Wednesday, August 22, 2018

અનુભવ એટલે? દરેક માણસે પોતાની ભૂલોને આપેલું નામ!


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 22 ઓગસ્ટ 2018 
ટેક ઓફ
ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.

જીવનના વહેણની દિશા પલટી નાખવા માટે ક્યારેક માત્ર એક વાત, ટિપ્પણી કે પ્રેરણા પૂરતાં થઈ પડતાં હોય છે. વિચારની આ તાકાત છે. કલ્પના કરો, જ્યારે ૧૦૧ અનોખા વ્યક્તિત્ત્વોની ૩૦૦૦ કરતાંય અધિક વિચારકણિકાઓ એક જ પુસ્તકમાં સંગ્રહિત થાય ત્યારે સત્ત્વશીલતાનો કેવો ગજબનાક ગુણાકાર થાય! હમણાં જિતેન્દ્ર પટેલ લિખિત વ્યક્તિ, વિચાર ને પ્રેરણા નામના પુસ્તક સાથે ભેટો થઈ ગયો, જેમાં વિચારમેળો બરાબરનો જામ્યો છે. વિશ્વના જુદાંજુદાં બિંદુએ પ્રગટેલા અને સમયની સપાટી પર સતત તરતા રહેલા તેજલિસોટા જેવા આ વિચારોમાં સદીઓનું ડહાપણ અને ચિંતન સમાયેલું છે.

આ ૧૦૧ મહાનુભાવોની યાદી ઈન્ટરેસ્ટિંગ છે. અહીં એક છેડે પ,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વિદુરછે તો સામેના છેડે પર ૧૯૯૦માં નિધન પામેલા ઓશો છે. આ બે અંતિમોની વચ્ચે જન્મવર્ષ અનુસાર ચડતા ક્રમમાં ગુજરાતના, ભારતના અને દુનિયાભરના નોંધપાત્ર વિચારકો, સંતો-મહંતો, સાહિત્યકારો વગેરેનાં અવતરણોને આવરી લેવામાં આવ્યાં છે. 

 કંગાળ લોકો નહીં, પણ સુખી લોકો નિર્ધનતાની ખાઈમાં સરી પડે છે ત્યારે ક્રાંતિ કરવા તૈયાર થાય છેઆ સર્વકાલીન સત્ય છેક ઈસવી સન પૂર્વે ૪૨૮માં જન્મેલા પ્લેટોએ ઉચ્ચાર્યુ હતું. પ્લેટોના શિષ્ય હતા એરિસ્ટોટલ અને એરિસ્ટોટલના શિષ્ય હતા વિશ્વવિજેતા સિકંદર. ગરુશિષ્યની આ કેવી ભવ્ય જોડીઓ! એરિસ્ટોટલે કહે છેઃ ગુસ્સો કરવો સામાન્ય બાબત છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય કારણથી, યોગ્ય રીતે ગુસ્સે થવું એ કામ સરળ નથી.’ 

ક્રોધ જન્મે છે શા માટે? આનો ઉત્તર તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ રીતે આપે છેઃ માણસ પોતાના અંતરાત્માને પ્રસન્ન રાખવાનું ભૂલી અંતઃકરણના જુદા જુદા વેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં ક્રોધ પેદા થાય છે.ક્રોધ પહેલાંના તબક્કા વિશે મૂછાળી માતરીકે જાણીતા થયેલા ગિજુભાઈ બધેકા કહે છેઃ દુર્બળ માણસ પ્રથમ બીજાનું અનુકરણ કરે છે. અનુકરણ કરવામાં ફાવતો નથી ત્યારે તેની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યા કરવાથી કશું વળતું નથી ત્યારે તેની નિંદા કરે છે. નિંદામાંથી પણ કંઈ વળતું નથી ત્યારે હાંસી કરે છે. હાંસીમાંથી પણ હારી જાય છે ત્યારે ક્રોધ કરે છે.ક્રોધ પછીની સભાનતાનું ઘણું મહત્ત્વ છે. એટલે જ ગુજરાતના ચાણક્યનું બિરુદ પામેલા પ્રભાશંકર પટ્ટણી કહે છે,‘ગુસ્સે થઈ ગયા પછી જે માણસ બીજી જ ક્ષણે એમ વિચારે કે અરે, આ મને શું થઈ ગયું? તો સમજવું કે પ્રભુકૃપાની દષ્ટિ તેના પર છે.’ 

પુસ્તકમાં પ્રત્યેક હસ્તીનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે. તેથી મૌન માત્ર કળા નથી, વાકપટુતા પણ છેએવું કહેનાર સિસરો રોમન બંધારણના ઘડવૈયા હતા તેની વાચકને જાણકારી મળે છે. મૌન વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સટન ચર્ચિલે પણ સરસ વાત કરેલીઃ ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.બ્રિટિશ ઈતિહાસવિદ થોમસ કુલર કહે છે, ‘ જીભ પર સંયમ રાખ્યા વિના કોઈ સારો વક્તા બની શકતો નથી.’ થોમસ કુલરની આ સ્માર્ટ વનલાઈનર જુઓઃ ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!


દુનિયાની એવી ક્ઈ એકમાત્ર વ્યક્તિ છે, જેણે નોબલ પ્રાઈઝ અને ઓસ્કર અવોર્ડ બણે જીત્યા હોય? ઉત્તર છે, જ્યોર્જ બર્નાડ શો. તેમણે સરસ કહ્યું છેઃ તક આવે છે એના કરતાં જતી રહે છે ત્યારે એ મોટી લાગે છે.લાઓ ત્સે કહે છેઃ ભાગ્ય પર બધું છોડી દેનાર લોકો સામે આવેલી તકોને ઓળખી શકતા નથી.તક એ સમયનું જ એક પાસું થયું. લેખક-પત્રકાર વજુ કોટક એટલે જ કહે છે ને કે, ‘સમય ચૂકી જનારાઓએ હંમેશા સમયની રાહ જોવી પડે છે.’ 
 એક સાથે અનેક વિભૂતિઓની વિગતો એક જ લસરકામાં સામે આવતી હોવાથી ઘણી રસપ્રદ બાબતો આપોઆપ ઉપસી આવે છે. જેમ કેશેક્સપિયરનો ૧૫૬૪માં જન્મ થયો ત્યારે રામચરિતમાનસના રચયિતા તુલસીદાસ બત્રીસ વર્ષના યુવાન હતા. મોહમ્મદ પયગંબરના જન્મ છઠ્ઠી સદીમાં થયો, જ્યારે મહાકવિ કાલિદાસ એમની પહેલા એટલે કે પાંચમી સદીમાં થઈ ગયા. ઈસવી સનની ગણતરીની શરૂઆત ક્યારે થઈ? જો તમારો જવાબ ઈશુ ખ્રિસ્તના જન્મવર્ષ સાથેએવો હોય તો તે ખોટો છે, કારણ કે ઈશુ ખ્રિસ્તનો જન્મ ઈસવી સન પૂર્વે પાંચમાં થયો હતો! ઈસવી સન પૂર્વે ૫૫૧ થી ૨૫૦ વચ્ચે થઈ ગયેલા કોન્ફ્યુશિયસ, ચાણક્ય, સોક્રેટિસ તો આ બધા કરતાં ઘણા સિનિયર ગણાય! 

મહાનુભાવોની વિચારકણિકાઓ ખરેખર ટાઈમલેસ હોય છે. પ્લેટો કહે છે, વેર લેવું છે? તો તામારા સદગુણો વધારી દો!’ ટાગોરનું કહેવું છે કે, ‘ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે.’ ‘ભ્રમણા એક મોટામાં મોટો આનંદ છેએવું કહેનાર ફ્રેન્ચ લેખક અને ફિલોસોફર વોલ્તેર કહે છે કે,‘જિંદગીની મુસીબતો ઓછી કરવા માગતા હો તો અત્યંત વ્યસ્ત રહો.તો સેમ્યુઅલ જ્હોન્સન કહે છેઃ તમે નવરા હો તો એકલા રહેશો નહીં અને એકલા હો તો નવરા રહેશો નહીં.

આ પ્રકારના પુસ્તકની મજા એ છે કે તમે એને હાથમાં લઈને કોઈ પણ પાનું ફેરવીને વાંચી શકો છો, એકથી અધિક વખત વાંચી શકો છો અને દર વખતે તે નવાં નવાં સ્પંદનો અનુભવી શકો છો.

બાય ધ વે, લેખના શીર્ષકમાં વંચાતું અવતરણ ધારદાર રમૂજ માટે જાણીતા ઓસ્કર વાઈલ્ડનું છે!

0 0 0 


Saturday, August 18, 2018

Pagla Ghoda - the play



So I could finally watch Pagla Ghoda - a classic play written by late Badal Circar, one of the most influential theatre personalities of India - yesterday at Ravindra Bharthi auditorium, Hyderabad. I was always curious about this play originally written in Bengali way back in 1967. So there was no question to miss the opportunity!
To touch a classic is always a huge challenge for everyone. For the director and the actors, it is like, are we able to justify the stature of the play? Will we be able to pull it off successfully? Along with them, the audiences are challenged too. They are like, will I be able to enjoy such a celebrated piece of art? Am I equipped enough to appreciate it?
I could perceive the whole experience of Pagla Ghoda at two levels. On one, being associated with a throbbing theater circuit of Mumbai, I find it absolutely amazing - and even heartbreaking - when I see the amount of hard work and efforts the theater people of Hyderabad put in to come up with a play. As I have mentioned even earlier, most of the actors and even directors here are full-time professionals working in IT, finance, pharmaceutical and other sectors. They stretch their selves to peruse their passion for theater; they make a lot of adjustments, rehearse for months on end even while being fully aware of the fact that the life span of their play would not go beyond 2 to 5 shows! The number of shows of a play in Hyderabad circuit generally does not touch a double digit.
I also feel that, the theater people of Hyderabad are probably purer than their Mumbai counterparts in spirit. Hyderabadi artists are not contaminated by the secret desire of being 'seen' by Bollywood people and eventually make it to the movies, or to be picked up TV serial makers and make substantial money. Forget film or TV people, the theater-going general public are severely limited in Hyderabad. Forget earning, the artists rather spend from their own pockets. They are probably not even considering the fame aspect, I guess. All they are happy with is the intoxicating process of rehearsals and creating a play. Kudos, therefore, to Saurabh Gharipurikar - the director of Pagla Ghoda and his actors to come up with a beautiful version of such a difficult play.
That's one. On second level, what if I remove this entire context and watch the play for what it is? Did it work for me? The answer is not absolutely but largely Yes. Pagla Ghoda is not an average "entertainer", so to speak. Quite obviously, it is never designed to provide the audiences some "good fun" or "laughs". On the visual level, the entire play takes place in a samshaan where four men are playing cards and drinking alcohol. Gradually - and reluctantly - they share their failed love stories even as a ghost of a dead woman (or women) keeps on interacting with them.
Pagla Ghoda is a metaphor for an untamed life. Rather than patriarchy culture and its impact on women and men, I feel, the play rather explores certain existential crisis of seemingly ordinary characters. No matter how mundane or colourless one's life may appear, he or she still has an intimate story to tell! And as a character named Kartik Babu keeps on repeating all along, if there is a life, not all is lost, there is still a hope!
The play - ably trans-created in Hindi by Dr. Pratibha Agarwal - becomes fully alive in the second half. Set design (also by Saurabh Gharipurikar) is rather impressive. The performances of all the actors (Jonas David, Akshay Kokala, Vishal Saxena, Jay Jha and Shailaja Chaturvedi) were consistently good. Jonas David, as expected, leaves the biggest impression.
Pagla Ghoda is not for instant gratification. Is the play heavy? Oh yes. It is a type of a play which kind of plants a seed and then in grows within you slowly. So if you are up for such a slow-burning, emotionally stimulating play, go for it!

0 0 0 

Tuesday, August 14, 2018

લવિન આર્મ્સ

મહારાષ્ટ્ર બોર્ડના આઠમા ધોરણની ગુજરાતી ટેક્સ્ટબુક (બાલભારતી, 2018-19)માં સમાવાયેલો લેખ 




‘જનાવરોનું રીતસર બજાર ભરાયું હતું તે દિૃવસે. કેટલાં બધાં નઘણિયાતાં પ્રાણીઓ - ગાય, બકરી, ઘેટાં, ઘોડા... અમુક સાવ ઘરડાં થઈ ગયેલાં તો અમુક તાજાં જન્મેલાં. માંદૃાં, અશકત, ઘવાયેલાં, લાચાર. વજનના હિસાબે સૌની હરાજી થઈ રહી હતી. ખરીદૃાયેલાં જનાવરો આખરે કતલખાનાંમાં ઘકેલાઈને કપાઈ જવાનાં હતાં. જે રીતે તેમને ધકકે ચડાવવામાં આવતાં હતાં, એમનાં શરીરો પર લાતો પડતી હતી, પ્રહારો થઈ રહ્યા હતા અને જે રીતે બિચારાં વેદૃનાથી બરાડા પાડી રહ્યાં હતાં... અસહ્ય હતું આ બધું. મેં આ બજારમાં છએક કલાક વીતાવ્યા હશે. મારા જીવનનો કદૃાચ આ સૌથી ઈમોશનલ દિૃવસ હતો.'

લગભગ બે વર્ષ પહેલાંની આ ઘટના વર્ણવતી વખતે શાલીન શાહનો અવાજ આજે પણ થોડો કાંપે છે. શાલીન શાહ અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં એરી નામના નાનકડા નગરમાં રહે છે. એમને બાતમી મળી હતી કે જનાવરોના પેલા બજારમાં એક પ્રેગનન્ટ ઘોડી અને બે બચ્ચાંની હરાજી થવાની છે. તેમને બચાવવા માટે શાલીન ત્યાં ગયેલા. આ ત્રણેય મૂંગાં જનાવરોને તો તેમણે ખરીદૃી લીધાં, પણ બાકીનાં પ્રાણીઓની હાલત જોઈને તેઓ અંદૃરથી હલી ગયા હતા. પશુઆના દૃર્દૃનાક ચિત્કારો અને એમની આંખોમાં થીજી ગયેલો ખોફ ભુલી શકાય તેમ નહોતા.

Compassionate couple: Shilpi Shah and Shaleen Shah


શાલીનના હૃદૃયમાં કરુણાનો ભાવ ન જાગે તો નવાઈ પામવા જેવું હતું. દૃસ વર્ષની ઉંમરે મમ્મી-પપ્પા સાથે અમદૃાવાદૃથી અમેરિકા શિફ્ટ થઈને, ત્યાં જ ભણીગણીને અને એન્ત્ર્યોપ્રિન્યોર બનીને સફળતા પામી ચુકેલા યુવાન શાલીન શાહ ખાનપાનના મામલામાં પાક્કા વીગન છે. વીગન હોવું એટલે માંસ-મચ્છી-ઈંડા તો નહીં જ, પણ દૃૂધ અને તેમાંથી બનતી દૃહીં-ઘી-છાસ-પનીર વગેરે જેવી પેદૃાશોને પણ હાથ નહીં લગાડવાનો. શાલીનને વીગન બનવાની પ્રેરણા એમની પત્ની શિલ્પીએ આપી હતી. જન્મે અને કર્મે જૈન એવાં પતિ-પત્ની બન્નેને થયાં કરતું હતું કે અિંહસાના મામલામાં આપણે વધારે બીજું શું કરી શકીએ? સદૃભાગ્યે આ સવાલનો જવાબ જ નહીં, સ્પષ્ટ માર્ગ પણ પ્રાણીઓની પેલી બજારની મુલાકાત પછી તરત મળી ગયો.      

ત્રણ ઘોડાઓને બચાવીને ઘરે પાછા ફરતી વખતે શાલીનના મનમાં એક જ વિચાર ઘુમારાયા કરતો હતો કે કાશ, મારી પાસે વધારે જગ્યા અને વધારે સગવડ હોત તો હું વધારેે જનાવરોને ખરીદૃીને તેમનો જીવ બચાવી શકત. ભરપૂર તીવ્રતા અને હૃદૃયની સચ્ચાઈથી વ્યકત થયેલી ઇચ્છા કુદૃરત વહેલામોડી સંતોષે જ છે. એ જ રાતે કોણ જાણે ક્યાંથી શાલીન પર કોઈકનો ફોન આવે છે: ૨૩ એકર જમીનનો એક બંજર ટુકડો એમ જ પડ્યો છે. કોઈને એમાં રસ હોય તો જણાવજો! જમીન શાલીનના ઘરથી થોડી મિનિટો જ અંતર પર જ હતી.



આ ફોને શાલીનને વિચારતા કહી મૂક્યા: શું આ ઉપરવાળાનો કોઈ સંકેત છે? રાત્રે મોડે સુધી પતિ-પત્નીએ ખૂબ ચર્ચા કરે છે: શું કરવું છે? લઈ લેવી છે આ જમીન? અસહાય પ્રાણીઓને પાળવા માટે સેન્ક્યુઅરી બનાવવી હોય તો આ જગ્યા પરફેકટ છે તે વાત સાચી, પણ આ જવાબદૃારી બહુ મોટી છે એનું શું? બેય દૃીકરાઓ હજુ નાના છે, જીવનનિર્વાહ માટે કામકાજ કરવાનું છે, પોતાની કંપની ચલાવવાની છે. પહોંચી વળાશે? જવાબ મળ્યો: હા, પહોંચી વળાશે! બીજા જ દિૃવસે લીઝનાં કાગળિયાં પર શાલીને સહી કરે છે. આ રીતે ઓગસ્ટ ૨૦૧૫માં ‘લવિન આર્મ્સ' નામની સંસ્થાની સ્થાપના થાય છે. એલ-યુ-વી-આઈ-એન ‘લવિન એ અંગ્રેજી શબ્દૃ ‘લિંવગ માટે વપરાતો સ્લેન્ગ છે. લવિન આર્મ્સ એટલે પ્રેમપૂર્વક લંબાવવામાં આવેલો હાથ.




શાલીને અગાઉ ઘોડાઓ સાથે પનારો પાડ્યો હતો. ‘મેં અગાઉ ઘોડો ખરીદ્યો નહીં, પણ અડોપ્ટ કર્યો હતો એમ કહીશ,' તેઓ કહે છે, ‘તમે નિર્જીવ વસ્તુ ખરીદૃી શકો, જીવતુંજાગતું પ્રાણી નહીં.'

એકાદૃ-બે પ્રાણીઓને પાળવાં એક વાત છે અને આખેઆખું અભયારણ્ય ચલાવવું તદ્દન જુદૃી વાત છે. તમારે ખૂબ બધી બાબતોનું પ્રેકિટકલ નોલેજ કેળવવું પડે - જેમ કે, કઈ રીતે પ્રાણીઓને બચાવીને સેન્કચ્યુઅરી સુધી લાવવાં, કઈ રીતે માંદૃા પ્રાણીઓની દૃેખભાળ કરવી, એમને કેવો અને કઈ રીતે ખોરાક આપવો, કઈ રીતે એમના માટે ખાસ પ્રકારનાં રહેઠાણ ઊભાં કરવાં, પ્રાણીઓ  અને આ પ્રકારની સંસ્થા ચલાવવાના કાયદૃા સમજવા, નીતિનિયમોનું ઉલ્લંઘન ન થાય એની તકેદૃારી રાખવી, વગેરે. વળી, આ કામમાં જાતજાતનાં વાહનો જોઈએ, ઓટોમેટિક વોટર તેમજ હીટીંગ સિસ્ટમ જોઈએ. તમારે વોલેન્ટિયર્સ અને પ્રોફેશનલ્સનું મજબૂત નેટવર્ક વિકસાવવું પડે. પુષ્કળ કામ હતું, પડકારો હતા અને ખૂબ બધું સમજવા-શીખવાનું હતું.

થયું. ધીમે ધીમે બધું જ થયું. સૌથી પહેલાં તો વર્ષોથી અવાવરુ પડી રહેલી જમીનને સાફ કરવાની હતી. કામ પુણ્યનું હોય અને ઇરાદૃો નેક હોય તો મદૃદૃ મળી જ રહે છે. ધીમે ધીમે વાત ફેલાતાં તદ્દન અજાણ્યા એવા સ્થાનિક અમેરિકનો મદૃદૃે આવવા લાગ્યા. પ્રાણીપ્રેમીઓનું જુથ આકાર લેવા માંડ્યું. એક નિશ્ર્ચિત માર્ગદૃર્શિકા ક્રમશ: આકાર લેવા માંડી. જેમકે, ‘લવિન આર્મ્સ'માં કેવળ શાકાહારી પ્રાણીઓ જ લાવવાં. માંસાહારી પ્રાણીઓનું પેટ ભરવા માંસ આપવું પડે, જે અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય. પ્રાણીઓને પ્રાણીઓને કેવળ પ્લાન્ટ-બેઝ્ડ ખોરાક અને દૃવાઓ આપવી, એનિમલ-બેઝ્ડ નહીં. એક વાર જનાવરને અહીં લાવવામાં આવે પછી એ જીવે ત્યાં સુધી દૃેખભાળ કરવી. પ્રાણીઓને ખરીદૃવા નહીં, વગેરે.



ત્રણ ઘોડાઓ પછી બે બકરીઓ આવી, મરઘાં આવ્યાં, ભૂંડ આવ્યાં. પ્રત્યેક પ્રાણીનું એની પર્સનાલિટી સાથે બંધબેસતું મસ્તમજાનું નામ પાડવામાં આવે. જેમ કે બહુ ઉછળકૂદૃ કરતું જાનવર ‘નિબલ' બની જાય. એક કૂકડાનું નામ ‘રસલ ક્રો' છે. આ સિવાય બેન્જામિન, ફેલિકસ, રુડી, ઓલિવર અને રોકી પણ છે. દૃરેકની પોતપોતાની કહાણી છે. અભયારણ્યની ખ્યાતિ ફેલાતા એક દૃાતાએ સારી એવી રકમની આર્થિક મદૃદૃ કરી. ચાલીસ એકરનું બહેતર સુવિધાવાળું નવું ફાર્મ ખરીદૃવામાં આવ્યું. આ અભયારણ્ય પ્રાણીપ્રેમીઓ માટેનું મિલનસ્થળ બનતું ગયું. લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે અહીં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, વીગન વાનગીઓ માટેના ફ્રી કૂિંકગ કલાસ અને અન્ય કંઈકેટલીય ઇવેન્ટ્સ ગોઠવવામાં આવે છે. આજ સુધીમાં પાંત્રીસસો કરતાં વધારે લોકો ‘લવિન આર્મ્સ'ની મુલાકાત લઈ ચુકયા છે. પ્રાણીઓ પર થતા અત્યાચારની વાતો સાંભળીને ઘણાની આંખો ખૂલી જાય છે. શાલીન કહે છે, ‘આમાંથી કમસે કમ હજાર લોકોએ નિર્ધાર કર્યો હશે કે આજ પછી હું કયારેય સુવ્વર નહીં ખાઉં યા તો હું ચિકનને હાથ નહીં લગાડું કે પછી અઠવાડિયામાં કમસે કમ બે દિૃવસ હું વીગન લાઈફસ્ટાઈલ અપનાવીશ. આવા નાના-મોટા પરિવર્તનોનું પણ ઘણું મહત્ત્વ છે.

શાલીન અઠવાડિયામાં કુલ ૨૦થી ૩૦ કલાક પોતાના જીવનનિર્વાહ માટેના કામકાજ પાછળ ખર્ચે છે. બાકીનો બધો સમય પ્રાણીઓ માટે ફાળવે છે. વહેલી સવારથી મોડી રાત સુધી તેઓ પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં, વધારે પડતા માંદૃાં જનાવરોને હોસ્પિટલમાં ખસેડી તેમની સારવાર કરાવવામાં અને અભયારણ્યને મેનેજ કરવામાં રચ્યાપચ્યા રહે છે. પત્ની શિલ્પીએ અભયારણ્યનું વહીવટી કામકાજ સંભાળી લીધું છે. આજે શાહદૃંપતી પાસે પાંચસો જેટલા વોલન્ટિર્સની ફોજ છે, બે સ્ટાફ મેમ્બર છે. પ્રાણીઓના ડોકટરો અને અન્ય પ્રોફેશનલ્સ સમયાંતરે વિઝિટ લેતા રહે છે.

Shaleen Shah (right) with his team of volunteers 


‘આપણે માણસોને ગુલામ બનાવી શકતા નથી તો પ્રાણીઓને શી રીતે ગુલામ બનાવી શકીએ?' શાલીન સમાપન કહે છે, ‘એનિમલ્સ નીડ જસ્ટિસ. બીજાં જીવો પર કબ્જો જમાવવાનો આપણને કોઈ અધિકાર નથી. માત્ર જીવદૃયાથી નહીં ચાલે, જીવમૈત્રી કેળવવી પડશે. પ્રકૃતિના લયને સમતોલ રાખવા માટે પણ આ જરુરી છે.'
સત્યવચન!

0 0 0 

Sunday, August 12, 2018

સેક્રેડ ગેમ્સઃ અ ગેમ ચેન્જર


સંદેશ – સંસ્કાર પૂર્તિ – 12 ઓગસ્ટ 2018

મલ્ટિપ્લેક્સ

સેક્રેડ ગેમ્સ શોનું ડિરેક્શન કરનાર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેની દોસ્તી બે દાયકા કરતાંય વધારે જૂની છે. વિક્રમાદિત્ય મજાકમાં કહેતા હોય છે કે મારી લાઇફનો હીરો, વિલન અને જોકર ત્રણેય એક જ છે – અનુરાગ કશ્યપ!



સેક્રેડ ગેમ્સ સિરીઝ નેટફ્લિક્સ પર મૂકાઈ એ વાતને હજુ દોઢ મહિનો પણ થયો નથી. આટલા ટૂંકા ગાળમાં એ હદે પોપ્યુલર બની ચુકી છે ને એની એટલી બધી ચર્ચા થઈ રહી છે કે આપણને આશ્ચર્ય થાય. સેક્રેડ ગેમ્સ એટલે નેટફ્લિક્સની સૌથી પહેલી ઓરિજિનલ ભારતીય સિરીઝ. ખૂબ બધો મદાર હતો આ શો પર. ભારતીય ઓડિયન્સની સામે હજુ હમણાં સુધી હિન્દી એન્ટરટેઇન્મેન્ટ માટે સિનેમા, ટીવી અને યુટ્યુબના થોડા ઘણા કોન્ટેન્ટ સિવાય ઓર કોઈ વિકલ્પ નહોતો. હા, એમેઝોન પ્રાઇમની ઇનસાઇડ એજ તેમજ બ્રિધજેવી સિરીઝ જરૂર લોકપ્રિય બની હતી. એમ તો હોટસ્ટાર અને અન્ય ડિજિટલ માધ્યમો પર પણ એકાધિક શોઝનું સ્ટ્રીમિંગ થયું જ છે, પણ સેક્રેડ ગેમ્સનો ઇમ્પેક્ટ કંઈક જુદા જ લેવલનો છે. બમ્પર સફળતા મળવાને કારણે આ શો ગેમ-ચેન્જર પૂરવાર થવાનો છે. નેટફ્લિક્સ, એમેઝોન જેવાં સ્ટ્રીમિંગ મિડીયા પર આંતરરાષ્ટ્રીય કોન્ટેન્ટની સામે વટથી ઊભા રહી શકે એવા તગડા બજેટ તેમજ ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા ખૂબ બધા ઓરિજિનલ ભારતીય શોઝ આપણે આવનારા સમયમાં માણી શકવાના.

સેક્રેડ ગેમ્સ એ મૂળ વિક્રમ ચંદ્રા લિખિત 928 પાનાંની અંગ્રેજી નવલકથા છે, જે બાર વર્ષ પહેલાં પ્રકાશિત થયેલી. એમાં 1990ના દાયકાના એક બમ્બૈયા ગેંગસ્ટર ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી) અને એના કોમ્પ્લીકેટેડ જીવનના તાણાવાણા ઉકેલવા મથતા પોલીસ ઓફિસર સરતાજ સિહં (સૈફ અલી ખાન)ની કથા છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણેએ સંયુક્તપણે એનું અફલાતૂન ડિરેક્શન કર્યું છે. આ બન્ને સુપર ટેલેન્ટેડ ફિલ્મમેકરો હિન્દી સિનેમાના બદલાઈ રહેલા મિજાજના તગડા પ્રતિનિધિ સમાન છે.  46 વર્ષીય અનુરાગ કશ્યપ વધારે હાઇ પ્રોફાઇલ, સફળ, બોલકા અને વિદ્રોહી છે. એમના કરતાં પાંચેક વર્ષ નાના વિક્રમાદિત્ય અંતર્મુખ છે. એ ઓછું બોલે, ઓછું એક્સપ્રેસ કરે. અનુરાગ કશ્યપનાં નામે બ્લેક ફ્રાયડે,દેવ.ડી, ગેંગ્સ ઓફ વાસેપુર જેવી કેટલીય ફિલ્મો બોલે છે, જ્યારે વિક્રમાદિત્યે ઉડાન, લૂટેરા, ટ્રેપ્ડ અને ભાવેશ જોશી આ ચાર ફિલ્મો ડિરેક્ટ કરી છે. અનુરાગ અને વિક્રમાદિત્યે ખુદનાં ફેન્ટમ ફિલ્મ્સ બેનર હેઠળ ખૂબ બધી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

Anurag Kshyap (R) and Vikramaditya Motwane


બાપ અને ટીનેજર દીકરા વચ્ચેના તંગ સંબંધના વિષયવાળી 'ઉડાન' માર્કેટની દૃષ્ટિએ નાની ફિલ્મ હતીપણ એણે જે અસર ઊભી કરી એ કમાલની હતી. રણવીર સિંહને તદ્દન જુદા જ રૂપમાં પેશ કરતી લૂટેરા ફિલ્મ કલાત્મક જરૂર હતી, પણ ઘણા લોકોને એ નહોતી ગમી. એક જ ઘરમાં આકાર લેતી  ટ્રેપ્ડ પણ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ હતી. વિક્રમાદિત્યની લેટેસ્ટ ભાવેશ જોશી જોકે ખરાબ રીતે પિટાઈ ગઈ. ભલું થજો સેક્રેડ ગેમ્સનું કે જેના કારણે વિક્રમાદિત્ય ડિરેક્ટર તરીકે પુનઃ ફોર્મમાં આવી ગયા છે.

વિક્રમાદિત્યનાં મમ્મી એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર માટે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં હતાં. પછી ટેલિવિઝન શોઝ માટે પ્રોડક્શનની જવાબદારી સંભાળવા લાગ્યાં. વિક્રમાદિત્ય સત્તર-અઢાર વર્ષના હતા ત્યારથી મમ્મીના સેટ પર જતા. એને નાનાં-મોટાં કામમાં મદદ કરતાથોડુંક પોકેટમની કમાઈ લેતા. પછી 'હમ દિલ દે ચૂકે સનમઅને 'દેવદાસ'ના મેકિંગ દરમિયાન સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા. વિક્રમાદિત્ય આજની તારીખે પણ સ્વીકારે છે કે એની પાસે સિનેમાનું જે કંઈ જ્ઞાન છે તે સંજયસરને કારણે છે. વિક્રમાદિત્ય અને અનુરાગની સૌથી પહેલી મુલાકાત ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ વોટર (2005)ના સેટ પર થઈ હતી. દીપા મહેતા આ ફિલ્મનાં ડિરેક્ટર હતાં, અનુરાગે ડાયલોગ્સ લખ્યા હતા અને વિક્રમાદિત્યે કોરિયોગ્રાફી કરી હતી.

સંજય ભણસાલી કરતાં અનુરાગની સેન્સિબિલિટી સાવ અલગ. અનુરાગની સૌથી પહેલી 'પાંચનામની અન-રિલીઝ્ડ ફિલ્મના મેકિંગ દરમિયાન વિક્રમાદિત્યે એમની સાથે કામ કર્યું હતું. 'ઉડાન'ની સ્ક્રિપ્ટ વિક્રમાદિત્યે આ વર્ષોમાં લખી નાખી હતી. અનુરાગ સ્વયં તે અરસામાં લગભગ સ્ટ્રગલર હતા. તેઓ વિક્રમાદિત્યને કહ્યા કરતા કે જો હું પ્રોડયુસર હોત તો તારી આ ફિલ્મ હું જ પ્રોડયુસ કરત. એવું જ થયું. અનુરાગ જરા પાવરફુલ પોઝિશનમાં આવ્યા ને એમણે 'ઉડાનપ્રોડયુસ કરી.

સેક્રેડ ગેમ્સની સફળતાનો જશ વિક્રમાદિત્યને વધારે મળવો જોઈએ, કેમ કે એણે ડિરેક્શન ઉપરાંત બીજી ઘણી બધી જવાબદારીઓ એમણે ઉપાડી હતી. સિરીઝનાં નવાઝવાળાં દશ્યો અનુરાગે શૂટ કર્યાં છે, જ્યારે સૈફવાળા ટ્રેકનું શૂટિંગ વિક્રમાદિત્યે કર્યું છે. આઠ એપિસોડમાં ફેલાયેલી આ ફર્સ્ટ સિઝનના કુલ કોન્ટેન્ટમાં અનુરાગ કરતાં વિક્રમાદિત્યે શૂટ કરેલો હિસ્સો મોટો છે.



અનુરાગ અને વિક્રમાદિત્ય વચ્ચેનું ક્રિયેટિવ સમીકરણ ભારે ઇન્ટરેસ્ટિંગ છે. બન્નેની દોસ્તી બે દાયકા કરતાં વધારે અંતરાલમાં ફેલાયેલી છે. વિક્રમાદિત્ય મજાકમાં કહેતા હોય છે કે મારી લાઇફનો હીરો, વિલન અને જોકર ત્રણેય એક જ છે – અનુરાગ કશ્યપ! એક ઇન્ટરવ્યુમાં વિક્રમાદિત્યે કહેલું કે, હું અને અનુરાગ સેક્રેડ ગેમ્સના કો-ડિરેક્ટર્સ ખરા, પણ એ શૂટિંગ કરતો હોય ત્યારે હું સેટ પર ન જાઉં ને હું શૂટિંગ કરતો હોઉં ત્યારે એ સેટ પર પગ ન મૂકે. અમારી કામ કરવાની શૈલી અને અપ્રોચ એકબીજા કરતાં એટલી હદે અલગ છે કે ધારો કે સેટ પર અમે ભુલેચુકેય ભેગા થઈ જઈએ તો ખૂન-ખરાબા થઈ જાય!’

અનુરાગ માને છે કે ક્રિયેટિવિટી ક્યારેય સંયુક્ત ન હોય, એ વ્યક્તિગત જ હોઈ શકે.ગેંગ્સ ઓફ વાસેપુરનું ડિરેક્શન અનુરાગે કર્યું, પણ એડિટિંગ ટેબલ પર એડિટરની સાથે વિક્રમાદિત્ય બેઠા. અનુરાગ તો શૂટિંગ પતાવીને વિદેશ જતા રહેલા, કારણ કે જો બન્ને પોસ્ટ-પ્રોડક્શન સંભાળવા બેઠા હોત તો એટલા ઝઘડા થયા હોત કે એમણે એકબીજાનાં મર્ડર કરી નાખ્યાં હોત. આવું ખુદ અનુરાગનું કહેવું છે!

ખેર, હવે સૌને સેક્રેડ ગેમ્સની બીજી સિઝનની પ્રતિક્ષા છે. સંભવતઃ નવી સિઝનમાં કોઈ ત્રીજા ડિરેક્ટર સંકળાશે. હજુ સુધી આ સિરીઝ જોઈ ન હોય તો જોઈ કાઢજો. હાઇલી રિકમન્ડેડ!


0 0 0