Showing posts with label Social Media. Show all posts
Showing posts with label Social Media. Show all posts

Saturday, August 24, 2024

યુવલ નોઆહ હરારીના આગામી પુસ્તક 'NEXUS: A Brief History of Information Networks from the Stone Age to AI'માં શું છે?

તમારી પોસ્ટને લાઇક, કમેન્ટ, શેર અને ફોરવર્ડ કરનારા કોણ છે? જીવતાજાગતા માણસ કે AI ચેટબોટ?

--------------------

આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે બોટ તરીકે ઓળખાતી AIની કરામત છે. બોટ આપણા જેવી જ ભાષામાં વાત કરીને સામેના માણસને કન્વિન્સ કરી શકે છે. એક્સ (ટ્વિટર)ના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે!

--------------------

વાત-વિચાર 0 એડિટ પેજ 0 ગુજરાત સમાચાર (24 ઓગસ્ટ, શનિવાર)



યુવલ નોઆહ હરારી એક એવા મેગાસ્ટાર લેખકનું નામ છે, જેમનું પુસ્તક છપાઈને બહાર પડે તે પહેલાં જ જબરદસ્ત ચર્ચામાં આવી જાય છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી માંડીને સત્તર-અઢાર વર્ષના કોલેજિયનો સુધીના સૌ કોઈ યુવલ હરારીના વાચકો ને ચાહકો છે. ઇઝરાયલમાં યુનિવસટી ઓફ જેરુસલામના ઇતિહાસ વિભાગમાં લેકચરર તરીકે કામ કરતા આ ૪૮ વર્ષીય લેખકનું સૌથી પહેલું પુસ્તક 'સેપિઅન્સ' ૨૦૧૧માં બહાર પડયું હતું અને ત્યારથી એમની ગણના દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થવા માંડી હતી. 'સેપિઅન્સ' પછી 'હોમો ડુસ' (એટલે કે સુપર હ્યુમન અથવા મહામાનવ), 'ટ્વેન્ટીવન લેસન્સ ફોર ધ ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી' અને 'અનસ્ટોપેબલ અસ'ના ત્રણ ભાગ આવ્યા. યુવલ હરારીનાં પુસ્તકોના ૬૫થી વધારે ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યાં છે અને અત્યાર સુધીમાં તેની ટોટલ ચાડાચાર કરોડ નકલો વેચાઈ ચૂકી છે. યુવલનાં નોન-ફિક્શન પુસ્તકોના વિષય ગંભીર હોય, પણ એમની લેખનશૈલી એવી રસાળ છે કે વાચકને જાણે કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય.
યુવલ હરારીનું નવું પુસ્તક આવતા મહિને પ્રકાશિત થવાનું છે. એનું ટાઇટલ છે, 'નેક્સસઃ અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન નેટવર્ક્સ ફ્રોમ ધ સ્ટોન એજ ટુ AI'. યુવલે AI એટલે કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ઓલરેડી ખૂબ બધું લખ્યું છે, વકતવ્યો આપ્યાં છે, ઇન્ટરવ્યુઝમાં વાતો કરી છે. શું હશે આ પુસ્તકમાં? યુવલ હરારી કહે છે, 'અત્યારે આપણે માહિતીના પ્રચંડ ઉત્કાંતિયુગમાંથી પસાર થઈ રહ્યા છીએ. માનવજાતના ઇતિહાસમાં માહિતીનો આવો મહાવિસ્ફોટ અગાઉ ક્યારેય નોંધાયો નથી. માહિતીના મહાવિસ્ફોટને સમજતાં પહેલાં આપણે તે જાણવું પડે કે આ બધું આવ્યું છે ક્યાંથી. આપણે આપણી જાતને 'હોમો સેપિઅન્સ' કહીએ છીએ. 'હોમો સેપિઅન્સ' એટલે, સાદી ભાષામાં, ડાહ્યો માણસ, સમજદાર માણસ... પણ માણસ જો ખરેખર એટલો જ સમજદાર હોત તો આપણે આટલી હદે આત્મઘાતક પ્રવૃત્તિઓ શા માટે કરીએ છીએ? છેલ્લાં એક લાખ વર્ષ દરમિયાન માણસજાતે પુષ્કળ તાકાત એકઠી કરી છે, નવી નવી શોધો કરી છે, અદભુત સિદ્ધિઓ મેળવી છે. આમ છતાંય એવું કેમ બન્યું કે આજે આપણા અસ્તિત્ત્વ સામે ખતરો પેદા થયો છે? આખેઆખી માણસજાતનું નિકંદન નીકળી જાય એવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ ગઈ? પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન તૂટું-તૂટું થઈ રહ્યું છે. એવું શું બન્યું કે આજે આપણે પર્યાવરણ અને ટેકનોલોજીના સ્તરે આત્મહત્યાની ધાર સુધી ધકેલાઈ ગયા છીએ?'

માણસજાતને તાકાત ક્યાંથી મળે છે? એકમેકને સાથસહકાર આપીને, એકબીજાની પડખે ઊભા રહીને, એકમેક સાથે જોડાયેલા રહીને. બીજા શબ્દોમાં કહીએ તો, અસંખ્ય લોકોને આવરી લેતાં વિરાટ નેટવર્ક બનાવીને. આવાં વિરાટકાય નેટવર્ક્સનું સર્જન કેવી રીતે થાય અને તે શી રીતે ટકી રહે? યુવલ હરારી કહે છે, 'કથા-કહાણીઓ, કલ્પનાઓ અને ભ્રાંતિઓ ફેલાવીને. એકવીસમી સદીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભ્રાંતિઓનું જબરદસ્ત નેટવર્ક ઘડી કાઢે, તેવું બને. શક્ય છે કે આવનારી પેઢીઓ આ ભ્રમજાળમાં એટલી હદે અટવાઈ જાય કે તેમને ખબર જ ન પડે કે સાચું છે ને ખોટું શું છે, ને તેઓ તે જાણવાની કોશિશ સુધ્ધાં ન કરે...'

આ, અલબત્ત, વર્સ્ટ-કેસ સિનારીયો યા તો સંભાવના છે. જો સમયસર ચેતી જઈશું તો બાજી હજુય આપણા હાથમાં છે. યુવલ હરારીના આગામી પુસ્તક 'નેક્સસ'માં આ જ વિષયને બહેલાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં યુનાઇટેડ નેશન્સ દ્વારા યુવલ હરારી અને 'ધ અટલાન્ટિક' નામના પ્રતિતિ અમેરિકન મેગેઝિનના સીઈઓ નિકોલસ થોમ્પસન વચ્ચે સંવાદનું આયોજન થયું હતું. આ અફલાતૂન સંવાદમાં યુવલ હરારી કહે છે, 'આપણે એટલે કે માણસો નવાં નવાં સાધનો અને ટેકનોલોજી વાપરવાના મામલામાં બહુ હોશિયાર નથી. આપણે પુષ્કળ ભૂલો કરીએ છીએ. બીજા કશાયને નુક્સાન ન થાય તે રીતે જે-તે ટેકનોલોજીથી યોગ્ય રીતે કેવી રીતે વાપરવી તે શીખતાં આપણને ખૂબ વાર લાગે છે. ઔદ્યોગિક ક્રાંતિનું ઉદાહરણ લો. યંત્રોને શી રીતે વાપરવા જોઈતા હતાં તેની આપણને પૂરેપૂરી સમજ પડે તે પહેલાં આપણે ભયંકર ભૂલો કરી ચૂક્યા હતા. સામ્રાજ્યવાદ, નાઝીવાદ, કમ્યુનિઝમ, બબ્બે વિશ્વયુદ્ધ આ બધાનાં મૂળમાં યંત્રોને સાચી રીતે ન વાપરી શકવાની આપણી અણસમજ તો છે. ઘણા લોકો AI રિવોલ્યુશનની સરખામણી ઔદ્યોગિક ક્રાંતિ સાથે કરે છે, પણ હકીકત એ છે કે આપણે ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં જે ભૂલો કરી છે એવી ભૂલો જો AI ક્રાંતિમાં કરીશું તો પૃથ્વી પરથી માનવજાતનો સદંતર સફાયો નીકળી જશે. આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે AI કેવી રીતે વાપરવી જોઈએ તે શીખી રહ્યા છીએ ત્યારે સાથે સાથે AI પણ માણસને કઈ રીતે 'વાપરવો' તે શીખી રહ્યું છે! તેથી અગાઉની શોધખોળોનાં સારાં-ખરાબ પાસાં સમજવામાં આપણે જેટલો સમય લીધો છે એટલો સમય આપણને AIના કેસમાં નહીં મળે. આપણી પાસે આ વખતે ભૂલો કરવાનો અવકાશ બહુ જ ઓછો છે.'

પણ હજુ તો AI પા-પા પગલી ભરી રહ્યું છે. ન કરે નારાયણ, પણ AI પાસે ન્યુક્લિયર વોર શરૃ કરાવીને માણસજાતનો ખાત્મો બોલાવી દેવાની તાકાત આવી શકે છેે... પણ આ સ્થિતિ આવતાં હજુ તો બહુ વાર લાગવાની છે, રાઇટ? યુવલ હરારી કહે છે, 'મને નથી લાગતું કે AI હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળે છે એવું વિશ્વવિનાશક ક્યારેય બનશે, પણ ખતરો આ છેઃ અત્યારે ઘોડિયામાં હિંચકા ખાતા AI પાસે ઓલરેડી એટલી તાકાત આવી ચૂકી છે કે તે આંધાધૂંધી ફેલાવી શકે. સોશિયલ મીડિયાનો દાખલો લો. AIને ઓલરેડી ખબર પડી ગઈ છે કે જો ચોક્કસ પ્રકારના આલ્ગોરિધમની મદદથી લોકો ઉશ્કેરાઈ જાય એવા લખાણ, વીડિયો કે તસવીરોને વધુમાં વધુ ફેલાવવામાં આવે તો જનતાનું ધ્યાન વધારે ખેંચી શકાય છે, તેઓ વધારે સમય સુધી સોશિયલ મીડિયા પર પડયાપાથર્યા રહે છે. માણસના સ્વભાવનું આ પાસું AIએ બરાબર ઓળખી લીધું છે, જેને કારણે દુનિયામાં કેટલાય દેશોમાં સરકારો અને સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસનું ગંદું વાતાવરણ પેદા થઈ ગયું છે. એક્સ (ટ્વિટર), ફેસબુક, યુટયુબ, વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા પર જે પ્રકારનાં નરેટિવ ચાલે છે અને લોકો વચ્ચે જે કક્ષાના સંવાદ થાય છે તે જુઓ. આ કેટલી અફસોસજનક વાત છે કે આપણી પાસે આજે ઇન્ફર્મેશન ટેકનોલોજીનું સૌથી સોફિસ્ટિકેટેડ માધ્યમ છે, પણ લોકો હવે કોઈ મુદ્દે સહમત થઈ શકતા નથી. તેમની વચ્ચે અર્થપૂર્ણ સંવાદ જ થઈ શકતો નથી.'

આજે આપણે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે તે ચેટબોટ દ્વારા લખાયું છે. ચેટબોટ એટલે એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ, જે આપણા જેવી જ ભાષામાં વાત કરે, તમે જે પૂછો એના વિશે માહિતી આપે, વગેરે. આજકાલ બેન્ક્સ, ઓનલાઇન શોપિંગ માટેની વેબસાઇટ્સ વગેરે ચેટબોટનો ભરપૂર ઉપયોગ કરે છે. આ તો ખેર, ચેટબોટનો સારો ઉપયોગ થયો, પણ આ જ ચેટબોટ (અથવા ટૂંકમાં બોટ)નો ઉપયોગ સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ફેલાવવામાં, લોકો ઉશ્કેરાઈ જાય તેવાં લખાણ-તસવીરો ફેલાવામાં પણ થાય છે. ધારો કે એક્સ (ટ્વિટર) પર હિંદુ-મુસ્લિમ મુદ્દે પોસ્ટ નીચે કમેન્ટ્સમાં ભયંકર ગરમાગરમી જામી હોય ત્યારે તમને ખબર હોતી નથી આમાંની અમુક કમેન્ટ્સ ચેટબોટ દ્વારા જનરેટ થયેલી હોઈ શકે છે. એક અંદાજ પ્રમાણે આજની તારીખે એક્લા એક્સ પર ૨.૨ કરોડથી લઈને ૬.૫ કરોડ જેટલા બોટ્સ એક્ટિવ છે. એક્સના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે! મતલબ કે એક્સ વાપરનારા કરોડો યુઝર્સ માણસ છે જ નહીં, મશીન છે, જે આપણા કરતાંય વધારે અસરકારક ભાષામાં, સામેનો માણસ બિલકુલ કન્વિન્સ થઈ જાય તે રીતે કમ્યુનિકેટ કરી શકે છે. ચેટજીપીટી-ફોર જેવા લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ)ને કારણે આ શક્ય બન્યું છે. આ તો ફ્ક્ત એક એક્સની વાત થઈ. ફેસબુક, યુટયુબ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાને ગણતરીમાં લઈએ તો વિચારો કે કુલ બોટ્સનો આંકડો ક્યાં પહોંચતો હશે! આમાંના અમુક બોટ જેન્યુઇન યા તો સર્વિસ બેઝ્ડ હોવાના, પણ અન્ય લાખો-કરોડો બોટનો ઉપયોગ રાજકીય કે અન્ય પ્રકારની વિચારધારાના પ્રચાર માટે, ફેક ન્યુઝ ફેલાવવા, રીટ્વિટ કરવા અને જે-તે પોસ્ટને શેર તથા ફોરવર્ડ કરવા માટે થઈ શકે છે, થાય છે.

'વાંધો ચેટબોટની સંકલ્પના સામે નથી,' યુવલ હરારી સ્પષ્ટતા કરે છે, 'જેમ કે AI ડોક્ટર (મેડિકલ ક્ષેત્રનો ચેટબોટ) તો આશીર્વાદરૃપ છે, પણ અહીં આપણને ખબર હોય છે કે હું જેની સાથે ચેટિંગ કરી રહ્યો છું તે હાડમાંસનો બનેલો સાચો ડોક્ટર નથી, પણ એક બોટ છે. ખતરો ત્યારે પેદા થાય છે, જ્યારે બોટની ખરી ઓળખ છુપાવીને તેને અસલી માણસ તરીકે સોશિયલ મીડિયા પર છુટ્ટો મૂકી દેવામાં આવે છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પણ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સામેવાળો અસલી માણસ છે કે AIએ પેદા કરેલો બોટ છે. જે દેશોમાં લોકશાહી છે ત્યાં AIનો આ પ્રકારનો ઉપયોગ કેટલો ખતરનાક થઈ શકે છે તે વિચારો.'

- શિશિર રામાવત


Like
Comment
Send
Share

Thursday, July 16, 2020

ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 જુલાઈ 2020

ટેક ઓફ
અત્યાર સુધી માત્ર છાપામાં લખનારા અને ટીવીવાળા ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. સોશિયલ મિડીયાને કારણે આજે સાડાછ કરોડ ગુજરાતીઓને માતૃભાષા પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો છે.

સોશિયલ મિડીયા જેવું લેવલર બીજું એકેય નથી. લેવલર એટલે બધાને એક જ સ્તર પર લાવી દેતી વસ્તુ. ફેસબુક નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જે પ્લેટફૉર્મ આપે છે તે જ પ્લેટફૉર્મ તમને પણ આપે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ટ્વિટની તરત નીચે તમારું ટ્વિટ હોઈ શકે છે. માત્ર ફેમસ વ્યક્તિની જ નહીં, તમારી પોસ્ટ પણ વાઇરલ થઈને હજારો-લાખો લોકો સુધી પહોંચી શકે છે, જો તે દમદાર હશે તો. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો છાપામાં લેખો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા. આજે સમગ્ર પ્રજા ગમે ત્યારે સોશિયલ મિડીયા પર જઈને પોતાનું મંતવ્ય જણાવી શકે છે, અહેવાલ આપી શકે છે, પોતાના ગમા-અણગમા દુનિયા સામે બેધડક રજૂ કરી શકે છે. સરસ વાત છે આ.

સોશિયલ મિડીયાને કારણે આજે અસંખ્ય લોકો ગુજરાતીમાં લખતા થયા છે. ગુજરાતી ભાષાને, ફોર ધેટ મેટર, ચલણમાં હોય તેવી કોઈ પણ ભાષાને, જીવંત ને ધબકતી રાખી શકવાની સોશિયલ મિડીયાની તાકાત જબરદસ્ત છે. આ અદભુત વાત છે. તકલીફ એ છે કે સોશિયલ મિડીયા બેધારી તલવાર જેવું છે. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો કે પછી ગુજરાતી ન્યુઝ ચેનલોવાળા જ ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મિડીયાને પ્રતાપે સાડાછ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસ-રાત દરમિયાન કેટલીય વાર, સતત અત્યાચાર કરી શકે છે.   

ગોબરું, ચિતરી ચડે એવું, માથામેળ વગરનું, દમ વગરનું... આપણે કેવું ગુજરાતી લખીએ છીએ સોશિયલ મિડીયા પર? જરા થોભીને જુઓ તો ખરા. માત્ર ઉચ્ચ કક્ષાની સાહિત્યિક ભાષામાં જ લખવું જોઈએ તેવું કોઈ કહેતું નથી. તે જરૂરી પણ નથી ને શક્ય પણ નથી, પણ સાહેબ, ગુજરાતીમાં લખતી વખતે ભાષાનું થોડુંઘણું માન તો જાળવો. બેઝિક નિયમો તો પાળો. ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચીએ યા તો વોટ્સએપ પર કોઈનું ફૉરવર્ડ મળે ત્યારે લખાણનો  મુદ્દો સમજાય જાય, માણસ શું કહેવા માગે છે એટલી ખબર ખબર પડી જાય એટલે આપણને સંતોષ થઈ જાય છે. તે લખાણની ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ, જોડણી વગેરે તમ્મર ચડી જાય તેટલાં વાહિયાત હોય તો પણ આપણને ફર્ક પડતો નથી. આપણા પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. ગંદી ગુજરાતીમાં લખાયેલો પ્રેરણાદાયી ક્વૉટ કે ટુચકો આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ને પાછા તેને શૅર કે ફોરવર્ડ પણ કરી નાખીએ છીએ. ભાષાના મામલામાં આપણી ઉદારતાનો જોટો જડે તેમ નથી.

નેનુંનાનોમાંથી’ - આ અક્ષરોને મૂળ શબ્દથી અલગ પાડી દેવાનો કાયદો ક્યારથી અમલમાં આવી ગયોલોકો લખશે કે - 

નરેન્દ્ર મોદી ને દેશ ચલાવતા આવડતો નથી
કોરોના નો કાળો કેરલૉકડાઉન માં છૂટ અપાશે
અમિતાભ બચ્ચન થી ચડિયાતો કોઈ એક્ટર નથી.... 

અરે સાહેબ, નરેન્દ્ર મોદી ને કે નરેન્દ્ર મોદીને
કોરોના નો કે કોરોનાનો
લૉકડાઉન માં કે લૉકડાઉનમાં
બચ્ચન થી કે બચ્ચનથી? 

ને-નો-માં-થી... આ અક્ષરોની પહેલાં સ્પેસ શા માટે ઘુસાડી દો છો તમે? આ ગુજરાતી ભાષા છેહિન્દી નથી. હિન્દીમાં આ પ્રકારના અક્ષરો છૂટ્ટા પડી જાયપણ ગુજરાતીમાં નો-ની-નુ-ના-ને જેવાં વિભક્તિનાં પ્રત્યયો અને માં-થી જેવા અક્ષરો આગલા શબ્દની સાથે જોડાયેલા જ રહે.


લોકો દલીલ કરશે કે એ તો અમે મોબાઇલમાં ગુજરાતી ટાઇપ કરતા હોઈએ ત્યારે શબ્દ પૂરો થાય પછી આપોઆપ સ્પેસ થઈ જાય છે. એમાં અમે શું કરીએઆ ટેક્નોલોજીકલ ગરબડ છે તે સાચી વાત છે. જ્યાં સુધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, સેમસંગ જેવી કંપનીઓ આ ક્ષતિ પર કામ નહીં કરે ત્યાં સુધી આ ગરબડ થતી રહેશે, પણ સાહેબ, તમે પોતે સ્પેસ દૂર કરીને શબ્દને વ્યવસ્થિત કેમ કરતા નથી? શા માટે તમે ઊંધું ઘાલીને ટાઇપ કર્યા જ કરો છો ને બિનજરૂરી સ્પેસ હટાવ્યા વગર, લખાણને એડિટ કર્યા વગર ફેસબુક કે વૉટ્સએપ પર ચડાવી દો છો?

રસ્તાઓ પર તોતિંગ હોર્ડિંગ અને પોસ્ટરોમાં, છાપા-મૅગેઝિન-ટીવી પર જોવા મળતી મોંઘીદાટ જાહેરાતોમાં આવી ભયાનક ભૂલો આંખ પર સતત અથડાતી રહે છે. થથરી ઉઠાય છે આ ગંદવાડ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખનારા વિજ્ઞાપનદાતાઓ પોતાની પ્રોડક્ટની એડમાં સાચી ગુજરાતી ભાષા વાપરવાનો આગ્રહ કેમ રાખતા નહીં હોય? જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સીઓને ખુદને સમજાતું નહીં હોય કે લખાણમાં ગુજરાતી ભાષાનો દાટ વળી ગયો છે? શું તેઓ તદ્દન અભણ કોપીરાઇટરોને નોકરીએ રાખતા હશેશું તેઓ તેલુગુ અને તમિલભાષીઓ પાસે ગુજરાતી જાહેરાતો લખાવતા હશે? શક્ય છે, બિલકુલ શક્ય છે. કદાચ તેઓ પરગ્રહના નિવાસીઓ પાસે સસ્તામાં ગુજરાતી કોપીરાઇટિંગ કરાવતા હોય એવુંય બને. તે સિવાય આટલી બધી ભૂલો કેવી રીતે રહી જાય?     

સો વાતની એક વાત. અત્યાર સુધી લિખિત ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાની જવાબદારી મુખ્યત્ત્વે સાહિત્યકારો, છાપાં-મૅગેઝિનો, ટીવી ચેનલો-અને એડ એજન્સીઓ પર હતી. હવે આ જવાબદારી સોશિયલ મિડીયા પર માતૃભાષામાં પોતાની વાત રજૂ કરતા તમામ ગુજરાતીઓ ઉપાડી લેવાની છે. 




Tuesday, November 7, 2017

પરંપરાગત મીડિયા, સોશિયલ મીડિયા અને વિશ્વસનીયતા

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2017
Take off
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
Janet Cooke

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બીજું કોઈ પાગલ થયું હોય કે ન હોય, સોશિયલ મીડિયા જરૂર ગાંડું થયું છે. બંને મુખ્ય પક્ષોનો વિરોધ કે સમર્થન કરનારાઓએ એવો પ્રચંડ ગોકીરો મચાવ્યો છે કે ખોપડીમાં જ્ઞાાનતંતુઓ બેહોશ થઈ જાય. ફેસબુક-વોટ્સએપ-ટ્વિટર પર બેફમપણે ફેરવર્ડ થઈ રહેલાં અભિપ્રાયો, વીડિયો કિલપ્સ, અહેવાલો, ડેટા, કબર ખોદીને બહાર ખેંચી કાઢેલી જૂની-પુરાણી વાતો, રમૂજ વગેરેેના ધમધમાટમાં મનોરંજનનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. હવે સ્થિતિ જરા બદલાઈ છે, પણ એક સમયે જન્માષ્ટમી દરમિયાન ભરાતા સૌરાષ્ટ્રના મેળાઓમાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા. ઘાટ ઘાટના પાણી પીને આવેલા જાતજાતના લોકોથી છલકાતા આવા મેળામાં કોલાહલનું નિયમન કરી શકાતું નથી. સોશિયલ મીડિયા આ મેળા જેવું છે. અહીં આત્યંતિક ગાળાગાળીથી લઈને મધમાખીનેય ડાયાબિટીશ કરાવી નાખે એવી વખાણબાજી સુધીનું બધું જ બધું જ નિરંકુશ છે, બધું જ તારસ્વરે થાય છે, ભયજનક તીવ્રતાથી થાય છે.
સોશિયલ મીડિયાની સરખામણીમાં પરંપરાગત મીડિયા હંમેશાં સંતુલિત લાગવાનું. પરંપરાગત મીડિયા એટલે કે છાપાં-મેગેઝિનો અને ટેલિવિઝન. સોશિયલ મીડિયામાં કોઈ પૂછનાર નથી, રોકનાર નથી, કોઈ સિનિયર-જુનિયર નથી, હોદ્દાઓના સ્તર નથી, પણ પ્રિન્ટ અને ટીવી મીડિયામાં આ બધું જ છે. સમાજના બીજા ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નૈતિકતાના સ્તરમાં ગિરાવટ જરૂર આવી છે. ખોટી સ્ટોરી કે વિગતો ઊપજાવી કાઢવી, ચગાવવી, સાચી વાત દબાવી દેવી, સત્યને તોડીમરોડીને, એકાંગી કે વિકૃત બનાવીને પેશ કરવું – આ બધાં દૂષણો પત્રકારત્વમાં છે જ. આમ છતાંય આ એક્ શબ્દ એવો છે જે હજુ પણ અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલોની દુનિયામાં સૌથી પવિત્ર અને સૌથી વજનદાર છે. હંમેશાં રહેવાનો.
આ શબ્દ છે, વિશ્વસનીયતા. ક્રેડેબિલિટી.
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
એવો તો કેવો કાંડ કર્યો હતો ‘પુલિત્ઝર પ્રાઇઝ વિનર’ જેનેટે?
એ તેજતર્રાર પચ્ચીસ-છવ્વીસ જુવાનડી હતી ત્યારે અમરિકના અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં એની રિપોર્ટર તરીકે પસંદગી થઈ હતી. આંજી નાખે એવા એના બાયોડેટામાં ઊંચાં ઊંચાં કવોલિફ્કિેશન લખાયાં હતાં. માતૃભાષા અંગ્રેજી ઉપરાંત પોતે સ્પેનિશ અને ફ્રેન્ચ પણ કડકડાટ લખી-વાંચી-બોલી શકે છે એવો એણે દાવો કરેલો.
પત્રકારત્વમાં હરીફઈનું તત્ત્વ તીવ્ર હોય છે. માત્ર હરીફ્ છાપાં-મેગેઝિનો કે ચેનલોની વચ્ચે જ નહીં, પણ એક જ જગ્યાએ કામ કરતા પત્રકારોમાં પણ ધમાકેદાર સ્ટોરી બ્રેક કરીને સાથી પત્રકારો કરતાં આગળ નીકળી જવાની વૃત્તિ ફ્ૂંફડા મારતી હોય છે. એમાં કશું ખોટુંય નથી. ૧૯૮૦ની એક સુંદર બપોરે જેનેટ એના તંત્રીને કહૃાું: સર, મને એક ઇન્ટરેસ્ટિંગ ઇર્ન્ફ્મેશન મળી છે. એના પરથી સરસ સ્ટોરી થાય તેમ છે. તંત્રી કહેઃ શાના વિશે છે? જેનેટ કહેઃ નશીલી દવાના બંધાણી વિશે. તંત્રી કહેઃ આમાં નવું શું છે? જેનેટ કહેઃ સર, નવું એ છે કે નશીલી દવાનો આ બંધાણી ફ્કત આઠ વર્ષનો ટાબરિયો છે. આ છોકરાને હેરોઈન વગર એને ચાલતું નથી!

તંત્રી ચોંકી ગયા. આઠ જ વર્ષનો છોકરો… અને હેરોઈન જેવી ખતરનાક ડ્રગનો બંધાણી? એમણે કહૃાું: જેનેટ, આ તો હાઇકલાસ હૃાુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે! તંુ મચી પડ. છોકરાને શોધી કાઢ. એના મા-બાપને મળ. આપણે આ સ્ટોરી સરસ રીતે ચમકાવીશું.
જેનેટ કામે લાગી ગઈ. વોશિંગ્ટન શહેરમાંથી એ છોકરાનું પગેરું શોધવું આસાન નહોતું. જેનેટ આમથી તેમ દોડતી રહી. એક વાર તંત્રીને કહેઃ સર, એ છોકરાની મા વાત કરવા તૈયાર થતી નથી. એને બદનામીનો ડર લાગે છે. તંત્રી કહેઃ કશો વાંધો નહીં. આપણે સાચું નામ નહીં છાપીએ. છોકરાની અને એના ફેમિલીમાં જે કોઈ હોય તે બધાની ઓળખ ગુપ્ત રાખીશું, બસ?
આખરે બે મહિને જેનેટે બાવીસો શબ્દોનો સરસ મજાનો લેખ ઔફઇલ કર્યો. એને મથાળું આપ્યું: ‘જિમીઝ વર્લ્ડ’. એમાં એણે છોકરાની હાલતનું વર્ણન કરતાં લખ્યું હતું: 
‘જિમીના પરિવારમાં નશીલી દવાના બંધાણીઓની કમી નથી. જિમીને ડ્રગ્ઝની આદતનો આગલી બે પેઢીના વારસારૂપે મળ્યો છે. આ ચપળ છોકરાના વાળ ભૂખરા છે, આંખો વેલ્વેટી બ્રાઉન છે એના ઘઉંવર્ણા કોમળ હાથ પર ઈન્જેકશનની સોયના કેટલાય નિશાન દેખાય છે. વોશિંગ્ટનના સાઉથવેસ્ટ હિસ્સામાં રહેતા જિમીનો ચહેરો ચરબીદાર છે. એ નિર્દોષતાપૂર્વક કપડાં વિશે, પૈસા વિશે, બેઝબોઝની પોતાની ફેવરિટ ટીમ અને હેરોઇન વિશે વાતો કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી એ આ ભયંકર ડ્રગ્ઝ લે છે.’
૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પહેલાં જ પાને જેનેટ કૂકની અત્યંત રસાળ શૈલીમાં લખાયેલો આ અહેવાલ છપાયો. જિમીની કહાણીએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી. લોકો ઉકળી ઉઠયા. આ શું થવા બેઠું છે? સમાજ કઈ દિશામાં જઈ રહૃાો છે? આઠ વર્ષનું માસૂસ બચ્ચું નશીલી દવાનું બંધાણી બની જાય એ તો હદ થઈ ગઈ. સરકારના પેટનું પાણી ક્ેમ હલતું નથી? પ્રશાસન ડ્રગ્ઝ વેચનારાઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી? વગેરે.

જેનેટ કૂકે સ્પષ્ટપણે કહી દીધું કે મેં ગુપ્તતા જાળવી રાખવાના સોગંદ ખાધા છે એટલે હું છોકરાનું સાચું નામ કે સરનામું કોઈને નહીં આપું. વોશિંગ્ટનના મેયરે છોકરાને શોધવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડી દીધું. ઘણા દિવસ થયા તોય છોકરાનો પત્તો ન મળ્યો એટલે જનતાનો ઉશ્કેરાટનો પાર ન રહૃાો: આ મેયર અને પોલીસ કર્મચારીઓ નકામા છે. એક આવડા અમથા છોકરાને શોધી શકતા નથી? થોડા સમય પછી મેયરે જાહેર કર્યું: અમને જિમીનો પતો મળી ગયો છે, પણ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે એની સ્ટોરી છપાઈ એના થોડા દિવસ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જિમી ઇઝ નો મોર!
જેનેટ કૂક અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના તંત્રીઓ ફોર્મમાં આવી ગયાં હતાં. સ્ટોરી ભલે પીડાદાયી કે નેગેટિવ હોય, પણ એને વાચકો તરફ્થી આવો જોરદાર પ્રતિસાદ મળે એટલે મીડિયાકર્મીઓ તો ખુશ થવાના જ. જેનેટની આ સ્ટોરીને પત્રકારત્વની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઇઝ માટે સબમિટ કરવામાં આવી. એપ્રિલ ૧૯૮૧માં પરિણામો ઘોષિત થયા. જેનેટને ફ્ચિર રાઇટિંગ માટેના પુલિત્ઝર પ્રાઇઝની વિજેતા ઘોષિત થઈ. જેનેટની આ સિદ્ધિની મીડિયામાં સગર્વ નોંધ લેવાઈ. ચારે તરફ્ જેનેટની વાહ વાહ થઈ ગઈ.
જોકે આનંદની આ ઘડી લાંબી ન ટકી. ‘ધ વોશિંંગ્ટન પોસ્ટ’ની પહેલાં જેનેટ ‘ટોલેડો બ્લેડ’ નામનાં જે છાપામાં કામ કરતી હતી એના તંત્રીને જેનેટની બાયોડેટાની જાહેર થયેલી કેટલીક્ વિગતોમાં મરી-મસાલા છંટાયેલા દેખાયા. વધારે છાનબીન કરતાં ખબર પડી કે જેનેટની કોલેજની ડિગ્રીઓ ખોટી છે. એ કડકડાટ ફ્રેન્ચ અને સ્પેનિશ જાણે છે તે વાત પણ ખોટી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સિનિયર તંત્રીઓએ જેનેટને બોલાવીને કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી. આખરે અગિયાર કલાક સુધી ચાલેલા જોરદાર ગ્રિલિંગ પછી જેનેટે ધડાકો કર્યોઃ
આઠ વર્ષના ડ્રગ્ઝના બંધાણી છોકરાની સ્ટોરી સાચી નથી. આવો કોઈ છોકરો છે જ નહીં. મેં આખી કહાણી ઊપજાવી કાઢી હતી!
પણ આવું જેનેટે શા માટે કર્યું? પ્રેશરને કારણે. એણે આ સ્ટોરી પાછળ બે મહિના બરબાદ કર્યા હતાં. તંત્રીને જવાબ શો આપવો? શું એમ કહેવું કે સોરી સર, મને છોકરો ન મળ્યો? તો તો ભોંઠા પડવું પડે, સાહેબનો ઠપકો ખાવો પડે ને સાથી પત્રકારોના ઉપહાસનો ભોગ બનવું પડે. જેનેટની સચ્ચાઈ સામે આવતાં તરત જ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં માફીનામું પ્રગટ કરવામાં આવ્યું. એકલી જેનેટ જ નહીં, વોશિંગ્ટનનો મેયર પણ જૂઠો પુરવાર થયો. એણે કહૃાું કે પબ્લિકનંું પ્રેશર એટલું બધું હતું ક્ે મારે નછૂટક્ે આવી જાહેરાત કરવી પડી હતી!
જેનેટનું પુલિત્ઝર પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવ્યું. એની પત્રકાર તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયંુ. થોડાં વર્ષો માટે એ પેરિસ ભાગી ગઈ હતી. એના ડિવોર્સ થઈ ગયા. આર્થિક હાલત એટલી વણસી ગઈ કે એની માએ પ્લેનની ટિકિટ મોકલી ત્યારે એ અમેરિકા પાછી આવી શકી. છેલ્લા ખબર મુજબ અમેરિકામાં કોઈ સ્ટોરના કાઉન્ટર પર એ કલાકના સાત-આઠ ડોલરના મહેનતાણામાં નોકરી કરતી હતી. મેડિકલ કવર નથી એટલે પોતાની બીમારીઓનો ઇલાજ પણ કરાવી શકતી નથી. એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે એનો ઇન્ટરવ્યૂ લઇને એક મેગેઝિનમાં છાપ્યો હતો. કોઈ ફ્લ્મિ પ્રોડયૂસરે જેનેટની કહાણીના અધિકર ૧.૬ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. જેનેટ અને એક્સ-બોયફ્રેન્ડે પ્રારંભિક રકમ અડધી અડધી વહેંચી લીધી, પણ આ ફ્લ્મિ કયારેય બની જ નહીં. ફ્લ્મિ ઉતરે કે ન ઉતરે, જેનેટ અમેરિકન જર્નાલિઝમમાં ‘અમર’ જરૂર બની ગઈ.
વિશ્વસનીયતા એ પત્રકાર અને લેખકની સૌથી મોટી મૂડી છે અને રહેવાની. માત્ર પત્રકાર-લેખક જ શા માટે, વિશ્વસનીયતાનો ગુણ તો સૌ કોઈ માટે એક્સરખો મહત્ત્વનો છે, ખરું?
0 0 0 

Friday, December 4, 2015

ગુડ ન્યૂઝ વર્સિસ બેડ ન્યૂઝ : સઘળો વાંક ઉત્ક્રાંતિનો છે?

Sandesh - Ardh Saptahik Purti - 2 Dec 2015

ટેક ઓફ

અસહિષ્ણુતા (ઇન્ટોલરન્સ) અને અસલામતી (ઇનસિકયોરિટી) એક અનુભૂતિ છે, અહેસાસ છે. પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઈંગ મશીન પર તેનું વજન થઈ શકતું નથી કે થર્મોમીટરમાં તેનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.



મીડિયાની તકલીફ એ છે કે નેગેટિવ ઘટનાને ઉછાળી ઉછાળીને ચૂંથી નાખશે પણ કયાંક સારું બની રહ્યું હશે તો, કાં તો તેને સાવ અવગણશે અથવા ઓછામાં ઓછું કવરેજ આપશે. જે કંઇ શિષ્ટ, શાલીન અને પોઝિટિવ છે તે મીડિયા માટે બોરિંગ અને નકામું છે, જે કંઇ ભ્રષ્ટ, વિકૃત કે કુત્સિત છે તે મીડિયા માટે ઉપયોગી છે. ગુડ ન્યૂઝ ઇઝ નો ન્યૂઝ એ થિયરી સમાચાર માધ્યમોએ જરૃર કરતાં વધારે ઝનૂનથી અપનાવી લીધી છે.  થોડા દિવસો પહેલાં દિલ્હીના જંતરમંતર પર જમિયત ઉલેમા-એ-હિંદ નામનાં મહત્ત્વનાં મુસ્લિમ સંગઠને આતંકવાદી સંસ્થા આઈએસઆઈએસના વિરોધમાં દેખાવો કર્યા હતા. આઈએસઆઈએસને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી, આ આતંકવાદીઓ ધર્મના નામે લોહી વહાવનારા નઠારાં લોકો છે, સભ્ય અને સમજદાર મુસલમાનો દેશ-દુનિયાની બાકીની પ્રજાની જેમ જ આ કહેવાતા ઇસ્લામિક સંગઠનોને વખોડી કાઢે છે એ મતલબનો સંદેશો તેઓ ફેલાવવા માગતાં હતાં.

દિલ્હી પછી મુંબઈમાં પણ મૌલાનાઓ, મુફતીઓ અને મહત્ત્વની મુસ્લિમ સંસ્થાઓના વડાઓનું એક સંમેલન યોજાયું હતું, જેમાં સિદ્ધિવિનાયક મંદિરના ચેરમેન તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ જેવા અન્ય ધર્મનાં લાકો હાજર રહ્યાં હતાં. ભાઈચારાનાં નાટકો ને દંભ-દેખાડા ખૂબ થતા હોય છે પણ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ અકઠા થઇને એક સૂરમાં સમાજવિરોધી તત્ત્વોને વખોડી કાઢે અને અેકતાનું જેન્યુઈન પ્રદર્શન કરે એવા પ્રસંગો બહુ ઓછા બનતા હોય છે.

પ્રગતિશીલ મુસ્લિમો તરફથી આ પ્રકારનું સ્પષ્ટ, નક્કર અને બોલકું સ્ટેન્ડ પાંચ-સાત-દસ વર્ષ પહેલાં લેવાઇ જવું જોઇતું હતું. ખેર, બેટર લેટ ધેન નેવર. અહીં મુદ્દો એ છે કે આ વખાણવાલાયક અને શુભ પગલામાં મીડિયાને રસ ન પડયો. ફાલતુ, ઘટિયા અને ઝેરીલા સમાચારોને દિવસ-રાત સતત દેખાડ-દેખાડ કરીને આપણાં દિમાગમાં કાણાં કરી નાખતી ટીવી ચેનલોએ કાં તો આ બંને પ્રસંગની નોંધ જ ન લીધી યા તો માંડ નામ પૂરતો ઉલ્લેખ કરીને સમાચારને ફેંકી દીધા. પ્રાઇમટાઇમ ડિબેટમાં દેખીતી રીતે જ આ ઘટનાઓને સ્થાન ન મળ્યું, કેમ કે એન્કરો અને પેનલિસ્ટો ઊછળી-ઊછળીને ચીસો પાડી શકે એવા 'ચટાકેદાર મસાલા'ની તેમાં કમી હતી. ફ્રન્ટ-પેજ ચમકાવી શકાય એવી ન્યૂઝ-વેલ્યૂ તેમાં ન દેખાઇ એટલે છાપાંઓમાં આ અહેવાલને અંદરના પાને કશેક ધકેલી દેવાયા. દેશભરનાં ૭૫ જેટલાં શહેરોમાં આ પ્રકારના સેન્સિબલ મુસ્લિમો ઇસ્લમાને નામે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે વિરોધ નોંધાવવા આ પ્રકારના દેખાવો ક્રમશઃ યોજાવાના છે. અસાદુદ્દીન ઓવૈસી જેવા મુસ્લિમ નેતાના ધિક્કાર ફેલાવતા સ્ટેટમેન્ટ્સને દિવસમાં અસંખ્ય વખતે રીપીટ કર્યા કરતાં ઇલેક્ટ્રોનિક મીડિયાને, ઓફકોર્સ, આ પ્રગતિશીલ મુસ્લિમ ભાઈઓના પોઝિટિવ ડેમોન્સ્ટ્રેશનમાં ટીઆરપી વધારી શકે એવું કોઈ તત્ત્વ નજરે પડવાનું નથી.



મેઇનસ્ટ્રિમ મીડિયાનો આવો વર્તાવ હજુય સમજીએ એવો છે પણ સોશિયલ મીડિયાએ પણ દિલ્હી-મુંબઈના મુસ્લિમોના દેખાવોના મામલે મૌન ધારણ કરી લીધું. વાતવાતમાં તલવાર ને છરી-ચાકાં લઇને ફેસબુક-ટ્વિટર-વોટ્સએપનાં સમરાંગણમાં ધસી આવતી જનતાને આ ડેવલપમેન્ટમાં કશુંય સેલિબ્રેટ કરવા જેવું ન લાગ્યું ? આનું કારણ સાવ સાદું છે. સોશિયલ મીડિયા પર થતી ધમાલ ન્યૂઝ-ચેનલોની સનસનાટીની ગુલામ છે. ન્યૂૂઝ-ચેનલો હોબાળો મચાવશે તો એનાં પગલે પગલે સોશિયલ મીડિયા પણ છાકટું થશે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી જે ઘટના વિશે ન્યૂઝ-ચેનલો ચૂપ રહેશે તે સામાન્યપણે સોશિયલ મીડિયા પણ પોતાની હાજરી નહીં બતાવી શકે.

છેલ્લાં કેટલાંય અઠવાડિયાં દરમિયાન આપણે ત્યાં કયા શબ્દ સૌથી વધારે ચર્ચાયા ? સહિષ્ણુતા અને સલામતી, રાધર, અસહિષ્ણુતા(ઇન્ટોલરન્સ) અને અસલામતી(ઇન્સિકયોરિટી). આ એેક અનુભૂતિ છે, અહેસાસ છે, પ્રેમની જેમ અથવા ધિક્કારની જેમ. ઘામાંથી વહેતાં લોહી કે શરીર પર પડી ગયેલાં  નિશાનની માફક અસહિષ્ણુતા અને અસલામતીની લાગણીને નજરે જોઈ શકાતી નથી. તેને મીટર-સેન્ટિમીટરમાં માપી શકાતી નથી, વેઇંગ મશીન પર તેનું વજન થઇ શકતું નથી કે થર્મોમીટરમાં એનું ઉષ્ણતામાન નોંધી શકાતું નથી.

અક અભ્યાસ કહે છે કે આપણે દર એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારથી એક્સ્પોઝ થઈએ છીએ. ટીવી ચેનલો અને છાપાંનાં પાનાં પરથી શા માટે નેગેટિવિટી વરસતી રહે છે ? આપણું લોહી બાળી નાખે એવી ઘટનાઓને શા માટે આટલું બધું કવરેજ મળે છે ?

એક મિનિટ, એક મિનિટ. શું બધો વાંક મેઇનસ્ટ્રીમ ટીવી ચેનલો અને છાપાંઓનો જ છે ? દર્શકોનો કે વાંચકોનો કોઇ દોષ નથી ? શું આપણને સારા સમાચાર કરતાં ડિપ્રેસિંગ સમાચાર વધારે આકર્ષે છે તે હકીકત નથી ? શું ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ અહીં પણ લાગુ પડતો નથી ? લાકોને જે જોઇએ છે એ જ અમારે તો આપવું પડે એવું મીડિયા તરફથી જ્યારે કહેવામાં આવે ત્યારે શું આ વિધાન સોએ સો ટક ખોટું હોય છે ? કેટલાંય લોકો કહેતાં હોય છે કે અમારે તો પોઝિટિવ ન્યૂઝ જ સાંભળવા કે જોવા હોય છે, પણ એ છે કયાં? કેટલી ખરાઈ છે આ વાતમાં ?

મેકગિલ યુનિવર્સિટી ઓફ કેનેડામાં વચ્ચે અક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો. આઈ-ટ્રેકિંગ એટલે કે વાંચતી વખતે આપણી આંખો કઇ રીતે કમ્પ્યૂટર સ્ક્રીન પર ફરે છે તેનો અભ્યાસ કરવા માટે રિસર્ચરોએ કેટલાક લાકોને લેબોરેટરીમાં આમંત્રણ આપ્યું. ભાગ લેનારાઓને કહેવામાં આવ્યું કે તમે ન્યૂઝ વેબસાઈટ્સ પરથી કોઇ પણ સમાચાર જાતે સિલેક્ટ ક્રીને વાંચો. કયા સમાચાર વાંચો છો તે મહત્ત્વનું નથી, તમે કંઈ પણ વાંચો પણ ન્યૂઝ આઇટમ આખેઆખી વાંચવાની. વાંચતી વખતે તમારી આંખોની મુવમેન્ટ પર કેમેરા ચાંપતી નજર રાખશે. તેના આધારે આંખના સ્નાયુઓ વગેરેનો અભ્યાસ થશે.

વાસ્તવમાં અહીં ચાલાકી કરવામાં આવી હતી. રિસર્ચરો ખરેખર તો એ ચકાસવા માગતા હતા કે પાર્ટિસિપન્ટ્સ ક્યા પ્રકારના સમાચાર વધારે પસંદ કરે છે, પણ આ હકીકત તેમનાથી છુપાવવામાં આવી.  પ્રયોગને અંતે રિસર્ચરોએ જોયું કે લાકોએ ભ્રષ્ટાચાર, વિનાશ, નુકસાની, કંકાસ, જૂઠ વગેરે જેવી નેગેટિવ બાબતોને લગતા ન્યૂઝ વધારે પસંદ ર્ક્યા હતા. પોઝિટિવ સ્ટોરીઝ પર એમનું ઓછું ધ્યાન ગયું હતું. કરન્ટ અફેર્સ અને પોલિટિક્સમાં રસ ધરાવનારાઓને સારા કરતાં ખરાબ સમાચારમાં વધારે રસ પડતો હોય છે. છતાંય એમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમારે પસંદગી કરવાની હોય તો કયા સમાચાર વધારે વાંચવાનું પસંદ કરો-ગુડ ન્યૂઝ કે બેડ ન્યૂઝ? તો મોટાભાગનાઓએ જવાબ આપ્યો ઃ એ તો ગુડ ન્યૂઝ જ હોયને !

કેમ આમ બન્યું ? ઇવોલ્યુશનરી સાઈકોલોજિસ્ટો અને ન્યુરોસાયન્ટિસ્ટો આના જવાબમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરફ આંગળી ચીંધે છે. એમની થિયરી કહે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં માણસ ગુફામાં રહેતો અને શિકાર કરીને પોતાનું પેટ ભરતો ત્યારે એણે સતત જંગલી પશુઓથી તેમજ આસપાસના માહોલથી સતર્ક રહેવું પડતંુ. જરાક કયાંક કશુંક અજુગતુ કે ખતરાજનક લાગે કે એ પોતાનો ભાલો હાથમાં લઇને હુમલો કરવા સજ્જ થઇ જતો. અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે આ જરૃરી હતું. નિષ્ણાતો કહે છે કે આજે માણસ સભ્ય બની ગયો છે, ગુફામાંથી ઊંચી ઈમારતોમાં રહેવા જતો રહ્યો  છે, એને હવે ભાલા લઇને ફરવાની  જરુર નથી છતાંય એના દિમાગનું 'વાયરિંગ' હજુય ગુફાયુગ જેવું જ છે. એના બ્રેઈનનું બંધારણ જ એવી રીતે ઘડાયું છે કે તે ખતરાની સંભાવના જોતાં એ તરત એલર્ટ થઇ જાય છે. ખરાબ સમાચાર ભય કે ખતરાનું સૂચન કરે છે. આથી માણસનું મન તરત એને ચેતવે છે કે, સાવધાન થઈ જા, કશુંક કર, કશુંક બદલ કે જેથી તારે આ પરિસ્થિતિમાં મૂકાવું ન પડે !



બીજી થિયરી એવી છે કે લાકો પોઝિટિવ કરતાં નેગેટિવ શબ્દોને વધારે ઝડપથી રિએક્ટ કરે છે. 'સ્મિત', 'આનંદ', 'બાળક' જેવા પોઝિટિવ શબ્દો કરતાં આપણું ધ્યાન 'કેન્સર', 'બોમ્બ', 'યુદ્ધ' જેવા નેગેટિવ શબ્દો તરફ વધારે ખેંચાય છે. ઓર એક થિયરી કહે છે કે ખરાબ સમાચાર વાંચવાથી આપણાં મનને જાણે-અજાણે સાંત્વના મળતી હોય છે કે બહારની દુનિયા ખરાબ છે, પણ આપણી સ્થિતિ તો કેટલી બહેતર છે. બીજા શહેરો કે દેશોમાં બોમ્બધડાકા કે કોમી રમખાણો થાય છે, પણ આપણે ત્યાં શાંતિ છે. બીજાઓની સ્ત્રીઓ પર બળાત્કારો થાય છે પણ આપણી બહેન-દીકરીઓ સલામત છે. આવી લાગણી મનને સારી લાગે છે !

તો? શું અર્થ કાઢવો આ બધાનો ? મીડિયામાં એકધારી નકારાત્મક બાબતો ઊછળ્યા કરે છે તેનો સઘળો દોષ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો છે ? જો એમ જ હોય તો પછી જેમ ચાલે છે તેમજ ચાલવા દેવાનું? પહેલાં ઈંડું ક્ે પહેલી મરઘી જેવો આ ક્લાસિક કેસ છે. લાકોને નેગેટિવ ન્યૂઝમાં વધારે રસ પડતો હોવાથી મીડિયા મોકાણના સમાચાર પર વધારે ફેાકસ કરે છે, કે પછી, મીડિયા આપણને જે કંઇ આપણા માથા પર મારે છે તેવું જ જોવાની આપણને ટેવ પડી ગઇ છે? શું એક સારા સમાચારની સામે સત્તર ખરાબ સમાચારનો રેશિયો બદલાઇ ન શકે? મેઇનસ્ટ્રિમ મીડિયા પોતાની પેટર્ન બદલે કે ન બદલે, કમસે કમ આપણે તો સોશિયલ મીડિયા પર અલગ રીતે વર્તી શકીએને? ફેસબુક-ટ્વિટર-વોટ્સએપ પર પોતાના વિચારો અને ગમા-અણગમા વ્યકત કરવાનો આપણો જે કંટ્રોલ છે તે કયારે કામ આવવાનો ? સોશિયલ મીડિયા પર નેગેટિવિટી પર કાપ મૂકીને પોઝિટિવિટીને વધારે ફેલાવીએ. કમસે કમ, કોશિશ તો કરીએ!

                                                0 0 0