Friday, December 15, 2017

કામ પાછળ ધકેલ્યા કરવાની કુટેવ

Sandesh - Ardh Saptahik Purti - November 29, 2017
ટેક ઓફ

કામ શરૂ ન કરવા માટે આપણે સૌ અલગ-અલગ ટેક્નિક અજમાવતા હોઈએ છીએ. જેમ કે, ફ્રેશ થઈને, ચાનો મગ લઈને કામ કરવા કમ્પ્યૂટર સામે ગોઠવાયા પછી કામ શરૂ કરી દેવાને બદલે અમુક લોકો ઇ-મેઇલ ચેક કરવા માંડશે. કોઈ વળી ઇન્ટરનેટ પર સર્ફિંગ શરૂ કરી દેશે. કોઈને કામ કરવાના સમયે જ એકાએક ડ્રોઅર સાફ્ કરી નાખવાની તલબ લાગે. કોઈ પેન્સિલની અણીઓ કાઢવા લાગે. કોઈ ટેબલ પર આડાઅવળાં પડેલાં કાગળિયાંમાંથી ઉપયોગી અને બિનઉપયોગી કગળ અલગ કરવા બેસી જાય. ઠાગાઠૈયા કરવાની પણ એક પેટર્ન હોય છે. 


શું તમે કામઢા માણસ છો? તમારાં બધાં કામ સમયસર કરી નાખો છો? શકય છે કે તમે સ્વભાવે આળસુ ન હો તો પણ અમુક કામ પાછળ ઠેલ્યા કરતા હો. તમને કામ શરૂ કરવાનો જ કંટાળો આવે. કામ તરત હાથમાં લઈને, ટાઇમ પર પૂરું કરીને ફ્રી થઈ જવાને બદલે સતત પોસ્ટપોન કરતાં રહેવાનું મન થાય. કયારેક ભલભલા સિન્સિયર માણસો પણ અમુક કામ પાછળ ધકેલ્યા કરતા હોય છે. આ બૂરી આદતને અંગ્રેજીમાં પ્રોક્રાસ્ટિનેશન કહે છે. આ કુટેવ આપણામાંના મોટા ભાગના લોકો વત્તેઓછે અંશે ધરાવતા હોય છે.
બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ નામનાં એક અમેરિકન મહિલાએ લોકોના કામમાં વિલંબ કર્યા કરવાની વર્તણૂકનો સરસ અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની ઇન્ડિયાના યુનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને કમ્યુનિકેશન સંબંધિત વિષયો તેમજ કૌશલ્ય શીખવે છે. દુનિયાભરમાં ફ્રીને એમબીએ ક્રતા વિદ્યાર્થીઓને કેચિંગ આપે છે. તેઓ કહે છે કે સૌથી પહેલાં તો, તમને ખરેખર કામ પાછળ ઠેલ્યાં કરવાની બીમારી છે કે કેમ વિશે એકદમ સ્પષ્ટ થઈ જાઓ. શકય છે તમને આ બીમારી ન પણ હોય. ધારો કે આજે તમારે આખા દિવસમાં દસ કામ કરવાનાં છે. તમે અમુક કામ પહેલાં હાથમાં લેશો, અમુક કામ સાંજ માટે બાકી રાખશો. માની લો કે દિવસ પૂરો થાય ત્યાં તમારાં લિસ્ટમાંથી દસમાંથી સાત કામ થયાં હોય અને ત્રણ રહી ગયાં હોય. તો એનો અર્થ એવો ન થાય કે તમને કામ પાછળ ઠેલવાની કુટેવ છે એટલે ત્રણ કામ કરવાનાં રહી ગયાં. આનો અર્થ એ થાય કે તમે તમારાં કામોનો અગ્રતાક્રમ નક્કી કર્યો હતો. કામની પ્રાયોરિટી સમજવી અને એ પ્રમાણે આગળ વધવું એ તો ગુણ કહેવાય. ત્રણ કામ બાકી રહી ગયાં એનો મતલબ એટલો જ કે જે-તે કામ પૂરાં કરતાં કેટલો સમય લાગશે તેનો અંદાજ બાંધવામાં તમે થોડી ભૂલ કરી બેઠા, એટલું જ.
માનો કે મામલો પ્રાયોરિટી પ્રમાણે કામ કરવાનો નહીં, પણ તમને સાચ્ચે જ કામને પાછળ ઠેલ્યા કરવાની બૂરી આદત છે. તમે એક મોટો અને મહત્ત્વનો પ્રોજેકટ હાથમાં લીધો હોય, જે ચાર મહિનામાં પૂરો કરવાનો હોય, એમાંથી બે મહિના ઓલરેડી પસાર થઈ ગયા હોય છતાંય ‘અરે, હજુ તો બહુ વાર છે’ એવું વિચારીને તમે તે પાછળ ધકેલ-ધકેલ કર્યા જ કરતા હો તો એ સો ટક પ્રોક્રાસ્ટિનેશનનું જ લક્ષણ છે. આવી વર્તણૂક શી રીતે સુધારવી?
સૌથી પહેલાં તો એ જુઓ કે તમે સામાન્યપણે કયાં પ્રકારના કામ પાછળ ઠેલો છો? કેવાં કામ કરવામાં તમને મજા આવતી નથી? બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ કહે છે કે તમે કાગળ-પેન લો અને કંટાળાજનક કે અઘરાં લાગતાં કામોનું લિસ્ટ બનાવો. શું આ લિસ્ટમાં કોઈ પેટર્ન જોવા મળે છે? શકય છે કે આ કામોમાં અમુક વસ્તુ કોમન હોય. રોહન મહેતા નામના એક કાલ્પનિક મહાશયનું ઉદાહરણ લઈએ. કોઈ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતા રોહનભાઈ સામાન્યપણે આ ત્રણ કામ પાછળ ઠેલતા હોય છેઃ એક, રિપોર્ટ લખીને મોકલવો. બે, ઇ-મેઇલ કે પત્રોના જવાબ આપવો. ત્રણ, થેન્કયુ નોટ્સ મોકલવી. આ ત્રણેય કામમાં લખવું કોમન છે એ તમે નોંધ્યું? આનો અર્થ એ કે ફ્લ્ડિ વર્ક, મિટિંગો અને એવાં બીજા કેટલાય કામ કરવામાં કયારેય ઢીલ કરતા રોહનભાઈ ફ્કત કશુંક લખવાનું કામ આવે ત્યારે જ ઠાગાઠૈયા શરૂ કરી દે છે.
જો તમને અણગમતાં કામનું લિસ્ટ બનાવવાનું ન ફવે તો મનગમતાં કામોનું લિસ્ટ બનાવો. પછી જુઓ કે લિસ્ટમાં કયાં કામોનો સમાવેશ ન થયો? આ એ કામો હોવાનાં જે તમે સામાન્યપણે પોસ્ટપોન કરતાં રહો છો.
આપણે ઠાગાઠૈયા કઈ રીતે કરીએ છીએ? આનીય એક ડિઝાઇન હોય છે. કામ પાછળ ઠેલવાનું શરૂ કરીએ ત્યારે આપણા મનમાં અમુક પ્રકારના વિચાર આવતા હોય છે. જેમ કે, ‘ઓહ, આ પ્રોજેકટ તો માટે છેક જાન્યુઆરીમાં સબમિટ કરવાનો છે. હજુ તો ઘણી વાર છે’ અથવા ‘ડેડલાઇનનું પ્રેશર હોય તો જ હું વધારે સારું કામ કરી શકું છું’ અથવા ‘આ કામ હાથમાં લેતાં પહેલાં મને ફ્લાણું-ફ્લાણું કામ કરી નાખવા દે’… અને બસ, પત્યું. તમારું કામ પાછળ ઠેલાઈ ગયું. આ આપણા અળવીતરા મનની અવળચંડાઈ છે, કામને પાછળ ધકેલવાની. આથી મનમાં આવા વિચારો જાગે તે સાથે જ સભાન બની જાઓ. તરત પોતાની જાતને કહો કે, દોસ્ત, આ વિચારો ડેન્જર સાઇન છે, સંભાળજે!
કામ શરૂ ન કરવા માટે આપણે સૌ અલગ-અલગ ટેક્નિક અજમાવતા હોઈએ છીએ. જેમ કે, ફ્રેશ થઈને, ચાનો મગ લઈને કામ કરવા કમ્પ્યૂટર સામે ગોઠવાયા પછી કામ શરૂ કરી દેવાને બદલે અમુક લોકો ઇ-મેઇલ ચેક કરવા માંડશે. કોઈ વળી ઇન્ટરનેટ પર સર્ફિંગ શરૂ કરી દેશે. અવળચંડું મન તે વખતે બહાનું તૈયાર રાખે કે ના ના, આ તો હું મારા કામને લગતી વેબસાઇટ્સ પર જ લટાર મારી રહૃાો છું. કોઈને કામ કરવાના સમયે જ એકાએક ડ્રોઅર સાફ્ કરી નાખવાની તલબ લાગે. કોઈ પેન્સિલની અણીઓ કાઢવા લાગે. કોઈ ટેબલ પર આડાઅવળાં પડેલાં કાગળિયાંમાંથી ઉપયોગી અને બિનઉપયોગી કગળ અલગ કરવા બેસી જાય. કોઈ ડેસ્કટોપ પરથી નકામા ફોલ્ડર્સ અને ફાઇલોને યોગ્ય જગ્યાએ સેવ કરવાનું કે ડિલીટ કરવાનું શરૂ કરી દે. અમુક્ લોકો આખા દિવસનાં કે આખા અઠવાડિયાના કે આખા મહિનાના કામોનું પ્લાનિંગ કરવા માંડે.
આ કામમાં પા-અડધી-પોણી કલાક કયાં જતી રહે એની ખબર પણ ન પડે. પછી એવું વિચારીને જાતને છેતરીએ કે આ તો પ્રોડકિટવ એકિટવિટી હતી, આને કંઈ સમય વેડફ્યો ન કહેવાય! સચ્ચાઈ એ છે કે આપણે જે કામ કરવા બેઠા હતા તે હજુ શરૂ થયું નથી ને પાછળ ધકેલાઈ ગયું છે. કામ શરૂ કરવાના સમયે તમે કઈ બિનજરૂરી એકિટવિટીઝ કરો છો? વિચારજો.
સો મણનો સવાલ એ છે કે આપણી આવી વર્તણૂકનું કારણ શું છે? શા માટે આપણે કામને પાછળ ઠેલીએ છીએ? આનાં એકાદ-બે નહીં, પૂરાં પાંચ કારણો છેઃ પહેલું, આત્મવિશ્વાસનો અભાવ. તમારે કામ તો કરવું છે, પણ એ કામ સારી રીતે કરતાં આવડશે કે કેમ એની ખાતરી નથી. બીજું, એકાગ્રતાનો અભાવ. તમારું ધ્યાન આસાનીથી બીજી વાતો તરફ્ તણાઈ જાય છે. ત્રીજું કારણ, તમે ગભરાઈ ગયા છો. કામ એવડું મોટું છે કે કયાંથી શરૂ કરવું તે જ સમજાતું નથી. ચોથું કારણ, ક્રિયેટિવ અથવા મેન્ટલ બ્લોક. તમે ધમાકેદાર કામ કરવા માગો છો, પણ મનમાં આઇડિયાઝ જ આવતા નથી. પાંચમું અને છેલ્લું કારણ, તમને તમારા કામથી સખ્ખત ત્રાસ થાય છે.
હવે પાંચેપાંચ કારણોની વારાફ્રતી ચર્ચા કરીએ અને તે દૂર કરવાના ઉપાયો જોઈએ.
આત્મવિશ્વાસનો અભાવઃ તમને એવું લાગતું હોય કે જે કામ હાથ પર લેવા માગો છો તે માટેનાં જરૂરી કૌશલ્ય, આવડત કે ટેલેન્ટ તમારામાં નથી. તમને થાય કે આ કામ કરવામાં હું કાચો પડીશ તો? કોન્ફ્ડિન્સની આવી ઓછપને કારણે તમે કામ પાછળ ઠેલ્યા કરતા હો, એવું બને. ધારો કે તમારે અંગ્રેજીમાં રિપોર્ટ તૈયાર કરવાનો છે, પણ તમારું અગ્રેજી કાચું છે. તમારી ભાષા, વાકયરચના આ બધામાં બહુ લોચા છે. તમને ડર હોય કે જો હું રિપોર્ટ તૈયાર કરીશ તો બધાને ખબર પડી કે તમારું લિખિત અંગ્રેજી કેટલું ખરાબ છે.
તો આવી પરિસ્થતિમાં શું કરવાનું? આ પ્રશ્નનો ઉત્તર અને આગળની વાત હવે પછીના લેખમાં.

0000

પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન!


ટેક ઓફ 


તો, વાત કામને પાછળ ધકેલ્યા કરવાની કુટેવ યા તો પ્રોક્રાસ્ટિનેશન વિશે ચાલતી હતી. બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ નામનાં અમેરિકાની ઇન્ડિયાના યુનિવસિર્ટી સાથે સંકળાયેલાં કમ્યુનિકેશન એકસપર્ટ કહે છે કે જેને આટોપ્યા વગર આપણો છૂટકો જ ન હોય એવાં મહત્ત્વનાં કામોને આપણે પોસ્ટપોન કર્યા કરતા હોઈએ તો એવી વતર્ણૂક પાછળ પાંચ પરિબળ કામ કરતાં હોઈ શકે. પહેલું પરિબળ અથવા કારણ છે, આપણે ગયા લેખમાં જોયું તેમ, આત્મવિશ્વાસનો અભાવ. તમે કામ હાથ પર લેવા માગતા તો હો, પણ મનમાં ડર હોય કે મને આ નહીં આવડે તો? હું કાચો પડીશ તો?
ધારો કે તમે રિપોર્ટ્સ તૈયાર કરવાનું અને ઇમેઇલ્સના જવાબ આપવાનું કામ કાયમ પાછળ ઠેલતા હો છો. એનું મુખ્ય કારણ તમારું કાચું અંગ્રેજી છે. તો શું કરવાનું? ખુદની કચાશ દૂર કરવાના નક્કર પ્રયત્ન કરવાના. અંગ્રેજી ગ્રામરના પદ્ધતિસર કલાસ લો. અંગ્રેજીનું ટયુશન રાખો. વ્હાય નોટ? ખુદને વધારે સજ્જ બનાવવા માટે જે કંઈ થઈ શકે તે બધું જ કરવાનું. હવે તો ઓનલાઇન પણ ઘણું બધું શીખી શકાય છે. શબ્દભંડોળ વધે તે માટે અંગ્રેજી વાંચન વધારો. તમારી દષ્ટિએ જેમને ઇમેઇલ્સ જવાબ અને રિપોર્ટ્સ લખતાં સરસ આવડે છે એનો અભ્યાસ કરો. આ રીતે આત્મવિશ્વાસ વધશે. આટલું કર્યા પછી ઇમેઇલ કે રિપોર્ટ લખવા બેસો ત્યારે જાત સાથે સંવાદ કરો કે, ‘હું ભલે શ્રેષ્ઠ લેખક ન હોઉં, પણ મેં પ્રયત્નો કર્યા છે. ભુલો તો બધાથી થાય, મારાથી પણ થશે, એમાં શું? હું સતત ઇમ્પ્રુવ થઈ રહૃાો છું એટલું ઓછું છે?’
એ પણ ચકાસો કે પોતાની જાત માટે તમે વધારે પડતાં ઊંચા ધારાધોરણો કે અપેક્ષાઓ તો નથી રાખ્યાંને? હું અંગ્રેજીમાં ચાર વાકય લખું તો એ શેકસપિયરના અંગ્રેજીને ટકકર મારે એવાં જ લખું એવું માઇન્ડસેટ નહીં રાખવાનું. કામ પાછળ ઠેલ્યા કરવાની કુટેવ ધરાવનારાઓએ આ સૂત્ર હંમેશાં યાદ રાખવાનું: પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન! સૌથી પહેલાં તો કામ પૂરું કરી નાખો, પછી એને પરફેક્ટ કરવાની કોશિશ કરો.
કામને પોસ્ટપોન કરવાનું બીજું સંભવિત કારણઃ સતત ધ્યાનભંગ થતાં રહેવું. તમે કામમાં પૂરેપૂરું મન પરોવી શકતા નથી? તે માટે તમારી કામની જગ્યા અનુકૂળ હોવી જોઈએ. તમારું ટેબલ, કયુબિકલ, કેબિન કે રુમ અસ્તવ્યસ્ત પડયાં હોય તો પહેલાં એને ઠીકઠાક કરો. બહાર બહુ ઘોંઘાટ થતો હોય તો દરવાજો અને બારી બંધ કરો. મોબાઇલ ફોન સાઇલન્ટ કરીને હાથ ન પહોંચે એટલો દૂર મૂકી દો. તમારા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ કે વાઇ-ફાઇ કનેકશન ઓફ કરો કે જેથી થોડી થોડી વારે ફેસબુક પર આંટો મારવાનું મન ન થાય. કોઈ કલીગ આવીને કહે કે, ‘ચાલ, કેન્ટીનમાં નાસ્તો કરતા આવીએ’ અથવા ‘ચાલ, જરા બહાર સિગારેટ પીતા આવીએ ને પગ છુટ્ટો કરતા આવીએ’ અથવા ‘ચાલ, આ શનિ-રવિમાં માથેરાન (કે દીવ-દમણ) જવાનું પ્લાનિંગ કરીએ’, તો એને પ્રેમથી કહેવાનું કે દોસ્ત, મને ફ્કત ત્રીસ મિનિટ આપીશ? આ કામ પુરું થાય એટલે હું જ સામેથી તારી પાસે આવું છું.
ત્રીસ મિનિટનું જ ટાર્ગેટ રાખો. આ સળંગ અડધી કલાક દરમિયાન નો ફેન, નો ઇન્ટરનેટ, નો સોશિયલ મિડીયા, નો કેન્ટીન. ફ્કત કામ. દર ત્રીસ મિનિટ પછી દસ મિનિટનો મસ્ત બ્રેક લઈ લેવાનો. દસ-પંદર જ મિનિટ હં, વધારે નહીં.
પ્રોક્રાસ્ટિનેશનનું ત્રીજું કારણઃ કામનું કદ જોઈને થતી ગભરામણ. કયારેક કામ એટલું મોટું હોય કે એ ક્યારે પૂરું થશે તેનો વિચાર કરતાં જ ગાત્રો ઠંડાં થઈ જાય, પરસેવો છૂટી જાય ને આપણે કામ શરુ જ ન કરીએ. આવા કેસમાં કામને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરી દેવા જોઈએ. ધારો કે તમારા કામમાં નાનાં-મોટાં કુલ એકસો સ્ટેપ છે. તો આખા કામને, ફોર એકઝામ્પલ, પચાસ ટુકડાઓમાં પહેંચી દો. મારે રોજ બે સ્ટેપ કરવાનાં છે એટલું જ મનમાં રાખો અને એટલા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. એક ફયનલ ડેડલાઇનને બદલે વચગાળાની ત્રણ-ચાર ડેડલાઇન નકકી કરો. દર અમુક્ દિવસે આટલું-આટલું કામ થઈ જવું જોઈએ. આ રીતે આગળ વધવાથી કામ ઓછું ડરામણું લાગશે.
મેન્ટલ બ્લોક. આ છે ચોથું સંભવિત કારણ. કામ કરવું તો છે, પણ મનમાં આઇડિયા સૂઝે નહીં.
ક્રિયેટિવિટી પર કોઈએ તાળું મારી દીધું હોય એવું લાગે. આવી સ્થિતિમાં કયારેક કામ કરવાની જગ્યા બદલવાથી ફયદો થતો હોય છે. તમારી કેબિન કે કયુબિકલમાંથી બહાર આવીને ઓફ્સિમાં બીજી કોઈ જગ્યાએ જઈને બેસો. ગાર્ડન, બાલ્કની કે ટેરેસમાં જઈને બેસો. ક્યારેક સવારે સાત વાગ્યામાં ઓફ્સિ આવી જાઓ. આખો દિવસ કમ્પ્યુટર સાથે ચોંટેલા રહેેતા હો તો, ફેર અ ચેન્જ, પેન અને પેપર લઈને કામ કરી જુઓ. ટૂંકમાં, કામનો માહોલ બદલો.
ક્રિયેટિવ કામમાં કોઈ બાઉન્સિંગ બોર્ડ એટલે કે તમારા કામમાં ઊંડો રસ લઈને યોગ્ય સવાલો પૂછી શકે એવો સરસ શ્રોતા મળી જાય તો ખૂબ ફયદો થતો હોય છે. તમારા દોસ્ત કે કલીગ સાથે ડિસ્કસ કરો. કયારેય મૂંગા મૂંગા કામ કરવાને બદલે બોલવાથી મનમાં નવા વિચારો પ્રગટતા હોય છે. પોતાની જાત પાસેથી વધારે પડતાં અપેક્ષા કે અશકય કહેવાય એટલાં ઊંચાં ધારાધોરણ ન રાખવાની વાત અહીં પણ લાગુ પડે છે.
કમ પાછળ ઠેલવાનું પાંચમું અને છેલ્લું સંભવિત કારણ. કામનો ત્રાસ. જે કામ કરવાનું છે એ તમને દીઠું ગમતું ન હોય. તમને એના વિચાર માત્રથી ત્રાસ છૂટતો હોય. આવી સ્થિતિમાં શું કરવું? પોતાની જાતને ઇનામ આપવાનું શરુ કરો. વીસ ટકા કામ પૂરું થાય ત્યારે આટલું ઇનામ, ચાલીસ ટકા પૂરું થાય ત્યારે આટલું ઇનામ અને આખું પૂરું થઈ જાય ત્યારે જમ્બો ઇનામ! આ ઇનામ તમારે જ નક્કી કરવાનું. જેમ કે, આટલું કામ પૂરું થયા પછી હું મસ્તમજાની ફ્લ્મિ જોવા જઈશ અને એયને કોઈ પણ જાતના ગિલ્ટ વગર ટેસથી પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ખાઈશ! અથવા, આટલું કામ પૂરું થયા પછી હું મારા માટે હાઇક્લાસ જીન્સ-ટીશર્ટ (અથવા સલવાર કમીઝ, સાડી, વોટેવર) ખરીદીશ! આખું કામ પૂરું થયું થયા પછી હું ચાર દિવસની રજા લઈશ અને ફેમિલી અથવા ફ્રેન્ડ્સ સાથે ગોવા-બોવા ફરી આવીશ! આ ઇનામની લાલચે તમે કામ કર્યે રાખશો.
નક્કી કરો કે હું કામ રોજ પા કલાક કરીશ જ. રીતસર પા કલાકનું એલાર્મ સેટ કરો. પંદર મિનિટ થાય એટલે ઊભા થઈ જવાનું. પછી પોતાની જાતને સવાલ કરોઃ શું આ કામ ખરેખર હું ધારું છું એટલું ભયંકર છે? જવાબ મોટે ભાગ ‘ના’ મળશે. એક વાર શરુઆત થશે એટલે પછી ગાડી એને મેળે ચાલવા લાગશે. પા કલાક કયારે અડધી કલાક અને અડધી કલાક કયારે એક-બે કે ઇવન ત્રણ કલાક થઈ જશે એની ખબર પણ નહીં પડે.
બસ, એક વાર આ ઢીલ અથવા પ્રોક્રાસ્ટિનેશન નામના ભૂતની ચોટલી હાથમાં આવી જાય એટલે ગંગા નાહૃાા. વાત પાતાની જાત પાસેથી કામ લેવાની છે. માઇન્ડસેટમાં જરુરી ફેરફર કરવાની છે. તો ચાલો, કાગળ-પેન હાથમાં લો. એક ખાનામાં તમે કયાં કયાં કામ કરવામાં ઢીલ કરો છો એનું લિસ્ટ બનાવો, બીજા ખાનામાં ‘હું કઈ રીતે કામ પાછળ ધકેલું છું?’ એની યાદી તૈયાર કરો અને ત્રીજા ખાનામાં ‘હું શા માટે કામને ધકેલ્યા કરું છું?’ તે લખો. પછી હું આ અને ગયા લેખમાં જે ચર્ચા કરી એના આધારે મનોમન પ્રોક્રાસ્ટિનેશનથી પીછો છોડાવવાની સ્ટ્રેટેજી ઘડી કાઢો ને એનો અમલ શરુ કરી દો. શુભસ્ય શીધ્રમ!

0 0 0 

Wednesday, December 13, 2017

દૃુનિયાભરની સ્ત્રીઓએ મતાધિકાર માટે સંઘર્ષ કરવો પડ્યો છે!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ 

ટેક ઓફ

કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે.





તો, ગુજરાતની ચૂંટણીના બીજા તબકકા હેઠળ આવતી કાલે મતદૃાન થશે. ગુજરાતના કુલ પુરુષ મતદૃારોનો ઓફિશિયલ આંકડો ૨,૨૫,૫૭,૦૩૨ છે. કુલ સ્ત્રી મતદૃારોની સંખ્યા છે ૨,૦૭,૫૭,૦૩૨. જે સંપૂર્ણ નર પણ નથી કે સંપૂર્ણ માદૃા પણ નથી એવા થર્ડ જેન્ડર મતદૃાતાઓની સંખ્યા ૧૬૯  છે! કુલ મતદૃારો: ૪,૩૩,૧૧,૩૨૧.

કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે. સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી પહેલો દૃેશ ન્યુઝીલેન્ડ છે. ૧૮૯૩માં, એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં, બ્રિટીશરોમાં તાબા હેઠળના ન્યુઝીલેન્ડમાં કાયદૃો બનાવવામાં આવ્યો કે સ્ત્રી મતદૃાન કરી શકશે, પણ પાર્લામેન્ટની ચૂંટણી લડી નહીં શકે! પછીના વર્ષે, ૧૮૯૪માં ઓસ્ટ્રેલિયાએ કાયદૃો બનાવ્યો કે સ્ત્રીઓ મતદૃાન પણ કરી શકશે અને પાર્લામેન્ટની ચૂંટણી માટે ઉમેદૃવારી પણ નોંધાવી શકશે.

સ્ત્રીઓ અને પુરુષો બન્નેને એકસાથે મતાધિકાર આપનાર ફિનલેન્ડ દૃુનિયાનો પહેલો દૃેશ બન્યો, ૧૯૦૬માં. સ્ત્રીઓને મતાધિકાર પ્રદૃાન કરનાર  આ પહેલો યુરોપિયન દૃેશ હતો. દૃુનિયાની સૌથી પહેલી મહિલા સાંસદૃ પણ ફિનલેન્ડની વતની હતી (૧૯૦૭). મહિલાઓને મતાધિકાર પ્રદૃાન કરનાર છેલ્લો યુરોપિયન દૃેશ સ્વિત્ઝર્લેન્ડ હતો. આ ગ્લેમરસ બર્ફીલા દૃેશમાં છેક ફેબ્રુઆરી ૧૯૭૧માં સ્ત્રીઓને રાઇટ-ટુ-વોટ મળ્યો. અગાઉ ૧૯૫૯માં મહિલાઓને મતાધિકાર આપવો જોઈએ કે નહીં તે માટેનો જનમત લેવામાં આવ્યો હતો ત્યારે ૬૭ ટકા સ્વિસ પુરુષોએ અભિપ્રાય આપ્યો હતો કે ના, સ્વિસ મહિલાઓને મતાધિકાર આપવાની કશી જરુર નથી! અમેરિકન મહિલાઓ ૧૯૨૦થી વોટ આપતી થઈ. 

ભારતમાં મહિલાઓના મતાધિકારનો ઇતિહાસ શો છે? આ સંદૃર્ભમાં સૌથી પહેલાં તો આ બે અંગ્રેજ અધિકારીઓને યાદૃ કરવા જોઈએ - લોર્ડ એડવિન મોન્ટેગ્યુ કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા અને બીજા, લોર્ડ ચેમ્સફોર્ડ કે જે તે સમયના વાઇસરોય હતા. ભારતમાં તે વખતે સ્વરાજની માગણી વધુ ને વધુ ઊંચા અવાજે થવા માંડી હતી. આની પ્રતિક્રિયામાં ઉદૃારમતવાદૃી મોન્ટેગ્યુએ બ્રિટિશ કેબિનેટ સામે ‘ધ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ફ્રી ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા વિથ અ વ્યુ ટુ અલ્ટિમેટ સેલ્ફ ગવર્મેન્ટ', એટલે કે સાદૃી ભાષામાં, ભારતમાં સંપૂર્ણ સ્વરાજ સ્થપાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે સ્વતંત્ર રાજકીય સંસ્થાઓની સ્થાપનાની શરુઆત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

લંડનમાં બેઠેલા રાજકારણીઓને, ખાસ કરીને લોર્ડ કર્ઝનને મોન્ટેગ્યુનો આ પ્રસ્તાવ કડવો લાગ્યો. મોન્ટેગ્યુનો પ્રસ્તાવ માન્ય ન થયો, લોર્ડ કર્ઝને રજૂ કરેલો વૈકલ્પિક પ્રસ્તાવ સ્વીકારાઈ ગયો. લોર્ડ કર્ઝને પોતાના પ્રસ્તાવમાં સેલ્ફ-ગવર્મેન્ટ (સ્વરાજ)ની નહીં, પણ માત્ર ગવર્મેન્ટની વાત કરી હતી. આ રીતે ભારતમાં બાઇકેમેરલ (દ્વિપક્ષી) સેન્ટ્રલ લેજિસ્લેચરની સ્થાપના થઈ, જેમાં થોડાક ભારતીય મિનિસ્ટરોની નિમણૂક પણ કરવામાં આવી. આપણી આજની લોકસભા અને રાજ્યસભાનાં બીજ આ રીતે રોપાયાં. મોન્ટફોર્ડ રિફોર્મ્સ (યા તો મોન્ટફોર્ડના સુધારા, ૧૯૧૭) અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ (૧૯૧૯) અનેક રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થયા.


આપણે આજે જેમ પાસવર્ડમાં ઘણીવાર પહેલાં ચાર અક્ષર નામના અને છેલ્લા ચાર અક્ષર અટકના વપરાય છે તેમ ‘મોન્ટફોર્ડ' શબ્દૃ પણ બે અલગ અલગ ઓળખનું જોડકું છે. મોન્ટ એટલે લોર્ડ મોન્ટેગ્યુ અને ફોર્ડ એટલે લોર્ડ ચેમ્સફોર્ડ. અગાઉ નોંધ્યું તેમ, મોન્ટેગ્યુ ભારત આવ્યા ત્યારે ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. રાજકીય સુધારા લાગુ પાડતા પહેલાં તેઓ ભારતની પ્રવર્તમાન મિજાજનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા માગતા હતા. કેટલીક મહિલા અગ્રણીઓને આમાં સ્ત્રીઓ માટે રાજકીય અધિકારોની માગણી કરવાની ફાંકડી તક દૃેખાઈ. સરોજિની નાયડુની નેતાગીરી હેઠળ મહિલાઓના એક પ્રતિનિધિમંડળે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ સાથે મિટીંગ કરી. કોણ કોણ હતું આ પ્રતિનિધિમંડળમાં? એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, ડોરોથી જિનારાજાડસા, બેગમ હસરત મોહિની, ડો. જોશી, રાણી રાજવાડે, હીરાબાઈ અરદૃેસર ટાટા, એમની દૃીકરી મિથાન ટાટા, રમાબાઈ રાનડે, સરલાદૃેવી ચટ્ટોપાધ્યાય અને ઉમા નેહરુ.

એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનારાજાડસાએ સમય પારખીને વીમેન્સ ઇન્ડિયન અસોસિએશનની સ્થાપના કરી. આ ત્રણેય થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલી આઇરિશ મહિલાઓ હતી. આયરલેન્ડ મેં તે વખતે મહિલાઓને મતાધિકાર મળી ચુકયો હતો. મતાધિકારનો જેટલો અને જેવો અધિકાર ભારતીય પુરુષોનો હશે એવો અને એટલો જ અધિકાર ભારતીય મહિલાઓને પણ મળવો જોઈએ એવા મતલબનો પત્ર લખવામાં આવ્યો, તેના પર ભારતના જુદૃા જુદૃા હિસ્સાઓમાં કાર્યરત એવી ત્રેવીસ મહિલા અગ્રણીઓની સહી લેવામાં આવી. તે પત્ર પછી મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડને સુપરત કરવામાં આવ્યો. યાદૃ રહે, ભારતીય મહિલાઓના રાજકીય અધિકારની માગણી ત્યારે થઈ રહી જ્યારે હજુ અમેરિકા અને યુરોપના કેટલાય દૃેશોની મહિલાઓને પણ મતાધિકાર અપાયો નહોતો!

એની બેસન્ટના અધ્યક્ષપદૃે ૧૯૧૭માં કલકત્તામાં યોજેયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મહિલાઓના મતાધિકારની આ ડિમાન્ડ દૃોહરાવવામાં આવી. મુસ્લિમ લીગે ટેકો આપ્યો. આ ડિમાન્ડની પ્રતિક્રિયારુપે પરિસ્થિતિનો તાગ મેળવવા સાઉથબોરો ફ્રેન્ચાઇઝી કમિટીના સભ્યો ૧૯૧૮માં ભારતના પ્રવાસે આવ્યા.  શરુઆતમાં તેમને એવું જરુર લાગ્યું કે ભારતીય મહિલાઓ હજુ મતાધિકાર માટે તૈયાર નથી, પણ સમગ્રપણે તેમને મહિલાઓની આ માગણી સ્વીકાર્ય લાગી. જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ ભારતીય મહિલાઓના મતાધિકારને માન્યતા આપી.  જોેકે લટકામાં એવું પણ ઉમેર્યું કે આ મતાધિકારનો અમલ કયારથી શરુ કરવો તે નક્કી કરવાનો અધિકાર પ્રાંતીય વિધાનસભાનો રહેશે.

પહેલ ત્રાવણકોર-કોચીને કરી.  ૧૯૨૦માં ત્રાવણકોર-કોચીન રજવાડાની સ્ત્રીઓ મત આપવાનો અધિકાર ધરાવતી ભારતની સર્વપ્રથમ મહિલાઓ બની. ૧૯૨૧માં મદ્રાસ અને બોમ્બે સ્ટેટે આ નવા સુધારાનું અનુસરણ કર્યું. ધીમે ધીમે અન્ય પ્રાંતો પણ જોડાયા. ૧૯૨૬માં કમલાદૃેવી ચટ્ટોપાધ્યાય મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભાં રહ્યાં. બહુ ઓછા માર્જિનથી તેઓ હાર્યાં, પણ ચૂંટણી લડનાર ભારતની સર્વપ્રથમ મહિલા હોવાનું બહુમાન તેમના નામે નોંધાઈ ગયું! ભારતનાં સર્વપ્રથમ ચૂંટાયેલાં લેજિસ્લેટર કાઉન્સિલર ડો. મુથુલક્ષ્મી રેડ્ડી બન્યાં, ૧૯૨૭માં, મદ્રાસમાં. દૃેવદૃાસી કુપ્રથા નાબૂદૃ કરવામાં ડો. મુથુલક્ષ્મી રેડ્ડીનું મોટું યોગદૃાન છે. આ શરુઆત હતી, ભારતીય મહિલાઓના રાજકીય યાત્રાની, જે ૧૯૬૬માં ઇંદિૃરા ગાંધી દૃેશનાં પહેલીવાર વડાંપ્રધાન બન્યાં ત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ. આવતી કાલે વોટિંગ કરવા જાઓ ત્યારે કતારમાં મતદૃાતા મહિલાઓને જોઈને ઇતિહાસનો આ ટુકડો યાદૃ કરજો.

બાય ધ વે, સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી છેલ્લો દૃેશ કયો? સાઉદૃી એરેબિયા. સાઉદૃી મહિલાઓને સૌથી પહેલી વાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મત આપવાનો હક છેક હમણાં આપવામાં આવ્યો, ડિસેમ્બર ૨૦૧૫માં! 
000

Friday, December 1, 2017

સ્વામી, સંઘ અને સ્મારક

Sandesh - Ardh Saptahik Purti - November 15, 2017
ટેક ઓફ
સરદાર પટેલે એકવાર એકનાથ રાનડે માટે કહેલું કે, 'લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.' 



સૌથી પહેલાં તો, કેટલી નફ્ટાઈથી અને બેશર્મીથી સોશિયલ મીડિયા પર બનાવટી સમાચાર ચગાવી શકાય છે એનું એક તાજું ઉદાહરણ જોઈ લો. થોડા દિવસો પહેલાં ટ્વિટર પર કોઈ દુષ્ટ અળવીતરાએ ‘બ્રેકિંગ ન્યૂઝ’ વહેતા કર્યા ક્ે, ‘ઉત્તરપ્રદેશના ભદોહી નગરમાં મુસ્લિમોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી નાખ્યું એવો આક્ષેપ મુકાયો છે. શું ભારત સાઉદી એરેબિયા બની ગયું છે? મીડિયા મૌન ધારણ કરીને બેઠું છે.’ સાથે ખંડિત પ્રતિમાની તસવીર પણ મૂકી હતી.
જોતજોતામાં લાખો-કરોડો લોકો સુધી આ સમાચાર પહોંચી ગયા. આ ‘સમાચાર’ને ક્રોસચેક કરવાની તસદી કોણ લે? ટ્વિટને યથાતથ સ્વીકારીને પ્રતિક્રિયા આપનારાઓની સંખ્યા જોતજોતામાં હજારોમાં પહોંચી ગઈ.
હકીકત શું હતી? અલાહાબાદથી લગભગ ૮૦ કિલોમીટરના અંતરે આવેલા ભદોહી નામના નગરમાં સ્વામી વિવેકાનંદના એક પૂતળાનો શિરચ્છેદ થયો હતો તે વાત સાચી. સૌથી પહેલાં અખંડ ભારત નામની કોઈ ઓછી જાણીતી વેબસાઇટ પર આ સમાચાર મુકાયા હતા. પછી પત્રિકા નામની બીજી વેબસાઇટે આ ન્યૂઝ લીધા. બંને વેબસાઇટના રિપોર્ટમાં કહેવાયું હતું કે વિવેકાનંદની પ્રતિમા ખંડિત કરવાનું કૃત્ય અસામાજિક તત્ત્વોએ કર્યું છે. બેમાંથી એકેય જગ્યાએ આ અસામાજિક તત્ત્વો મુસ્લિમ છે એવો કોઈ ઈશારો સુદ્ધાં નહોતો. મૂર્તિને નુકસાન પહોંચાડનારાની ધરપકડ કરવામાં આવી છે તે વાત પણ આ જ સમાચારમાં સમાવી લેવામાં આવી હતી. ટૂંક્માં, એક ઘટના બની, પ્રશાસને તરત પગલાં લીધાં, વાત પૂરી થઈ ગઈ. ઉત્તરપ્રદેશના મેઇનસ્ટ્રીમ મીડિયાએ આ બનાવની નોંધ સુદ્ધાં ન લીધી.
પણ પેલા ટ્વિટર મહાશયે (એનું નામ લખીને ખોટી પબ્લિસિટી શું કમ આપવી?) આખા ઘટનાક્રમને વિકૃત વણાંક આપી દીધો. વિવેકાનંદની મૂર્તિનું મસ્તક ધડથી અલગ કરી દેનારા સંભવતઃ મુસ્લિમ છે એવું ઉમેરીને આખી વાતને કોમી રંગ આપવાની એણે કુચેષ્ટા કરી નાખી. ટ્વિટર પર તડાફ્ડી બોલી ગઈ પછી આખરે ભદોહીના પોલીસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરવી પડી કે મૂર્તિને નુકસાન પહોંચાડનાર આરોપી માનસિક રીતે અસ્થિર છે, એને તરત જ એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને એ મુસ્લિમ નહીં, પણ હિંદુ છે.
સોશિયલ મીડિયા પર સેન્સરશિપ ખાસ્સી ઢીલી છે એટલે લોકોને ઉશ્કેરી મૂકે એવા અર્ધસત્યોથી માંડીને મરી-મસાલા ઉમેરેલાં હળહળતાં જૂઠાણાંની ક્યારેક રેલમછેલ બોલતી રહે છે. આ સ્થિતિ ગંભીર જોખમ ઊભાં કરી શકે છે. આવા માહોલમાં ફેસબુસ-વોટ્સએપ-ટ્વિટર વગેરે પર જે કંઈ વાંચવા મળે એમાંથી સતર્ક રહીને સાચું-ખોટું સૂંઘી શકવાની સજ્જતા કેળવવાની જવાબદારી આપણી પોતાની. સ્વામી વિવેકાનંદની પ્રતિમા અથવા સ્મારકની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણાં મનમાં દક્ષિણ ભારતના સાવ છેડે કન્યાકુમારી નજીક આવેલા વિવેકાનંદ શિલા સ્મારકનું સ્મરણ થઈ જાય. આ સ્મારક સાથે એકનાથ રાનડેનું નામ જોડાયેલું છે. ૧૯ નવેમ્બરે, એકનાથજીની ૧૦૩મી જન્મ-જયંતી ઊજવાઈ. ૧૯૧૪માં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા એકનાથ રાનડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નિષ્ઠાવાન કાર્યકર્તા હતા. એમના નામથી આજે લોકો ખાસ પરિચિત નથી એનું મોટું કારણ એ છે કે એમણે પ્રસિદ્ધિની કદી પરવા નહોતી કરી. એમને હંમેશાં માત્ર પોતાના કામથી મતલબ હતો.
આરએસએસના સ્થાપક કે.બી. હેડગેવરનું ૧૯૪૦માં મૃત્યુ થયું પછી માધવ ગોળવળકરે (ગુરુજી) સંઘનું સુકાન હાથમાં લીધું હતું. દેશને આઝાદી મળ્યા પછી નથુરામ ગોડસેના હાથે ગાંધીજીની હત્યા થતાં હાહાકાર મચી જવો સ્વાભાવિક હતો. ગોડસે થોડા સમય માટે સંઘની શાખામાં આવેલો, પણ સંઘની વિચારધારા નરમ લાગતાં એ હિન્દુ મહાસભામાં જોડાઈ ગયો હતો. જવાહરલાલ નહેરુની સરકારે ગાંધીહત્યાને આગળ કરીને સંઘ પર પ્રતિબંધ મૂકયો. ગુરુજી સહિત કેટલાય સ્વયંસેવકોને જેલમાં પુરવામાં આવ્યા. આવા માહોલમાં દેશવ્યાપી સત્યાગ્રહની જવાબદારી એકનાથ રાનડેને સોંપવામાં આવી હતી. ભૂગર્ભમાં રહીને તેઓ સફ્ળતાપૂર્વક સત્યાગ્રહનું સંચાલન કરતા રહૃાા. સરકાર સાથે મંત્રણાનો દોર પણ ચાલુ રાખ્યો. આખરે સત્ય બહાર આવ્યું અને આરએસએસ પરનો પ્રતિબંધ હટાવી દેવો પડયો.
એકનાથ રાનડે સતત કામ કરતા રહૃાા. એમના ભરપૂર પરિશ્રમને પરિણામે બંગાળ, આસામ જેવાં પૂર્વના રાજ્યોમાં સંઘની શાખાઓ ખૂલી. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન તેઓ સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ બન્યા, પછીના છ વર્ષ સંઘના જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત રહૃાા અને ત્યાર બાદ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ બન્યા. ૧૯૬૩માં ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ ઉજવાઈ. સ્વામીના વિચારોના પ્રચાર-પ્રસારની જવાબદારી એકનાથજીએ ઉપાડી લીધી. એમણે સ્વામીજીનાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો અને ‘રાઉઝિંગ કૉલ ટુ હિન્દુ નેશન’ (હિન્દીમાં ‘ઉતિષ્ઠમ્ જાગ્રત’) નામનું પુસ્તક લખ્યું.

Swami Vivekanand Rock Memorial, Kanyakumair

કન્યાકુમારીથી થોડે દૂર દરિયામાં એક વિરાટ શિલા છે, જે શ્રીપાદ શિલા તરીકે ઓળખાય છે. શિકાગોની પ્રસિદ્ધ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલાં વિવેકાનંદે આ શિલા પર સાધના કરી હતી. રાષ્ટ્રીય સેવક સંઘે નિર્ણય લીધો કે વિવેકાનંદની જન્મ શતાબ્દિ નિમિત્તે શ્રીપાદ શિલા પર એમનું યાદગાર સ્મારક ઊભું કરવું. વિવેકાનંદ શિલા સ્મારક સમિતિની રચના કરવામાં આવી, જેના સંગઠન મંત્રી એકનાથ રાનડેને બનાવવામાં આવ્યા.
કન્યાકુમારીમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી. એમની નજર આ શ્રીપાદ શિલા પર હતી. તેઓ ત્યાં મધર મેરીનું દેવળ ઊભું કરવા માગતા હતા. એમણે શિલાને ‘સેન્ટ ઝેવિયર શિલા’ એવું નામ પણ આપી દીધું હતું. સ્વામી વિવેકાનંદના નામની તકતીને ઉખાડીને સમુદ્રમાં ફેંકી દેવાની ઘટના બની હોવાથી આ જગ્યા વિવાદાસ્પદ બની ગઈ હતી. કેરળ અને તામિલનાડુમાં ખ્રિસ્તી પ્રજા ઘણી હોવાથી સરકારે વિવેકાનંદ શિલા સ્મારક સમિતિને વિવેકાનંદનું મેમોરિયલ ઊભું કરવાની પરવાનગી ન આપી.
એકનાથ રાનડેએ તામિલનાડુના તે વખતના મુખ્યમંત્રી ભકતવત્સલમ્ સાથે ઘણી મંત્રણાઓ કરી, પણ પરિણામ શૂન્ય. એકનાથજી તત્કાલીન વડાપ્રધાન નહેરુને પણ મળ્યા, પણ નહેરુજી પોતાની સેક્યુલર ઇમેજ અખંડ રાખવા માગતા હોવાથી વિવેકાનંદના સ્મારકમાં રસ ન દેખાડયો. એકનાથ રાનડેએ ઢીલા પડયા વગર એક પછી એક સાંસદોને વ્યકિતગત સ્તરે મળવાનું શરૂ કર્યું. સ્મારકના સમર્થનમાં એમની સહીઓ લીધી. એકનાથજીએ કુલ ૩૨૩ સાંસદોના દસ્તખતવાળું આવેદનપત્ર નહેરુને સુપરત કર્યું. આવું કશુંય બનશે એવી નહેરુજીએ કલ્પના કરી નહોતી. તેઓ કૂણા પડયા, પોતાનું વલણ બદલ્યું. તામિલનાડુના ચીફ્ મિનિસ્ટરે પણ આખરે હા પાડવી પડી.
સ્વામી વિવેકાનંદના સ્મારક માટે મંજૂરી તો મળી ગઈ, પણ હવે તે માટે જરૂરી ભંડોળ કયાંથી કાઢવું? એકનાથ રાનડે આખા દેશમાં ફ્રી વળ્યા. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની તસવીરો એક-એક રૂપિયામાં વેચી. તેઓ નાના-મોટા સૌની પાસે દાન લેવા જતા. જે કંઈ રકમ મળે તે સ્વીકારી લેતા. બંગાળ અને કેરળની સામ્યવાદી સરકારોએ પણ યથાયોગ્ય ફળો નોંધાવ્યો. એકનાથે પાઈ-પાઈનો પાક્કો હિસાબ રાખ્યો. કુલ એકત્રિત થયેલી રકમ હતી, એક કરોડ સત્તર લાખ દસ હજાર ચારસો છ રૂપિયા અને છ પૈસા!
૧૯૭૦માં સ્મારકનું નિમાર્ણકાર્ય પૂરું થયું. તેનું ઉદ્ઘાટન કરનાર તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ કર્યું, તેઓ સંઘના પ્રખર વિરોધી હતા તો પણ. એકનાથ નહોતા ઇચ્છતા કે શિલા સ્મારક માત્ર એક ટૂરિસ્ટ સ્પોટ બનીને અટકી જાય. તેમણે વિવેકાનંદ કેન્દ્ર નામની સંસ્થા ઊભી કરી. વિવેકાનંદના વિચારોને અનુરૂપ ગરીબો અને વંચિતો માટે એકાધિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. ‘યુવભારતી’ નામના માસિક, ‘બ્રહ્મવાદિન’ નામના ત્રિમાસિક અને ‘વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા’ નામના અર્ધવાર્ષિકનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું. આ ત્રણેય સામયિકોના તંત્રી એકનાથ રાનડે હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં વિદેશ મંત્રાલય હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સના સભ્ય બનાવવામાં આવ્યા. એકનાથ રાનડેનું વ્યકિતત્વ એવું હતું કે વિરોધીઓમાં પણ તેઓ સ્વીકૃતિ પામતા. સરદાર પટેલે એકવાર એમના માટે કહેલું કે, ‘લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.’ ભરપૂર જીવનને અંતે ૨૨ ઓગષ્ટ ૧૯૮૨ના રોજ ૬૮ વર્ષીય એકનાથ રાનડેનું નિધન થયું.
સહેજે વિચાર આવે છે. સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને એકનાથ રાનડેના જમાનામાં સોશિયલ મીડિયા આવી ગયું હોત તો કેવો તરખાટ મચી જાત!

0 0 0 

Wednesday, November 29, 2017

એન આર્ટિસ્ટ રિટર્ન્સ…

Sandesh - Sanskar purti - November 26, 2017
મલ્ટિપ્લેક્સ

એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ. પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી. 


  થેન્ક ગોડ… તનુજા ચંદ્રા હજુ છે, હેમખેમ છે અને ફુલ ફોર્મમાં છે!
‘કરીબ કરીબ સિંગલ’ જોતી વખતે અને જોયા પછી સૌથી પહેલો હાશકારો આ વાતે થયો હતો. તનુજા ચંદ્રા જેવાં તેજસ્વી ફ્લ્મિમેકર વચ્ચેનાં વર્ષોમાં બોલિવૂડના પટ પરથી લગભગ ગાયબ થઈ ગયાં હતાં. મલ્ટિપ્લેક્સ કલ્ચરનો ઉદય થયા પછી હિન્દી સિનેમા નવી નવી રંગછટા ધારણ ધારણ કરી રહૃાું હતું, નવા તેજસ્વી ફ્લ્મિમેકર્સ મસ્તમજાની ફ્લ્મિો લઈને ઉપસ્થિત થઈ રહૃાા હતા, પણ આવા માહોલમાં એક સમયે નવોદિત ડિરેક્ટર તરીકે જેણે ખૂબ બધી અપેક્ષાઓ ઊભી કરી હતી એવાં તનુજા ચંદ્રાનો કોઈ અતોપતો નહોતો.
યંગસ્ટર્સ કદાચ જાણતા નહીં હોય, પણ તનુજા ચંદ્રાની ડિરેકટર તરીકેની સૌથી પહેલી ફ્લ્મિ આજથી ઓગણીસ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૮માં. એનું ટાઇટલ હતું ‘દુશ્મન’. મહેશ ભટ્ટનું બેનર. આ એક રિવેન્જ મૂવી હતી, જેમાં કાજોલનો ડબલરોલ હતો. એ વખતે ખાસ જાણીતા ન બનેલા મોટી મોટી આંખોવાળા આશુતોષ રાણાએ આ ફ્લ્મિમાં ઓડિયન્સ કાંપી ઊઠે એવો વિલનનો રોલ કર્યો હતો. ફ્લ્મિ હિટ થઈ અને તેને ડિરેકટ કરનાર તનુજા ચંદ્રા નામની ટ્વેન્ટી-સમથિંગ જુવાનડી એકદમ પ્રકાશમાં આવી ગઈ. અલબત્ત, ‘દુશ્મન’ની પહેલાં તનુજાના નામે બે ફ્લ્મિો ચડી ગઈ હતી, એક લેખિકા તરીકે. એક હતી મહેશ ભટ્ટની ઓફ્બીટ ‘તમન્ના’ (જેમાં પરેશ રાવલે હિજડાની અફ્લાતૂન ભૂમિકા ભજવેલી) અને બીજી હતી યશ ચોપડાની અલ્ટ્રા ગ્લેમરસ ‘દિલ તો પાગલ હૈ’ (શાહરૂખ-માધુરી-કરિશ્મા). આ બંને ફ્લ્મિો ‘દુશ્મન’ની એક જ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૭માં. તનુજાએ, અલબત્ત, આ ફ્લ્મિો એકલપંડે નહોતી લખી, આ બંનેમાં તેઓ સહલેખિકા હતાં.

તનુજાને ફ્લ્મિી કલ્ચર વારસામાં મળ્યું છે. તનુજાનાં મમ્મી કામના ચંદ્રા સફ્ળ ફ્લ્મિલેખિકા. ‘પ્રેમરોગ’, ‘ચાંદની’, ‘૧૯૪૨: અ લવસ્ટોરી’, ‘કરીબ’ અને લેટેસ્ટ ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફ્લ્મિો કામના ચંદ્રાના બાયોડેટામાં બોલે છે. જાણીતાં ફ્લ્મિ જર્નલિસ્ટ-રાઇટર-રિવ્યુઅર અનુપમા ચોપડા તનુજાનાં મોટાં બહેન થાય. આ ન્યાયે ટોચના ફ્લ્મિમેકર વિધુ વિનોદ ચોપડા તનુજાના જિજાજી થાય. અમેરિકામાં સેટલ થઈ ગયેલા તનુજાના ભાઈ વિક્રમ ચંદ્રા એવોર્ડવિનિંગ નવલકથાકાર છે, જેમના ‘સેક્રેડ ગેમ્સ’ નામના પુસ્તક પરથી નેટફ્લિક્સ સૈફ્ અલી ખાનને લઈને વેબ-સિરીઝ બનાવી રહૃાું છે. નેટફ્લિકસની આ પહેલી ઇન્ડિયન સિરીઝ હશે. ટૂંકમાં, તનુજાનો આખો પરિવાર ક્રિયેટિવ આર્ટ્સ સાથે સંકળાયેલો છે.

Tanuja Chandra

‘દુશ્મન’ પછી એક વર્ષ બાદ તનુજાની બીજી ડિરેક્ટોરિઅલ ફ્લ્મિ આવી – ‘સંઘર્ષ’. તે ઓસ્કરવિનિંગ ફ્લ્મિ ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ’ પરથી પ્રેરિત હતી. અત્યાર સુધી ફ્કત મારધાડવાળી મસાલા ફ્લ્મિો કરનાર અક્ષયકુમારને જિંદગીમાં પહેલી વાર ‘પર્ફેર્મન્સ ઓરિએન્ટેડ’ રોલ મળ્યો હતો. ફ્લ્મિમાં પ્રીતિ ઝિન્ટા પણ હતી. અદ્ભુત ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ્સ’ને મનમાં રાખીને ‘સંઘર્ષ’ જોવા ગયેલા દર્શકોને એમાં કયાંથી મજા આવે, પણ સમગ્રપણે આ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સનું ધ્યાન જરૂર ખેંચી શકી. સૌને નવાઈ એ વાતની લાગતી હતી કે તનુજા ચંદ્રા નામની આ ચશ્મિસ્ટ છોકરી દેખાવે તો સાવ દુબળીપાતળી ને સીધીસાદી છે, પણ એની ફ્લ્મિો આટલી હિંસક અને ડાર્ક કેમ હોય છે?
બોલિવૂડની હોટ-એન્ડ-હેપનિંગ ડિરેકટર તરીકે પ્રતિષ્ઠા હજુ બને ત્યાં તો તનુજા ચંદ્રાનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં. ત્રીજી ફ્લ્મિ, ‘યે ઝિંદગી કા સફર’ (અમિષા પટેલ-જિમી શેરગિલ, ૨૦૦૧). ફ્લોપ. ‘સૂર’ (લકી અલી – ગૌરી કાર્ણિક, ૨૦૦૨). ગીતસંગીત સારાં પણ ફ્લ્મિ હરખાવું પડે એવી નહીં. ‘ફ્લ્મિ સ્ટાર’ (પ્રિયાંશુ ચેટર્જી – મહિમા ચૌધરી, ૨૦૦૫). હરામ બરાબર કોઈએ આ ફ્લ્મિનું નામ પણ સાંભળ્યું હોય તો! ‘ઝિંદગી રોકસ’ (સુસ્મિતા સેન-શાઇની આહુજા, ૨૦૦૬). ડિટ્ટો. ‘હોપ એન્ડ અ લિટલ સુગર’ (મહિમા ચૌધરી-અનુપમ ખેર વગેરે, ૨૦૦૮). ડિટ્ટો.
…અને બસ, તનુજા ચંદ્રાની ફ્લ્મિોગ્રાફીનો ધી એન્ડ. વેલ, ઓલમોસ્ટ. ૨૦૦૮થી ૨૦૧૭ એટલે કે પૂરાં નવ વર્ષ દરમિયાન તનુજા એવી રીતે ગાયબ થઈ ગયાં કે છાપામાં ‘ખોવાયા છે’ પ્રકારની જાહેરાત આપવી પડે. ગણ્યાગાંઠયા અપવાદ સિવાય ન કોઈ ફ્લ્મિી ઇવેન્ટમાં દેખાય, ન કોઈ એવોર્ડ ફ્ંકશનમાં ફરકે. ટીવી પર આજકાલ અલગ-અલગ શોઝમાં ફ્લ્મિી લોકો પડયાપાથર્યા રહે છે, પણ સ્મોલ સ્ક્રીન પર પણ તનુજાનું નામોનિશાન નહીં. ફ્લ્મિી સામયિકો-લખાણોમાં એમનો ઉલ્લેખ ન મળે. અરે, કોઈના મોઢે પણ એમનું નામ ન સંભળાય. તનુજા ચંદ્રા લગભગ ભુલાઈ ગયાં.
પણ થોડાં અઠવાડિયાં પહેલાં ‘કરીબ કરીબ સિંગલ’નું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયાં, પ્રમોશનલ એકિટવિટી શરૂ થઈ અને એકાએક આ ફ્લ્મિના ડિરેક્ટર અને સ્ક્રીનપ્લેરાઇટર તરીકે તનુજા ચંદ્રા પ્રગટયાં. ઇરફાન જેવા ધરખમ હીરો સામે પાર્વતી નામની તદ્દન અજાણી મલયાલી એકટ્રેસ મુખ્ય ભૂમિકામાં હતી. ટ્રેલર મસ્ત હતાં, પણ આખું સેટ-અપ લો-પ્રોફાઇલ હતું. તરત ધ્યાન ખેંચાય એવી વાત એ હતી કે વાયોલન્ટ અને ડાર્ક ફ્લ્મિો માટે જાણીતાં તનુજા ચંદ્રાએ આ વખતે પોતાની મૂળ ફ્લ્મિી તાસીર કરતાં તદ્દન અલગ એવી રોમેન્ટિક કોમેડી પર હાથ અજમાવ્યો હતો.
ફ્લ્મિ આ મહિને રિલીઝ થઈ. સુંદર, સહજ અને ઓડિયન્સને હસતા રાખે એવી મજાની ફ્લ્મિ. ૨૦૧૭ની શરૂઆતમાં ઇરફાનને આપણે ‘હિન્દી મીડિયમ’ નામની અફ્લાતૂન ફ્લ્મિમાં હલકાફૂલકા અવતારમાં જોયા હતા. ‘કરીબ કરીબ સિંગલ’ જાણે એ જ હળવાફૂલ અવતારનું એકસટેન્શન છે. ‘કરીબ કરીબ સિંગલ’ કંઈ મહાન માસ્ટરપીસ નથી, ક્ે નથી એણે બોક્સઓફ્સિ પર તોફાન મચાવ્યું, પણ નિઃશંકપણે તે આ વર્ષની સૌથી એન્જોયેબલ ફ્લ્મિોમાંની એક જરૂર છે. આ ફ્લ્મિ જોઈને ઇરફાનના નવેસરથી પ્રેમમાં પડી જવાય છે અને પાર્વતીની હવે પછીની હિન્દી ફ્લ્મિની રાહ જોવાનું મન થાય છે. સૌથી વધારે ધરપત તો, અગાઉ કહૃાું તેમ, એ વાતે થાય છે કે ભલે ‘દુશ્મન’-‘સંઘર્ષ’ પછી તનુજા ચંદ્રાની કરિયર અપેક્ષા પ્રમાણે આગળ ન વધી, ભલે એ વચ્ચેના વર્ષોમાં એ સાવ વિસરાઈ ગયાં પણ થેન્ક ગોડ, એમનો ક્રિયેટિવ ફોર્સ આજેય અકબંધ છે, રિલેવન્ટ છે, કદાચ વધારે અણિયાળો બન્યો છે.
એક મિનિટ. તનુજા ચંદ્રા હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે વચ્ચેનાં વર્ષોમાં હું ભલે મીડિયા અને પબ્લિકની નજરમાંથી ઓઝલ થઈ ગઈ હોઈશ, પણ હું નિષ્ક્રિય કયારેય નહોતી બની. તનુજાએ બે ફ્લ્મિોની સ્ક્રીપ્ટ્સ પર કામ કર્યું હતું. કેટલાય ડ્રાફ્ટ્સ તૈયાર કર્યા, કાસ્ટિંગ સુધી વાત પહોંચી ગઈ, પણ છેલ્લી ઘડીએ એક પછી એક બંને પ્રોજેકટ્સ અભેરાઈ પર ચડી ગયા. આ આખી પ્રોસેસમાં એમનો કીમતી સમય વેડફઈ ગયો. એમ તો એમણે આ ગાળામાં ‘બિજનીસ વુમન’ નામનું અંગ્રેજી પુસ્તક પણ લખ્યું. ઉત્તર પ્રદેશના અતરંગી અને અસલી પાત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ આ જ વર્ષે જુલાઈમાં રિલીઝ થયો હતો.
બનતું હોય છે આવું. ફ્લ્મિલાઇન છે જ એવી. એક ફ્લ્મિ બનવા માટે એકસાથે એટલા બધા ગ્રહોની યુતિ થવી પડતી હોય છે કે એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે વચ્ચેના ખાલી અવકાશમાં ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ.

Saandeep Patel

આજકાલ ગુજરાતી ફ્લ્મિ ‘લવની ભવાઈ’ તરંગો ફેલાવી રહી છે. એના ડિરેકટર સંદીપ પટેલે અગાઉ ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ (૧૯૯૯) અને ‘ગગો કે’ દા’ડાનું પૈણું પૈણું કરતો’તો’ (૨૦૦૫) બનાવી હતી. એ જમાનો ‘જૂની ગુજરાતી ફ્લ્મિો’નો હતો. વચ્ચેનાં વર્ષોમાં એમણે ખૂબ બધી ટીવી સીરિયલો ડિરેકટ કરી. દરમિયાન ગુજરાતી સિનેમાનો નવો દોર શરૂ થયો અને સંદીપ પટેલ બાર વર્ષ પછી ફરી પાછા ફ્લ્મિમેકર તરીકે મેદાનમાં પાછા ઉતર્યા. બાર વર્ષનો ગાળો બહુ લાંબો કહેવાય. ટીવીના કર્મ્ફ્ટ ઝોનમાં બહાર આવીને નવા સિનેમેટિક માહોલમાં, નવા ઓડિયન્સ માટે, નવી સેન્સિબિલિટી સાથે ફ્લ્મિ બનાવવી સહેલી નથી, પણ ‘લવની ભવાઈ’ જેવી ખુશનુમા, યુથફુલ અને સફ્ળ ફ્લ્મિ બનાવીને સંદીપ પટેલે પુરવાર કર્યું કે એક ફ્લ્મિમેકર તરીકેનું એમનું પેશન કયારેય ઠર્યું નહોતું. બલકે, તે વધારે ધારદાર બન્યું છે. પ્રોજેક્ટ ફ્લોર પર હોય કે ન હોય, પણ એક ક્રિયેટિવ આર્ટિસ્ટ તરીકે તેઓ સતત જાગૃત અને અપડેટેડ રહૃાા છે.
ઘણા કિસ્સાઓ છે. મેઘના ગુલઝારે ૨૦૦૨માં ‘ફ્લિહાલ’ બનાવી હતી. પાંચ વર્ષ પછી ‘જસ્ટ મેરીડ’ નામની ફ્લ્મિ આવી. પછી એ ગાયબ થઈ ગયા. પછી સીધા ૨૦૧૫માં પ્રગટયાં – આરુષી મર્ડર કેસ પર આધારિત ‘તલવાર’ નામની અફ્લાતૂન, ગર્વ થાય એવી ફ્લ્મિ લઈને. માસ્ટર ફ્લ્મિમેકરોની વાત કરીએ તો, સ્ટેન્લી કુબ્રિકની અંતિમ બે ફ્લ્મિો ‘ફુલ મેટલ જેકેટ’ (૧૯૮૭) અને ‘આઇઝ વાઇડ શટ’ (૧૯૯૯) વચ્ચે અગિયાર વર્ષનો ગાળો હતો, ડેવિડ લીનની ‘રાયન્સ ડોટર’ (૧૯૭૦) અને ‘અ પેસેજ ટુ ઇન્ડિયા’ (૧૯૮૪) વચ્ચે ૧૪ વર્ષનો ગાળો હતો, જ્યારે ટેરેન્સ મલિકની ‘ડેઝ ઓફ્ હેવન’ (૧૯૭૮) અને ‘ધ થિન રેડ લાઇન’ (૧૯૯૮) વચ્ચે વીસ વર્ષનો ગાળો હતો!
પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી.

                                                                        000

Wednesday, November 15, 2017

ટાગોર, નોબેલ પ્રાઇઝ અને ફ્રસ્ટ્રેશન

Sandesh - Ardh Saptahik Purti - 8 Nov 2017
ટેક ઓફ

'નોબેલ પ્રાઇઝને કારણે)અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે.'



વીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩માં સાહિત્યનું નોેબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ૪૮ વર્ષના હતા. યુરોપિયન ન હોય એવી કોઈ વ્યકિતને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એવી આ પહેલી ઘટના. કેટલી પ્રચંડ સિદ્ધિ. ભારત આજે સો કરતાં વધારે વર્ષ પછીય ટાગોરને મળેલા આ સન્માનના કેફ્માં ઝુમી રહૃાું છે. કોઈપણ સાહિત્યકાર માટે નોબેલ પ્રાઇઝ કરતાં વધારે મોટી સ્વીકૃતિ બીજી કઈ હોવાની. આ કક્ષાનું આંતરરાષ્ટ્રીય બહુમાન મળે એટલે માણસ ધન્ય ધન્ય થઈ જાય, સુખી સુખી થઈ જાય, ખરું?
ના!
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને આનંદ, ગર્વ, સંતોષ બધું જ થયું હશે, એક સર્જક તરીકેનો એમનો ઇગો પણ ખૂબ સંતોષાયો હશે, પણ એમણે લખેલા પત્રો વાંચતા આપણને સમજાય છે કે નોબેલ પ્રાઇઝે એમને આૃર્ય થાય એટલી હદે અકળાવી મૂકયા હતા. આ પત્રો ગુરિદેવે વિલિયમ રોધેન્સ્ટાઇનને લખ્યા છે. લંડનવાસી ચિત્રકાર રોધેન્સ્ટાઇન એટલે ટાગોરના પરમ મિત્ર. ટાગોરને અને એમની કૃતિઓને પશ્ચિમમાં સર્વપ્રથમ ઇન્ટ્રોડયુસ કરાવનાર વ્યકિત આ જ. તેઓ પહેલી વાર પ્રત્યક્ષ મળ્યા ત્યારે ટાગોર ઓગણચાલીસ વર્ષના હતા અને રોધેન્સ્ટાઇન પચાસના. ક્રમશઃ અંતરંગ બનતી ગયેલી એમની મૈત્રી ત્રણ દાયકા સુધી વિસ્તરી. મેરી લેગો નામનાં અમેરિકન મહિલાએ આ બંને કલાપુરુષો વચ્ચે થયેલા પત્રવ્યવહારનું અદ્ભુત સંપાદન કર્યું છે.
ટાગોરે નોબેલ પ્રાઇઝને કારણે પેદા થયેલું ફ્રેસ્ટ્રેશન મુકતમને પોતાના વિશ્વાસુ સખા રોધેન્સ્ટાઇન સાથે શેર કર્યું છે. ૧૮ નવેમ્બર, ૧૯૧૩ના રોજ શાંતિનિકેતનથી ટાગોર લખે છેઃ
મારા પ્રિય મિત્ર,
મને નોબેલ-સન્માનથી નવાજેશ મળી એ સંદેશો આવ્યો એ જ ઘડીએ મારું હૃદય સ્નેહ અને કૃતજ્ઞાતાથી સભર તમારી તરફ્ વળ્યું છે. (આ ઘટનાથી) મારા મિત્રોમાંથી તમારા કરતાં વધુ ખુશી કોઈને ન થાય તેની મને ખાતરી છે. સર્વોચ્ચ સન્માન તો એ છે કે આવા સન્માનથી પ્રિયજનોના હૈયે હર્ષના હિલ્લોળ ઊઠે. પણ સાથે સાથે આ બધું મારી આકરી કસોટી કરે એવું છે. પ્રજાના ઉન્માદનો જે વંટોળ ઊઠયો છે એ સાચે જ બિહામણો છે. કૂતરાની પૂંછડીએ ખાલી ડબલું બાંધીએ તો એ જ્યાં જશે ત્યાં અવાજ કરીને લોકોને ભેગા કરશે. બસ, આના જેવી જ નઠારી સ્થિતિ મારી છે. થોડા દિવસથી (ખુશાલીના) તાર-કાગળનો ઢગલો થાય છે. જેમને મારે માટે સદ્ભાવનાનો છાંટો નહોતો કે જેમણે મેં લખેલો અક્ષરેય વાંચ્યો નથી એ લોકોનો કોલાહલ સહુથી કર્ણકટુ છે. આ શોરબકોરથી કેટલો થાકયો છું એ તમને કઈ રીતે કહું? ખરેખર તો આ લોકો મને નહીં, મને મળેલ સન્માનને નવાજવા નીકળ્યા છે. હા, શાંતિનિકેતનનાં બાળકો જે સાચુકલા ગર્વ અને આનંદપૂર્વક પ્રસંગ ઉજવે છે એ એકમાત્ર સાટું વાળનાર બીના છે.
પ્રજાનો ઉન્માદ ટાગોરને બિહામણો લાગે છે અને પોતાની જાતને તેઓ લગભગ કૂતરા સાથે સરખાવી દે છે! ત્રણ જ અઠવાડિયાં પછી, ૧૦ ડિસેમ્બર ૧૯૧૩ના રોજ કવિવર બીજા એક કાગળમાં સ્પષ્ટપણે એવા મતલબનું લખે છે કે નોબેલને લીધે જે મારી આસપાસ જે હાઇપ ઊભી થઈ છે તે મારી પ્રકૃતિને અનુરૂપ છે જ નહીં.

Rabindranath Tagore with William Rothenstein, July 1912

મારા મિત્ર,
મારા આ દિવસો ખલેલોથી ખદબદ, મારે માટે સાવ નકામા છે. પત્રો લખીને, ખોબે ભરીને આભારવચનો પાઠવીને અને મુલાકાતીઓને આવકારીને હું થાકી ગયો છું. તમને કઈ રીતે સમજાવું કે એકાએક આવી પડેલ આ બહુમાનને ગાંઠે એવી મારી પ્રકૃતિ નથી. શિયાળાનો આ તડકો મધુરો લાગે છે, અને હરિયાળી પોતાનો વૈભવ મારી ચોતરફ્ પાથરીને બેઠી છે… મારે નિરાંતની મિજલસ રચવી છે અને મારા વિચારોને આકાશની નીલિમામાં ઝબોળવા છે. ચોપાસ ઊડતાં પંખીઓ કોઈ માનઅકરામની પરવા વિના આનંદના ટહુકા કર્યા કરે છે. આજે સવારે જ એક એક વાછરડું ઘાસ ઉપર લંબાવીને નિરાંતે તડકો માણી રહૃાું હતું, ત્યારે મારા મનમાં આ વિશાળ સૃષ્ટિ પર વેરાયેલી નિસર્ગ-સંપદાને અને જીવનના આ વૈભવને મુકતપણે માણવાની ઉત્કંઠા ઊગે છે. પણ મારા સત્ત્વ સાથે જેનો કોઈ મેળ નથી એવી બાબતો મારા ચિત્ત પર સવાર થઈ છે ને મારો સમય બરબાદ કરી કરી છે. મારા મિજાજ પર તમને હસવું આવશે, પણ આ પણ એક સત્ય છે.
સ્નેહપૂર્વક, હું છું સદાય તમારો
રબીન્દ્રનાથ ટાગોર
ફેબ્રુઆરી ૧૯૧૪માં ટાગોરે રોધેન્સ્ટાઇનને લખેલા કાગળનો એક અંશઃ
‘…મારા અંગ્રેજ મિત્રો પરના મારા પત્રો સામાન્ય રીતે ટૂંકા હોય. કારણ એ નથી કે મારી યાદદાસ્ત ક્ષીણ છે કે મારો પ્રેમ અલ્પ છે, કે લખવાના વિષયોનો તોટો છે. તમને મારે માટે અનુકંપા ન જ હોય, કારણ કે તમારી ભાષામાં લખવું મારે માટે સરળ નથી એ તમે સમજી નહીં શકો. અંગ્રેજી ભાષાના સાદા વપરાશો બાબતમાં હું છબરડા વાળતો હોઉં. વાકયરચના નાની કરવાની શબ્દ-કરામતો મને આવડતી ન હોય. ઘણી વાર સાવ સાદી વાત અંગ્રેજીમાં લખતા ન આવડે. લોકોને પ્રશ્ન થાય કે ‘ગીતાંજલિ’નાં કાવ્યોના અનુવાદ આમણે કર્યા હશે? – તો એમાં નવાઈ નથી.
મને અન્યાય કરનારો એક લાભ તમને એ છે કે તમે મને અંગ્રેજીમાં લખેલા પત્રોનો જવાબ હું મારી બંગાળી ભાષામાં નથી લખી શકતો. આમ, તમારા મારી ભાષાના અજ્ઞાાનને કારણે મારે સહેવાનું થાય, તેમ તમારી ભાષાના મારા અજ્ઞાાનને કારણે તમારે સહન કરવાનું બને છે કે નહીં એ જાણતો નથી.’
આવડો મોટો જગપ્રસિદ્ધ કવિ ‘મને અંગ્રેજી બરાબર ફાવતું નથી’ એવા મતલબની કબૂલાત કરે છે! અંગત મિત્રની સામે જ ભલે, પણ પોતાના અહંકારને દાબડીમાં બંધ કરીને આવું પારદર્શક વિધાન કરવા માટે કેટલા નિખાલસ હોવું પડે? નોબેલ પ્રાઇઝ મળ્યું એના સાડાત્રણ વર્ષ પછી ૬ જુલાઈ, ૧૯૧૭ના રોજ ટાગોર લખે છેઃ
મારા પરમ મિત્ર,
હું અમેરિકામાં ભાષણો ઠપકારતો આમથી તેમ ઘુમતો હતો ત્યારે તમારા કેટલાક પત્રો મારી સુધી પહોંચ્યા નહીં હોય.
અમેરિકાના પ્રવાસ-સાહસ પછી હંુ ઈંગ્લેન્ડ રોકાયા વિના સ્વદેશ પાછો આવ્યો એ મારી મોટી નિરાશાની વાત બની. મારા એક સમયના મનગમતા એકાંત પર અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે. મને કેમ ભૂલી જવો એ મારા દેશબાંધવો સમજતા નથી. એ બાબત એમને માટે ઇચ્છનીય નથી તેમ મારે માટે પણ સારી નથી. ઘરની દીવાલોને આંખ અને જીભ હોતી નથી તો એ વસવાયોગ્ય હોય છે. મારી આસપાસ જે દીવાલો છે એ જોઈ શકે છે અને બોલબોલ કર્યા કરે છે. તેથી મને મારા અંગ્રેજ મિત્રોનું શરણું લેવાની ઇચ્છા જાગે છે.
…પણ અવની ન આકાશ બેઉમાં વિહાર કરનાર જીવ જેવી બેવડી વૃત્તિ મને વરેલી છે. મારો ખોરાક પશ્ચિમમાં છે અને શ્વાસ હું પૂર્વમાંથી શ્વસું છું. માળો બાંધવાની જગ્યા મને જડતી નથી. લાગે છે કે મારે યાયાવર પંખી બની રહેવું પડશે – જેણે વારેવારે સાગર પાર કરવાનો હશે અને બંને ઓવારે માળો બાંધવા પડશે.



ટાગોર એવી રીતે વાત કરે છે જાણે નોબેલ પ્રાઇઝ મળવું એ એમના જીવનની કોઈ દુર્ઘટના હોય! ૧ જૂન ૧૯૧૮ના રોજ તેઓ પત્રમાં લખે છે કે,મારી આસપાસ એક પડ બાઝ્યું છે – ખ્યાતિ અને પ્રચારનું પડ. એને ભેદીને નિરાંતમાં લહેરાતી મોજો માણવાની સ્વાધીનતા મેળવી શકું તેમ નથી.’
ભારતીયોએ ટાગોરને પોતાના મસ્તક પર મૂકયા ખરા, પણ પશ્ચિમના સાહિત્યજગતે એમના પર મહાનતાનો થપ્પો માર્યો તે પછી. આ વાસ્તવિકતાથી ટાગોર સભાન હોય જ. આથી જ ૨૬ નવેમ્બર ૧૯૩૨ના રોજ તેઓ લખે છેઃ
‘કેટલીક વાર મનોમન ક્ષોભ પામું છંુ કે મારા દેશબાંધવો અને અમારું સાહિત્યજગત મારા કર્તૃત્વની કદર કરી શકે એ માટે બહારના જગતમાં મારો મહિમા થાય એની રાહ જોવાની થઈ…. (મારાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરીને) તે અંગ્રેજી વાચકો પાસે મૂકવાનું ન વિચાર્યું હોત તો મારા એ અનુવાદો કેવળ નિજાનંદ માટે હતા. જાહેરમાં મૂકવા માટે નહોતા. જો એવું બન્યું હોત તો જીવનપર્યંત મને આનંદ અને સંતોષ હોત. તમે ફ્રી એક વાર (વીસમી સદીના મહાનતમ કવિઓમાંના એક એવા ઈંગ્લેન્ડના) યેટ્સનો મારા વતી પાડ માનજો કે મારી કૃતિઓના વિદેશી અવતારના જોખમી સાહસમાં એમણે મદદ કરી. એમના સાહિત્ય-બંધુત્વનું મૂલ્ય હું જરાય ઓછું નથી કરતો. પછી તો મેં મારી ગદ્ય-પદ્ય કૃતિઓના અંગ્રેજી અનુવાદો કોઈની સહાય વિના કર્યા છે. પણ એ તો મારા વિચારોની અભિવ્યકિત માટે, મારી નથી એ ભાષાની મારી ક્ષમતા સિદ્ધ કરવા નહીં.’
ટાગોરના આ પત્રો ખરેખર વિસ્મય પમાડે છે. કવિવરના આંતરજગતમાં લટાર મારવા માટે ટાગોર-રોધેન્સ્ટાઇના દ્વિપક્ષી પત્રવ્યવહારવાળો આખો લેખ વાંચવા જેવો છે, જે રવીન્દ્રચર્યા નામના નિરંજન ભગત- રાજેન્દ્ર શુક્લ - શૈલેશ પારેખ સંપાદિત પુસ્તકનો હિસ્સો છે.

0 0 0 

Thursday, November 9, 2017

ચેમ્પિયનોનું માઇન્ડસેટ કેવું હોય?

Sandesh - Ardh Saptahik purti - 25 Nov 2017
ટેક ઓફ

'જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali

‘એ તો ચેમ્પિયન માણસ છે.’
કોઈના વિશે આ પ્રકારનો પ્રશંસાત્મક અભિપ્રાય સાંભળીએ ત્યારે આપણા મનમાં કેવા વિચાર જાગે? સૌથી પહેલો વિચાર તો એ આવે કે એ માણસ શ્રેષ્ઠ હશે, નંબર વન હશે અથવા કમસે કમ પોતાના ક્ષેત્રમાં ઘણો જ આગળ હશે. જો સ્પોર્ટ્સનો મામલો હોય તો તરત એવો વિચાર આવે કે એ માણસમાં ભારોભાર ‘નેચરલ ટેલેન્ટ’ હશે. સ્કૂલ લેવલની ટીમથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કુદરતી પ્રતિભાવાળા ખેલાડીઓની બહુ બોલબાલા હોય છે.
એક્ઝેકટલી શું હોય છે આ કુદરતી પ્રતિભા? બૌદ્ધિક ક્ષમતા નરી આંખે દેખાતી નથી, પણ શારીરિક ક્ષમતા ઘણું કરીને દ્રશ્યમાન હોવાની. જેમ કે, ખેલાડીની હાઇટ-બોડી, બાંધો, ચપળતા આ બધું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બોક્સિંગના એક્સપર્ટ્સ જન્મજાત પ્રતિભાશાળી ખેલાડીને પારખવા માટે બોક્સરની મુઠ્ઠીનું કદ, છાતીની પહોળાઈ અને વજન જેવા માપદંડો પર આધાર રાખતા હોય છે. અમેરિકન પ્રોફેશનલ બોક્સર મુહમ્મદ અલી (જન્મઃ ૧૯૪૨, મૃત્યુઃ ૨૦૧૬)ની ગણના વીસમી સદીના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. મજાની વાત એ છે કે બોક્સિંગના ટિપિકલ માપદંડો અનુસાર મુહમ્મદ અલી ‘નેચરલ’ કે ‘કુદરતી રીતે પ્રતિભાશાળી’ નહોતા. એમની પાસે સ્પીડ હતી, પણ એમનો શારીરિક બાંધો ઉત્કૃષ્ટ બોક્સરો જેવો નહોતો. એમની સ્ટ્રેન્થ પણ ઓછી હતી અને એમની મુદ્રાઓ તેમજ મુવ્ઝ ‘કલાસિક’ નહોતી. નિષ્ણાતો કહેતા કે પ્રતિસ્પર્ધીના મુક્કાઓને ખાળવાની મુહમ્મદ અલીની રીત ખોટી હતી. સામાન્ય સમજ એવી છે કે બોક્સરે પોતાનું જડબું એકસપોઝ્ડ ન રાખવું જોઈએ, પણ મુહમ્મદ અલી રાખતા. આ સિવાય પણ એમનામાં બીજું એવું ઘણું હતું જે કુદરતી રીતે પ્રતિભાશાળી બોક્સરમાં ન હોવું જોઈએ.
સની લિસ્ટન નામના ઓર એક અમેરિકન બોકસર ૧૯૫૩થી ૧૯૭૦ સુધી એટલે કે મૃત્યુપર્યંત પ્રોફેશનલ બોક્સર તરીકે સક્રિય હતા. તેઓ ૧૯૬૨માં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા. સની લિસ્ટન ‘નેચરલ’ ગણાતા. એક આદર્શ બોક્સર પાસે હોવું જોઈએ તે બધું જ એમની પાસે હતું – મુઠ્ઠી-છાતીની પરફેક્ટ સાઇઝ, હાઇટ-વેઇટ, સ્ટ્રેન્થ, અનુભવ, બધું જ. ખાસ કરીને એમના પાવરફ્ુલ મુક્કા બેજોડ ગણાતા. સની લિસ્ટનની છાપ એવી સજ્જડ હતી કે મુહમ્મદ અલી કયારેય એમને હરાવી શકશે એવું લોકો વિચારી પણ ન શકતા. આ બંનેની તુલના જ હાસ્યાસ્પદ લાગતી. સચ્ચાઈ એ છે કે મુહમ્મદ અલી આજે લેજન્ડ ગણાય છે, બોકિસંગમાં રસ ન હોય એવા લોકોએ કમસે કમ પણ એમનું નામ તો સાંભળ્યું જ હોય છે, જ્યારે સની લિસ્ટન માટે ‘એ કોણ?’ એવો પ્રશ્ર પૂછવો પડે છે ને વિકિપિડીયા ખોલવું પડે છે.
આવું કેવી રીતે બન્યું? સની લિસ્ટન જેવા નેચરલ બોક્સર કરતાં મુહમ્મદ અલી શી રીતે કયાંય આગળ નીકળી ગયા? કોના જોરે? કેરલ ડ્વેક નામનાં પ્રતિષ્ઠિત સાયકોલોજિસ્ટ-લેખિકા આનો જવાબ એક જ શબ્દમાં આપી દે છે – ‘માઇન્ડસેટ’. યોગાનુયોગે કેરલ ડ્વેકના પુસ્તકનું નામ પણ આ જ છે. કેરલ લખે છે કે મુહમ્મદ અલી પાસે સ્પીડ અને ચપળતા તો હતાં જ, પણ એમની ખરી તેજસ્વિતા એમના દિમાગમાં હતી. તેઓ પ્રતિસ્પર્ધીના માત્ર મુવ્ઝને જ નહીં, પણ એના આખા વ્યક્તિત્વનો અભ્યાસ કરતા. તેઓ સની લિસ્ટનની ફઇટિંગ સ્ટાઇલનું બારીકાઈથી નિરીક્ષણ કરતા અને રિંગની બહાર એ કેવી રીતે વર્તે છે, એ કેવા પ્રકારના આદમી છે ને એવું બધંુ પણ ઝીણવટભેર નોંધતા. મુહમ્મદ એમના એકેએક ઇન્ટરવ્યૂ વાંચી જતા, એમની સાથે સંપર્કમાં હોય તેવા લોકો સાથે વાતચીત કરતા ને સની લિસ્ટનની માનસિકતા સમજતા. આ રીતે જે ડેટાનો મગજમાં સંગ્રહ થતો એના પરથી સની લિસ્ટન (તેમજ અન્યોનું) બને તેટલું વિગતોવાળું માનસિક ચિત્ર ઊભું કરવાની કોશિશ કરતા.
દરેક ફાઇટ પહેલાં મુહમ્મદ અલીનું વર્તન વિચિત્ર બની જતું, એના પાગલ જેવા વર્તનની પાછળ નક્કર ગણતરી રહેતી. સૌથી નિર્ણાયક એવો નોક-આઉટ પન્ચ કયાં અને કેવી રીતે પડશે તે કળાવું ન જોઈએ. સની લિસ્ટન ક્ે બીજા કેઈપણ પ્રતિસ્પર્ધીને ને લાગવું જોઈએ કે આ માણસ ગાંડો થઈ ગયો છે અને ગાંડો માણસ તો કંઈપણ કરી શકે છે!
એવું જ થયું. મુહમ્મદ અલીએ સની લિસ્ટનને હરાવી દઈને ઇતિહાસ રચી નાખ્યો. એક જાણીતા બોક્સિંંગ મેનેજરે કહેલું કે મુહમ્મદ અલી વિરોધાભાસોના પૂતળા જેવા હતા. રિંગમાં એમનું ફિઝિકલ પર્ફોર્મન્સ ટેકનિકલી સાવ ખોટું રહેતું, પણ એનું દિમાગ સતત સાચી દિશામાં દોડતું. મુહમ્મદ અલીએ પુરવાર કર્યું કે બોક્સિંગ રિંગમાં વિજય દિમાગને કારણે થાય છે, મુઠ્ઠી (એટલે કે પાવરફ્ુલ પન્ચ)ને કારણે નહીં.

Michael Jordon

ઓલ-ટાઇમ-ગ્રેટ બાસ્કેટબોલ પ્લેયર ગણાતા માઇકલ જોર્ડનના કિસ્સામાં પણ એવું જ થયેલું. મુહમ્મદ અલીની જેમ માઇકલ જોર્ડન પણ નેચરલ પ્લેયર નહોતા અને એમની મહાનતા પણ એકસપર્ટ લોકોને મોડી મોડી સમજાઈ હતી. માઇકલ જોર્ડન પ્રોફેશનલ ખેલાડી નહોતા બન્યા એ અરસામાં એમને યુનિવર્સિટીની બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા. પોતાનું સિલેકશન ન થયું એટલે માઇકલ જોર્ડન દુઃખી દુઃખી થઈ ગયેલા. એમની મમ્મીએ કહૃાું: આમ મોઢું લટકાવીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. જા, મહેનત કર. શિસ્ત કેળવ. માઇકલ જોર્ડને માની વાત ગંભીરતાથી લીધી. સવારના છ વાગ્યામાં તેઓ પ્રેક્ટિસ કરવા ઘરેથી નીકળી જતા.
બાસ્કેટ બોલની સખત પ્રેક્ટિસ કરતા અને પછી કોલેજ જતા. એમની ડિફેન્સિવ ગેમ, બોલ હેન્ડલિંગ અને શૂટિંગ આ બધું જ નબળું હતું. માઇકલ જોર્ડને પોતાનાં તમામ નબળાં પાસાંને દૂર કરવા ખૂબ પ્રેક્ટિસ કરી. એમની મહેનત કરવાની તત્પરતા જોઈને કોચ નવાઈ પામી જતા. એક વાર એમની ટીમ એક સીઝનમાં છેલ્લી ગેમ હારી ગઈ. મેચ પૂરી થતાંની સાથે જ જોર્ડન બોલ લઈને પોતાના શોટ્સને પરફેકટ કરવા મંડી પડયા – આવતા વર્ષની સીઝનની તૈયારીના ભાગ રૂપે! પછી જે કંઈ બન્યું એની દુનિયા સાક્ષી છે. સર્વકાલીન સર્વોત્તમ ખેલાડીઓમાં ગણના થવા માંડી તે પછી પણ માઇકલ જોર્ડને પ્રેક્ટિસ કરવાનું છોડયું નહીં. તેઓ પહેલાં જેટલી જ તીવ્રતાથી પ્રેક્ટિસ કરતા. એમના માટે કોઈએ સરસ કહૃાું છેઃ હી ઇઝ અ જિનિયસ હું કોન્સ્ટન્ટલી વોન્ટ્સ ટુ અપગ્રેડ હિઝ જિનિયસ!
લોકો ભલે માઇકલ જોર્ડનની મહાનતાને એમના ફિઝિકલ પરફેક્શન સાથે જોડે, પણ તેઓ સ્વયં હંમેશાં કહેતા રહૃાા કે સ્પોર્ટ્સમાં સફ્ળતા માટે શારીરિક યોગ્યતા કરતાં માનસિક તાકાત અને જિગરનું જોર વધારે મહત્ત્વનાં છે. કેરલ ડ્વેક કહે છેઃ
‘તમને કયારેય એવું લાગ્યું છે કે અમુક-તમુક સ્પોર્ટમાં તમે જમાવટ કરી શકતા નથી? શકય છે કે આ વાત સાચી હોય. એ પણ શકય છે આ વાત ખોટી હોય. જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. તમને સાચ્ચે જ કોઈ સ્પોર્ટ માટે પેશન હોય તો અધવચ્ચે હથિયાર હેઠા ન મૂક્ી દો. ભરપૂર કોશિશ કરો અને પછી જુઓ કે શું રિઝલ્ટ મળે છે. જેને આપણે નેચરલ ટેલેન્ટ કહીએ છીએ તે ઊલટાની ક્યારેક બાધા ઊભી કરતી હોય છે. કુદરતી પ્રતિભા ધરાવતા ખેલાડીઓનું દિમાગ જડતાનું ભોગ બની જાય, એવું શકય છે. તેઓ ઘણી વાર વિપરીત પરિસ્થિતિ હેન્ડલ કરી શકતા નથી. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali (left) and Michael Jordan

સોનાની લગડી જેવી આ વાત માત્ર સ્પોર્ટ્સ પૂરતી સીમિત રાખવા જેવી નથી. ભણતર હોય (‘ફ્લાણાનું દિમાગ ગણિતમાં ખૂબ સરસ દોડે છે, પણ હું ગણિતમાં એના જેવો નેચરલ નથી’), કળા હોય (‘ડાન્સમાં મારું શરીર ફ્લાણા જેવું વળતું નથી. એનામાં ડાન્સની કુદરતી ટેલેન્ટ છે, પણ મારે બહુ પ્રેક્ટિસ કરવી પડે છે’) કે કે આ પ્રકારની બીજી કોઈ આવડત હોય (‘ફ્લાણો મંચ પર કુદરતી રીતે ખીલે છે, એ આસાનીથી સ્પીચ આપી શકે છે, પણ ઓડિયન્સને જોઈને મારા ટાંટિયા ધ્રૂજવા લાગે છે’) – આ બધું જ શીખી શકાય છે, આ બધામાં મહારત હાંસલ કરી શકાય છે, જો સો નહીં પણ બસ્સો ટકા મહેનત કરવામાં આવે તો, પ્રમાણિકતાપૂર્વક અને એકધારા ખંતથી રિયાઝ કરવામાં આવે, તો. શકય છે કે એક દિવસ એવો આવે જ્યારે જે-તે ક્ષેત્રમાં તમે જેને નેચરલ ટેલેન્ટવાળા ગણતા હતા એનો દૂર દૂર સુધી કયાંય અતોપતો ન હોય, જ્યારે તમે સફ્ળતાના શિખર પર બિરાજતા હો!

0 0 0 

Tuesday, November 7, 2017

પરંપરાગત મીડિયા, સોશિયલ મીડિયા અને વિશ્વસનીયતા

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2017
Take off
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
Janet Cooke

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બીજું કોઈ પાગલ થયું હોય કે ન હોય, સોશિયલ મીડિયા જરૂર ગાંડું થયું છે. બંને મુખ્ય પક્ષોનો વિરોધ કે સમર્થન કરનારાઓએ એવો પ્રચંડ ગોકીરો મચાવ્યો છે કે ખોપડીમાં જ્ઞાાનતંતુઓ બેહોશ થઈ જાય. ફેસબુક-વોટ્સએપ-ટ્વિટર પર બેફમપણે ફેરવર્ડ થઈ રહેલાં અભિપ્રાયો, વીડિયો કિલપ્સ, અહેવાલો, ડેટા, કબર ખોદીને બહાર ખેંચી કાઢેલી જૂની-પુરાણી વાતો, રમૂજ વગેરેેના ધમધમાટમાં મનોરંજનનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. હવે સ્થિતિ જરા બદલાઈ છે, પણ એક સમયે જન્માષ્ટમી દરમિયાન ભરાતા સૌરાષ્ટ્રના મેળાઓમાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા. ઘાટ ઘાટના પાણી પીને આવેલા જાતજાતના લોકોથી છલકાતા આવા મેળામાં કોલાહલનું નિયમન કરી શકાતું નથી. સોશિયલ મીડિયા આ મેળા જેવું છે. અહીં આત્યંતિક ગાળાગાળીથી લઈને મધમાખીનેય ડાયાબિટીશ કરાવી નાખે એવી વખાણબાજી સુધીનું બધું જ બધું જ નિરંકુશ છે, બધું જ તારસ્વરે થાય છે, ભયજનક તીવ્રતાથી થાય છે.
સોશિયલ મીડિયાની સરખામણીમાં પરંપરાગત મીડિયા હંમેશાં સંતુલિત લાગવાનું. પરંપરાગત મીડિયા એટલે કે છાપાં-મેગેઝિનો અને ટેલિવિઝન. સોશિયલ મીડિયામાં કોઈ પૂછનાર નથી, રોકનાર નથી, કોઈ સિનિયર-જુનિયર નથી, હોદ્દાઓના સ્તર નથી, પણ પ્રિન્ટ અને ટીવી મીડિયામાં આ બધું જ છે. સમાજના બીજા ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નૈતિકતાના સ્તરમાં ગિરાવટ જરૂર આવી છે. ખોટી સ્ટોરી કે વિગતો ઊપજાવી કાઢવી, ચગાવવી, સાચી વાત દબાવી દેવી, સત્યને તોડીમરોડીને, એકાંગી કે વિકૃત બનાવીને પેશ કરવું – આ બધાં દૂષણો પત્રકારત્વમાં છે જ. આમ છતાંય આ એક્ શબ્દ એવો છે જે હજુ પણ અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલોની દુનિયામાં સૌથી પવિત્ર અને સૌથી વજનદાર છે. હંમેશાં રહેવાનો.
આ શબ્દ છે, વિશ્વસનીયતા. ક્રેડેબિલિટી.
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
એવો તો કેવો કાંડ કર્યો હતો ‘પુલિત્ઝર પ્રાઇઝ વિનર’ જેનેટે?
એ તેજતર્રાર પચ્ચીસ-છવ્વીસ જુવાનડી હતી ત્યારે અમરિકના અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં એની રિપોર્ટર તરીકે પસંદગી થઈ હતી. આંજી નાખે એવા એના બાયોડેટામાં ઊંચાં ઊંચાં કવોલિફ્કિેશન લખાયાં હતાં. માતૃભાષા અંગ્રેજી ઉપરાંત પોતે સ્પેનિશ અને ફ્રેન્ચ પણ કડકડાટ લખી-વાંચી-બોલી શકે છે એવો એણે દાવો કરેલો.
પત્રકારત્વમાં હરીફઈનું તત્ત્વ તીવ્ર હોય છે. માત્ર હરીફ્ છાપાં-મેગેઝિનો કે ચેનલોની વચ્ચે જ નહીં, પણ એક જ જગ્યાએ કામ કરતા પત્રકારોમાં પણ ધમાકેદાર સ્ટોરી બ્રેક કરીને સાથી પત્રકારો કરતાં આગળ નીકળી જવાની વૃત્તિ ફ્ૂંફડા મારતી હોય છે. એમાં કશું ખોટુંય નથી. ૧૯૮૦ની એક સુંદર બપોરે જેનેટ એના તંત્રીને કહૃાું: સર, મને એક ઇન્ટરેસ્ટિંગ ઇર્ન્ફ્મેશન મળી છે. એના પરથી સરસ સ્ટોરી થાય તેમ છે. તંત્રી કહેઃ શાના વિશે છે? જેનેટ કહેઃ નશીલી દવાના બંધાણી વિશે. તંત્રી કહેઃ આમાં નવું શું છે? જેનેટ કહેઃ સર, નવું એ છે કે નશીલી દવાનો આ બંધાણી ફ્કત આઠ વર્ષનો ટાબરિયો છે. આ છોકરાને હેરોઈન વગર એને ચાલતું નથી!

તંત્રી ચોંકી ગયા. આઠ જ વર્ષનો છોકરો… અને હેરોઈન જેવી ખતરનાક ડ્રગનો બંધાણી? એમણે કહૃાું: જેનેટ, આ તો હાઇકલાસ હૃાુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે! તંુ મચી પડ. છોકરાને શોધી કાઢ. એના મા-બાપને મળ. આપણે આ સ્ટોરી સરસ રીતે ચમકાવીશું.
જેનેટ કામે લાગી ગઈ. વોશિંગ્ટન શહેરમાંથી એ છોકરાનું પગેરું શોધવું આસાન નહોતું. જેનેટ આમથી તેમ દોડતી રહી. એક વાર તંત્રીને કહેઃ સર, એ છોકરાની મા વાત કરવા તૈયાર થતી નથી. એને બદનામીનો ડર લાગે છે. તંત્રી કહેઃ કશો વાંધો નહીં. આપણે સાચું નામ નહીં છાપીએ. છોકરાની અને એના ફેમિલીમાં જે કોઈ હોય તે બધાની ઓળખ ગુપ્ત રાખીશું, બસ?
આખરે બે મહિને જેનેટે બાવીસો શબ્દોનો સરસ મજાનો લેખ ઔફઇલ કર્યો. એને મથાળું આપ્યું: ‘જિમીઝ વર્લ્ડ’. એમાં એણે છોકરાની હાલતનું વર્ણન કરતાં લખ્યું હતું: 
‘જિમીના પરિવારમાં નશીલી દવાના બંધાણીઓની કમી નથી. જિમીને ડ્રગ્ઝની આદતનો આગલી બે પેઢીના વારસારૂપે મળ્યો છે. આ ચપળ છોકરાના વાળ ભૂખરા છે, આંખો વેલ્વેટી બ્રાઉન છે એના ઘઉંવર્ણા કોમળ હાથ પર ઈન્જેકશનની સોયના કેટલાય નિશાન દેખાય છે. વોશિંગ્ટનના સાઉથવેસ્ટ હિસ્સામાં રહેતા જિમીનો ચહેરો ચરબીદાર છે. એ નિર્દોષતાપૂર્વક કપડાં વિશે, પૈસા વિશે, બેઝબોઝની પોતાની ફેવરિટ ટીમ અને હેરોઇન વિશે વાતો કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી એ આ ભયંકર ડ્રગ્ઝ લે છે.’
૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પહેલાં જ પાને જેનેટ કૂકની અત્યંત રસાળ શૈલીમાં લખાયેલો આ અહેવાલ છપાયો. જિમીની કહાણીએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી. લોકો ઉકળી ઉઠયા. આ શું થવા બેઠું છે? સમાજ કઈ દિશામાં જઈ રહૃાો છે? આઠ વર્ષનું માસૂસ બચ્ચું નશીલી દવાનું બંધાણી બની જાય એ તો હદ થઈ ગઈ. સરકારના પેટનું પાણી ક્ેમ હલતું નથી? પ્રશાસન ડ્રગ્ઝ વેચનારાઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી? વગેરે.

જેનેટ કૂકે સ્પષ્ટપણે કહી દીધું કે મેં ગુપ્તતા જાળવી રાખવાના સોગંદ ખાધા છે એટલે હું છોકરાનું સાચું નામ કે સરનામું કોઈને નહીં આપું. વોશિંગ્ટનના મેયરે છોકરાને શોધવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડી દીધું. ઘણા દિવસ થયા તોય છોકરાનો પત્તો ન મળ્યો એટલે જનતાનો ઉશ્કેરાટનો પાર ન રહૃાો: આ મેયર અને પોલીસ કર્મચારીઓ નકામા છે. એક આવડા અમથા છોકરાને શોધી શકતા નથી? થોડા સમય પછી મેયરે જાહેર કર્યું: અમને જિમીનો પતો મળી ગયો છે, પણ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે એની સ્ટોરી છપાઈ એના થોડા દિવસ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જિમી ઇઝ નો મોર!
જેનેટ કૂક અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના તંત્રીઓ ફોર્મમાં આવી ગયાં હતાં. સ્ટોરી ભલે પીડાદાયી કે નેગેટિવ હોય, પણ એને વાચકો તરફ્થી આવો જોરદાર પ્રતિસાદ મળે એટલે મીડિયાકર્મીઓ તો ખુશ થવાના જ. જેનેટની આ સ્ટોરીને પત્રકારત્વની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઇઝ માટે સબમિટ કરવામાં આવી. એપ્રિલ ૧૯૮૧માં પરિણામો ઘોષિત થયા. જેનેટને ફ્ચિર રાઇટિંગ માટેના પુલિત્ઝર પ્રાઇઝની વિજેતા ઘોષિત થઈ. જેનેટની આ સિદ્ધિની મીડિયામાં સગર્વ નોંધ લેવાઈ. ચારે તરફ્ જેનેટની વાહ વાહ થઈ ગઈ.
જોકે આનંદની આ ઘડી લાંબી ન ટકી. ‘ધ વોશિંંગ્ટન પોસ્ટ’ની પહેલાં જેનેટ ‘ટોલેડો બ્લેડ’ નામનાં જે છાપામાં કામ કરતી હતી એના તંત્રીને જેનેટની બાયોડેટાની જાહેર થયેલી કેટલીક્ વિગતોમાં મરી-મસાલા છંટાયેલા દેખાયા. વધારે છાનબીન કરતાં ખબર પડી કે જેનેટની કોલેજની ડિગ્રીઓ ખોટી છે. એ કડકડાટ ફ્રેન્ચ અને સ્પેનિશ જાણે છે તે વાત પણ ખોટી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સિનિયર તંત્રીઓએ જેનેટને બોલાવીને કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી. આખરે અગિયાર કલાક સુધી ચાલેલા જોરદાર ગ્રિલિંગ પછી જેનેટે ધડાકો કર્યોઃ
આઠ વર્ષના ડ્રગ્ઝના બંધાણી છોકરાની સ્ટોરી સાચી નથી. આવો કોઈ છોકરો છે જ નહીં. મેં આખી કહાણી ઊપજાવી કાઢી હતી!
પણ આવું જેનેટે શા માટે કર્યું? પ્રેશરને કારણે. એણે આ સ્ટોરી પાછળ બે મહિના બરબાદ કર્યા હતાં. તંત્રીને જવાબ શો આપવો? શું એમ કહેવું કે સોરી સર, મને છોકરો ન મળ્યો? તો તો ભોંઠા પડવું પડે, સાહેબનો ઠપકો ખાવો પડે ને સાથી પત્રકારોના ઉપહાસનો ભોગ બનવું પડે. જેનેટની સચ્ચાઈ સામે આવતાં તરત જ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં માફીનામું પ્રગટ કરવામાં આવ્યું. એકલી જેનેટ જ નહીં, વોશિંગ્ટનનો મેયર પણ જૂઠો પુરવાર થયો. એણે કહૃાું કે પબ્લિકનંું પ્રેશર એટલું બધું હતું ક્ે મારે નછૂટક્ે આવી જાહેરાત કરવી પડી હતી!
જેનેટનું પુલિત્ઝર પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવ્યું. એની પત્રકાર તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયંુ. થોડાં વર્ષો માટે એ પેરિસ ભાગી ગઈ હતી. એના ડિવોર્સ થઈ ગયા. આર્થિક હાલત એટલી વણસી ગઈ કે એની માએ પ્લેનની ટિકિટ મોકલી ત્યારે એ અમેરિકા પાછી આવી શકી. છેલ્લા ખબર મુજબ અમેરિકામાં કોઈ સ્ટોરના કાઉન્ટર પર એ કલાકના સાત-આઠ ડોલરના મહેનતાણામાં નોકરી કરતી હતી. મેડિકલ કવર નથી એટલે પોતાની બીમારીઓનો ઇલાજ પણ કરાવી શકતી નથી. એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે એનો ઇન્ટરવ્યૂ લઇને એક મેગેઝિનમાં છાપ્યો હતો. કોઈ ફ્લ્મિ પ્રોડયૂસરે જેનેટની કહાણીના અધિકર ૧.૬ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. જેનેટ અને એક્સ-બોયફ્રેન્ડે પ્રારંભિક રકમ અડધી અડધી વહેંચી લીધી, પણ આ ફ્લ્મિ કયારેય બની જ નહીં. ફ્લ્મિ ઉતરે કે ન ઉતરે, જેનેટ અમેરિકન જર્નાલિઝમમાં ‘અમર’ જરૂર બની ગઈ.
વિશ્વસનીયતા એ પત્રકાર અને લેખકની સૌથી મોટી મૂડી છે અને રહેવાની. માત્ર પત્રકાર-લેખક જ શા માટે, વિશ્વસનીયતાનો ગુણ તો સૌ કોઈ માટે એક્સરખો મહત્ત્વનો છે, ખરું?
0 0 0