Showing posts with label Sitanshu Yashschandra. Show all posts
Showing posts with label Sitanshu Yashschandra. Show all posts

Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


વા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

Tuesday, July 29, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : Film 81 : ‘અમાદીઉસ’


Mumbai Samachar - Matinee - 25 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

મશહૂર બ્રિટિશ નાટ્યલેખક પીટર શેફરે ‘ઈક્વસ’ નામનું યાદગાર નાટક લખ્યું હતું. એનું ગુજરાતી રૂપાંતરણ એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રની કલમે સર્જાયેલું અદ્ભુત નાટક, ‘તોખાર’. આ જ પીટર શેફરે પછી અમર સંગીતકાર મોઝાર્ટ અને તેના પ્રતિસ્પર્ધી પરથી પહેલાં ‘અમાદીઉસ’ નામનું નાટક લખ્યું, જેના પરથી પછી ફિલ્મ બની. પ્રોફેશનલ જેલસીની વાત કરતી આ સંગીતમય કૃતિ માણવાલાયક છે

Film 81 : ‘અમાદીઉસ’ 



રોક સકો તો રોક લો



માદીઉસ એટલે ઈશ્ર્વરના પ્યારા. પ્રભુને જેના પ્રત્યે ખૂબ વહાલ છે, એ. જગવિખ્યાત સંગીતકાર મોઝાર્ટનું આખું નામ છે, વુલ્ફગાન્ગ અમાદીઉસ

મોઝાર્ટ. એના જીવન પર આધારિત આ ફિલ્મ એક મસ્તમજાની કોસ્ચ્યુમ-કમ-પિરિયડ ડ્રામા છે.

ફિલ્મમાં શું છે?

કથા અઢારમી સદીમાં થઈ ગયેલા અમર ઓસ્ટ્રિયન સંગીતકાર વુલ્ફગાન્ગ અમાદીઉસ મોઝાર્ટ (ટોમ હલ્સ) અને તેના કટ્ટર હરીફ એન્ટોનિયો સેલીરી (એફ. મુરે અબ્રાહમ)ની છે. એન્ટોનિયો ભગવાનથી ડરનારો અને અઠંગ સંગીતપ્રેમી માણસ છે. રોમન સમ્રાટ જોસેફ બીજાના શાહી સંગીતકાર તરીકે એની ભારે પ્રતિષ્ઠા છે. આખું જીવન કોઈ અવરોધ વિના સંગીતને સમર્પિત કરી શકાય તે માટે યુવાનીમાં જ એણે બહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.

એક વાર યુવાન સંગીતકાર મોઝાર્ટ સાલ્ઝબર્ગના પ્રિન્સ આર્કબિશપ સાથે વિએના આવે છે. એનીય સારી એવી નામના છે. એન્ટોનિયો મોઝાર્ટનું સંગીત સાંભળીને ચકિત થઈ જાય છે. એને થાય છે કે આવું દિવ્ય સંગીત ઈશ્ર્વરની કૃપા હોય તો જ જન્મે. મોઝાર્ટ વિશે વધારે જાણવાની ચટપટી જાગવાથી એ ગુપચુપ મોઝાર્ટ પર નજર રાખે છે. એણે મોઝાર્ટના ભવ્ય વ્યક્તિત્વની કલ્પના કરી હતી, પણ એનું વર્તન-વ્યવહાર જોયા પછી એન્ટોનિયો અતિ નિરાશ થાય છે: આવો ટેેલેન્ટેડ માણસ આટલો ઉછાંછળો અને વિચિત્ર કેવી રીતે હોઈ શકે? સમ્રાટ સાથે તેની મુલાકાત કરાવતી વખતે એન્ટોનિયો ખાસ સ્વાગત-સંગીત વગાડે છે. મોઝાર્ટ આ સ્વાગત-સંગીતમાંથી કેટલીય ભુલો શોધી કાઢે છે. કેવળ સ્મરણના આધારે એ સ્વાગત-સંગીત ખુદ વગાડે છે, એમાં થોડા ફેરફાર કરે છે અને કમાલની અસર ઊપજાવે છે.

એક તરફ બાલિશ વર્તન કરતા મોઝાર્ટ પર એન્ટોનિયોનો ગુસ્સો વધતો જાય છે અને બીજી બાજુ એની મેધાવી પ્રતિજ્ઞા જોઈને બળી બળીને ખાખ થઈ જાય છે. એને થાય છે કે ઈશ્ર્વરે દિવ્ય સંગીતની અભિવ્યક્તિ માટે વાતે વાતે ખિખિયાટા કરતા આવા ચક્રમ જેવા મોઝાર્ટને માધ્યમ બનાવ્યો? જાણે મોઝાર્ટને મોકલીને ઈશ્ર્વરે એની મજાક કરી રહ્યો છે. ભગવાન પરની એની શ્રદ્ધા ખળભળી ઊઠી છે. એને સતત થયા કરે છે કે મોઝાર્ટની તુલનામાં પોતે તદ્દન મીડિયોકર સંગીતકાર છે. 



મોઝાર્ટ પત્ની કોન્સ્ટેન્ઝ (એલિઝાબેથ બેરિજ) અને દીકરા કાર્લ સાથે વિએના આવ્યો તો ખરો, પણ એની આર્થિક હાલત વખાણવાલાયક નથી. પિતા સાથે પણ એને બનતું નથી. આ વાત એન્ટોનિયો જાણે છે. પિતાનું મૃત્યુ થવાથી એ દુખી દુખી છે. પોતે પુત્ર તરીકે નિષ્ફળ ગયો છે તે વાતનું ગિલ્ટ પણ છે. એન્ટોનિયો મોઝાર્ટની લાચારીનો લાભ ઉઠાવવાનું નક્કી કરે છે. એ વેશપલટો કરીને મોઝાર્ટને મળવા જાય છે. એને એક કમ્પોઝિશન તૈયાર કરવાનું અસાઈન્મેન્ટ ઉપરાંત એડ્વાન્સ પૈસા પણ આપે છે. કામ પૂરું થયા પછી તોતિંગ રકમ મળવાની હતી એટલે મોઝાર્ટ માંડ્યા સંગીત તૈયાર કરવા. એન્ટોનિયો મનોમન કલ્પનાના ઘોડા દોડાવે છે કે કમ્પોઝિશન તૈયાર થશે એટલે ભરી સભામાં તેને હું મારી રચના તરીકે પેશ કરીશ. બધા ઝુમી ઊઠશે, વાહવાહ કરશે. એકલા મને અને ઉપરવાળાને જ ખબર હશે કે કમ્પોઝિશનનો ખરો સર્જક તો મોઝાર્ટ છે.

મોઝાર્ટ જે કંઈ નાણાં મળ્યાં હતાં તે ઉડાવી મારે છે. એને ધ મેજિક ફ્લ્યુટ નામનું બીજું એક કમ્પોઝિશન તૈયાર કરવાનું કામ પણ મળ્યું છે. ધ મેજિક ફ્લ્યુટ અને એન્ટોનિયોએ આપેલાં અસાઈન્મેન્ટ પર એકસાથે કામ થઈ રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચણભણ થઈ જતા એક દિવસ કોન્સ્ટેન્ઝ દીકરાને લઈને જતી રહે છે. મોઝાર્ટની તબિયત બગડતી જાય છે. એને ટીબી સહિતના જાતજાતના રોગ થયા છે. 



ધ મેજિક ફ્લ્યુટના પ્રીમિયર વખતે જ બીમાર મોઝાર્ટ ઢળી પડે છે. એન્ટોનિયો એને એના ઘરે લાવે છે. મોઝાર્ટ મરવા પડ્યો છે, પણ એન્ટોનિયો જીદ કરે છે કે ગમે તેમ કરીને તું મેં આપેલું અસાઈન્મેન્ટ પૂરું કર. મોઝાર્ટ સંગીતની નોટ્સ ડિક્ટેટ કરતો જાય છે, ઘાંઘો થઈ ગયેલો એન્ટોનિયો ફટાફટ લખતો જાય છે. આખી રાત આ કામ ચાલે છે. સવારે મોઝાર્ટની પત્ની આવે છે. એન્ટોનિયોને એ જતા રહેવાનું કહે છે. એન્ટોનિયોની ના કહેવા છતાં એની મેન્યુસ્ક્રિપ્ટ પર નજર ફેરવે છે. એ પતિની જગાડે છે, પણ બહુ મોડું થઈ ચૂક્યું છે. મોઝાર્ટ મૃત્યુ પામ્યો છે. એન્ટોનિયોનું અસાઈન્મેન્ટ જ નહીં, એનું વાહવાહી મેળવવાનું સપનું પણ અધૂરું રહી જાય છે. વિયેનાની બહાર મોઝાર્ટને દફન કરવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. ફિલ્મની શરૂઆત વાસ્તવમાં ફ્લેશબેકથી થઈ હતી. પાગલખાનામાં અંતિમ દિવસો વીતાવી રહેલા વૃદ્ધ એન્ટોનિયોના મન પર બોજ છે કે એણે મોઝાર્ટને મારી નાખ્યો છે. એક યુવાન પાદરી એની કબૂલાત સાંભળવા માટે આવ્યો છે.

એન્ટોનિયો કહે છે કે મોઝાર્ટ અતિ પ્રતિભાશાળી હતો એટલે જ એનો જીવ ગયો. ઉપરવાળાએ એના ભાગની થોડી ટેલેન્ટ મને કેમ ન આપી? હું તો મીડિયોકર બનીને રહી ગયો... એન્ટોનિયોને વ્હીલચેર પર લઈ જવામાં આવે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

‘અમાદીઉસ’ મૂળ તો બ્રોડવેનું પ્રોડક્શન. ૧૭ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ ઓપન થયેલા આ મ્યુઝિકલના કુલ ૧૧૮૧ શોઝ થયા હતા. થિયેટરની દુનિયામાં અતિપ્રતિષ્ઠિત ટોની એવૉર્ડ એને મળ્યો છે. નાટ્યલેખક પીટર શેફરને જ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ સોંપાયું. પીટર શેફરે અગાઉ ‘ઈક્વસ’ નામનું સુપરડુપર નાટક લખ્યું હતું. આ નાટકનું ગુજરાતી રૂપાંતર એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું અદ્ભુત ‘તોખાર’. ઘણાના મનમાં સવાલ જાગતો હોય છે કે મોઝાર્ટ તો જાણે બરાબર છે, પણ એન્ટોનિયો સેલીરી કાલ્પનિક કિરદાર છે કે આ નામનો સંગીતકાર ખરેખર થઈ ગયો? જવાબ એ છે કે એન્ટોનિયો સેલીરી, મોઝાર્ટ જેટલો જ અસલી છે. આ ઈટાલિયન મ્યુઝિક કમ્પોઝર અને ક્ધડક્ટર એના જમાનામાં ખાસ્સો ફેમસ હતો. મોઝાર્ટ સાથે એની કટ્ટર હરીફાઈ હતી તે વાત સાચી, પણ એ મોઝાર્ટનો જીવ લેવા માગતો હતો તેનું પ્રમાણ મળતું નથી. ઈતિહાસ કહે છે કે પ્રતિસ્પર્ધી હોવા છતાં બન્ને વચ્ચે દોસ્તીનો સંબંધ હતો. ઈન ફેક્ટ, મોઝાર્ટનો દીકરો સંગીત શીખવા એન્ટોનિયો પાસે જતો. એન્ટોનિયો ગુરુ તરીકે ઉત્તમ હતા. વિખ્યાત સંગીતકાર બિથોવન એના જ શિષ્ય.

ફિલ્મ ક્રિટીક રોજર ઈબર્ટે ત્રણ જ વાક્યમાં આખી ફિલ્મનો અર્ક આપી દીધો છે: ‘આ ફિલ્મ મોઝાર્ટની ટેલેન્ટ વિશે નહીં, પણ એના પ્રતિસ્પર્ધી એન્ટોનિયોની ઈર્ષ્યા વિશે છે. એન્ટોનિયોની સંગીત પરખવાની પ્રતિભા અત્યંત ઉચ્ચ કક્ષાની છે, પણ સંગીત સર્જવાની પ્રતિભા સાવ મામૂલી છે. એ ફર્સ્ટ-રેટ મ્યુઝિક લવર છે, પણ મ્યુઝિક કમ્પોઝર તરીકે થર્ડ-રેટ છે. તેથી એને સતત ભાન થતું રહે છે કે મોઝાર્ટ કેટલો મહાન છે અને પોતે કેટલો વાહિયાત છે.’



એન્ટોનિયાનો ઈર્ષ્યાભાવ, લાચારી અને ગિલ્ટ એક્ટર એફ. મુરે અબ્રાહમે આબાદ ઊપસાવ્યા છે. ડિરેક્ટર મિલોસ ફોરમેને એને મૂળ બીજા કોઈ રોલ માટે બોલાવ્યા હતા. ઓડિશન વખતે એમણે એમ જ વૃદ્ધ એન્ટોનિયોના ડાયલોગ્ઝનું ભાવવાહી પઠન કરવાનું કહ્યું. એન્ટોનિયો એટલી સરસ રીતે સંવાદ બોલ્યા કે ડિરેક્ટરે એ જ વખતે એમને આ રોલ અબ્રાહમને આપી દેવાનો નિર્ણય કરી લીધો. આ ડિસિઝન ફિલ્મને ખૂબ ફળ્યું. અબ્રાહમ અને મિલોસ ફોરમેન બન્ને ઓસ્કર જીતી ગયા. ઈન ફેક્ટ, એન્ટોનિયો અને મોઝાર્ટ બનેલા ટોમ હલ્સ બન્ને બેસ્ટ એકટર ઈન લીડિંગ રોલ માટે નોમિનેટ થયા હતા. આવું સામાન્યપણે ઓછું બનતું હોય છે. ટોમ હલ્સના ફાળે ગયેલા મોઝાર્ટના રોલ માટે મેલ ગિબ્સનનું ઑડિશન પણ લેવામાં આવ્યું હતું. મોઝાર્ટનો રોલ નિભાવવાની જવાબદારી કેટલી મોટી છે તે ટોમ હલ્સ બહુ સારી રીતે સમજતા હતા. પૂર્વતૈયારીના ભાગ રૂપે તેઓ મહિનાઓ સુધી રોજના ચાર કલાક પિયાનો પર પ્રેક્ટિસ કરતા કે જેથી સ્ક્રીન પર એમનુું પર્ફોેર્મન્સ બનાવટી ન લાગે. ફિલ્મ પ્રાગમાં શૂટ કરવામાં આવી છે. આ શહેરે અઢારમી સદીના ઈતિહાસના ઘણા અવશેષોને સરસ સાચવ્યા છે. ફક્ત ચાર જ સેટ બનાવવાની જરુર પડી હતી - એન્ટોનિયોનો હૉસ્પિટલ રૂમ, મોઝાર્ટનું ઘર, સિડી અને થિયેટર. બાકીનાં લોકેશન અસલી છે. અદ્ભુત પેલેસો, સુંદર વસ્ત્રો, વરણાગી વિગ્ઝ વગેરેને કારણે ફિલ્મ માત્ર કાનને નહીં, આંખોને પણ ગમે તેવી બની છે. ‘અમાદીઉસ’ને અગિયાર-અગિયાર ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધા. બેસ્ટ સ્ટેજ પ્રોડક્શન માટે ટોની અને બેસ્ટ પિક્ચરનો ઓસ્કર એમ બન્ને એવૉર્ડ જીતી લીધા હોય એવા કુલ ચાર જ નાટક-કમ-ફિલ્મો છે- ‘માય ફેર લેડી’ (૧૯૬૪), ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ (૧૯૬૫), ‘અ મેન ઑફ ઓલ સિઝન્સ’ (૧૯૬૬) અને ‘અમાદીઉસ’.

મજાની ફિલ્મ છે. તમને પિરિયડ ડ્રામા જોવામાં રસ પડતો હશે તો ઑર મોજ પડશે.

‘અમાદીઉસ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્શન : મિલોસ ફોરમેન 

સ્ક્રીનપ્લે : પીટર શેફર

મૂળ નાટ્યકાર : પીટર શેફર

કલાકાર : એફ. મુરે અબ્રાહમ, ટોમ હલ્સ, એલિઝાબેથ બેરિજ

રિલીઝ ડેટ : ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૪

મહત્ત્વના એવૉર્ડ્ઝ : બેસ્ટ એક્ટર (એફ. મુરે અબ્રાહમ), ડિરેક્ટર, પિક્ચર, અડેપ્ટેડ સ્ક્રીનપ્લે, આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ ડિઝાઈન, મેકઅપ અને સાઉન્ડ મિક્સિગં માટેનાં ઓસ્કર એવૉર્ડઝ. બેસ્ટ એક્ટર (ટોમ હલ્સ), સિનેમેટોગ્રાફી અને એડિટિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

                                                                         0 0 0

Tuesday, December 17, 2013

ટેક ઓફ : મન મારું લઈ જાય ત્યાં જાવું

Sandesh - Ardh Saptahik Purti - 18 Dec 2013

ટેક ઓફ 

જીવનમાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ ત્રાટકે ત્યારે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ આપણાં દુઃખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર! નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર...
રાજેન્દ્ર શાહ
  
મીઠી અતિશયોક્તિ કરીને કહીએ તો આવતા શુક્ર-શનિ-રવિ દરમિયાન ગુજરાતનાં ત્રણ શહેરો નડિયાદ, કપડવંજ અને વલ્લભવિદ્યાનગર - રાજેન્દ્ર શાહમય બની જવાનાં છે. વીસમી સદીના આ મૂઠી ઊંચેરા કવિનું નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ દરજ્જેદાર શતાબ્દીસ્મરણ સમારોહનું આયોજન કર્યું છે. માત્ર ગુજરાતી ભાષાના જ નહીં, બલકે રાષ્ટ્રીય સ્તરના અન્ય ભાષી કવિઓ પણ એમાં ભાગ લેવાના છે.
૧૯૧૩માં જન્મેલા કવિ રાજેન્દ્ર શાહ ૯૬ વર્ષનું દીર્ઘાયુ પામ્યા અને ચિક્કાર કાવ્યસર્જન કર્યું. તેમનાં કાવ્યોનો વ્યાપ ચકિત કરી મૂકે એવો છે. એક તરફ ટાગોર-શ્રીધરાણીથી પ્રભાવિત સંસ્કૃત પ્રચુર સૌંદર્યલક્ષી રચનાઓ છે તો બીજી તરફ લોકગીતની ઊંચાઈ ધારણ કરી ચૂકેલી અતિ લોકપ્રિય તળપદી કૃતિઓ છે. જેના વગર નવરાત્રિનો થનગાટ બિલકુલ અધૂરો રહી જાય તે "ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર" ગીતના રચયિતા રાજેન્દ્ર શાહ છે, તે કેટલા ખેલૈયાઓ જાણતા હશે? ભર્યા બપોરે ઈંધણાં (એટલે કે ઈંધણ, છાણાં) વીણવાં સીમમાં ગયેલી ગામડાગામની મુગ્ધાની અનુભૂતિ સાંભળોઃ
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ,
વેળા બપોરની થૈ'તી મોરી સૈયર
વેળા બપોરની થઈ'તી રે લોલ.
ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે,
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

ઈંધણાં તો એક બહાનું હતું સીમમાં જવાનું. ખરું કારણ છે પ્રિયતમને મળવાનું, એની સાથે ભીનો ભીનો સમય વીતાવવાનું. મુગ્ધા આ વાત પોતાની સહિયરને આ રીતે કહે છેઃ
જેની તે વાટ જોઈ રૈ'તી મોરી સૈયર
જેની તે વાટ જોઈ રહી'તી રે લોલ.
તેની સંગાથ વેળ વૈ'તી મોરી સૈયર
તેની સંગાથ વેળ વહી'તી રે લોલ.
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાળખી,
સૂકાં અડૈયાં ને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંખડીમાં મ્હેકંત ફૂલ બે'ક
મોર અંબોડલે ખીલ્યા રે લોલ.
વાતરક વ્હેણમાં નઈ'તી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી'તી રે લોલ.
ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર
ઈંધણાં વીણવાં ગઈ'તી રે લોલ.

કેટલી સાદગીભરી છતાં કેટલી અસરકારક રચના. 'કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દાવ ઝાઝેરો લાગ્યો રે' પણ ખૂબ જ લોકપ્રિય ગીત, જેની એક કડીમાં કવિ કન્યા પાસે બોલાવડાવે છેઃ
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ.
રુંવે રુંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાંગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

ઈંધણાં વીણવાં ગયેલી પેલી મુગ્ધા અને વનવગડામાં પ્રેમડંખ ખાઈને આવેલી નાયિકા બન્ને એક જ છે? કદાચ! અહીં તો ખેર કુમળી વયે થયેલા સુકુમાર પ્રેમની મીઠી વેદનાની વાત છે, પણ જીવનમાં આગળ જતાં કુંઠિત કરી નાખે એવી જીવલેણ પરિસ્થિતિઓ અને પીડાઓ આવવાની. આવા સમયે ઘાંઘાં થઈ જવાને બદલે રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવાનીઃ
આપણાં દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર!
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.



જ્ઞાનપીઠ વિજેતા કવિ રાજેન્દ્ર શાહની આ લોકપ્રિય મુદ્રા થઈ. એમના માંહ્યલાની અલગારી મુદ્રા જોવી હોય તો 'નિરુદ્દેશે' કાવ્ય પાસે જવું પડેઃ
નિરુદ્દેશે
સંસાર મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

આ જીવન એ કેવળ મુગ્ધ અને મુક્ત ભ્રમણ નહીં તો બીજું શું છે! કવિ નિર્ભાર થઈને, અલ્હડ બનીને, કોઈ જ સવાલ કર્યા વગર મન થાય ત્યાં, જ્યાં પ્રેમ દેખાય ત્યાં જવાની વાત કરે છેઃ
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.

રાજેન્દ્ર શાહની કવિતાની વાત માંડી હોય ત્યારે 'આયુષ્યના અવશેષે'ની સોનેટમાળાનો ઉલ્લેખ ન કરીએ તો ગોઠડી અધૂરી રહી જાય. આ સોનેટ જેટલાં લાગણીભર્યાં છે એટલાં ચિત્રાત્મક પણ છે. એક સોનેટમાં કોણ જાણે કેટલાય સમયથી બંધ પડેલા વતનના ઘરમાં નાયક પ્રવેશે છે અને તે સાથે જ સ્વજનોની સ્મૃતિઓ એને ઘેરી વળે છેઃ
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

મા હતી ત્યારે ઘર એના મલકાટથી છલકતું રહેતં, એના ઉલ્લાસભર્યા અવાજોથી ઘર ગુંજતું રહેતું. આજે મા નથી. હવે વલોણાં ઘૂમતાં નથી અને માખણનો ઝુરાપો વેઠી રહેલું ખાલી શીકું અર્થહીન ઝુલી રહૃં છે...
 સિતાંશુ યશશ્ચંદ્ર
૧૯-૨૦-૨૧ ડિસેમ્બરે યોજાઈ રહેલા રાજેન્દ્ર શાહ શતાબ્દીસ્મરણ સમારોહમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર કવિ સિતાંશુ યશશ્ચંદ્ર,રાજેન્દ્ર શાહને પોતાના કાવ્યગુરુ ગણે છે. સાહિત્ય અકાદમી (દિલ્હી)ના ગુજરાતી એડવાઈઝરી બોર્ડના કન્વેનર સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે, "૧૯૬૦-૬૫ દરમિયાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે અમે દર ગુરુવારે રાજેન્દ્ર શાહને મળીએ. અમે એટલે ઘણું કરીને મણિલાલ દેસાઈ, દિલીપ ઝવેરી, હરીન્દ્ર દવે, જયંત પારેખ અને હું. ચીરાબજારમાં રાજેન્દ્ર શાહનું પ્રિન્ટિંગ પ્રેસ હતું. તેમાં પુસ્તકો પણ છપાય અને આમંત્રણ પત્રિકાઓ જેવી સામગ્રી પણ છપાય. કમ્પોઝિટર બીબાં લઈને આવે એટલે કવિ લોખંડની ફૂટપટ્ટી અને મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે. ઈંચેઈંચ ધ્યાનથી માપે. એક બાજુ ખટાખટ મશીન ગાજતું હોય અને સાથે સાથે અમારું ગુરુવારિયું ચાલતું હોય. અમે નવશીખીયાઓ જે કંઈ લખીને લાવ્યા હોઈએ તે કાઢીને વાંચીએ ત્યારે કવિ અમારી કવિતાના લયના પણ ઈંચેઈંચ માપે. અમારી રચનાઓને એટલી ચીવટથી તપાસે કે અમને થાય કે કવિતાના મીટર માપવા ક્યાંક પેલી લોખંડની ફૂટપટ્ટી કાઢશે કે શું! ક્યારેક અમને ઘરે જમવા લઈ જાય. એમનાં પત્ની મંજુબહેન બહુ જ સ્વાદિષ્ટ પુરણપોળી બનાવતાં. થાળીમાં ત્રણચાર ચમચી મૂકી હોય. કવિની સ્પષ્ટ સૂચના હોય કે દાળની ચમચી દૂધપાકની વાટકીમાં નહીં બોળવાની. સ્વાદમાં સેળભેળ થઈ જાય. અલગ અલગ પ્રવાહી વ્યંજન માટે જુદી જુદી ચમચી જ વાપરવાની! આમ, રાજેન્દ્ર શાહ માત્ર છપાવા જઈ રહેલી સામગ્રી કે કવિતામાં જ નહીં, સ્વાદમાં પણ તસુએ તસુ માપે! એ જે કંઈ કરતા ભારે ઉત્કટતાથી કરતા. હી વોઝ સચ અ પેશનેટ મેન!'
પેશનેટ કવિને આપણાં પ્રેમભર્યાં પ્રણામ.        

0 0 0

Thursday, December 13, 2012

Dilemma of a Young Writer

          (Speech / paper delivered at Think Literature - a literary festival organized by Times of India and Tefla's at Bhubaneshwar, 7-8 December 2012)                                



Today, it is my privilege to stand in front of you as a Young Gujarati Novelist. I love this tag. Especially the ‘Young’ part. Well, at the age of 41 if you are still labeled as ‘young’ rather than ‘middle aged’… it is party-time! Actually, we did have a party last night. Sometimes I am also branded as a Popular Writer And An Emerging New Voice of contemporary Gujarati novel. Popular? Yes. Simply because both of my novels have been serialized in largest selling – and of course, most popular - Gujarati weekly magazines. So by definition, it does makes me ‘popular’. But a ‘New Voice’?  

Too many question. But I think it is a good sign. Apparently it also marks my topic of the day: Dilemma of a Young Novelist. 

Being ‘a Voice’ in the field of writing generally means writing stuff that possess strong literary values; being closer to classicism. Now as per popular perception, isn’t being ‘Popular’ and being literary-and-classically-heavy supposed to be two different things? Even opposite sometimes? So what am I? Or what I eventually want to become? An increasingly Popular writer or a Voice loaded with classicism? 

Friends, when I was still in school both of elder sisters were studying their BA with Gujarati literature. They are 8 and 6 years older to me respectively. Like most of their friends they didn’t even bother to buy actual textbooks. All they would buy was guides of the textbooks with readymade question-answers.  

Now that became my first exposure to classic criticism. I found their material very fascinating: 

- Chandrakant Baxi ki kahani, Madhu Rye ki Kahani, Chunilal Madiya ki kahani - these all are great Gujarati writers, Saroj Pathak ki shreth kahaniyan ki puri ki puri textbook … Iss kavita mein kavi kya kehna chahta hai… Iss kavita mein kaun se rupak aur alankar ke prayog kiye gaye hai… Iss pankti ka rass-darshan karvaiye… Iss navalika mein jis symbolism ka prayog kiya gaya hai usse vistaar se samjaiye…  and all that stuff. 

And I used to love it! I was still a 10 or 11 or 12 years old school kid then and I used to read this material with amazing sincerity, far more than my sisters would.  The point here is, it is classic criticism that lay foundation for my literary understanding. It is this serious literature that unknowingly became my foundation. 

Classic criticism. Serious literature. Not the popular literature. 

But I was of course exposed to popular fiction as well during same time. All Gujarati newspapers and magazines used to publish serialized novels – dharavahik navalkatha – in their Sunday supplements. They still do. The novels written by amazingly popular superstar novelists – Harkisan Mehta and Ashwinee Bhatt – created a great impact on more than one generations.

So these were the most important influences in my growing up years - classic criticism,  first and then popular serialized novels. Strictly in that order. There are my genes, my DNA. 


And it baffles me. As I say this, why did I make separate compartments of classic literature and popular literature? Why did I draw a line? Why on earth did I imply that classic literature can not be popular and popular literature can not be classic? From where did this come from? Does this mean I am conditioned already to think this way? Does this also mean that since I am emerging as a popular novelist, I would not be taken seriously automatically?

Does this bother me? Am I concerned? Frankly, yes. Why it is always Popular Fiction ‘Versus’ Literary Fiction? Why they are generally perceived as mutually exclusive entities? 

However it gives me great comfort when I realize that Kaniyalal Munshi – one of the all greatest writers of my language – has written some his most iconic novels in serialized format. Another giant, Zavarchand Meghani, too have written some of his classic work in same manner. They were popular then and they are being read even today. Charles Dickens, as we all know, has written serialized novels. Even Tolstoy’s great epic, War and Peace, serialized over a period of five years, 1864-1869. At first, the critics were completely baffled by it. It did not gain critical acceptance until several years after it was completed. Similarly, Anna Karenina, Tolstoy’s next work, was also serialized later. 

I am a greedy writer. I want my readers – oh, lots of them. They are the ones who make the entire process so lively and enjoyable. I have just tasted little bit of popularity – and it is intoxicating. But I don’t want to be a Rakhi Sawant of Gujarati literature. Now, Rakhi Sawant is a great lady, I am sure. And I am using her name just as a metaphor. Well, I wouldn’t mind going on date with her, but in order to seek attention and to be constantly ‘seen’ on newspaper and magazine pages, I can’t do what a Rakhi does.   

I need critical acceptance too. Not because it is cool to be accepted by critics, but because, as I said earlier, my literary senses are born out of classic criticism – it is in my DNA. 

So my dilemma as a Young Upcoming Novelist is, will I be able to find some magic formula to ensure and balance popularity as well as classicism? 

That brings me to next dilemma. Upto what extent a regional writer – be it Gujarati or Kannad or Oriya or Marathi - can be popular and recognized on national level? India is such a complex country with so many principal languages, upto what extent a regional writer can break geographical and linguistic boundaries? In such a scenario, can a Great Indian Novel be actually born? I am talking about regional languages here. Not Indian writers like a Salman Rushdie or an Arundhati Roy who write in English. You do sense certain arrogance and cockiness in their attitude. Let’s not talk about them, there is enough media talking about them. Let’s talk about writers writing in Indian languages. 

Entire panel of  'The Great Indian Novel?' session: (sitting from L to R) Prof. Jatin Nayak,  the moderator of the discussion and winner of Katha as well as Crossword Book Award, Padmashri Pratibha Ray - an eminent fiction writer of contemporary India. She is a household name  in Orissa. Her name has been translated in many Indian languages; Our very own Kajal Oza-Vaidya - a celebrity fiction writer of Gujarat. (Great Gujarati poet Padmashri Sitanshu Yashaschandra, Kajal Oza-Vaidya and me were the representatives of  Gujarati language at the fest); and Gitanjali Shree - a Delhi based Hindi novelist.  
What is ‘Great’ in the first place? How does one define or quantify or identify ‘greatness’? Okay, in simple terms, we would say, great literature is something that enriches us, something which is timeless, has an universal appeal etc. Do the regional languages have enough genuine critics who are alert, quick and active to capture ‘greatness’ that is already taking place in their language?

Ok, let’s assume that ‘Great Regional Novel’ is spotted and duly recognized and even celebrated in of that particular language. What next? Isn’t its greatness still confined by its state, its language? For ‘Great Regional Novel’ to become ‘Great Indian Novel’, it has to be translated into English first and then, maybe, God knows in how many years, it would travel towards other Indian languages. It is excruciatingly long and via, via route. Isn’t it strange that Great Indian Novel – if and when it happens – has to be dependant on English translation first? Does it essentially mean that, Great Regional Novel will almost never assume its deserving greatness and stature in real time?



Let me give you an example from contemporary Gujarati scene. We have Mr. Dhruv Bhatt, who has given some amazing novels which can be almost termed as contemporary classics. Mr. Dhruv Bhatt may not be a popular or household name, but thankfully, he has been recognized by serious readers and critics. Some of his work has been translated into Marathi and English, but I don’t know how many of you have heard about him or read him. Mr. Dhruv Bhatt continues to be a Great Contemporary Regional Novelist. He still has not become a Great Indian Novelist. And I don’t think Mr. Bhatt will even graduate to become a even a candidate to be branded as Great Indian Novelist in his lifetime. All of Gujarati giants, my literary Gods, even some of their work have been translated into English and other languages continue to be just that – Gujarti giants. Even though their literature is as par with world literature. It is true to all regional languages. 

Too many variables, too many ifs and buts. Yes, translations do happen, exchanges between various languages do take place, but I think the force is missing, awareness is missing, and reach is missing. In this context, perhaps Indian novelists writing in English are in far better position.  

So maybe ‘Great Indian – Regional Novel’ is a myth? An illusion? Something that can never happen in real time? Maybe we should not attach too much importance to external greatness? Great is literature is a great literature. And it will continue to  enrich us. Period. 

With too many questions and too may dilemmas, I rest my case.                (Ends)

0 0 0 

Some visual highlights of the Festival: 



Swosti Premium Hotel of Bhubaneshwar - the venue of the event


Padmashri Manoj Das - India's foremost fiction writer who writes in English and Oriya. Also a well-known thinker.





Padmashri Sitanshu Yashaschandra - a prominent contemporary Gujarati poet, playwright and academician.


(From L to R): Jayant Mahapatra - one of the India's best known English poets, K. Satchidanandan - a major poet, playwright and critic writing in Malayalam and English, the executive head of the Sahitya Akademi for a decade and Sudeep Sen - one of the finest English poets widely known in the international scene
Charan Sharma (left) - a well-known contemporary painter and Jatin Das - one of the major painters of India who
are well-known even internationally
Padmashri Ramgopal Bajal - a former director of National School of Drama, noted theater director and acadeician.
Since the theme of the Festival was Harmony, apart from writers, people from the field of acting, dance,
painting and media too were invited.
Shabana Azmi - one of the all-time-great actresses that India has ever produced
Nandita Das - a well-known actress and theater person. Also a film director and a columnist. She writes a column in Week magazine. She is a daughter of Jatin Das and Varsha Das. She speaks surprisingly beautiful Gujarati simply because her mother-tongue is Gujarati. 

Manjushri Panda - a well-known Odishi danseuse who wonderfully presented a dance rendition on Yajnaseni,
 based on award winning novel by Dr. Pratibha Ray

Anton Kalinin and Ms Kateryna Trykoz - the international artists known as Duo Happiness.
They are former  winners of The Russia's Got Talent show.


The speakers / panelists who participated in the Think Literature 2012 festival
                                                                           0 0 0

Saturday, November 20, 2010

પરેશ રાવલનું હેરી પોટર કનેકશન

          દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - ૨૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                       કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘પહેલાં બે શોમાં સ્ટેજ પર નગ્ન થતી વખતે મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’




‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’ ફિલ્મનો પાર્ટ વન આ શુક્રવારે રિલીઝ થયો. છેલ્લાં નવ વર્ષથી દુનિયાભરનું ઓડિયન્સ હેરી પોટર બનતા બાળજાદુગર ડેનિયલ રેડક્લિફને સ્ક્રીન પર મોટો થતાં જોઈ રહ્યું છે. ડેનિયલ હવે ૨૧ વર્ષનો પુખ્ત પુરુષ બની ગયો છે. જુવાનજોધ ડેનિયલની અંગત માલમિલકતનું મૂલ્ય આજની તારીખે ૨૮.પ મિલિયન પાઉન્ડસ (આશરે ૨૦૫ કરોડ રૂપિયા) જેટલું છે. ઇંગ્લેન્ડનાં પ્રિન્સ ચાર્લ્સ લેડી ડાયેનાના સુપુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં પણ ડેનિયલ વધારે ધનિક છે!
Daniel with Richar Griffith in Equus - the play



હેરી પોટર પછી શું? એવો સવાલ ડેનિયલને સતાવે એમ નથી. પોતે અચ્છો એક્ટર છે તે ડેનિયલે ત્રણ વર્ષર્ પહેલાં જ પ્રસ્થાપિત કરી દીધું હતું, પીટર શેફર લિખિત ‘ઈક્વસ’ નાટકમાં કામ કરીને. પીટર શેફરે આ નાટક ૧૯૭૩માં લખ્યું હતું. નાટકની પ્રેરણા બન્યો લંડન નજીકના એક પરગણામાં બનેલો સાચો કિસ્સો. સત્તર વર્ષના એક તરૂણે છ ઘોડાની આંખો ફોડી નાખી હતી. ઊગીને ઊભો થતો લબરમૂછિયો આવું ઘૃણાસ્પદ કામ શા માટે કરે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પીટર શેફરે એક કાલ્પનિક કહાણી રચી. અપરાધી છોકરાનો કેસ માનસચિકિત્સક પાસે આવે છે, જે ધીમે ધીમે તેના મનના પડળોને ખોલતો જાય છે. ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે કે છોકરો તો ઘોડામાં ભગવાનનું સ્વરૂપ જોતો હતો. ઘોડા પ્રત્યે તે ન સમજાય એવું સેક્સ્યુઅલ એટ્રેકશન પણ અનુભવે છે. એક વાર એક ચંચળ તરૂણી ધરાર આ છોકરા સાથે તબેલામાં શારીરિક સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે. તબેલામાં બાંધેલા છ ઘોડા તેને આ ‘પાપ’ કરતાં જોઈ ગયા છે તે વિચારે છોકરો ફફડી ઉઠે છે. આવેશમાં આવીને છોકરો છએ છ ઘોડાની આંખો ફોડી નાખે છે...

Daniel Redcliffe in Equus


 1973માં સૌથી પહેલી વાર રોયલ નેશનલ થિયેટરે લંડનમાં ‘ઈક્વસ’નું મંચન કર્યું. તરુણના રોલમાં પીટર ફર્થ નામનો યુવાન અદાકાર હતો. ૧૯૭૭માં નાટક પરથી ફિલ્મ બની, જેમાં રિચર્ડર્ બર્ટને અભિનય કર્યો હતો. તરૂણનો રોલ ફિલ્મમાં પણ પીટર ફર્થે જ કર્યોર્. ફિલ્મની જોકે ખૂબ ટીકા થઈ. મંચ પર ઘોડા નકલી હોય અને તેના પર થતો અત્યાચાર સજેસ્ટિવ કે પ્રતીકાત્મક હોય, પણ ફિલ્મમાં ઘોડા પર થતી હિંસાનાં દશ્યો ઓડિયન્સને અરેરાટી થઈ જાય તે રીતે શૂટ કરવામાં આવ્યાં હતા. એનિમલ રાઈટ્સવાળાઓ તો ઠીક, સ્વયં પીટર શેફરે આ ફિલ્મને વખોડી કાઢી હતી.

Poster of Equus - the movie

Equus- the movie: Richard Burton and Peter Firth


‘ઈક્વસ’ પછી તો મંચ પણ ઘણી વાર રિવાઈવ થયું. છેલ્લે ૨૦૦૭માં ડેનિયલ રેડક્લિફને મુખ્ય ભુમિકામાં કાસ્ટ કરીને ‘ઈક્વસ’ રિવાઈવ કરવામાં આવ્યું. તે વખતે ડેનિયલ ખુદ સત્તર વર્ષનો હતો. આ રિવાઈવલ અને ડેનિયલના પર્ફોર્મન્સે તરંગો પેદા કર્યા. નાટકમાં ડેનિયલે એક દશ્યમાં સંપૂર્ણપણે નગ્ન થવાનું હતું. ડેનિયલ કહે છે, ‘સ્ટેજ પર સંપૂર્ણપણે નગ્ન થવામાં મને કશો પ્રોબ્લેમ નહોતો એવું તો શી રીતે કહી શકાય? હું સખ્ખત નર્વસ હતો. ગેરી ઓલ્ડમેન નામના સિનિયર એક્ટરને હું મળ્યો. સ્ટેજ પર નિર્વસ્ત્ર થવાનો તેમને અનુભવ છે. મારે તેમની પાસેથી ટિપ્સ લેવી હતી. ગેરીએ મને કહ્યું કે જો, પહેલા શો વખતે તને ખૂબ ગભરાટ થશે, બીજા શો વખતે પણ તું ગભરાઈશ, પણ પછી તું નોર્મલ થઈ જઈશ. એવું જ થયું. પહેલા બે શોમાં મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’


 ‘ઈક્વસ’ નાટકમાં ડેનિયલના અભિનયે પ્રેક્ષકો અને વિવેચકો સૌને સાનંદાચર્યનો આંચકો આપ્યો. હેરી પોટર તરીકે જેનેે વર્ષોથી જોઈ રહ્યા છીએ તે ટાબરિયો જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો હશે અને અત્યંત કોમ્પ્લીકેટેડ રોલ પ્રભાવશાળી રીતે અદા કરી શકશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. જોકે ઇંગ્લેન્ડઅમેરિકાની ટીનેજ કન્યાઓની કેટલીય મમ્મીઓ નારાજ થઈ ગઈ હતી. તેમણે ડેનિયલને ફોન કરી કરીને ફરિયાદો કરી કે તું આવું ગંધારુંગોબરું નાટક કરી જ શી રીતે શકે? ડેનિયલ અકળાઈને કહે છે, ‘અરે! ‘ઈક્વસ’ કંઈ પોર્નોગ્રાફી થોડું છે? નાટકમાં હું ફક્ત સાત મિનિટ સ્ટેજ પર નેકેડ રહું છું અને તે પણ છેક ક્લાઈમેક્સમાં.’



Sitanshu Yashschandra





 
Paresh Raval
 ‘ઈક્વસ’ ગુજરાતીમાં ‘તોખાર’ના નામે અવતરી ચૂક્યું છે. આ નાટકને આપણી ભાષામાં અદભુત રીતે રૂપાંતરિત કર્યું વિખ્યાત કવિ-નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદે. રંગભૂમિ અને ગુજરાતી ભાષાની તાકાત પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકોએ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલું ‘તોખાર’ અનિવાર્યપણે વાંચવું જોઈએ. આ નાટકને ૧૯૭૭માં ડિરેક્ટર મહેન્દ્ર જોશી મંચ પર લાવ્યા, જેમાં એક નવી તેજસ્વી પ્રતિભા વિસ્ફોટ સાથે ઊછળીને બહાર આવી. તેનું નામ હતું, પરેશ રાવલ. તેઓ તરૂણની મુખ્ય ભુમિકા ભજવતા હતા. માનસચિકિત્સકનું પાત્ર શફી ઈનામદારે ભજવેલું. ‘તોખાર’ નાટક એટલું પાવરફુલ હતું કે દર્શકો ચકિત થઈ જતા. સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી નાટકોની સૂચિમાં તે હકથી સ્થાન પામ્યું. આ નાટકે પરેશ રાવલમાં જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાનામાં રહેલા અદાકારને આ નાટક થકી પારખી શક્યા.



Images of Naushil Mehta's Tokhar
‘તોખાર’ નાટકે એ વર્ષોમાં એક ઓર વ્યક્તિ પર પણ તીવ્ર અસર કરી હતી. એ હતા નૌશિલ મહેતા, જે ક્રમશઃ પ્રતિભાશાળી લેખક ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે ઊભર્યા. વર્ષો પછી તેમણે ‘તોખાર’ રિવાઈવ ર્ક્યું. ડિરેક્ટર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે તેમણે એક આકર્ષક ફેરફાર કર્યો. અત્યાર સુધીના વર્ઝનોમાં માનસચિકિત્સકનું પાત્ર પુરુષ કલાકાર ભજવતો હતો. નૌશિલ મહેતાએ આ કિરદાર રત્ના પાઠક શાહને આપ્યું. ડોક્ટર પુુરુષને બદલે સ્ત્રી હોય તે વિચાર સિતાંશુ યશશ્ચંદ્રને પણ ગમ્યો. પરેશ રાવલ (અને ડેનિયલ રેડક્લિફ)વાળું પાત્ર ભજવ્યું ટેલેન્ટેડ અમિત મિસ્ત્રીએ. ડોક્ટર અને દર્દી વિજાતીય હોવાથી કેટલાંક પરિમાણો આપોઆપ બદલાયાં અને એક જુદી જ કેમિસ્ટ્રી પેદા થઈ. નવી પેઢીના નાટ્યરસિકો પાસે તુલના માટે મહેન્દ્ર જોશી - પરેશ રાવલવાળા ‘તોખાર’નો સંદર્ભ ભલે નહોતો, પણ નૌશિલ મહેતાનું ‘તોખાર’ તેમના માટે યાદગાર પૂરવાર થયું. ‘તોખાર’ની બન્ને આવૃત્તિઓમાં દેખીતી રીતે જ નગ્નતા ન હોય. મહેન્દ્ર જોશી અને નૌશિલ મહેતાએ એટલી કુનેહપૂર્વક ડિરેકશન કર્યું હતું કે કલાકારો અને પ્રેક્ષકો બન્નેમાંથી કોઈને કશુંય અન્કમ્ફર્ટેબલ ન લાગે અને છતાંય વિગતો પૂરેપૂરી તીવ્રતાથી મંચ પર ઉપસે.




Naushil Mehta

Amit Mistry

‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’નો પાર્ટ-ર્ટુ શૂટ થઈ ચૂક્યો છે. તે આવતા વર્ષે રિલીઝ થશે અને તે સાથે હેરી પોટર સિરીઝ પર પૂર્ણવિરામ મૂકાશે. ડેનિયલ રેડક્લિફ માટે આ સુખદ સ્થિતિ છે. એક એક્ટર તરીકે હેરી પોટરનું પાત્ર તેની સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે અને મેચ્યોર કિરદારો માટે તે સજ્જ છે તે હકીકત ‘ઈક્વસ’ થકી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. ડેનિયલની હવે પછી કરિયર કેવો આકાર લે છે તે જોવાનું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થશે...



શો-સ્ટોપર



પ્રેમ ખરેખર આંધળો છે. આ હું જાતઅનુભવ પરથી કહું છું.

- દીપિકા પદુકોણ