Showing posts with label Journalism. Show all posts
Showing posts with label Journalism. Show all posts

Tuesday, November 7, 2017

પરંપરાગત મીડિયા, સોશિયલ મીડિયા અને વિશ્વસનીયતા

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2017
Take off
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
Janet Cooke

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બીજું કોઈ પાગલ થયું હોય કે ન હોય, સોશિયલ મીડિયા જરૂર ગાંડું થયું છે. બંને મુખ્ય પક્ષોનો વિરોધ કે સમર્થન કરનારાઓએ એવો પ્રચંડ ગોકીરો મચાવ્યો છે કે ખોપડીમાં જ્ઞાાનતંતુઓ બેહોશ થઈ જાય. ફેસબુક-વોટ્સએપ-ટ્વિટર પર બેફમપણે ફેરવર્ડ થઈ રહેલાં અભિપ્રાયો, વીડિયો કિલપ્સ, અહેવાલો, ડેટા, કબર ખોદીને બહાર ખેંચી કાઢેલી જૂની-પુરાણી વાતો, રમૂજ વગેરેેના ધમધમાટમાં મનોરંજનનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. હવે સ્થિતિ જરા બદલાઈ છે, પણ એક સમયે જન્માષ્ટમી દરમિયાન ભરાતા સૌરાષ્ટ્રના મેળાઓમાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા. ઘાટ ઘાટના પાણી પીને આવેલા જાતજાતના લોકોથી છલકાતા આવા મેળામાં કોલાહલનું નિયમન કરી શકાતું નથી. સોશિયલ મીડિયા આ મેળા જેવું છે. અહીં આત્યંતિક ગાળાગાળીથી લઈને મધમાખીનેય ડાયાબિટીશ કરાવી નાખે એવી વખાણબાજી સુધીનું બધું જ બધું જ નિરંકુશ છે, બધું જ તારસ્વરે થાય છે, ભયજનક તીવ્રતાથી થાય છે.
સોશિયલ મીડિયાની સરખામણીમાં પરંપરાગત મીડિયા હંમેશાં સંતુલિત લાગવાનું. પરંપરાગત મીડિયા એટલે કે છાપાં-મેગેઝિનો અને ટેલિવિઝન. સોશિયલ મીડિયામાં કોઈ પૂછનાર નથી, રોકનાર નથી, કોઈ સિનિયર-જુનિયર નથી, હોદ્દાઓના સ્તર નથી, પણ પ્રિન્ટ અને ટીવી મીડિયામાં આ બધું જ છે. સમાજના બીજા ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નૈતિકતાના સ્તરમાં ગિરાવટ જરૂર આવી છે. ખોટી સ્ટોરી કે વિગતો ઊપજાવી કાઢવી, ચગાવવી, સાચી વાત દબાવી દેવી, સત્યને તોડીમરોડીને, એકાંગી કે વિકૃત બનાવીને પેશ કરવું – આ બધાં દૂષણો પત્રકારત્વમાં છે જ. આમ છતાંય આ એક્ શબ્દ એવો છે જે હજુ પણ અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલોની દુનિયામાં સૌથી પવિત્ર અને સૌથી વજનદાર છે. હંમેશાં રહેવાનો.
આ શબ્દ છે, વિશ્વસનીયતા. ક્રેડેબિલિટી.
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
એવો તો કેવો કાંડ કર્યો હતો ‘પુલિત્ઝર પ્રાઇઝ વિનર’ જેનેટે?
એ તેજતર્રાર પચ્ચીસ-છવ્વીસ જુવાનડી હતી ત્યારે અમરિકના અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં એની રિપોર્ટર તરીકે પસંદગી થઈ હતી. આંજી નાખે એવા એના બાયોડેટામાં ઊંચાં ઊંચાં કવોલિફ્કિેશન લખાયાં હતાં. માતૃભાષા અંગ્રેજી ઉપરાંત પોતે સ્પેનિશ અને ફ્રેન્ચ પણ કડકડાટ લખી-વાંચી-બોલી શકે છે એવો એણે દાવો કરેલો.
પત્રકારત્વમાં હરીફઈનું તત્ત્વ તીવ્ર હોય છે. માત્ર હરીફ્ છાપાં-મેગેઝિનો કે ચેનલોની વચ્ચે જ નહીં, પણ એક જ જગ્યાએ કામ કરતા પત્રકારોમાં પણ ધમાકેદાર સ્ટોરી બ્રેક કરીને સાથી પત્રકારો કરતાં આગળ નીકળી જવાની વૃત્તિ ફ્ૂંફડા મારતી હોય છે. એમાં કશું ખોટુંય નથી. ૧૯૮૦ની એક સુંદર બપોરે જેનેટ એના તંત્રીને કહૃાું: સર, મને એક ઇન્ટરેસ્ટિંગ ઇર્ન્ફ્મેશન મળી છે. એના પરથી સરસ સ્ટોરી થાય તેમ છે. તંત્રી કહેઃ શાના વિશે છે? જેનેટ કહેઃ નશીલી દવાના બંધાણી વિશે. તંત્રી કહેઃ આમાં નવું શું છે? જેનેટ કહેઃ સર, નવું એ છે કે નશીલી દવાનો આ બંધાણી ફ્કત આઠ વર્ષનો ટાબરિયો છે. આ છોકરાને હેરોઈન વગર એને ચાલતું નથી!

તંત્રી ચોંકી ગયા. આઠ જ વર્ષનો છોકરો… અને હેરોઈન જેવી ખતરનાક ડ્રગનો બંધાણી? એમણે કહૃાું: જેનેટ, આ તો હાઇકલાસ હૃાુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે! તંુ મચી પડ. છોકરાને શોધી કાઢ. એના મા-બાપને મળ. આપણે આ સ્ટોરી સરસ રીતે ચમકાવીશું.
જેનેટ કામે લાગી ગઈ. વોશિંગ્ટન શહેરમાંથી એ છોકરાનું પગેરું શોધવું આસાન નહોતું. જેનેટ આમથી તેમ દોડતી રહી. એક વાર તંત્રીને કહેઃ સર, એ છોકરાની મા વાત કરવા તૈયાર થતી નથી. એને બદનામીનો ડર લાગે છે. તંત્રી કહેઃ કશો વાંધો નહીં. આપણે સાચું નામ નહીં છાપીએ. છોકરાની અને એના ફેમિલીમાં જે કોઈ હોય તે બધાની ઓળખ ગુપ્ત રાખીશું, બસ?
આખરે બે મહિને જેનેટે બાવીસો શબ્દોનો સરસ મજાનો લેખ ઔફઇલ કર્યો. એને મથાળું આપ્યું: ‘જિમીઝ વર્લ્ડ’. એમાં એણે છોકરાની હાલતનું વર્ણન કરતાં લખ્યું હતું: 
‘જિમીના પરિવારમાં નશીલી દવાના બંધાણીઓની કમી નથી. જિમીને ડ્રગ્ઝની આદતનો આગલી બે પેઢીના વારસારૂપે મળ્યો છે. આ ચપળ છોકરાના વાળ ભૂખરા છે, આંખો વેલ્વેટી બ્રાઉન છે એના ઘઉંવર્ણા કોમળ હાથ પર ઈન્જેકશનની સોયના કેટલાય નિશાન દેખાય છે. વોશિંગ્ટનના સાઉથવેસ્ટ હિસ્સામાં રહેતા જિમીનો ચહેરો ચરબીદાર છે. એ નિર્દોષતાપૂર્વક કપડાં વિશે, પૈસા વિશે, બેઝબોઝની પોતાની ફેવરિટ ટીમ અને હેરોઇન વિશે વાતો કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી એ આ ભયંકર ડ્રગ્ઝ લે છે.’
૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પહેલાં જ પાને જેનેટ કૂકની અત્યંત રસાળ શૈલીમાં લખાયેલો આ અહેવાલ છપાયો. જિમીની કહાણીએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી. લોકો ઉકળી ઉઠયા. આ શું થવા બેઠું છે? સમાજ કઈ દિશામાં જઈ રહૃાો છે? આઠ વર્ષનું માસૂસ બચ્ચું નશીલી દવાનું બંધાણી બની જાય એ તો હદ થઈ ગઈ. સરકારના પેટનું પાણી ક્ેમ હલતું નથી? પ્રશાસન ડ્રગ્ઝ વેચનારાઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી? વગેરે.

જેનેટ કૂકે સ્પષ્ટપણે કહી દીધું કે મેં ગુપ્તતા જાળવી રાખવાના સોગંદ ખાધા છે એટલે હું છોકરાનું સાચું નામ કે સરનામું કોઈને નહીં આપું. વોશિંગ્ટનના મેયરે છોકરાને શોધવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડી દીધું. ઘણા દિવસ થયા તોય છોકરાનો પત્તો ન મળ્યો એટલે જનતાનો ઉશ્કેરાટનો પાર ન રહૃાો: આ મેયર અને પોલીસ કર્મચારીઓ નકામા છે. એક આવડા અમથા છોકરાને શોધી શકતા નથી? થોડા સમય પછી મેયરે જાહેર કર્યું: અમને જિમીનો પતો મળી ગયો છે, પણ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે એની સ્ટોરી છપાઈ એના થોડા દિવસ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જિમી ઇઝ નો મોર!
જેનેટ કૂક અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના તંત્રીઓ ફોર્મમાં આવી ગયાં હતાં. સ્ટોરી ભલે પીડાદાયી કે નેગેટિવ હોય, પણ એને વાચકો તરફ્થી આવો જોરદાર પ્રતિસાદ મળે એટલે મીડિયાકર્મીઓ તો ખુશ થવાના જ. જેનેટની આ સ્ટોરીને પત્રકારત્વની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઇઝ માટે સબમિટ કરવામાં આવી. એપ્રિલ ૧૯૮૧માં પરિણામો ઘોષિત થયા. જેનેટને ફ્ચિર રાઇટિંગ માટેના પુલિત્ઝર પ્રાઇઝની વિજેતા ઘોષિત થઈ. જેનેટની આ સિદ્ધિની મીડિયામાં સગર્વ નોંધ લેવાઈ. ચારે તરફ્ જેનેટની વાહ વાહ થઈ ગઈ.
જોકે આનંદની આ ઘડી લાંબી ન ટકી. ‘ધ વોશિંંગ્ટન પોસ્ટ’ની પહેલાં જેનેટ ‘ટોલેડો બ્લેડ’ નામનાં જે છાપામાં કામ કરતી હતી એના તંત્રીને જેનેટની બાયોડેટાની જાહેર થયેલી કેટલીક્ વિગતોમાં મરી-મસાલા છંટાયેલા દેખાયા. વધારે છાનબીન કરતાં ખબર પડી કે જેનેટની કોલેજની ડિગ્રીઓ ખોટી છે. એ કડકડાટ ફ્રેન્ચ અને સ્પેનિશ જાણે છે તે વાત પણ ખોટી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સિનિયર તંત્રીઓએ જેનેટને બોલાવીને કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી. આખરે અગિયાર કલાક સુધી ચાલેલા જોરદાર ગ્રિલિંગ પછી જેનેટે ધડાકો કર્યોઃ
આઠ વર્ષના ડ્રગ્ઝના બંધાણી છોકરાની સ્ટોરી સાચી નથી. આવો કોઈ છોકરો છે જ નહીં. મેં આખી કહાણી ઊપજાવી કાઢી હતી!
પણ આવું જેનેટે શા માટે કર્યું? પ્રેશરને કારણે. એણે આ સ્ટોરી પાછળ બે મહિના બરબાદ કર્યા હતાં. તંત્રીને જવાબ શો આપવો? શું એમ કહેવું કે સોરી સર, મને છોકરો ન મળ્યો? તો તો ભોંઠા પડવું પડે, સાહેબનો ઠપકો ખાવો પડે ને સાથી પત્રકારોના ઉપહાસનો ભોગ બનવું પડે. જેનેટની સચ્ચાઈ સામે આવતાં તરત જ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં માફીનામું પ્રગટ કરવામાં આવ્યું. એકલી જેનેટ જ નહીં, વોશિંગ્ટનનો મેયર પણ જૂઠો પુરવાર થયો. એણે કહૃાું કે પબ્લિકનંું પ્રેશર એટલું બધું હતું ક્ે મારે નછૂટક્ે આવી જાહેરાત કરવી પડી હતી!
જેનેટનું પુલિત્ઝર પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવ્યું. એની પત્રકાર તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયંુ. થોડાં વર્ષો માટે એ પેરિસ ભાગી ગઈ હતી. એના ડિવોર્સ થઈ ગયા. આર્થિક હાલત એટલી વણસી ગઈ કે એની માએ પ્લેનની ટિકિટ મોકલી ત્યારે એ અમેરિકા પાછી આવી શકી. છેલ્લા ખબર મુજબ અમેરિકામાં કોઈ સ્ટોરના કાઉન્ટર પર એ કલાકના સાત-આઠ ડોલરના મહેનતાણામાં નોકરી કરતી હતી. મેડિકલ કવર નથી એટલે પોતાની બીમારીઓનો ઇલાજ પણ કરાવી શકતી નથી. એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે એનો ઇન્ટરવ્યૂ લઇને એક મેગેઝિનમાં છાપ્યો હતો. કોઈ ફ્લ્મિ પ્રોડયૂસરે જેનેટની કહાણીના અધિકર ૧.૬ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. જેનેટ અને એક્સ-બોયફ્રેન્ડે પ્રારંભિક રકમ અડધી અડધી વહેંચી લીધી, પણ આ ફ્લ્મિ કયારેય બની જ નહીં. ફ્લ્મિ ઉતરે કે ન ઉતરે, જેનેટ અમેરિકન જર્નાલિઝમમાં ‘અમર’ જરૂર બની ગઈ.
વિશ્વસનીયતા એ પત્રકાર અને લેખકની સૌથી મોટી મૂડી છે અને રહેવાની. માત્ર પત્રકાર-લેખક જ શા માટે, વિશ્વસનીયતાનો ગુણ તો સૌ કોઈ માટે એક્સરખો મહત્ત્વનો છે, ખરું?
0 0 0 

Thursday, March 23, 2017

હવે બહુ થયું, બીબીસી!

ટેક ઓફ
ભારતમાં એક લાખ કરતાંય વધારે રજિસ્ટર્ડ સમાચારપત્રો છે અને ચોવીસે કલાક નોનસ્ટોપ ચાલતી 400 કરતાંય વધારે ન્યુઝ ચેનલો છે. આમ છતાં આપણે ત્યાં એક પણ તગડું ગ્લોબલ ન્યુઝ નેટવર્ક નથી, જેની ઓફિસો દુનિયાભરનાં મહત્ત્વનાં મહાનગરોમાં ધમધમતી હોય અને જેના રિપોર્ટરો દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ પહોંંચીને જે-તે ઘટનાનું આપણા દષ્ટિકોણથી ફર્સ્ટહેન્ડ રિપોર્ટિંગ કરીને વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.   



વ હિમ ઓર હેટ હિમ, બટ યુ કેન નોટ ઇગ્નોર હિમ. તમે એને ગમાડો કે ધિક્કારો, પણ તમે એની અવગણના તો ન કરી શકો. નોનસ્ટોપ બૂમાબૂમ અને અતિ આક્રમક શૈલી માટે જાણીતા ન્યૂઝ એન્કર અર્ણવ ગોસ્વામી માટે આ પંકિત પરફ્ેકટ લાગુ પડે છે. ટાઈમ્સ નાઉ અંગ્રેજી ન્યૂઝ ચેનલ અને અર્ણવ ગોસ્વામી લગભગ સમાનાર્થી બની ગયાં હતાં, પણ અર્ણવે તે છોડી એ વાતને સાડાત્રણ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. એમની પોતાની રિપબ્લિક ટીવી નામની અંગ્રેજી ન્યૂઝ ચેનલ થોડાં અઠવાડિયાઓમાં લોન્ચ થઈ જવી જોઈએ.
ચેનલનુ મૂળ નામ રિપબ્લિક હતું, પણ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક કરતાં વધારે વખત ધ્યાન દોર્યું હતું કે ભાઈ, તમે કોઈ પણ ધંધાદારી સાહસનું નામ રિપબ્લિક ન રાખી શકો. જો રાખશો તો એમ્બલમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રોપર યુઝ) એક્ટ - 1950 હેઠળ ભારતીય કાનૂનનું ઉલ્લંઘન કર્યું ગણાશે. સુબ્રમણ્યમ સ્વામીની વાતને ધરાર કાને ધરવામાં ન આવી એટલે જાન્યુઆરીમાં તેમણે ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. સાથે ચીમકી આપી કે જો સરકાર કોઈ નહીં લે હું કોર્ટમાં જઈશ. આથી અર્ણવ વેળાસર ચેનલનું રિપબ્લિક નામ બદલીને રિપબ્લિક ટીવી કરી નાખ્યું. 
કોઈ ન્યુઝ ચેનલ લોન્ચ થાય તેની પહેલાં જ એના વિશે આટલી બધી હાઈપ ઊભી થઈ ગઈ હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી. રિપબ્લિક ટીવી શરુ કરવા પાછળ અર્ણવનો ઇરાદો શો છે? ડિસેમ્બર ૨૦૧૫માં એક મીડિયા ઇવેન્ટમાં અર્ણવ ગોસ્વામીએ આડકતરી રીતે ઈશારો આપી દીધો હતો. પબ્લિક ડિબેટ પ્રકારની ઇવેન્ટ રશિયા ટુડે (આરટી) ચેનલની દસમી એનિવર્સરી નિમિત્તે યોજવામાં આવેલી હતી. અર્ણવે કહૃાું હતું કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓના ટીવી ક્વરેજમાં બીબીસી અને સીએનએનનું આધિપત્ય બહુ ચાલ્યું. જે રીતે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ તેમજ વિશ્લેષણ આખી દુનિયા સામે રજૂ કરવામાં આવે છે તેમાં પશ્ર્ચિમનો દષ્ટિકોણ સર્વોપરી હોવાનો.
સીએનએન (કેબલ ન્યૂઝ નેટવર્ક) દુનિયાની પહેલી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. તેની સ્થાપના ૧૯૮૦માં થઈ હતી. બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)વર્લ્ડ ચેનલ ૧૯૯૧માં લોન્ચ થઈ. તે વખતે તેનું નામ બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવી હતું. બીબીસી ઈંગ્લેન્ડની સમાચાર સંસ્થા છે. સીએનએન અમેરિકન છે. વાત કેવળ ટીવી ચેનલો પૂરતી સીમિત નથી. આપણું પ્રિન્ટ મીડિયા પરદેશના સમાચારો માટે દાયકાઓથી જે ન્યૂઝ એજન્સીઓ પર આધાર રાખતું આવ્યું છે તે સઘળી વિદેશી છે. રોઈટર્સનું હેડકવાર્ટર લંડનમાં છે, એએફ્પી (જેનો ફ્રેન્ચ ઉચ્ચાર એજોન્સ ફ્રોન્સ પ્રેસ એવો થાય છે)નું હેડકવાર્ટર પેરિસમાં છે, જ્યારે એપી (અસોસિયેટેડ પ્રેસ)નું વડું મથક ન્યૂયોર્કમાં છે. આ આપણા મુખ્ય સોર્સ છે, વિદેશી ઘટનાઓના સમાચાર માટેના. ઇન્ટરનેટને સમાચારને સોર્સ તરીકે ઉપયોગ કરવાનું શરૂ ર્ક્યું તે વાતને એક્-દોઢ દાયકા કરતાં વધારે સમય થયો નથી.
ઇવેન્ટમાં આંકડા ટાંકતા કહેવાયું હતું કે લગભગ ૯૧ ટકા ભારતીયોને વિદેશમાં બનતી ઘટનાઓના સમાચારમાં રસ પડે છે. તેની સામે અમેરિકા-ઇંગ્લેન્ડના માત્ર ૪૪થી ૪૬ ટકા લોકો જ પરદેશના સમાચારોને ફોલો કરે છે. આંકડાની ચોક્સાઈમાં હાલ ન પડીએ, પણ મુદ્દો એ છે કે દુનિયાની ગતિવિધિ જાણવામાં આપણને જેટલો રસ પડે છે એટલો ગોરાઓને પડતો નથી. આ સમજાય તેવું છે. તેઓ આર્થિક રીતે સુખી-સંપન્ન પ્રજા છે, આત્મનિર્ભર છે, તેમનું માનસિક બંધારણ જુદું છે, સામાજિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક સંદર્ભો જુદા છે. દુનિયાના બીજા ખૂણાઓમાં શું ચાલી રહૃાું છે તે જાણવાની તાલાવેલી જેટલી આપણને હોય છે એટલી ત્યાંની આમજનતાને ન હોય. આમ છતાં ગ્લોબલ ન્યૂઝના ૭૪ ટકા સ્ત્રોત પર અમેરિકા-ઇંગ્લેન્ડનું આધિપત્ય છે. એશિયાની સમાચાર સંસ્થાઓનો ફળો કેવળ ત્રણ ટકા જેટલો છે! આ અસંતુલન આંખો પહોળી કરી નાંખે એટલું મોટું છે. બીબીસી, બાય ધ વે, હવે ગુજરાતી, મરાઠી, પંજાબી અને તેલુગુ ભાષામાં પણ ટીવી ચેનલો લોન્ચ કરવા જઈ રહી છે. 

રજિસ્ટ્રાર ઓફ્ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા (આરએનઆઈ) અનુસાર, ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ ભારતમાં રજિસ્ટર્ડ સમાચારપત્રોની સંખ્યા ૧,૦૫,૪૪૩ હતી. એક લાખ કરતાંય વધારે છાપાં! આમાંથી કેટલાં ચાલતા હશે તે અલગ વિષય છે. રજિસ્ટર્ડ અંગ્રેજી સમાચારપત્રોનો આંકડો ૧૩,૬૬૧ પર પહોંચ્યો હતો. ચોવીસે કલાક અને સાતેય દિવસ નોનસ્ટોપ ચાલતી ન્યૂઝ ચેનલ્સની સંખ્યા ૪૦૦ કરતાંય વધારે છે. આમ છતાં ભારતમાં એક પણ તગડું ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક નથી, જેની ઓફ્સિો લંડન-ન્યૂયોર્ક-પેરિસ-મોસ્કે-સિડની-મિડલ ઇસ્ટમાં ધમધમતી હોય, રિપોર્ટરોની આખી ફેજ હોય જે દુનિયાના ખૂણે-ખૂણે ઝપાટાબંધ દોડી જઈને ઘટનાઓ ક્વર ક્રતી હોય અને આપણા દષ્ટિકોણથી વર્લ્ડ ઓડિયન્સ સુધી પહોંચાડતી હોય.
ગયા નવેમ્બરમાં એક ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, ‘ભારત પાસે વર્લ્ડ કલાસ મીડિયા હોવું જોઈએ. સીએનએન, બીબીસી અને અલ જઝીરાને આપણે પડકાર તરીકે જોવા જોઈએ. આનું કારણ એ છે કે જો દુનિયામાં ભારત એક મહત્ત્વના દેશ તરીકે ઊપસી રહૃાો હોય તો આપણને જે મુદ્દા સૌથી મહત્ત્વના લાગે છે તે તમામ દુનિયા સુધી અસરકારક રીતે પહોંચવા જોઈએ.’
માણસ હોય કે સંસ્થા, સૌને પોતાની આસપાસની પરિસ્થિતિઓ, પ્રશ્નો અને પ્રજાની સૌથી વધારે પરવા હોય છે. આ બિલકુલ સ્વાભાવિક વાત છે. બીબીસી-સીએનએન મંુબઈમાં થયેલા આંતકવાદી હુમલાનું અથવા આફ્રિકાના કેઈ ગરીબ દેશમાં ફેલાયેલી ખતરનાક બીમારીનું રિપોર્ટિંગ એટલી તીવ્રતાથી કે જોશભેર નહીં જ કરે, જેટલું પેરિસના આતંકવાદી હુમલાનું કરશે. 

બીબીસી-સીએનએનનો એકાધિકાર તોડવાના પ્રયાસો સાવ થયા નથી એવુંય નથી. અલ જઝીરા ચેનલ ૧૯૯૬ની સાલમાં દોહામાં આંશિક રીતે કતારના શાસક પરિવારના પૈસે શરૂ થઈ. અલ જઝીરા લોન્ચ થઈ તેની પહેલાં બીબીસીએ એરેબિક ભાષામાં ચેનલ શરૂ કરી હતી, પણ તેના પર વધારે પડતા અંકુશ મૂકવામાં આવતાં દોઢ જ વર્ષમાં બંધ કરી દેવામાં આવી હતી. ૨૦૦૫માં અલ જઝીરાની ઇંગ્લિશ ચેનલ (એજેઈ) શરૂ થઈ. લંડન, વોશિંગ્ટન અને કુલાઆલુમ્પુરમાં તેની ઓફિસો  ખૂલી. મિડલ ઇસ્ટમાં હેડકવાર્ટર હોય તેવી દુનિયાની આ પહેલી અંગ્રેજી ગ્લોબલ ન્યૂઝ ચેનલ છે. અલ જઝીરા પર એન્ટિ-અમેરિકન હોવાનો આક્ષેપો થતા રહૃાા છે, પણ આ એક સફ્ળ નોન-અમેરિકન અને નોન-બ્રિટિશ ગ્લોબલ ચેનલ છે તે હકીક્ત છે. 
આ સિવાય ઇરાનની પ્રેસ ટીવી નામની અંગ્રેજી ચેનલ છે, રશિયા ટુડે ચેનલ છે, સીસીટીવી-નાઈન નામની ચાઈનીઝ ચેનલ છે. સીસીટીવી-નાઈન ચેનલ ગ્લોબલ ન્યૂઝ પણ ડોકયુમેન્ટરી પ્રસારિત કરે છે. એની અંગ્રેજી આવૃત્તિનું નામ આ વર્ષની શરૂઆતમાં બદલીને સીજીટીએન ડોકયુમેન્ટરી કરી નાંખવામાં આવ્યું છે. આ સૌ ગ્લોબલ ચેનલોએ બીબીસી-સીએનએનના આધિપત્યને પડકાર્યું છે.
અર્ણવ ગોસ્વામી કહે છે તેમ, દસ-બાર વર્ષ પહેલાં કોણે વિચાર્યું  હતું કે ભારત દુનિયાનું સોફ્ટવેર કેપિટલ બની જશે. ગ્લોબલ ન્યૂઝના મામલામાં પણ ભારત એક તગડું ખેલાડી બનીને ઊભરી શકે છે. અલબત્ત, ગ્લોબલ ન્યૂઝ નેટવર્ક સફ્ળતાપૂર્વક ચલાવવા માટે વિઝન, અનુભવ અને પ્રતિભા ઉપરાંત ચિક્કાર નાણાં પણ જોઈએ. જેમ કે, રશિયા ટુડે ચેનલ ચલાવવાનો અંદાજિત વાર્ષિક ખર્ચ ૩૦થી ૪૦ મિલિયન ડોલર જેટલો આવે છે. ફ્રાન્સ-ટ્વેન્ટીફોર ચેનલનું વાર્ષિક બજેટ અંદાજે ૧૦૦ મિલિયન ડોલર છે! આટલી વિરાટ ધનરાશિ સરકાર હાથ મિલાવે તો જરૂર પ્રાપ્ત થાય, પણ સરકારની દરમિયાનગીરીથી મામલો પેચીદો બની જાય. વાત ફ્કત ગ્લોબલ બનવાની નથી, ‘ઇન્ડીપેન્ડન્ટ જર્નલિઝમ’ની પણ છે. એ જે હોય તે, આવનારા વર્ષો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ કવરેજના મામલામાં ઇન્ટરેસ્ટિંગ પુરવાર થવાના એ તો નક્કી. 0 0 0 
(Sandesh - Ardh Saptahik Supplement - 22 March 217 - Edited version) 
0 0 0