Showing posts with label Steve Jobs. Show all posts
Showing posts with label Steve Jobs. Show all posts

Tuesday, July 18, 2017

શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૫ જુલાઈ ૨૦૧૭ 

ટેક ઓફ

 'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. મૃત્યુની સભાનતા હંમેશા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'



થોડાં વર્ષ પહેલાં એક વિચિત્ર ઘટના બની ગઈ. મુંબઈમાં પથરાયેલા સંજય ગાંધી નેશનલ પાર્ક નામનું વિરાટ અને સુંદૃર જંગલ ફેલાયેલું છે. ચોમાસામાં એનું રુપ ખીલી ઉઠે છે, પણ ક્યારેક આ સિઝનમમાં અપ્રિય ઘટનાઓ પણ બની જતી હોય છે. જેમ કે, એક ચોમાસામાં નેશનલ પાર્કમાં વહેતી નદૃીમાં એવું પૂર આવ્યું પુલ પરથી પસાર થઈ રહેલી એક કાર તણાઈ ગઈ. એમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા. આ દૃુર્ઘટના પછી એક મુંબઈગરાને સપનું આવ્યું. તેમાં કારમાં મૃત્યુ પામેલી એક મહિલા દૃેખાઈ. મહિલાએ આખી દૃુર્ઘટનાએ કેવી રીતે આકાર લીધો હતો એની રજેરજની માહિતી આ સજ્જનને દૃશ્યરુપે દૃેખાડી. સવારે ઉઠ્યા પછી પણ સજ્જનને ભારે નવાઈ લાગી. આ મહાશય ન કોઈ  આધ્યાત્મિક આંતરદૃષ્ટિ ધરાવતા હતા, ન તેઓ સાધક હતા કે ન પેલી મહિલા સાથે તેમનો વિશેષ પરિચય હતો. છતાંય મહિલાએ પોતાના મોતનાં દૃશ્યો દૃેખાડવા માટે આ સજ્જનને શા માટે પસંદૃ કર્યા?

સજ્જને આ વાત કવિ મકરન્દૃ દૃવે સાથે શેર કરી હતી. મકરન્દૃ દૃવે ખુદૃને આવો અનુભવ થયો હતો. પ્રોફેસર કે. ટી. મર્ચન્ટ એટલે મુંબઈની સિડનહામ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને જાણીતા અર્થશાસ્ત્રી. પાછલી વયે તેઓ એકલા રહેતા હતા. નાનાંમોટાં કામ કરવા ઘરમાં એક જુવાનિયો હતો.  પ્રો.મર્ચન્ટનું અડધી રાતે અવસાન થયું. મૃત્યુ પછી તેઓ મકરન્દૃ દૃવેના સપનામાં આવેલા. મૃત્યુની ઘડી આવી ત્યારે પોતે કયા ઓરડામાં કઈ રીતે સૂતા હતા, એમણે જુવાનિયાને મદૃદૃ માટે કઈ રીતે બોલાવ્યો આ બધી વિગતો એમણે માટે કહી નહીં, દૃષ્યરુપે દૃેખાડી.

શેરલોક હોમ્સનું અમર જાસૂસી કિરદૃાર સર્જનાર સર આર્થર કોનન ડાયલે સંપૂર્ણ ગાંભીર્ય સાથે જાહેરમાં કહ્યું છે કે મૃત્યુ પામેલા મિત્રો અને સ્વજનો સાથે એમણે વાત કરી છે. તેમણે કહેલું, 'મારા મામા અને ભત્રીજાને મેં જાણે જીવતા જાગતા હોય એવા સ્થૂળ રુપમાં જોયા છે. એટલે મૃત્યુ પછી આપણું અસ્તિત્ત્વ રહે છે એ મારા માટે પુરવાર થયેલી બાબત છે.

આપણે જેને સુપર નેચરલ કહીએ છીએ તે પ્રકારના કિસ્સા શા માટે બનતા હોય છે? બીજા કોઈ કહે તો આપણે કદૃાચ આ વાતને મેન્ટલ પ્રોજક્શન કે ભ્રાંતિ કહીને  એક બાજુ હડસેલી દૃઈએ, પણ કવિ મકરન્દૃ દૃવે જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં ઊંડા ઊતરેલા સાહિત્યક્ાર કે આર્થર કોનન ડાયલ જેવો સુપરસ્ટાર રાઈટર આ પ્રકારના કિસ્સા વર્ણવે ત્યારે ગંભીરતાપૂર્વક સાંભળવું પડે. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ' નામના એક અતિ સુંદૃર પુસ્તકમાં આ કિસ્સા ટાંક્યા છે. મૃત્યુ જીવનનું સૌથી પહેલું, સૌથી અંતિમ અને સૌથી સુનિશ્ર્ચિત સત્ય છે. દૃુનિયાભરની વિભૂતિઓ, ફિલોસોફરો, સાહિત્યકારો અને કલાકારોએ મૃત્યુ વિશે પુષ્કળ ચિંતન કર્યું છે. ‘અંતવેળાએ'માં આ ચિંતનના અંશોનો સુંદૃર સંગ્રહ થયો છે.



 'મૃત્યુ ન હોત તો માનવ કાયમ એક અપૂર્ણ સ્વરુપની અંદૃર જીવ્યા કરત, શ્રી અરિંવદૃે કહ્યું છે, 'મૃત્યુ તેની પાછળ પડ્યું છે તેથી જ તે પૂર્ણ જીવનના વિચાર પ્રતિ જાગે છે, અને તે પ્રાપ્ત કરવાનાં સાધનો અને તેની શકયતાઓ માટે પ્રયાસ કરે છે. ભૌતિક તત્ત્વ ચેતનામાં પૂર્ણતાના જરુરિયાત, પ્રગતિની જરુરિયાત જગાડવા માટે મૃત્યુ એ અનિવાર્ય સાધન છે. મૃત્યુની લટકતી તલવાર ન હોત બધા માનવો પોતે જે છે તે સ્થિતિમાં જ સંતોષ માની લેત.'\જે. કૃષ્ણમૂર્તિનો એમના અનુયાયી સાથેનો સરસ સંવાદૃ છે.  કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, 'માણસે પોતાનો એક દિૃવસ કેવી રીતે જીવવો?

‘જાણે કે પોતે એક દિૃવસ માટે જ, એક કલાક માટે જ જીવવાનો હોય.'

‘એ કેવી રીતે?'

‘જો તમારે હવે માત્ર એક જ કલાક જીવવાનું છે એમ તમને ખબર પડે તો તમે શું કરો? તમે કામધંધો, વ્યવહાર યોગ્ય રીતે ગોઠવી લ્યો. જેમને દૃૂભવ્યા હોય તેમની માફી માંગો. બીજાઓએ તમને દૃૂભવ્યા હોય તો તેમને માફ કરી દૃો. મનના બધા વ્યાપારો, તૃષ્ણાઓ, ઇચ્છાઓનું તમારા સંસારનું તમે વિસર્જન નહીં કરો? અને તમે જો આ એક કલાક કે એક દિૃવસ માટે કરી શકો તો બાકીના દિૃવસો માટે પણ એ રીતે ન જીવી શકો? તમે એક કલાક પણ જીવનની પૂર્ણતામાં જીવી શકો તો બાકી રહેલા જીવનમાં પણ એ જ સભરતાથી જીવી શકશો.'

સભરતા. અર્થપૂર્ણ જીવનનું આ મુખ્ય લક્ષણ છે. માંહ્યલાને અનુસરતા રહીએ તો આ સભરતા તરફ વધારે ઝડપથી પહોંચી શકાતું હોય છે. વિશ્ર્વવિખ્યાત એપલ બ્રાન્ડના સર્જક સ્ટીવ જોબ્સે સરસ કહ્યું છે:

'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. આપણે ક્યારેક મૃત્યુ પામવાના છીએ તે હકીકત હંમેશાં યાદૃ રાખવી. આ રીતે કશુંક ગુમાવવાના ડરથી મુક્તિ મળી જશે. એવું સમજો કે તમે ઓલરેડી બધું ગુમાવી ચુક્યા છો, તમારા શરીર પર કપડાં પણ રહ્યાં નથી. આ પ્રકારની સભાનતા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'

સ્ટીવ જોબ્સ પાત્ર પ૬ વર્ષ જીવ્યા, પણ કાકા કાલેલકર લાંબું જીવન પામ્યા હતા. પોતાના દૃીર્ઘાયુનું રહસ્ય સમજાવતા એક વાર કાકા કાલેલકરે કહેલું કે મૃત્યુના િંચતનને લીધે હું દૃીર્ઘાયુ બની શક્યો છું. એમણે તો તો એવી ટેવી જ પાડી દૃીધી હતી. મૃત્યુનું સ્મરણ એમને આઠે પહોર રહેતું. કાકાસાહેબ કહે છે, ‘હું અનુભવે કહી શકું છું કે આ રીતે મૃત્યુનું સ્મરણ કરતાં રહેવાથી હર્ષશોકથી પર એવો જે આનંદૃ, તેનો સાક્ષાત્કાર હું કરી શકયો છું. તેથી જ મારું ચિત્ત પ્રસન્ન રહે છે. આરોગ્ય પર પણ એની સારી અસર થાય છે.'

‘પરમ સખા મૃત્યુ' પુસ્તકમાં કાકાસાહેબે લખ્યું છે કે, 'મરણને પણ જો ન્યાય કરવો હોય તો તેને મનુષ્યનો પરમ મિત્ર કહેવો જોઈએ. મોટા મોટા ધન્વતરિ અને મનોવૈજ્ઞાનિકો પણ જે શાંતિ અને સાંત્વન માણસને આપી નથી શકતા, તે આ પરમ સખા નિશ્ર્ચિંત અને સ્થાયી રુપે આપે છે. ખરેખર તો મરણમાં દૃુખ નથી. જેને આપણે મરણનું દૃુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠી જીવવાનું દૃુખ છે. એ દૃુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દૃુખમાંથી છૂટકારો કરે છે. દૃુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી.'

સ્વામી વિવેકાનંદૃે પણ કંઈક આવા જ સૂરમાં કહ્યું છે કે, ‘જ્યારે પણ હું મૃત્યુ વિશે વિચારો કરું છું ત્યારે મારી બધી દૃુર્બળતાઓ અલોપ થઈ જાય છે. એ બાબત કોઈ ભીતિ કે શંકા મારા મનમાં રહેતી નથી. એ મહાયાત્રા માટે તૈયાર થવામાં હું પૂરેપૂરો ડૂબી જાઉં છું. હું જાણું છું કે ત્યાં એક અવર્ણનીય પ્રકાશપુંજનો મને સાક્ષાત્કાર થવાનો છે. પછી ભય શાનો?'



મૃત્યુ પૂર્ણવિરામ નથી. તે અલ્પવિરામ પણ નથી. મૃત્યુ અપૂર્ણવિરામ છે. કશુંક જીવ્યા કરતું હોય છે મોત પછીય.  સ્વજન સાથેના ગાઢ સંંબંધને મૃત્યુ ક્યાં તોડી શકે છે? હૃદૃયમાં ધબકતા મૃત પ્રિયજન પ્રત્યેના પ્રેમને ક્યારેક ગેબી પરિમાણ મળી જતું હોય છે. એક આખેઆખું પુસ્તક છે, જેનું શીર્ષક છે, ‘રવીન્દ્રનાથેર પરલોક-ચર્ચા'. અમિતાભ ચૌધરીએ લખેલા આ મૂળ પુસ્તકનો હિન્દૃી અનુવાદૃ પણ પ્રગટ થયો છે. આ પુસ્તકમાં મૃતાત્માઓને બોલાવવાની પ્લાન્ચેટ નામની એક જાણીતી વિધિ વિશે ખૂબ બધી વાતો છે. નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને મૃત જીવાત્માઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શકાય છે એ વાતમાં વિશ્ર્વાસ હોવો જોઈએ, કેમ કે એમણે ખુદૃ અનેક વાર આ પ્રયોગો કરી જોયા હતા. ટાગોરનો પુત્ર શમી અને પુત્રી બેલા નાનપણમાં મૃત્યુ પામ્યાં હતાં. ટાગોર માધ્યમ મારફતે મૃત સંતાનો સાથે વાતો કરતા. માધ્યમ ટાગોરના મિત્રની દૃીકરી ઉમા બનતી. મૃતાત્માઓનું આહ્વાન કરવામાં આવે ને પછી ભયાનક ઝડપથી ઉમાની કલમ કાગળ પર ચાલવા માંડે. આ લખાણમાં કયાંય કશુંય અસંગત ન હોય, ભુલ કે રુકાવટ ન હોય.

દૃેહ છોડવો એ કંઈ અનિવાર્યપણે અશુભ ઘટના નથી. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ 'પુસ્તકમાં એક જગ્યાએ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે અવસાનના સમાચાર આપતા પોસ્ટકાર્ડ કે પત્રમાં આપણે મોટા અક્ષરે ‘અશુભ' એવું શા માટે લખીએ છીએ? એક વાર એમને મરણસંદૃેશ આપતું પોસ્ટકાર્ડ આવેલું જેના પાછળના હિસ્સા પર, ફોર અ ચેન્જ, ‘શુભ' શબ્દૃ લખ્યો હતો. ઈશા-કુન્દનિકા કહે છે, 'મૃત્યુની ઘટનાને જેઓ ‘શુભ' તરીકે જોઈ શકે, તેમની ચેતના નિ:શંક અતિ ઉચ્ચ અવસ્થાએ પહોંચી હોવી જોઈએ. અકાળ કે અપમૃત્યુ કે ક્રૂર હસ્તોએ કરેલી હત્યા, કશી પૂર્વસૂચના આપ્યા વગર ભરવસંતે છીનવી લીધેલા પ્રિયજનનું જવું - એવી અતિ આઘાતપ્રેરક ઘટનાઓને બાદૃ કરીએ તો, સહજ સ્વાભાવિકપણે, જીવનના સર્વે કાર્યોનો સંકેલો કરી ચિરનિદ્રામાં કોઈ પાઢી જાય તો એને અશુભ ન કહીએ.'

shishir.ramavat@gmail.com


Wednesday, February 18, 2015

ટેક ઓફ : સ્ટીવ જોબ્સ જીવતા હોત તો આઈ-કાર બનાવવામાં બિઝી હોત... કદાચ!

Sandesh - Ardh Saptahik purti - 18 Feb 2015
ટેક ઓફ 
"નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતોમારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હોજો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો."


સ્ટીવ જોબ્સ જીવતા હોત તો સૌથી પહેલાં તો છ દિવસ પછી, ૨૪ ફેબ્રુઆરીએ આવનારા પોતાના સાઠમા બર્થડેની તૈયારી કરતા હોત. સ્ટીવ કરતાં ખાસ તો એ જેમના કો-ફાઉન્ડર અને ચેરમેન હતા એ એપલ કંપનીની હરખપદૂડી ટીમ પોતાના સુપર બોસનો સાઠમો બર્થડે ભવ્ય રીતે સેલિબ્રેટ કરવા થનગન થનગન થતી હોત. પર્સનલ કમ્પ્યૂટરની દુનિયામાં ક્રાંતિ આણનાર સ્ટીવ જોબ્સ છપ્પન વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. આ માણસ માત્ર
એક-દોઢ દાયકો વધુ જીવી ગયો હોત તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુનિયામાં કોણ જાણે ઔર કેવા કેવા ચમત્કાર કરી ગયો હોત!
આઇમેક, આઇપોડ, આઇપેડ, આઇટયૂન્સ અને આઇફોન પછી સ્ટીવ જોબ્સે આઇકાર શબ્દપ્રયોગ વિશ્વવિખ્યાત કરી નાખ્યો હોત... કદાચ! ટેસ્લા મોટર્સ નામની અમેરિકન કંપનીએ ૨૦૦૮માં દુનિયાની સૌથી પહેલી ટેસ્લા રોડસ્ટર નામની પેટ્રોલ વગર કેવળ બેટરીના જોરે ચાલતી ફુલ્લી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ માર્કેટમાં મૂકી હતી. એપલના બોર્ડ મેમ્બરો કહે છે કે તે વખતથી જ સૌને લાગતું હતું કે કારના જબરા શોખીન સ્ટીવ વહેલા-મોડા આઇકાર એટલે કે ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ઝંપલાવવાના.
લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એપલ કંપનીમાં કામ કરતા સ્ટીવના પ્રોફેશનલ વારસદારોએ ઇલેક્ટ્રિક કાર ડેવલપ કરવાનો પ્રોજેક્ટ ઓલરેડી શરૂ કરી દીધો છે. તાજેતરમાં ટેસ્લા કંપનીના સીઈઓએ ખુદ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એપલવાળા અમારા કાબેલ માણસોને ખેંચી જવા માટે અઢી લાખ ડોલરનું તોતિંગ સાઇન-અપ બોનસ (મતલબ કે કંપનીમાં પગ મૂકતાંની સાથે જ અપાતું વેલકમ બોનસ!), સાઠ ટકા જેટલો વાર્ષિક પગારવધારો અને બીજા જાતજાતના પર્ક્સનાં પ્રલોભનો આપી રહ્યાં છે. ઓલરેડી પચાસ જણા ટેસ્લા છોડીને એપલમાં જોડાઈ ગયા છે, જેમાંથી મોટાભાગના એન્જિનિયર છે.
એક થિયરી એવી છે કે એપલવાળા એક્ચ્યુઅલી પોતાની જાતે ચાલતી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ડેવલપ કરી રહ્યા છે. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર જોકે ઘણું કરીને બેટરી ઓપરેટેડ જ હોવાની. ગૂગલ કંપનીએ ગયા વર્ષે ડ્રાઇવર અને સ્ટિયરિંગ વગરની સ્વયંસંચાલિત કારનું મોડલ દુનિયા સામે મૂક્યું હતું. આ વર્ષે સાન ફ્રાન્સિસ્કોના રસ્તાઓ પર એની ટ્રાયલ શરૂ થવાની છે. બીજી એક થિયરી કહે છે કે,આ કાર-બારની વાતો ખોટી છે. એપલવાળા વાસ્તવમાં એમના આઇફોન માટેની મેપ્સ એપ્લિકેશનને વધુ એક્યુરેટ બનાવવા માટે કસરત કરી રહ્યા છે!
Tesla Roadster

સ્ટીવ જોબ્સના જીવન પરથી 'જોબ્સ' નામની એસ્ટન કુચરના અભિનયવાળી એક ફિલ્મ ઓલરેડી બની ચૂકી છે. હવે 'સ્લમડોગ મિલિયોનેર'વાળા ડિરેક્ટર ડેની બોયલ નવેસરથી સ્ટીવ જોબ્સની બાયોપિક બનાવી રહ્યા છે. મૃત્યુને ચાર વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં જ હોલિવૂડની બબ્બે બિગ બજેટ ફિલ્મોના વિષય બની જવા માટે માણસે કેટલું બધું ઘટનાપ્રચુર, ભરપૂર અને અર્થપૂર્ણ જીવન જીવવું પડે?
સ્ટીવ જોબ્સે દાયકા પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે આપેલું ભાષણ અમર બની ગયું છે. જેટલી વાર એ સ્પીચનો વીડિયો જોઈએ અથવા એના અંશો વાંચીએ ત્યારે દર વખતે આપણામાં ગજબનાક જોશ ફૂંકાઈ જાય છે. વક્રતા જુઓ કે સ્ટેનફોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓ સામે ભાષણ આપનાર સ્ટીવ જોબ્સ પોતે કોલેજ ડ્રોપઆઉટ હતા!
"મેં જે કોલેજમાં એડમિશન લીધું હતું તે સ્ટેનફોર્ડ જેટલી જ મોંઘીદાટ હતી" સ્ટીવે કહેલું, "મારાં નોકરિયાત મા-બાપે બિચારાઓએ આખી જિંદગી મહેનત કરીને જે પૈસા બચાવ્યા હતા તે તમામ મારી ફી ભરવામાં ખર્ચાઈ રહ્યા હતા. પહેલાં છ જ મહિનામાં મને કોલેજનું ભણતર નકામું લાગવા માંડયું. તે ઉંમરે હું ખુદ નક્કી નહોતો કરી શકતો કે લાઇફમાં હું શું કરવા માગું છું. મને એય સમજાતું નહોતું કે આ નક્કી કરવામાં કોલેજનું આ ભણતર મને કેવી રીતે કામમાં આવવાનું છે, તેથી મેં નિર્ણય લીધો કે મારે આગળ નથી ભણવું. કમ સે કમ મારાં મમ્મી-પપ્પાનું સેવિંગ તો બચશે. મનમાં ભરોસો હતો કે આખરે સૌ સારાં વાનાં થઈ જશે,પણ સાથે સાથે સખત ગભરાટ પણ થઈ રહ્યો હતો. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે કોલેજનું ભણતર પડતો મૂકવાનો નિર્ણય મારા જીવનના શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક હતો. જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાનાં હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકા પર જતી વખતે (એટલે કે જીવનમાં નેક્સ્ટ લેવલ પર જવાની કોશિશ કરતી વખતે) કશાક પર તો ભરોસો રાખવો જ પડે. આ કશુંક તમારી અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કંઈ પણ હોઈ શકે. આ ભરોસો હોય તો એક-એક ટપકું જોડાતું જાય છે ને આખરે એક સળંગ સુરેખ ચિત્ર બને જ છે."
કલ્પના કરો, જે માણસે એપલ કંપની સ્થાપી હતી અને સફળ કરી દેખાડી હતી એ જ માણસને એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી! ત્રીસ વર્ષના સ્ટીવ જોબ્સ એ વખતે ઓલરેડી સેલિબ્રિટી બની ચૂક્યા હતા. સરેઆમ થયેલા આ નીચાજોણાથી અને ભયંકર નિષ્ફળતાથી ભાગી પડયા હતા એ. એવો વિચાર પણ આવી ગયો કે કમ્પ્યૂટરની આ લાઇન જ છોડી દઉં?
વાસ્તવમાં એપલમાંથી થયેલી હકાલપટ્ટી સ્ટીવના જીવનની લાઇફની શ્રેષ્ઠ ઘટના સાબિત થઈ!

એકધારી સફળતા અથવા ખૂબ મોટી સફળતા પછી નિષ્ફળતાનો ડોઝ મળવાથી પગ જમીન પર સ્પર્શેલા રહે છે. સ્ટીવ કહે છે, "નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતી, મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. તમારે એ વસ્તુ કે એ કામ શોધવું જ પડે જેમાંથી તમને સૌથી વધારે આનંદ મળતો હોય. આપણું કામ, આપણી કરિયર જીવનનો બહુ મોટો ભાગ રોકે છે. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો. જો તમને હજુ સુધી એ કામ મળ્યું ન હોય અથવા હજુ સુધી તમે સ્પષ્ટ ન હોય કે કયા કામમાં તમને સૌથી વધારે આનંદ મળે છે તો ટ્રાય કરતા રહો, ચકાસતા રહો. જે પહેલું કામ મળ્યું એ પકડીને બેસી ન જાઓ. શોધતા રહો. આ દિલ કા મામલા જેવું છે. સાચું પાત્ર સામે આવતાં દિલ જે રીતે એને ઓળખી લે છે એવું જ કામનું છે. જેવા તમે સાચા ક્ષેત્રમાં આવશો કે તમારું હૃદય તરત તે પારખી લેશે. સાચા પાત્ર સાથે બંધાયેલો પ્રેમસંબંધ સમયની સાથે વધારે સુંદર બનતો જાય છે. કામનું પણ એવું જ છે. તમે કરેક્ટ ફિલ્ડમાં હશો તો સમયની સાથે નિખરતા જશો."
 સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી એક અદ્ભુત ડોક્યુમેન્ટરી બની હતી - 'બિલિયન ડોલર હિપ્પી'. એકાદ કલાકની આ ફિલ્મમાં સ્ટીવના દોસ્તો, પરિવારના લોકો, કલીગ્ઝ વગેરેએ જે વાતો કહી છે એમાંથી એમનું લાર્જર-ધેન-લાઇફ વ્યક્તિત્વ કમાલનું ઉપસ્યું છે. શ્વાસ અધ્ધર કરીને જોતા રહેવાનું મન થાય એવી આ મોટિવેશનલ ડોક્યુમેન્ટરી યુ-ટયૂબ અવેલેબલ છે. જરૂર જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.
0 0 0 

Thursday, September 11, 2014

ટેક ઓફ : સ્ટીવ જોબ્સની આગાહી જ્યારે ખોટી પડી...

Sandesh - Ardh Saptahik Purti - 10 Sept 2014

ટેક ઓફ 

બહુ આશા જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક આ કરામતી શોધને કારણે બનવાનું છે. ડિન કેમેનની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની હતી, પણ....


Segway tour in New Delhi


દિલ્હીમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી અમેરિકાની સેગવે નામની કંપનીમાં જરા સળવળાટ થઈ ગયો છે. આ કંપની એક વિશિષ્ટ પ્રકારનું વાહન બનાવે છે, જે પ્રદૂષણમુક્ત હોવાથી ગ્રીન વ્હિકલ તરીકે પણ ઓળખાય છે. કંપનીને આશા છે કે નરેન્દ્ર મોદી જેવો ટેક્નોલોજીપ્રેમી માણસ આ પ્રદૂષણમુક્ત વાહનને જરૂર ઉત્તેજન આપશે.
આશા તો ત્યારેય બહુ જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. ૨૦૦૧ની આ વાત. ડિન કેમેન નામના ઉત્સાહી અમેરિકન સંશોધક દસ વર્ષથી એક ઉપકરણ બનાવવામાં બિઝી હતા. એમણે પ્રયોગો ટોપ સિક્રેટ રાખ્યા હતા, પણ એમની ગતિવિધિઓ મીડિયામાં લીક થઈ ગઈ, તે સાથે જ તરખાટ મચી ગયો. ડિન કેમેન નામનો આ આદમી કંઈક અજબગજબની શોધ કરી રહ્યો છે તેવી જોરદાર હવા બંધાવા લાગી. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક ડિન કેમેનની કરામતી શોધને કારણે બનવાનું છે. એમણે તો ડિનના મશીનને ઇન્ટરનેટ કરતાંય વધારે મોટું ઇન્વેન્શન ગણાવ્યું. સ્ટીવ જોબ્સ જેવો સિલિકોન વેલીનો માંધાતા છાતી ઠોકીને આવી આગાહી કરે એટલે પૂછવું જ શું. લોકોની ઉત્તેજનાનો પાર ન રહ્યો. આ મશીનને 'જિંજર' એવું કામચલાઉ નામ આપવામાં આવ્યું હતું. રહસ્યનો કિલ્લો એટલો દુર્ગમ હતો કે લોકોને સમજાતું નહોતું કે આ જિંજર એક્ઝેક્ટલી છે શું? એટલો અંદાજ જરૂર મળ્યો કે ડિનભાઈની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની છે.

Dean Kemen riding Segway

આખરે જબરદસ્ત હાઇપને અંતે ડિન કેમેનની શોધ દુનિયાની સામે આવી. આ હતું સેગવે પીટી નામનું બે પૈડાંવાળું વાહન. સેગવેમાં 'સેગ' શબ્દ segue પરથી આવ્યો છે, જેનો મતલબ છે, સ્મૂધ ટ્રાન્ઝિશન. 'વે' એટલે રસ્તો. પીટી એ પર્સનલ ટ્રાન્સ્પોર્ટરનું શોર્ટ ફોર્મ છે. સેગવે નામનું આ વાહન બેટરીથી ચાલે છે. એમાં એન્જિન કે ગિયર શું, સીટ, સ્ટિયરિંગ કે બ્રેક પણ નથી. એમાં છે મોટર, સેન્સર અને કોમ્પ્લિકેટેડ હાર્ડવેર તેમજ સોફ્ટવેર. જોકે, દેખાવમાં એની રચના સાવ સીધીસાદી છે. બે વ્હિલને જોડતા પ્લેટફોર્મ પર દંડના ટેકે સીધા ઊભા રહી જવાનું. સહેજ ઝૂકીને દંડ પર શરીરનું વજન આપો એટલે સેગવે માંડે આપોઆપ ચાલવા. અટકવું હોય ત્યારે શરીરનું વજન દંડ પરથી હટાવી દેવાનું. સેગવેમાં એકાધિક ગિયરોસ્કોપિક અને લેવલિંગ સેન્સર જડેલાં હોય છે, જે આગળ-પાછળ શિફ્ટ થતાં વજનને ડિટેક્ટ કરી શકે છે. દંડની ઉપર એક હેન્ડલબાર હોય છે. ડાબે-જમણે વળવું હોય ત્યારે આ હેન્ડલબારને પ્રેસ કરવાનું. સિમ્પલ. આદર્શ સ્થિતિમાં સેગવે કલાકના લગભગ ૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. આખો દિવસ એકધારા સેગવે પર ફરો તોય મામૂલી ઇલેક્ટ્રિસિટી બળે. તેની વજન ઉઠાવી શકવાની ક્ષમતા ૧૦૦ કિલો જેટલી છે. થોડા અરસા પહેલાં રિલીઝ થયેલી 'હોલીડે' ફિલ્મના એક ગીતમાં તમે સેગવેને જોયું છે. તેમાં રમકડા જેવા સેગવે પર સવાર થઈને અક્ષયકુમાર સોનાક્ષી સિંહાની છેડછાડ કરે છે. આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' શોમાં આવેલો ત્યારે પણ એણે સેગવે પર સવાર થઈને સ્ટેજ પર એન્ટ્રી મારી હતી.
સેગવેનું મોડલ ડેવલપ કરવામાં ડિન કેમેને ૧૦૦ મિલિયન ડોલર ખર્ચી નાખ્યા હતા. કંપનીની નજર અબજો ડોલરના ટ્રાન્સ્પોર્ટ સેક્ટર પર હતી. પેટ્રોલ-ડીઝલની ઝળુંબતી કારમી અછત અને તેના વપરાશથી પેદા થતાં પોલ્યુશનની સમસ્યાનું એક અસરકારક સમાધાન સેગવેના સ્વરૂપમાં દેખાતું હતું. ડિનનું સાદું લોજિક એ હતું કે લાંબું અંતર કાપવા માટે કાર બરાબર છે, પણ શહેરની ગલીઓમાં ફરવું હોય તો હડમદસ્તા જેવી કાર કે બાઇક ફેરવીને પેટ્રોલ અને પૈસાનું પાણી શું કામ કરવાનું? ર્પાિંકગની ત્રાસદાયક સમસ્યા તો લટકામાં. સેગવે લોન્ચ કરતા પહેલાં ડિને 'ટાઇમ' મેગેઝિનને આપેલા લાંબા ઇન્ટરવ્યૂમાં કહેલું, "તમે સેગવે પર ફરશો ત્યારે એનું ગિયરોસ્કોપ તમારા કાનની ગરજ સારશે, તમારા દિમાગનું કામ ઇન-બિલ્ટ કમ્પ્યૂટર કરશે, મોટર તમારા મસલ્સ અને વ્હિલ તમારા પગ બની જશે. સમજોને કે સેગવે પર ફરતી વખતે તમને એવું જ લાગશે કે જાણે તમે જાદુઈ જૂતાં પહેલી લીધાં છે!"


તેર વર્ષ પહેલાં સેગવે લોન્ચ થયું ત્યારે મજાની વાત એ બની કે ડિન કેમેનના લગભગ બધા ટેક્નોલોજિકલ દાવા સાચા પુરવાર થયા. અપેક્ષા તો એવી હતી કે જોતજોતામાં દુનિયાભરમાં સેગવે ધૂમ મચાવી દેશે. શહેરોમાં પરિવહનનું આખું ચિત્ર જ બદલાઈ જશે. મોટાં વાહનો ઓછાં વપરાવાથી રસ્તા પર ટ્રાફિક અને પોલ્યુશન બન્ને ઓછાં થઈ જશે ને વર્ષેદહાડે લાખો લિટર પેટ્રોલ-ડીઝલની બચત થશે.
એવું કશું જ ન બન્યું. સેગવે એક કમર્શિયલ પ્રોડક્ટ તરીકે તદ્દન નિષ્ફળ પુરવાર થયું. ડિન કેમેનની કંપનીએ ઉત્સાહમાં આવીને વર્ષે પાંચ લાખ યુનિટ પેદા કરી શકે એવું તોસ્તાનછાપ માળખું ઊભું કરી નાખ્યું હતું, પણ પહેલાં સાત વર્ષ દરમિયાન પૂરાં ૩૦ હજાર પીસ પણ ન વેચાયા. સેગવેેને ટેક્નોલોજિકલ ડિઝાસ્ટરનું બિરુદ મળ્યું. ક્યાં કાચું કપાયું? સ્ટીવ જોબ્સ જેવા વિઝનરી માણસની આગાહી શા માટે ખોટી પડી?
સેગવેની નિષ્ફળતા પછી તો ખૂબ બધાં વિશ્લેષણો થયાં, જેમાંથી સૌથી કોમન મુદ્દા બહાર આવ્યા તે આ હતા. સૌથી પહેલું તો એની કિંમત. રૂપિયામાં કન્વર્ટ કરીને ગણતરી કરીએ તો, એક સેગવે ખરીદવા તમારે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે. આટલાં નાણાંમાં બ્રાન્ડ-ન્યૂ નાની કાર અથવા સેકન્ડ-હેન્ડ મોટી કાર આવી જતી હોય તો કોઈ શું કામ સેગવે નામનું રમકડું ખરીદે? નિષ્ફળતાનું બીજું સૌથી મોટું કારણ હતું, ટ્રાફિકના કાયદા. સેગવેને રોડ વ્હિકલની કઈ કેટેગરીમાં મૂકવું એ જ નક્કી કરી શકાતું નહોતું. સેગવેને રોડ પર ચલાવવાનું કે ફૂટપાથ પર? દુનિયાભરનાં શહેરોની ફૂટપાથ રાહદારીઓ માટે અને સડકો ઝડપી વાહનો માટે ડિઝાઇન થયેલી છે. સેગવે આ બેમાંથી એકેયમાં ફિટ થતું નહોતું. અમુક દેશોમાં તો તેને રસ્તા કે ફૂટપાથ પર ચલાવવાનું જ ગેરકાયદે ઠેરવવામાં આવ્યું. તમે ઇચ્છો તો ક્લબ કે કેમ્પસ કે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ જેવી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ફેરવી શકો છો, પણ એને રસ્તા પર નહીં કાઢવાનું!


ઘણા લોકોને એનો દેખાવ જરાય ન ગમ્યો. એમનું કહેવું હતું કે સેગવે પર ઊભા ઊભા કશેક જતાં હોઈએ તો જોકર જેવા દેખાઈએ છીએ. વટ પડવાની તો વાત જ ભૂલી જાઓ! સેગવે પરથી લોકો ગબડી પડવાને કારણે ઘાયલ થઈ ગયા હોય એવા બનાવ પણ નોંધાયા. વચ્ચે ખામીયુક્ત ૨૮,૦૦૦ મોડલ માર્કેટમાંથી પાછાં ખેંચી લેવાં પડયાં હતાં.
ભારતમાં સેગવેની એન્ટ્રી ૨૦૧૦માં થઈ. ભારતમાં હજુ સુધીમાં એના અઢીસો નંગ જ વેચાયા છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન,પાર્લામેન્ટ, ઇન્ડિયા ગેટ વગેરેને આવરી લેતી સેગવે ટૂરનું આયોજન થાય છે. મહારાષ્ટ્રના અલ્ટ્રા ગ્લેમરસ (અને વિવાદાસ્પદ) લ્વાસા સિટીમાં સેગવેનો ઉપયોગ ટૂરિસ્ટોને આકર્ષવા માટે થાય છે. મનમોહન સરકારે ગયા વર્ષે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન ઘડી કાઢયો હતો, જેમાં એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડલી વાહનોના વપરાશ પર જોર દેવાની વાત છે. ખાટલે મોટી ખોડ એ છે કે સેગવેનો સમાવેશ આ પ્લાન હેઠળ થઈ શકતો નથી. સેગવે એક વ્હિકલ છે અને તેના પર ભારતનો મોટર વ્હિકલ એક્ટ લાગુ પડે છે. છતાંય સેગવે કંપનીને આશા છે કે તાજેતરમાં જાપાનમાં જઈને ઢોલ વગાડી આવેલા નરેન્દ્ર મોદીની કૃપાદૃષ્ટિ વહેલીમોડી સેગવે પર જરૂર પડશે. વેલ, અહીં અનુપમ ખેરનો તકિયા કલામ 'કુછ ભી હો સકતા હૈ' વાપરી શકાય તેમ છે કે કેમ, તે મોટો સવાલ છે!

o o o