Sunday, October 9, 2016

મલ્ટિપ્લેકસ: પચાસ કલાકમાં પિકચર બનાવવાની કળા

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ  - ૯ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી: ટોપ ઓફ ધ વર્લ્ડ. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું?  રાજકોટની ટેલેન્ટેડ ટીમે બનાવેલી ‘ગોન વિથ ધ વિન્ડ' નામની અફલાતૂન શોર્ટ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે!


 વારથી ઝરમર ઝરમર ચાલુ છે, છતાંય ગાંધી જયંતીના દિૃવસે મુંબઈ સ્થિત ગોરેગાંવમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેની લગોલગ આવેલા નેસ્કો આઈટી પાર્કમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. વિરાટ એરકંડીશન્ડ હૉલમાં ઘુસતાં જ સામે કતારબદ્ધ ગોઠવાયેલા કમ્પ્યુટર્સ પર મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. બાજુમાં ખુરસીઓની પાછળ દૃીવાલ પર અંગ્રેજીમાં લખેલું છે: ‘ફિલ્મમેકરો આમ તો પગ વાળીને બેસતાં નથી, છતાંય જો જરાક આરામ કરવો હોય તો...' આ ખુરસીઓ દૃેખીતી રીતે જ ખાલી છે, કારણ કે એના પર બેસનારાઓ બધા હૉલની અંદૃર, વિશાળ મંચની સામે પથરાયેલા આસનો પર ગોઠવાયેલા છે. ઓડિયન્સમાં આખા દૃેશમાંથી આવેલા ઉત્સાહી જુવાનિયાઓ છે. અરે, આજે સવારે જ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી ચીનની એક ટીમ પણ છે. કમાલની યુથફુલ એનર્જી અને ઉત્તેજના હવામાં તરવરી રહી છે. મંચનાં ડિજિટલ બેકગ્રાઉન્ડ પર એકધારા બદૃલાઈ રહેલાં વિઝ્યુઅલ્સની વચ્ચે આ શબ્દૃો સતત ઊપસ્યા કરે છે:

‘ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ, સિઝન સિકસ!'

શોર્ટ ફિલ્મ્સ જોવાના અને બનાવવાના શોખીનો માટે ઇન્ડિયા ફિલ્મ પ્રોજેકટ (આઈએફપી)નું નામ જાણીતું છે. જેઓ તેનાથી પરિચિત નથી તેમણે જાણી લેવું જોઈએ કે આઈએફપી ઊભરતા, સાવ નવા નિશાળિયા અને અનુભવી શોર્ટ ફિલ્મમેકરો માટે અસ્તિત્ત્વમાં આવેલું એક અફલાતૂન પ્લેટફોર્મ છે. એકઝેકટલી શું બનતું હોય છે આ પ્રોજેકટમાં? એક તારીખ નિશ્ર્ચિતે, નિશ્ર્ચિત સમયે આઈએફપીની વેબસાઈટ ઉપરાંત ફેસબુક અને ટ્વિટર પર વિષય યા તો થીમની ઘોષણા કરવામાં આવે. આ વિષય પર તમારે પચાસ કલાકની અંદૃર ચારથી છ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી નાખવાની. ફિલ્મ તમે વિડીયો કેમેરા યા મોબાઈલ ફોન વડે  શૂટ કરી શકો છો. તમે તમારી ટીમ (ડિરેકટર,રાઈટર, સંભવિત એકટરો, એડિટર, સંગીતકાર, ગીતકાર વગેરે) પહેલેથી નક્કી કરી નાખો તે ચાલે, પણ શોર્ટ ફિલ્મનો વિષય મળી ગયા પછીના માત્ર પચાસ જ કલાકમાં તમારે યુદ્ધના ધોરણે આટલાં કામ કરી નાખવાં પડે: સ્ક્રિપ્ટ લખી નાખવાની, શૂિંટગનાં લોકેશન નક્કી કરી ત્યાં શૂિંટગ કરી નાખવાનું, આર્ટ ડિઝાઈિંનગની જરુર પડે તે કે કરી નાખવાનું, ગીત મૂકવું હોય તો ગીત લખીને કમ્પોઝ કરી નાખવાનું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવવાનું, ધડાધડ એડિિંટગ કરવાનું, ડબિંગ - કલર કરેકશન - રેન્ડિંરગ પતાવી નાખવાનું, તમારી વિડીયો ફાઈલને ૩૦૦ એમબી કરતાં ઓછી સાઈઝમાં કંપ્રેસ કરી નાખવાની અને રજિસ્ટર્ડ ઇમેઈલ આઈડી પર અપલોડ કરી દૃેવાની!

મોબાઈલ ફિલ્મની કેટેગરી આ વખતે નવી ઉમેરાઈ છે. બાકી મુખ્ય કેટેગરી આ બે: એમેટર (એટલે કે નવા નિશાળિયા) અને પ્રોફેશનલ. જો તમે ઓલરેડી અગાઉ ત્રણ શોર્ટ ફિલ્મ બનાવી ચુક્યા હો તો તમે પ્રોફેશનલ ગણાવ. ઇન્ડિયન ફિલ્મ પ્રોજેકટની લેટેસ્ટ સિઝનના આંકડા આંખો પહોળી કરી દૃે તેવા છે - દૃુનિયાભરના ૨૦ દૃેશોના ૨૬૨ શહેરોમાંથી ૨૩,૦૦૦ ઉત્સાહીઓએ (જેમના માટે હકથી ફિલ્મમેકર્સ શબ્દૃ વાપરવામાં આવે છે) ૧૨૦૦ કરતાંય વધારે શોર્ટ ફિલ્મસ આ વખતે સ્પર્ધામાં ઉતારી હતી. ગયા રવિવારે મુંબઈમાં યોજાયેલી ફુલ-ડે ઇવેન્ટમાં દિૃવસભર હાઉ ટુ ગો વાઈરલ, હાઉ ટુ મેક અ શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ એટલે એકઝેકટલી શું વગેરે વિષયો પર પેનલ ડિસ્કશન કરીને પોપ્યુલર ડિજિટલ સ્ટાર્સ, ફિલ્મમેકર્સ, ક્રિટિકસ અને રેડિયો જોકીઓએ એકધારું મંચ ગજાવ્યું. આખરે બાદૃ ભારે શોરગુલ વચ્ચે ત્રણેય કેટેગરીના વિજેતાઓ ઘોષિત થયા.
આ વખતની શોર્ટ ફિલ્મ્સની થીમ હતી: ટોપ ઓફ ધ વર્લ્ડ. ફિલ્મના એકાદૃ શોટ યા સીનમાં કોઈક રીતે કોમિકસની ચોપડીનો ઉપયોગ થવો જોઈએ એવી શરત પણ મૂકાઈ હતી. વિજેતા ઘોષિત થયેલી અમુક ફિલ્મોને જોઈને ખરેખર નવાઈ લાગે કે પચાસ જ કલાકમાં આ ઉત્સાહીઓએ શી રીતે મેનેજ કર્યું હશે આટલું બધું?



એક વિજેતા શોર્ટ ફિલ્મ ભારત અને અમેરિકા બન્નેમાં એકસાથે શૂટ થઈ છે. એક કપલ ઇન્ડિયામાં વસે છે, બીજું અમેરિકામાં. એક કપલ સંતાન માટે તરસી રહ્યું છે, જ્યારે બીજાને ટેન્શન છે કે પ્રોટેકશન રાખ્યા પછીય ક્યાંક પ્રેગનન્સી ન રહી જાય. બન્ને સ્ત્રીઓ પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા જાય છે. જે સંતાનને ઝંખે છે તે સ્ત્રીની ટેસ્ટનું રિઝહ્લટ પોઝિટિવ આવે છે, એે હરખથી રડી પડે છે, જ્યારે પ્રેગનન્સીથી બચવા માગતી સ્ત્રીનું રિઝલ્ટ નેગેટિવ આવતાં એના જીવને જબરી નિરાંત થાય છે. સિચ્યુએશન એકમેકથી સાવ વિરુદ્ધ છે, છતાંય બન્ને સ્ત્રીઓ પોતપોતાની રીતે ટોપ-ઓફ-ધ-વર્લ્ડ હોવાની લાગણી અનુભવે છે. વિષય મળતાં જ ભારતના શોર્ટ ફિહ્લમમેકરે ઝપાટાબંધ વિષય વિચારી નાખ્યો, અમેરિકા વસતા પોતાના દૃોસ્ત સાથે તે શેર કર્યો અને પછી બન્ને દૃેશોમાં સમાંતરે શૂિંટગ શરુ થઈ ગયું. બને એટલી ઝડપે અમેરિકાનું ફૂટેજ ઇન્ડિયા મોકલી આપવામાં આવ્યું, અહીં બન્ને હિસ્સાઓને વ્યવસ્થિત રીતે એડિટ કરી, ફિલ્મને અંતિમ સ્વરુપ આપી પચાસમી કલાક પૂરી થાય તે પહેલાં જ ફિલ્મ અપલોડ કરી દૃેવામાં આવી!

મોબાઈલ કેટેગરીની એક ફિલ્મ મમાં એક મજૂર કક્ષાનો માણસ રોજ એક સડકછાપ વેશ્યાને જુએ છે. તેની સાથે સમય વિતાવી શકાય તે માટે તે રોજ થોડા થોડા પૈસા બચાવે છે. આખરે પૂરતા પૈસા એકઠા થઈ જતાં એક રાત્રે એ વેશ્યાને સાઈકલ પર બેસાડીને પોતાની ખોલીમાં લાવે છે. એના માટે આ ટોપ-ઓફ-ધ-વર્લ્ડ ફીિંલગ છે! એક કયુટ દૃાદૃાજીને ગુલાબજાંબુ ગજબના ભાવે છે, પણ ડાયાબિટીસની તકલીફ હોવાથી ઘરના સભ્યોએ એમને ગુલાબજાંબુ તરફ જોવાનીય મનાઈ ફરમવી દૃીધી છે. એક દિૃવસ અચાનક એમની સામે કટોરીમાં ગુલાબજાંબુ પેશ કરવામાં આવે છે. પુત્રવધુ કહે છે: પપ્પા, આ શુગર-ફ્રી જાંબુ છે, તમતમારે બિન્દૃાસ ખાઓ. સસરાજીને જાણે જીવતેજીવ સ્વર્ગ મળી ગયું હોય એવો આનંદૃ થાય છે!

Ritam Bhatnagar


પ્રોફેશનલ કેટેગરીમાં ભલે સુપરનેચરલ થીમ ધરાવતી સાઉથ ઇન્ડિયન શોર્ટ ફિલ્મ વિજેતા ઘોષિત થઈ, પણ આ લખનાર સહિત સમગ્ર ઓડિયન્સનું દિૃલ જીતી લેનાર ફિલ્મ તો બીજા નંબરે આવેલી ‘ગોન વિથ ધ વિન્ડ છે. આ ફિલ્મ રાજકોટની ટીમે તૈયાર કરી છે. સાગર કાલરિયાએ ડિરેકટ કરેલી અને ભુમિલ સૂચકે શૂટ તથા એડિટ કરેલી આ ફિલ્મમાં પ્રેમિકાના લિપસ્ટીકના નિશાનવાળા ટિશ્યુ પેપરને બચાવવા માટે સમજોને કે પા ભાગના રાજકોટને આવરી લે એટલી લાંબી ચેઝ છે, ખડખડાટ હસવું આવે એવું હ્યુમર છે, મસ્તમજાનું જોશીલું ગીત છે અને કલાઈમેકસમાં ડ્રોન વડે લેવાયેલા અફલાતૂન શોટ્સ પણ છે! આપણને સહેજે થાય કે આ ટીમ જો માત્ર પચાસ જ કલાકમાં આટલું સુંદૃર પરિણામ લાવી શકતી હોય તો એમને જો પ્રોપર બજેટ અને પૂરતો સમય આપવામાં આવે તો તેઓ શું અચીવ ન કરી શકે? આનો જવાબ ટૂંક સમયમાં મળી જવાનો, કેમ કે આ જ  ટીમે ઓલરેડી ‘બાપ રે બાપ' નામની ફુલલેન્થ ગુજરાતી ફિચર ફિલ્મનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે. હાલ પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે.  




'ગોન વિથ ધ વિન્ડ'ની વિજેતા ટીમ સિઝન સિક્સના જ્યુરી મેમ્બર્સ સાથે (ઉપર); (નીચે) શોર્ટ ફિલ્મનું પોસ્ટર 



આઈએફપીની આગલી પાંચેય સિઝનની ફાઈનલ ગતિવિધિઓ અમદૃાવાદૃમાં થઈ હતી. આઈએફપીના સ્થાપક એટલે પ્રતિભાશાળી અને ઓછાબોલા રિતમ ભટનાગર, જેમણે ૨૦૧૧માં રુમમેટ્સ સાથે થયેલી ચર્ચા પછી એમ જ રમતરમતમાં પચાસ કલાકમાં શોર્ટ ફિલ્મ્સ બનાવવાની સ્પર્ધા તરતી મૂકી દૃીધી હતી. પહેલાં વર્ષે બધી ફિલ્મો અમદૃાવાદૃની પોળમાં જ શૂટ કરવાની હતી. ૧૧ શહેરોમાંથી આવેલા ઉત્સાહીઓએ કુલ ૮૬ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. છ જ વર્ષમાં આ આંકડો વધીને ૨૦ દૃેશો અને ૧૨૦૦ શોર્ટ ફિલ્મ્સ પર પહોંચી ગયો છે. પહેલાં વર્ષે ઇવેન્ટનું બજેટ ફકત ૩૦ હજાર હતું, જ્યારે આ વખતનું બજેટ લગભગ એક-સવા કરોડને સ્પર્શી ગયું છે. રિતમના પેશન અને આઈએફપીની આ છ વર્ષની યાત્રા વર્ણવવા માટે અલાયદૃો લેખ કરવો પડે.

‘આપણામાંથી કેટલાય લોકોના મનમાં ક્યારેક તો એકાદૃી ફિલ્મ બનાવી નાખવાનો વિચાર જરુર આવી જતો હોય છે,'  રિતમ ભટનાગર કહે છે, ‘અમે આ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. શક્ય છે કે આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હોય. બટ સો વોટ? ઉત્તમ અને નવા સ્ટોરીટેલર્સ આ જ રીતે બહાર આવવાના.'

આટલાં વર્ષોની તમામ વિજેતા ફિલ્મો આઈએફપીની વેબસાઈટ પર જોઈ શકાય છે. આવતા વર્ષની કોમ્પીટીશનમાં ભાગ લેવો હોય તો અત્યારથી તમારી ટીમ એકઠી કરવાની તજવીજ શરુ કરી દૃેજો!

0 0 0

Thursday, October 6, 2016

ટેક ઓફઃ ફેસ ટ્રાન્સપ્લાન્ટઃ ચહેરે પે ચહેરા

Sandesh - Ardh Saptahik Purti - Sept 21, 2016
ટેક ઓફ
એક ફ્રેન્ચ મહિલા બેહોશી પછી ભાનમાં આવીને જુએ છે કે એનાં હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ માત્ર માંસના લોચા બચ્યા છે, કેમ કે આ અંગો એના પાલતુ કૂતરાએ ચાવી નાખ્યાં હતાં! સ્ત્રીના ચહેરા પર કોઈ અન્ય મૃતક મહિલાનાે ચહેરો ફિટ કરવામાં આવે છે. પેશ છે, દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટની રોમાંચક કથા!

દુનિયાભરના અખબારો અને માધ્યમોમાં તાજેતરમાં એક નાની ન્યૂઝ આઈટમ છપાઈ હતીઃ દુનિયાનું સૌથી પહેલું ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી ફ્રેન્ચ મહિલા ઇસાબેલ ડિનોરીનું અવસાન. ટ્રાન્સપ્લાન્ટ કરેલો ચહેરો જળવાઈ રહે તે માટે એ જે ભારે દવા લઈ રહી હતી તેની આડઅસર રૂપે થયેલા કેન્સરથી એ મૃત્યુ પામી છે!
ફેસ ટ્રાન્સપ્લાન્ટ એટલે, સાદી ભાષામાં, એક માણસનો ચહેરો ઉખાડીને બીજા માણસના ધડ પર ફ્ટિ કરી દેવો! શંકર ભગવાને ક્રોધાવેશમાં પોતાના પુત્ર ગણેશનો શિરચ્છેદ કર્યા બાદ ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે હાથીનું માથું ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. આને ફેસ ટ્રાન્સપ્લાન્ટનો આ સમગ્ર સૃષ્ટિનો સર્વપ્રથમ કેસ કહી શકાય! આટલાં વર્ષોમાં મેડિકલ સાયન્સે એટલો બધો વિકાસ કર્યો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે સાંભળતી વખતે આપણને હવે ખાસ નવાઈ લાગતી નથી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ આજેય આપણા માટે એક કૌતુકભરી વસ્તુ છે. આજ સુધીમાં દુનિયામાં બહુ ઓછા ફેસ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો થયા છે. હોલિવૂડની સાયન્સ ફ્કિશન થ્રિલર ‘ફેસ ઓફ્’માં ફેસ ટ્રાન્સપ્લાન્ટના વિષયને રોમાંચક રીતે બહેલાવવામાં આવ્યો હતો. તેમાં ચહેરાઓની અદલાબદલી થવાથી ગુંડો નિકોલસ કેજ, પોલીસ જોન ટ્રવોલ્ટા બની જાય છે અને પોલીસ જોન ટ્રવોલ્ટા, ગુંડો નિકોસલ કેજ બની જાય છે! અહીં કેવળ ચહેરા જ નહીં, આઇડેન્ટિટી ટ્રાન્સપ્લાન્ટની પણ વાત હતી.
આપણે જેની વાત માંડી છે એ ઈસાબેલ નહોતી ચોર કે નહોતી પોલીસ. એ બાપડી સીધીસાદી ડિવોર્સી મહિલા હતી, જે ઉત્તર ફ્રાન્સના એક નગરમાં બે દીકરીઓ અને લાબ્રાડોર બ્રાન્ડના કૂતરા સાથે રહેતી હતી. આર્થિક હાલત જરાય હરખાવા જેવી નહીં. એ કાપડ વેચવાનું કામ કરતી ને વચ્ચે વચ્ચે બેકારી પણ ભોગવી લેતી. એક તો પર્સનલ લાઈફ્માં સ્થિરતા નહીં. ઉપરથી આર્થિક ભીંસ. ઇસાબેલ ડિપ્રેશનનો ભોગ બની ગઈ. એના દિમાગમાં પેદા થયેલા કેમિકલ લોચા અંકુશ હેઠળ રહે તે માટે સાઈકિઆટ્રિસ્ટે એને કેટલીક દવાઓ લખી આપી હતી.
ઇસાબેલને ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર કેમ પડી? ૨૦૦૫ની આ વાત છે. ૩૮ વર્ષની ઇસાબેલ અને તેની દીકરીઓ વચ્ચે કોઈક વાતે રમખાણ ફટી નીકળ્યું. ઓલરેડી તીવ્ર ડિપ્રેશન અનુભવતી રહેલી ઇસાબેલે તે રાત્રે ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી. તંદ્રાવસ્થામાં એ સંતુલન ગુમાવીને ધડામ કરતી પડી. કશીક વસ્તુ એના ચહેરા પર જોરથી અથડાઈ ને એ બેભાન થઈ ગઈ. બીજા દિવસે સવારે કૂતરો આદત મુજબ રૂમમાં આવ્યો ત્યારે એણે ઇસાબેલને વિચિત્ર રીતે નીચે પડી હતી. કૂતરાએ રોજની જેમ એને જગાડવાની કોશિશ કરી. ઇસબેલા તરફ્થી કોઈ પ્રતિક્રિયા ન આવી. કૂતરાએ એના ચહેરા પર જીભ ફેરવવા માંડી. હજુય કોઈ પ્રતિક્રિયા ન મળી એટલે ઘાંઘો થયેલો કૂતરો ઇસાબેલાને જગાડવાની લાહૃામાં એના ચહેરાને વધારે ને વધારે જોરથી ચાટવા ને ચૂંથવા લાગ્યો. શકય છે કે ઇસાબેલાના ચહેરા પર બાઝેલું લોહી કૂતરાના પેટમાં ગયું હોય. કૂતરો આખરે તો માંસાહારી પ્રાણી જને. એ ક્રમશઃ વધુ ને વધુ આક્રમક બનતો ગયો. એણે ઇસાબેલાના આખેઆખા હોઠ, ગાલ, નાક અને હડપચી બહુ જ ગંદી રીતે કરડી ખાધા!

બીજા દિવસે સવારે ઇસાબેલ ભાનમાં આવી. દવાની અસર હતી અથવા ચહેરો બધિર થઈ ગયો હતો, પણ ઉઠતાવેંત ઇસાબેલને પીડા ન થઈ. એણે ઉઠતાવેંત આદત મુજબ અધખૂલી આંખે સૌથી પહેલું કામ બાજુમાં પડેલા સિગારેટનું પાકિટ અને લાઈટર હાથમાં લઈને સિગારેટ સળગાવાનું કર્યું. સિગારેટ મોંમાં મૂકવાની કોશિશ કરી, પણ સિગારેટ પડી ગઈ. એનું ધ્યાન બાજુમાં ભરાયેલા લોહીના ખોબોચિયા પર પડયું. આખરે એને ભાન થયું કે એના ચહેરા પર હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ ફ્કત માંસના લોચા જ રહી ગયા છે!
ઘરમાં આટલું બધું થઈ ગયું ત્યાં સુધી દીકરીઓને કશી ખબર જ ન પડી. આખરે એમણે માને હોસ્પિટલભેગી કરી. કેસ એટલો ગંભીર હતો કે બે દિવસ પછી એને વધારે અદ્યતન એવી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીંના ફેસિયલ સર્જરી વિભાગના વડા ડો. બર્નાર્ડ ડેવશેલે ઇસાબેલની હાલત જોઈને ઝડપથી નક્કી કરી નાખ્યું કે આ કેસમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા સિવાય છૂટકો નથી.
સૌથી પહેલાં તો, આ સર્જરી અત્યંત કઠિન પુરવાર થવાની હતી. બીજું, સર્જરી પછી શકય છે કે ઇસાબેલનું શરીર અન્ય કોઈ વ્યકિતના અંગો ન સ્વીકારે, તેને રિજેકટ કરી નાખે. આવું ન થાય તે માટે ઇસાબેલાએ આખી જિંદગી ખૂબ ભારે કહેવાય એવી દવા લેતા રહેવું પડે. આ દવાની સંભવિત આડઅસરો ખતરનાક હતી. ઇસાબેલ તેના માટે તૈયાર છે કે કેમ તે સૌથી પહેલાં જાણવું પડે. ઉપરાંત, નવા ચહેરાને લીધે એને માનસિક સ્તરે નવા કોમ્પ્લિકેશન્સનો સામનો કરવો પડે. શું ઇસાબેલમાં શારીરિક ઉપરાંત માનસિક પડકારો પણ ઝીલી શકવાની તાકાત હતી? આ નક્કી કરવા માટે એને સકાએટ્રિસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવી. જાતજાતના સાઈકોલોજિકલ ટેસ્ટ્સ લેવામાં આવ્યા. હાલત જરા ઠીક-ઠાક થઈ જતાં એને એના ઘરે મોકલી દેવામાં આવી. ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે નહીં તેનો અંતિમ નિવેડો આવવાનો હજુ બાકી હતો.
અચ્છા, પેલા વિલન કૂતરાનું પછી શું થયું? આટલો મોટો કાંડ કર્યા પછી તે ખુદ બીમાર પડી ગયો હતો એટલે એને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવેલો. એ કોઈ વાઇરસનો ભોગ બની ગયો હતો, એને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ્ને લીધે ખૂબ પીડાઈ રહૃાો હતો. બે અઠવાડિયા પછી એના પર યુથનેશિયા કરવામાં આવ્યું એટલે કે તબીબો દ્વારા કાયદેસર રીતે તેનો જીવ લઈ લેવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ઇસાબેલાને આ વાતની ખબર પડી ત્યારે એ દુઃખી દુઃખી થઈ ગઈ હતી. પોતાનો ચહેરો ચાવી જનાર કૂતરા તરફ્ એના મનમાં કોઈ રોષ નહોતો. ઊલટાનું એ તો બધાને કહૃાા કરતી હતી કે આ તો એક એકિસડન્ટ હતો. એ થોડું જાણી જોઈને મારું મોઢું ખાઈ ગયેલો? એ મને ઉઠાડવા માગતો હતો ને હું કોઈ રિસ્પોન્સ નહોતી આપતી એટલે એ અગ્રેસિવ થઈ ગયો, એટલું જ! કૂતરો મરી ગયો પછી ઇસાબેલએ હોસ્પિટલના બિછાનાની બાજુમાં કૂતરાની તસવીર સુધ્ધાં રાખી હતી! આ બાજુ, ઇસાબેલના સંભવિત ફેસ ટ્રાન્સપ્લાન્ટની વાત મીડિયામાં આવવા લાગી ત્યારે શેલ્ટર હોમના સ્ટાફ્ને ખબર પડી આપણે જેનો જીવ લીધો એ જ કૂતરાએ ઇસાબેલની હાલત ખરાબ કરી નાખી હતી!

આખો દિવસ મોં પર માસ્ક બાંધી રાખતી ઇસાબેલ હિંમત કરીને અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી હતી, પણ કયારેક ઓચિંતા કાચ પર પોતાનું પ્રતિબિંબ દેખાઈ જતું તો એ છળી ઉઠતી. આથી ઘરની દીવાલો પરથી કાચની તમામ વસ્તુઓ ઉતારી લેવામાં આવી. ઇસાબેલએ વિચાર્યું કે આ રીતે મરી મરીને જીવવા કરતાં ફેસ ટ્રાન્સપ્લાન્ટનું જોખમ લેવામાં શું ખોટું. એ સર્જરી માટે તૈયાર થઈ ગઈ. એના સકાએટ્રિસ્ટે પણ લીલી ઝંડી દેખાડીને કહૃાું કે ઇસાબેલ હવે મનોવૈજ્ઞાાનિક સ્તરે આ પગલું ભરવા સજ્જ છે.
ઇસાબેલ તો રેડી હતી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ ડોનર પણ મળવી જોઈએને? ફ્રાન્સની હોસ્પિટલોમાં સંદેશો પ્રસરાવવામાં આવ્યો કે આ પ્રકારના કેસ માટે લાયક કેન્ડિડેટ મળે તો સત્વરે જાણ કરવી. બે-અઢી મહિને બાજુના ટાઉનની એક હોસ્પિટલમાંથી મેસેજ આવ્યોઃ અમારી પાસે મેરેલિન ઓબર્ટ નામની એક બ્રેઈન-ડેડ મહિલા છે. એણે ગળાફંસો ખાઈને આત્મહત્યા કરી છે. તમે ઇચ્છો તો ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે એનો ચહેરો વાપરી શકો છો. મૃતક મહિલાનો ફેટોગ્રાફ્ ઇમેઇલમાં મગાવવામાં આવ્યો. ઇસાબેલ સાથે આ મહિલાનો ચહેરો મેચ થતો હતો એટલે ડો. ડેવશેલે સહેજ પણ સમય બગાડયા વગર તાત્કાલિક ફેસ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની તૈયારી આરંભી દીધી.
૨૭ નવેમ્બર ૨૦૦૫ના રોજ સર્જરી થઈ. મૃતકના ચહેરા પરથી નાકના મૂળથી લઈને ગાલ, નાક અને હડપચી સહિતનો ત્રિકોણાકાર હિસ્સો ચીરી લઈ ઇસાબેલના ચહેરા પર જડી દેવામાં આવ્યો. ઓપરેશન લાગલગાટ પંદર કલાક ચાલ્યંુ. સર્જરી સફ્ળ થતા જ દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટના સમાચાર વાયુવેગે આખી દુનિયામાં ફ્રી વળ્યા. એક બાજુ મેડિકલ સાયન્સના આ અદ્ભુત અને અભૂતપૂર્વ ચમત્કારને વધાવી લેવામાં આવ્યો, તો બીજી બાજુ કન્ટ્રોવર્સી પેદા થઈ ગઈ. નીતિમત્તાના સવાલો ખડા થયા. ઇસાબેલ જેવી આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલી અને નાજુક માનસિક હાલત ધરાવતી મહિલા શી રીતે નક્કી કરી શકે કે ફેસ ટ્રાન્સપ્લાન્ટ જેવી જોખમી સર્જરી કરાવવી કે નહીં? અધૂરામાં પૂરું, તમે જે લેડીનો ચહેરો એના ધડ પર ચોંટાડયો છે એ પણ આપઘાત કરીને મૃત્યુ પામી હતી. આવી સ્ત્ર્રીનો ચહેરો ઈસાબેલ રોજ અરીસામાં જોશે તો એના મન પર કેવી અસર થશે? આ આખા મામલામાં કમર્શિયલ એંગલ પણ છુપાયેલો હતો. ફેસ ટ્રાન્સપ્લાન્ટની આખી વિધિની ડોકયુમેન્ટરી ફ્લ્મિ બનાવવાના અને સર્જરી પછીના ઇસાબેલની નવા ચહેરાવાળી તસવીરોના એકસકલુઝિવ રાઈટ્સ જુદી જુદી એજન્સીઓને તોતિંગ રકમ વસૂલ કરીને વેચવામાં આવ્યા હતા. કહેનારાઓનું કહેવું હતું કે આવા જીવન-મરણના મામલાને કમાણીનું સાધન ક્ેવી રીતે બનાવી શકાય?
ખેર, સર્જરી પછી ઇસાબેલ પોતાના નવા ચહેરા સાથે ધીમે ધીમે એડજસ્ટ થવા માંડી હતી. ક્રમશઃ સર્જરીના નિશાન ભૂંસાવા લાગ્યા. શરૂઆતમાં નવા ચહેરા પર કોઈ જાતની સંવેદવાઓ જાગતી નહોતી, પણ ઘીમે ધીમે સેન્સેશન્સ પેદા થવા માંડયા. એ ખાઈ શકતી, અસ્પષ્ટ સ્વરે બોલી શકતી, સ્માઈલ કરી શકતી, મોં મચકોડી શકતી. એને ફરિયાદ એક જ વાતની હતીઃ હું કોઈને કિસ કરું છું ત્યારે મને કશું ફ્ીલ થતું નથી!
વર્ષો વીતતા ગયા. ઇસાબેલનું શરીર બહારથી ફ્ટિ કરેલા અંગોને રિજેકટ ન કરી નાખે તે માટે જરૂરી ગણાતી દવા ખાતી રહી. આખરે જેનો ડર હતો એવું જ થયું. દવાની સાઈડ ઇફેકટ રૂપે ઇસાબેલના શરીરમાં કેન્સરના કોષો પેદા થયા. એને વારાફ્રતી બે કેન્સર થયા. ૨૨ એપ્રિલે એનું મૃત્યુ થયું. એનો પરિવાર પ્રાઇવસી ઇચ્છતો હતો તેથી વાત મૃત્યુ ગુપ્ત રાખવામાં આવ્યું. આખરે આ મહિનાના પ્રારંભમાં મીડિયા સમક્ષ ઇસાબેલના મોતની વાત જાહેર કરવામાં આવી.
ઈસાબેલ પાર્શિયલ કે ફુલ ફેસ ટ્રાન્સપ્લાન્ટના મામલામાં હંમેશ માટે એક મજબૂત રેફરન્સ પોઇન્ટ તરીક્ે યાદ રહેશે. આ આખી ક્થાનો સાર એક જ છેઃ ઘરમાં ઉત્સાહી કૂતરા હોય તો આપઘાતના પ્રયાસ ન કરવા!
0 0 0 

તમે રોજ ડાયરી લખો છો?

Sandesh - Ardh Saptahik Purti - Oct 5, 2016
ટેક ઓફ
'રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે.’

૧૯ એપ્રિલ, ૧૯૨૯
૩-૩૦ વાગે ઊઠયો. પ્રાર્થના પહેલાં ‘યંગ ઇન્ડિયા’ કર્યું. પાછું એનિમા (લીધા) પછી પણ કર્યું. છ વાગે કૂચ કરી નવ વાગે મુકામ કર્યો. ખાવાપીવા ઉપરાંતનો સમય ત્રણ વાગ્યા લગી ‘યંગ ઇન્ડિયા’ને આપ્યો. ત્રણ વાગે કાંત્યું અને કોઈ  સાધ્વી સાથે વાતો કરી. પાંચ વાગે કૂચ કરી. દસ વાગે મુકામે પહોંચ્યા. ટપાલ વાંચી પ્રાર્થના કરી. ૧૦-૪૫ વાગ્યા છે.
તાર ૨૧૭ કાંત્યા.
                                                              0 0 0 
૬ મે, ૧૯૨૯
રોજનીશી લખ્યા પછી રાત્રે પ્રાર્થના પછી નવ વાગ્યા સુધી લખ્યું. આજે (મધરાતે) સાડાત્રણ વાગે આંખ ખુલી પણ ઊંઘ હતી તેથી સૂતો રહૃાો. પરિણામે ૪-૨૦ વાગે આંખ ઊઘડી. પ્રાર્થના ઇત્યાદિ પછી કાગળો લખવા બેઠો. ‘નવજીવન’નું લખ્યું. ૧૧ વાગે ટપાલ રવાના કરી. પછી કાંત્યું ને કાંતતાં પ્રભાવતીના શ્લોક સાંભળ્યા. પછી સૂતો, ઊઠીને પાછા કાગળો લખ્યા. સાતવળેકરનો એકાદશીનો ઉપવાસનો નિબંધ પૂરો કર્યો.
૪-૩૦ વાગે ખાધું. પછી ટહેલ્યો. સાત વાગે પ્રાર્થના કરી. ૭-૧૫ વાગે મૌન ખોલ્યું ને તુરંત સભામાં ગયો. ત્યાંથી રવાના થયા. રસ્તામાં રૂ. ૧૦૦૦ એક હજાર ઉઘરાવી ૯ માઈલ દૂર ગોદાવરી તીરે મુસાફ્રી બંગલામાં ઊતર્યા.
હવે ૮-૫૦ થયા છે.
તાર ૨૨૫ કાંત્યા.
                                                   0 0 0 
આ ગાંધીજીના શબ્દો છે. ૧૯૨૮-‘૨૯ દરમિયાન આંધ્રપ્રદેશની યાત્રા દરમિયાન તેમણે પોતાની પર્સનલ ડાયરીમાં આ પ્રમાણે એન્ટ્રી કરી છે. પર્સનલ ડાયરી માટે ગાંધીજી રોજનીશી શબ્દ વાપરતા. તેમાં આખા દિવસમાં  શું બન્યું અને શું કર્યું તેના વિશે ટૂંકી નોંધ લખતા. લાંબાં લાંબાં વર્ણનો નહીં, પણ ફ્કત પોઈન્ટ્સ ટપકાવ્યા હોય તેવા સીધા ને સટ ઉલ્લેખો.
ત્રિદીપ સુહૃદે  ગાંધીજીની અંગત ડાયરીને કેન્દ્રમાં રાખીને ‘રોજનીશી’ નામના એક સુંદર પુસ્તકનું સંપાદન કર્યું છે. ગાંધીઆશ્રમના અંતેવાસી કુસુમબહેન હ. દેસાઈએ લખેલી ડાયરી અને નોંધોનો આધાર આ પુસ્તક તૈયાર કરતી વખતે લેવામાં આવ્યો છે. આ પુસ્તક્માં છપાયેલી સામગ્રીનો સમાવેશ ‘ગાંઘીજીનો અક્ષરદેહ’ના તોતિંગ સંગ્રહમાં થયો નથી. તે હિસાબે ૨૦૧૪માં છપાયેલું આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.

સંપાદક લખે છે, ‘ગાંઘીજી માટે રોજનીશી લલિતગદ્યનો સાહિત્યિક પ્રકાર નથી, (પણ) તેમાં કળાનો અભાવ છે તેમ માનવાની ભૂલ ન કરવી. રોજનીશી સત્યને સાક્ષી માનીને જાતનો હિસાબ આપવાની, રાખવાની મથામણ છે. સત્યને સાક્ષી રાખવું તેથી વિશેષ કોઈ કળા સંભવી ન શકે. સતત, નિરંતર જાગૃતિ એ ગાંધીજીની સત્ય સાધના અને સ્વરાજ સાધનાનું અભિન્ન અંગ છે. આ સાધનાનું એક સાધન તે રોજનીશી.’
આપણામાંથી ઘણાને ડાયરી લખવાની આદત હશે. કોઈએ કદાચ ભૂતકાળમાં રોજનીશી લખી હશે. ઘણા લોકો રોજેરોજ નહીં પણ મરજી પડે ત્યારે, કયારેક કયારેક, ખાસ કરીને મન વધુ પડતા સુખ કે વધુ પડતી પીડાથી છલકાઈ રહૃાું હોય ત્યારે ડાયરી પાસે જાય છે. ડાયરીમાં મન ઠાલવી દેવાથી હળવાફ્ુલ થઈ જવાય છે તે હકીકત છે. ડાયરી આપણો  ઉત્તમોત્તમ અને સૌથી વિશ્વાસુ સાથી બની શકે છે તે પણ સત્ય છે. આમતેમ ઘુમરાતા વિચારો કાગળ પર ઊતરે ત્યારે ઘણી બઘી માનસિક સ્પષ્ટતાઓ થઈ જતી હોય છે. ધારો કે મૂંઝવણનો ઉકેલ ન મળે તો આપણને  એકઝેકટલી આ પ્રકારની ગૂંચવણ છે તે તો સ્પષ્ટ થઈ જ જાય છે.
જોકે ગાંઘીજીનો રોજનીશી લખવાનો અપ્રોચ સાવ જુદો છે. તેમના માટે ડાયરી એ આત્મપૃથક્કરણ કરવાની જગ્યા નથી. મનમાં જાગેલા તરંગો કે ‘બ્રાઈટ આઈડિયાઝ’ કે વિચારકણિકાઓ સાચવી રાખવા માટે તેઓ ડાયરીનો ઉપયોગ કરતા નથી. બીજાઓને કે ખુદને પ્રભાવિત કરી નાખવાનો ઉદ્દેશ તો ભૂલેચૂકે પણ નથી. ગાંઘીજીની રોજનીશી એટલે બિલકુલ મેટર-ઓફ્-ફેકટ લખાણ. જાણે હિસાબકિતાબની ચોપડી જોઈ લો. ‘આજે શાકભાજીમાં ૧૫૦ રૂપિયા ખર્ચ્યા, ૮૦૦ રૂપિયાનું દૂધવાળાનું બિલ ભર્યું, ઓફ્સિમાં મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી’ –  બસ, લગભગ આવા જ ઢાળમાં દિવસભર જે કામ કર્યું હોય તેવી નોંધો ગાંધીજી લખી છે. રમણીકલાલ મોદી નામના આશ્રમવાસીને ગાંધીજીએ એક પત્રમાં કહેલું:
‘સારી રોજનીશી રાખવી એમાં તો કળા છે અને રાખનારને તથા આશ્રમને એમાંથી ઘણું મળી રહે છે. (રોજનીશીમાં) થોડા શબ્દોમાં મનુષ્ય પોતાની દિનચર્યા આપી શકે અને પોતે કરેલા કામનું ટૂંકુ વર્ણન કરી શકે.’
અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ દરેક ચળવળકાર અને સ્વરાજવાદીને રોજનીશી રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે કહેલું:
‘જે વેપારી હમેશનો હિસાબ કાઢયા વિના સૂએ તે કોઈ દહાડે દેવાળું કાઢે. જે પ્રભુ પ્રાર્થના વિના, સંધ્યા સ્નાનાદિ વિના દહાડો ગાળે તે પ્રભુનો ચોર બને અને આત્માને ઓળખતાં જ ન શીખે. (તેથી) જે સ્વરાજવાદી સ્વરાજ્ય લેવાનો રસ્તો અસહકાર છે એમ સમજે છે તે હંમેશાં હિસાબ કરે.’
શાનો હિસાબ? પોતાના પ્રયત્નોમાં કોઈ ઊણપ તો રહી નથી ગઈ ને તે બાબતે સતત જાગૃતિ રાખવાનો હિસાબ. રોજનીશી માટે ગાંધીજીએ ‘ચોકીદાર’ શબ્દ વાપર્યો છે. અંગત ડાયરીને આપણે એક પ્રકારનો સીસીટીવી કેમેરા સમજી લેવો જોઈએ, જે આપણા પર સતત તકાયેલો રહે છે. દિવસના અંતે આપણે તેની પાસે જવાનું છે અને રિવાઈન્ડ કરીને આખા દિવસમાં મેં શું કર્યું ને શું ન કર્યું તે તટસ્થપણે જોવાનું છે. ગાંઘીજીએ એક વાર પોતાના ભત્રીજા નારણદાસ ગાંધીને પત્રમાં લખ્યું હતું:
‘રોજનીશીનો વિચાર કરતાં જોઉં છું કે મારે સારું તો એ અમૂલ્ય વસ્તુ થઈ પડી છે. જે સત્યને આરાધે છે તેને સારું તો તે ચોકીદાર થઈ પડે છે. કેમ કે તેમાં સત્ય જ લખવું છે. આળસ કરી હોય તો તે લખ્યે છૂટકો. કામ ઓછું કર્યું હોય તો લખ્યે છૂટકો. આમ તે અનેક રીતે મદદગાર  થઈ પડે છે. તેથી સહુ તેની કિંમત સમજે તે આવશ્યક છે. તે નિયમિત શરૂ કર્યા પછી આપણને પોતાની મેળે સૂઝે છે કે શું ને કેવી રીતે લખવું. હા, એક શરત છે. આપણે સાચા થવું છે. જો તે ન હોય તો રોજનીશી ખોટા સિક્કા જેવી થઈ પડે છે. જો તેમાં સાચું જ હોય તો સોનાની મહોરથી કીમતી છે.’

ડાયરીમાં રોજેરોજ એકની એક વસ્તુ લખવાનો કંટાળો ન આવે? સવારે આટલા વાગે ઊઠયો, ચા-નાસ્તો પતાવી ઓફ્સિ કે દુકાન કે કોલેજ ગયો, ફ્લાણાં ફ્લાણાં કામ કર્યાં, સાંજે ઘરે આવી ઘરના સભ્યો સાથે વાતો કરતાં કરતાં જમ્યો ને પછી ટીવી જોઈને સૂઈ ગયો – જો રોજનીશીમાં આવી બધું યાંત્રિકપણે લખવાનું હોય તો એનો મતલબ શો છે? ગાંધીજી પાસે આનોય જવાબ છે. કાશીનાથ ત્રિવેદી નામના અંતેવાસીને તેમણે એક પત્રમાં લખેલું:
‘રોજનીશીમાં ભલે ને એ જ વસ્તુ રોજ આવે, એ તેની મહત્તા છે જો તે શુદ્ધ હોય તો. જેનું જીવન સૂર્યમંડળની જેમ ચાલે છે એવું જે પુરુષ નોંધી શકે તેને ધન્ય છે.’
અલબત્ત, ભૌતિક ક્રિયાઓ સિવાયની વાતો રોજનીશીમાં અવશ્ય નોંધાવી જોઈએ. વાત આખરે તો આત્મશુદ્ધિની, ખુદને વધારે સારા બનાવવાની છે. ગાંધીજી એક જગ્યાએ લખે છેઃ
‘રોજનીશીમાં દરેક પ્રકારનું કામ લખવાની આવશ્યકતા છે એમ મને લાગે છે, પણ આઠ કલાક ઉપરાંતનું અથવા સામાજિક કાર્ય બહારનું ન લખવા ઇચ્છે તો તેને ફ્રજ ન પડાય. પણ એવા માણસને વિશે હું એમ કહું કે, એેને વિચાર પણ કરતાં નથી આવડતા.’
ડાયરી લખતી વખતે ઘણી વાર આપણે ખુદને ધીબડવા લાગતા હોઈએ છીએ. હું કેટલો પાપી કે નાલાયક કે કમનસીબ છું એવા બખાળા કાઢવા બેસી જતા હોઈએ છીએ. આનાથી ઊલટું, હું કેટલો મહાન, અસાધારણ અને સ્પેશિયલ છું એ પ્રકારના આત્મપ્રશસ્તિના પૂર પણ કયારેક ડાયરી લખતાં લખતાં વહાવી દેતા હોઈએ છીએ. ગાંધીજી કહે છે કે રોજનીશી જીવનના રંગ, મનોભાવની નોંધ માટે નથી. રોજનીશીમાં કોઈની ટીકા કરવી નહીં. પોતાની જાતની પણ નહીં અને બીજાઓની તો બિલકુલ નહીં. અમુક વસ્તુ કરવામાં હું ગાફેલ રહૃાો તેની માત્ર નોંધ લઈ લઈએ એટલંુ પૂરતું છે. ડાયરી એટલે આમ તો ખુદના વ્યકિતત્વમાં ક્રમિકપણે આવેલાં પરિવર્તનોનો આલેખ, પણ જો રોજનીશી લખનારને આ પરિવર્તન કળાતું ન હોય તો? ગાંધીજી કહે છે કે રોજનીશીનું મુખ્ય કામ સાક્ષીપણાનું છે. આથી જ્યાં સુધી સત્યને સાક્ષી રાખવું હોય ત્યાં સુધી રોજનીશી રાખવી જરૂરી છે. ગાંધીજી એક પૃચ્છાના ઉત્તરમાં કહે છેઃ
‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે. કેમ કે તે આપણા દોષની સાક્ષી રૂપે રહેશે. તેમાં (આપણે) કરેલા દોષની નોંધ આવવી જ જોઈએ. તેના પર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર હોય જ. ‘આજે ‘ક’ને છેતર્યાે’, આટલો ઉલ્લેખ બસ છે. ‘આ બહુ ખોટું થયું’, ‘રે મન, હવે એમ ન કરવુ’ વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાની સ્તુતિના વચન લખવાના હોય જ નહીં. કરેલા કામની ને કરેલા દોષોની નોંધ રોજનીશીમાં લેવી ઘટે.’
૧૭ માર્ચ ૧૯૩૦ના રોજ સાથી યાત્રીઓ સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહેલું:
‘આપણી તો આ ધર્મયાત્રા છે અને ધર્મયાત્રામાં આપણી એકપણ ક્ષણ નકામી ન જવી જોઈએ… દરરોજ કેટલું (રૂ) કાંત્યું તેનો હિસાબ રાખવો, પ્રાર્થનાનો સમય જાળવવો એ બધું મેં યરવડા જેલમાં બેઠાં બેઠાં વિચારી લીધું. આપણાથી દિવસમાં એકપણ કાર્ય એવું ન થાય જેથી આપણને શરમાવું પડે – અને એ પ્રતિક્ષણ આત્મશુદ્ધિ અને આત્મપરીક્ષણમાં ન જતી હોય ત્યાં સુધી શી રીતે થાય? એથી જ રોજનીશી એ આપણા જીવનમાં એક આવશ્યક અંગ છે.’
પરફેકટ! તો હવે તમે કયારથી રોજેરોજ, નિયમિતપણે ડાયરી લખવાનું શરૂ કરો છો, કહો તો?
0 0 0 

Saturday, October 1, 2016

'રોંગસાઈડ રાજુ' - A Facebook Post


(A Facebook post, sometime in October)


'રોંગસાઈડ રાજુ' વિશે ભારોભાર ઉત્કંઠા હોવા છતાં ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈમાં ગોઠવાયેલાં ત્રણ પૈકીના એકેય સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જઈ શકાયું નહોતું. મનમાં હતું હતું કશો વાંધો નહીં, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ખેલ પાડી દઈશું. ઈન્સિડન્ટ્લી ફર્સ્ટ અને સેકન્ડ ડે પણ કોરા ગયા. આખરે રવિવારે બપોરે સપરિવાર ફિલ્મ જોઈ ત્યાં સુધીમાં ફેસબુક પર ફિલ્મના રિવ્યુઝનો મહાસાગર ઊછળી ચુક્યો હતો. કશો વાંધો નહીં. મોડા તો મોડા, આ રહી 'રોંગસાઈડ રાજુ' માટેની મારી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા હં, રિવ્યુ નહીં.
તમે ઓફિશિયલ રિવ્યુઅર હો એટલે ફિલ્મ જોતી વખતે અને રિવ્યુ લખતી વખતે તટસ્થતાની હેલ્મેટ પહેરી લેવી પડે અને કોણ જાણે કેટલી જાતના માપલા ને કાટલા ને સરખામણીનો ડેટા ને રેફરન્સીસનો આખો કોથળો માથા પર ઊંચકી રાખવો પડે. મોટા ભાગના કેસમાં આ જરૂરી હોય છે. વર્ષો સુધી રિવ્યુઝ લખ્યા છે એટલે આ વાત સારી રીતે સમજું છું. સાથે સાથે એવું પણ દઢપણે માનું છું કે દરેક ફિલ્મ પોતાનું આગવું વાતાવરણ, આગવી સેન્સિબિલિટી અને પર્સનલ હિસ્ટરી લઈને આવતી હોય છે. આ પરિબળોને પણ માન આપવાનું જ હોય. તમામ ફિલ્મોને બાંધેલા નિશ્ર્ચિત માપદંડોથી ન જ મપાય, એક જ જાતની લાકડીઓથી ન જ હંકારાય.
શાહરુખ ખાનની 'ફેન' જુઓ ત્યારે 'લે, એમાં શું? આવું બધું તો હોલિવૂડની ફલાણી ફિલ્મમાં આવી ગયું હતું' એવું વિચારીને રોમાંચની બાદબાકી થોડી જ કરી નખાય! સલમાન ખાનના સુંદર પફોર્મન્સવાળી મસ્તમજાની 'સુલતાન'ને સિલ્વેસ્ટર સ્ટેલોનની 'રોકી' સિરીઝની ફિલ્મો સાથે કે એ પ્રકારની બીજી કોઈ પણ વિદેશી ફિલ્મ સાથે સરખાવ-સરખાવ કરીએ તો લોકો આપણને ગાંડા ગણે. અફ કોર્સ, 'ફેન'માં બહુ બધા લોચા હતા જ, પણ શાહરુખે વર્ષો પછી આ ફિલ્મમાં જે પ્રકારનો અભિનય કર્યો છે તથા ફિલ્મના મેકર્સ જે પ્રકારની કમ્પ્યુટર-જનરેટેડ ઇફેક્ટ્સ અચીવ કરી શકયા છે તેને સેલિબ્રેટ કરવાની હોય. સલમાન જેવો નોન-એક્ટર 'બજરંગી ભાઈજાન' કે 'સુલતાન'માં સહેજ સારી એક્ટિંગ કરે તો એને વધાવી લેવાનો હોય. વાત અતિ ઉદાર થવાની નથી, વાત થોડુંક મળ્યું તો પણ ખુશ થઈ જવાની પણ નથી, વાત નીચું નિશાન તાકવાની તો બિલકુલ નથી, પણ પ્રત્યેક ફિલ્મને એના કરેક્ટ પર્સપેક્ટિવમાં જોવી જોઈએ, માણવી જોઈએ અને ઇવેલ્યુએટ કરવી જોઈએ.   
એમાંય આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ તેની વાત કરતા હોઈએ ત્યારે તો ખાસ!
એક વૃદ્ધ માણસની કલ્પના કરો. લાચાર, અશક્ત, બીમાર, સાવ ખખડી ગયેલો, ચેતનાહીન, સત્ત્વહીન, મરવાના વાંકે જીવી રહેલો માણસ. એ ગમે તે ઘડીએ ઉકલી જાય તેમ છે. આ ડોસાબાપા એટલે થોડાં વર્ષો પહેલાંનું આપણું ગુજરાતી સિનેમા. અચાનક આ ડોસાબાપાની જગ્યાએ આપણે એક તંદુરસ્ત, ક્યુટ ક્યુટ,  જોતાં જ એને ઉંચકી લઈને એના ચરબીદાર ગાલ ખેંચવાનું મન થાય એવાં બાળકને જોઈએ છીએ. બચ્ચું હજુ તો ભાખોડિયાં ભરે છે, પણ એ છે એટલું બધું એનર્જેટિક કે વાત ન પૂછો. આ બાળક એટલે આપણે આજનું ગુજરાતી સિનેમા. બાળક ભલે ગમે તેટલું હૃષ્ટપુષ્ટ હોય, પણ એ હજુ બાળક જ છે. એને સંભાળની જરૂર છે. એ હજુ તો ચાલતાં માંડ શીખી રહ્યું છે. ચાલતાં ચાલતાં એ કેટલીય વાર પડશે, આખડશે. એનાં ગોઠણ છોલાશે. માંદું પડશે. કદાચ એને ક્યારેક હોસ્પિટલમાં એડમિટ પણ કરવું પડે, પણ ધીમે ધીમે બચ્ચું નક્કર ડગલાં માંડતાં શીખી જશે. પછી દોડવા માંડશે ને જોતજોતામાં એવી સ્પીડ પકડશે કે ઝાલ્યું ઝલાશે નહીં.
ગુજરાતી સિનેમાની સ્થિતિ અત્યારે એક્ઝેક્ટલી આ ભાખોડિયાં ભરતાં બાળક જેવી છે. એનામાં ખૂબ એર્નજી છે, એ ચીસાચીસ કરે છે, શોરબકોર કરે છે ને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચાય તે માટે પ્રયત્નો કરે છે. આ એની બાળસહજ સ્વાભાવિકતા છે. બચ્ચાં આમ જ કરે. એ આમ જ મોટું થાય. ગુજરાતી પ્રજા તરીકે (જેમાં ગુજરાતી મિડીયા પણ આવી ગયું) આપણે સતત યાદ રાખવાનું છે આ બઢતા બચ્ચાને અટેન્શનની, કેરની અને વહાલની જરૂર છે. આ એટિટ્યુડ ખૂબ જરૂરી છે.  
- અને હા, 'ધ રોડ રોડ' જેવી તદ્દન ઘટિયા અને બેઈમાન ગુજરાતી ફિલ્મ બને ત્યારે બઘું જ ભુલી જઈને તેને બરાબરની ધીબેડવી પણ જોઈએ. આપણે આ કામ પણ કર્યું જ છે.  
લો, બોલો. મૂળ વાત તો સાઈડમાં રહી ગઈ. આપણે વાત માંડી હતી 'રોંગસાઈડ રાજુ'ની. સરસ ફિલ્મ છે આ. ગુજરાતી પડદા પર આવી સ્ટોરી, આવાં કિરદાર, આવી ટ્રીટમેન્ટ, આવાં પર્ફોર્મન્સીસ આપણે તો પહેલી વાર જોયાં. ઇન ફેક્ટ, કેટલા બધા સર્વપ્રથમ જોડાયેલા છે આ ફિલ્મ સાથે. 'ક્વીન' જેવી લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ચુકેલા અને અનુરાગ કશ્યપ-વિક્રમાદિત્ય મોટવણે-વિકાસ બહલ જેવા હિન્દી સિનેમાના સુપર ટેલેન્ટેડ ફિલ્મમેકરોએ ઊભા કરેલા ફેન્ટમ બેનરનું ગુજરાતી સિનેમા સાથે જોડાવું એ જ સૌથી પહેલાં તો બહુ વજનદાર વાત છે. અરિજિત સિંહ જેવા સુપર સિંગરે પહેલી વાર કોઈ ગુજરાતી ગીત ગાયું. પહેલી વાર કોઈ ગોરી કન્યા ગુજરાતી ફિલ્મની હિરોઈન બની.
'રોંગસાઈડ રાજુ' ઈમાનદારી સાથે બનાવવામાં આવેલી ફિલ્મ છે. ક્યાંય બિનજરૂરી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યા નથી. કારણ વગર કશુંય ઘુસાડવામાં આવ્યું નથી. નીરેન ભટ્ટ અને સાથી લેખકોએ સરસ ગૂંથણી કરી છે. આ બોલિવૂડના કેરિકેચર જેવી, હિન્દી ફિલ્મની મિમિક્રી જેવી wannabe ફિલ્મ જરાય નથી. 'રોંગસાઈડ રાજુ'માં બોલિવૂડના પ્રોડ્યુસરો, સંગીતકાર, ગાયકો, સિનેમેટોગ્રાફર ઉપરાંત ઇમ્પોટેર્ડ હિરોઈન ઇન્વોલ્વ્ડ હોવા છતાં ફિલ્મે તેણે પોતાનું ગુજરાતીપણું, પોતાની ગુજરાતી આઇડેન્ટિટી અકબંધ રાખી છે. આ ફિલ્મે ન્યુ વેવ ગુજરાતી સિનેમાને નવી ઉર્જા, નવી ગતિ અને નવાં પરિમાણો આપી દીધાં છે એ વાત તો નક્કી.  
પ્રતીક ગાંધીએ, મારા બક્ષીબાબુએ મસ્ત કામ કર્યું છે રાજુના પાત્રમાં. (પ્રતીકની વાત આવે એટલે 'હું, ચંદ્રકાંત બક્ષી...' નાટકનો ઉલ્લેખ હું કરીશ જ, ઓકે? પછી ભલે અમારા આ નાટકના પ્લગિંગ જેવું લાગે! LOLz...) પ્રતીક ગાંધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમા બન્નેમાં સમાંતરે અને સાથે સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે એ કેટલી સરસ વાત છે. સ્ટેજ અને સિનેમા બન્નેમાં એકસાથે ગ્રો થઈ રહ્યો હોય એવા બીજો કોઈ એક્ટર મને તો યાદ નથી આવતો. ઘણો ફર્ક હોય છે સ્ટેજ પર અને કેમેરા સામે એક્ટિંગ કરવામાં. પ્રતીક ઇન્સટિંક્ટીવલી આ ફર્કને પામી શકે છે અને માધ્યમ અનુસાર પોતાના પર્ફોર્મન્સને કેલિબ્રેટ કરી શકે છે. આ એની અદાકાર તરીકેની તાકાત છે. 'રોંગસાઈડ રાજુ'માં પ્રતીકના સાયલન્ટ શોટ્સ જોજો. કશું જ બોલ્યા વિના માત્ર આંખોથી અને ચહેરાની રેખાઓથી એ કેટલું બધું વ્યક્ત કરે છે.
ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ તો મારા હિસાબે જયેશ મોરે છે. ઓહ, એબ્સોલ્યુટલી. તગડી શક્યતાઓ જોઈ શકાય છે મૂળ રંગભૂમિના આ દમદાર એક્ટરમાં.       
ઓકે, 'રોંગસાઈડ રાજુ'માં મને ક્યાં કચાશ લાગી? આ એક સારી ફિલ્મ છે, નો ડાઉટ, પણ તે કંઈ પરફેક્ટ ફિલ્મ નથી. સૌથી મોટી સમસ્યા પેસિંગની છે. આ એક થ્રિલર છે અને થ્રિલરમાં એક પછી એક ઘટના એટલી સટ-સટ-સટ કરતી બનતી રહેવી જોઈએ, નવાં નવાં ટિવસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતાં રહેવાં જોઈએ કે પ્રેક્ષકને બીજું કશું વિચારવાનો સમય જ ન મળે. 'રોંગસાઈડ રાજુ' આ અચીવ કરી શકતી નથી. એક થ્રિલર હોવાના નાતે ફિલ્મ બહુ ધીમી છે જે એક ગંભીર માઈનસ પોઈન્ટ ગણાય. રાજુ અને ગોરી હિરોઈનનો લવ-ટ્રેક પૂરો ડેવલપ થયો નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી એવી ફીલિંગ થતી રહે કે આ ફિલ્મ ઘણી વધારે ધારદાર, વધારે ચુસ્ત અને સમગ્રપણે બહેતર ફિલ્મ બની શકી હોત.


'રોંગસાઈડ રાજુ' ગુજરાતી સિનેમાને ચાર ડગલાં આગળ ગઈ છે અને કેટલાંય નવા દરવાજા ઊઘાડી આપ્યા છે તે વાત સાચી, પણ સ્ટ્રિક્ટલી એક પ્રેક્ષક તરીકે કહું તો, મને આજેય 'રોંગસાઈડ રાજુ' કરતાં
'બે યાર' ચઢિયાતી ફિલ્મ લાગે છે. (અભિષેક, એક્સેપ્ટ ઇટ.) 'બે યાર' એટલી ફર્સ્ટક્લાસ ફિલ્મ હતી કે એને ગ્રેસના માર્કસની કે જાતજાતના ખુલાસાની કે કૃપાદષ્ટિની યાચના કરવાની સહેજ પણ જરુર નહોતી. મને યાદ નથી કે 'બે યાર' જોતી વખતે હું પડદા પર સર્જાયેલી દુનિયામાંથી એક મિનિટ માટે પણ બહાર આવ્યો હોઉં. 'રોંગસાઈડ રાજુ' જોતી વખતે ડિસ-એન્ગેજ થઈ ગયો હોઉં એવી ક્ષણો આવી હતી.  
ઓલ સેઈડ એન્ડ ડન, શું 'રોંગસાઈડ રાજુ' જોવી જોઈએ (તમે ઓલરેડી જોઈ ન લીધી હોય તો)? અફકોર્સ જોવી જોઈએ.  શું આ એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે? અફકોર્સ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે.

ન્યુ વેવ ગુજરાતી સિનેમા નામનો પુત્ર હાલ પારણામાં ઝુલે છે. આ પુત્રનાં લક્ષણો જોઈને આપણને ખાતરી થાય છે કે આગળ જતા નક્કી યે બાબલા બડા નામ કરેગા ઔર બેટા ડેફિનેટલી બડા કામ કરેગા. આ વેવલી સેન્ટીમેન્ટાલિટી કે વિશફુલ થિંકિંગ નથી. આ હકીકત છે. આવતા પાંચ-દસ-પંદર વર્ષમાં ગુજરાતી ફિલ્મોદ્યોગ સાચા અર્થમાં ઈન્ડસ્ટ્રી બનીને ધમધમવાની છે ને આપણી છાતી ગજ ગજ ફુલે એવી ફિલ્મો પેદા કરવાની છે. તમે લખી રાખો!        

Thursday, September 29, 2016

...તો રમેશ પારેખ કવિ ઉપરાંત અફલાતૂન નવલકથાકાર પણ હોત!

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૬  

 કોલમ: વાંચવા જેવું 

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’
                                                                                        
                     


ગુજરાતે જેમને ચિક્કાર પ્રેમ કર્યો છે એવા આપણી ભાષાના શ્રેષ્ઠ કવિ રમેશ પારેખના વ્યક્તિત્ત્વ વિશે બહુ લખાયું નથી અને લખાયું છે તો ગ્રંથસ્થ થયું નથી. આજનાં પુસ્તકના સંપાદક કૌશિક મહેતાની આ વાત સાથે કોણ સહમત નહીં થાય? આ વાત અથવા વિચારમાંથી જ આજનું પુસ્તક જન્મ્યું છે. રમેશ પારેખ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલી વીસેક વ્યક્તિઓએ આ પુસ્તક માટે દિલપૂર્વક સ્મરણલેખો લખ્યા છે. એેમાંથી કવિ વિશેની કેટલીય વાતો આપણી સામે ઊઘડે છે.

 જેમ કે, રમેશ પારેખ મેટ્રિકમાં હતા એ અરસામાં એક વાર્તા લખેલી - ‘પ્રેતની દુનિયા’. વાર્તા ‘ચાંદની’ સામયિકમાં છપાઈ. સાથે એમનો પરિચય અને તસવીર પણ છપાયાં. લટકામાં પાંચ રુપિયાનો પુરસ્કાર પણ મળ્યો. રમેશ પારેખને આશ્ર્ચર્યનો પાર  ન રહ્યો. લખવાના પૈસા પણ મળે? એ પૈસામાંથી એમણે પછી દોસ્તારોને ચા-નાસ્તો કરાવ્યા હતા. વર્ષો પછી મુંબઈમાં યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં એમને પાંચ લાખ રુપિયાની થેલી અર્પણ થઈ હતી, પણ પેલા પાંચ રુપિયાએ જે ગજબનાક રોમાંચ પેદા કરેલો એની તોલે આ પાંચ લાખની થેલી ક્યાંથી આવે?

 પુરસ્કારની પાર્ટીમાં રમેશ પારેખે દોસ્તારોને ગાંઠીયા જરુર ખવડાવ્યા હશે! એમને અને ખાસમખાસ કવિમિત્ર અનિલ જોશીને ગાંઠીયા ખૂબ વ્હાલા. કોઈ વાર ગાંઠીયા ખાતા ખાતા રમેશ પારેખ કહેતા કે, અનિલ, આપણને યમરાજ લેવા આવશે ત્યારે એને કહીશું યાર, ગાઠીયા ખાઈને આવું છું. તો યમરાજ સામું કહેશે, મારા માટે પણ પડીકું બંધાવતા આવજો, મરચાં ભૂલશો નહીં!

 અનિલ જોશીએ અમરેલી છોડ્યું ત્યારે વિદાય વખતે રમેશ પારેખ એમના ખભે માથું મૂકીને ધોધમાર રડ્યા હતા. અનિલ જોશી લખે છે કે, ‘એ ડૂસકાં હજીયે મારા ખભાને વળગેલાં છેે...’

 કૌશિક મહેતાને આપેલી એક મુલાકાતમાં રમેશ પારેખે તીખાં મરચાં જેવી ચટાકેદાર વાત કરી હતી. કવિ પોતાના નવલિકાકાળ દરમિયાન ‘ચિત્રલેખા’માં પણ ત્રણ મહિના કામ કરી ચુક્યા છે એ તમે જાણો છો? સ્થાપક તંત્રી હરકિસન મહેતાએ નોકરી આપતા પહેલાં ટેસ્ટ તરીકે તેમની પાસે ટૂંકી વાર્તા લખાવી હતી. તત્કાલીન આસિસ્ટન્ટ એડિટર બિપીન બૂચ પાસેથી કોરાં પાનાં લઈને રમેશ પારેખે ‘ચિત્રલેખા’ની મુંબઈસ્થિત ઓફિસમાં ત્યારે ને ત્યારે વાર્તા લખી નાખી હતી. એેનું શીર્ષક હતું, ‘એ આંખોએ શું કહ્યું?’ રમેશ પારેખને ખુદને વાર્તા કાચી લાગી હતી, પણ હરકિસનભાઈએ તે સીધી કમ્પોઝમાં મોકલી આપી હતી!

 આ ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન રમેશ પારેખ ‘જી’ મેગેઝિનમાં છપાતા હીરો-હિરોઈનોની તસવીરો માટે કેપ્શન તરીકે કાવ્યપંક્તિઓ પણ લખી આપતા. દરમિયાન એમની મૂળ પંચાયતની નોકરીનું ઠેકાણું લાઠીથી બદલાઈને પાછું અમરેલી થઈ જતાં એ વતન ઉપડી ગયા. હરકિસન મહેતાએ એમને રોકવાની ખાસ્સી કોશિશ કરી હતી, પણ એ ન જ માન્યા. જો રમેશ પારેખ મુંબઈ રોકાઈ ગયા હોત તો, કોને ખબર, હરકિસન મહેતાએ એમને અફલાતૂન નવલકથાકાર બનાવી દીધા હોત ને ગુજરાતને પ્રથમકક્ષ કવિ-નવલકથાકારનું અફલાતૂન કોમ્બિનેશન મળ્યું હોત!



 એક સર્જક શી રીતે લખતો હોય છે? ‘લખવાની પ્રક્રિયા સમજાવી શકાય તેવી હોતી જ નથી,’ કહીને રમેશ પારેખે પત્રકાર-લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાથેની વાતચીતમાં ઉમેરેલું:

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’

 કાઠિયાવાડી ભાષાને શેડકઢો લહેકો ધરાવતા રમેશ પારેખ સારું ચિત્રકામ પણ કરી શકતા. કવિમિત્ર હર્ષદ ચંદારાણા સાથે તેમણે એક જમાનાના દુકાનોના સાઈનબોર્ડ, ચૂંટણીને લગતાં ચિત્રો અને સિનેમાના બોર્ડ સુધ્ધાં ચીતર્યા ં છે. પત્ની રસીલાનું પોટ્રેટ બનાવી રહેલા રમેેશ પારેખને જોઈને કવિ રાજેન્દ્ર શુક્લને જબરું આશ્ર્ચર્ય થયેલું.

 કવિના ગૃહસ્થજીવનનો એક રમૂજી કિસ્સો પુસ્તકમાં નોંધાયેલો છે. રમેશ પારેખે એક વાર જાતે ગુલાબ જાંબુ બનાવવાનો અખતરો કરેલો. જાંબુ તો ન બન્યા, પણ મીઠા રગડા જેવું કશુંક જરુર બન્યું. પત્ની રસીલા બેસતા વર્ષે ધરે આવતા મહેમાનોને નાસ્તો પીરસે ત્યારે સાથે રકાબીમાં પેલા પ્રવાહી જાંબુ જરુર આપે ને ઠાવકા મોંએ ઉમેરે પણ ખરા કે, આ ચા નથી હોં, જાંબુ છે, તમારા ભાઈએ બનાવ્યા છે! એ પછી કેટલાય દિવસો સુધી જમવાના સમયે કવિની થાળીમાં પ્રવાહી જાંબુ પીરસાતાં રહ્યાં ને કવિ રોટલી એમાં બોળીબોળીને ખાતા રહ્યા!
 
 નિવૃત્ત શિક્ષક છેલભાઈ વ્યાસ કહે છે તેમ, રમેશ પારેખ સ્વભાવે સાવ સરળ, દુનિયાદારીનો અદનો માણસ લાગે. હસે, રડે, ખીઝે, મૂંજાય, ઝઘડી પડે, પેટ છૂટી વાત કરે. જરાય દંભી નહીં, મોટપ નહીં... અને આવા સીધાસાદા  માણસ પાછળ આખુંય ગુજરાત ઘેલું થતું. સુરેશ દલાલે એમની લાક્ષાણિક શૈલીમાં નોંધ્યું છે તેમ, રમેશ પારેખ માત્ર ગુજરાતી કવિતાનું ઘરેણું નથી, પણ ગુજરાતી કવિતાની ત્વચા અને વાચા છે.

 ‘અડખેપડખે ઉપર-નીચે અંદર-બહાર અનરાધાર’ જીવેલા આ કવિ વિશે નરોત્તમ પલાણે સરસ લખ્યું છે:

 ‘રમેશ પારેખ પોતાની આખી જિંદગી દરમિયાન કાચેકાચા ઈશ્ર્વરને પોતાની અંદર અવળસવળ શેકતા રહ્યા છે... એ સતત વિકસતા જ રહેલા.’

 જોકે પાછલાં વર્ષોેમાં કવિનો સ્વભાવ ક્રમશ: વધુ ને વધુ ઉદાસ બનતો ગયેલો. તેમને ડિપ્રેશનના અટેક આવતા. આજે શારીરિક સ્તરે એ આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી ભાષા જીવે છે ત્યાં સુધી રમેશ પારેખ જીવતા રહેવાના છે એ તો નક્કી.

 કાયમ કાળી ફ્રેમનાં ચશ્માં પહેરી રાખતા રમેશ પારેખે એક વાર જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે દિલથી ફોટો સેશન કર્યું હતું. સંજય વૈદ્યે તે વખતે તેમની ચશ્માં વગરની તસવીરો ખેંચી હતી, જેમાંના બે ફોટોગ્રાફ્સ પુસ્તકના આગલાં અને પાછળાં મુખપૃષ્ઠ પર મૂકાયા છે. આ નાનકડું પણ સુંદર પુસ્તક રમેશ પારેખના ચાહકોને જલસો પડી જાય એવું છે. અ મસ્ટ રીડ!  0 0 0

રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો  
સંપાદક: કૌશિક મહેતા 
પ્રકાશન: ડબલ્યુબીજી પબ્લિકેશન,
 બાપુનગર, અમદાવાદ. 
 ફોન: ૦૯૧૭૩૪ ૦૪૧૪૨
 કિંમત: Rs. ૧૦૦ /
  પૃષ્ઠ: ૯૮  

 



Wednesday, September 28, 2016

ટેક ઓફ: તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ... તૂ કિસ લિયે હતાશ હૈ


સંદશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

જીવનમાં ક્યારેક ફોકસ ગુમાવી બેસીએ ત્યારે જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી.





‘પિ'ન્ક ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમે આ કહાની, પાત્રો, ફિલ્મનો મેસેજ અને રજૂઆતથી એટલી હદૃે અસ્થિર થઈ ચુક્યા હો છો કે ‘ધી એન્ડ' થતાંની સાથે તમે તરત જ ઓડિરોટિયમના એકિઝટ ગેટ તરફ ચાલવાનું શરુ કરી શકતા નથી. એન્ડ ક્રેડિટ્સ સ્ક્રોલ થઈ રહ્યા હોય તે દૃરમિયાન હજુ પણ તમારી સીટ પર જ બેઠા હો છો ત્યારે તમને એક અણધાર્યું બોનસ મળે છે. તે છે તનવીર ગાઝીએ લખેલી અને અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં ગૂંજતી એક અફલાતૂન કવિતા. ઢીલા પડી ગયેલા માણસને ધનુષ્યના પણછની  જેમ તંગ કરી દૃે એવી, પોતાને શકિતહીન માનવા લાગેલી વ્યકિતના શરીરની રગેરગમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરી દૃે તેવી આ રચના છે.  આને ભુલેચુકેય ફેમિનિસ્ટ કે નારીવાદૃી કવિતા ન ગણશો. આ માનવવાદૃી કવિતા છે. તે સૌને એકસરખી તીવ્રતાથી અપીલ કરે છે. આવો, આ કવિતાને આખેઆખી માણીએ.  

કવિ કહે છે -

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...

જીવન આસાન હોતું નથી. ઘારો કે આસાન લાગતું હોય તોય આ સ્મૂધ તબક્કો આખી િંજદૃગી ટકવાનો હોતો નથી. કેટલાંય પરિબળો, આસપાસની પરિસ્થિતિઓ અને જેની સાથે આપણે ઇચ્છાપૂર્વક કે અનીચ્છાએ જોડાયેલા છીએ તેવી વ્યકિતઓ આપણા જીવન પર અસર કરતાં હોય છે. આને લીધે આપણે ક્યારેક આપણું ફોકસ ગુમાવી બેસીએ છીએ.  જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? આ કયો રસ્તો પકડી લીધો છે? બરાબર સમજાય છે કે ખોટી દિૃશામાં ફંટાઈ ગયા છીએ તો પણ કેમ અટકી જતા નથી? શા માટે ખોટા વહેણમાં ઢસડાયા કરીએ છીએ? શું એટલા માટે કે લાંબા સમયથી પકડી રાખેલો  રસ્તો ભલે ખોટો હોય તોય હવે એક ‘કમ્ફર્ટ ઝોન' બની ગયો છે? એમાં જીવવાની આદૃત પડી ગઈ છે? આ ઝોનમાંથી બહાર નીકળવાનો હવે ડર લાગે છે? એક સમાધાન કરી લીધુું છે જાત સાથે કે જે છે તે આ જ છે ને હવે આ જ રીતે િંજદૃગી પૂરી કરી નાખવાની છે?




એકધારું જૂઠ જીવ્યા કરવાથી આપણો માંહ્યલો, આપણો આત્મા પીડાયા કરે છે. એ ચીસો પાડીને આપણને કશુંક કહેતો હોય છે, પણ કાં તો આપણે જાણી જોઈને ધ્યાન-બહેરા થઈ જઈએ છીએ અથવા તો માંહ્યલાને ધમકાવીને ચુપ કરી દૃઈએ છીએ. આ સ્થિતિમાં જો સમયસર પરિવર્તન ન આવે તો શક્ય છે કે એટલે આપણી જ નજરમાં અપરિચિત બનવા લાગીએ. આપણું સત્ત્વ, આપણું સ્વત્ત્વ ગુમાવવા માંડીએ. આ સ્થિતિ તીવ્ર હતાશા જન્માવતી હોય છે. આથી જ કવિ કહે છે કે, તું શા માટે આટલો બધો ઉદૃાસ થઈને બેઠો છે, ભાઈ (અથવા બહેન)? તું શા માટે તારી અસલિયતને, તારી ઓરિજીનાલિટીને, તારા મૂળ વ્યકિતત્ત્વને ભુલી ગયો છે? તેને શોધતો કેમ નથી તું? કોણે બાંધી રાખ્યો છે તને?

દૃુનિયામાં બનાવટી માણસોનો તોટો નથી. કોમ્પ્રોમાઈઝ કરીને જીવી જીવનારાઓ ઊભરાઈ રહી છે આ ધરતી. આવી સ્થિતિમાં જરુર હોય છે સાચુકલું જીવન જીવી શકતા જેન્યુઈન માણસોની. આપણે ખુદૃનું વજૂદૃ શોધીશું અને કુદૃરતી રિધમ પ્રમાણે જીવીશું તો કેવળ આપણી જાત પર જ નહીં, લાંબા ગાળે આસપાસના માહોલ અને સમાજ પણ પણ ઉપકાર કર્યો ગણાશે.    

તનવીર ગાઝી આગળ લખે છે -

જો તુઝસે લિપટી બેડીયાં... સમજ ના ઇનકો વસ્ત્ર તૂ
યે બેડીયાં પિઘલા કે... બના લે ઇનકો શસ્ત્ર તૂ
બના લે ઇનકો શસ્ત્ર તૂ.

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ 
સમય કો ભી તલાશ હૈ...



આપણને બાંધી રાખતી ઝંઝીરોથી, બેડીઓથી ઘણી વાર આપણને પ્રેમ થઈ જતો હોય છે. આપણે સમજવું અને સ્વીકારવું પડશે કે આ બેડી જીવનરસને સૂકવી નાખતું બંધન છે, તે કોઈ આભૂષણ નથી. વસ્ત્ર તો બિલકુલ નથી. આપણને બાંધી રાખતી વસ્તુઓને તોડીફોડી નાખવાની હોય. અત્યાર સુધી જે ચીજ આપણને અવરોધરુપ બનીને ગૂંગળાવતી હતી તેને જ જો અસ્ત્ર કે  શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકીએ, કોઈક રીતે તેને આગળ વધવા માટેનો સ્ટેિંપગ સ્ટોન બનાવી શકીએ તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. ઘારો કે એમ ન થઈ શકે અને ખુદૃને આ હાનિકારક બંધનમાથી આઝાદૃ કરી શકીએ તોય ઘણું છે. તો હવે ઊભા છો શું? ચાલવા માંડો તમારી મંઝિલ તરફ. એકલા તમને જ મંઝિલ સુધી પહોંચવાની તાલાવેલી છે એવું નથી, મંઝિલ પણ ક્યારની તમારી રાહ જોઈને ઊભી છે.

ચરિત્ર જબ પવિત્ર હૈ... તો કયૂં હૈ યે દૃશા તેરી
યે પાપીયોં કો હક નહીં...કિ લેં પરીક્ષા તેરી.
કિ લેં પરીક્ષા તેરી....

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ.
સમય કો ભી તલાશ હૈ...

કવિ પૂછે છે કે કઈ વાતની બીક ડરે છે તને ? જ્યારે તારો કશો વાંક જ નથી, તું નિર્દૃોષ - નિષ્પાપ - પવિત્ર છે, તારું મન સાફ છે તો પછી તું શા માટે આટલો સહમેલો અને ડરેલો રહે છે? અમુક માણસો વધારે પડતા સીધા અને સરળ હોય છે. તેમને છળકપટ કરતાં કે માઈન્ડ-ગેમ્સ રમતાં આવડતું નથી. સ્વભાવગત ભીરુતાને કારણે સામેવાળા દૃુષ્ટ કે અતિ ચાલાક માણસને એ ખોંખારો ખાઈને અટકાવી શકતો નથી, એનો વિરોધ કરી શકતા નથી. ઢીલો માણસ ચુપચાપ સહન કરી લે છે, મનમાં ને મનમાં પીડાયા કરે છે, ધૂંધવાયા રાખે છે. સામેવાળો આપોઆપ સુધરી જશે, વહેલામોડી એને પોતાની ભુલ સમજાશે ને પછી સૌ સારાં વાનાં થઈ જશે એવા વિશફુલ િંથિંકગમાં જીવ્યા કરે છે. આ રાહમાં ને રાહમાં વર્ષો વીતી જાય છે, િંજદૃગી વેડફાઈ જાય છે.
સ્વભાવના ‘સારા હોવું એક વાત છે, પણ નમાલા હોવું, દૃુર્બળ હોવું તે તદ્દન જુદૃી વાત છે. જો માણસ નિર્દૃોષ અને સાચો હોય તો એણે દૃુર્બળ બનવાનું કોઈ કારણ નથી. સચ્ચાઈ સ્વયં એક તાકાત છે અને સાચા માણસના વ્યકિતત્ત્વ અને વર્તન-વ્યવહારમાં તે ઝળકવી જ જોઈએ. શું ઈમાનદૃાર માણસે લબાડ દૃુર્જનોની દૃયા પર જીવવાનું છે? શું  બેશરમ પાપીઓ એની પરીક્ષા લેશે? એનું મૂલ્યાંકન કરશે? એણે કઈ રીતે જીવવું તે નક્કી કરી આપશે? ઔકાત શું હોય છે આ નફ્ફટ નૈતિકતાહીન છછૂંદૃરોની?

Tanveer Ghazi


વારંવાર આંખ આડા કાન કર્યા પછી પણ, વારંવાર માફ કરી દૃીધા પછી પણ, વધારે પડતું સહન કરી લીધા પછી પણ જો સામેવાળો ન સુધરે તો આ પ્રકારની સ્પષ્ટતા અને વિદ્રોહી જીદૃ પ્રગટી જવા જોઈએ. આત્મવિશ્ર્વાસનો અભાવ હશે તે નહીં જ ચાલે. કોન્ફિડન્સ વગરનો માણસ સાચો હોય તોય હેરાન થતો રહે છે. પોતાની જેન્યુઈન કાબેલિયત પર વિશ્ર્વાસ રાખવો જ પડે, પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી જ પડે. જરુર હોય છે પોતાની અંદૃર ઝાંકવાની અને કાહ્લપનિક ડરથી પીછો છાડાવવાની. ભયમુકત થયા પછી -

જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હૈ
તૂ આરતી કી લૌ નહીં... તૂ ક્રોધ કી મશાલ હૈ
તૂ ક્રોધ કી મશાલ હૈ.

ચુનર ઉડા કે ધ્વજ બના... ગગન ભી કપકપાયેગા
અગર તેરી ચુનર ગીરી... તે એક ભૂકંપ આયેગા
એક ભૂકંપ આયેગા...

એકધારો અન્યાય સહન કરી રહેલા માણસનો પુણ્યપ્રકોપ વહેલામોડો પ્રગટતો હોય છે. એક પરાકાષ્ઠા પછી એના ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. પૂજાની થાળીમાં ટમટમતી પવિત્ર જ્યોત મશાલની માફક ભડભડવા લાગે છે. ‘ઇનફ ઇઝ ઇનફ કહીને એ જ્યારે પ્રચંડ ત્રાડ પાડે છે ત્યારે અત્યાર સુધી એનું દૃમન કરવાની ચેષ્ટા કરનારો ભયથી કાંપી ઉઠે છે.

પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી. એટલે જ તો કવિ પુન: એક જ વાત ભારપૂર્વક કહે છે કે -        

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...
                                                                             0 0 0 

Sunday, September 25, 2016

મલ્ટિપ્લેકસ: સરકાર રાજ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૫ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.'   




કોઈ જ પૂર્વસંકેત આપ્યા વગર ‘પિન્ક' ફિલ્મ થિયેટરોમાં અને આપણાં દિૃલદિૃમાગમાં એકાએક બોમ્બની જેમ ફાટી છે. ભૂતકાળમાં પાંચ બંગાળી ફિલ્મો બનાવી ચુકેલા અનિરુદ્ધ રોય ચૌધરીની આ પહેલી હિન્દૃી ફિલ્મ છે. ડિરેકટર હોવાને નાતે તેઓ કેપ્ટન-ઓફ-ધ-શિપ ગણાય, પણ ‘પિન્કની સફળતાને કારણે લાઈમલાઈટમાં શૂજિત સરકાર આવી ગયા છે. તેઓ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર છે, જે ભૂતકાળમાં ‘વિકી ડોનર', 'મદ્રાસ કાફે' અને ‘પિકુ' જેવી બ્રિલિયન્ટ ફિલ્મો ડિરેકટ કરી ચુક્યા છે. ઇન્ટરેસ્ટિંગ માણસ છે શૂજિત. કેટલાય પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક ઇન્ટરવ્યુઝમાં ફેલાયેલા એમના કવોટ્સ પર એકસાથે નજર ફેરવવાથી એમના માનસિક જગતનો સરસ ચિતાર મળે છે. તો પ્રસ્તુત છે શૂજિત સરકારનું કવોટ-માર્શલ. ઓવર ટુ હિમ:  

હું આકસ્મિકપણે ફિલ્મકર બની ગયેલો માણસ છું. ફિહ્લમમેિંકગ કરતાં ફૂટબોલ પ્રત્યે મને વધારે લગાવ છે. જો હું આ લાઈનમાં ન આવ્યો હોત તો ચોક્કસપણે ફૂટબોલર બન્યો હોત. ગ્રેજ્યુએશન પછી હું દિૃલ્હીની લા મેરિડીઅન હોટલમાં કામ કરતો હતો. એક વાર એમ જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફ રખડી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ચીસો પાડી રહ્યા છે. એ બધા એક થિયેટર ગ્રુપના લોકો હતા ને કોઈક સ્ટ્રીટ-પ્લે ભજવી રહ્યા હતા. પછી મેં કામિની થિયેટરમાં એક નાટક જોયું જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને અમરીશ પુરી અભિનય કરતા હતા. નાટક જોતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈક જુદૃી જ દૃુનિયામાં પહોંચી ગયો છુંં. આ અનુભવે મારી ભીતર કશુંક બદૃલી નાખ્યું.  પછી મેં સફદૃર હાશ્મિનું જન નાટ્યમંચ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. અમે ખૂબ બધાં સ્ટ્રીટપ્લે કર્યા્ં. આ શેરી નાટકોને કારણે સમાજના પ્રશ્ર્નો વિશેની, આપણી આસપાસની વાસ્તવિકતા વિશેની મારી સમજણ વિકસી, ફિલ્મો પ્રત્યેનો મારો પ્રેમ જાગ્રત થયો. પછી મેં ‘એકટ વન' નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું. હું વધારે ફિલ્મો જોવા લાગ્યો. સત્યજીત રાયની ફિલ્મો ઓલરેડી જોઈ ચુક્યો હતો છતાંય મેં નવેસરથી એ ફિલ્મો જોવાનું શરુ કર્યુંં. સિનેમા વિશેની મારી દૃષ્ટિ ખુલી ગઈ હતી. આમ, મેં ફિલ્મમેિંકગનો કોઈ કોર્સ કર્યો નથી, પણ હું જે કંઈ શીખ્યો છું તે સત્યજીત રાયની ફિલ્મો જોઈને અને સિનેમા વિશેનું સાહિત્ય વાંચીને શીખ્યો છું.

મારી પહેલી પહેલી ‘...યહાં' (૨૦૦૫) ખાસ ચાલી નહીં. અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી બીજી બીજી ફિલ્મ ‘શૂબાઈટ' કાનૂની વિવાદૃમાં ફસાઈ જવાને કારણે આજ સુધી રિલીઝ થઈ શકી નથી. હું હતાશ થઈ ગયેલો, ડિપ્રેશનનાં આવી ગયેલો. પછી મારી પત્નીએ મને સમજાવ્યું કે ભલે તારી ફિલ્મો ન ચાલે કે ડબ્બામાં પડી રહે, પણ તને લખતા આવડેે છે, તને ફિલ્મ બનાવતા આવડે છે. તારી આ ટેલેન્ટ કોઈ છીનવી શકવાનું નથી. મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે, હું ફિલ્મો તો બનાવીશ જ. ‘...યહાં'નાં સાત વર્ષો પછી મેં સ્પર્મ ડોનર જેવા અતરંગી વિષય પર ‘વિકી ડોનર' બનાવી જે કમર્શિયલી અને ક્રિટીકલી બન્ને રીતે વખણાઈ. આ ફિલ્મથી મારા જીવનની દિૃશા બદૃલાઈ.


કોઈ સ્ટાર મને હા પણ ન કહે કે ના પણ ન પાડે ને લબડાવ્યા કરે ત્યારે એક તબક્કે હું ચોખ્ખું કહી દૃઉં છું: ભાઈ, તું મારી ફિલ્મમાં કરીશ કે નહીં કરે? યેસ ઓર નો? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.


મિતાભ બચ્ચન એક મહાન લેજન્ડ છે, પણ એમની સાથે કામ કરવું બહુ જ આસાન છે. એમની સાથેની મારી એક પણ મિટીંગ પંદૃર મિનિટ કરતાં વધારે ચાલી નથી. એ મને સ્ટોરી સંભળાવાનું કહે ને હું ફટાફટ નરેશન આપવા માંડું. એમને મારી આંખોમાં કોન્ફિડન્સ દૃેખાય, હું વિષયને સારી રીતે હેન્ડલ કરી શકીશ એવો ભરોસો દૃેખાય એટલે તરત મારા વિઝનને સરન્ડર થઈ જાય. હાથમાં સ્ક્રિપ્ટ આવતાં જ તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા પેદૃા થઈ જાય છે. અમિતાભ માટી જેવા છે, જેને તમે ગમે કોઈ પણ ઘાટ આપી શકો છો. અફકોર્સ, એમની પાસે ફિલ્મોમાં કામ કરવાનો ૪૫ વર્ષોનો અનુભવ છે. સ્ક્રિપ્ટમાં કેવોક દૃમ છે તે તેઓ તરત કળી જાય છે. આખેઆખી સ્ક્રિપ્ટ એમને અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત યાદૃ હોય છે. એમના ખુદૃના પોઈન્ટ-ઓફ-વ્યુ હોવાના જ, પણ એમને કન્વિન્સ કરવા સહેલા છે.


મજોને કે હું સરેરાશ રોજની એક સ્ક્રિપ્ટ વાંચતો હોઈશ. જુઓ, તમને બહુ સારા શબ્દૃો, સરસ વાક્યો અને સરસ કોન્સેપ્ટ નોટ લખતા આવડતું હોય તો એનો મતલબ એવો નથી કે તમને સરસ સ્ક્રિપ્ટ લખતા પણ આવડતું જ હશે. સ્ક્રીનપ્લે લખવાની કળા બહુ જ અલગ વસ્તુ છે જેના પર બહુ ઓછા લોકો મહારત હાંસલ કરી શકે છે. મેં જોયું છે કે મોટા ભાગના લેખકો ટીવી સિરીયલોની માફક ફિલ્મ લખે છે. તેમનું લખાણ સિનેમેટિક નથી હોતું. હું હંમેશાં બધાને કહેતો હોઉં છું કે તમે સત્યજિત રાયની ફિલ્મોનો અભ્યાસ કરો. તમને ખબર પડશે કે ઉત્તમ સિનેમા કોને કહેવાય. આપણે ત્યાં જે સ્ક્રિપ્ટ્સ લખાય છે એમાં ઊંડાણ હોતું નથી. જો ઊંડાણ હોત તો આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો બનતી હોત. સારી ફિલ્મો જોવા માટે લોકો ઇરાનીઅન ફિલ્મો ડીવીડી ઘરે લાવશે, પણ ઉત્કૃષ્ટ બંગાળી કે તમિલ કે મલયાલમ ફિલ્મો નહીં જુએ. કેટલું સરસ કામ થાય છે આ ભાષાની ફિલ્મોમાં.


બોલિવૂડમાં ન્યુ-એજ સિનેમાની શરુઆત રામગોપાલ વર્માએ કરી હતી, ‘સત્યા'થી, ૧૯૯૮માં. બીજી એક ફિલ્મ જેનાથી ઇન્ડસ્ટ્રીને નવેસરથી ધક્કો લાગ્યો તે હતી, અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે' (૨૦૦૪). ૨૦૦૭માં શિમીત અમીનની ‘ચક દૃે ઇન્ડિયા' ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીની શરુઆતની સ્પોર્ટ્સ ફિલ્મોમાંની તે એક, જેણે મોટો ક્રિયેટિવ ઇમ્પેકટ પેદૃા કર્યો. વિક્રમાદિૃત્ય મોટવાણેની ‘ઉડાન' (૨૦૧૦) એક મહત્ત્વની ફિલ્મ પૂરવાર થઈ.  ટીનેજરને કેન્દ્રમાં રાખીને બનેલી આ પહેલી કમિંગ- ઓફ-એજ ફિલ્મ. ૨૦૧૨માં આવેલી ‘પાનસિંહ તોમર' જોઈને મને તિગ્માંશુ ધુલિયાની ખૂબ ઈર્ષ્યા થઈ હતી. મને થાય કે આ ફિલ્મ મેં કેમ ન બનાવી. આ સિવાય અયાન મુખર્જીની ‘વેક અપ સિડ',  દિૃવાકર બનર્જીની ‘ખોસલા કા ઘોસલા', રિતેશ બત્રાની ‘ધ લંચબોકસ', રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝ - આ બધી જ બ્રિલિયન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મારી ફેવરિટ ફિલ્મો છે.


  
કોર્પોરેટ હાઉસીસ પાસે ચિક્કાર નાણું છે. એમના મેનેજમેન્ટમાં ઓકસફર્ડમાં ભણી આવેલા એકિઝક્યુટિવ્સ અને ન્યુયોર્કમાં ચાર-છ મહિનાનો ફિલ્મનો કોર્સ કરી આવેલા માણસો છે જે માનવા લાગ્યા હોય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાં તેમનામાં વધારે અકકલ છે. કોર્પોરેટ હાઉસ સાથે મિટીંગ થાય ત્યારે આવા વીસ લોકો તમારી સામે બેસી જશે અને પછી પ્લોટ પોઈન્ટ ને કલાઈમેકસ ને કેરેકટરરાઈઝેશન જેવા શબ્દૃોની ફેંકાફેંક કરીને તમને કન્ફયુઝ કરી નાખશે. સિનેમા વિશે કશું જ ન જાણતા લોકો પોતાનું ડહાપણ ડહોળવાનું શરુ કરે એટલે ડિરેકટર ક્યારેક ખોટો નિર્ણય લઈ લેતો હોય છે. આખરે સઘળો આધાર ડિરેકટરના કન્વિકશન પર છે. પોતાના ઓરિજિનલ આઇડિયા અને સ્ટોરી પ્રત્યે પ્રામાણિક રહેવું જ પડે.

શો-સ્ટોપર

 કોઇપણ સંબંધમાં ભરોસો હોવો ખૂબ જરુરી છે. જો સામેના પાત્ર પર ટ્રસ્ટ નહીં હોય તો તદ્દન નિર્દૃોષ વસ્તુ પણ નિર્દૃોષ નહીં લાગે. આવો સંબંધ ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. 

- અભય દૃેઓલ