ ટચ ઉત્તરોત્તર ગુમાવી રહ્યા છે કે શું? શું એમની ક્રિયેટિવિટી અને સફ્ળતાનો ધડાધડ નીચે ઉતરી રહેલો ગ્રાફ્ ‘મોહેન્જો દારો’થી પાછો ઉપર ચડશે? ‘મોહેન્જો દારા’ આ શુક્રવારે ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે એટલે આ સવાલોના જવાબ મહદ્દઅંશે આપણને મળી ચૂકયા હશે.
(તાજા કલમઃ 'મોહેન્જો દારો' રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મે ઓડિયન્સ અને સમીક્ષકો સૌને અપેક્ષાભંગ કર્યો છે. અફ કોર્સ, આશુતોષની છેલ્લી બે ફિલ્મો 'વોટ્સ યોર રાશિ?' અને 'ખેલેંગે હમ જી જાન સે' કરતાં આ ફિલ્મ અનેક ગણી સુંદર છે, હૃતિકે અફલાતૂન પર્ફોમન્સ આપ્યું છે, ફિલ્મ વિઝ્યુઅલી મસ્ત લાગે છે વગેરે, પણ નબળી સ્ટોરીને કારણે ફિલ્મ જમાવટ કરતી નથી. એક્સાઈમેન્ટની જોરદાર કમી છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય પણ વાનગી ખાતાં ખબર પડે કે આમાં તો મારું બેટું મીઠું નાખવાનું જ ભુલાઈ ગયું છે યા તો બહુ ઓછું નમક પડ્યું છે ત્યારે કેવી ફીલિંગ થાય? બસ, 'મોહેન્જો દારો' જોતી વખતે અને જોયા પછી એક્ઝેક્ટલી આવી જ લાગણી જાગે છે.) 
આશુતોષના હવે પછીનાં કરીઅરમાં ગ્રાફ્ વિશે અટકળ બાંધતા પહેલાં એમની કારકિર્દીની શરૂઆતના તબક્કાનું સિંહાવલોકન કરી લેવું જોઈએ. આશુતોષ મૂળ તો અભિનેતા. કોલેજનાં વર્ષોમાં તેમનું ધ્યાન ભણવામાં ઓછું ને નાટક-ચેટક તેમજ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન પર વધારે રહેતું. આવી જ કોઈ એકિટવિટી દરમિયાન ફ્લિમમેકર કેતન મહેતાનું ધ્યાન આ વાંકળિયા વાળવાળા અને બહુ જ કયુટ સ્માઈલ ધરાવતા લંબૂશ છોકરા પર પડી. કેતન મહેતાએ એમને પોતાની ‘હોલી’ (૧૯૮૪) નામની ઓફ્બીટ ફ્લ્મિમાં રોલ આપ્યો. કોલેજમાં થતા રેગિંગના થીમવાળી આ ફ્લ્મિનાં સેટ પર આશુતોષનો ભેટો એક નવાસવા એકટર સાથે થયો. એ છોકરો ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ વગેરે કરતો હતો ને એનેય એકટર બનવાનાં ધખારા હતા. આ છોકરાનું નામ હતું, આમિર ખાન.

આમિર તો ફ્લ્મિી પરિવારનું ફરજંદ હતો એટલે એને ‘કયામત સે કયામત તક’થી રીતસર હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો. પહેલી જ ફ્લ્મિથી એ સ્ટાર બની ગયો ને સમયની સાથે ઈન્ડસ્ટ્રીમાં એનું સ્થાન મજબૂત બનતું ગયું. આ બાજુ આશુતોષ સફ્ળતા માટે હવાતિયાં મારતા રહૃાા. એમણે ‘સરકસ’ (૧૯૮૯) નામની સીરિયલ કરી (જેમાં એનો ભેટો ઓર એક ટેલેન્ટેડ નવા એકટર સાથે થયો હતો. એ દિલ્હીથી પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યો હતો અને એનું નામ હતું શાહરૂખ ખાન), જે હજુ સુધી ખતમ થવાનું નામ લેતી નથી તે ‘સીઆઈડી’ સીરિયલમાં ય આશુતોષે થોડા એપિસોડ્સ કર્યા (૧૯૯૮). ‘નામ’ (૧૯૮૬), ‘સલીમ લંગડે પે મત રો’ (૧૯૮૯), ‘ચમત્કાર’ (૧૯૯૨), ‘કભી હાં કભી ના’ (૧૯૯૩) જેવી ફ્લ્મિોમાં નાના નાના રોલ્સ કર્યા, ખૂબ કોશિશો કરી, પણ આશુતોષ એક એકટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ખુદને એસ્ટાબ્લિશ ન જ કરી શકયા.
એકટર તરીકે પોતાનું ખાસ કોઈ ભવિષ્ય નથી તે સત્ય આશુતોષને સમજાઈ ચુકયું હતું, પણ વાઘે લોહી ચાખી લીધું હતું. એમણે નક્કી કરી નાખ્યું હતું કે સિનેમા-ટીવી જ મારી દુનિયા છે. કરીઅર તો હું આ જ લાઈનમાં બનાવીશ. એકટર તરીકે કામ કરતી વખતે સેટ પર આશુતોષને ડિરેકટોને આસિસ્ટ કરવાની ખૂબ મજા પડતી. પોતાનો શોટ પૂરો થતાં જ તેઓ જાણે અનઓફ્શિીયલ આસિસ્ટન્ટ ડિરેકટર બની જતા. બીજા એકટરોને કયૂ આપવી, કલેપ આપવી વગેરે જેવાં કામો તેઓ કરતા રહેતા. ડિરેકટરો અને ટેકનિશીયનોને જાતજાતનાં સવાલો પૂછે, જાણવાની-સમજવાની કોશિશ કરે. આમ, ફ્લ્મિમેકિંગની એ-બી-સી-ડી આશુતોષ અનાયાસે શીખતા ગયા. અમોલ પાલેકર (જેની ‘કચ્ચી ધૂપ’ નામની ટીનેજરો માટેની મસ્ત સીરિયલમાં આશુતોષે અભિનય કરેલો), સઈદ મિરઝા, મહેશ ભટ્ટ, કુંદન શાહ જેવા કાબેલ ડિરેકટરો સાથે આશુતોષે એકટર તરીકે કામ કર્ર્યુ છે. આમ જુઓ તો આમાંનાં કોઈ આશુતોષના ગુરુ નથી. આશુતોષ એકલવ્યની જેમ સીરિયલ તેમજ ફ્લ્મિમેકિંગની પ્રોસેસ શીખ્યા છે. આશુતોષમાં જોકે એકલવ્યભાવ ગેરહાજર હતો. તેઓ માનતા કે હું જ મારો ગુરુ છું, હું બધું આપબળે શીખ્યો છું. આ પ્રકારનો આત્મવિશ્વાસ જ નહીં, તુમાખી પણ એમનામાં હતાં. આશુતોષે પોતાનું ભવિષ્ય નવેસરથી રિ-ડિફઈન કર્યું: એકટર તરીકે આગળ વધી શકાય તેમ નથી તો શું થઈ ગયું, હું ડિરેકટર બનીશ!
સહાયક દિગ્દર્શક તરીકેનો કોઈ નોર્મલ અનુભવ ન હોવા છતાં એકટર તરીકે નિષ્ફ્ળ ગયેલા આશુતોષને ૨૮ વર્ષની ઉંમરે ડિરેકટર તરીકે પહેલો બ્રેક મળ્યો. તે ફ્લ્મિ હતી, ‘પહલા નશા’ (૧૯૯૨). દીપક તિજોરી, રવિના ટંડન અને પૂજા ભટ્ટે એમાં એકિટંગ કરી. આ મર્ડર મિસ્ટરી બોકસઓફ્સિ પર ન ચાલી ને રિવ્યૂઅરોએ તેને ધોઈ નાખી. આશુતોષ ની હિંમત ન થઈ. તેમણે ‘બાઝી’ (૧૯૯૫) નામની બીજી ફ્લ્મિ બનાવી, જે હોલીવૂડની ‘ડાઈ હાડૅ’ પર આધારિત હતી. બોલીવૂડમાં મસ્ત રીતે સેટ થઈ ગયેલા આમિર ખાન તેમાં હીરો હતા. આશુતોષે ધ્યાન રાખ્યું કે ‘બાઝી’ બનાવતી વખતે એક પણ ફ્લ્મિી મસાલો ભુલાઈ જવો ન જોઈએ. મારધાડ, નાચગાના, એકશન-ઈમોશન બધું જ તેમણે સારી પેઠે ભભરાવ્યું. અરે, આમિર પાસે છોકરીનો વેશ ધારણ કરાવીને સેકસી ડાન્સ પણ કરાવ્યો. પરિણામ? ફ્લોપ. આ મસાલા ફ્લ્મિ ન ઓડિયન્સને ગમી, ન વિવેચકોેએ વખાણી. ડિરેકટર તરીકે બનાવેલી બન્ને ફ્લ્મિો ઉપરાછાપરી ફ્લોપ. હવે? એકટરની જેમ ડિરેકટર તરીકેના ભવિષ્ય પણ પણ તાળું લાગી જશે?
આમિરે ‘બાઝી’માં કામ જરૂર ર્ક્યું, પણ એમની સેન્સિબિલિટી સાથે આ ફ્લ્મિ જરાય મેચ થતી નહોતી. ઈવન આશુતોષ પણ ક્રિએટિવ લેવલ પર ‘બાઝી’થી સંતુષ્ટ નહોતા. તેઓ જાણતા હતાં કે મારધાડ ટાઈપના કમર્શિયલ મસાલાનો ઓવરડોઝ હું ફ્ક્ત બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને કરી રહૃાો છું. જોકે ‘બાઝી’ને કારણે એક સરસ વાત બની. આમિરને સમજાયું કે આશુતોષે ‘બાઝી’ બનાવવામાં લોચા માર્યા છે, પણ આ છોકરો છે ભારે તેજસ્વી. આમિર આશુતોષને કહેતા,’આશુ, તું જે કંઈ બનાવી રહૃાો છે તેમાં તું ખુદ કન્વિન્સ્ડ નથી, તો ઓડિયન્સ કયાંથી કન્વિન્સ થવાનું? જો ડિરેકટર તરીકે તારામાં સેલ્ફ્-બિલીફ્ નહીં હોય, જો તું હિંમત નહીં કરે તો તું કયારેય સારો ડિરેકટર નહીં બની શકે.’
આશુતોષને જોકે આવી બધી શિખામણોની જરૂર જ નહોતી. આશુતોષ ખુદ અનુભવે સમજી ચુકયાં હતા કે મારે મારો અપ્રોચ બદલવો પડશે. જે થતું હોય છે તે સારા માટે થતું હોય છે. જો ‘બાઝી’ કે ‘પહલા નશા’ આ બેમાંથી એકાદ ફ્લ્મિ પણ ચાલી ગઈ હોત તો આશુતોષ કયારેય ‘લગાન’ જેવો માસ્ટરપીસ શકયા ન હોત. તેમને નિષ્ફ્ળતાનાં મોટા ઝટકા લાગ્યા ન હોત તો તેઓ ‘બાઝી’ – ‘પહલા નશા’ ટાઈપની મામૂલી ફ્લ્મિો બનાવ્યા કરત. ડિરેકટર તરીકેની પોતાની બન્ને ફ્લ્મિો ઊંધાં મોંએ પછડાઈ એટલે આશુતોષે આત્મમંથન કરવું પડયું, ક્રિએટિવ ગુપ્તવાસમાં જતા રહેવું પડયું. આખરે માનસિક સ્પષ્ટતા થઈ. એમણે નક્કી કર્યું કે હવે હું બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને ફ્લ્મિ નહીં જ બનાવું. આ બધાં ઉધામા મેં કરી લીધા છે ને એનું પરિણામ પણ જોઈ લીધું છે. બોકસઓફ્સિનું કયાં કશું નક્કી હોય છે? ઓડિયન્સને શું ગમશે તેની કલ્પનાઓ કરીને હવામાં તીર ચલાવવાને બદલે મને ખુદને ગમે એવી ફ્લ્મિો કેમ ન બનાવું? હું ટ્રેન્ડને નહીં અનુસરું. રિસ્ક ઉઠાવવું પડે તો ઉઠાવીશ. મહાન ફ્લ્મિમેકરોએ કયારે બોકસઓફ્સિને ગણકારી હતી? પોતાનાં સપનાંની દુનિયામાં વિહરતા કવિની વાત કરતી ‘પ્યાસા’ કે કલકત્તામાં હાથરિક્ષા ચલાવતા ગરીબ માણસની ‘દો બીઘા જમીન’ લેન્ડમાર્ક ફ્લ્મિો બનશે એવું કોણે કહ્યું હતું? તો બસ, હું પણ એવી જ ફ્લ્મિ બનાવીશ, જેમાં મને ખૂદને ભરપૂર શ્રદ્ધા હોય. જેમાં મારું મન માનતું ન હોય તેવી સ્ક્રિપ્ટને હાથ પણ નહીં લગાડું.

આ પ્રકારના ખુન્નસ સાથે આશુતોષે ૧૯૯૬નાં ઓકટોબરમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. આ સ્ક્રિપ્ટ પરથી જે ફ્લ્મિ બની તે જ ‘લગાન’ (૨૦૦૧). હિન્દી સિનેમાની આ સર્વકાલિન કલાસિક ફ્લ્મિ ખરેખર કેવી રીતે બની તે વિશે આખું પુસ્તક લખાયું છે.
સો વાતની એક વાત. જો ‘મોહેન્જો દારો’ મસ્તમજાની પુરવાર થશે (જે કમનસીબે નથી થઈ) તો એ અપેક્ષિત ગણાશે. ધારો કે તે આશુતોષની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય આશુતોષનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!
શો-સ્ટોપર
મને બીજું કોઈ કામ કરતાં કયારેય આવડયું જ નથી. હું જાતજાતનાં  ઉંધામાં કરવાનાં ટ્રાય કરતો, પણ દર વખતે ઊંધા મોંએ પછડાતો એટલે ચુપચાપ પાછો એકિટંગ કરવા માંડતો.
– મનોજ બાજપાઈ