Monday, May 8, 2017

વારતા રે વારતા

ચિત્રલેખા - મે ૨૦૧૭

 વાંચવા જેવું 

 ‘જગતના મોટા વાર્તાકારોએ કશુંક કહેવા માટે થઈને જ વાર્તાકલાનો માર્ગ લીધો દેખાય છે. આવા સર્જકે માત્ર લીલા-વિહાર માટે કે પ્રયોગલીલા દેખાડવા સારુ લખતા નથી, એમને તો રસ છે માનવમનની વાત ચીંધવામાં અને આ પૃથ્વીલોકમાં માણસની નિયતિને ઓળખવાવવા-ઓળખવા માટે મથવામાં. ટૂંકી વાર્તા આવું મંથન છે - એનું લેખન એક પડકાર. ગુજરાતીની અનેક વાર્તાઓ આ માર્ગે ચાલી છે એમ નોંધતા આનંદ થાય છે.'



વલિકા અથવા ટૂંકી વાર્તા ભારતીય નહીં, પણ મૂળ પાશ્ર્ચાત્ય સાહિત્યપ્રકાર છે એ સત્ય આમ વાચકને નવાઈ પમાડે છે. એનું સ્પષ્ટ કારણ એ છે કે આ સાહિત્યપ્રકાર ભારતીય ભાષાઓએ એટલી હદે આત્મસાત કરી લીધો છે કે એનાં મૂળિયાં આપણી નહીં, અન્ય ભૂમિમાં દટાયેલાં છે એ સ્વીકારવામાં મન આનાકાની કરે છે! જોકે મજાનું સત્ય એે છે કે આપણી ભાષામાં ઉત્તમોત્તમ કક્ષાની નવલિકાઓનું સર્જન થયું છે, થતું રહ્યું છે. આજે જે પુસ્તકની વાત કરવી છે એમાં સંપાદકબેલડીએ વિશ્ર્વના તખ્તા પર ગર્વભેર ઊભી રહી શકે એવી ગુજરાતી વાર્તાઓને કાળજીપૂર્વક અલગ તારવી છે.  

 ટૂંકી વાર્તા પર વિશ્ર્વકક્ષાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, રશિયા અને જપાનનું આધિપત્ય શા માટે રહ્યું તે સમજાવતા સંપાદક મોહન પરમાર પ્રસ્તાવના રુપે મુકાયેલા એમના અભ્યાસપૂર્ણ લેખમાં કહે છે કે આ દેશો આંતરિક સંઘર્ષો પણ ખૂબ વેઠ્યા છે અને ભયાનક વિશ્ર્વયુદ્ધોમાં સંડોવાયા છે. આ દેશોની જાગૃત પ્રજાએ અન્યાય સહ્યા, આ અન્યાયની પ્રતિક્રિયા રુપે ક્રાંતિ જન્મી અને આ આખી ગતિવિધિઓમાં એમની પ્રજાઓનું મનોબળ મજબૂત થતું રહ્યું. એમણે દરેક સ્તરે વિકાસ કર્યો. ઔદ્યોગિક વિકાસમાં સાંસ્કૃતિક માધ્યમો ભળ્યાં. આ દેશોએ વિકસાવેલી ટેકનોલોજી વગર અલ્પવિકસિત દેશોને ચાલે તેમ નહોતું. સાહિત્યના ક્ષેત્રે પણ એવું જ બન્યું. ઉપર નોંધ્યા એ દેશોમાં ઊભા થયેલા સાહિત્યિક વાદને અનુસરવાનું આપણને હંમેશાં ગમ્યું છે.
 
 ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ માંડ સો વર્ષ જુનો છે. ૧૯૧૮માં મલયાનિલે લખેલી ‘ગોવાલણી’ને પ્રથમ ઓફિશિયલ ગુજરાતી નવલિકા તરીકે સ્વીકારવામાં આવી છે. જેમ વિદેશી સાહિત્યમાં યુદ્ધ, ક્રાંતિ, આંતરિક સંઘર્ષ વગેરે વાર્તાના વિષયવસ્તુ બન્યાં તે રીતે આપણે ત્યાં પણ અંગ્રેજો સામેની જેહાદ, ગાંધીજીના આદર્શો વગેરે સંવેદનોરુપે નવલિકામાં કંડારાવા લાગ્યા. ઘૂમકેતુ, રા.વિ. પાઠક, મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ વગેરે પહેલા તબક્કાના વાર્તાકારો વિશ્ર્વકક્ષાની વાર્તાઓ આપી શક્યા. મોહન પરમાર નોંધે છે કે જેને આપણે પરંપરિત વાર્તા કહીએ છીએ એને બીજા અર્થમાં અર્વાચીન વાર્તા પણ કહી શકાય.

 ગુજરાતી ટૂંકી વાર્તાની ચર્ચા સુરેશ જોષી વગર થઈ શકતી નથી. એમણે ઘટનાઓનો છેદ ઉડાડીને પાત્રના મનમાં જાગતા તરંગોને વાર્તાના કેન્દ્રમાં લાવવાના પ્રયોગો કર્યા. સુરેશ જોષીના ઉદય પછી જે વાર્તાકારોએ લખવાનું શરુ કર્યું એમાં ચંદ્રકાન્ત બક્ષી, રઘુવીર ચૌધરી, મોહમ્મદ માંકડ, જ્યોતિષ જાની, મધુ રાય, રાધેશ્યામ શર્મા, મોહમ્મદ માંકડ અને અન્યો પ્રસ્થાપિત થયા. ઘટનાઓને અવગણ્યા વગર અદભુત વાર્તાઓ લખનારાઓમાં બક્ષી અગ્રગણ્ય રહ્યા.

 પુસ્તકમાં ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તાથી યાત્રાની શરુઆત થાય છે.  રા. વિ. પાઠકની ‘ખેમી’ છે, તો ઝવેરચંદ મેઘાણીની ‘વહુ અને ઘોડો’માં ગામનું ઊંચું ખોરડું ગણાતા શ્રીમંત પરિવારમાં પુત્રવધૂ બનીને ગયેલી મુગ્ધ નાયિકાના કાંપી ઉઠાય એવા ભ્રમનિરસનની વાત છે. સુન્દરમની ‘માજા વેલાનું મૃત્યુ’ અને ઉમાશંકર જોશીની ‘મારી ચંપાનો વર’ જેવી ક્લાસિક વાર્તાઓ અહીં સ્થાન પામી છે. ઈશ્ર્વર પેટલીકરની ‘લોહીની સગાઈ’માં પાગલખાનામાં દાખલ કરવામાં આવતી ગાંડી મંગુ અને આખરે એમની નાતમાં વટલાઈ જતાં અમરતકાકીની કહાણી છે, જે અનેક વાર વાંચી હોવા છતાં દર વખતે આંખમાંથી આંસુ ખેંચી લાવે છે. ‘કમાઉ દીકરો’ (ચુનીલાલ મડિયા), ‘આ ઘર પેલે ઘર’ (જયંતિ દલાલ), ‘માટીનો ઘડો’ (જયંત ખત્રી), ‘થીગડું’ (સુરેશ હ. જોશી)... બક્ષીની ‘એક સાંજની મુલાકાત’ પરથી સ્તરીય ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયાએ એક હિન્દી ટીવી સિરીઝ માટે એક કલાકનો એપિસોડ ડિરેક્ટ કરેલો જે વાર્તા જેવો જ અફલાતૂન હતો.

 મણિલાલ હ. પટેલે એમના અભ્યાસપૂર્ણ લેખમાં લખ્યું છે:

 ‘જગતના મોટા વાર્તાકારોએ કશુંક કહેવા માટે થઈને જ વાર્તાકલાનો માર્ગ લીધો દેખાય છે. આવા સર્જકે માત્ર લીલા-વિહાર માટે કે પ્રયોગલીલા દેખાડવા સારુ લખતા નથી, એમને તો રસ છે માનવમનની વાત ચીંધવામાં અને આ પૃથ્વીલોકમાં માણસની નિયતિને ઓળખવાવવા-ઓળખવા માટે મથવામાં. ટૂંકી વાર્તા આવું મંથન છે - એનું લેખન એક પડકાર. ગુજરાતીની અનેક વાર્તાઓ આ માર્ગે ચાલી છે એમ નોંધતા આનંદ થાય છે.... વિશ્ર્વની ઉત્તમ વાર્તાઓ વાંચતા ખ્યાલ આવે છે કે ઘણા બધા મોટા વાર્તાકારો વાતાવરણનો પ્રભાવક ઉપયોગ કરે છે. કેટલાક મનોસંચલનોને ગૂંથે છે, કેટલાક વળી ફેન્ટસીનો તો ઘણાખરા પ્રતીકોનો સરસ વિનિયોગ કરે છે. ઘણાને આસપાસના વાસ્તવને આલેખન દ્વારા કથાબીજને ઉજાગર કરવાનો કે વિકસાવવનો કસબ હાથ લાગેલો છે. કોઈ કોઈ અંતની સચોટતા કે ચમત્કૃતિથી વાર્તાને પુન: વાચકના મનમાં ઝળહળાવે છે. કેટલાક વળી સ્વાભાવિક રીતે તનાવને વિકસાવે છે... ગુજરાતી વાર્તાનું વિશ્ર્વ પણ આવી અનેક ગતિવિધિઓ દાખવતું આવ્યું છે.’


 આપણા પ્રિય લેખકોના આ વાર્તામેળામાં મહાલવાની મજા જ કંઈ ઓર છે. મધુ રાય ‘સરલ અને શમ્પા’માં જબરા ખીલ્યા છે, તો સરોજ પાઠકે ‘ન કૌંસમાં ન કૌંસની બહાર’માં ભૂતપૂર્વ પ્રેમીની આગમનને લીધે ઘાંઘી થયેલી પરિણીત નાયિકાના મનોભાવો અસરકારક રીતે ઝીલ્યા છે. ‘અધરી અઘરી’ વાર્તાઓ લખવા માટે જાણીતા કિશોદ જાદવની ‘સરકસના કૂવામાં કાગડાઓ’ કૃતિ અહીં પસંદ થઈ છે. રાવજી પટેલ આપણને કવિ તરીકે ખૂબ વહાલા છે, પણ અહીં એ વાર્તાકાર (‘સગી’) તરીકે સ્થાન પામ્યા છે. હિમાંશી શેલતની કથાઓ એના લાઘવ માટે શા માટે વિશેષ જાણીતી છે અને એનો ઉત્તમ નમૂનો એટલે ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’. નવલિકાઓની સફર આખરે છવ્વીસમી કથા ‘મજૂસ’ (શિરીષ પંચાલ) પર પૂર્ણવિરામ નહીં, પણ એક અલ્પવિરામ બનીને અટકે છે.

 ઉત્તમ ગુજરાતી વાર્તાઓનાં સંપાદનો સમયાંતરે તૈયાર થતાં રહે છે. સંપાદકોના પ્રલંબ અભ્યાસલેખોને કારણે આ ઉત્તમ સંપાદન ઓર સુંદર બન્યું છે. વાર્તારસિયાઓને જલસો કરાવે એવું મજાનું પુસ્તક.

0 0 0

વિશ્ર્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ       
સંપાદક: મોહન પરમાર, મણિલાલ હ. પટેલ 
પ્રકાશન: આર.આર. શેઠ એન્ડ કંપની 
 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ અને ખાનપુર, અમદાવાદ 
 ફોન: (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩
 કિંમત:  Rs. ૨૫૦ /
  પૃષ્ઠ: ૨૭૬
 0 0 0
 





 ’

Sunday, May 7, 2017

રાજમૌલિનું રજવાડું

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૭ મે ૨૦૧

મલ્ટિપ્લેકસ 

‘મારા ઈગોને સહેજ પણ વચ્ચે લાવ્યા વગર કહું છું કે હું કંઈ ઉત્તમ ફિલ્મમેકર નથી, પણ હા, એટલું હું ગર્વ સાથે જરુર કહીશ કે હું સારો સ્ટોરીટેલર છું.  હું સારો ફિલ્મમેકર તો જ બની શકું જો મારી પાસે બહુ સારા ટેકિનશિયનો હોય, જે મારી સ્ટોરીને વધારે સારો નિખાર આપી શકે, જે મારી નબળાઈઓને સમજે અને પોતાની ક્ષમતાથી તેને ઢાંકી શકે.'





‘બાહુબલિ: ધ બિગિનિંગ' ૧૮૦ કરોડ રુપિયાના ખર્ચે બની હતી. દૃેશ-વિદૃેશમાં તેને અકલ્પ્ય સફળતા મળી. બધું મળીને ૬૫૦ કરોડ રુપિયાની કમાણી કરી. ૨૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મની સુપરડુપર સિક્વલ ‘બાહુબલિ: ધ ક્ન્ક્લ્યુઝન'એ તો આઠ દિવસમાં 1,000 કરોડ રૂપિયાની કમાણીને કલ્પનાતીત વિક્રમ સર્જ્યો. આ ગ્લોબલ ફિગર છે, જે અધિકૃત છે એવું સ્વીકારી લઈએ છીએ. જો તોતિંગ બજેટ, સુપર  સફળતા અને બોક્સઓફિસની કમાણીના જબ્બર આંકડા ધરાવતી ફિલ્મ ‘મોટી ગણાતી હોય તો ‘બાહુબલિ' સિરીઝના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિ પણ તોિંતગ, સુપર સફળ, જબ્બર અને મોટા ગણાવા જોઈએ.

વિચાર કરો, આંખો પહોળી થઈ જાય એવી આંતરરાષ્ટ્રીય સફળથા મેળવનાર ‘બાહુબલિ' એક રિજનલ ફિલ્મ છે અને એસ.એસ. રાજમૌલિ એક રિજનલ  ડિરેકટર છે! રાજમૌલિનો ડિરેક્ટોરિયલ જાદૃુ આપણે ‘બાલુબલિ પહેલાં પણ માણી ચુક્યા છીએ. યાદૃ કરો પેલી અજબગજબની ફિલ્મ, ‘મખ્ખી'. કોઈ માણસ નહીં, પણ માખી (આમ તો નર માખો) ફિલ્મનો મેઈન હીરો હોય એવી કલ્પના પણ આપણે અગાઉ ક્યારેય કરી હતી? આવી એક સે બઢકર એક ફિલ્મો બનાવનાર એસ.એસ. રાજામૌલિ વિશે વિગતવાર જાણવા જેવું છે.

૪૩ વર્ષીય રાજમૌલિ ફિલ્મી પરિવારનું સંતાન છે. રાઈટર-ડિરેકટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદૃ, કે જેમણે ‘મખ્ખી' (મૂળ તેલુગુ ટાઈટલ છે ‘ઈગા'), ‘બાહુબલિ' વન-એન્ડ-ટુ, ‘બજરંગી ભાઈજાન' જેવી કેટલીય બ્લોકબસ્ટર ફિલ્મોની વાર્તાઓ લખી છે, તેઓ રાજમૌલિના પિતાશ્રી થાય. વિજેયેન્દ્ર પ્રસાદૃ અને એમના છ ભાઈઓએ ફિલ્મો પ્રોડ્યુસ કરવાના ખૂબ ઉધામા કરેલા, પણ એવી કારમી નિષ્ફળતા મળી કે તેમના જમીનદૃાર પિતાજી (એટલે કે રાજમૌલિના દૃાદૃાજી)એ જે કંઈ મૂડી એકઠી કરી હતી તે બધી ફૂંકાઈ ગઈ. કારમી ગરીબાઈ આવી પડી. વિજયેન્દ્ર પસાદૃ સહિત છ ભાઈઓ, તેમની પત્નીઓ અને બધાંનાં મળીને તેર સંતાનો - આ સૌ ટચુકડા ઘરમાં સાંકડમોકડ રહેતાં હતાં. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રાજમોલિની કોલેજની ફી ભરવાના પૈસા પણ પિતાજી પાસે નહોતા.



રાજમૌલિને વાર્તાઓ કહેવાનો નાનપણથી ખૂબ શોખ. દૃર શનિવારે સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિનો પિરિયડ આવે ત્યારે રાજમૌલિએ ક્લાસમાં આગળ ઊભા રહીને સૌને વાર્તા કહેવાની એવો નિયમ થઈ ગયો હતો. એમને અમર ચિત્ર કથાની ચોપડીઓ વાંચવી ખૂબ ગમતી. આ વાર્તાઓનાં પાત્રોની સેળભેળ કરીને, એમાં કલ્પનાના રંગો ઉમેરીને તેઓ નવી નવી વાર્તાઓ બનાવતા જતા અને છોકરાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરતા. તે વખતે ક્યાં કોઈએ કલ્પના કરી હશે કે રાજામૌલિ નામનો આ છોકરો મોટો થઈને ફિલ્મી પડદૃે અજબગજબની વાર્તાઓ પેશ કરશે અને દૃેશનો સ્ટોરીટેલર નંબર વન બની જશેે!

દૃસમા ધોરણ પછી રાજમૌલિનો ભણતરમાં રસ ઓછો થતો ગયો. પિતાજી ગુસ્સે થઈને કહેતા: અલ્યા, તું શું બનવા માગે છે એ તો બોલ? રાજમૌલિ ઉડાઉ જવાબ આપી દૃેતા: મ્યુઝિશિયન બનીશ. પપ્પા પૂછતા: તો પછી તેં કંઈ શીખવા-બીખવાનું શરુ કર્યું કે નહીં? રાજમૌલિ કહેતા: ગિટારના કલાસ જોઈન કરવા છે ને એક ગિટાર પણ ખરીદૃવું છે. લાવો પૈસા! ગિટારના ક્લાસ શરુ કર્યા પછી પણ પિતાજીની ઇન્કવાયરી અટકી નહીં એટલે રાજમૌલિએ નવો રાગ આલાપ્યો: મારે મ્યુઝિશિયન નહીં, ફિલ્મ ડિરેકટર બનવું છે! મૂળ તો રાજમૌલિને કોઈ પણ રીતે ઘરમાંથી બહાર રહેવાનું બહાનું જોઈતું હતું. પિતાજીએ એમને એક ફિલ્મ એડિટરને ત્યાં ટ્રેઈની તરીકે લગાડી દૃીધા. અહીં જોકે રાજમૌલિએ ટાઈમપાસ સિવાય બીજું કશું ન કર્યું.

દૃરમિયાન પિતાજી તેલુગુ ફિલ્મો માટે ઘોસ્ટ રાઈિંટગ કરવા લાગ્યા હતા. તેઓ ફિલ્મોની વાર્તાઓ ઘરમાં ડિસ્કસ કરતા ત્યારે રાજમૌલિ સરસ સૂચનો કરતા. આથી પિતાજીએ એમને પોતાના આસિસ્ટન્ટ રાઈટર બનાવી દૃીધા. પિતાજી ફિલ્મલેખક તરીકે સફળ થયા. બે પૈસા ઘરમાં આવ્યા એટલે પાંચેય કાકાઓ અલગ અલગ ઘરમાં રહેવા જઈ શક્યા. દૃુર્ભાગ્યે પિતાજીને પાછી ફિલ્મનિર્માતા બનાવાની ચળ ઉપડી. પાછી નિષ્ફળતા મળી. પાછી ગરીબી ત્રાટકી. ત્રેવીસ વર્ષના રાજમૌલિએ ઊંધું ઘાલીને મહેનત કરવા માંડી. તેઓ હવે સ્વતંત્રપણે ફિલ્મલેખક બની ગયા હતા, પણ એમણે લખેલી વાર્તા અને દૃશ્યોનો ડિરેકટરો જે રીતે દૃાટ વાળતા તે જોઈને એમનો જીવ બળી જતો. તેમણે નિર્ધાર કર્યો કે મેં લખેલી વાર્તાઓને પૂરો ન્યાય મળે અને તે ઉત્તમ રીતે પડદૃા પર ઉતરે તે માટે મારે જાતે જ ફિલ્મો ડિરેક્ટ કરવી પડશે. આમ, લેખક તરીકેની બળતરાએ તેમને ડિરેક્ટર બનવાની પ્રેરણા આપી.

તેઓ ગંગારાજુ નામના ફિલ્મ ડિરેક્ટરને આસિસ્ટ કરવા લાગ્યા. આ જ ગંગારાજુની કઝિન રમા સાથે રાજમૌલિએ પછી લગ્ન કર્યા. રાજમૌલિએ ટીવી એડ્સ બનાવી, સોશિયલ અવેરનેસ માટેની નાની નાની ફિલ્મો બનાવી, એક ટીવી સિરીયલ પણ ડિરેક્ટ કરી. આખરે એક તેલુગુ ફિલ્મનું નિર્દૃેશન કરવાનો મોકો મળ્યો. ફિલ્મનું ટાઈટલ હતું, ‘સ્ટુડન્ટ નંબર વન'. ફિલ્મ હિટ થઈ. આ તો કેવળ શરુઆત હતી. રાજમૌલિએ એક પછી એક હિટ ફિલ્મનો ક્તાર ખડી કરી દૃીધી. એમની ગાડી પૂરપાટ દૃોડવા લાગી.    
આઠેક ફિલ્મો બનાવ્યા પછી રાજામૌલિના મનમાં હીરો પ્રભાસને લઈને એક ભવ્યાતિભવ્ય ફિલ્મ (‘બાહુબલિ') બનાવવાનો આઈડિયા રમતો હતો, પણ તેની પહેલાં તેઓ એક નાનકડી, ચાર-પાંચ મહિનામાં કામકાજ પતાવીને નવરા થઈ જવાય તેવી સાદૃી ફિલ્મ બનાવવા માગતા હતા.

‘આઉટ-એન્ડ-આઉટ લવસ્ટોરી કે કોમેડી બનાવવાનું મારું કામ નહીં,' રાજમૌલિએ એક ઇન્ટરવ્યુમાં ક્હ્યું હતું, ‘હોરરની વાત કરું તો આ પ્રકાર જ મને ગમતો નથી. મારે એવું કશુંક બનાવવું હતું જેવું અત્યાર સુધી સુધી કોઈએ અજમાવ્યું ન હોય. મને પપ્પાએ વર્ષો પહેલાં કહેલી એક સ્ટોરી યાદૃ આવી. એમાં એક નાની અમથી માખી શી રીતે ભડભાદૃર માણસને હેરાન-પરેશાન કરી મૂકે છે એવી વાત હતી. મેં આ આઈડિયા પરથી કોન્સેપ્ટ ડેવલપ કર્યો. આ વામન વિરુદ્ધ વિરાટની કથા હતી. તેમાં ભરપૂર ડ્રામા હતો, ઈમોશન્સ હતા. આ રીતે ‘ઈગા (મખ્ખી)નો માનસિક જન્મ થયો.'

રાજમૌલિનો ઈરાદૃો તો નાની ફિલ્મ બનાવવાનો હતો, પણ જેમ જેમ એક પછી એક સીન લખાતા ગયા તેમ તેમ એમને સમજાવા માંડ્યું કે આમાં તો વિઝ્યુઅલ ઇફેકટ્સ એટલી બધી ગુંજાઈશ છે કે બરાબર ન્યાય આપવા માટે  બજેટ વધાર્યા વગર છૂટકો નથી. નિર્માતાઓએ કહ્યું: તું બજેટની ચિંતા અત્યારે ન કર, તારા મનમાં જે કલ્પનાઓ ઊગે છે તે પ્રમાણે લખતો જા.

ફિલ્મમાં પુષ્કળ એનિમેશન કરવાનું હતું એટલે તેની જવાબદૃારી એક એજન્સીને સોંપાઈ. છ મહિના પછી તેઓ  કમ્પ્યુટર ફાઈલોનો ઢગલો લઈને આવ્યા. માખીનાં એનિમેશનના નમૂના જોઈને રાજમૌલિનું દિૃમાગ ખરાબ થઈ ગયું. સ્ક્રીન પર માખી એટલી ગંદૃી લાગતી હતી કે ન પૂછો વાત. હવે? જો માત્ર એકાદૃ કરોડનું આંધણ થયું હોત તો આખો પ્રોજેકટ પડતો મૂક્યો હોત, અહીં તો દૃસ-દૃસ કરોડનું રોકાણ ઓલરેડી થઈ ચુક્યું હતું. હવે પ્રોજેકટ આગળ વધાર્યા વગર છૂટકો નહોતો. એનિમેટર્સની બીજી ટીમ હાયર કરવામાં આવી. સદૃભાગ્યે બે જ મહિનામાં તેમણે સંતોષકારક રિઝલ્ટ આપ્યું.
  
કાસ્ટિંગ થયું. ‘ઈગા' બની. તેને હિન્દૃીમાં ડબ કરીને ‘મખ્ખી' નામથી રિલીઝ ક્રવામાં આવી. આ ફિલ્મ જોઈને ઓડિયન્સ દૃંગ થઈ ગયું. આવી હટ કે વાર્તા, આવાં વિઝ્યુઅલ્સ અગાઉ કોઈ ઈન્ડિયન ફિલ્મમાં આવ્યાં નહોતાં. ફિલ્મ સુપરહિટ થઈ. રાજમૌલિને એક વાત બરાબર સમજાઈ ગઈ: ફિલ્મનું ઈમોશનલ કન્ટેન્ટ તગડું હોવું જોઈએ. સ્પેશિયલ ઈફેકટ્સ અને એવું બધું તો જાણે બરાબર છે, પણ આખરે તો પાત્રોની લાગણીઓ જ ઓડિયન્સને સ્પર્શતી હોય છે.

Rajamouli with 'Bahubali; Prabhas


ટચૂક્ડી માખીની કહાણી પરથી રાજમૌલિએ સીધા મહાકાય ‘બાહુબલિ' પર કૂદૃકો માર્યો! તેમને નિર્માતા સારા મળી ગયા હતા - શોબુ યરલગડ્ડા. બન્ને દૃસ વર્ષથી એકમેકને ઓળખતા હતા. રાજમૌલિની કામ કરવાની શૈલીથી શોબુ બરાબર પરિચિત હતા. ‘બાહુબલિ' બનાવવાનો સમય આવ્યો ત્યારે રાજમૌલિએ શોબુને કહ્યું કે જો દૃોસ્ત, મેં હજુ સુધી એક અક્ષર પણ લખ્યો નથી. મારા મનમાં ફકત ઝાંખીપાંખી કલ્પના જ છે કે એવી ફિલ્મ બનાવવી જેમાં રાજા-મહારાજાઓ હોય, મોટા મોટા મહેલો હોય, ભીષણ યુદ્ધનાં દૃશ્યો હોય અને બધું લાર્જર-ધેન-લાઈફ હોય. શોબુ કહે: સારું છે. તું કામ શરુ કર. રાજમૌલિએ ધીમે ધીમે સ્ટોરી ડેવલપ કરવા માંડી. જે કંઈ લખાય તે શોબુ સાથે શેર કરતા. શોબુએ ઉત્સાહ દૃેખાડ્યો. તેમણે કહ્યું: રાજમૌલિ, આ તું જે રીતે વાર્તા ડેપલપ કરી રહ્યો છે તે કંઈ રિજનલ ફિલ્મની સ્ટોરી લાગતી નથી. મને તો આમાં ઈન્ટરનેશનલ કક્ષાનો વ્યાપ દૃેખાય છે.

‘બાહુબલિ: ધ બિગિનિંગ'ને ક્રમશ: ઘાટ મળતો ગયો. પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. આજે દૃેશના નંબર વન ડિરેક્ટર તરીકે ગણના થતી હોવા છતાં રાજામૌલિની નમ્રતા જુઓ. તેઓ નિખાલસતાથી કહે છે કે, ‘મારા ઈગોને સહેજ પણ વચ્ચે લાવ્યા વગર કહું છું કે હું કંઈ ઉત્તમ ફિલ્મમેકર નથી, પણ હા, એટલું હું ગર્વ સાથે જરુર કહીશ કે હું સારો સ્ટોરીટેલર છું. મને સ્ટોરી નરેટ કરતાં (એટલે કે હાવભાવ સાથે મૌખિક રીતે વાર્તા કહી સંભળાવતા) સરસ આવડે છે. હું સારો ફિલ્મમેકર તો જ બની શકું જો મારી પાસે બહુ સારા ટેકિનશિયનો હોય, જે મારી સ્ટોરીને વધારે સારો નિખાર આપી શકે, જે મારી નબળાઈઓને સમજે અને પોતાની ક્ષમતાથી તેને ઢાંકી શકે.'

Rajamouli with Rana


‘બાહુબલિ'ના પાર્ટ-વન પર તો આપણે સમરકંદૃ બુખારા ઓવારી ગયા હતા. ‘બાહુબલિ-ટુ' જોઈને આખો દૃેશ નવેસરથી ઝૂમી ઉઠ્યો છે. ક્રિયેટિવિટી અને કોમર્સ એમ બન્ને સ્તરે પાર્ટ ટુ, પાર્ટ-વન કરતાંય વધારે અસરકારક પૂરવાર થયો છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં રાજમૌલિએ ‘બાહુબલિ પહેલાં' અને ‘બાહુબલિ પછી' એમ બે સ્પષ્ટ ભાગ પાડી નાખ્યા છે એ તો નક્કી.


૦૦૦૦

Thursday, May 4, 2017

કબાટ હોય કે કવિતા... સર્જન કરતાં રહેવાનું!

ચિત્રલેખા - એપ્રિલ 2017

વાંચવા જેવું 

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’




ધુ રાયને વાંચવા એક લહાવો છે એમ કહેવું એટલે ‘સોમવાર પછી મંગળવાર આવે છે’ એવું રુટિન વાક્ય ઉચ્ચારવું. મધુ રાયની કલમ આપણાં દિલ-દિમાગમાં એવી એવી બત્તીઓ ઑન કરી નાખે ને એવાં એવાં કમાડ ખોલી નાખે છે કે આપણને ખુદને નવાઈ લાગે. જો! આ ફરી પાછું રુટિન વાક્ય લખાઈ ગયું. મધુસૂદન ઠાકર ઉર્ફ મધુજી ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ લખે છે એ પણ આમ તો રુટિન જ કહેવાય, પણ એમાંય લેખકશ્રી કેવો જાદુ કરી શકે છે એ જાણવા-માણવા આજે જેની વાત કરી રહ્યા છીએ એ કિશોર દેસાઈ સંપાદિત પુસ્તકમાંથી પસાર થવું પડે. પુસ્તકના શીર્ષકમાં ‘નિબંધો’ શબ્દ વપરાયો છે, પણ વાસ્તવમાં આ ‘નીલ ગગન કે તલે’ કોલમમાં પ્રગટ થયેલા ચુનંદા લેખોનો સંગ્રહ છે.

 સાપ્તાહિક કોલમના લેખને નિબંધ કહેવાય કે નહીં એવી ડિબેટમાં પડવાને બદલે સીધા એ સવાલ પર આવી જઈએ જેનો જવાબ જાણવા ભારતવાસી મધુપ્રેમીઓ નિરંતર આતુર રહે છે. સવાલ એ છે કે ખંભાળિયામાં જન્મીને, કોલકાતામાં ઉછરીને, અમદાવાદમાં થોડાં વર્ષો વીતાવીને અમેરિકા એક્સપોર્ટ થઈ ગયેલા મધુ રાય પુન: વતનગમન કેમ કરતા નથી? ઉત્તર એમના મોઢે જ સાંભળો:

 "વતન’ એ ભૌગોલિક સ્થળ નથી. ‘વતન’ તે મગજની માંસપેશીઓને જે સ્થળ નિરાપદ લાગે તે માનસિક સ્થળ છે. તે સ્થળ કલ્પનાના ગોળા પર વસેલું છે. ગગનવાલાનો પગ જે ગોળાને અડકે છે, તે જ ગોળા ઉપર ખંભાળિયા, ને કલકત્તા ને ન્યુ યોર્ક ને લંડન છે. હમ તો સ્વર્ણિમ  સૌરાષ્ટ્રિયન હંય, ગોલ્ડન ગુજરાતિયન હી હંય, આમ આદમી ઇન્ડિય બી હંય ને સો ટકા શુદ્ધ વિશ્ર્વમાનવિયન હૌ હંય. તકદીરની લગામ જ્યાં ખેંચી જાય ત્યાં ડાબલા બાંધીને દોડિયેં છીયેં, જાણી જાઈને નિર્ધારપૂર્વક લાઈફમાં કશું કરી શક્યા નથી. એકસેપ્ટ ફિકશનમાં ગોડ બનીને હોલ વીકમાં ક્રિયેશન કરીએ છીએ ને સન્ડેના રોજ લોન્ડ્રી કરિયેં છીયેં. મસાલા ઢોસાને બદલે ડોલર બચાવવા સાદો ઢોસો ખાઈએ છીએ ને ટીપે ટીપે ભરેલી બચતમાંથી વિમાનની મૂલ્યપત્રિકા ખરીદી ભૌગોલિક વતનમાં ઊતરિયેં છીયેં જ્યાં કોકકોક વાર રાજકોટ, ને અમદાવાદ, ને ગોંડલ ને સુરત ને મોડાસા ને મુંબઈમાં સાહિત્યનાં જ્ઞાતિભોજન જમીયેં છીયેં ને હરખની ઠેકું મારિયે છીયેં. મીન્સ કે લિટલ બિટ, લિટલ બિટ વતનના સબડકા લઈને ‘વાસી મહેમાન’ થઈયેં ઈ પહેલાં પાછા ફોરેનમાં રિટર્ન પૂગી જઈએ છીયેં.’

 મધુ રાયને વિદેશ મોકલવામાં મૃણાલિની સારાભાઈએ નિર્ણાયક ભુમિકા ભજવી હતી. ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક કેવળ મધુ રાયની જ સર્વોેત્તમ કૃતિઓમાંની જ એક નહીં, પણ ગુજરાતી સાહિત્યની એક ક્લાસિક કૃતિ છે. મધુ રાયને નાટ્યલેખક બનાવનાર પણ મૃણાલિની સારાભાઈ જ. ‘મૃણાલિની માય વેલેન્ટાઈન’ લેખ વાંચતા આપણને ખબર પડે છે કે આ નાટક જ્યારે ભજવાયું ત્યારે શરુઆતમાં કેટલાક વિવેચકો-લેખકોએ તેને ધીબેડી નાખ્યું હતું. પીતામ્બર પટેલે લખ્યું ‘મૃણાલિનીનું ગંધાતું ફૂલ!’ એક પ્યારા દુશ્મને (નામ છુપાવવામાં આવ્યું છે) લખી નાખ્યું કે, ‘મધુએ મૃણાલિનીને ફૂલ બનાવી છે!’ અમદાવાદમાં તો વધારે શોઝ ન જ થયા, પણ મુંબઈમાં ચાલુ શોએ ચિચિયારીઓ થઈ હતી... પણ શોકાતુર થઈ ગયેલા લેખકને પછી ખબર પડી કે આ નાટકના મુકદ્દરમાં તો ભરપૂર કીર્તિ લખાઈ હતી. પ્રબોધ ચોક્સીએ ‘એનેક્ટ’ મેગેઝિનમાં રિવ્યુ લખ્યો. નાટક નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેયઝમાં આવ્યું, ચૌદ ભાષાઓમાં તે ભજવાયું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણાવાયું અને દૂરદર્શન માટે કેતન મહેતાએ તેની ટેલિફિલ્મ બનાવી!

 અમેરિકાવાસી કવયિત્રી પન્ના નાયક વિશેના લેખમાં મધુ રાય બરાબરના ખીલ્યા છે. વાંચો:

 ‘આ છે અમારાં પન્ના આન્ટી. તમે એમને પન્ના નાયકના નામે ઓળખતાં હશો.... અંગતવૃત્તમાં કવિ સ્વયં પોતાને ‘પનુડી’ તરીકે ઓળખાવે છે. ક્યોંકિ તેમની તિલમિલાતી તોફાનવૃત્તિ આહલાદક છે. કુદરત સાથે એમણે એવા ગુપ્ત કરાર કીધા છે કે છેલ્લાં ૪૦ વર્ષથી આન્ટી ‘પનુડી’ જેવાં, યુનો, મોહક દીસે છે. તનથકી, મનથકી, કવનથકી કુદરત તેમને સો વર્ષનાં કરે. જોકે કેટલીક અદેખીઓ કહે છે કે તેવણ સો વર્ષ પાર કરી ચૂકેલાં છે... મંચ પરથી કવિ કાવ્યપાઠ કરે ત્યારે તેમનો સ્વર આંધળાને ડોલાવે છે, ને ઠસ્સો બહેરાને બહેલાવે છે. જે આંધળા પણ ન હોય અને બહેરાયે ન હોય તેવા લલ્લુનો તો ‘ડબલ મરો’.’

 આ પુસ્તકમાં કેવળ હસતા-હસાવતા તોફાની લેખો જ નથી, પણ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગયેલાં બાળકોની દુ:સ્થિતિ વિશે, કમાલની રોમાંચકથાઓ લખતા એલમર રેનર્ડ નામના વિખ્યાત અમેરિકન લેખક વિશે, બિગ બેન્ગ થિયરીને સ્પષ્ટ કરી આપતી ઇન્ફ્લેશનરી કોસ્મોલોજી વિશે અને ઇવન ટામેટાં વિશેનાં લખાણ પણ છે.

 એક જગ્યાએ એ લખે છે:

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’

 મરવાની ઘડી, બાય ધ વે, ક્યારની જતી રહી છે અને આગામી ૧૬ જુલાઈએ રા. રા. મધુ રાય ૭૫ વર્ષ પૂરાં કરવાના છે. આ જ લેખમાં આગળ કહે છે:

 ‘વૃદ્ધ થવાથી તમારી માનસિક તાકાત કંઈ ઓસરી જતી નથી. અને એ માટેની શરત શી છે? કામ, કામ ને કામ. મગજ સતત ચાલતું રહે તો ઘરડું થતું નથી. ઉદાસ, બેઠાડુ, ચિંતાતુર માણસો હસમુખા, કર્મઠ લોકો કરતાં ઓછું જીવે છે ને જાણે અરધું જીવે છે. જે લોકો કશું સર્જન કરે છે, પછી ભલે તે કબાટ બનાવતા હોય કે કવિતા, તે લોકો સતત કબાટ બનાવ્યા કરતા હોવાને કારણે અને લાગલગાટ લગાલગાલગા લખતા હોવાને કારણે વધુ ને વધુ સરસ કબાટ બનાવી શકે છે ને વધુ ને વધુ શાર્દૂલવિક્રીડા કરી શકે છે. એટલે હવેથી ગગનવાલા તદ્દન સર્જનશીલ નહીં તોયે સેમી સર્જનશીલ કહેવાય એવી કોલમો સતત લખી શકે અને આયુષ્યના બચેલા દાયકાઓ હસમુખા અને કર્મઠ થઈને ગુજારી શકે એવી સાંઈ પાસે દુઆ માગે છે.’

 ટચવૂડ!

 મધુ રાયના ચાહકોને યાદ હશે કે ‘નીલ ગગન કે તલે’ કોલમ બહુ બધાં વર્ષો પહેલાં ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરુ થઈ હતી, જે એનઆરઆઈ-સેન્ટ્રિક નહોતી. અફલાતૂન લેખો છપાયા હતા એમાં. અવિનાશ પારેખ, કે જેઓ એ વખતે ‘અભિયાન’ના પ્રકાશક હતા, તેમણે પછી ‘નીલ ગગન કે તલે’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તક અને આજના પુસ્તક વચ્ચે ક્ન્ફ્યુઝ ન થવું!  

મધુ રાયનાં કોઈ પણ પુસ્તક વિશે વધારે તો શું કહેવાનું હોય. એને તો બસ, વાંચી કાઢવાનું હોય અને બીજાઓને ધરાર વચાવવાનું હોય. જય પુસ્તક! જય મધુ રાય!  ૦  ૦ ૦
                                                                          

નીલે ગગનવાલાના નિબંધો                             
સંપાદક: કિશોર દેસાઈ
પ્રકાશક: ગૂર્જરી પબ્લિકેશન
 સિમ્પોલી રોડ, બોરીવલી, મુંબઈ
 મુખ્ય વિક્રેતા: અરુણોદય પ્રકાશન, 
 ગાંધીરોડ, અમદાવાદ- 
 ફોન: (079) 2211 4108 
 કિંમત: ૨૦૦  રૂપિયા / યુએસ ૧૨ ડોલર
  પૃષ્ઠ: ૧૫૪


Saturday, April 8, 2017

વાત તરડાયેલા સંબંધની

Sandesh - Sanskar Purti - 9 April 2017
મલ્ટિપ્લેક્સ
‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ પતિ, પત્ની અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’ 


જે એક ઈરાનીઅન ફ્લ્મિની વાત માંડવી છે. એનું ટાઈટલ છે, ‘ધ સેલ્સમેન’. આ ફ્લ્મિે હજુ થોડાં અઠવાડિયા પહેલાં જ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો હોવાથી દુુનિયાભરમાં તેની ચર્ચા છે. ફ્લ્મિના ચુમાલીસ વર્ષીય ડિરેકટર-રાઈટર-પ્રોડયૂસરનું નામ છે, અસગર ફરહોદી. (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે અટક ‘ફરહદી’ વંચાય છે, પણ પર્શિઅન ભાષામાં ઉચ્ચાર ‘ફરહોદી’ એવો થાય છે.)  જબરો માણસ છે અસગર ફરહોદી. બબ્બે ઓસ્કર જીતીને એ બેઠા છે. પાંચ વર્ષ પહેલાં આવેલી એમની ‘અ સેપરેશન’ નામની ફ્લ્મિે પણ બેસ્ટ ફેરેન લેંગ્વેજ ફ્લ્મિનો ઓસ્કર જીતી લીધો  હતો. ૨૦૧૨માં ‘ટાઈમ’ મેેગેઝિને દુનિયાના સૌથી ઇન્ફ્લુઅન્શિઅલ એટલે કે વગદાર યા તો પ્રભાવશાળી માણસોના લિસ્ટમાં એમનું નામ મૂકયું હતું. છેલ્લાં ૧૪ વર્ષમાં એમણે બનાવેલી અગિયાર ફ્લ્મિોએ જીતેલા અતિપ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝના લિસ્ટ પર ફ્કત નજર ઘુમાવીએ તો પણ આંખો ચાર થઈ જાય છે. મજાની વાત એ છે ક્ે અસગર ફરહોદીની ફ્લ્મિો ઈરાનની બોકસઓફ્સિ પર પણ સફ્ળ નીવડે છે.
પર્શિઅન ભાષામાં બનેલી ‘ધ સેલ્સમેન’ વિશે આગળ વાંચતા પહેલાં એક જાહેરાતઃ સ્પોઈલર્સ અહેડ! ફ્લ્મિના અંત-આરંભ વિશે ફોડ પાડયા વિના વાતમાં જમાવટ નહીં થાય. તેથી જો સ્પોઈલરથી બચવું હોય તો હવે પછીના પાંચેક ફ્કરા કુદાવી જવા!
એક શહેરી કપલ છે – ઈમાદ (શહાબ હુસેની) અને રાનો (તરાનેહ અલીદોસ્તી). બંનેની ઉંમર હશે ત્રીસ-ચાલીસની વચ્ચે. બંને પ્રોફેશનલ એક્ટર છે, સાથે નાટકો કરે છે. હાલ તેઓ આર્થર મિલર લિખિત જગવિખ્યાત નાટક ‘ડેથ ઓફ્ અ સેલ્સમેન’માં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહૃાાં છે. મુંબઈના પૃથ્વી જેવા સરસ ઇન્ટિમેટ થિયેટરમાં નાટકના શોઝ થાય છે. ફ્લ્મિની શરૂઆતમાં જ રંગભૂમિના બહુ સુંદર શોટ્સ છે. ઈમાદ ટીચર પણ છે. એક કોલેજમાં એ સ્ટુડન્ટ્સને આર્ટ અને થિયેટર વિશે ભણાવે છે. પહેલી નજરે તો પતિ-પત્ની એકબીજા સાથે ખુશ દેખાય છે, તેઓ બાળક પણ પ્લાન કરી રહૃાા છે, પણ…
એક દિવસ તેઓ જે બિલ્ડિંગમાં રહે છે તેમાં અચાનક તિરાડ પડવા લાગે છે. બધા રહેવાસીઓ તાબડતોડ જગ્યા ખાલી કરી નાખે છે. હવે રહેવું કયાં? ઈમાદ-રાનોની સાથે કામ કરતો એક એક્ટર દોસ્તાર એમને ઠીકઠાક કહી શકાય એવો  ટેરેસ-ફ્લેટ ભાડે અપાવે છે. દોસ્તાર એમને કહેતો નથી કે આ ઘરમાં હજુ હમણાં સુધી એક વેશ્યા ભાડે રહેતી હતી. જાતજાતના પુરુષોનું અહીં સતત આવનજાવન રહેતું એટલે પાડોશીઓ એનાથી પરેશાન હતા.
Asghar Farhadi
દરમિયાન એક આઘાતજનક ઘટના બને છે. એક રાતે રાનો ઘરમાં એકલી હતી અને બાથરૂમમાં શાવર લઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો પુરુષ ઘરમાં ઘૂસી જાય છે. એ રાનો પર જોરદાર અટેક કરીને એને લોહીલુહાણ કરી મૂકે છે. અટેક એટલે કેવો અટેક? પેલા માણસે રાનોને માત્ર માર માર્યો હતો કે એના પર બળાત્કાર પણ કર્યો? તે રાત્રે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું તે ડિરેકટર આપણને આખી ફ્લ્મિમાં એક પણ વાર દેખાડતા નથી. માત્ર ડાયલોગ્ઝમાંથી ટુકડે ટુકડે વિગતો મળતી રહે છે. એક વાત તો જોકે સ્પષ્ટ છે કે રાનો પર રેપ તો નહોતો જ થયો. હુમલાખોર માણસ કદાચ આ ઘરમાં અગાઉ ભાડે રહેતી વેશ્યાનો ગ્રાહક હતો. બંને વચ્ચે કોઈક્ વાતે ઝઘડો થઈ ગયો હશે. તે રાત્રે પેલાને એમ કે બાથરૂમમાં વેશ્યા શાવર લઈ રહી છે. આમ, એનાથી ભૂલથી રાનો પર હુમલો થઈ ગયો હતો. ખૂબ ચીસાચીસ થઈ હતી એટલે એ પોતાનો મોબાઈલ અને ટેમ્પોની ચાવી ઘરમાં છોડીને નાસી ગયો હતો. તે ટેમ્પો હજુ પણ બહાર રસ્તા પર પાર્ક થયેલો પડયો હતો.
આવી સ્થિતિમાં કોઈપણ જવાબદાર અને સંવેદનશીલ પતિ ભરે તેવા તમામ પગલાં ઈમાદે ભર્યાં. હોસ્પિટલમાંથી સારવાર લઈને રાનો ઘરે આવી એટલે ઈમાદે કહૃાું: આપણે પોલીસમાં ફરિયાદ લખાવીએ. રાનો કહેઃ ના, નથી લખાવવી. એ લોકો જાતજાતના સવાલ કરશે. મારે એ ઝમેલામાં નથી પડવું. જાણે ડુંગળીના પડ એક પછી એક ઉતરતા જાય એમ કહાણીમાં હવે નવી નવી વાતો બહાર આવતી જાય છે. ઈમાદ વારેવારે પૂછયાં કરે છે કે રાનો, મને વિગતવાર વાત તો કર, તે દિવસે બાથરૂમમાં એકઝેકટલી શું બન્યું હતું? શરૂઆતમાં રાનો કહે છે કે મારા ખભા પર કોઈએ હાથ મૂકયો એટલે મને એમ કે એ તું હોઈશ, પણ પછી મને ખબર પડી કે આ તો બીજું કોઈક છે. પેલા માણસ જોરથી નીચે પછાડી ને હું બેભાન થઈ ગઈ. મેં ફ્કત એનો હાથ જ જોયો છે. બેભાન થયા પછી શું બન્યું તે હું કશું જ જાણતી નથી. 
ઈમાદ આ વર્ઝન માની લે છે, પણ બીજી વાર રાનો કહે છે કે એ હુમલાખોર જો મારી સામે આવે તો હું એને ઓળખી કાઢીશ. ઈમાદ આશ્ચર્ય પામીને કહે છેઃ તું તો કહેતી હતી કે તેં એના માત્ર હાથ જ જોયા છે! તો પછી એનો ચહેરો તું કેવી રીતે ઓળખી શકીશ? રાનો આ સવાલનો કોઈ જવાબ આપી શકતી નથી. વળી, જો એ પછડાઈને તરત બેભાન થઈ ગઈ હોય તો પાડાશીઓએ જે જોરદાર ચીસાચીસ સાંભળી હતી તે શું હતું?

આ અટેકને કારણે રાનો એટલી બધી હેબતાઈ ગઈ છે કે એ બાથરૂમમાં પગ પણ મૂકતી નથી, પણ તેની વાતો અને વર્તનમાં સતત વિરોધાભાસ વર્તાયા કરે છે. ઈમાદ નક્કી કરે છે કે હું મારી રીતે છાનબીન કરીને પેલા ગુનેગારને પકડીશ. એ પગેરું દબાવતો દબાવતો હુમલાખોર સુધી પહોંચે છે. હુમલાખોર કોઈ ટપોરી નહીં, પણ સાવ ખખડી ગયેલો બુઢો હાર્ટ પેશન્ટ છે. ઈમાદ એને ધમકાવે છે કે હું તને છોડી દઈશ, પણ તેની પહેલાં તારા પરિવાર સામે તને સાવ ખુલ્લો કરી દઈશ. સાલા, આ ઉંમરે પણ તું આવા ધંધા કરે છે? વેશ્યા પાસે જાય છે?
હુમલાખોર દયામણું મોઢું કરીને ખૂબ કરગરે છે કે ભાઈસાબ, મારા ઘરના લોકોને કંઈ ન કહેતા. અઠવાડિયામાં મારી દીકરીનાં લગ્ન છે. આ બધા ભવાડા બહાર આવશે તો એનાં લગ્ન તૂટી જશે. ઈમાદને આંચકો ત્યારે લાગે છે જ્યારે પત્ની એનો પક્ષ લેવાને બદલે પોતાના પર હુમલો કરનાર આ બુઢાની સાઈડ લે છે. રાનો કહે છેઃ ઈમાદ, જો તેં આ માણસના ફેમિલી સામે એક અક્ષર પણ ઉચ્ચાર્યો તો તારો ને મારો સંબંધ ખતમ થઈ જશે! ઈમાદ કશું બોલતો નથી. ફ્લ્મિના અંતમાં હુમલાખોરની વૃદ્ધ પત્ની, દીકરી અને જમાઈ એને તેડી જાય છે, પણ પેલાને ગભરાટમાં હાર્ટ એટેક આવી જાય છે. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. પછી શું થયું? બુઢો જીવી ગયો? ઈમાદ અને રાનોનું લગ્નજીવન ટકી ગયું? કે બંને અલગ થઈ ગયાં? રાઈટર-ડિરેકટર આ સવાલોના જવાબ ઓડિયન્સની કલ્પના પર છોડી દે છે.
‘ધ સેલ્સમેન’માં વાત પતિ-પત્ની વચ્ચેના તરડાયેલા સંબંધની છે, પણ ઉપરનું કલેવર સસ્પેન્સ-થ્રિલરનું છે. યાદ રહે, આ અસગર ફરહોદીની ઇરાનીઅન ફ્લ્મિ છે, બોલિવૂડ-હોલિવૂડની મસાલા ફ્લ્મિ નહીં, એટલે રહસ્યનું તત્ત્વ હોવા છતાં ટિપિકલ થ્રિલર જેવી ઢેન્ટેંણેં ટાઈપની ઢિન્ચાક ટ્રીટમેન્ટની આપણે ભુલેચુકેય અપેક્ષા નહીં રાખવાની. ફ્લ્મિ રિઅલીસ્ટિક ડોકયુમેન્ટરીની માફ્ક શૂટ થઈ છે એટલે ઓડિયન્સને જાણે કેમેરાની હાજરી જ વર્તાતી નથી. એકદમ સહજ અભિનય, સાદા બોલચાલના સંવાદો, કયાંય કોઈપણ જાતની નાટકીયતા નહીં, માહોલ બનાવવા માટે કે અમુક જાતની અસર ઊભી કરવા માટે ધરાર ઉમેરવામાં આવતા બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ નહીં. આમ છતાંય તમે શરૂઆતથી ધી એન્ડ સુધી તમારી સીટ પર જકડાઈ રહો છે.

Asghar Fafhadi (Right) with the lead actor of The Salesman, Shabab Hosseini
‘રાનો પર અટેક કોણે કર્યો?’ – આ તો સ્થૂળ સવાલ થયો. ફ્લ્મિનું ખરું સસ્પેન્સ એ છે કે આ પાત્રોનાં દિલ-દિમાગમાં ખરેખર શું ચાલી રહૃાું છે? હુમલાખોર કોણ હતો તેની જાણકારી  ઈમાદને મળી ગઈ, પણ પછી શું? આ જાણકારીનો એ કેવો ઉપયોગ કરશે? પતિ-પત્નીનો સંબંધ હવે કેવો વણાંક લેશે? પત્ની પર કોઈએ હુમલો કર્યો તે વાતની ઈમાદને તકલીફ્ છે જ, પણ એના કરતાં વધારે તકલીફ એ વાતની છે કે પત્ની એના પર પૂરો ભરોસો કેમ મૂકતી નથી? એની સાથે પૂરી વાત કેમ શેર કરતી નથી? કશુંક છુપાવ-છુપાવ કેમ ર્ક્યા કરે છે? ફ્લ્મિની શરૂઆતમાં એમની બિલ્ડિંગમાં તિરાડો પડતી દેખાડવામાં આવે છે તે પ્રતીકાત્મક છે. તિરાડ તો ઈમાદ-રાનોનાં લગ્નજીવનમાં પડી ચૂકી છે.
અસગર ફરહોદી એક મિડીયા ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આપણને સૌને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. મારા જેવો ફ્લ્મિમેકર એ સવાલો ફ્લ્મિો બનાવીને ઓડિયન્સ સાથે શેર કરે છે. મને ખૂબ મૂંઝવતો એક્ સવાલ એ છે કે માણસ જીવનમાં કોઈક પગલું ભરે કે કશુંક કરે તો તે કેટલું નૈતિક છે કે અનૈતિક તે કેવી રીતે નક્કી કરી શકાય? આવો ચુકાદો કોણ તોળે? આ સવાલ હું જુદી-જુદી રીતે મારી અલગ-અલગ ફ્લ્મિોમાં સતત પૂછતો રહું છું. ‘ધ સેલ્સમેન’ જોયા પછી ઓડિયન્સના મનમાં પણ આ સવાલ જાગવાનોઃ ઈમાદ, રાનો અને હુમલાખોર – આ ત્રણમાંથી કોણ કેટલું સાચું હતું?’
અલગ-અલગ પ્રકરની દમદાર ફ્લ્મિો જોવાનો શોખ હોય તો ‘ધ સેલ્સમેન’ જરૂર જોજો. એકબીજાથી જુદાં થઈ રહેલાં પતિ-પત્નીના થીમવાળી ‘અ સેપરેશન’ પણ જોજો. અસગર ફરહોદીની આ ફ્લ્મિ માસ્ટરપીસ ગણાય છે.
0 0 0 

Thursday, April 6, 2017

શ્રદ્ધા અને સ્વચ્છતાને બાપે માર્યા વેર છે?

Sandesh - Ardh Saptahik Purti - 5 April 2017
ટેક ઓફ

વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું ભારતનું બીજા નંબરનું બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધાર્મિક સ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?

મૃત માતા કે પિતાની અંતિમ ક્રિયાના ભાગ રુપે તમે દ્વારકા જાઓ છો ત્યારે મોંમાં મસાલો દબાવીને આવેલો કોઈ દુષ્ટ માણસ તમને લગભગ હાઈજેક કરીને ખેંચી જાય છે અને પાનની પિચકારીઓ મારતાં મારતાં આડેધડ મંત્રોચ્ચારણ કરીને, તમારા પૈસા ખિસ્સામાં સેરવીને એ બીજા બકરાની શોધ કરવા નાસી જાય છે. તમે જે લાગણીભીનું માનસિક વાતાવરણ લઈને આવ્યા હતા તેના આ અણધડ માણસ ટુકડેટુકડા કરી નાખે છે. ઓરિસાના જગન્નાથ પુરીના વિશ્વવિખ્યાત મંદિરમાં પોતાને પૂજારી કહેડાવતા સપાટ ચહેરાવાળા માનવપ્રાણીઓ એક યા બીજા બહાને તમારા પર્સમાંથી પૈસા કઢાવતા જ જાય છે, કઢાવતા જ જાય છે. મંદિરની બહાર આવો ત્યાં સુધીમાં તમે ત્રાસી ચુકયા હો છો, ક્રોધથી તમતમી ગયા હો છો. કોલકાતાના વિખ્યાત કાલીઘાટના મંદિરે બે ટોપલેસ ધોતિયાધારી માણસો નફ્ફ્ટની જેમ ગર્ભદ્વાર આડા ઊભા રહી જાય છે. તમે જ્યાં સુધી એમના હાથમાં પૈસા ન પકડાવો ત્યાં સુધી એ દેવીનાં દર્શન કરવા દેતા નથી. ધાર્મિકતા કેવી ને વાત કેવી. આધ્યાત્મિક અનુભૂતિ? ભકિતભાવ? તે વળી શું?
ગંદકી, ડગલે ને પગલે પૈસા પડાવતા ભ્રષ્ટ પંડા-પૂજારી, ધક્કામૂક્કી, અરાજકતા… આ બધાં અતિ પ્રસિદ્ધ કે અલ્પ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોનાં સામાન્ય લક્ષણો છે. વાત કેવળ હિન્દુ સ્થાનકોની નથી, અન્ય ધર્મના પવિત્ર સ્થળોએ પણ વત્તે-ઓછે અંશે આવો જ માહોલ હોય છે અને તેથી જ જમ્મુમાં આવેલા જગવિખ્યાત વૈષ્ણોદેવીનાં દર્શનનો સાફ્સુથરો અને સ્ટ્રેસ-ફ્રી અનુભવ આપણને ભકિત સિવાયના અન્ય સ્તરોએ પણ તીવ્રતાથી અપીલ કરે છે.
વૈષ્ણોદેવી જેવું મસ્તમજાનું મેનેજમેન્ટ ભારતનાં અન્ય ધાર્મિક સ્થળોએ કેમ થતું નથી? કટરા નગરના બેઝ કેમ્પથી દેવીનાં મુખ્ય સ્થાનક સુધીનું ૧૩.૫ કિલોમીટરનું અંતર શ્રદ્ધાળુઓએ પગપાળા, ઘોડા પર, પાલખીમાં કે ખાસ પ્રકારના વાહનમાં કાપવું પડે છે, (હવે તો ખેર, હેલિકોપ્ટર પણ આવી ગયાં છે), પણ આ આખા રસ્તે સફેદ રંગેલી ત્રુટક દીવાલો પર કે નીચે બિછાવેલા ઇન્ટરલોકડ પેવિંગ બ્લોકસ પર કયાંય પાનની પિચકારી દેખાતી નથી. પ્લાસ્ટિકની ચીમળાયેલી  કોથળીઓ કે મિનરલ વોટરની ખાલી બોટલો છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં લગભગ ગેરહાજર છે. વૈષ્ણોદેવીની મુખ્ય ગુફ સુધી પહોંચતો ત્રિકુટ પહાડનો આખો રસ્તો આઘાત લાગે એટલો બધો સ્વચ્છ છે! યાદ રહે, વૈષ્ણોદેવી સૌથી વધારે માત્રામાં શ્રદ્ધાળુઓને આકર્ષતું ભારતનું બીજા નંબરનું ધાર્મિક સ્થળ છે (પહેલો નંબર તિરુપિત મંદિરનો આવે છે). વૈષ્ણોદેવીના મંદિરે રોજ પચ્ચીસથી ત્રીસ હજાર લોકો દર્શને આવે છે. તે હિસાબે વર્ષેદહાડે મુલાકાતીઓનો આંકડો એક કરોડને ઓળંગી જાય છે. જો વૈષ્ણોદેવી જેવું અત્યંત બિઝી ધર્મસંસ્થાન સ્વચ્છ રહી શકતું હોય તો આપણાં અન્ય ધર્મસ્થળો શા માટે સાફ્સૂથરાં ન રહી શકે?

વૈષ્ણોદેવીમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી હજુ ચોથી એપ્રિલ, મંગળવારે જ પૂરી  થઈ. આપણે મહીસાગરને આરે ઢોલ વગાડતા વગાડતા ધૂમધામ સાથે સપ્ટેમ્બર-ઓકટોબરમા જે નવરાત્રી મનાવીએ છીએ તે શરદ નવરાત્રી છે. વર્ષમાં આમ તો ચાર નવરાત્રી આવે છે, પણ તેમાં ચૈત્ર અને શરદની નવરાત્રી મુખ્ય છે. ઉત્તર ભારતીયોમાં ચૈત્ર નવરાત્રી માટે ‘નવરાત્રા’  શબ્દપ્રયોગ થાય છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન વૈષ્ણોદેવીના પવિત્ર ધામે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉછાળો આવે છે. તેમાં જોકે ગુજરાતીઓનું સંખ્યા પાંખી હોય છે, કેમ કે નોર્થ ઈન્ડિયાની તુલનામાં આપણે ત્યાં ચૈત્ર નવરાત્રીનું મહાત્મ્ય ઓછું છે.
વૈષ્ણોદેવી આજે આપણને ચોખ્ખું અને વેલ-મેનેજ્ડ લાગે છે, પણ ૧૯૮૭ પહેલાં અહીં પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. ન પીવાનું ચોખ્ખું પાણી મળે, ન સરખું ખાવાનું મળે, ન રહેવાની સારી જગ્યા મળે. બન્ને બાજુ દુકાનની લાઈનો કરીને બેસી ગયેલા વેપારીઓ, લેભાગુ પંડાઓ અને માખીની જેમ બણબણતા ભિખારીઓ સહિતનું બધું જ અહીં હતું. ભયંકર હાડમારી વેઠીને, સાત-આઠ કલાકનું પર્વતારોહણ કરીને શ્રદ્ધાળુ ઉપર પહોંચે તે પછી પણ દેવીના દર્શન થશે કે કહી શકાતું નહીં, કેમ કે સઘળો આધાર તમે પૂજારી-પંડાને કેટલા રુપિયા ધરો છો તેના પર રહેતો.  વૈષ્ણોદેવીની ગુફની આસપાસ આડેધડ ઊભાં થઈ ગયેલાં મકાનોમાં અથવા ખુલ્લામાં યાત્રાળુઓ જેમતેમ રાતવાસો કરતા, સવારે ખુલ્લામાં હાજતે જઈ આવતા ને પછી દેવીનાં દર્શન માટે રાહ જોઈને બેસી રહેતા.
પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સરકારે વૈષ્ણોદેવીની જાત્રાનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય લેવો પડયો. તે વખતે કાશ્મીર ગર્વનર શાસન હેઠળ હતું. તત્કાલિન ગર્વનર જગમોહનની દોરવણી હેઠળ  વૈષ્ણવ દેવી શ્રાઈન ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી. આ પગલું દેખીતી રીતે જ વિવાદાસ્પદ પૂરવાર થયું. કેટલાક રાજકારણીઓ, ધાર્મિક સંગઠનો તેમજ વૈષ્ણોદેવીના સ્થાનક પર પરંપરાગત રીતે અંકુશ ધરાવતા પરિવારે તીવ્ર વિરોધ નોંધાવ્યો. અદાલતમાં કેસ દાખલ થયા.
ગર્વનર જગમોહન અને વૈષ્ણોદેવી બોર્ડ હવે યુદ્ધના ધોરણે આ યાત્રાધામની કાયાપલટ કરવાની હતી, કેમ કે જો નક્કર પરિણામ ન દેખાય તો બે વર્ષ પછી બોર્ડ વિખેરાઈ શકે એવી શકયતા ઊભી થઈ હતી. કામગીરી શરુ થઈ. સૌથી પહેલાં તો તળેટીથી ટોચ સુધીના રસ્તા દરમિયાન પચાસ જગ્યાઓએ સિન્ટેકસની ટાંકીઓ તેમજ વોટર કૂલર્સ મૂકીને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. સાડાચારસો જેટલાં ટોઈલેટ્સ ઊભાં કરવામાં આવ્યા.

અગાઉ તબીબી વ્યવસ્થાના નામે લગભગ મીંડું હતું, પણ હવે સ્ટ્રેચર, બેડ અને ઓકિસજન સિલિન્ડર વડે સુસજ્જ એવાં મેડિકલ યુનિટ્સ ઊભાં કરવામાં આવ્યાં. ખાડાખડબાવાળા ભંગાર રસ્તાની જગ્યાએ પાક્કો રસ્તો બન્યો. તેની ધાર પર પાક્કી રેલિંગ બની. આખા રસ્તે લાઈટ્સ, થોડા થોડા અંતરે સાઈનપોસ્ટ્સ, માહિતી કેન્દ્રો તેમજ એનાઉન્સમેન્ટ બૂથ ગોઠવવામાં આવ્યાં. ટોચ પર યાત્રાળુઓએ ઉતારા માટે આધુનિક સંકુલોએ આકાર લીધો. ૧૪,૦૦૦ જેટલા નવા ધાબળા ખરીદવામાં આવ્યા અને એકસાથે બે હજાર ધાબળા એકસાથે ધોવાઈ શકે તેવાં ઉપકરણો વસાવવામાં આવ્યાં. આ સ્વચ્છ ધાબળા ખુલ્લામાં રાતવાસો કરનારા જાત્રાળુઓને મફ્ત વાપરવા માટે આપવામાં આવતા. બોર્ડે ધાર્મિક વિધિ કરાવી આપવાનો દેખાડો કરતા ચલતાપૂરજા પંડાઓને એકઝાટકે દૂર કરી નાખ્યા. દેવીનાં ચરણમાં શ્રદ્ધાળુઓ જે રોકડ રકમ તેમજ સોનુંચાંદી ધરતા તેનું કુલ મૂલ્ય વર્ષે પાંચ કરોડ પર પહોંચી જતું. યાદ રહે, આ ત્રીસ વર્ષ પહેલાંના આંકડા છે! સરકાર પાસે એક પણ પૈસો લીધા વિના બોર્ડે આ નાણાંનો ઉપયોગ કરીને બે નહીં, દોઢ જ વર્ષમાં એવું ધરખમ સ્વરુપાંતર કરી દેખાડયું કે સૌ હેરત પામી ગયા.
કટરા નગરમાં નાયબ તહેસીલદારને ખસેડીને એક આઈએએસ અધિકારની નિમણૂક કરવામાં આવી. કટરાની સાથે સાથે આસપાસનાં ગામોનો પણ વિકાસ થયો. હજારો  લોકોને રોજીરોટી મળી. બે જ વર્ષમાં યાત્રાળુઓની સંખ્યા છ લાખથી વધીને બાવીસ લાખ પર પહોંચી ગઈ.
વૈષ્ણોદેવી બોર્ડ આ ત્રીસ વર્ષ દરમિયાન સતત સુધારાવધારા કરતું આવ્યું છે. હાલ વર્ષે એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવે છે, પણ પ્રત્યેક મુલાકાતીએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મુલાકાતીઓના ધસારા પર ચાંપતી નજર રહેતી હોવાથી ભાગદોડ થવાના ને એમાં લોકોના ચગદાઈને મૃત્યુ પામવાની દુર્ઘટનાઓ બનતી નથી. હમણાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે માતાની ગુફા પાસે છેક થાઈલેન્ડ, બેંગલોર, પુના વગેરે જગ્યાએથી ખાસ ઇમ્પોર્ટ કરવામાં આવેલા ફુલોની આંખો પહોળી થઈ જાય એવી અદભુત સજાવટ કરવામાં આવી હતી. આજે તળેટીથી ટોચ સુધીનો લગભગ આખો રસ્તો ઉપરથી ઢંકાયેલો છે, જેના લીધે યાત્રાળુઓનું ધોમધખતા તાપ અને વરસાદથી રક્ષણ થાય છે. અહીં ઘોડા પણ એટલા ટ્રેઈન્ડ અને સ્વચ્છતાના આગ્રહી છે કે તેઓ મૂત્રત્યાગ નિશ્ચિત જગ્યાએ રેતીના ઢગલા પર જ કરે છે કે જેથી પેશાબ રેતીમાં શોષાઈ જાય અને એના રેલાં દૂર સુધી ન વહે! હા, ગ્રામ્ય લોકોને હજુ ટોઈલેટમાં મળત્યાગ કરતાં આવડતું નથી એ તકલીફ્ છે ખરી!
જાણીતા ધર્મસ્થળે આપણે સ્વચ્છ, વેલ-મેનેજ્ડ અને કરપ્શન-ફ્રી માહોલમાં દર્શન કરી શકીએ એ જ ઉપરવાળાનાં સૌથી પહેલાં આશીર્વાદ ગણાય. પારદર્શક અને કાબેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજ થતાં ધર્મસ્થાનો સામાન્યપણે સ્વચ્છ અને સુંદર હોય છે. ઝગમગતા ચોખ્ખાચણક શોપિંગ મોલની માફ્ક સ્વચ્છ ધર્મસંસ્થાનનું પણ આગવું કલ્ચર બની જાય છે જ્યાં લોકો આપોઆપ ગંદકી કરતાં સંકોચ અનુભવે છે. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષ પહેલાં જ લેન્ડમાર્ક કેસ ગણાઈ ચુકેલું વૈષ્ણોેદેવીનું સ્થાનક આજે પણ ઉદાહરણરુપ છે. વૈષ્ણોદેવી બોર્ડે પૂરવાર કર્યુ કે સરકારની જેન્યુઈન દરમિયાનગીરી ઉત્તમ પરિણામ લાવી શકે છે. દિલ્હી સરકારે ગંગા નદીની સાથે સાથે સર્વાધિક લોકપ્રિય ધર્મસ્થળોની દરેક સ્તરે સાફ્સફઈ કરવાનું અભિયાન પણ હાથ ધરવું જોઈએ.

જય માતા દી!
0 0 0 

Wednesday, April 5, 2017

રોજા જાનેમન

Sandesh - Sanskar Purti - 2 April 2017
મલ્ટિપ્લેક્સ 
  રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. હું અને રહેમાન બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ કરતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’



તો, આપણે ગયા રવિવારે વાત માંડી હતી મણિ રત્નમની કન્ટેમ્પરરી કલાસિક ફ્લ્મિ ‘રોજા’ની. ‘રોજા’નું આ સિલ્વર જ્યુબિલી યર છે. પચ્ચીસ વર્ષ જૂની આ ફ્લ્મિનાં ગીતો અને વિઝ્યુઅલ્સ આપણને આજે પણ મુગ્ધ કરી દે છે. ગીતો અને દશ્યો જ શું કામ, આખેઆખી ફ્લ્મિ આપણને જલસો કરાવે છે. 
‘રોજા’ ભલે દિગ્ગજ ફ્લ્મિનિર્માતા કે. બાલાચંદરના બેનર માટે બની રહી હતી, પણ તેનું બજેટ પાંખું હતું. ટેકિનશિયનો પોતપોતાની રેગ્યુલર ફી કરતાં સાવ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. એ વખતે ફ્લ્મિ તમિલ ઉપરાંત તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ ડબ થશે ને આખા દેશમાં ધૂમ મચાવશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. જાણે નાનકડી એકસપેરિમેન્ટલ ફ્લ્મિ બનાવી રહૃાા હોય એવો સૌનો મૂડ હતો.
હીરો અરવિંદ સ્વામીની આ બીજી જ ફ્લ્મિ. હિરોઈન મધુ ‘ફૂલ ઔર કાંટે’ (અજય દેવગણે જે ફ્લ્મિથી બોલિવૂડમાં એન્ટ્રી મારી તે, ૧૯૯૧) સહિત અલગ અલગ ભાષાઓની પાંચેક જેટલી ફ્લ્મિો કરી ચુકી હતી. એકચ્યુઅલી, ‘રોજા’ના ટાઈટલ રોલ માટે મણિ રત્નમ સાઉથની ઐશ્વર્યા નામની એકટ્રેસને સાઈન કરવા માગતા હતા, પણ કોઈક વાતે એનો મેળ ન પડયો એટલે એની જગ્યાએ મધુ ગોઠવાઈ ગઈ. આતંકવાદીના રોલ માટે નાના પાટેકરની વરણી કરવાનો ઈરાદો હતો, પણ એમાંય વાત ન જામી એટલે તે ભુમિકા પંકજ કપૂરને સોંપવામાં આવી.
મણિ રત્નમે ખરો માસ્ટર સ્ટ્રોક ફ્ટકાર્યો સંગીતકારની પસંદગીમાં. એમની અગાઉની બઘી ફ્લ્મિો માટે દક્ષિણમાં બહુ મોટું નામ ધરાવતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું, પણ ‘રોજા’ માટે મણિસરને અલગ પ્રકારના સાઉન્ડ્સ જોઈતા હતા. એમનો ભેટો એ. આર. રહેમાન નામના છવ્વીસ વર્ષના અજાણ્યા છોકરા સાથે થયો, જે તે વખતે ટીવીની જાહેરાતો માટે જિંગલ્સ ઉપરાંત ડોકયુમેન્ટરી માટે સંગીત કમ્પોઝ કરતો હતો. ફ્લ્મિો માટે સંગીત તૈયાર કરવાનો એને સહેજ પણ અનુભવ નહોતો. પોતાનાં કામની નાનકડી ઝલક આપતી એક ડેમોન્સ્ટ્રેશન ટેપ રહેમાને મણિસરને મોકલી આપેલી. તે મ્યુઝિકલ પીસની પહેલી જ નોટ સાંભળતા મણિ રત્નમ સતર્ક થઈ ગયા. તેઓ રહેમાનના મ્યુઝિક સ્ટુડિયો પર પહોંચી ગયા. રહેમાને થોડાં વધારે કમ્પોઝિશન્સ સંભળાવ્યાં, જે એમણે ખરેખર તો જુદી જુદી એડ્સ માટે કે બીજા કલાયન્ટ્સ માટે તૈયાર કર્યાં હતાં. મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે આ છોકરાના સંગીતમાં કંઈક અલગ જ જાદુ છે. એમણે નક્કી કરી નાખ્યૂં: રહેમાન ભલે સાવ નવો નિશાળીયો રહૃાો, પણ ‘રોજા’માં સંગીત તો એ જ પીરસશે!

‘આ છોકરો આગળ જતાં બહુ મોટી હસ્તી બનશે કે એવા કશા જ વિચારો હું તે વખતે કરતો નહોતો,’ મણિ રત્નમ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને બસ એક જ વસ્તુ સાથે મતલબ હતો અને તે એ કે ‘રોજા’ માટે એ કેવું સંગીત કમ્પોઝ કરે છે. મેં જોયું કે ચીલાચાલુ ઢાંચાની બહાર આવીને કામ કરવા માટે એ તૈયાર છે. એને કશુંક અલગ કરવું હતું. હું ખરેખર લકી કહેવાઉં કે મને કરેકટ ટાઈમે કરેક્ટ માણસ મળી ગયો.’
મણિ રત્નમ પર હવે આક્ષેપ થાય છે કે તેઓ પોતાની ફ્લ્મિોમાં એ.આર.રહેમાનને જ રિપીટ કર્યા કરે છે. આના જવાબમાં મણિ રત્નમ કહે છે, ‘રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. રહેમાન સાથે વારે વારે કામ કરવાનું કારણ અમારું કર્મ્ફ્ટ ઝોન નથી. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. અમે બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ બનાવતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’
‘રોજા’ માટે સિનેમેટોગ્રાફી કરવાનું કામ સુપર ટેલેન્ટેડ સંતોષ સિવનને સોંપવામાં આવ્યું. મણિ રત્નમ કહે છે, ‘ફ્લ્મિ બનાવતી વખતે ડિરેક્ટરનો સૌથી નિકટનો કોઈ સાથી જો કોઈ હોય તો એ સિનેમેટોગ્રાફર છે. એ કંઈ માત્ર લાઈટિંગ અને કેમેરા એંગલ જ સંભાળતો નથી, આખેઆખી ફ્લ્મિ બરાબર બની રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં પણ મને મદદ કરે છે. મારે કોઈને કશુંક પૂછવું હોય કે કોઈનો અભિપ્રાય જાણવો હોય તો સૌથી પહેલાં હું સિનેમેટોગ્રાફરને પૂછું છું. એકટરોનો અભિનય સૂરમાં છે કે કેમ તેની ચર્ચા પણ હું સિનેમેટોગ્રાફ્ર સાથે કરું છું. જેમ ફ્લ્મિ બનાવતી વખતે સૌથી નિકટનો સાથી સિનેમેટોગ્રાફર છે તેમ ફ્લ્મિ બની ગયા પછી સૌથી નિકટ એડિટર હોય છે. મને એવા સાથીદારોની જરુર હોય છે જે મારા કરતાં કશુંક અલગ વિચારી શકતા હોય, જે મારી વસ્તુમાં નવું ઉમેરી શકતા હોય. અમે બધા એકમેકને પૂરક હોવા જોઈએ.’
મજા જુઓ. ‘રોજા’માં કાશ્મીરના આતંકવાદની વાત છે, પણ ફ્લ્મિનું શૂટિંગ કાશ્મીરમાં થયું નથી. એ વખતે ત્રાસવાદીઓએ એવો ઉપાડો લીધો હતો કે મણિ રત્નમની ઇચ્છા હોવા છતાં નછૂટકે શૂટિંગ કુનૂર, ઉટી, મનાલી વગેરે સ્થળોએ કરવું પડયું. એક સાચુકલા એન્જિનીયરને કાશ્મીરી આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને એની પત્નીએ ટેરરિસ્ટોને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખ્યો હતો તે ઘટનામાંથી મણિ રત્નમને ‘રોજા’નું વિચારબીજ સાંપડયું હતું તે સાચું, પણ ફ્લ્મિ લખતી વખતે એમના મનમાં સત્યવાન-સાવિત્રીની વાર્તા રમતી હતી. ‘રોજા’ એ આધુનિક સાવિત્રી જ છેને! પૌરાણિક કથાની સાવિત્રી યમદેવ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવે છે, જ્યારે અહીં મધુ જમ જેવા આતંકવાદીઓની ચુંગાલમાંથી અરવિંદ સ્વામીને છોડાવી લાવે છે.
તમિલ ભાષામાં બનેલી આ ફ્લ્મિ હિન્દીમાં ડબ થઈ એમાં એક મોટી ગરબડ થઈ ગઈ. મૂળ ફ્લ્મિમાં ભાષાભેદનો અને કમ્યુનિકેશન ગેપનો મુદ્દો ખૂબ સરસ રીતે ઊપસ્યો છે. મધુને તમિલ સિવાય કોઈ ભાષા આવડતી ન હોવાથી એ કાશ્મીરમાં મિલિટરીના સાહેબોને અને અન્ય લાગતાવળગતા હિંદીભાષી લોકો સાથે સીધો સંવાદ કરી શકતી નથી. ફ્લ્મિની હિન્દીમાં ડબ થઈ એટલે મધુ સહિત તમામ પાત્રોના સંવાદો હિન્દીમાં રુપાંતરિત થઈ ગયા અને કમ્યુનિકેશન પ્રોબ્લેમવાળા આખા મુદ્દાનો છેદ ઊડી ગયો. આથી હિન્દી ‘રોજા’માં અમુક દશ્યો વિચિત્ર લાગે છે. આમ છતાં આખી ફ્લ્મિ એટલી પાવરફુલ છે કે આપણને આ ક્ષતિ નડતી નથી.

‘રોજા’ બની. રિલીઝ થઈ. મણિ રત્નમને સૌથી પહેલો ફેન ગુરુ-કમ-પ્રોડયુસર કે. બાલાચંદરનો આવ્યો. સાહેબ ધૂંઆફૂંઆ થતા બોલ્યાઃ મણિ, મેં થિયેટરમાં ઓડિયન્સનાં રિએકશન જોયાં. દેશભકિતવાળા સીનમાં લોકો સીટ પરથી ઊભા કેમ થતા નથી? થવા જોઈએ! ઊભા થઈને તાળીઓ પાડવી જોઈએ. આનો મતલબ એ કે તારી ફ્લ્મિ કાચી રહી ગઈ છે! 
બીજું રિએકશન મણિ રત્નમના ફ્લ્મિમેકર ફ્રેન્ડ રામગોપાલ વર્માનું આવ્યું. કહેઃ મણિ, તારી ફ્લ્મિ તો અસહૃા છે. હું તે અધૂરી છોડીને થિયેટરની બહાર ભાગી ગયો. શા માટે? કદાચ વર્માજીને લાગ્યું કે મણિ રત્નમે ફ્લ્મિમાં લાઉડ દેશભકિતનો અતિરેક કરી નાખ્યો છે. આ હતા મણિ રત્નમને મળેલા ‘રોજા’ના સૌથી પહેલા બે પ્રતિભાવ! એ વખતે કે. બાલાચંદર કે રામગાોપલ વર્મા તો શું, મણિ રત્નમે પણ સપને નહીં વિચાર્યું હોય કે આ ફ્લ્મિ ટૂંક સમયમાં દેશભરમાં તરખાટ મચાવીને ઓલટાઈમ કલાસિક બની જવાની છે!
બારદ્વાજ રંગન નામના સિનિયર પત્રકારે ઓછાબોલા મણિ રત્નમ સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરીને ‘કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનું અફ્લાતૂન અંગ્રેજી પુસ્તક લખ્યું છે. મણિ રત્નમ અને એમના ચાહકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.
0 0 0 

Thursday, March 30, 2017

જાવેદ અલી: તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ

Sandesh - Sanskaar Purti - March 19, 2017

મલ્ટિપ્લેક્સ
બોલિવૂડમાં આજે ગાયકોની કમી નથી, પણ જાવેદ અલી એક એવો ગુણી કલાકાર છે જે લાંબી રેસનો ઘોડો છે અને એ ખૂબ લાંબી ઈનિંગ્સ ખેલવાનો છે. 


જાવેદ અલી આજની પેઢીનો સુપર ટેલેન્ટેડ પ્લેબેક સિંગર છે તે સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત હકીકત છે. ભલે હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે વર્ષો સુધી ‘સોનુ નિગમ યુગ’ ચાલ્યો હતો અને જે રીતે આજે ‘અરિજિત સિંહ યુગ’ ચાલી રહૃાો છે તે રીતે કયારેય ‘જાવેદ અલી યુગ’ આવ્યો નથી, પણ જાવેદની પ્રતિભા, એની રેન્જ અને એનાં ગીતોના લોકો દીવાના છે. એક તરફ્ એ ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ’ (જોધા અકબર) અને ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ (ગજિની) જેવાં રોમેન્ટિક ગીતો આપે છે, બીજી બાજુ ‘અર્ઝીયાં’ (દિલ્હી-સિકસ) અને ‘કુન ફાયા કુન’ (રોકસ્ટાર) જેવા હૃદય સોંસરવા ઉતરી જાય એવાં સૂફી સોંગ્સ ગાય છે, તો વળી ત્રીજી તરફ્ એ ‘નગાડા નગાડા’ (જબ વી મેટ) અને ‘ટિન્કુ જીયા’ (યમલા પગલા દીવાના) જેવા જોશીલા અને ઢીન્ચાક ગીતો પણ પેશ કરી શકે છે.
૩૪ વર્ષનો આ ગાયક મીડિયાને મુલાકાતો આપતી વખતે પોતાના ગુરુઓ અને સંગીતકારો વિશે વિસ્તારપૂર્વક વાતો કરવાનું ચૂકતો નથી. આ રસપ્રદ વાતોને અલગ તારવીને એના જ શબ્દોમાં સાંભળીએ.
ઉસ્તાદ હમીદ હુસેનઃ મારા પિતા, મારા ગુરુ
દિલ્હીના પંચકોણીયા રોડ પર આવેલી એક કોલોનીમાં મારો જન્મ. આ એરિયા કવ્વાલોના ઈલાકા તરીકે ઓળખાય છે. હું સંગીતમય માહોલમાં ઉછર્યો છું. મારા ડેડી ઉસ્તાદ હમીદ હુસેન મારા પહેલા ગુરુ છે. તેઓ મને સવારે વહેલો ઊઠાડીને રિયાઝ કરવા બેસાડી દેતા. સ્કૂલે જવાનું શરૂ કર્યું તેની પહેલાંથી મેં સંગીતનો રિયાઝ શરૂ કરી દીધો હતો. ઘરમાં બીજા કલાકારો આવે ને સંગીતની સેશન ચાલતી હોય ત્યારે હું ખૂણામાં ઊભો ઊભો જોયા-સાંભળ્યા કરતો. ડેડી મને એમની સાથે સ્ટેજ શોઝમાં લઈ જતા. મને કીર્તન અને પ્રાઈવેટ કમ્પોઝિશન્સ શીખવતા, જે હું લોકો સામે ગાતો. હું અલગ-અલગ શૈલીનું સંગીત શીખી શકું તે માટે ડેડીએ મને કેટલાય સંગીતકારો પાસે મોકલ્યો હતો. એ સૌ મારા પ્રારંભિક ગુરુઓ છે.
ગુલામ અલીઃ એમની અટક, મારી ઓળખ
વિખ્યાત પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી ખાં સાહેબ એકવાર દિલ્હી આવેલા ત્યારે ડેડી મને તેમની પાસે લઈ ગયા હતા. ગુલામ અલી ખાં સાહેબે મને સાંભળ્યો, એટલું જ નહીં, મને તાલીમ પણ આપી. નાનો હતો ત્યારે હું તેમની માફ્ક ગઝલ ગાયક બનીને સ્ટેજ શોઝ કરવા માગતો હતો. તે વખતે ફ્લ્મિોમાં ગાવાની તો કલ્પના પણ નહોતી કરી. મેં ગુલામ અલી ખાં સાહેબનો ઋણ સ્વીકાર કરવા તેમની અટક અપનાવી છે. તેથી જ હું ‘જાવેદ હુસેન’ નહીં, પણ ‘જાવેદ અલી’ તરીકે ઓળખાઉં છું.


કલ્યાણજીભાઈઃ મુંબઈ આવી જા, દોસ્ત
નાનો હતો ત્યારે દિલ્હીમાં કલ્યાણજી-આણંદજીવાળા ક્લ્યાણજીભાઈ સાથે મારી મુલાકાત થઈ હતી. એમણે મારી ગાયકી વખાણી. એ વખતે હું ટીનેજર માંડ થયો હતો ને મારો અવાજ પણ હજુ ક્રેક થયો નહોતો એટલે છોકરી જેવા અવાજમાં ગાતો હતો. એક વાર કોઈક કારણસર મુંબઈ જવાનું થયું ત્યારે ફરી કલ્યાણજીભાઈને મળ્યો. એમણે મને દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ જવાની સલાહ આપી. આવો વિચાર પણ અગાઉ કયારેય આવ્યો નહોતો. પિતાજીએ મને મુંબઈ જવાનું પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં મારા કઝિન્સ રહેતા હતા. હું થોડા વર્ષો મુંબઈ-દિલ્હી વચ્ચે આવ-જા કરતો રહૃાો. મારો કંઠ ફૂટયો અને હું પરિસ્થિતિને અલગ દષ્ટિકોણથી જોવા લાગ્યો. મેં જોયું કે પ્લેબેક સિંગિંગ એક એવું માધ્યમ છે, જેમાં તમે ભજન અને ગઝલથી લઈને રોમેન્ટિક અને રોક સુધીના તમામ પ્રકારનું ગાયન કરી શકો છો. મેં પ્લેબેક સિંગિંગ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ ર્ક્યું. કલ્યાણજીભાઈ સાથે સમય વીતાવ્યો, પ્લેબેક સિંગિંગના માધ્યમની સમજ કેળવી. મેં ગીતો ડબ કરવાનું શરૂ કર્ર્યું. (ગીત ડબ કરવું એટલે, ઘણી વાર સંગીતકાર મુખ્ય ગાયકની ગેરહાજરીમાં ગીત કોઈ અન્ય ગાયકના અવાજમાં કામચલાઉ ડબ એટલે કે રેકોર્ડ કરી લે છે. પછી મુખ્ય સિંગર પોતાની અનુકૂળતાએ આવે, ગીત નવેસરથી ગાય અને એના અવાજને અગાઉ રેકોર્ડ થઈ ચુકેલા અવાજની જગ્યાએ રિપ્લેસ કરી નાંખવામાં આવે.) મારી કરિયરનું સૌથી પહેલું ગીત મેં કલ્યાણજીભાઈના દીકરા વીજુ શાહ માટે ગાયું (ડબિંગ નહીં, પણ ફયનલ રેકોડિંર્ગ.) તે હતું ગોવિંદાની ‘બેટી નંબર વન’ (૨૦૦૦) નામની ફ્લ્મિનું ગીત, જેના શબ્દો હતા, ‘ચોરી ચોરી આંખ’. કમનસીબે આ ફ્લ્મિ વ્યવસ્થિત રીતે રિલીઝ ન થઈ શકવાથી ગીત લોકોના ધ્યાનમાં ન આવ્યું.
પ્રીતમઃ ઊંચી રેન્જ, ઊંચા ગીતો
‘બેટી નંબર વન’ પછી પણ મેં કેટલાક ગીતો ગાયાં, જેમાં ‘બન્ટી ઔર બબલી’ (૨૦૦૫)નું સુપરડુપર હિટ સોંગ’કજરારે કજરારે’ પણ આવી ગયું. મુખ્ય સ્ત્રીસ્વર આલિશા ચિનોયનો હતો અને મારી સાથે શંકર મહાદેવન પણ હતા. મારું પહેલું સોલો હિટ ૨૦૦૭માં આવ્યું, જે અબ્બાસ-મસ્તાનની ‘નકાબ’ ફ્લ્મિ માટે પ્રીતમદાએ મારી પાસે ગવડાવ્યું હતું. તે હતું ‘એક દિન તેરી રાહોં મેં… બાહોં મેં પનાહોં મેં આઉંગા.. ખો જાઉંગા… એક દિન તેરા હો જાઉંગા’. ફ્લ્મિ ખાસ નહોતી ચાલી, પણ આ ગીત ખૂબ ચાલ્યું. તે જ વર્ષે પ્રીતમદાએ મને બીજું ગીત આપ્યું, ‘જબ વી મેટ’ માટે. તે હતું, ‘નગાડા નગાડા બજા’.  ફ્લ્મિ અને ગીત બંને સુપરહિટ પુરવાર થયા.
પ્રીતમદા મારી પાસે હાઈ સ્કેલવાળા, સૂફી ફ્લેવરવાળા અને રોમેન્ટિક ગીતો ગવડાવે છે. રણબીર કપૂર-કેટરિનાની ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (૨૦૦૯)ના ‘આ જાઓ મેરી તમન્ના’ ગીતમાં મેં પહેલી વાર ફોલ્સેટોનો ઉપયોગ કર્યો. (ફોલ્સેટો એટલે પુરુષ ગાયક પોતાની નોર્મલ રેન્જ કરતાં કયાંય વધારે ઊંચી રેન્જમાં, ખૂૂબ તીણા અવાજે ગાય, તે). આજે પણ હું કોલેજોમાં આ ગીત ગાઉં છું ત્યારે જબરદસ્ત રિસ્પોન્સ મળે છે. (જાવેદ અલીએ ‘બજરંગી ભાઈજાન’ માટે ગાયેલું અને પ્રીતમે કમ્પોઝ કરેલું ‘તૂ જો મિલા’ ગીતનું અફ્લાતૂન અનપ્લગ્ડ વર્ઝન યુ-ટયૂબ પર જોજો. જલસો પડી જશે.)


એ.આર. રહેમાનઃ ડ્રીમ-કમ-ટ્રુ
હું કાયમ રહેમાનસર સાથે કામ કરવાનાં સપનાં જોયાં કરતો. મને થતું કે કયારે મને રહેમાનસર ગીત ગાવાનો મોકો આપશે અને કયારે હું એમના સ્ટુડિયોમાં રેકોડિંર્ગ કરીશ. એક વાર હું ફેમિલી સાથે વેકેશન ગાળવા ગયો હતો ત્યારે ઓચિંતા ફોન આવ્યોઃ તાબડતોબ ચેન્નાઈ આવી જાઓ. એ.આર. રહેમાન તમારી પાસે ગીત ગવડાવવા માગે છે! આ ગીત હતું, ‘જોધા અકબર’ (૨૦૦૮)નું રિતિક રોશન-ઐશ્વર્યા રાય પર ફ્લ્મિાવાયેલું ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ… ઈશ્ક યે દેખ કે હૈરાં હૈ’. આ ગીતે મારી જિંદગી પલટી નાંખી. પછીનાં વર્ષે રહેમાનસરે મારી પાસે બે ગીત ગવડાવ્યા – ‘ગજિની’નું ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ અને ‘દિલ્હી-સિકસ’નું ‘અર્ઝીયાં’. રહેમાનસર સાથેના મારા આ બધાં ગીતો એટલા સુપરહિટ નીવડયાં કે મારે ફરી કયારેય પાછા વળીને જોવું પડયું નથી.
રહેમાનસર એટલા નમ્ર માણસ છે કે નવાઈ લાગે. તેઓ કયારેય સિંગર પર દબાણ નહીં કરે. પોતાનાં કમ્પોઝિશનને જડતાથી વળગી રહેવાને બદલે તેઓ ગાયકના કર્મ્ફ્ટ ઝોનના હિસાબે ગીતની ધૂનમાં ફેરફાર કરી આપશે. એમનાં ગીતોમાં એક જાદુ હોય છે, જે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. એમની સાથેના મારા ગીતો અલગ તરી આવે છે એનું કારણ ક્દાચ એ હોઈ શકે કે એમનો અને મારો સૂફી અંદાજ મેચ થાય છે. ‘રોકસ્ટાર’નું ‘કુન ફાયા કુન’ના રેકોર્ડિંગ પહેલાં રહેમાનસરે મને કહેલું કે માઈક સામે જતાં પહેલાં તું નમાજ પઢી લે, કેમ કે આ એક પવિત્ર ગીત છે, સૂફી સોંગ છે. તે દિવસે સ્ટુડિયોમાં અમે ત્રણ જ જણ હતા – રહેમાનસર, હું અને ગીતકાર ઈર્શાદ કામિલ. સ્ટુડિયોને અંદરથી લોક કરી દેવામાં આવ્યો. મોડી સાંજે આઠ વાગે અમે રેકોર્ડિંગ શરૂ કર્યું જે બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. રહેમાનસર ઉપરાંત દક્ષિણના અન્ય સંગીતકારોએ મારી પાસે સાઉથ ઇન્ડિયન ભાષામાં પણ કેટલાય ગીતો ગવડાવ્યા છે.

ગમ્મતની વાત કહું? રહેમાનસરનો ફોન મોટે ભાગે ત્યારે જ આવે છે જ્યારે હું વેકેશન પર હોઉં છું! એક વાર હું વાઈફ્ અને મારી બે દીકરીઓ સાથે ગોવા ગયો હતો. ફોન આવ્યો કે આવતી કાલે જ રેકોર્ડિંગ છે! વેકેશનનો અધવચ્ચેથી વીંટો વાળી, ફેમિલીને મુંબઈ ડ્રોપ કરી હું બીજા દિવસે વહેલી સવારે ચેન્નાઈ પહોંચી ગયો. આવું ત્રણ વાર બન્યું છે!

અમિત ત્રિવેદી, ઇસ્માઈલ દરબાર, શાંતનુ મોઈત્રાઃ ટેલેન્ટેડ ત્રિપુટી
મને યાદ છે, ‘ઈશકઝાદે’નુું ટાઈટલ સોંગનું રેકોર્ડિંગ પૂરું થતાં જ અમિત ત્રિવેદી મને ભેટી પડયા હતા અને કહૃાું હતું, ‘બચ્ચે કી જાન લોગે કયા?’ આ સાંભળીને હું ખૂબ રાજી થયો હતો. અમિત ત્રિવેદી પણ એક એવા કમ્પોઝર છે, જે ગાયકને પોતાની રીતે ગીત એકસપ્લોર કરવા દે છે. શાંતનુ મોઈત્રા ઔર ઇસ્માઈલ દરબાર દોનોં રુહ સે કમ્પોઝ કરતે હૈં. મેં આ બંને સાથે કામ કર્યું છે અને હું દઢપણે માનું છું કે તેઓ પાવરહાઉસ કમ્પોઝર્સ છે.
આજે ભલે કૂડીબંધ ગાયકો ફૂટી નીકળ્યા હોય, પણ જાવેદ અલી એક એવો ગાયક છે બહુ લાંબો દાવ ખેલવાનો છે. થ્રી ચિયર્સ ટુ જાવેદ!

0 0 0