Showing posts with label Maharshi Patanjali na Yog Surtro. Show all posts
Showing posts with label Maharshi Patanjali na Yog Surtro. Show all posts

Wednesday, July 26, 2017

જે દૃુખ આવ્યું નથી તે કદાચ ક્યારેય નહીં આવે

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૬ જુલાઈ ૨૦૧૭

ટેક ઓફ 

હેયમ્ એટલે નાશ કરવા યોગ્ય. અનાગતમ્ એટલે જે હજુ આવ્યું નથી તે. પતંજલિના ‘હેયં દૃુખમનાગતમ્ સૂત્રનો અર્થ થાય છે કે જે દૃુખ હજુ આવ્યું નથી, જે માત્ર ભવિષ્યની કલ્પના છે, તેવા અર્થહીન દૃુખનો નાશ કરી નાખવો. 



ખી જિંદૃગી જેણે ઉત્તમ કક્ષાનું પત્રકારત્વ કર્યું હોય, વિદ્યાર્થીઓને પત્રકારત્વ ભણાવ્યું હોય, કોલમો અને પુસ્તકો લખ્યા હોય એવી વ્યકિત જીવનના અંતિમ તબક્કે બીમારીને લીધે પોતાનું નામ સુધ્ધાં લખી ન શકે તે સ્થિતિ કેટલી ભયાવહ છે? ‘જામ-એ-જમશેદૃ', ‘જનશકિત', ‘જનસત્તા', ‘પ્રવાસી', ‘જન્મભૂમિ' જેવાં અખબારો અને ‘ગુજરાત ટાઈમ્સ' જેવા સાપ્તાહિક સાથે સંકળાઈને જીવનભર ચિક્કાર કામ કરનારા રમેશચંદ્ર ઠાકોરદૃાસ જાદૃવે થોડા દિૃવસો પહેલાં અમેરિકામાં અંતિમ શ્ર્વાસ લીધો. એએલએસ (એમીટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ) નામની  ન્યુરોડીજનરેટીવ બીમારી અને અલ્ઝાઈમરની અસરે રમેશ જાદૃવના અંતિમ દિૃવસોને નિષ્ક્રિય બનાવી દૃીધા હતા તે સાચું, પણ માણસનું વ્યકિતત્ત્વ એણે આખી જિંદૃગી દૃરમિયાન દૃાખવેલી સક્રિયતાને આધારે ડિફાઈન થતું હોય છે.

રમેશ જાદૃવ સતત સક્રિય રહ્યા હતા. આ વર્ષના પ્રારંભમાં એમનું છેલ્લું પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું શીર્ષક છે, ‘મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો - સાધનપાદૃ'. મહર્ષિ પતંજલિએ ૧૯૫ યોગસૂત્રો આપ્યાં છે. બાબા રામદૃેવના પ્રતાપે મહર્ષિ પતંજલિ આજે એક પોપ્યુલર બ્રાન્ડ બની ગયા છે. ટીવી પરની જાહેરાતોમાં ભલે ‘પાતંજલિ' એવો ખોટો અને ચાંપલો ઉચ્ચાર કરવામાં આવે, પણ સાચો ઉચ્ચાર ‘પતંજલિ' છે. પતંજલિનાં ૧૯૫ યોગસૂત્રો ચાર ખંડ અથવા ચાર પાદૃમાં સમાવેશ પામ્યા છે. આ ચાર પાદૃ એટલે સમાધિપાદૃ, સાધનપાદૃ, વિભૂતિપાદૃ અને કૈવલ્યપાદૃ. પહેલા પાદૃમાં ૫૧, બીજા અને ત્રીજા પ્રત્યેક પાદૃમાં ૫ંચાવન અને ચોથા પાદૃમાં ૩૪ સૂત્રો છે. રમેશ જાદૃવ સમાધિપાદૃ વિશે અગાઉ એક પુસ્તક લખી ચુક્યા હતા. એમનું લેટેસ્ટ પુસ્તક  સાધનપાદૃ પર કેન્દ્રિત થયું છે. પુસ્તકમાં સાધનપાદૃના તમામ પંચાવન સૂત્રોને વિગતવાર સમજાવવામાં આવ્યા છે. આજે આ વિદ્વત્તાભર્યા પુસ્તકની એક ઝલક મેળવવી છે.

રમેશ જાદવ
સમાધિપાદૃનાં સૂત્રો પતંજલિ મુનિએ યોગીઓ અને સાધકોને ધ્યાનમાં રાખીને રચ્યા હતા, જ્યારે સાધનપાદૃનું ટાર્ગેટ ઓડિયન્સ સંસારી લોકો છે. તેથી આપણને એમાં વિશેષ રસ પડે છે. સાધનપાદૃના ત્રીજા સૂત્રમાં પતંજલિ કહે છે:

અવિદ્યાઅસ્મિતારાગદ્વેષાભિનિવેશા: પંચ ક્લેશા:

અર્થાત અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. ક્લેશ એટલે સાદૃી ભાષામાં કહીએ તો માનસિક તાણ, પીડા, ઝઘડા વગેરેને કારણે પેદૃા થતું દૃુખ. ‘ગુજરાતી અસ્મિતા' એક લોકપ્રિય શબ્દૃપ્રયોગ છે. અસ્મિતા એટલે હુંપણું, ખુદૃની ઓળખ અને એમાંથી પેદૃા થતો ગર્વ. અસ્મિતા શબ્દૃને આપણે પોઝિટિવ પ્રકાશમાં જોઈએ છીએ, પણ ભાષા જબરી ડાયનેમિક ચીજ છે. સ્થળકાળ પ્રમાણે શબ્દૃોની અર્થચ્છાયાઓ રંગ-આકાર બદૃલતી રહે છે. પતંજલિએ અહીં અસ્મિતાને પીડાનું એક કારણ ગણાવ્યું છે. હુંપણું, હું શુદ્ધ છું એવો ભાવ દૃુખનું કારણ હોઈ શકે છે!

અવિદ્યા એટલે? અજ્ઞાન, વિદ્યાનો અભાવ કે ખબર ન હોવી તે અવિદ્યા શબ્દૃોનો સ્થૂળ અર્થ થયો, જે પૂરતો નથી. અવિદ્યા એટલે વસ્તુઓ જેવી નથી તેવી તેને સમજવી, માની લેવી, તેની કલ્પના કરવી. અવિદ્યા એટલે મિથ્યા જ્ઞાન. વિવેકબુદ્ધિથી ઊલટું. પતંજલિએ એક અલાયદૃા સૂત્રમાં લખ્યું છે કે અનિત્ય, અશુચિ (અશુદ્ધ), દૃુખદૃ અને અનાત્મ (સ્થૂળ વસ્તુ)ને અનુક્રમે નિત્ય, શુચિ, સુખદૃ અને આત્મા તરીકે માની લેવું એનું નામ અવિદ્યા. અવિદ્યાનો સંબંધ મોહમાયા સાથે પણ છે. અભિનિવેશ એટલે જીવન જીવવાની તીવ્ર ઉત્કંઠા, તેનો આવેગ. ચિત્તમાં હંમેશાં મૃત્યુનો ભય ઝળુંબતો રહેવો. મૃત્યુથી દૃૂર ભાગતા રહેવાની અને યેનકેનપ્રકારેણ જીવ્યે રાખવાની વૃત્તિ પણ દૃુખ પેદૃા કરે છે!

પતંજિલએ અહીં પાંચ કલેશ ગણાવ્યા છે એમાં અવિદ્યા મુખ્ય છે. અસ્મિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ આ ચાર ક્લેશ અવિદ્યાને કારણે પેદૃા થાય છે. શાસ્ત્રો આપણને અવિદ્યાથી બચવાની, એનાથી દૃૂર રહેવાનો પ્રયત્ન કરવાની શીખામણ આપે છે. વસિષ્ઠ મુનિએ પણ રામને કહ્યું હતું કે, ‘અવિદ્યા સઘળી મુશ્કેલીઓની સખી છે. તે અજ્ઞાન સ્વરુપ અને અનર્થોની માતા છે. ત્રણેય લોકના વિખ્યાત અને મહાપંડિત પુરુષોમાં પણ એવું કોઈ નથી જેમને અવિદ્યા (માયા)એ પરવશ કર્યા ન હોય. આથી હે રામ, મહારોગ જેવા સ્વભાવવાળી આ અવિદ્યાનો નાશ કરવાનો પ્રયત્ન કરો એટલે પછી અવિદ્યા તમને ફરીવાર જન્મસંંબંધી દૃુખોમાં નાખશે નહીં.'



સાધનપાદૃનું સોળમું સૂત્ર છે - હેયં દૃુખમનાગતમ્. હેયમ્ એટલે નાશ કરવા યોગ્ય. અનાગતમ્ એટલે જે હજુ આવ્યું નથી તે. આ સૂત્રનો અર્થ થાય છે કે જે દૃુખ હજુ આવ્યું નથી તે નાશ કરવા યોગ્ય છે. જે દૃુખો આપણે અગાઉ ભોગવી ચુક્યા છીએ તે હવે ભૂતકાળ બની ગયો છે. વીતેલાં દૃુખોને યાદૃ કરીને, ખોતરી ખોતરીને નવેસરથી દૃુખી થવાનું કોઈ કારણ નથી. વર્તમાનમાં જે દૃુખ છે એ તો ભોગવ્યે જ છુટકો, પણ જે દૃુખ હજુ આવ્યું પણ નથી એની કલ્પના શા માટે ક્રવાની? બુઢાપામાં મારું શું થશે, દૃીકરાઓ નહીં સાચવે તો, વહુઓ સારી ન મળી તો, પાછલી ઉંમરે ફલાણુંઢીકણું થશે તો, સંબંધ નહીં ટકે તો... આ બધી સંભવિત દૃુખોની કલ્પનાઓ છે. મોટે ભાગે આવા કલ્પી લીધેલાં સંભવિત દૃુખો ક્યારેય આવતાં હોતાં નથી. જે બન્યું જ નથી ને કદૃાચ કયારેય બનવાનું નથી તેની કલ્પના કરી કરીને અકારણ દૃુખી થયા કરવાનો શો મતલબ છે? તેથી જ પતંજલિ કહે છે કે ભવિષ્યકાળનાં સંભવિત દૃુખોથી તો દૃૂર જ રહેવું જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ, તેનો વિનાશ કરવો જોઈએ.

ફોન્ટના પ્રોબ્લેમને કારણે અમુક સંસ્કૃત અક્ષરો અહીં યથાતથ નહીં છાપી શકાય છતાંય જુદૃા જુદૃા શબ્દૃો વચ્ચે સળંગ સંધિ કરેલું ઓગણત્રીસમા નંબરનું આ લાંબુલચ્ચ પતંજલિસૂત્ર જુઓ -    

યમનિયમાસનપ્રાણાયામપ્રત્યાહારધારણાધ્યાનસમાધયોષ્ટાવંગાનિ.

અર્થાત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ યોગનાં આઠ અંગો છે.
અષ્ટાંગયોગ એવો શબ્દૃપ્રયોગ આપણે ઘણી વાર વાંચ્યો-સાંભળ્યો છે. આ અષ્ટ અંગમાના યમ એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. અિંહસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંગ્રહ ન કરવો) અને અસ્તેય (ચોરી ન કરવી) - યમના આ પાંચ તત્ત્વો છે.  આ પાંચેયનું પાલન જરુરી. ઘારણા એટલે આત્મસાક્ષાત્કારનો સંકલ્પ ધારણ કરી તેમાં એકાગ્રતા કેળવવી. ચિત્તને કોઈ એક સ્થાન પર સ્થિર કરી એને એકાગ્ર કરવું. વધારે સરળ શબ્દૃોમાં કહીએ તો, ધારણા એટલે તલ્લીન થઈ જવું. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયસુખમાંથી પાછી ખેંચી લેવી.

અષ્ટાંગયોગનું ત્રીજું અંગ આસન છે. માણસ શાંતિપૂર્વક આસન લગાવી સ્થિર થાય એટલે પ્રાણાયામ માટે તૈયાર થઈ જાય. પ્રાણાયામમાં શ્ર્વાસ અને ઉચ્છવાસની ગતિનું નિયમન કરવાનું હોય છે. અનુલોમ-વિલોમ, આંતરકુંભક, બાહ્યકુંભક વગેરે પ્રાણાયામનાં જુદૃાં જુદૃાં સ્વરુપો છે. પ્રાણાયામથી મનને વશમાં રાખવામાં મદૃદૃ મળે છે. આસન અને પ્રાણાયામમાં પૂરતી ફાવટ આવે તે સ્થિતિ અષ્ટાંગયોગનાં બાકીના અંગો (પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ) માટે ઉપયોગી બને છે. રમેશ જાદૃવ સૂત્રને સમજાવતાં લખે છે કે મનુષ્ય જ્યાં સુધી અષ્ટાંગયોગના આ આઠેય અંગોને આચરણમાં ન મૂકે ત્યાં સુધી યોગી બની શકતો નથી. આ વાત માત્ર સંન્યાસીઓને જ નહીં, સંસારીઓને પણ અપ્લાય થાય છે. અહીં ‘કંડીશન અપ્લાઈડ'ની ફૂદૃડી મૂકવી કે નહીં તે તમારે નક્કી કરવાનું છે!

                                                                            0 0 0

ફોટો-ફિચર

રમેશ જાદવના અંતિમ પુસ્તક ‘મહર્ષિ પતંજલિનાં યોગસૂત્રો - સાધનપાદૃ'નું  ન્યુજર્સી (અમેરિકા) સ્થિત ગુજરાત દર્પણ સાહિત્ય સભામાં 18 એપ્રિલ 2017ના રોજ વિમોચન થયું હતું તે પ્રસંગની તસવીરો. પુસ્તકનું અનાવરણ ન્યુજર્સીમાં સ્થાયી થયેલા વરિષ્ઠ પત્રકાર-લેખક કૌશિક અમીને કર્યું હતું. 



રમેશ જાદવ અને કૌશિક અમીન 

                                                                            0 0 0