Showing posts with label Vipassana. Show all posts
Showing posts with label Vipassana. Show all posts

Thursday, May 18, 2017

આધ્યાત્મિકતાનો સ્પર્શ જુવાનીમાં જ થઈ જવો જોઈએ

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૭ મે ૨૦૧૭

ટેક ઓફ

શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, િંજદૃગીની ઈમારતનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ તરંગો સર્જ્યાં કરતાં હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું હજુ બાકી હોય અને િંજદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે.




માણસે કયારે આધ્યાત્મિક બનવું જોઈએ? જીવનના કયા તબક્કે માણસને આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ જવો જોઈએ? આધ્યાત્મિકતાને કઈ રીતે ડિફાઈન કરી શકાય? આધ્યાત્મિક હોવું અને ધાર્મિક હોવું - આ બન્ને એક જ વસ્તુ છે કે અલગ અલગ? જિંદૃગીમાં એક સમય આવે છે જ્યારે આપણું મન આ બધા પ્રશ્ર્નોના ઉત્તર તીવ્રતાથી ઝંખવા માંડે છે.

મા-બાપે કે દૃાદૃા-દૃાદૃીએ શીખવ્યું હતું એટલે ભગવાનની મૂર્તિ સામે યાંત્રિકપણે અગરબત્તી-દૃીવા કરી નાખવા કે ઘરમાંથી બહાર પગ મૂક્તાં પહેલાં ભગવાન સામે માથું નમાવીને ફટાફટ નીકળી જવું તે ધાર્મિકતા નથી. રુદ્રાક્ષની માળા હાથમાં લઈને સમજ્યા વગર બંધ આંખે જાપ જપવા બેસી જવું તે પણ ધાર્મિકતા નથી. સાચા ધર્મ અને અધ્યાત્મને બાહ્ય વિધિઓ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? સ્વામી વિવેકાનંદૃે યોગ્ય જ કહ્યું છે કે, ‘યજ્ઞયાગ, સાષ્ટાંગ દૃંડવત પ્રણામ, અસ્પષ્ટ મંત્રોચ્ચાર એ કંઈ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો ઊચ્ચ થાય કે આપણે ઈશ્ર્વરી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરી શકીએ અને સુંદૃર તથા સાહસિક કાર્યો કરવાને પ્રરાઈએ, તો જ આ બધામાં કંઈ સાર છે. જ્યાં સુધી ‘મને અડકશો નહીં' એ તમારો પંથ છે અને રસોડાનું હાંડલું તમારો દૃેવ છે ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ અસંભવિત છે.'

પ્રચલિત રીતે જેને ‘ધર્મ' કહેવામાં આવે છે તેનો સંદૃર્ભ ખરેખર તો સંપ્રદૃાયો સાથે હોય છે. હિંદૃુ ઘરમાં જન્મેલું બાળક આપોઆપ હિંદૃુ બને છે. ખ્રિસ્તી કે મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક આપોઆપ ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે. આ અર્થમાં સંપ્રદૃાય માણસને વારસામાં મળે છે, પણ અધ્યાત્મ માણસે ખુદૃ ડિસ્કવર કરવું પડે છે. સંપ્રદૃાય પરંપરાગત રસ્તે થઈને આપણે જેને ઈશ્ર્વર કે પરમપિતા પરમાત્મા કહીએ છીએ તેની નજીક લઈ જવાનું કામ કરે છે, જ્યારે અધ્યાત્મ માણસને પોતાની જાતની નજીક લઈ જાય છે, એને પોતાની પ્રકૃતિ અને વૃત્તિઓ પ્રત્યે જાગૃત બનાવે છે. ધર્મ અને અધ્યાત્મ વાસ્તવમાં ઇન્ટરચેન્જેબલ બાબતો છે. આ બન્નેની વચ્ચે વ્યાખ્યાઓની ઊંચી દૃીવાલ ચણવાની જરુર નથી. તમે ધર્મ કહો કે અધ્યાત્મ, બન્નેનો ઉદ્દેશ આખરે તો એક જ છે - માણસને જીવન જીવવાની કળા શીખવવાનો. જે વસ્તુ માણસને જીવન જીવવાની કલા શીખવી શકતી નથી તે નથી ધર્મ કે નથી અધ્યાત્મ.  

અમુક લોકોના મનમાં એક તદ્દન ફાલતુ માન્યતા ઊભી થઈ ગઈ છે કે આધ્યાત્મિકતા ને એવું બધું તો બુઢાપામાં કરવાનું હોય. જુવાની અને આધ્યાત્મિક્તાને શું લાગેવળગે? આ માન્યતામાંથી ત્વરિત બહાર આવી જવાનું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગી ચુક્યું હોય, શરીર ખખડી ગયું હોય, આંખ-કાન-જીભ ક્ષીણ થવા લાગ્યાં હોય અને જીવનમાં હવે કરવા માટે હવે બીજું કશું બચ્યું ન હોય ત્યારે માણસ સ્પિરિચ્યુઅલ બને તોય શું ને ન બને તોય શું. મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય પછી જીવન જીવવાની કલા આવડે તોય શું, ન આવડે તોય શું. આધ્યાત્મિકતા કંઈ નવરા બુઢા લોકો માટેની ટાઈમપાસ એકિટવિટી નથી.



જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઈ જવો જોઈએ. જ્યારે શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, જિંદૃગીની ઈમારત ઊભી કરવાનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ સતત તરંગો સર્જ્યાં કરતાં હોય, કરીઅર અને લગ્ન જેવાં જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો હજુ લેવાયા ન હોય અથવા તાજા તાજા લેવાયા હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું બાકી હોય અને જિંદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે. જો યુવાનીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રે સાચી દિૃશામાં કદૃમ માંડી દૃીધાં હશે તો અગાઉ ક્યારેય થઈ નહોતી થઈ એવી આંતરિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. જીવનનાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટાં યુદ્ધો લડવામાં ખૂબ મદૃદૃ મળે છે. માણસને આધ્યાત્મિકતા યુવાનીમાં સૌથી વધારે શોભે છે.

... અને તેથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં પગ મૂકી રહેલા યુવાનોને જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. દૃુનિયાભરમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનાં આશરે ૨૫,૦૦૦ યુવા કેન્દ્રો તેમજ યુવતી કેન્દ્રો સક્રિય છે. દૃર અઠવાડિયે ૧૬થી ૩૦ વર્ષની એજગ્રપુમાં સ્થાન પામતા લાખો યંગસ્ટર્સ આ કેન્દ્રોમાં એકત્રિત થઈને શારીરિક-માનસિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના પાઠ શીખે છે. ગૌતમ બુદ્ધે વિશ્ર્વને જેની ભેટ આપી છે વિપશ્યનાની સાધના  ખાસ્સી ચેલેન્જિંગ અને કઠિન છે, પણ વિપશ્યનાની શિબિરોમાં યુવાનોની બહુમતી જોઈને પુલકિત થઈ જવાય છે. આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના બહુ વખણાતા અસ્મિતા પર્વ નામના સાંસ્કૃતિક ઉત્સવોમાં યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અર્બન અપીલ ધરાવતા પદ્મવિભૂષણ જગ્ગી સદૃગુરુ અધ્યાત્મક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે અને યુવાનોમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. આવાં અનેક ઉદૃાહરણો છે.

આધ્યાત્મિક સાધના શીખ્યા પછી તેનો ગંભીરતાપૂર્વક નિયમિત રિયાઝ કરતા યુવાનોની જીવનશૈલીમાં અને વર્તન-વ્યવહારમાં આશ્ર્ચર્ય થાય એવાં નક્કર પરિવર્તનો જોઈ શકાય છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઊત્તમ કામગીરી કરશે એવી અપેક્ષા રાખવાનું પણ મન થાય છે. એવી ખાતરી તો મળે જ છે કે આ યંગસ્ટર્સ આગળ જતા મહાન કામો કરે કે ન કરે, પણ કમસે કમ તેઓ ભ્રષ્ટ, લબાડ અને ચરિત્રહીન તો નહીં જ બને.    

આધ્યાત્મિક હોવું એટલે ભગતડા બની જવું એમ નહીં. આધ્યાત્મિક હોવું એટલે નીરસ બની જવું એમ પણ નહીં. આધ્યાત્મિકતાનો ઉપયોગ પ્રમાદૃી કે પલાયનવાદૃી બનવા માટે બિલકુલ કરવાનો નથી. મહેનત કરવાના સમયે જો તમે પલગં પર લાંબા થઈને, સાઈડમાં લેપટોપ ખોલીને, યુટ્યુબ પર ક્લાકો સુધી આધ્યાત્મિક પ્રવચનોના વિડીયો જોયા કરો તે ન ચાલે. જવાબદૃારીથી ભાગીને  ‘ના હોં, મારો મેડિટેશનનો ટાઈમ થઈ ગયો' એમ કહીને તમે પલાંઠી વાળીને બેસી જાઓ તે પણ ન ચાલે. મોરારીબાપુ ક્હે છે તેમ, ક્થામાં તો ઘણા લોકો બેસે છે, પણ લોકોમાં ક્થા બેસતી નથી! આધ્યાત્મિક્તાના મામલામાં પણ આવું જ.

ઘણા લોકોને સ્પિરિચ્યુઆલિટીનું વ્યસન થઈ જાય છે. તેઓ ગંગામાં ધૂબાકા લગાવશે, હૃષિકેશ-હરિદ્વાર જઈને યોગસાધનાના કરી આવશે, વિપશ્યનાની દૃસ-દૃસ દિૃવસની શિબિરો કરશે, આનંદૃમૂર્તિ ગુરુમાના ગન્નોર ખાતે આવેલા રિશી ચૈતન્ય આશ્રમમાં દિૃવસો પસાર કરશે, ગાંજો પીતા પીતા જોરશોરથી ઓશો રજનીશ વિશે તાત્ત્વિક ચર્ચાઓ કરશે ને અઘોરીઓ પાસેથી ભેદૃી વિદ્યા શીખવા જંગલોમાં ડાફરિયા પણ મારશે. આવા લોકોે સ્પિરિચ્યુઅલ જન્કી છે. આપણે એમના જેવા તો જરાય બનવાનું નથી. આપણે અધ્યાત્મમાં સક્રિય બનવાનું છે, આધ્યાત્મિક મનોરંજનમાં નહીં. અધ્યાત્મ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જો વિવેકબુદ્ધિ અને સંતુલન ન જળવાય તો બધું નકામું છે.  

સ્વામી વિવેકાનંદૃે વર્ષો પહેલાં યુવાનોને ઉદ્દેશીને જે ક્હેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છેઃ ‘આપણા દૃેશમાંં હજી ધર્મ અને આધ્યાત્મિકતા છે. ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રવાહોએ દૃુનિયા પર પૂરજોશમાં વહેવું પડશે અને દૃુનિયાને તરબતર કરી દૃેવી પડશે... દૃરેક જીવાત્મામાં દિૃવ્યતા સુપ્ત રુપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદૃર રહેલી દિૃવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભકિત અથવા પ્રાણાયામ કે તત્ત્વજ્ઞાન આમાંથી એકથી વધારેની અથવા બધાંની મદૃદૃ લઈને એ કરો અને મુકત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિૃરો, બાહ્ય આચાર - આ બધી ગૌણ વાતો છે.'

0 0 0 

Thursday, May 11, 2017

બેકપેકર્સઃ અકેલે અકેલે કહાં જા રહે હો...

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ મે ૨૦૧૭ 

ટેક ઓફ

‘બેક્પેકર્સનો સાદૃો નિયમ છે - હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. બેક્પેકરનું એક ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય તો કોઈ નાનીમોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના.'



Yuval Ginor

નું નામ છે યુવલ. યુવલ ગિનોર. દૃેશ ઇઝરાયલ. ઉંમર હશે બાવીસ-ત્રેવીસ વર્ષ. પાતળો બાંધો, ઊંચું કદૃ.  એની તેજસ્વી આંખોમાં સતત ઉત્સુકતા અંજાયેલી રહે છે. મસ્તીખોર ટીનેજર જેવા એના ગોરા મિડલ-ઈસ્ટર્ન ચહેરા પર થોડા દિૃવસોની વધી ગયેલી સોનેરી દૃાઢી ચમકયા કરે છે. એ મોટે ભાગે ઢીલુંઢાલું હેરમ પેન્ટ અને મેિંચગ ટીશર્ટ પહેરી રાખે છે. એ બેક્પેકર છે. કમસે કમ, અત્યારે તો આ જ એની સાચી અને પ્રમાણભૂત ઓળખ છે.

બેક્પેકર એટલે બન્ને ખભા પર મોટો થેલો ભરાવીને દૃેશ-દૃુનિયામાં અલગારી રખડપટ્ટી કરવી નીકળી પડેલો બિન્દૃાસ પ્રવાસી. તોતિંગ સુટકેસોમાં સામાન ઠાંસીને, હોટલોના રુમ અને પિક-અપ કાર સહિતનું બધું જ અગાઉથી બુક કર્યા પછી જ પ્લેન કે ટ્રેન પકડતા, નક્કી કરી રાખેલા ટાઈમટેબલને જડતાથી વળગી રહેતા અને શરીરને જરાય કષ્ઠ ન પડે તે રીતે સાચવીસાચવી ફરવા નીકળેલા ટિપિકલ ટુરિસ્ટ કરતાં બેક્પેકર્સની તાસીર ઘણી જુદૃી હોય છે. પેરિસમાં પાતરાં કે રોમમાં રસપુરી ખાવાનો તેમનો ઉપક્રમ હોતો નથી. તેમને ઓછામાં ઓછા વૈભવ વચ્ચે વધુમાં વધુ ફરવું હોય છે. દૃુનિયાભરના દૃેશોમાંથી અસંખ્ય બેક્પેકર્સ પંખીઓનાં ટોળાંની જેમ ભારતમાં ઉતરી આવે છે અને દિૃવસો-અઠવાડિયાં-મહિનાઓ સુધી પહાડો પર, દૃરિયાકિનારે, દૃક્ષિણમાં, દૃેશના ખૂણેખૂણે ફરતા રહે છે.

યુવલ આ વિદૃેશી બેક્પેકર્સ કમ્યુનિટીના પરફેક્ટ પ્રતિનિધિ છે. એ નવ મહિનાથી ફરી રહ્યો છે. અહીં આવતા પહેલાં એ રશિયા, ચીન, કંબોડિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ જેવા સાત દૃેશોમાં રખડપટ્ટી કરી ચુક્યો છે. ભારતમાં આ એનો ત્રીજો મહિનો છે.



બારમા ધોરણ પાસ કર્યા પછી તમામ છોકરા-છોકરીએ ફરજિયાત ત્રણ વર્ષ માટે મિલીટરીમાં દૃાખલ થવું પડે છે.  યુવલે પણ ત્રણ લશ્કરી તાલીમ લીધી છે. એણે કોમ્બેટ ફોટોગ્રાફીમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે. ‘આમાં તમારા હાથમાં ઘાતક ગન હોય, ગળે કેમેરા લટકતો હોય અને તમારે શૂટ કરવાનું હોય - ક્યારેક ગનથી તો ક્યારેક કેમેરાથી!' હિમાચલપ્રદૃેશના મેકલોડગંજમાં વિપશ્યના કેન્દ્રમાં મેડિટેશન કરવા આવેલો યુવલ કહે છે, ‘મારે જોેકે ક્યારેય બંદૃૂક ચલાવવાની જરુર નહોતી પડી, પણ મારા ઘણા ફ્રેન્ડ્ઝે ગનથી સાચુકલું શૂિંટગ કર્યું છે. તમારા ઇન્ડિયાની જેમ અમારે ઇઝરાયલમાં પણ સરહદૃ પર અથડામણો ચાલ્યાં જ કરતી હોય છે.'

મિલીટરીનાં ત્રણ વર્ષ પૂરાં થયાં પછી યુવલનાં મમ્મીપપ્પાએ એને કોલેજમાં દૃાખલ કરી દૃેવાની જરાય ઉતાવળ ન કરી. યુવલે એક વર્ષ સુધી નાનીમોટી જોબ કરી, પૈસા જમા કર્યા અને પછી નીકળી પડ્યો દૃુનિયા ઘુમવા.

ભારતીય સમાજમાં જુવાનીમાં પગ મૂકી રહેલાં છોકરાછોકરીઓ પર ભણવાનું અને કરીઅર બનાવવાનું એકધારું પ્રેશર રહેતું હોય છે. ચોવીસ-પચ્ચીસ વર્ષે  પણ યુવાન ગ્રેજ્યુએટ થયો ન હોય તો જાણે એના પર કલંક લાગી ગયું હોય એવો માહોલ ઊભો થાય છે. હાઈસ્કૂલ કે જુનિયર કોલેજનું ભણતર પૂરું કરનાર સત્તર-અઢાર વર્ષની કાચી ઉંમરે પોેતે જિંદૃગીમાં શું કરવા માગે છે અને કયાં ક્ષેત્રમાં આગળ વધવા માગે છે એની સ્પષ્ટતા કેવી રીતે હોય? જિંદૃગીનો આટલો મોટો નિર્ણય લેવા માટે  અનુભવ જોઈએ, પરિપકવતા જોઈએ, જે સોળ-સત્તર વર્ષનાં છોકરાછોકરીમાં ન જ હોય. આથી મા-બાપના કહેવાથી કે તેમના દૃબાણથી કે દૃોસ્તોને જોઈને તેઓ અમુકતમુક લાઈન પકડી લે છે. લાઈન તાસીરને અનુકૂળ હોય તો ઠીક છે, નહીં તો છોકરો હેરાનપરેશાન થઈ જાય છે. થોડીઘણી જાગૃતિ હશે તો જુવાનીનાં કિમતી વર્ષો વધારે વેડફાય તેની પહેલાં એ પોતાની પ્રકૃતિ અને પ્રતિભાને અનુરુપ ક્ષેત્રમાં જતો રહેશે, અન્યથા જીવનભર અણગમતાં ક્ષેત્રમાં સબડતો રહશે.



લાઈન પસંદૃ કરતા પહેલાં જુવાન માણસ ઘરનું સલામત વાતાવરણ છોડીને જરા બહાર ફરે, ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોને મળે, ખુદૃને નવી નવી પરિસ્થિતિઓમાં મૂકે, પોતાનાં વ્યકિતત્ત્વના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ અને ગમા-અણગમા વિશે જાણે અને તે રીતે  જીવનમાં આગળ શું કરવું ગમશે કે શું ક્રવું નહીં જ ગમે તે વિશે અત્યંત મૂલ્યવાન કહી શકાય તેના વિશે સ્પષ્ટતા કેળવે તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. બેગપેકિંગ તમને આ તક્ આપે છે.

‘પ્રવાસ દૃરમિયાન પોતાની જાત વિશે જેટલું જાણવા મળે છે એટલું બીજું કોઈ રીતે જાણવા મળતું નથી,' યુવલ કહે છે, ‘મારા પપ્પા અને મોટો ભાઈ પણ નખશિખ બેક્પેકર્સ છે. બન્ને ઇન્ડિયામાં મહિનાઓ સુધી રહી ચુક્યા છે. જોબ કરતો હતો તે દૃરમિયાન મેં પુષ્કળ રિસર્ચ કર્યું હતુંં, અનુભવી દૃોસ્તારો સાથે ચર્ચાઓ કરી હતી અને કયા ક્યા દૃેશોમાં શું શું જોવું છે એની એક કાચી ગાઈડલાઈન બનાવી નાખી... ને બસ, નીકળી પડ્યો!'

ખભે થેલો ભરાવીને મહિનાઓ સુધી વિદૃેશની અજાણી ધરતી પર ફરવા નીકળી પડવું તે સંભવત: પશ્ર્ચિમની જીવનશૈલીનો ભાગ છે, પણ આપણે આ રીતે કામ-ધામ છોડીને મહિનાઓ સુધી નીકળતા નથી, નીકળી શકતા નથી. અમેરિકનો-યુરોપિયનોને ભારતમાં ફરવું ખૂબ સસ્તુ પડે છે, કેમ કે તેમને ડોલર-પાઉન્ડ-યુરોમાં કરેલી કમાણીને રુપિયામાં વાપરવાની હોય છે. આપણે પશ્ર્ચિમમાં જઈએ ત્યારે મામલો ઊલટો થઈ જાય છે.    



‘અમારે ત્યાં બે-ત્રણ મહિના માટે વિદૃેશ ફરવા નીકળી જવું કોમન છે,' યુવલ કહે છે, ‘પણ મારી જેમ નવ-નવ મહિના રખડનારા બેક્પેકર્સ તો અમારે ત્યાં પણ ઓછા જ હોય છે.'

ઓછામાં ઓછા સામાન લઈને વધુમાં વધુ શી રીતે ફરવું તે આ બેક્પેકર્સની જમાત પાસેથી શીખવા જેવું છે. યુવલ ઘરેથી નીકળ્યો ત્યારે એના થેલામાં કપડાંનાં નામે ફકત બે જીન્સ અને એક ટીશર્ટ હતું. આ સિવાય એક કેમેરા, એક ડાયરી અને બીજી કેટલીક અનિવાર્ય કહેવાય એવી ઝીણી ઝીણી ચીજો. હા, એને ગીતો લખવાનો અને કંપોઝ કરવાનો શોખ છે એટલે સાથે ગિટાર પણ લીધું હતું જે હજુ સુધી હેમખેમ છે.

‘અમે જ્યાં જઈએ ત્યાં રહેવા માટે સસ્તામાં સસ્તી જગ્યાઓ શોધીએ છીએ,' યુવલ કહે છે, ‘બેકપેકિંગનો આ સાદૃો નિયમ છે - પૈસા ટ્રાવેિંલગમાં, વધુમાં વધુ સ્થળો જોવામાં ખર્ચવાના. હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. ઇન્ડિયામાં જોકે મુંબઈ અને દિૃલ્લી સિવાય હોસ્ટેલ (જ્યાં એક રુમ ચારેક જણા શેર કરતા હોય છે) સિસ્ટમ નથી. બેક્પેકરનું ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! વી આર નોટ સુટકેસર્સ, વી આર બેક્પેકર્સ. લકઝરી અમને પોસાય જ નહીં. લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય એવુંય બને. આવી સ્થિતિમાં કોઈ નાની મોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના. જેમ કે, મારા એક બેક્પેકર ફ્રેન્ડના પાસે પૈસા ખલાસ થઈ ગયા તો જે હોસ્ટેલમાં અમે ઊતર્યા હતા ત્યાં જ એણે રિસેપ્શનિસ્ટ તરીકે થોડા દિૃવસ કામ કર્યું. બદૃલામાં તેેનું લોિંજગ-બોર્ડિંગ ફ્રી કરી દૃેવામાં આવ્યું. બેક્પેકર બનીને નીકળ્યા હો ત્યારે રાત્રે સ્ટેશન પર સૂઈ જવાની તૈયારી પણ રાખવી પડે. મારો એક આઈરિશ બેક્પેકર દૃોસ્ત દૃક્ષિણ ભારતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં હતો ને નોટબંધી દૃાખલ થઈ ગઈ. ત્યાં ન તો કોઈ બેન્ક હતી કે ન કોઈ એટીએમ. બાપડા પાસે સમ ખાવા પૂરતુંય કેશ નહોતું એટલે ખાવાના સાંસા થઈ ગયેલા. થોડા દિૃવસો ખૂબ હેરાન થયો એ. બેક્પેકર બનીને નીકળ્યા હોઈએ ત્યારે આ પ્રકારની અણધારી પરિસ્થિતિઓને શી રીતે હેન્ડલ કરવી એ જ તો શીખવાનું છે.

બેક્પેકર્સ એકબીજાની તકલીફોને સારી રીતે સમજતા હોવાથી તરત એકમેકની મદૃદૃ પહોંચી જતા હોય છે. દિૃવસો સુધી નહાયા-ધોયા વગર ગાંજો પીને પડ્યા રહેતા હિપ્પીઓ અલગ જમાત છે. વિદૃેશીઓને કુલુ-મનાલી-ધરમશાલા જેવાં ટુરિસ્ટ સ્પોટ્સ ખૂબ ગમે છે એનું એક મોટું કારણ એ પણ છે કે અહીં ગાંજો બહુ સારો મળે છે. આખા ભારતમાં હિમાચલ પ્રદૃેશનો ગાંજો શ્રેષ્ઠ ગણાય છે! ગોવામાં નશીલી ડ્રગ્ઝ આસાનીથી મળી રહે છે.

‘હા, અમુક્ ફોરેનર્સને ઇન્ડિયાનું ગાંજા ટુરિઝમ આકર્ષે છે તે હકીકત છે,' યુવલ કહે છે, ‘યુરોપમાં એમ્સટરડેમ ગાંજા માટે પ્રખ્યાત છે. ઇટ્સ ઓકે! ઇન્ડિયા પાસે તો ફોરેનર્સને ઓફર કરવા માટે ખૂબ બધું છે - આધ્યાત્મિકતા, કુદૃરતી સૌંદૃર્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય... હજુ સુધી મને એવો એક પણ બેક્પેકર મળ્યો નથી જે ભારતના પ્રેમમાં ન હોય.'
Arjun Nair


આપણે ધારો કે બેક્પેકર બનીને યુરોપ-અમેરિકા ન રખડી શકીએ, પણ ભારતભ્રમણ તો કરી જ શકીએને. ભારતના એવા કેટલાય હિસ્સાઓ અને અંતરિયાળ વિસ્તારો છે જે આપણે હજુ જોયા નથી. બેક્પેકર જેવો સ્પિરિટ ધરાવતા ભારતીય જુવાનો પણ મળી જાય છે. જેમ કે, મૂળ કેરળનો પણ બેંગલુરુમાં સ્થાયી થયેલો ૨૯ વર્ષીય એડવોકેટ અર્જુન નાયર આઠ દિૃવસ માટે હિમાચલ પ્રદૃેશ આવ્યો છે.

‘મેં હમણાં જ મારી કોર્પોરેટ જોબ છોડી,' અર્જુન કહે છે, ‘નવી જોબ જોઈન કરતાં પહેલાં મારે થોડું એક્લા ફરવું હતું, થોડું આત્મમંથન કરવું હતું. આઈ નીડેડ માય ‘મી-ટાઈમ! મારી વાઈફને મારે ધન્યવાદૃ આપવા પડે કેમ કે એણે મને એકલા ફરવા જવાની તરત પરમિશન આપી દૃીધી!'

જો સ્માર્ટ પ્લાનિંગ કરીએ તો આપણા માટે પશ્ર્ચિમના દેશોમાં પણ રખડપટ્ટી કરવાનું બિલકુલ શક્ય છે. ફિલ્મ અને ટેલીવિઝન લાઈનમાં એડિટર તરીકે કામ કરતો દીપક શિરસત નામનો તરવરિયો યુવાન હમણાં જ ફ્રાન્સ અને જર્મનીનો બાવીસ દિવસનો પ્રવાસ કરી આવ્યો.  'અને તે પણ માંડ સિત્તર હજાર રુપિયામાં, ક્યાંય બિનજરૂરી કોમ્પોમાઈઝ કર્યા વિના,  કેન યુ બિલીવ ઇટ?' દીપક ઉત્સાહપૂર્વક કહે છે, 'જો તમે મહિનાઓ પહેલાં પ્લાનિંગ શરુ કરી દો તો સસ્તી એરટિકિટ મળી જતી હોય છે. airbnb.com જેવી ઓનલાઈન હોસ્પિટાલિટી સર્વિસ વડે તમને કિફાયતી દરે હોમ-સ્ટે માટેનાં સારાં ઠેકાણાં શોધી શકો છો. ઇટ્સ સુપર ફન!'

Deepak Shirsat

હોમ-સ્ટે એટલે મામૂલી ફી ચૂકવીને સ્થાનિક લોકોના ઘરમાં પેઈંગગેસ્ટની જેમ રહેવું. couchsurfing.com  નામની ઇન્ટરેસ્ટિંગ વેબસાઈટ દ્વારા તો તમે પૈસાની સહેજ પણ લેવડદેવડ વગર દુનિયાભરનાં શહેરોમાં યજમાન શોધી શકો છો, જોકે couchsurfingને શંકાની નજરે જોતા પ્રવાસીઓને આ ફ્રી સર્વિસ કરતાં વધારે ભરોસાપાત્ર લાગે છે.

યુવલ, અર્જુન અને દીપક આ ત્રણેયનાં  વ્યક્તિત્ત્વ હળવાફૂલ છે. તેઓ સહજપણે નવા અજાણ્યા માણસો સાથે ચપટી વગાડતાં દૃોસ્તી કરી શકે છે. માણસ બહિર્મુખ, વાતોડિયો અને રમૂજી હોય તો એના એકલપ્રવાસો ઓર ઇન્ટરેસ્ટિંગ બની જતા હોય છે. અલબત્ત, અંતર્મુખ અને શરમાળ પ્રકૃતિની વ્યકિત માટે પણ એકલપ્રવાસો ભરપૂર સંતોષકારક પૂરવાર થાય જ છે. શરત એટલી જ કે એનામાં નવું જાણવા-જોવાનો ઉત્સાહ અને ઉત્સુકતા હોવા જોઈએ.  



‘જોખમ? નો વે! જો તમે સાવચેત અને સતર્ક હો તો કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી,' યુવલ સમાપન ક્રે છે, ‘વિપશ્યનાની શિબિર પૂરી કર્યા પછી હું શું કરીશ અને ક્યાં જઈશ તે વિશે મને અત્યારે તો કશી જ ખબર નથી.   કદૃાચ નેપાળ જઈશ. મારે સાઉથ ઇન્ડિયા જોવું હતું, પણ ગરમીની સિઝન છે એટલે આ વખતે નહીં જાઉં. નેકસ્ટ ટાઈમ! ઇન્ડિયા બીજી વાર આવવા માટે કશુંક બાકી પણ રાખવું જોઈએને!'

0 0 0

Wednesday, May 18, 2016

ટેક ઓફ: સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ

Sandesh - Ardh Saptahik purti - 18 May 2016
ટેક ઓફ 
ગૌતમ બુ્દ્ધ વિશે બે ભ્રામક માન્યતાઓ દાયકાઓ-સદીઓ સુધી ફેલાયેલી રહી. એક તો એ કે બુદ્ધ દુખવાદી છે અને બીજી એ કે બુદ્ધ નાસ્તિક છે. જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે.  

ત્રણ દિવસ પછી, શનિવારે, બુદ્ધપૂર્ણિમા છે. આ નિમિત્તે ગૌતમ બુદ્ધ વિશે પ્રચલિત થયેલી ગેરમાન્યતા વિશે વાત કરવી છે. પહેલો ભ્રામક ખ્યાલ એવો છે કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ દુખવાદી છે. આવું આપણે ત્યાં સદીઓથી ક્હેવાતું આવ્યું છે. બીજો ખ્યાલ એવો છે કે બુદ્ધ નાસ્તિક હતા. વિખ્યાત વિપશ્યના આચાર્ય સત્યનારાયણ ગોયન્કાએ આ બન્ને બાબતોને કેન્દ્રમાં રાખીને બે અલાયદાં પુસ્તકે લખ્યાં છે -'કયા બુધ્ધ દુખવાદી થે?' અને 'કયા બુદ્ધ નાસ્તિક થે?' આ અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં એમણે આ બન્ને માન્યતાઓનું તર્કબદ્ધ રીતે ખંડન ર્ક્યું છે. સ્વ. સત્યનારાયણ ગોયન્કા એ વ્યકિત છે, જેમણે ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ચુકેલી બુદ્ધની વિપશ્યના વિદ્યા બર્મામાં એના શુદ્ધતમ સ્વરુપમાં શીખીને પહેલાં હિંદુસ્તાનમાં તેનું પુનઃ સ્થાપન ર્ક્યું અને ક્રમશઃ દુનિયાભરમાં પ્રચલિત કરી.
દુખવાદ એટલે જીવનમાં કેવળ દુખ જ દુખ છે, કયાંય સુખની આશાનું કિરણ સુદ્ધાં નથી એમ માનવું. ગોયન્કાજી ક્હે છે કે અજ્ઞાાનીઓએ અથવા પોતાનો મતલબ સિદ્ધ કરવા માગતા લોકોએ 'સર્વ દુખમ્ દુખમ્' આ ત્રણ શબ્દો ગૌતમ બુદ્ધના મોઢે મૂકી દઈને દાટ વાળ્યો છે. સેંક્ડો, હજારો વર્ષથી આ જુઠ ફરી ફરીને ક્હેવાતું રહૃાું અને બુદ્ધને અને તેમના ઉપદેશ પર લાંછન લગાડાતું રહૃાું. કેટલાક્ ઉચ્ચ ક્ક્ષાના ભારતીય વિદ્વાનો તેમજ પશ્ચિમના વિચારકો પણ આ મિથ્યા માન્યતાના શિકર બની ચુકયા છે. 'સત્યાર્થ પ્રકાશ' પુસ્તક્માં ખુદ દયાનંદ સરસ્વતીએ લખ્યું છે કે બુદ્ધની માન્યતા અનુસાર,  સર્વસ્ય સંસારસ્ય દુઃખાત્મક્ત્વં અર્થાત સમગ્ર સંસાર દુખમય છે. 'સત્યાર્થ પ્રકાશ'માં બુદ્ધના ઉપદેશના અન્ય દોષો વિશે પણ લખવામાં આવ્યું છે. ક્રાંતિકારી સમાજસુધારક દયાનંદ સરસ્વતી જેવી હસ્તી જ્યારે આવું ક્હે ત્યારે આમજનતામાં બુદ્ધ દુખવાદી હતા તેવી માન્યતા દઢ થવાની જ.
સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ લખ્યું છે કે, 'બુદ્ધ ને દુખવાદ કી પ્રબલ અતશિયોકિત કી હૈ... ચિંતન ક્ષેત્ર કે સમગ્ર ઈતિહાસ મેં માનવજીવન પર દુખ કી જિતની પ્રગાઢ કાલિમા બુદ્ધ ને થોપી હૈ, ઉતની ઔર ક્સિી ને નહીં થોપી. ઉન્હોંને દુખ કી કાલિમા કો અત્યંત અતિરંજિત કર કે દિખાયા હૈ...'
સત્યનારાયણ ગોયન્કાએ બુદ્ધની મૂળ વાણીનો ઊંડો અભ્યાસ ર્ક્યો અને બુદ્ધે સૂચવેલી વિપશ્યના વિદ્યાનો સઘન અનુભવ લીધો. ધીમે ધીમે તેમને સમજાતું ગયું કે બુદ્ધના ઉપદેશ પર સદીઓથી જે આરોપ લગાવવામાં આવે છે તે કેટલો આધારહીન છે. તેઓ લખે છે, 'બુદ્ધની મૂળ વાણીથી અપરિચિત રહેવાને કારણે તેના પર અવારનવાર આરોપ લાગતા રહૃાા. સમયની સાથે મિથ્યા ક્લંક્ની કાલિમાના લપેડા લાગતા જ રહ્યા. ક્રમશઃ આ કાલિમા એટલી ગાઢ બની ગઈ કે વાસ્તવિક્ સત્ય કયાંય અદશ્ય થઈ ગયું. હું નથી માનતો કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણે જાણીજોઈને આવું લખ્યું હોય, પણ બુદ્ધ પર લાગેલું મિથ્યા ક્લંક કેટલું પ્રગાઢ હતું તે તેમના વિધાન પરથી સ્પષ્ટ થઈ જાય છે. મને લાગે છે કે આનું કરણ એ છે કે બુદ્ધ વાણી આપણા દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી અને અન્યોએ ક્હેલી કે સૂચવેલી વાતોને જ સત્ય માની લેવામાં આવ્યું.'   
જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક્ દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે. બાકી જેમાં બુદ્ધનો ઓરિજિનલ ઉપદેશ સંગ્રહાયેલો છે એ પાલિ ભાષામાં લખાયેલા 'ધમ્મપદ' પુસ્તક્ના પ્રારંભમાં જ આ બે પદ આવે છે-
મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં.
મનસા ચે પ્રસન્નેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં સુખમન્વેતિ, છાયા વ અનપાયિની.
આનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યકિત મેલા ચિત્તથી શરીર કે વાણીનું ર્ક્મ કરે છે ત્યારે દુખ તેની પાછળ એવી રીતે પડી જાય છે જે રીતે બળદની પાછળ જોડાયેલી ગાડી. એ જ રીતે, જ્યારે કોઈ વ્યકિત નિર્મળ કે પ્રસન્ન ચિત્તથી શારીરિક અથવા વાચિક ર્ક્મ ક્રે છે ત્યારે એની પાછળ સુખ એવી રીતે પડી જાય છે જાણે કયારેય સાથ ન છોડતો પડછાયો. મન મેલું હોય ત્યારે દુર્ષ્ક્મ થવાનું અને એનું ફ્ળ પણ દુખદ આવવાનું. પ્રસન્ન ચિત્તથી થયેલું ર્ક્મ સર્ત્ક્મ હોવાનું ને એનું પરિણામ સુખદ આવવાનું. આમ, 'ધમ્મપદ'નાં ઊઘડતા પાને જ દુખ અને બન્નેની વાત આવે છે.

બુદ્ધ દુખની ચર્ચા કરતી વખતે તેનાં કારણો સમજાવે છે, તેનાં નિવારણની વાત કરે છે અને સુખની ચર્ચા કરતી વખતે સુખનાં કારણો પર પ્રકાશ પાડી તેના સંવર્ધનની વાત કરે છે. જો બુદ્ધે દુખની મીમાંસા કરીને દુખથી દૂર રહેવાનો ઉપદેશ આપવાને બદલે એમ કહ્યું હોત કે દુખ તો સર્વત્ર છે અને કાયમ રહેવાનું છે, એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવાનું વ્યર્થ છે તેથી દુખ દૂર ક્રવાની ઈચ્છા કે મહેનત કરવાનાં જ નહીં, તો બુદ્ધ જરુર દુખવાદી ગણાત, નિરાશાવાદી ગણાત. જો આમ હોત તો સમગ્ર માનવજાત માટે ગૌતમ બુદ્ધનો દુખદાયી ઉપદેશ નુકસાનકારક બની જાત. વાસ્તવિક્તા એ છે કે બુદ્ધે કયારેય એવું કહ્યું નથી કે દુખથી છુટકારો મેળવવાનું અશકય છે. બલકે, એમણે તો દુખમાંથી બહાર આવવા માટે વિપશ્યનાનો સો ટકા પ્રેકિટક્લ અને કોઈ પણ માણસ વ્યવહારમાં એપ્લાય કરી શકે તેવો માર્ગ ચીંધાડયો.
બુદ્ધે કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ જરા (બુઢાપો), વ્યાધિ (બીમારી), મૃત્યુ, પ્રિયજનનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિત વસ્તુ ન થવી - આ બધું દુખદાયક્ છે જ. વારે-વારે જન્મ લઈને મૃત્યુ પામતા રહેવાનું જે ચક્ર ચાલતું રહે છે તેને બુદ્ધે દુખનું મૂળ ગણાવ્યું. બૌદ્ધિઝમમાં પૂર્વજન્મોનાં સંસ્કારો અને જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટકારાને ખૂબ મહત્ત્વ અપાયું છે. પૂર્વજન્મની વાતો અને થિયરીઓ ઘણાને અપીલ કરતી નથી, પણ એને અવગણીને પણ બુદ્ધના બાકીના ઉપદેશને, સુખ-દુખમાં સતત સમતા રાખવાની વાતને અપનાવી શકાય છે. 
એક થિયરી એવી છે કે સિદ્ધાર્થ ગૌતમે તો સત્ય વિશેનું પોતાનું કુતૂહલ સંતોષવા માટે યા તો ખુદના ક્લ્યાણ માટે ઘરસંસારનો ત્યાગ કર્યો  હતો. આથી ક્ંઈ તેમનો ગૃહત્યાગ સાર્થક ન ગણાય. સચ્ચાઈ એ હતી કે ઓગણત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે જ્યારે બુઢાપો, બીમારી અને મૃત્યુની સચ્ચાઈ જોઈ ત્યારે ભવિષ્યમાં પોતાની દશા પણ આવી જ થવાની છે એવું ભાન થવાથી વ્યાકુળ નહોતા બન્યા. તેમના મનમાં જીવ માત્ર માટે કરુણઆ જાગી હતી. એમના મનમાં સવાલ જાગ્યો કે શું જન્મ લેનાર તમામ જીવોએ આ દુખોમાંથી પસાર થવું જ પડે? તેમાંથી છૂટકારો મેળવવાનો કેઈ ઉપાય નથી? સાથે સાથે તેમને એમ પણ થયું કે -
યથાપિ દુકખે વિજ્જન્તે, સુખં નામા'પિ વિજ્જતિ.
અર્થાત, જ્યાં આટલાં બધાં દુખોનું અસ્તિત્ત્વ છે ત્યાં પરમ સુખનું અસ્તિત્ત્વ પણ હોવાનું જ. જ્યાં વારંવાર જન્મ લેવાનું વિદ્યમાન છે ત્યાં વાંછિત અજન્માવસ્થા પણ વિદ્યમાન છે જ. પાપજન્ય પીડાથી ઘેરાયેલા લોકો માટે મુકિતનો કોઈક મંગલમય માર્ગ હોવાનો જ. બુદ્ધને એવો માર્ગ શોધવો હતો જે જન્મજન્માંતરના ચક્રમાંથી સદાને માટે મુકિત અપાવે.     
બુદ્ધ પર એક આક્ષેપ એવો છે કે એમણે પોતાની સુંદર યુવાન પત્ની, નવજાત શિશુ તેમજ વૃદ્ધ માતા-પિતાનો ત્યાગ ર્ક્યો તે ઉચિત નહોતું. આની સ્પષ્ટતા એ છે કે બુદ્ધ પોતાના પરિવારને સાંસારિક સુખો આપી શકે તેમ હતા જ, પણ એમણે તો પરિવારજનોને આ સુખ કરતાંય અનેક્ગણું વધારે ચડિયાતું એવું ભવમુકિતનું સુખ વિપશ્યનાના માર્ગે આપ્યું. 
બુદ્ધ વિશે બીજી ગેરમાન્યતા એ ફેલાઈ છે કે તેઓ નાસ્તિક્ હતા. ઈન ફેકટ, આજે પણ વિપશ્યનાની શિબિરના પ્રારંભે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે મેડિટેશન કરતી વખતે કોઈ ભગવાન, આકૃતિ, આકાર કે મંત્રનું સ્મરણ કરવાનું નથી, આ દસ દિવસ દરમિયાન કેઈ પૂજાપાઠ, જાપ કે ર્ક્મકાંડ કરવાના નથી. માદળિયાં, તાવીજ કે એવું ક્શુંય પહેર્યું હોય તો શરીર પરથી ઉતારી નાખવાનું છે. આથી ઘણા લોકેના મનમાં સંદેહ જાગતો હોય છે કે વિપશ્યનાના રંગે રંગાવાથી પોતે કયાંક્ જાણે-અજાણે નાસ્તિક તો નહીં બની જાયને.
નાસ્તિક એટલે? જે આત્મા અને પરમાત્માનું અસ્તિત્ત્વ સ્વીકારતો નથી એ. બુદ્ધવાદમાં આત્મા-પરમાત્માનો કોન્સેપ્ટ અપ્રસ્તુત છે. આથી સહેજે સવાલ થાય કે આત્મા અને પરમાત્માની આટલી સ્પષ્ટ સચ્ચાઈ ન સ્વીકારી શક્તા ગૌતમ બુદ્ધ ધાર્મિક્ કોવી રીતે હોઈ શકે?  જો આત્માનું અસ્તિત્ત્વ જ ન હોય તો વારંવાર કોનો પુનર્જન્મ થાય છે? જો કોઈ ઈશ્વરનું અસ્તિત્ત્વ જ ન હોય તો આવી વિસ્મયકારક સૃષ્ટિનું સર્જન કોણે ર્ક્યું? સીધો હિસાબ છે - આસ્તિક એટલે ધાર્મિક અને નાસ્તિક એટલે અધાર્મિક્, કુટિલ, ખલ, કામી.

સત્યનારાયણ ગોયન્કા લખે છે, 'વિપશ્યનાનો સ્પર્શ થયો નહોતો ત્યાં સુધી મારા મનમાંય જાતજાતની શંકા-કુશંકાઓ થયા કરતી હતી, પણ દસ દિવસની પહેલી શિબિરમાં જ મને સમજાઈ ગયું કે બુદ્ધના ઉપદેશમાં ભલે ઈશ્વરનો આધાર લેવાયો નથી, પણ આ વિદ્યા શીખનાર વ્યકિત નથી કુટિલ બનતી, નથી ખલ બનતી કે નથી કામી બનતી. બલકે એ તો સદાચારી બને છે, એનું મન સંતુલિત તેમજ શુદ્ધ થાય છે અને એ મૈત્રી તેમજ કરુણાની સદભાવનામાં તર-બ-તર રહે છે. જે વિદ્યા આટલી શુદ્ધ અને પાવન હોય તેમાં ઈશ્વરનો કોઈ આધાર નથી એમ ક્હીને કેવી રીતે અવગણી શકાય?'
ધીમે ધીમે સમજાતું ગયું કે જો શીલ, સમાધિ અને પ્રજ્ઞાાના અભ્યાસ દ્વારા મનોવિકારના બંધનમાંથી મુકિત મળતી હોય અને ચિત્ત નિર્મળ થતું હોય તો આત્માનું (જો તે હોય તો) ક્લ્યાણ જ થવાનું છે. ઘારો કે આત્મા જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ લઈને ફરવાનું? એ જ રીતે, ધારો કે આ બ્રહ્માંડનું સર્જન કરનાર કેઈ પરમપિતા પરમાત્મા હોય અને એણે સંસારના નૈસર્ગિક્ તેમજ નૈતિક્ નિયમોનું પણ નિર્માણ ર્ક્યું હોય તો એ પોતાના આ નિયમોનું પાલન કરનારા સાધક્થી પ્રસન્ન જ થવાનો છે.  ધારો કે ભગવાન જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ ઊંચકીને ફરવાનું?
આપણને ધર્મ અને પરંપરા વિશે વાંચ-વાંચ કરવાની અને ટીવી-વેબસાઈટ પર સાંભળ-સાંભળ કરવાની કે જો-જો કરવાની કુટેવ પડી ગઈ છે. આવું કરીને પછી આપણે સંતુષ્ટ થઈને બેસી જઈએ છીએ. આ ખોટું છે. 'સક્રિય અભ્યાસ ર્ક્યા વગર વાસ્તવિક્ લાભ કેવી રીતે મળશે?' સત્યનારાયણ ગોયન્કા સમાપન ક્રે છે, 'જો ધર્મજ્ઞાાનનો નક્કર અભ્યાસ કરીને તેને વ્યવહારમાં નહીં મૂકીએ તો આપણે કેવળ દાર્શનિક કે સાંપ્રદાયિક્ વિવાદોમાં જ ગૂંચવાયેલા રહીશું.'
આ જોખમસ્થાનથી આપણે સૌએ બચવા જેવું છે.
0 0 0 

Tuesday, March 8, 2016

ટેક ઓફઃ વ્યક્તિ નહીં, વિદ્યા મહત્ત્વની છે...

Sandesh - Ardh Saptahik Purti - 9 March 2016
ટેક ઓફ 
વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?


યા અઠવાડિયાની વાત આગળ વધારીએ. સહેજે સવાલ થાય કે ભ્રષ્ટ, બોગસ, સડી ગયેલું ક્રિમિનલ માનસ ધરાવતા, છીછરા, ગંદા, લોકોને ખોટી દિશામાં ધકેલતા, સમાજને અંદરથી ફોલી ખાતા સાધુ-બાબા જોરશોરથી પૂજાતા રહે છે, એમની તસવીરવાળાં કેલેન્ડરો ઘરોમાં ને ઓફિસોમાં લટકતાાં રહે છે, પણ વિપશ્યના જેવી કલ્યાણકારી, માણસને વધારે પ્રેમાળ-સહિષ્ણુ-કરુણામય બનાવતી શુભ અને અતિ પ્રાચીન વિદ્યાને પુનઃ ભારતમાં ને પછી આખી દુનિયામાં પ્રસ્થાપિત કરનાર, સત્યનારાયણ ગોએન્કાનું નામ કેમ ઘરે-ઘરે પહોંચ્યું નથી? કેમ અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા, મીડિયામાં એમનું નામ ચર્ચાયું નહીં? સરકારે એમને પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા હતા તે બરાબર છે, પણ વિપશ્યનાનાં સીમિત વર્તુળની બહાર કેમ એસ. એન. ગોએન્કાને એક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીનું સ્ટેટસ મળ્યું નહીં?
આનો ઉત્તર તમે વિપશ્યનાના ઈગતપુરી સ્થિત હેડક્વાર્ટરમાં કે ફોર ધેટ મેટર, વિપશ્યનાના કોઈપણ સેન્ટરમાં લટાર મારો, તો તરત મળી જાય છે. વિપશ્યનાનાં એકપણ કેન્દ્રમાં કયાંય એસ.એન. ગોએન્કાની ફૂલમાળા લગાડેલી તસવીર દેખાતી નથી. હવે ખુદ વિપશ્યનાનાં કેન્દ્રોમાં જ જો સંસ્થાપક ગોએન્કાજીની તસવીર મૂકાયેલી ન હોય, ત્યારે રસ્તા પરના હોર્ડિંગ્ઝ-બેનરોમાં કે છાપા-મેગેઝિનોની જાહેરખબરોમાં ગોએન્કાજી કયાંથી દેખાવાના.
- અને આ જ વિપશ્યનાની તાકાત છે. વ્યક્તિ નહીં, પણ વિદ્યા મહત્ત્વની છે. વ્યક્તિપૂજા નહીં, પણ નિર્ભેળ સાધના કરવાની છે. પોતાનાં વિશે ઢોલનગારાં વગાડવાની વિપશ્યનાની તાસીર જ નથી. વિપશ્યના કેન્દ્ર કંઈ ફેન્સિ સ્પિરિચ્યુઅલ રિસોર્ટ નથી કે જ્યાં પૈસા વસૂલ કરીને તમને પરમાત્મા તરફ લઈ જવાનો શોર્ટકટ દેખાડવામાં આવતો હોય. પૈસા નહીં, પબ્લિસિટી નહીં,કમર્શિયલાઈઝેશનનું નામોનિશાન નહીં. ગોએન્કાજી અને તેમના કાબેલ સાથીઓ શી રીતે વિપશ્યનાની ગતિવિધિઓને શુદ્ધ રાખી શકયા? શું છે ગોએન્કાજીની કહાણી?
સત્યનારાયણ ગોએન્કાનો જન્મ ૧૯૨૪ની સાલમાં, પેઢીઓથી બર્મામાં સ્થાયી થયેલા અને ચુસ્ત સનાનત હિન્દુ ધર્મ પાળતા પરિવારમાં થયો હતો. ગોએન્કાજીને પાંચ બહેનો અને ચાર ભાઈઓ, પણ દાદાજી સાથે સૌથી વધારે ફાવે. દાદાજી દોહા બહુ સરસ ગાતા. અસંખ્ય દોહા એમને કંઠસ્થ હતા. દાદાજીના આ દોહાનો સત્યનારાયણ પર ઊંડો પ્રભાવ પડયો. ગોએન્કાજીને નાનપણથી જ માઈગ્રેન એટલે કે માથાના તીવ્ર દુઃખાવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. વર્ષમાં કમસે કમ બે વાર માઈગ્રેનનો એટેક આવે જ. માં એમનું માથું ખોળામાં લઈને પ્રેમથી સહલાવ્યા કરે એટલે ધીમે ધીમે એમનું દરદ ઓછું થવા માંડે.
તીક્ષ્ણ બુદ્ધિમત્તા ધરાવતા તેજસ્વી ગોએન્કાજી અઢાર વર્ષની ઉંમરે પરણી ગયા. પરિવારના બિઝનેસમાં ખૂબ જમાવટ કરી. ખૂબ ધન કમાયા. ઉપરવાળાએ એમનામાં લીડરશીપ ક્વોલિટી ઠાંસી ઠાંસીને ભરી હતી એટલે ધીમે ધીમે બર્મામાં વસતા ભારતીયોના આગેવાન તરીકે ઊપસતો ગયા. ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે એવી કોઈપણ પ્રવૃત્તિ હોય, હંમેશાં સત્યનારાયણ ગોેએન્કાને આગળ કરવામાં આવે. નેતાગીરીને કારણે એમનો અહં ફુલાઈને ગુબ્બારો બનવા લાગ્યો હતો. સમયની સાથે સ્વભાવ વધારે ક્રોધી બનતો જતો હતો. એમને ભાષણો દેતા સારાં આવડે એટલે કેટલીય સભાઓમાં 'મન પર શી રીતે અંકુશ રાખવો' ને 'મોહ-માયા-વાસના-આસક્તિથી શી રીતે મુકત થવું' વગેરે જેવા સુષ્ઠુ સુષ્ઠુ વિષયો પર ડાહી ડાહી વાતો કરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાંખે, પણ ભીતરથી બરાબર જાણે કે, પોતે આ જે કંઈ બોલ્યા છે એમાંનું કશું જ વ્યવહારમાં ઉતારી શકતા નથી.
એમની માઈગ્રેનની બીમારી ગંભીર બનતી જતી હતી. દુઃખાવામાં રાહત મળે તે માટે ડોક્ટરો એમને મોર્ફિન આપતા, પણ ડોક્ટરોને પછી ચિંતા એ વાતની પેસી કે ગોએન્કાજીને માથું તો મટતાં મટશે, પણ આ રીતે મોર્ફિન આપતાં રહેવાથી એમને મોર્ફિનનું હાનિકારક બંધાણ થઈ જશે. ગોએન્કાજી ચિક્કાર નાણાં ખર્ચીને યુરોપ-અમેરિકાના ડોક્ટરો પાસે પણ જઈ આવ્યા, પણ માઈગ્રેનથી છૂટકારો ન થયો તો તે ન જ થયો.
નિરાશ થઈને બર્મા પાછા ફરેલા ગોએન્કાજીને કોઈ મિત્રે સલાહ આપી કે, તું વિપશ્યનાનો કોર્સ કરી જો, કદાચ કંઈ ફર્ક પડે. ગોએન્કાજીએ ના પાડી દીધી. નાનપણથી જ શીખવવામાં આવ્યંુ હતું કે, જીવ છોડવો પડે એમ હોય તો છોડી દેવો, પણ પારકો ધરમ કયારેય ન અપનાવવો. એમને એમ કે વિપશ્યના તો ગૌતમ બુદ્ધની વિદ્યા સાથે મારા જેવા પાક્કા હિંદુને શું લાગેવળગે?
Sayagyi U Ba Khin (1899-1971)

પણ કહે છે કે, 'મરતા કયા નહીં કરતા'. માઈગ્રેનની તકલીફ એટલી વધી ગઈ હતી કે, એમણે આ ઉપાય પણ અજમાવી જોવાનો કમને નિર્ણય કર્યો. ૧૯૫૫માં, ૩૧ વર્ષની ઉંમરે, તેઓ પહેલી વાર વિપશ્યના ગુરુ સયાગી ઉ બા ખિનને મળ્યા. વિપશ્યના ભારતની અતિ પ્રાચીન વિદ્યા છે, જે અઢી હજાર વર્ષ પૂર્વે દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ હતી. સદ્ભાગ્યે એકમાત્ર બર્મામાં તે ગુરુ-શિષ્ય પરંપરાથી બિલકુલ શુદ્ધ સ્વરૂપમાં જળવાઈ રહેલી. વિપશ્યના એટલે સાક્ષીભાવ તેમજ સમતાભાવ કેળવીને, શ્વાસને માધ્યમ બનાવીને મનનું શુદ્ધિકરણ કરવાની વિદ્યા. ઉ બા ખિને ચોખ્ખું કહી દીધંુ કે,વિપશ્યના તો બહુ ઊંચો આધ્યાત્મિક માર્ગ છે. તેના પર ચાલવાની તૈયારી હોય તો જ આવજે, માઈગ્રેનના ઈલાજ માટે અહીં આવવાની કોઈ જરૂર નથી. ગોએન્કાજીના ગળે વાત ઊતરી ગઈ.
તેમણે દસ દિવસનો કોર્સ કર્યો. પછી ઘરે રોજ સવાર-સાંજ એક-એક કલાક વિપશ્યના કરવા લાગ્યા. વિપશ્યનાએ એમનું જીવન પલટી નાંખ્યું. ચમત્કાર થયો હોય તેમ માઈગે્રનની બીમારી ગાયબ થઈ ગઈ. ક્રોધ શાંત થવા લાગ્યો. ફુલાઈને ફુગ્ગો થઈ ગયેલા મિથ્યા અહંકારમાંથી હવા નીકળવા માંડી. સ્વભાવમાં એટલું બધું પરિવર્તન આવ્યું કે, એમના પરિવારના સભ્યો અને સાથીઓને સાનંદાશ્ચર્ય થવા માંડયું. ગોએન્કાજીએ પછી પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ ૧૪ વર્ષ દરમિયાન વિપશ્યનાના કેટલાય કોર્સ કર્યા. ગૌતમ બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા હતા તેથી પાલી ભાષા પણ શીખ્યા.
ઉ બા ખિન દઢપણે માનતા હતા કે, વિપશ્યના તો ભારતે બર્માને આપેલી અમૂલ્ય ભેટ છે, એટલે આ ઋણ બર્માએ ઉતારવું જ જોઈએ. તેઓ એમ પણ માનતા હતા કે, બુદ્ધના મૃત્યુનાં ૨૫૦૦ વર્ષ પછી ભારતમાં બૌદ્ધજ્ઞાાનનો પુનઃ ઉદય થઈને જ રહેશે. દરમિયાન એક ઘટના બની. ગોએન્કાજીનાં માતાપિતા થોડાં વર્ષો પહેલાં મુંબઈ આવી ચુકયાં હતાં. માતાજીની તબિયત નાદુરસ્ત હતી. એટલે ગોએન્કાજી એમને મળવા ભારત જવાનું આયોજન કરી રહૃાા હતા. ઉ બા ખિને ગોએન્કાજીને બોલાવીને કહૃાંુ: ભારતના ઉપકારનો બદલો ચુકવવાનો સમય આવી ગયો છે. તારે વિપશ્યના વિદ્યાને પાછી ભારત લઈ જવાની છે. તું એકલો નથી. ધમ્મ (ધર્મ)ના સ્વરૂપમાં હું પણ તારી સાથે ભારત આવી રહૃાો છું. ગુરુએ ગોએન્કાજીને વિધિવત્ આચાર્યની પદવી આપી.
જોકે, મુંબઈ આવ્યા બાદ ગોએન્કાજીના ઉચાટનો પાર નહોતોઃ હું કેવી રીતે વિપશ્યનાની શિબિર ગોઠવીશ? કેવી રીતે ગોઠવીશ? એમાં કોણ આવશે? કોઈને શું કામ એમાં રસ પડે? આખરે એક મિત્રની મદદથી દિવસ અને સ્થળ નક્કી થયાં. ગોએન્કાજીનાં માતા-પિતા સહિત ૧૪ માણસો શિબિરમાં જોડાયાં. આમ, જૂન, ૧૯૬૯માં ભારતમાં સૌથી પહેલી વિપશ્યનાની શિબિર યોજાઈ ને સફળતાપૂર્વક પૂરી થઈ.
ગોએન્કાજી તો બે-ત્રણ મહિનામાં પાછા બર્મા ચાલ્યા જવા માગતા હતા, પણ શિબિરમાં ભાગ લઈ ચૂકેલા અમુક દોસ્તારો અને સગાં-સંબંધીઓએ આગ્રહ કર્યો કે, જતાં પહેલાં પ્લીઝ એક વધુ શિબિર ગોઠવો. આ રીતે એકમાંથી બીજી શિબિર, બીજીમાંથી ત્રીજી શિબિર, ત્રીજીમાંથી ચોથી શિબિર.... વર્ડ-ઓફ-માઉથથી ખ્યાતિ ફેલાતી ગઈ. બહારગામથી આમંત્રણો મળવાં લાગ્યાં. સ્કૂલો અને કોલેજોમાં, લાઈબ્રેરીઓમાં, હોટલો અને ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગોમાં, ધનિક લોકોના વિશાળ ઘરોમાં, ખુલ્લા મેદાનોમાં, હેલ્થ સેન્ટરોમાં, હોસ્ટેલ અને હોલિડે કેમ્પોમાં, પોલીસ એકેડેમી અને જેલમાં, શાહી મહેલોમાં, ખંડિયર જેવી જગ્યાઓમાં દસ-દસ દિવસની શિબિરો ગોઠવાવાં લાગી. ટોચના રાજકારણીઓ અને સુપર સેલિબ્રિટીઓથી માંડીને ગરીબ ખેડૂત તેમજ મહેનતકશ રિક્ષાચાલક સુધીની દરેક વર્ગની વ્યક્તિઓ, તમામ ધર્મના લોકો તેમાં ભાગ લેવા લાગ્યા અને વિપશ્યનાવિદ્યાનો લાભ ઉઠાવવા લાગ્યા. ગોએન્કાજીએ બર્મા પાછા જવાનું માંડી વાળીને નક્કી કર્યુ કે, બસ, વિપશ્યનાનો પ્રસાર-પ્રચાર જ મારું જીવનકર્મ છે... અને આ જ મારી ગુરુદક્ષિણા છે!
દેશમાં વિપશ્યનાનો પાયો મજબૂત કરવા માટે, ૧૯૭૩માં મુંબઈ અને નાસિક વચ્ચે રળિયામણાં ઈગતપુરી શહેરમાં રેલવેલાઈન નજીક પહાડી પર વિપશ્યનાનું પહેલંુ સેન્ટર સ્થાપવામાં આવ્યું. ૧૦૭ એકરમાં વિસ્તરેલું આ ખૂબસૂરત કેન્દ્ર આજે વિપશ્યનાનું હેડ ક્વાર્ટર છે. તમે વિપશ્યનાના કોઈ પણ કેન્દ્રમાં દસ દિવસનો કોર્સ કરશો, ત્યારે રોજ સાંજે સવા-દોઢ કલાક ગોએન્કાજીના મુગ્ધ કરી દેતાં વિદ્વત્તાપૂર્ણ વીડિયો પ્રવચન સાંભળવા મળશે. તમને સમજાશે કે, આ માણસ કેટલો ગજબનો વક્તા છે. એમનું અંગ્રેજી પણ હિન્દી જેટલું જ પ્રવાહી અને પ્રભાવશાળી છે. ૧૯૭૦ના દાયકામાં પશ્ચિમના વિદેશીઓએ વિપશ્યનાનું કોર્સ કરવાનું શરૂ કર્યું હતું. આમાંના મોટા ભાગના હિપ્પીઓ હતા, જે અધ્યાત્મ માર્ગની ખોજ કરવા ભારત આવતા હતા. વિદેશીઓના લાભાર્થે ગોએન્કાજીએ હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં કોર્સ આપવાનું શરૂ કરેલું.
આજે ગુજરાતમાં ધોળકા, માંડવી(કચ્છ), વડોદરા, રાજકોટ, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી અને પાલિતાણા તેમજ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત દેશ-દુનિયામાં ૧૬૦ કરતાં વધારે વિપશ્યનાનાં કેન્દ્રો સક્રિય છે.
આ ૪૭ વર્ષમાં અસંખ્ય લોકો વિપશ્યનાની સાધનાનો લાભ ઉઠાવીને જીવનને વધુ સુખમય બનાવી ચૂકયા છે. છેક ઉત્તર યુરોપમાં પોલેન્ડ નજીક લિથુએનિયા જેવા, આપણે જેનું નામ પણ સાંભળ્યું ન હોય એવા ત્રીસ લાખની વસતી ધરાવતા ટચુકડા દેશમાં, કે અંગ્રેજી જેની મુખ્ય ભાષા પણ નથી, ત્યાં વર્ષમાં બે વખત વિપશ્યનાના કોર્સ થાય છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓપન થતાંની સાથે બે-ત્રણ દિવસમાં જ બધી સીટ ભરાઈ જાય છે! સયાગી ઉ બા ખિનની ભવિષ્યવાણી સાચી પડી છે. ગૌતમ બુદ્ધના મૃત્યુના ૨૫૦૦ વર્ષ બાદ ભારતમાં પુનઃ બૌદ્ધ શિક્ષણનો નક્કર ઉદય થયો ને પછી આખા વિશ્વમાં ફેલાયો છે. આ ગંજાવર કામ કરનાર સત્યનારાયણ ગોએન્કા ૨૦૧૩માં ૮૯ વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન પામ્યા.
અલબત્ત, આજની તારીખેય બહુમતી લોકોને વિપશ્યના શું છે એની કશી જાણકારી નથી. વિપશ્યનાએ જીદપૂર્વક પોતાની શુદ્ધતા અને સાત્ત્વિકતા જાળવી રાખી છે. સમય જતાં તેમાં ભેળસેળ થવા લાગે તેવું જોખમ છે જ, પણ સાધકો અને આયોજકોની નિષ્ઠા અકબંધ રહેશે, ત્યાં સુધી આ પવિત્ર અને કલ્યાણકારી વિદ્યાને 'ઊની આંચ પણ આવવાની નથી' એ તો નક્કી.
0 0 0 

Wednesday, March 2, 2016

ટેક ઓફ: વિપશ્યનામાં એવું તે શું છે?

Sandesh - Ardh Saptahik Purti - 2 March 2016
ટેક ઓફ
માણસે ક્રોધ ન કરવો જોઈએ. બરાબર છે. માણસે નફરત અને ઘૃણા જેવી નેગેટિવ લાગણીઓથી દૂર રહેવું જોઈએ. સાચી વાત. માણસે અતિ મોહ અને આસક્તિથી પણ બચવું જોઈએ. કરેકટ છે. માણસે સફળતા મળે તો છકી ન જવું ને નિષ્ફળતા મળે તો હતાશ ન થવું. બિલકુલ સહી. માણસે દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી જોઈએ અને...અરે હા ભાઈ હા. નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ સો મણનો સવાલ આ છેઃ કેવી રીતે? આ 'કેવી રીતે'નો અસરકારક જવાબ વિપશ્યના પાસે છે.



'વિપશ્યનાની સાધના એટલી બધી સૂક્ષ્મ અને નાજુક છે કે એના વિશે જેટલી ઓછી વાત કરશો, એટલો વધારે ફાયદો થશે.'

સયાબી ઉ બા ખિનનું આ અવતરણ છે. કોણ છે આ સયાબી ઉ બા ખિન? જવાબ છે, તેઓ વિપશ્યના વિદ્યાના બહુ મોટા ગુરુ હતા જે બર્મામાં થઈ ગયા. બીજો સવાલઃ શું છે આ વિપશ્યના? પ્રિન્ટ મીડિયા કે ટીવી પર કયારેય એની એડ્સ છપાતી નથી કે પ્રાયોજિત કાર્યક્રમો ટેલિકાસ્ટ થતા નથી. જેના પર ભયંકર ક્રિમિનલ આરોપો હેઠળ કાનૂની કારવાઈ ચાલી રહી હોય તેવા સાધુબાબાનો જન્મદિવસ આવે તોપણ એની તસવીરવાળાં તોતિંગ હોર્ડિંગ્સ રસ્તાઓ પર લાગી જાય છે, જ્યારે વિપશ્યનાનું નાનું અમથું પોસ્ટર પણ કયારેય કયાંય જોવા મળતું નથી. યોગ અને મેડિટેશન કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે, પણ વિપશ્યનાવાળા કયારેય ઢોલનગારાં વગાડતાં નથી. શા માટે વિપશ્યના વિદ્યા એટલી હદે લૉ પ્રોફાઈલ છે કે બહુમતી લોકોને એના અસ્તિત્ત્વની જ ખબર નથી? તે નિઃશુલ્ક છે અને તેે શીખવા માટે એક રૂપિયો પણ ચાર્જ કરવામાં આવતો નથી, એટલે? જે ફ્રીમાં અવેલેબલ હોય તેની લોકોને મન ઝાઝી કિંમત હોતી નથી?
સયાબી ઉ બા ખિને ભલે કહૃાું કે, વિપશ્યના વિશે બને એટલું ઓછું બોલવું, પણ આજે એના વિશે વિગતે વાત કરવી છે. ફરી એ જ સવાલઃ શું છે આ વિપશ્યના?
                                              0 0 0
માણસે ક્રોધ ન કરવો જોઈએ. બરાબર છે. માણસે નફરત અને ઘૃણા જેવી નેગેટિવ લાગણીઓથી દૂર રહેવું જોઈએ. સાચી વાત. માણસે અતિ મોહ અને આસક્તિથી પણ બચવું જોઈએ. કરેકટ છે. માણસે સફળતા મળે તો છકી ન જવું ને નિષ્ફળતા મળે તો હતાશ ન થવું. બિલકુલ સહી. માણસે દરેક પરિસ્થિતિમાં સમતા રાખવી જોઈએ અને...
અરે હા ભાઈ હા. નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ સો મણનો સવાલ આ છેઃ કેવી રીતે? શરીરમાં એવી કોઈ સ્વિચ થોડી છે કે, પટ્ કરતી ઓફ કરી નાંખીએ એટલે ગુસ્સો આવતો બંધ થઈ જાય? બીજી સ્વિચ ઓફ કરી એટલે નફરત અને ઘૃણા માટે મનના દરવાજા બંધ થઈ જાય? આ ડાહી ડાહી વાતો સૌ જાણે છે, પણ આ બધું એક્ઝેક્ટલી અમલમાં કેવી રીતે મૂકવું એ તો કોઈ કહો!


આ 'કેવી રીતે'નો અસરકારક જવાબ વિપશ્યના પાસે છે. વિપશ્યના એટલે પોતાની જાતને વિશેષ રીતે જોવી, સાક્ષીભાવે જોવી. સંસ્કૃતમાં પશ્યન્તિ એટલે જોવું. ગૌતમ બુદ્ધે પ્રચલિત કરેલી આ અતિ પ્રાચીન વિદ્યા બે-અઢી હજાર વર્ષ પહેલાં ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી. સદ્ભાગ્યે આપણા પાડોશી દેશ બર્મામાં ગુરુ-શિષ્ય પરંપરા રૂપે તે શુદ્ધતમ સ્વરૂપમાં જળવાઈ રહી હતી. ફકત સુડતાલીસ વર્ષ પહેલાં બર્માથી આ વિદ્યા પાછી ભારત આવી છે.
વિપશ્યના ચિત્તના શુદ્ધિકરણની વિદ્યા છે. શરીર પરનો મેલ તો આપણે રોજ નાહીને સાફ કરી નાંખીએ છીએ, પણ મન પર વર્ષોથી સતત, એકધારા મેલના થપેડા જામતા જાય છે એનું શું? બાળપણમાં આપણી સાથે કશુંક એવું બન્યું હોય જેની મનમાં ગ્રંથિ બંધાઈ જાય ને આખી જિંદગી પીડા આપ્યા કરે. જિંદગીમાં કેટલીય ચડ-ઊતર થાય ને આપણે સુખ અને દુઃખ વચ્ચે ફંગોળાતા રહીએ. કોઈની સાથે સંબંધ બગડે એટલે મન ડહોળાઈ જાય. કોઈની સાથે ઝઘડો થાય ને આપણે ઊકળી ઊઠીએ. પ્રત્યેક નેગેટિવ વિચાર મનના પડદા પર કાળું ધાબું છોડી જતો હોય છે. જો આ સઘળો કચરો દૂર ન થાય અને મનમાં ગાંઠો પર ગાંઠો પડતી જ જાય તો પ્રસન્નતા હણાતી જાય, જિંદગીની ગુણવત્તા ઉત્તરોત્તર કથળતી જાય. વિપશ્યના મનને વાળીચોળીને સાફ કરવાનું અને એમાં પડી ગયેલી ગાંઠોને ખોલીને દૂર કરવાનું કામ કરે છે.
આ કંઈ કોઈ મંત્રતંત્રની કે સેલ્ફ-હિપ્નોટિઝમની વિદ્યા નથી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ,યહૂદી જેવા અન્યધર્મીઓને આડકતરી રીતે બૌદ્ધ ધર્મમાં વટલાવી નાંખવાનો અહીં કોઈ એજન્ડા નથી. આ તો શુદ્ધ ધર્મ શીખવતી સાધના છે. શું છે શુદ્ધ ધર્મ? સદાચાર અને સમતાભર્યું જીવન જીવવું, મનમાં વિકારો પેદા થતા અટકાવવા અને મનનું શુદ્ધિકરણ કરવું. વિપશ્યના મનને વશમાં રાખતા શીખવે છે. તે પણ માત્ર થિયરી કે ઉપદેશબાજીથી નહીં, પણ પાક્કા પ્રેકિટકલથી, અનુભૂતિના સ્તરે. વિપશ્યનાની બેઝિક શિબિર દસ દિવસ ચાલે છે. એક્ઝેક્ટલી શું કરાવવામાં આવે છે આ દસ દિવસોમાં?
                                               0 0 0  

મદાવાદ પાસે ધોળકા, વડોદરા, રાજકોટ, માંડવી, મહેસાણા, સુરેન્દ્રનગર અને નવસારી - ગુજરાતમાં આ સાત પૈકીની કોઈ પણ જગ્યાએ તમે વિપશ્યનાની શિબિર કરી શકો છો. મુંબઈગરાઓ માટે માત્ર અઢી-ત્રણ કલાકના અંતરે આવેલું ઈગતપુરી શ્રેષ્ઠ વિકલ્પ છે, કેમ કે અહીં વિપશ્યનાનું હેડ ક્વાર્ટર છે. આ સઘળી વિગતો http://www.dhamma.org પર અવેલેબલ છે. વિપશ્યનાની શિબિરમાં તમે એડમિશન લો એટલે દસ દિવસ માટે બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાઈ જાઓ.

A pagoda at Vipassana International Academy, Igatpuri
તમારો મોબાઈલ ફોન મુખ્ય ઓફિસમાં જમા કરાવી દેવો પડે. આ દસ દિવસ માટે તમારી પાસે ફોન, ટીવી, છાપાં, ઈન્ટરનેટ કશું જ નથી. પાસે પુસ્તક, લેપટોપ કે લખવા માટે ડાયરી-પેન પણ નહીં રાખવાનાં. શિબિરના દસ દિવસ દરમિયાન તમારે સતત આર્યમૌન પાળવાનું છે. મૌન નહીં, પણ આર્યમૌન. કોઈ તમારી સામે સ્માઈલ કરે એટલે તમે સામું સ્મિત કરો, કોઈ તમારી સામે ગુસ્સાથી જુએ ને તમને અકળામણ થાય - આ એક પ્રકારનું કમ્યુનિકેશન જ છે. વિપશ્યનાની દસ દિવસની શિબિરમાં તમારે આ રીતે હાવભાવ કે ઈશારાથી પણ કમ્યુનિકેશન પણ કરવાનું નથી. કોઈની આંખોમાં આંખ મિલાવવાની નથી. આખા કેમ્પસમાં તમે સાવ એકલા હો તે રીતે વર્તવાનું છે.
દસ દિવસ મૌન પાળવાની વાત સાંભળીને જ ગભરામણ થતી હોય તો સાંભળી લો કે, આર્યમૌન વિપશ્યનાનું કદાચ સૌથી સરળ પાસું છે. અઘરી વાત તો હવે આવે છે. સવારે ચાર વાગ્યે તમે ઊઠી જાઓ છે. તે પછી આખા દિવસનું શિડયુલ કંઈક આ પ્રકારે હોવાનું: સવારે સાડાચારથી સાડાછ - સાધના. સાડા છ થી આઠ - બ્રેકફાસ્ટ અને વિરામ. આઠથી અગિયાર - સાધના. અગિયારથી બપોરના એક - લન્ચ અને વિરામ. એકથી પાંચ - સાધના. પાંચથી છ - સાંજનો નાસ્તો અને બ્રેક. છથી સવાસાત - સાધના. સવાસાતથી સાડાઆઠ - વીડિયો પ્રવચન. સાડાઆઠથી નવ - સાધના. બસ, પછી વિશ્રામ. સૂઈ જવાનું. મતલબ કે તમે દિવસની દસ કલાક કરતાં વધારે સમય આરામદાયક ગાદી પર પલાંઠી વાળીને સાધના કરવા પાછળ ફાળવો છો.
ગભરાવાની જરૂર નથી. દર વર્ષે અસંખ્ય લોકો સફળતાપૂર્વક વિપશ્યના શિબિર પૂરી કરે છે. અઢાર-વીસ વર્ષના યંગસ્ટર્સથી લઈને સિત્તેર વર્ષ વટાવી ચૂકેલા સિનિયર સિટિઝનો, ડોક્ટરો, એમબીએ સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ, પાંચસો-હજાર માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના ટોપ એકિઝકયુટિવ્ઝ, ટોચના સેલિબ્રિટીઓ, ગૃહિણીઓ, ગામડાગામમાં વસતા સાવ સાદા ખેડૂતો - ટૂંકમાં,સમાજના તમામ તબક્કાના લોકો વિપશ્યના કરવા આવે છે, એકસમાન નિયમોનું પાલન કરે છે અને આ અદભુત વિદ્યાનો લાભ ઉઠાવે છે.

A single seated residential quarter - a room with attached washroom - at Igatpuri

વિપશ્યનાની ટેક્નિક આમ તો સાદી છે. મનનું 'ઓપરેશન' કરતી આ સાધનાનું મુખ્ય માધ્યમ શ્વાસ છે. શરૂઆતના ત્રણ-સાડાત્રણ દિવસ તમે ફક્ત તમારા શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરો છો. આનાપાન તરીકે ઓળખાતી આ વિધિ મનને એકાગ્ર અને સૂક્ષ્મ બનાવતું જાય છે. ત્યાર બાદ વિપશ્યનાની ખરેખરી સાધના શરૂ થાય છે. અતિ બારીક થઈ ચૂકેલા મનને તાળવાથી પગની પાની સુધી પસાર કરવું અને પ્રત્યેક અંગમાં થઈ રહેલાં સૂક્ષ્મ અને સ્થૂળ સંવેદનોનું તટસ્થભાવે નિરીક્ષણ કરવું. સંભવતઃ એક તબક્કો એવો આવી જાય છે કે, જાણે આખા શરીર પર વીજળીના ઝીણા ઝીણા પરપોટા ફૂટી રહૃાા હોય એવી સુખદ અનુભૂતિ થવા લાગે. વચ્ચે વચ્ચે સ્થૂળ અથવા દુઃખદ સંવેદના પણ જાગે અથવા કોઈ પણ પ્રકારની સંવેદના જ પેદા ન થાય એવુંય બને. આ ત્રણેય પ્રકારની સ્થિતિમાં મનને સમતાભાવમાં સ્થિર રાખવાનું છે અને સાક્ષીભાવે આ સંવેદનો કે તેની ગેરહાજરીને કેવળ જોવાનાં છે. આ જ છે મનનું શુદ્ધિકરણ. મનમાં જામી ગયેલો મેલ કે ગાંઠો આ સંવેદના સ્વરૂપે સપાટી પર આવે છે. તમે એને સમતાથી નિહાળીને કશી જ પ્રતિક્રિયા કર્યા વગર આગળ વધી જાઓ (એટલે કે બીજા અંગ પર ફોકસ કરો) એટલે આ ગાંઠો દૂર થતી જાય. મનનો બોજ ક્રમશઃ હળવો થતો જાય.
વિપશ્યનાની દસ દિવસની શિબિર જીવનની એક ડિફાઈનિંગ મોમેન્ટ અથવા અગત્યનો વળાંક બની શકે એટલી હદે પરિણામકારક પુરવાર થઈ શકે છે. સાપની જેમ તમેય જાણે જૂની કાંચળી ઉતારી નાખી હોય અને જીવનનું એક નવું, પ્રસન્ન પ્રકરણ શરૂ થઈ રહૃાું હોય એવી નક્કર અનુભૂતિ થઈ શકે છે. અલબત્ત, આ કંઈ જાદુ નથી કે, એક શિબિર કરવાથી જિંદગી પલટી જાય, બહેતર બની જાય. આ એક ઓન-ગોઈંગ પ્રોસેસ છે. શિબિર પૂરી થયા બાદ અને સ્વેચ્છાએ સારી એવી રકમનું દાન કર્યાં પછી પણ ઘરે આવીને રોજ નિયમિતપણે વિપશ્યનાનો રિયાઝ કરતા રહેવાનો છે. આવું બને તો જ પેલું નાવિન્ય અને પ્રસન્નતા જળવાઈ રહે. નહીં તો ધીમે ધીમે તમે પાછા હતા એવા ક્રોધી કે ફ્રસ્ટ્રેટેડ કે ઉદાસ બની જાઓ. સાંસારિક જીવનના બિઝી શિડયુલ વચ્ચે નિષ્ઠાપૂર્વક અને નિયમિતપણે વિપશ્યનાની સાધના કરવી - વિપશ્યનાનાનું આ સંભવતઃ સૌથી કઠિન પાસું છે.
વિપશ્યનાનું અંતિમ લક્ષ્ય તો જો કે મોક્ષ છે, પણ તમને પૂર્વ જન્મોમાં કે હવે પછીનાં જન્મોની વાતોમાં રસ પડતો ન હોય તોય કશો વાંધો નથી. એને એક બાજુ મૂકી દો. વિપશ્યના તમારા વર્તમાન જીવનને વધારે સુંદર બનાવેે છે, તમને વધારે કાર્યક્ષમ બનાવેે છે અને સતત જાગ્રત રહેતા શીખવે છે તે પણ કેટલી મોટી વાત છે. જીવનમાં આપણે ઘણીવાર સંબંધોમાં, કરિઅરમાં કે સામાજિક સ્તરે અટકી પડતા હોઈએ છીએ. ખૂબ પ્રયત્નો પછી પણ પીડાદાયી સ્થિતિમાંથી બહાર આવી શકતા ન હોઈએ ત્યારે આપણને થાય કે કોઈ આપણને બહારથી સહેજ ધક્કો મારે તો કેવું સારું. વિપશ્યના આ એકસટર્નલ (રાધર, ઈન્ટર્નલ) પુશની ગરજ સારે છે.
ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયેલી વિપશ્યનાની વિદ્યાને સુડતાલીસ વર્ષ પહેલાં સત્યનારાયણ ગોએન્કા બર્માથી પાછા ભારત લાવ્યા. આજે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત દુનિયાભરમાં વિપશ્યનાના ૧૩૪ કેન્દ્રો સક્રિય છે. આટલું ગંજાવર કામ કરનાર સ્વ. સત્યનારાયણ ગોએન્કાને કેમ કયારેય 'સેલિબ્રિટી સ્ટેટસ' મળ્યું નહીં? કેમ 'પાવર લિસ્ટ' કે 'મોસ્ટ ઈન્ફલ્યુએન્શિયલ પીપલ'ની સૂચિ તૈયાર કરતી વખતે મીડિયાવાળાઓને કયારેય એમનું નામ યાદ ન આવ્યું? શું છે આ પ્રભાવશાળી વિપશ્યના આચાર્યની કથા? આવતા બુધવારે.

0 0 0 

પૂરક માહિતીઃ 

વિપશ્યના વિશેના સંદેશમાં છપાયેલા મારા બે લેખો વાંચીને ઘણા વાચકો-ફેસબુક દોસ્તોએ ગુજરાત તેમજ મુંબઈનાં વિપશ્યના કેન્દ્રો વિશે પૃચ્છા કરી છે. 

દુનિયાભરમાં ફેલાયેલા વિપશ્યનાનાં કેન્દ્રો સહિતની તમામ માહિતી તેમજ દસ દિવસના તેમજ અન્ય કોર્સના ફ્રી રજિસ્ટ્રેશન માટે www.dhamma.org પર ક્લિક કરવું. છતાંય ક્વિક રેફરન્સ માટે ગુજરાત અને મુંબઈનાં વિપશ્યના કેન્દ્રોનાં નામ-સરનામાં-ફોન નંબર અહીં જ શેર કરું છું.
(1) ગુર્જર વિપશ્યના કેન્દ્ર, ગામ રનોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. ફોનઃ 02714-294690
(2) ધમ્મભવન, 5 કાલિન્દી પાર્ક, અકોટા અતિથિગૃહ પાછળ, અકોટા, વડોદરા. ફોનઃ 0265-2341182
(3) કચ્છ વિપગામ બાડા, માંડવી, જિલ્લો કચ્છ. ફોનઃ 02834-223076
(4) સૌરાષ્ટ્ર વિપશ્યના કેન્દ્ર, કોઠારિયા રોડ, લોથડા ગામ, રાજકોટ. ફોનઃ 0281-2782040
(5) ઉત્તર ગુજરાત વિપશ્યના કેન્દ્ર, મીઠ્ઠા ગામ, તાલુકો-જિલ્લો- મહેસાણા. ફોનઃ 02762-272800.
(6) ધમ્મસુરિન્દ, સુરેન્દ્રનગર. ફોનઃ 02752-242030
(7) વિપશ્યના ધ્યાન કેન્દ્ર, જી-એલ 12, નીલાંજન કોમ્પલેક્સ, રાધા કૃષ્ણ મંદિર સામે, નૂતન સોસાયટી પાસે, મહર્ષિ અરવિંદ માર્ગ, દુધિયા તળાવ, નવસારી. ફોનઃ 98250-44536
(8) મુંબઈગરાઓ માટે વિપશ્યનાનું હેડક્વાર્ટર ઈગતપુરી શ્રેષ્ઠ છે. અહીં ઈગતપુરીથી સાવ નજીક સુધી તમે લોકલ ટ્રેનમાં જઈ શકો છો. ઈન ફેક્ટ, ગુજરાત તેમજ ભારતમાં અન્યત્ર વસતા લોકોએ જો શક્ય હોય તો ઈગતપુરીમાં વિપશ્યનાનો કોર્સ કરવો જોઈએ. (ફોનઃ 02553-244076.) આ સિવાય મુંબઈમાં બોરીવલી (એસેલવર્લ્ડ પાસે, સીબીડી બેલાપુર (નવી મુંબઈ), ટિટવાલા અને ઉલ્હાસનગર જેવા વિકલ્પો પણ છે.
આ સિવાય ગુજરાતમાં પાલિતાણા નજીક પણ નવું કેન્દ્ર ખુલ્યું છે.
ઓલ ધ બેસ્ટ.
0 0 0 

Tuesday, July 16, 2013

ટેક ઓફ : આર્ય મૌનઃ સ્મિત ને ઈશારા પર પણ પ્રતિબંધ છે!

Sandesh - Ardh Saptahik Purti - 17 July 2013

Column: ટેક ઓફ 

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. એકમાત્ર બુદ્ધ જ એવા હતાજે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે,સુખી કે દુઃખી થયા વિના મનના વિચારોને સાક્ષીભાવે નિહાળતા રહેવું. 

જુલાઈએ બિહારના બોધગયા મંદિરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને બૌદ્ધ ધર્મના આ સૌથી મહત્ત્વના સ્થળની શાંતિ ખંડિત થઈ ગઈ. ચૂપચાપ કામે લાગી જવાને બદલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓ સહેજ પણ સમય બગાડયા વગર એકબીજા પર ગંદકી ઉછાળવામાં, ટીવી કેમેરામાં મોં ખોંસીને જોરજોરથી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવામાં વ્યસ્ત થઈ ગયા. દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાનો મામલો હોય ત્યારે સામસામા બાખડવાને બદલે ધીરગંભીર શાંતિ જાળવવાની હોય, પણ આપણા નેતાઓ પાસેથી આવી અપેક્ષા રાખવી પણ મૂર્ખતા છે. ગરિમાપૂર્ણ મૌન અથવા ડિગ્નિફાઇડ સાઇલન્સનો મહિમા સમજવો તે રાજકારણીઓના વર્તુળની બહારની વસ્તુ છે.
ગૌતમ બુદ્ધ જેવો મૌનનો મહિમા સંભવતઃ બીજા કોઈ ધર્મપુરુષે કર્યો નથી. સાધના અથવા મેડિટેશનનો સીધો સંબંધ મૌન સાથે છે. વિપશ્યનાની યોગશિબિર એટેન્ડ કરો તો તમારે લાગલગાટ દસ સૌથી મૌન રહેવાના ગજબનાક અનુભવમાંથી ફરજિયાતપણે પસાર થવું પડે. વિપશ્યના બૌદ્ધ ધર્મનું એક પ્રેક્ટિકલ યા તો પ્રાયોગિક પાસું છે. વિપશ્યનાનો અર્થ થાય છે વિશિષ્ટ રીતે જોવું,પરિસ્થિતિઓને જેવી છે તે સ્વરૂપમાં જોવી. વિપશ્યના કરનાર સાધકે સીધું સાદું મૌન નહીં, પણ આર્ય મૌન પાળવાનું હોય છે. આર્ય મૌન એટલે કેવળ વાણીથી જ નહીં, પણ શરીરથી પણ મૌન. તમે કોઈની સામે જુઓ અને સામેવાળો સ્મિત કરે કે ગુસ્સાથી જુએ તો તે પણ એક પ્રકારનું કમ્યુનિકેશન થયું ગણાય. આ પણ ટાળવાનું છે. વિપશ્યના કરનાર સાધકે આ પ્રકારનું આંગિક્ ક્મ્યુનિકેશન પણ ટાળવાનું છે. દૃસ દિવસ દૃરમિયાન એણે એવી રીતે રહેવાનું છે જાણે આખા કેમ્પસમાં એ એક્લો જ હોય. વિપશ્યના પ્રમાણમાં સહેજ ક્ઠિન સાધના છે. દિવસના દૃસ કરતાં વધારે ક્લાક્ો ચોક્કસ પ્રકારના મેડિટેશનમાં ગાળવા પડે છે, પણ બધાના પરિણામ સ્વરુપે જે ભાવસ્થિતિ પેદૃા થાય છે તે અદૃભુત અને અસામાન્ય હોય છે તે આ લખનાર અનુભવે સમજ્યો છે. અલબત્ત, વિપશ્યનાનો રિયાઝ અટક્ી જતાં પેલી ભાવસ્થિતિ પણ વિખરાઈ જાય છે તે અલગ વાત થઈ.

Vipassana

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. અન્ય ધર્મો કર્મકાંડ, મંત્રતંત્ર,પૂજા-અર્ચનામાં પડી ગયા. એકમાત્ર બુદ્ધ જ એવા હતા જે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે- સુખી કે દુઃખી થયા વિના તમામ શારીરિક અને માનસિક ગતિવિધિઓને સાક્ષીભાવે નિહાળતા રહેવું. આ સાક્ષીભાવ તમારી ચેતના, તમારી સભાનાવસ્થા સાથે અન્ડરકરંટની જેમ સતત વહેતો રહેવો જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ હો ને ગમે તે કામ કરતા હો, પણ તમારી આંતરિક શાંતિ અકબંધ રહે, તેને કશું જ ખલેલ પહોંચાડી ન શકે તો તમે ખરું મેડિટેશન કર્યું કહેવાય.
બુદ્ધ પોતાના શિષ્યોને કહેતાં યોગસાધના કરવી હોય તો મનની ઉપેક્ષા કરો. મનને બાયપાસ કરી નાખો. એને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય, ભલે જે કહેવું હોય તે કહે, પણ તમારે તેના તરફ લક્ષ આપવાનું નથી. મનનો સ્વભાવ છે કૂદકા મારવાનો, જાતજાતના ઊંધાચત્તા વિચારો કર્યા કરવાનો. મન માંકડું અમસ્તું નથી કહેવાયું, પણ આપણે એની ઉપેક્ષા કરતા શીખી જઈશું તો ધીમે ધીમે મન કેળવાતું જશે. તે ખુદ સમજવા લાગશે કે એનું કયું વર્તન સ્વીકાર્ય છે અને કયું અસ્વીકાર્ય. એક વાર તે જાણી લેશે પછી નિરર્થક બકવાસ કરવાનું બંધ કરી દેશે. આંતરિક વિકાસ માટે આ સ્થિતિ આવવી જરૂરી છે.


ઓશો કહે છે, 'બોધગયા એ જગ્યા છે જ્યાં બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તમે બોધગયાના મંદિરમાં જાઓ તો મેડિટેશન બે રીતે કરજો- બેઠાં બેઠાં અને ચાલતાં ચાલતાં. પહેલો એક કલાક તમે મંદિરમાં મૌન ધારણ કરીને બેસો, તમારા મનમાં જે વિચારો ફૂંકાયા કરે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહો. ત્યાર બાદ મંદિરની બાજુમાં જે પથ્થરોની કતાર છે તેના પર ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. ચાલતાં ચાલતાં તમારે એ જ ક્રિયા કન્ટિન્યૂ કરવાની છે. મનમાં જાતજાતના વિચારો આવશે, જશે. તમારે માત્ર એને સાક્ષીભાવે જોયા કરવાના. આ વોકિંગ મેડિટેશનને જાપાનમાં કિનહીન કહે છે. ક્રમશઃ તમને પ્રતીતિ થશે કે તમે બેઠા હો કે ચાલતા હો, તમારી ભીતર એવું કશુંક છે જે સતત જાગ્રત રહે છે, બદલાતું નથી. બહુ સુંદર અનુભવ હોય છે આ. તમે સૂતા હો તોપણ જાણે કોઈ પ્રકાશ તમારી નિદ્રામાં પ્રવેશીને ઝળહળતો રહે છે. આ પરફેક્ટ એન્લાઇટમેન્ટ છે.'
કહે છે કે ગૌતમ બુદ્ધના મંદિરમાં મૂર્તિ એવી રીતે બનાવવામાં આવે છે કે એને કેવળ જોતા રહેવાથી મૌનમાં સરી પડાય. આ યોગસાધનાની મૂર્તિ છે, ગૌતમ બુદ્ધ નામના મહાપુરુષની નહીં. એક વાર વાચાગોત્તા નામના યતિએ બુદ્ધને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, જેનો ઉત્તર આપવાને બદલે બુદ્ધ મૌનમાં સરી પડેલા. આ રહ્યા વાચાગોત્તાના પ્રશ્નોઃ શું બ્રહ્માંડ શાશ્વત છે કે નથી? શું બ્રહ્માંડ અનંત છે કે અનંત નથી? શું આત્મા અને શરીર એક જ છે કે પછી આ બન્ને જુદી જુદી વસ્તુઓ છે? શું તથાગત (એટલે કે બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવશે કે નહીં ધરાવે? શું મૃત્યુ પછી બુદ્ધનું અસ્તિત્વ હોવું અને ન હોવું આ બન્ને સ્થિતિ એકસાથે સાચી પડશે? કે બન્નેમાંથી એક પણ સ્થિતિ સાચી નહીં પડે? 

આના જવાબો આપવાને બદલે બુદ્ધે મૌન ધારણ કરી લેવાથી તરંગો જન્મ્યા. આ મૌન વિશે દુનિયાભરના વિચારકો પોતપોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે. કોઈ કહે છે કે બુદ્ધ એટલા માટે મૌન થઈ ગયા કે દૈવી અને અલૌકિક તત્ત્વો શબ્દોથી પર હોય છે. કોઈએ ત્યાં સુધી કહ્યું કે બુદ્ધ એટલા માટે ચૂપ થઈ ગયા કે એમની પાસે આના જવાબો જ નહોતા. એક થિયરી એમ કહે છે કે બુદ્ધે મૌન ધારણ એટલા માટે કરી લીધું કે તેઓ કંઈ પણ બોલ્યા હોત તે કેવળ એક અભિપ્રાય હોત, એક વિચાર હોત અને શબ્દોમાં બંધાયેલા પ્રત્યેક અભિપ્રાય કે વિચારની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. આ પ્રકારના પ્રશ્ર્નોના ઉત્તર આપવાથી ધ્યાન ખોટી દિૃશામાં ફંટાય જાય છે અને મૂળ વસ્તુ બાજુ પર રહી જાય છે. કોઈ નિશ્ચિત ફિલોસોફી કે થિયરીમાં બંધાઈ ન જવાય એટલા માટે બુદ્ધ મૌનમાં સરી પડયા હતા.
એ જે હોય તે, પણ આપણને પજવતી વાત તો આ છેઃ કોઈ પણ સવાલનો પટ્ટ કરતો જવાબ આપી દેતા, સવારના છાપાંની હેડલાઇન્સથી માંડીને રાતની ન્યૂઝ ચેનલોની ડિબેટ સુધી એકધારી રાડારાડી ને દેકારો કરતા રહેતા આપણા રાજકારણીઓને મૌનમાં સરકાવી શકાય એવો કોઈ જાદુઈ નુસખો છે કોઈની પાસે?                                                 0 0 0

http://www.sandesh.com/article.aspx?newsid=203899