Thursday, May 18, 2017

આધ્યાત્મિકતાનો સ્પર્શ જુવાનીમાં જ થઈ જવો જોઈએ

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૭ મે ૨૦૧૭

ટેક ઓફ

શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, િંજદૃગીની ઈમારતનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ તરંગો સર્જ્યાં કરતાં હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું હજુ બાકી હોય અને િંજદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે.




માણસે કયારે આધ્યાત્મિક બનવું જોઈએ? જીવનના કયા તબક્કે માણસને આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ જવો જોઈએ? આધ્યાત્મિકતાને કઈ રીતે ડિફાઈન કરી શકાય? આધ્યાત્મિક હોવું અને ધાર્મિક હોવું - આ બન્ને એક જ વસ્તુ છે કે અલગ અલગ? જિંદૃગીમાં એક સમય આવે છે જ્યારે આપણું મન આ બધા પ્રશ્ર્નોના ઉત્તર તીવ્રતાથી ઝંખવા માંડે છે.

મા-બાપે કે દૃાદૃા-દૃાદૃીએ શીખવ્યું હતું એટલે ભગવાનની મૂર્તિ સામે યાંત્રિકપણે અગરબત્તી-દૃીવા કરી નાખવા કે ઘરમાંથી બહાર પગ મૂક્તાં પહેલાં ભગવાન સામે માથું નમાવીને ફટાફટ નીકળી જવું તે ધાર્મિકતા નથી. રુદ્રાક્ષની માળા હાથમાં લઈને સમજ્યા વગર બંધ આંખે જાપ જપવા બેસી જવું તે પણ ધાર્મિકતા નથી. સાચા ધર્મ અને અધ્યાત્મને બાહ્ય વિધિઓ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? સ્વામી વિવેકાનંદૃે યોગ્ય જ કહ્યું છે કે, ‘યજ્ઞયાગ, સાષ્ટાંગ દૃંડવત પ્રણામ, અસ્પષ્ટ મંત્રોચ્ચાર એ કંઈ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો ઊચ્ચ થાય કે આપણે ઈશ્ર્વરી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરી શકીએ અને સુંદૃર તથા સાહસિક કાર્યો કરવાને પ્રરાઈએ, તો જ આ બધામાં કંઈ સાર છે. જ્યાં સુધી ‘મને અડકશો નહીં' એ તમારો પંથ છે અને રસોડાનું હાંડલું તમારો દૃેવ છે ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ અસંભવિત છે.'

પ્રચલિત રીતે જેને ‘ધર્મ' કહેવામાં આવે છે તેનો સંદૃર્ભ ખરેખર તો સંપ્રદૃાયો સાથે હોય છે. હિંદૃુ ઘરમાં જન્મેલું બાળક આપોઆપ હિંદૃુ બને છે. ખ્રિસ્તી કે મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક આપોઆપ ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે. આ અર્થમાં સંપ્રદૃાય માણસને વારસામાં મળે છે, પણ અધ્યાત્મ માણસે ખુદૃ ડિસ્કવર કરવું પડે છે. સંપ્રદૃાય પરંપરાગત રસ્તે થઈને આપણે જેને ઈશ્ર્વર કે પરમપિતા પરમાત્મા કહીએ છીએ તેની નજીક લઈ જવાનું કામ કરે છે, જ્યારે અધ્યાત્મ માણસને પોતાની જાતની નજીક લઈ જાય છે, એને પોતાની પ્રકૃતિ અને વૃત્તિઓ પ્રત્યે જાગૃત બનાવે છે. ધર્મ અને અધ્યાત્મ વાસ્તવમાં ઇન્ટરચેન્જેબલ બાબતો છે. આ બન્નેની વચ્ચે વ્યાખ્યાઓની ઊંચી દૃીવાલ ચણવાની જરુર નથી. તમે ધર્મ કહો કે અધ્યાત્મ, બન્નેનો ઉદ્દેશ આખરે તો એક જ છે - માણસને જીવન જીવવાની કળા શીખવવાનો. જે વસ્તુ માણસને જીવન જીવવાની કલા શીખવી શકતી નથી તે નથી ધર્મ કે નથી અધ્યાત્મ.  

અમુક લોકોના મનમાં એક તદ્દન ફાલતુ માન્યતા ઊભી થઈ ગઈ છે કે આધ્યાત્મિકતા ને એવું બધું તો બુઢાપામાં કરવાનું હોય. જુવાની અને આધ્યાત્મિક્તાને શું લાગેવળગે? આ માન્યતામાંથી ત્વરિત બહાર આવી જવાનું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગી ચુક્યું હોય, શરીર ખખડી ગયું હોય, આંખ-કાન-જીભ ક્ષીણ થવા લાગ્યાં હોય અને જીવનમાં હવે કરવા માટે હવે બીજું કશું બચ્યું ન હોય ત્યારે માણસ સ્પિરિચ્યુઅલ બને તોય શું ને ન બને તોય શું. મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય પછી જીવન જીવવાની કલા આવડે તોય શું, ન આવડે તોય શું. આધ્યાત્મિકતા કંઈ નવરા બુઢા લોકો માટેની ટાઈમપાસ એકિટવિટી નથી.



જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઈ જવો જોઈએ. જ્યારે શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, જિંદૃગીની ઈમારત ઊભી કરવાનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ સતત તરંગો સર્જ્યાં કરતાં હોય, કરીઅર અને લગ્ન જેવાં જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો હજુ લેવાયા ન હોય અથવા તાજા તાજા લેવાયા હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું બાકી હોય અને જિંદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે. જો યુવાનીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રે સાચી દિૃશામાં કદૃમ માંડી દૃીધાં હશે તો અગાઉ ક્યારેય થઈ નહોતી થઈ એવી આંતરિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. જીવનનાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટાં યુદ્ધો લડવામાં ખૂબ મદૃદૃ મળે છે. માણસને આધ્યાત્મિકતા યુવાનીમાં સૌથી વધારે શોભે છે.

... અને તેથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં પગ મૂકી રહેલા યુવાનોને જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. દૃુનિયાભરમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનાં આશરે ૨૫,૦૦૦ યુવા કેન્દ્રો તેમજ યુવતી કેન્દ્રો સક્રિય છે. દૃર અઠવાડિયે ૧૬થી ૩૦ વર્ષની એજગ્રપુમાં સ્થાન પામતા લાખો યંગસ્ટર્સ આ કેન્દ્રોમાં એકત્રિત થઈને શારીરિક-માનસિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના પાઠ શીખે છે. ગૌતમ બુદ્ધે વિશ્ર્વને જેની ભેટ આપી છે વિપશ્યનાની સાધના  ખાસ્સી ચેલેન્જિંગ અને કઠિન છે, પણ વિપશ્યનાની શિબિરોમાં યુવાનોની બહુમતી જોઈને પુલકિત થઈ જવાય છે. આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના બહુ વખણાતા અસ્મિતા પર્વ નામના સાંસ્કૃતિક ઉત્સવોમાં યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અર્બન અપીલ ધરાવતા પદ્મવિભૂષણ જગ્ગી સદૃગુરુ અધ્યાત્મક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે અને યુવાનોમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. આવાં અનેક ઉદૃાહરણો છે.

આધ્યાત્મિક સાધના શીખ્યા પછી તેનો ગંભીરતાપૂર્વક નિયમિત રિયાઝ કરતા યુવાનોની જીવનશૈલીમાં અને વર્તન-વ્યવહારમાં આશ્ર્ચર્ય થાય એવાં નક્કર પરિવર્તનો જોઈ શકાય છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઊત્તમ કામગીરી કરશે એવી અપેક્ષા રાખવાનું પણ મન થાય છે. એવી ખાતરી તો મળે જ છે કે આ યંગસ્ટર્સ આગળ જતા મહાન કામો કરે કે ન કરે, પણ કમસે કમ તેઓ ભ્રષ્ટ, લબાડ અને ચરિત્રહીન તો નહીં જ બને.    

આધ્યાત્મિક હોવું એટલે ભગતડા બની જવું એમ નહીં. આધ્યાત્મિક હોવું એટલે નીરસ બની જવું એમ પણ નહીં. આધ્યાત્મિકતાનો ઉપયોગ પ્રમાદૃી કે પલાયનવાદૃી બનવા માટે બિલકુલ કરવાનો નથી. મહેનત કરવાના સમયે જો તમે પલગં પર લાંબા થઈને, સાઈડમાં લેપટોપ ખોલીને, યુટ્યુબ પર ક્લાકો સુધી આધ્યાત્મિક પ્રવચનોના વિડીયો જોયા કરો તે ન ચાલે. જવાબદૃારીથી ભાગીને  ‘ના હોં, મારો મેડિટેશનનો ટાઈમ થઈ ગયો' એમ કહીને તમે પલાંઠી વાળીને બેસી જાઓ તે પણ ન ચાલે. મોરારીબાપુ ક્હે છે તેમ, ક્થામાં તો ઘણા લોકો બેસે છે, પણ લોકોમાં ક્થા બેસતી નથી! આધ્યાત્મિક્તાના મામલામાં પણ આવું જ.

ઘણા લોકોને સ્પિરિચ્યુઆલિટીનું વ્યસન થઈ જાય છે. તેઓ ગંગામાં ધૂબાકા લગાવશે, હૃષિકેશ-હરિદ્વાર જઈને યોગસાધનાના કરી આવશે, વિપશ્યનાની દૃસ-દૃસ દિૃવસની શિબિરો કરશે, આનંદૃમૂર્તિ ગુરુમાના ગન્નોર ખાતે આવેલા રિશી ચૈતન્ય આશ્રમમાં દિૃવસો પસાર કરશે, ગાંજો પીતા પીતા જોરશોરથી ઓશો રજનીશ વિશે તાત્ત્વિક ચર્ચાઓ કરશે ને અઘોરીઓ પાસેથી ભેદૃી વિદ્યા શીખવા જંગલોમાં ડાફરિયા પણ મારશે. આવા લોકોે સ્પિરિચ્યુઅલ જન્કી છે. આપણે એમના જેવા તો જરાય બનવાનું નથી. આપણે અધ્યાત્મમાં સક્રિય બનવાનું છે, આધ્યાત્મિક મનોરંજનમાં નહીં. અધ્યાત્મ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જો વિવેકબુદ્ધિ અને સંતુલન ન જળવાય તો બધું નકામું છે.  

સ્વામી વિવેકાનંદૃે વર્ષો પહેલાં યુવાનોને ઉદ્દેશીને જે ક્હેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છેઃ ‘આપણા દૃેશમાંં હજી ધર્મ અને આધ્યાત્મિકતા છે. ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રવાહોએ દૃુનિયા પર પૂરજોશમાં વહેવું પડશે અને દૃુનિયાને તરબતર કરી દૃેવી પડશે... દૃરેક જીવાત્મામાં દિૃવ્યતા સુપ્ત રુપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદૃર રહેલી દિૃવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભકિત અથવા પ્રાણાયામ કે તત્ત્વજ્ઞાન આમાંથી એકથી વધારેની અથવા બધાંની મદૃદૃ લઈને એ કરો અને મુકત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિૃરો, બાહ્ય આચાર - આ બધી ગૌણ વાતો છે.'

0 0 0 

No comments:

Post a Comment