Showing posts with label Bezwada Wilson. Show all posts
Showing posts with label Bezwada Wilson. Show all posts

Tuesday, August 16, 2016

ટેક ઓફ: મેલું ઉપાડવું: જે દૃેખાતું નથી એનું અસ્તિત્ત્વ પણ નથી?

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

આજે અસંખ્ય દૃલિતો માટે મેલું ઉપાડવાનું કામ ભૂતકાળ બની ગયું છે. એમનાં સંતાનો ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા અતિદૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે. 



‘અદૃશ્ય ભારત.'
ભાષા સિંહ નામનાં સામાજિક નિસ્બત ધરાવતાં  એક મહેનતુ પત્રકારે લખેલાં હિન્દૃી પુસ્તકનું આ શીર્ષક છે, જેની ટેગલાઈન વધારે ધારદૃાર છે - 'મૈલા ઢોને કે બજબજાતે યથાર્થ સે મુઠભેડ.

મૈલા ઢોના એટલે મેલું ઉપાડવું. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવા. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાનું અતિ હીણપતભર્યું, ઘૃણાસ્પદૃ અને માણસના આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં અતિદૃલિત ગણાતી આવતી કેટલીક જાતિઓ સદૃીઓથી કરતી આવી છે. ડબ્બા સંડાસ (જેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, જે સફાઈકામદૃારો પછી ઊંચકીને લઈ જાય), વાડા સંડાસ અથવા શુષ્ક શૌચાલય (જાજરુના નામે ચાર દૃીવાલ ઊભી કરીને તૈયાર કરવામાં આવેલી વાડા જેવી જગ્યા, જેમાં લોકો આવી-આવીને મળત્યાગ કરીને જતા જાય. સફાઈકામદૃાર પછી તેને સાફ કરે), જાહેર શૌચાલયો, સેપ્ટિક ટેન્કો વગેરેને સાફ કરવાનું કામ કરતાં આ લોકો પાછા અશ્પૃશ્ય ગણાય એટલે સમાજના અન્ય વર્ગો એમને દૃૂર રાખે, એમની સાથે અપમાનજનક વર્તન કરે, હડધૂત કરે.

‘અરે પણ આ બધી તો ભૂતકાળની વાતો છે. હવે આપણે ત્યાં ક્યાં અશ્પૃશ્યતા કે મેલું ઉપાડવા જેવાં દૃૂષણો રહ્યા છે?' આવા નિર્દૃોષ સવાલ કરનારાઓના લાભાર્થે સૌથી પહેલાં તો ગયા બુધવારે ટાંકેલા આંકડા ફરી એક વાર નોંધી લઈએ. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. યાદૃ રહે, આ સરકારે ખુદૃે બહાર પાડેલા આંકડા છે. બિનસરકારી આંકડા આના કરતાં મોટા હોઈ શકે.

આપણે વાત માંડી હતી દૃલિત પરિવારમાં જન્મેલા, પારકા લોકોનાં મળમૂત્ર સાફ કરવાની કામગીરી (આપણે પ્રથા કે કુપ્રથાને બદૃલે કામગીરી શબ્દૃ વાપરીશું) વિરુદ્ધ ત્રણ દૃાયકાઓથી સતત લડતા રહેલા અને તાજેતરમાં મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવેલા બેઝવાડા વિલ્સન નામના જેન્યુઈન કર્મશીલની. ૧૯૮૬-૮૭માં તેમના પ્રયત્નોને લીધે પહેલી વાર સરકાર અને મિડીયા હલ્યાં, કર્ણાટકની એક સફાઈકર્મચારીઓની વસાહતમાં રહેતા દૃલિતોને રિહેબિલીટેટ કરવાની (અન્ય કામકાજમાં જોતરવાની) તજવીજ શરુ થઈ. છેલ્લાં પચ્ચીસ-સત્તાવીસ વર્ષથી વિલ્સન જિપ્સીની જેમ ભારતભરમાં ફરતા રહે છે, જ્યાં મેલું ઉપાડવાનું કામ થતું હોય ત્યાં જાતમુલાકાત લે છે. તેઓ સફાઈકામદૃારો સાથે વાતચીત કરે, સમજાવે, તેમની તસવીરો ખેંચે, ડોક્યુમેન્ટેશન કરે અને ડેટા સરકારને પહોંચાડે. સફાઈ કર્મચારી આંદૃોલન (એસકેએ)ના સ્થાપક અને નેશનલ કન્વિનર તરીકે વિહ્લસન અને તેમના સાથીઓ એકધારા પ્રયત્નોને કારણે ૧૯૯૩માં સરકારે એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન્સ (પ્રોહિબિશન) એકટ બનાવ્યો. તે અનુસાર શુષ્ક શૌચાલયનું બાંધકામ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે મેલું ઉપડાવવું અને ઉપાડવું ગેરકાયદૃે બન્યા.

તો શું કાયદૃો બન્યો એટલે મેલું ઉપાડવાના આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? કાયદૃામાં એવી તાકાત હોત તો જોઈએ જ શું. સરકારે ડિસ્ટ્રીકટ કલેકટરના હાથમાં સત્તા મૂકી હતી કે કાયદૃાનું ઉલ્લંઘન કરનાર સામે એ ત્વરિત પગલાં ભરી શકે, એને સજા ફરમાવી શકે, પણ ૧૯૯૩ થી ૨૦૧૨ સુધીમાં દૃેશના એક પર ડિસ્ટ્રિકટ કલેકટરે એક પણ માણસ સામે કેસ દૃાખલ ન કર્યો! કાયદૃાનું સૌથી વધારે ઉલ્લંઘન તો ખુદૃ સરકાર દ્વારા જ થતું રહ્યું. રેલવે મુસાફરી કરતા અસંખ્ય લોકો ટ્રેનમાં જાજરુએ જાય ત્યારે મળ સીધો નીચે પાટા પર પડે છે. તે દૃૂર કરનાર માટે સરકાર પોતે જ સફાઈકર્મચારીઓને નોકરીએ રાખે છે યા તો કોન્ટ્રે્કટ આપે છે. મ્યુનિસિપાલિટીઓ કમ્યુનિટી લેટ્રીન્સની સફાઈ માટે સફાઈકામદૃારોની ભરતી કરતી રહી. સૌથી રમૂજીકરુણ કિસ્સો તો નિઝામાબાદૃમાં બન્યો. અહીંના કોર્ટ કોમ્પલેકસમાં જ એક ડ્રાય લેટ્રીન હતું. તેને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું તો સ્વયં કોર્ટે લિખિતમાં આ કામ અટકાવવાનો આદૃેશ આપ્યો! વિહ્લસન અને એમની ટીમે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ફરિયાદૃ કરી કે સ્થાનિક અદૃાલત પોતે જ  કાયદૃાનો ભંગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટેે ચોવીસ કલાકમાં તે ડ્રાય લેટ્રીનને તોડી પાડવાનો આદૃેશ આપ્યો!



સરકારી સ્તરે આ હાલત હોય ત્યારે સામાજિક સ્તરે શું હાલત હોય તે સમજી શકાય તેમ છે. ચિત્તોડ જિલ્લાનાં ગામડાગામની કેટલીક સ્ત્રીઓએ એક કાર્યક્રમમાં પોતાની કથની સંભળાવી હતી જેમાં આખા ભારતની હાલતનો પડઘો પડે છે. હજુ થોડાં વર્ષ પહેલાં સુધી મેલું ઉપાડવાનું કામ કરતી આ મહિલાઓ કહે છે કે અમારાં સંતાનો અમારાથી દૃૂર દૃૂર ભાગતાં કેમ કે અમારાં શરીરમાંથી આવતી મળમૂત્રની વાસ એમનાથી સહન ન થતી. એમને અમારી શરમ આવતી અને કહ્યા કરતાં કે મા, દિૃવસમાં તું પાંચ-છ વાર નહાતી કેમ નથી? જેનાં સંડાસ સાફ કરતા હોઈએ તે ઘરની સ્ત્રીઓ આગલા દિૃવસની વધેલી વાસી રોટલી અમારા હાથમાં ન આપે, પણ નીચે ફેંકે. અમારે જમીન પર પડેલી રોટલી ઉંચકી લેવાની. ગામના કૂવાનું પાણી જોઈતું હોય તો બીજા બધા પાણી ભરી ન લે ત્યાં સુધી  કલાકો સુધી રાહ જોવાની. કાં તો અમને એવી જગ્યાએથી પાણી ભરવાનું કહેવામાં આવે જેમાં ક્યારેક મરેલાં પશુપક્ષીની લાશો તરતી હોય. મંદિૃરોમાં એ લોકોના પૂજાપાઠ ચાલતા હોય તો અમારાથી પગથિયાં પણ ન ચડાય. અમે પછી બહારથી જ ભગવાને માથું નમાવીને નીકળી જઈએ.

બીજાઓનું મેલું સાફ કરવું ગેરકાયદૃેસર છે એની ખબર પડતાં આમાંની કેટલીક મહિલાઓએ સિસ્ટમની સામે થવાનો નિર્ણય લીધો. જે સુંડલામાં તેઓ મળ-કચરો ભરતાં હતાં તે સુંડલા સળગાવી નાખ્યાં. એમણે મેલું સાફ કરવાની ના પાડી એટલે ગામવાળાઓ હેરાન કરવાનું શરુ કર્યું. એમને ટોન્ટ મારવા લાગ્યા કે તમે સફાઈ નહીં કરો તો જાશો ક્યાં? કરિયાણાની દૃુકાનેથી એમને કરિયાણું ન મળે. કેશકર્તનની દૃુકાને વાળ ન કાપે. અરે, દૃાયણ એમની મહિલાઓની સુવાવડ કરવા પણ ન આવે. સ્વજનનું મોત થાય તો ગામનું સ્મશાન વાપરી ન શકાય. લાશ બાળવા કશેક દૃૂર જવું પડે. ગામમાં કામ મળતું બંધ થયું એટલે એમણે કામની શોધમાં ૧૪-૧૫ કિલોમીટર દૃૂર બીજાં ગામે જવું પડતું. મહિલાઓ આખરે હિંમત કરીને અન્યાયકર્તાઓ સામે કેસ ઠોકી દૃીધો. પોતાના પર થઈ લઈ રહેલા ભેદૃભાવનો વિડીયો ઉતાર્યો. તેઓ કેસ જીતી ગયા. ગામલોકોએ પછી નછૂટકે અમને કામ આપવું પડ્યું ને અમારી સાથે માણસ જેવો વહેવાર કરવો પડ્યો.

પણ આ તો બીજા રાજ્યની વાત છે, આપણા ગુજરાતમાં આવું કશું બનતું નથી એવું કહેનારાઓએ લેખની શરુઆતમાં જેને ઉલ્લેખ કર્યો છે તે ‘અદૃશ્ય ભારત' પુસ્તકમાંથી ગુજરાત વિશેનું પ્રકરણ વાંચવું જોઈએ. ગુજરાતમાં મોદૃી સરકાર હતી ત્યારે ગુજરાતને ‘નિર્મલ રાજ્ય' ઘોષિત કરીને દૃાવો કરવામાં આવ્યો હતો કે અમારે ત્યાં મેલું ઉપાડવાની કુપ્રથા નાબૂદૃ થઈ ગઈ છે. જોકે ૨૦૦૬ થી ૨૦૦૯ દૃરમિયાન જમીની સ્તર પર અભ્યાસ થયા, સર્વે કરવામાં આવ્યા અને સરકારી દૃાવા પોકળ સાબિત થયા. લેખિકા ભાષા સિંહે નોંધ્યું છે તે પ્રમાણે ૨૦૦૬માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદૃીએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસને ગુજરાતમાં મેલું ઉપાડવાની સ્થિતિ વિશે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ આ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો, પણ સરકારે ન તેનો સ્વીકાર કર્યો કે ન તેની વિગતો બહાર પાડી. છાનબીન પછી આખરે ખબર પડી કે રિપોર્ટમાં માત્ર એ ગામડાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની વસ્તી દૃસ હજાર કરતાં વધારે હોય. આ માપદૃંડ અનુસાર જ્યાં મેલું ઉપાડવાનું પ્રથા ચાલતી હતી એવાં મોટા ભાગનાં ગામડાંને રિપોર્ટમાં ગણતરીમાં જ લેવાયાં નહોતાં. રિપોર્ટમાં લખાયું હતું કે (૨૦૦૬ સુધીમાં) ગુજરાતનાં ૨૪૫૬ પરિવારો જ  મેલું ઉપાડવાનું કામ કરે છે. દૃલિત સંગઠનોનું કહેવું હતું કે ગુજરાતના ૧૮,૫૦૦ ગામડાંમાંથી ૧૨,૫૦૦ ગામડાંમાં દૃલિત સમુદૃાયો રહે છે. સિલેકિટવ બનવાને બદૃલે આ તમામને ધ્યાનમાં લો તો જ સાચી તસવીર સામે આવે. નવસર્જન સંસ્થાએ ૨૦૦૬માં ગુજરાતમાં મેલું ઉપાડનારોની સંખ્યા ૫૫,૦૦૦ જેટલી આંકી હતી. છેલ્લા એક દૃાયકામાં આ આંકડો ધડામ્ કરતો શૂન્ય પર પહોંચી ગયો હશે એવું માની લઈએ એટલા ભોળા તો આપણે નથી જ.

Bezwada Wilson

બેઝવાડા વિલ્સનના અંદૃાજ પ્રમાણે ૨૦૧૨માં ભારતમાં મેલું ઉપાડતાં પરિવારોની સંખ્યા ૧૩ લાખ જેટલી હતી. દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરીનો સંદૃતર સફાયો કરી નાખવા માટે સરકારે અત્યાર સુધીમાં ૧૫ કરતાં વધારે વખત ડેડલાઈન પાછળ ઠેલી છે. છેલ્લે ૨૦૧૨ની ૧૫ ઓગસ્ટે દિૃલ્હીના લાલ કિહ્લલા પરથી પ્રવચન આપતી વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન િંસહે સ્વયં દૃેશમાં હજુય મેન્યુઅલ સ્કેવેન્જિંગ થાય છે એવું સ્વીકારીને તેને સંપૂર્ણપણે નાબુદૃ કરવાનો ઈરાદૃો વ્યકત કર્યો હતો.

વિલ્સન પૂછે છે, ‘આપણે કોમનવેલ્થ ગેમ્સ કે બીજી પ્રેસ્ટિજિયસ ઈવેન્ટ્સ ગોઠવીએ છીએ ત્યારે કઈ રીતે યેનકેન પ્રકારેણ ડેડલાઈનનું પાલન કરીએ છીએ? ત્યારે કેમ અતિવૃષ્ટિ થાય, કરપ્શન કે એવું કશું જ નડતું નથી? તો પછી મેલું ઉપાડવા જેવી જઘન્ય કુપ્રથાની નાબૂદૃી માટેની ડેડલાઈન શા માટે સતત પાછળ ઠેલાતી રહે છે?'

મેલું ઉપાડતા અમુક દૃલિતોએ પણ પોતાની માનસિકતા બદૃલવાની, પોતાના આત્મસન્માનને વધારે મજબૂત બનાવવાની જરુર છે. તેઓ શા માટે વાસી ખાવાનું લેવા માટે હજુય બીજાઓનાં ઘરે જાય છે? શા માટે ગટરમાં ઉતરતી વખતે સરકાર દ્વારા અપાતી માસ્ક વગેરે પહેરતાં નથી ને અકસ્માતનો ભોગ બને છે? શા માટે એમને અપાયેલાં સારાં રહેણાંકમાં રહેવા જવાને બદૃલે જુની ઓરડીમાં સાંકડમોંકડ રહેવાનું પસંદૃ કરે છે?



આજે અસંખ્ય દૃલિતો માટે આ કામ ભૂતકાળ બની ગયું છે. તેઓ અન્ય રિસ્પેકટેબલ કામો કરે છે, એમનાં સંતાનો મેલું ઉપાડવાના કોન્સેપ્ટ માત્રથી જોજનો દૃૂર છે, તેઓ ભણે છે, ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા દૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે.

ધારો કે કાલથી મેલું ઉપાડવાનું કામ એક ઝાટકે બંધ કરી નાખવામાં આવે તો એના વિકલ્પ તરીકે આપણી પાસે શું છે? નવસર્જન સંસ્થાના સ્થાપક અને દૃાયકોઓથી દૃલિતોના ઉત્થાન માટે કામ કરી રહેલા માર્ટિન મેકવાન કહે છે, ‘આપણે અંતરિક્ષમાં જઈ આવ્યા, જાતજાતના આવિષ્કારો કર્યાં તો શું મેલું સાફ કરવા માટેની ટેકનોલોજી ન અપનાવી શકીએ? વિદૃેશોમાં આ બધું શી રીતે થાય છે?'

આખા દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરી સંપૂર્ણપણે દૃૂર થવામાં કેટલો સમય લાગે એમ છે?

‘સમજોને, સિત્તેર-એંસી વર્ષ...' માર્ટિન મેકવાન જવાબ આપે છે.

આ સમયગાળો થથરાવી મૂકે તેવો છે...  

0 0 0

Tuesday, August 9, 2016

ટેક ઓફઃ બીજાઓના મળમૂત્ર ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે?

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

ગાંધીજીએ છેક્ ૧૯૧૭માં બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. એક્ સદૃી વીતી ગઈ છે, છતાંય માનવીના આત્મસન્માન અને ગરિમાને હણી નાખે એવી આ કુપ્રથા  દૃેશમાંથી સંપૂર્ણપણે નાબૂદૃ થવાનું નામ લેતી નથી. 






ગુજરાતમાં ઊના કાંડના પગલે દૃલિતોનો વિરોધ મહાસંમેલનનું સ્વરુપ ધારણ કરી રહ્યો હતો ત્યારે, ત્રીસ હજાર કરતાંય વધારે દૃલિતો મરેલાં પશુને હાથ સુધ્ધાં ન લગાડવાના સામૂહિક શપથ લઈ રહ્યા હતા ત્યારે અને સમાજસુધારનાં આ જ પ્રકારનાં ઑર રાજ્યવ્યાપી પગલાં ભરવાનાં આયોજનો થઈ રહ્યા ત્યારે સમાંતરે એક સૂચક ઘટના બની ગઈ. બેઝવાડા વિલ્સનને મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા, એેમનાં જીવનભરના સંઘર્ષ તેમજ પરિણામકારક કામગીરી બદૃલ. પબ્લિક સર્વિસ, કમ્યુનિટી લીડરશિપ, પત્રકારત્વ, કળા-સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારાઓને સાઠેક વર્ષથી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અવોર્ડ દ્વારા પુરુસ્કત કરવામાં આવે છે.

કોણ છે બેઝવાડા વિલ્સન? આ એક એવો દૃલિત માણસ છે જે તકવાદૃી, પ્રદૃર્શનવાદૃી કે તકલાદૃી એકિટવિઝમથી જોજનો દૃૂર છે અને જે ‘કર્મશીલ શબ્દૃને ખરેખર સાર્થક કરે છે. એમનું નક્કર જીવનકાર્ય એમની અંગત અને જ્ઞાતિગત પીડામાંથી જન્મ્યું છે. મેલું ઉપાડવાની કુપ્રથા સામે તેઓ ત્રણ દૃાયકાઓથી સતત લડતા આવ્યા છે. મેલું ઉપાડવાનો શાબ્દિૃક અર્થ થાય છે, અન્યોનાં મળમૂત્રને સાવરણા, પતરાં કે હાથેથી સાફ કરી, મળમૂત્રથી છલકાતા ડબ્બા, તગારા યા બાલ્દૃીને હાથેથી ઊંચક્ી અથવા રીતસર માથા પર ચડાવી, કશેક ઠાલવી તેનો નિકાલ કરવો. નવી પેઢીએ કદૃાચ ડબ્બાવાળા જાજરુ જોયા પણ નહીં હોય, પણ આ દૃેસી સ્ટાઈલના એવા ટોઈલેટ છે જેમાં મળમૂત્રના નિકાલના નામે નીચે કેવળ એક પતરાના ડબ્બો મૂકેલો હોય છે. માણસનાં ઉત્સર્ગ દ્વવ્યો સીધા તે ડબ્બામાં પડે છે. સફાઈકામદૃાર ઘરેઘરે ફરીને ઘરોના પાછળના હિસ્સામાં જઈ, નીચે વળી ડબ્બો ઉઠાવે, ઠેલણગાડીમાં તે ઠાલવી ખાલી ડબ્બાને પાછો મૂળ જગ્યાએ ગોઠવે ને પછી ઠેલણગાડી આખી મળમૂત્રથી છલકાઈ જાય એટલે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી આવે.



અન્યોનાં મળમૂત્રને સાફ કરવાની ક્રિયાને અંગ્રેજીમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહે છે. ખુહ્લલામાં શૌચક્રિયા કરવા બેસી જતા લોકોએ ખરાબ કરેલી જગ્યા, પબ્લિક ટોઈલેટ્સ તેમજ માથું ફાટી જાય એવી ભયાનક દૃુર્ગંધ મારતી સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરવાની ક્રિયા મેન્યુઅલ સ્કેવેન્જિંગનું સ્વરુપ છે. શહેરોની ડ્રેનેજ સિસ્ટમમાં ઈન્ડસ્ટ્રિઅલ વેસ્ટ અને અન્ય પ્રકારના કચરાની સાથે મળમૂત્ર પણ વહેતાં હોય છે. પ્લાસ્ટિક પદૃાર્થો ફસાઈ જવાથી ક્યાંક જામ થઈ જાય તો તેને મેન્યુઅલી ઠીક કરવા ઘણી વાર માણસને મેન-હૉલ દ્વારા અંદૃર ઉતારવો પડે છે. આ પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ છે. બીજાઓનું મેલું સાફ કરવાનું અત્યંત ઘૃણાસ્પદૃ અને હીણપતભર્યું કામ ભારતમાં હજારો વર્ષોથી પરંગરાગત રીતે અમુક ચોક્કસ દૃલિત જ્ઞાતિઓના ભાગે આવ્યું છે. બીજાઓની ગંદૃકી સાફ કરનારાઓ પાછા અસ્પૃશ્ય ગણાય, તેમને નીચી દૃષ્ટિએ જોવામાં આવે. ગાંધીજી  છેક ૧૯૧૭માં બીજાઓનું મેલું સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. સો વર્ષના વહાણાં વીતી ગયાં છે, બેઝવાડા વિલ્સન જેવા કર્મશીલો આ દિૃશામાં એકધારું કામ કરતા રહ્યા છે છતાંય મેન્યુઅલ સ્કેવેન્જિંગ આપણા દૃેશમાં આજેય અસ્તિત્ત્વ ધરાવે છે.

સુધરેલા શહેરીઓને તરત સામો સવાલ કરવાનું મન થાય કે આજે હવે ડબ્બા સંડાસ રહ્યા જ નથી ત્યારે તે સાફ કરવાનો પ્રશ્ર્ન જ ક્યાં છે? આના જવાબમાં થોડા સરકારી આંકડા સાંભળી લો. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. આ ઉપરાંત દૃેશમાં ૧૩.૯ લાખ જાજરુ એવાં છે જેના મળમૂત્રનો નિકાલ સીધો ડ્રેનેજ સિસ્ટમમાં થાય છે. છેલ્લાં પાંચ વર્ષ દૃરમિયાન આ ઓફિશિયલ આંકડામાં થોડી વધઘટ થઈ હશે, પણ સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટના અભાવે આ તમામ જાજરુ ઉપરાંત સેપ્ટિક ટેન્ક, ગંદૃા નાળા અને ખાડાની  સાફસફાઈ આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ દ્વારા જ શક્ય બને છે તે હકીકત છે.  



પચાસ વર્ષીય બેઝવાડા વિલ્સન મૂળ કર્ણાટકના. થોતી નામની અશ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાં તેમનો જન્મ. મેલું સાફ કરવું તે આ જાતિના લોકોનું પરંપરાગત કામ છે. વિલ્સનના મા-બાપ અને મોટા ભાઈ આ જ કામ કરતાં. થોતી શબ્દૃનો સમાનાર્થી ગુજરાતી શબ્દૃ હવે જાહેરમાં બોલાતો કે લખાતો નથી. વિલ્સન નાના હતા ત્યારે માતાપિતાને પૂછતા કે બધા આપણને થોતી-થોતી કેમ કહ્યા કહે છે? માબાપ એને સમજાવી દૃેતાં કે બેટા, આપણા ઘરની પાછળ કચરાનો મોટો ગંજ ખડકાયેલો રહે છેને, એટલે લોકો આપણને થોતી કહીને બોલાવે છે.

વિલ્સન કર્ણાટકના કોલાર ગોલ્ડ્સ ફિલ્ડ નામની જગ્યાએ સફાઈકર્મચારીઓ માટેની કોલોનીમાં મોટા થયા છે. સીધીસાદૃી, ટેબલખુરસી વગરની નાનકડી નિશાળમાં અન્ય સફાઈકર્મચારીઓનાં સંતાનોની સાથે ભણતાં. વિલ્સનની મા ઈચ્છતી દૃીકરો ખૂબ ભણે કે જેથી એણે લોકોનાં મેલાં ઉપાડવાનું કામ ન કરવું પડે. પાંચમા ધોરણથી સ્કૂલ બદૃલી. વર્ષના પહેલા દિૃવસે સૌએ ઊભા થઈને પોતાની ઓળખાણ આપવાની હતી. વિલ્સન માથું નીચું કરીને છુપાઈ ગયા કે જેથી પોતે કઈ જાતિના છે ને પોતાનાં માબાપ શું કામ કરે છે તે બોલવું ન પડે. પણ હકીકત ક્યાં સુધી છુપાવી શકાય? વિલ્સન સાથે સ્કૂલમાં આભડછેટ શરુ થઈ ગઈ. એમણે સ્કૂલે જવાનું જ બંધ કરી દૃીધું. જેમતેમ કરીને ભણતા રહ્યા. દૃસમું ધોરણ પાસ કર્યું. એક દિૃવસ મોટા ભાઈએ કહ્યું: તું હવે મોટો થઈ ગયો છે, તારે હવે કમાવાનું શરુ કરી દૃેવું જોઈએ. વિલ્સન મોટા ભાઈ સાથે એમ્પલોયમેન્ટ એકસચેન્જમાં નામ નોંધાવવા ગયા. કલર્કે ફોર્મમાં વિગતો લખી. કામના પ્રકારનું ખાનું પણ પૂછ્યા વગર જાતે ભરી નાખ્યું. વિલ્સને કહ્યું: સાહેબ, તમે કામના પ્રકારમાં શું લખ્યું છે તે મને બતાવો તો ખરા. કલર્ક તાડૂક્યો: એમાં જોવાનું શું છે? તું ફલાણી જાતિમાં જન્મ્યો છે એટલે તારે સફાઈકર્મચારી જ બનવાનું હોયને! વિલ્સનને આંચકો લાગ્યો. એમણે ફોર્મ કલર્કના હાથમાંથી આંચકી લઈ એમની સામે જ ફાડી નાખ્યું. વિલ્સન આગળ જતાં પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થયા, પણ િંજદૃગીમાં ફરી ક્યારેય એમ્પ્લોયમેન્ટ એકસચેન્જનાં પગથિયાં ન ચડ્યા.

૧૯૮૬ના અરસામાં એમણે થોડુંઘણું કમ્યુનિટી વર્ક શરુ કરેલું. તેમણે એમણે નક્કી કયુર્ર્ કે હું સ્વીપર્સ કોલોનીના છોકરાઓને મફત ભણાવીશ. છોકરાઓ ભણવા તો આવતા પણ પછી એકાએક આવતા બંધ થઈ જતા. કારણ પૂછતા છોકરાઓ જવાબ આપ્યો: અમારાં માબાપ બેય દૃારુના બંધાણી છે. તેમની પાસે અમને ભણાવવાના પૈસા નથી. વિલ્સનને તેમના માબાપને કહ્યું: તમે દિૃવસરાત દૃારુ પીને જે પૈસા બરબાદૃ કરો છો તે  છોકરાવના ભણતર પાછળ કેમ ખર્ચતા નથી? વાલીઓએ આપ્યો કે ભાઈ, અમારું કામ જ એવું છે કે દૃારુ પીધા વગર થઈ શકતું નથી. વિલ્સન સારી રીતે જાણતા હતા કે તેઓ શું કામ કરે છે, પણ તેમણે ન તો પોતે ક્યારેય આ કામ કર્યું હતું કે નહોતા પોતાનાં માતાપિતા કે ભાઈને આ કામ કરતાં નરી આંખે જોયા હતા.

એક દિૃવસ વિલ્સને જાતે જઈને સ્વીપરોની કામગીરી જોવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે કમ્યુનિટી ટોઈલેટ યા તો શુષ્ક શૌચાલયની વાડા જેવા બાંધેલી જગ્યામાં લોકો આવીને મળત્યાગ કરીને જતા રહે છે. પછી સફાઈકામદૃાર સાવરણો લઈને આવે, સૂપડીથી મળ બાલ્દૃીમાં નાખે અને બાલ્દૃી બહાર ખાડામાં ઠાલવી દૃે. સમયાંતરે ટ્રેકટર-ટેન્કર આવે એટલે પેલી ટાંકીમાં જમા થયેલું તમામ હ્મુમન વેસ્ટ  ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવે. આખરે મળમૂત્રને શહેરની બહાર સલામત રીતે ડિસ્પોઝ કરી દૃેવામાં આવે. એક સદૃી કરતાં વધારે સમયથી આ સિસ્ટમ સજ્જડ ગોઠવાયેલી હતી.

કલ્પના કરો કે જે વસ્તુ આપણને વાંચવામાં ત્રાસ થાય છે તેને કરવામાં કેટલો ત્રાસ થતો હશે. વિલ્સને જોયું કે એક કર્મચારીની બાલ્દૃી હાથમાંથી છટકીને વિષ્ટા ભરેલી ટાંકીમાં ઊંડે જતી રહી. બાલ્દૃી વગર કામ કેવી રીતે થાય? કર્મચારીએ ઝાઝું વિચાર્યા વિના શર્ટની બાંય ઊંચી ચડાવી એ બન્ને હાથ મળથી છલોછલ ટાંકીમાં નાખીને બાલ્દૃી શોધવા લાગ્યો. બીજા કર્મચારીઓ તેને મદૃદૃ કરવા લાગ્યા. વિલ્સને તેમને રોક્યા: અરે અરે, આ શું કરો છો તમે લોકો? સફાઈકામદૃારો ગુસ્સે થઈ ગયા: તું શું કામ અમારી પાછળ પડ્યો છે? આ જ અમારું કામ છે, અમારું  જીવન છે! આ કામ નહીં કરીએ તો જે બે પૈસા મળશે તે પણ બંધ થઈ જશે. પછી ખાઈશું શું? અમને કોણ બીજું કામ આપવાનું છે? કોણ અમારું સાંભળવાનું છે?


વિલ્સન ઝાટકો ખાઈ ગયા. બીજાઓના મળમૂત્રને ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે? કોઈનું મેલું ઉઠાવવું અમાનવીય અને િંનદૃનીય કામ છે. તેના પર પૂર્ણવિરામ મૂકાવું જ જોઈએ. આ ઘટનાએ વિલ્સનના જીવનને નિશ્ર્ચિત વણાંક આપી દૃીધો. એમણે નક્કી કર્યું કે હું ગામે ગામ ફરીને સફાઈકર્મચારીઓને મળીશ, આ કામ ન કરવા માટે સમજાવીશ અને તેમના ઉત્થાન માટે મારાથી બનતી કોશિશ કરીશ. વિલ્સને પોતાની રીતે સર્વે કર્યો. સફાઈકર્મચારીઓના અને તેમની કામગીરીના ફોટા પાડ્યા. લાગતાવળગતા અધિકારીઓને કાગળો લખવાનુું શરું કર્યું. તત્કાલીન વડાપ્રધાનને પણ પત્ર લખ્યો. કેવી રીતે લખવું તેની ગતાગમ નહોતી તોય સીધીસાદૃી ભાષામાં લખ્યું કે, ‘ડિયર પ્રાઈમ મિનિસ્ટર, અમારે ત્યાં હજુય મેલું ઉપાડવાની પ્રથા ચાલે છે, જે બહુ ખોટું છે. મહેરબાની કરીને તે બંધ કરાવો. લિખિતંગ વિલ્સન. બસ, આટલું જ. સ્થાનિક મુખ્યમંત્રી, અન્ય પ્રધાનોને પત્રો લખ્યા. પ્રેસવાળાઓને ઈન્વોહ્લવ કર્યા. ખાસ્સી ધમાલ મચી ગઈ. આ બધાનું પરિણામ એ આવ્યું કે કેટલાય શુષ્ક શૌચાલયનો કાયદૃેસર રીતે નાશ કરવામાં આવ્યો અને કર્ણાટકના કોલાર ગોલ્ડ ફિલ્ડ્સના ૧૦૭ સફાઈકર્મચારીઓને રિહેબિલિટેટ કરવાની ગતિવિધિ શરુ થઈ ગઈ.

વિલ્સનની યાત્રાની આ શરુઆત હતી. આટલા વર્ષોમાં અનેક ચડાવઉતાર આવ્યા છે, પણ હજુય મંઝિલ આંખ સામે દૃેખાતી નથી. મેલું ઉપાડવા કે ઉપડાવવા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કાયદૃો પસાર થઈ ચુક્યો છે તો છતાંય માણસની ગરિમાને હણી નાખતી આ કુપ્રથા ભલે ઓછી માત્રામાં પણ આજેય આપણા દૃેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે. કેમ તેના પર સજ્જડ પૂર્ણવિરામ મૂકાતું નથી? ક્ેમ દૃલિતોનો અમુક્ વર્ગ ખુદૃ તેમાંથી બહાર આવવા માગતો નથી? મેલું ઉપાડવાના વાસ્તવની કેટલીક વિચારતા કરી મૂકે, ચોંકાવી દૃે તેવી વાતો હવે પછી જોઈશું, આવતા બુધવારે.

0 0 0