Showing posts with label Travel. Show all posts
Showing posts with label Travel. Show all posts

Monday, January 15, 2018

ઇંગ્લાંડ, દેન્માર્ક, પારિસઃ નાતબહાર થવું પડે તોય વિદેશપ્રવાસ કરવા!

Sandesh - Ardh Saptahik purti - January 10, 2018
ટેક ઓફ

હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે... દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી.' 


‘ઈ.સ. ૧૮૬૧ના માર્ચ મહિનાની ૮મી તારીખે રાત્રે દશ કલાકે હું પારિસમાં દાખલ થયો. શહેર સુધારાના ખરચને કાજે કેટલાક માલ ઉપર શહેરમાં પેસતાં જકાત લે છે. એ જકાત લેનારાએ મારી તથા મારી સાથે આવેલા સઘળા ઉતારુઓની પેટીઓ ઉઘાડીને જોઈ. મારી સિરોઈ જોઈને અજબ થયા. મારા એક સાથીએ ફ્રેંચ ભાષામાં તેમને કહ્યું કે, એમાં પાણી છે. તેઓએ પહેલું તો ન માન્યું, ને કહ્યું કે પાણી લાવવાનું શું કામ છે, પારિસમાં બહુ પાણી છે. તેમાંના એકની હથેળીમાં મેં પાણી રેડયું, તે તેણે ચાખ્યું ત્યારે માન્યું, પણ તેમનું અચરજ ઓછું થયું નહીં.’
આ દોઢ સદી પહેલાંનું ગુજરાતી ગદ્ય છે, જે લેખક અને સમાજસુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું છે. આજના આખા લેખમાં અવતરણ ચિહનમાં મૂકાયેલા ફ્કરાની જોડણી મૂળ લખાણ પ્રમાણે જ રાખી છે. મહિપતરામ લિખિત ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ પ્રકાશિત પ્રવાસગ્રંથ ગણાય છે. એ પહેલાં જો કે અપવાદરૂપે કેટલાક પારસી લેખકોએ લખેલાં પ્રવાસકથાના પુસ્તકો બહાર પડયાં હતાં. વિખ્યાત હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ એ મહિપતરામના પુત્ર થાય. મહિપતરામ પેરિસ ગયેલા ત્યારે એકત્રીસ વર્ષના હતા. એમનું ‘જૂના જમાનાનું’ ગુજરાતી અને પેરિસનું વર્ણન બન્ને જબરાં ચાર્મિંગ છે. જુઓઃ
‘પારિસમાં હું આઠ દહાડા રહૃાો. તેમાં ખાવાના અને ઊંઘવાના વખત સિવાય જરાએ પગવાળીને બેઠો નથી,  ફર ફર કર્યા કીધું. પારિસ સુંદરપણામાં, તથા શોભાયમાન બાંધણીમાં લંડનથી ઘણું ચઢતું છે. એવું કહેવાય છે કે આખી પૃથ્વી ઉપર એના જેવી શોભા બીજા કોઈ શહેરમાં નથી. હાલ વસતી આશરે પંદર લાખની ગણાય છે. (આજે, ૨૦૧૮માં, પેરિસની વસતી આશરે બાવીસ-ત્રેવીસ લાખ છે.) યુરોપના ધનવાન લોકોને મોજ ભોગવવી હોય છે ત્યારે પારિસ આવીને રહે છે. ત્યાં સારો મઝાનો તડકો પડે છે, ટાઢનું દુખ નથી, ઉદ્યોગ ઘણો છે, પણ લોકો મોજી ઘણા છે, તેથી જ્યાં જોઈએ ત્યાં આનંદ થતો દેખાય છે.’

આગળ લખે છેઃ
‘કવિ પ્રેમાનંદ ભટ્ટે દ્વારિકાનું વર્ણન કર્યું છે. જો તેણે હાલનું પારિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી (એટલે કે પેરિસથી) વધારે સારી બનાવત તથા તેેેને વૈંકુઠને બદલે પારિસની ઉપમા આપત.’


આજે વિદેશપ્રવાસો અને વિદેશવર્ણનના પુસ્તકો બન્ને સામાન્ય બની ગયાં છે. વિદેશથી આવેલા ગ્રીનકાર્ડ હોલ્ડર મુરતિયો અને કન્યા વધારે ડિમાન્ડમાં રહે છે, પણ દોઢ સદી પહેલાં દરિયો ઓળંગીને પરદેશ જનારને હિંદુ સમાજ વટલાઈ ગયેલો માનતો. ‘અમર પ્રવાસનિબંધો’માં સંપાદક ભોળાભાઈ પટેલ નોંધે છે એમ, મહિપતરામ ૧૮૬૦માં ઈંગ્લેન્ડ ગયેલા ત્યારે ભારે ઊહાપોહ થયેલો અને એમને નાતબહાર મૂકવામાં આવેલા.
મહિપતરામની જેમ કરસનદાસ મૂળજીએ પણ એ જમાનામાં વિલાયતનો પ્રવાસ કર્યો હતો. કરસનદાસ મૂળજી (જન્મઃ ૧૮૩૨, મૃત્યુઃ ૧૮૭૧) એટલે મહારાજ લાયેબલ કેસવાળા નીડર સમાજસુધારક {nkhks ÷kÞuƒ÷ fu‚ðk¤k ™ezh ‚{ks‚wÄkhf, જેમના જીવન અને કર્મના આધારે સૌરભ શાહે 'મહારાજ' નામની મસ્તમજાની રિચર્સ-બેઝ્ડ નવલકથા લખી છે. કરસનદાસ મૂળજીએ લખેલું ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ નામનું પુસ્તક ૧૮૬૬માં પ્રગટ થયું. પ્રસ્તાવનામાં તેઓ લખે છેઃ
‘ઈ.સ. ૧૮૬૩માં ઇંગ્લાંડમાં પ્રવાસ કરી આવ્યા પછી મને એમ લાગ્યું કે બે પ્રવાસથી મારા મનમાં જે વિચારો ઉપજ્યા છે તે પ્રગટ કરીને મારા દેશીઓની સેવામાં મુકું – આ ઇચ્છાથી મેં આ ગ્રંથ તઇયાર કરયો છે.’
કરસનદાસ ઈંગ્લેન્ડ ગયા એ જમાનામાં એડનબરો (એટલે કે એડનબર્ગ) શહેરની વસતી આશરે સવાબે લાખ જેટલી હતી. આજે ૧૫૫ વર્ષ પછી આસપાસના સબર્બ્સ વગેરે મળીને એડનબર્ગ સિટી રિજનની વસતી લગભગ ૧૪ લાખ જેટલી છે. કરસનદાસ લખે છેઃ
‘સવારના ઉઠીને બારીનો પડદો ઉઘાડીને જોઉં છઉં તો આઃ હા! કેવો સુંદર દેખાવ મારી સામે પડયો! એક તો એડિનબરોનું શેહેર આખા યુનાઈટેડ કિંગડમમાં ખૂબસૂરત અને સોહામણું કહેવાય છે અને જે મહોલ્લામાં હું ઉતર્યો હતો તે મોહલ્લો સઉથી સરસ ગણાય છે. એટલા માટે મારી આંખને જે આનંદ ઉપજ્યો તેમાં પૂછવું શું?’
ઈંગ્લેન્ડ ફ્રીને પાછા વતન આવેલા કરસનદાસ નાતના જુલમથી બચી જાય એવું શી રીતે બને. ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ પુસ્તકના ‘પ્રવાસનો છેડો’ શીર્ષકધારી પ્રકરણમાં તેઓ લખે છેઃ
‘વિલાયત જનાર પહેલા થોડાએક ગૃહસ્થો પર દુખ પડયાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુખ પડયું તે જોઈને જેમ હું અટકયો નહીં, તેમ મને જોઈને બીજાઓ અટકશે નહીં એમ હું માનું છુ… હું છેલ્લી વાર ફ્રીથી કહું છઉં કે મારા પ્રવાસ વિશે લોકો ગમે તેમ બોલો પણ તેનું ફ્ળ રૂડું જ નિપજશે એવી હું આશા રાખું છઉં.’

કરસનદાસ મૂળજી

ગોંડલનાં મહારાણી નંદકુંબરબાએ છેક ૧૯૦૨માં, એટલે કે આજથી ૧૧૬ વર્ષ પહેલાં ૭૦૦ પાનાનું ‘ગોમંડળ પરિક્રમ’ નામનો પ્રવાસવર્ણનનો દળદાર ગ્રંથ બહાર પાડેલો. મહારાણી કયાં કયાં ફરી આવેલાં? ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી, બેલ્જિયમ, હોલેન્ડ, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રિયા, ગ્રીસ, રશિયા, તુર્કસ્તાન, અમેરિકા, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા અને સિલોન! મહારાણીએ વિદેશ કે વિદેશીઓથી સહેજ પણ બિનજરૂરી રીતે પ્રભાવિત થયા વિના બહુ જ સુંદર ભાષામાં વર્ણન કર્યું છે. એમના પુસ્તકના ‘દેન્માર્ક’ નામના પ્રકરણમાં નોંધાયેલાં નિરીક્ષણો જુઓઃ
‘સામટી રીતે જોતાં અમુક અમુક લોકમાં અમુક અમુક ખાસ ગુણ દીઠામાં આવે છે. ઈંગ્લેન્ડના લોક સાહસિક, ઉદ્યોગી ને હિમ્મતબાજ છે, તેમ રીતભાતમાં કંઈક અતડા છે. સ્કોટલેન્ડના બહાદુર, કરકસરિયા ને વિદ્યાવિનોદી છે. આયરલેન્ડના સભ્ય પણ સ્વભાવે ઉતાવળા છે. ફ્રાન્સના મોજી, સુઘડ પણ કંઈક પતરાજીખોર ને જલદી ઉશ્કેરાઈ જાય એવા છે. નાર્વેના લોક ભલા અને કરકસરિયા છે. સ્વિડનના પંડિત થવાને યોગ્ય પણ તેજમાં મંદ છે. ડેન લોક (એટલે કે ડેન્માર્કના લોકો) સુલેહને ચાહનારા, બળવાન પણ પૂર્વજોના સાહસને વીસરી જનાર છે. ડચ લોકો કસાયેલા શરીરના ને પુષ્ટ છે. સ્વિસલોક સાદા ને સ્વદેશ-પ્રીતિવાળા છે. ઇતાલીના લોક દેખાવડા, ચતુર પણ ગંદા, આળસુ અને કોતાબાજ છે.'
ઈંગ્લેન્ડ વિશે મહારાણીએ સચોટ ટિપ્પણી કરી છેઃ
‘ઈંગ્લંડ અગ્નિરૂપ છે! તમામ દેશની પેદાશ હજમ કરી જાય છે!’
વિદેશીઓ સાથે ભારતીય પ્રજાની સ્વસ્થ અને નિર્ભીક તુલના કરવાનું મહારાણી ચુકતા નથી. એક જગ્યાએ તેઓ લખે છેઃ
‘એક સમય એવો હતો કે, આ નાનકડા દેશના (ડેન્માર્કના) વીરપુરુષોએ દક્ષિણ યૂરોપના ઘણાખરા દેશ સ્વાધીન કીધા હતા ને ઉત્તરમાં ઈંગ્લંડનો મુલક તો કેવળ એમની સત્તા નીચે આવી ગયો હતો… એ પરાક્રમ કયાં ગયું?… હિંદુઓના પૂર્વજો પણ એવા જ પરાક્રમી હતા. પણ તે પરાક્રમની હવે નામનિશાની રહી નથી. માંહોમાંહે કુસંપ ને ઈર્ષા થાય ત્યાંથી પરાક્રમ કોસ દૂર થઈ જાય છે. પરાક્રમ વગરનો માણસ નિરુદ્યમી ને નિરુત્સાહી થાય છે. તેથી લક્ષ્મી ને સ્વતંત્રતા ત્યાં રહેતી નથી ને પરિણામે તેને દરિદ્ર ને પરતંત્ર થવું પડે છે… દેન્માર્કમાં કોઈ જ માણસ એવો હશે કે તે લડાયક ન હોય. દેશનો કાયદો જ એવો છે જેેને બાવીસ વરસ થઈ ગયાં તેણે લશ્કરમાં દાખલ થવું જ જોઈએ. આઠ વરસ સુધી લશ્કરમાં રહેવું જોઈએ એવો ધારો છે…. હિંદુસ્તાનમાં તો ક્ષત્રીલોક પણ હથિયાર કેમ પકડવાં એ ભૂલી ગયા છે, તો બીજી વર્ણની તો વાત જ શી કરવી. આ હાલત ખરેખર શોચનીય છે.’


મહારાણીનો આ અણિયાળો મિજાજ જોઈને સ્વામી સચ્ચિદાનંદ અને એમનાં પ્રવાસવર્ણનો યાદ આવી ગયાને! આખી દુનિયા ફરીને પહેલાં મુંબઇ અને ત્યાંથી ધરમપુર થઈને વતન પાછાં ફ્રેલાં ગોંડલના રાણીબાએ શું કર્યું? ગાયની પરિક્રમા! ગોંડલ નામનું મૂળ ગોમંડળ શબ્દમાં છે. ગોમંડળ અપભ્રંશ થઈને ગોંડળ બન્યું અને ગોંડળનું પછી ગોંડલ થઈ થયું. ગોમંડળ એટલે પૃથ્વીની ગોળાકાર સપાટી. આપણાં શાસ્ત્રોમાં પૃથ્વીને ગાય સ્વરૂપ તરીકે કલ્પવામાં આવી છે. ગાય પૃથ્વીનું પ્રતીક છે. ગૌપ્રદક્ષિણા અને પૃથ્વીપ્રદક્ષિણાનું ફ્ળ એકસમાન ગણાય છે. આથી મહારાણી નંદકુંવરબાએ ગોંડલ પાછાં ફરીને સૌથી પહેલાં ગાયની પ્રરિકમ્મા કરી કે જેથી એમની સાચુકલી પૃથ્વી પ્રદક્ષિણા દરમિયાન જાણે-અજાણે જે કંઈ પાપ થઈ ગયાં હોય એ સરભર થઈ જાય!
સો વાતની એક વાત. પાપ પડે કે નાતના લોકો ઈર્ષ્યા કરે, વિદેશપ્રવાસ કરવાના એટલે કરવાના!

0 0 0 

Saturday, May 13, 2017

દૃીપ્તિ નવલ: પરફેક્ટ પ્રવાસી

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૧૩ મે ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

આ અફલાતૂન એક્ટ્રેસ અલગારી જીવ છે. એ હિમાલયના પહાડો ખૂંદૃે, લડાખની થિજેલી નદૃી પર દિૃવસોના દિૃવસો સુધી કૂચકદૃમ કરે. એમને વૈભવી પ્રવાસો નહીં, પણ કઠિન ટ્રેિંકગ કરવાનું ગમે છે અને તે પણ એકલાં! 
Deepti Naval at frozen Zanskhar Vally, Ladakh


દૃીપ્તિ નવલને આપણે ઉત્તમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ. તમને ખબર ન હોય તો જાણી લો કે આ સિવાય દૃીપ્તિએ બે ફિલ્મો ડિરેકટ કરી છે, એક ટીવી સિરીયલનું લેખન અને દિૃગ્દૃર્શન કર્યું છે, તેમના બે કાવ્યસંગ્રહો અને એક વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચુક્યા છે અને તેમનાં પેઈન્ટિંગ્સ તેમજ ફોટોગ્રાફ્સનાં નિયમિત પ્રદૃર્શનો ભરાય છે, દીપ્તિની એક્ટિંગ અને અન્ય ટેલેન્ટની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે વેકેશન ભી હૈ,  મૌસમ ભી હૈ, મૌકા ભી હૈ અને દૃસ્તૂર ભી હૈ એટલે આજે માત્ર દૃીપ્તિની અલગારી રખડપટ્ટી વિશે વાત કરવી છે.

દૃીપ્તિ સાચા અર્થમાં પ્રવાસી છે. અનુભવી ટ્રેકર છે. ખાસ કરીને હિમાલયના પહાડોમાં એમણે પુષ્કળ ટ્રેિંકગ કર્યું છે. દૃીપ્તિ ભલે હવે તો સિનિયર સિટીઝન થઈ ગયાં, પણ તેઓ હજુય પોતાને દિૃલથી પહાડી કન્યા ગણે છે. તેઓ પંજાબના અમૃતસરમાં ઉછર્યાં છે. ઉનાળાના વેકેશનમાં એમનો પરિવાર પૂરા બે મહિના માટે કુલુમાં ધામા નાખતો. મમ્મી, નાનક્ડી દૃીપ્તિ અને બહેન મોજથી ‘એપલ લન્ચ' તૈયાર કરતાં. કુલુ-મનાલી બાજુ સફરજન બહુ સારાં મળે એટલે શાક પણ સફરજનનુ હોય અને કચુંબરમાં પણ સફરજન હોય. કુલુના આ બે મહિનાના આવાસ દૃરયિાન દૃીપ્તિનાં મમ્મી નવરાશની પળોમાં ચિત્રો બનાવતાં હોય અને પ્રોફેસર-રાઈટર પપ્પા શાંતિથી બેઠા બેઠા લખતા હોય. દૃીપ્તિમાં મા-બાપ બન્નેના ગુણ ઉતર્યા છે. પપ્પા દૃીકરીઓને લઈને ચાલવા ઉપડી જતા. કલાકો સુધી તેઓ ચાલ્યા કરતાં. નાનકડી દૃીપ્તિના દિૃમાગમાં પ્રશ્ર્ન જાગતો કે ચારે બાજુ દૃેખાતા આ પહાડોની પેલે પાર શું હશે? આમ, નાનપણથી જ દૃીપ્તિ નવલને પહાડો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું જે આજીવન ટકી રહ્યું.

‘હું જરા અલગ પ્રકારની પ્રવાસી છું,' દૃીપ્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા માટે અમુક-તમુક જગ્યાએ જઈને ફલાણી-ફલાણી જગ્યાઓ કવર કરી નાખવાનું મહત્ત્વ હોતું નથી. હું મુકતપણે રખડવામાં માનું છું. આખી જિંદૃગી મેં  ટ્રેકિંગ કર્યું છે. મુંબઈ જઈને ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું તે પછીય હું કાયમ ફરવા જવાના બહાનાની શોધમાં  રહેતી. એકસાથે ઝાઝા દિૃવસો ન મળે તો શોર્ટ ટ્રેકિંગ પર ઉપડી જતી. શૂટિંગ કે શેડ્યુલ કેન્સલ થયું નથી ને મેં દિૃલ્હીની ફ્લાઈટ પકડી નથી. દિૃલ્હીથી પછી લોકલ બસમાં બેસીને હિમાચલ પ્રદૃેશમાં મન ફાવે ત્યાં ઉપડી જવાનું. મારા માટે પ્રવાસ બહારની નહીં, પણ અંદરની વસ્તુ છે, આંતરિક બાબત છે. પોતાની જાત સાથે સમય વીતાવ્યા વગર મને ચેન ન પડે. મારી ખોપડીમાં મને મારો પોતાનો અવાજ સંભળાવો જોઈએ. મારા કાને પ્રકૃતિના ધ્વનિ પડવા જોઈએ. નાનપણથી હું પ્રકૃતિપ્રેમી છું. પ્રકૃતિ જ જાણે મને પોતાની પાસે આવવા સાદૃ દૃેતી હોય છે. મનમાં સ્ફૂરણા થાય એટલે ઉપડી જવાનું અને લકઝરી ટૂર નહીં, પણ એકદૃમ રૉ (કાચો, કુદૃરત સાથે જોડાયેલા) અનુભવો લેવાના.'

પ્રવાસીઓના એક્ પ્રકારમાં લોકોને પૂરેપૂરી સુખસુવિધાઓ જોઈએ, સરસ હોટલમાં બુકિંગ જોઈએ, સારું ખાવાપીવાનું જોઈએ, ફરવા માટે વાહન જોઈએ, શોપિંગ કરવા જોઈએ, સતત ફોટા અને સેલ્ફી પાડવા જોઈએ. શેડ્યુલ કે સગવડમાં સહેજ પણ ચૂક થાય તો એ ઘાંઘા થઈ જાય. બીજા પ્રકારના પ્રવાસીઓ માટે આ બધું ગૌણ છે. તેઓ પીઠ પર થેલો ભરાવીને ટ્રેકિંગ  કરશે, નવી નવી પગદૃંડીઓ પર ચાલશે, ભુલા પડશે, કુદૃરતનું સીધું સાન્નિધ્ય માણશે, રાત્રે ટેન્ટમાં રહેશે, સ્થાનિક ખાણું ખાશે, સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓ સાથે હળશેભળશે, શરીરને કષ્ટ આપવા તૈયાર રહેશે, અગવડ પણ એન્જોય કરશે. ત્રીજું જૂથ એવા લોકોનું છે, જેમને આ બન્ને પ્રકારના પ્રવાસો ગમે છે. જેવો મૂડ. દૃીપ્તિ નવલ સ્ટ્રિકટ્લી બીજા પ્રકારનાં પ્રવાસી છે.


‘સિમેન્ટ કોંક્રીટના જંગલમાંથી નીકળીને ફરી પાછા સિમેન્ટ કોંક્રીટના જંગલમાં (એટલે કે હોટલોમાં) જ રહેવાનું હોય તો ફરવા જવાનો મતલબ શો છે?' એ કહે છે, ‘મને તો જ્યાં સુધી પક્ષીઓનો કલબલાટ કાને ન પડે અને વૃક્ષોમાંથી ફૂંકાતી હવા શરીરને ન સ્પર્શે ત્યાં સુધી સંતોષ જ થતો નથી.'    

દૃીપ્તિ પાસે પ્રવાસની વાતોનો ખજાનો છે. ‘૨૦૦૩માં હું લડાખમાં દૃસ દિૃવસના ઝંસ્કાર રિવરના ટ્રેકિંગ માટે ગઈ હતી,' દૃીપ્તિ યાદૃ કરે છે, ‘આખી ઝંસ્કાર નદૃી થીજી ગઈ હતી અને તેના પર દૃસ દિૃવસ સુધી ટ્રેકિંગ કરવાનું હતું. તે વખતે મને ખબર નહોતી કે અહીં આ રીતે ટ્રેકિંગ કરનાર હું ભારતની પહેલી નોન-લડાખી સ્ત્રી હોઈશ! હું તદ્દન એકલી ગયેલી. મારી સાથે સામાન ઉપાડવાવાળા બે પોર્ટર હતા, બસ. હવે તો થીજીલી ઝંસ્કાર નદૃી એડવન્ચર ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર બની ગઈ છે. એને ‘ચાદૃર ટ્રેક' એવું નામ આપવામાં આવ્યું છે. આ ખાસ્સું અઘરું અને પડકારજનક ટ્રેકિંગ છે. તમારે બર્ફીલી નદૃી પર ૧૦૫ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવાનું હોય છે. નવાસવા કે બિનઅનુભવી ટ્રેકરોએ આ અખતરા ન કરવા. અહીં રસ્તામાં પદૃમ નામની બૌદ્ધ મોનેસ્ટરી આવે છે, જે આ વિસ્તારની સૌથી જુની મોનેસ્ટરી છે. ઝંસ્કાર વિસ્તારમાં તો ઉનાળામાં જીપ સફારી કરો તો પણ બહુ જ સરસ સીન-સિનેરી જોવા મળે.'
 
દૃીપ્તિનું બીજું એક ફેવરિટ સ્થળ છે, અરુ. એ કાશ્મીરમાં પહેલગામથી અડધા કલાકના અંતરે આવેલું છે. દૃીપ્તિએ  શ્રીનગરમાં ખાસ પોતાના માટે અલાયદૃી હાઉસબોટ વસાવી છે. શિકારામાં સવાર થઈને દૃાલ સરોવરમાં સહેલ કરવામાં દૃીપ્તિને ભારે મોજ પડે છે.

‘ઇટ ઇઝ થેરાપ્યુટિક! હું મારી નાનકડી શિકારામાં ફરતી રહું ને પછી મોડી મોડી પાછી મારી હાઉસબોટમાં આવીને કશુંક લખું-વાચું. રમઝાન મહિનામાં હું બે વાર ત્યાં ગઈ છું. આ સિઝનમાં ટુરિસ્ટો ઓછા હોવાથી બહુ શાંતિ હોય. ફકત સ્થિર પાણી હોય અને દૃૂર દૃૂર આઝાનના અવાજો સંભળાતા હોય...'

દૃીપ્તિને ખૂબ જલસો પડતો હોય એવી અન્ય જગ્યા છે, ઉત્તરાખંડમાં નૈનિતાલ જિલ્લામાં મુકતેશ્ર્વર તરફ આવેલું શીતળા એસ્ટેટ. અહીં રહેવા માટે કોઈ ફેન્સી હોટલો નથી, પણ ફરવા નીકળેલી દૃીપ્તિને આમેય કયાં ફાઈવસ્ટાર હોટલમાં રહેવાની જરુર હોય છે? હિમાચલ પ્રદૃેશમાં તિબેટની બોર્ડર નજીક સાંગલા વેલીમાં આવેલી બંજારા કેમ્પ્સ નામની જગ્યા પણ દૃીપ્તિને ખૂબ પસંદૃ છે. સાંગલા વેલીમાં જ આવેલું કિન્નુર અતિ ખૂબસૂરત સ્થળ છે. શિયાળામાં સર્વત્ર બરફની ચાદૃર બિછાઈ ગઈ હોય ત્યારે આ જગ્યા ઓર સુંદૃર બની જાય છે.

‘મેં ક્યારેય ગ્રુપ સાથે ટ્રેકિંગ કર્યું નથી,' દૃીપ્તિ કહે છે, ‘મારી પ્રકૃતિ જ એવી છે કે મને ગ્રુપમાં ઝાઝું ફાવે નહીં. મેં લાઈફમાં જેટલાં એડવન્ચર ટ્રેકિંગ કર્યા છે તે એકલાં જ કર્યા છે. હું બિન્દૃાસ ગમે ત્યાં એકલી ઉપડી જતી. ખુદૃની સલામતી માટે જરાય ફિકર કરવી પડતી નહીં. લોકો મને ઓળખી જાય એટલે પાસે આવે, સારી રીતે વાત કરે, ઇવન મને કોઈ વાતની તકલીફ તો નથીને એવો ખયાલ પણ રાખે. અત્યારે જોકે સમય એટલો ખરાબ આવી ગયો છે કે હું મહિલાઓને અંતરિયાળ જગ્યાઓએ એકલાં ફરવા જવાની સલાહ નહીં આપું. બંજારા કેમ્પ્સમાં ઘણી વાર સરસ ગ્રુપ્સ આવતાં હોય છે. આપણા જેવો એટિટ્યુડ અને શોખ ધરાવતા પ્રકૃતિપ્રેમી લોકો મળી જાય તો એમની સાથે ટ્રેિંકગ કરવાની મજા આવે.'

ફિલ્મમેકર પ્રકાશ ઝા સાથે છૂટાછેડા લીધા પછી દૃીપ્તિના જીવનમાં વિનોદૃ પંડિત નામના એક ઓછા જાણીતા એક્ટરનો પ્રવેશ થયો હતો. લાંબી ભરપૂર મૈત્રી બાદૃ તેમણે લગ્ન કર્યાં, પણ દૃુર્ભાગ્યે કેન્સરે વિનોદૃ પંડિતનો જીવ લઈ લીધો. સાથ ભલે લાંબો ન ચાલ્યો, આ પુરુષે દૃીપ્તિ નવલના જીવનને સુખ અને આનંદૃથી ભરી દૃીધું હતું. એને પણ હરવાફરવાનો, ટ્રેિંકગ કરવાનો ગાંડો શોખ હતો. કામ કરવાનું, કમાવાનું, પ્રવાસે ઉપડી જવાનું અને પૈસા ખલાસ થવા આવે એટલે પાછા ઘરે આવી જવાનું - દૃીપ્તિ અને વિનોદૃની આ લાઈફસ્ટાઈલ બની ગઈ હતી.  



‘કુલુ વેલીમાં હરિપુરમાં મારો નાનકડો સ્ટુડિયો છે,' દૃીપ્તિ કહે છે, ‘આમ તો પથ્થરનું બનેલું મકાન છે તે. મને અહીં રહેવાની બહુ મજા આવે છે. મારું બધું આર્ટ વર્ક અહીં પડ્યું છે.'

હિમાચલ અને ઉત્તરાખંડ તો સુંદૃર છે જ, પણ લેહ-લડાખ દૃીપ્તિ માટે અલ્ટિમેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. છ-છ વખત તેમણે અડધું ભારત ક્રોસ કરીને મુંબઈથી લડાખ સુધીનું અંતર જાતે ગાડી ડ્રાઈવ કરીને કાપ્યું છે! ‘ઈન સર્ચ ઓફ અનધર સ્કાય'  નામના એમના સૌથી પહેલા ફોટોગ્રાફી એકિઝબિશનની તસવીરો એમણે જાન્યુઆરી ૧૯૯૮ના લડાખપ્રવાસ દૃરમિયાન ખેંચી હતી. આ સમયે શિયાળો ચરમસીમા પર હોય. પ્રવાસીઓ શું, સ્થાનિક લોકો પણ સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા હોય. ફકત થોડા ધૂની વિદૃેશીઓ ક્યાંક દૃેખાતા હોય, જે કાં તો કશુંક લખતા-વાંચતા હોય અથવા મોનેસ્ટરીમાં મેડિટેશન કરતા હોય. આવા વિષમ માહોલમાં દૃીપ્તિ લેહ-લડાખ પહોંચી ગયેલાં. દૃીપ્તિ માટે આ પરફેકટ વેકેશન હતું! ટુરિસ્ટ સિઝનમાં તો સૌ કોઈ જાય, પણ ઓફ-સિઝનમાં, અક્લ્પ્ય અને અણધારી અગવડો વચ્ચે ધરતી ખૂંંદૃી વળે એ સાચો પ્રવાસી!

0 0 0