Wednesday, November 29, 2017

એન આર્ટિસ્ટ રિટર્ન્સ…

Sandesh - Sanskar purti - November 26, 2017
મલ્ટિપ્લેક્સ

એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ. પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી. 


  થેન્ક ગોડ… તનુજા ચંદ્રા હજુ છે, હેમખેમ છે અને ફુલ ફોર્મમાં છે!
‘કરીબ કરીબ સિંગલ’ જોતી વખતે અને જોયા પછી સૌથી પહેલો હાશકારો આ વાતે થયો હતો. તનુજા ચંદ્રા જેવાં તેજસ્વી ફ્લ્મિમેકર વચ્ચેનાં વર્ષોમાં બોલિવૂડના પટ પરથી લગભગ ગાયબ થઈ ગયાં હતાં. મલ્ટિપ્લેક્સ કલ્ચરનો ઉદય થયા પછી હિન્દી સિનેમા નવી નવી રંગછટા ધારણ ધારણ કરી રહૃાું હતું, નવા તેજસ્વી ફ્લ્મિમેકર્સ મસ્તમજાની ફ્લ્મિો લઈને ઉપસ્થિત થઈ રહૃાા હતા, પણ આવા માહોલમાં એક સમયે નવોદિત ડિરેક્ટર તરીકે જેણે ખૂબ બધી અપેક્ષાઓ ઊભી કરી હતી એવાં તનુજા ચંદ્રાનો કોઈ અતોપતો નહોતો.
યંગસ્ટર્સ કદાચ જાણતા નહીં હોય, પણ તનુજા ચંદ્રાની ડિરેકટર તરીકેની સૌથી પહેલી ફ્લ્મિ આજથી ઓગણીસ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૮માં. એનું ટાઇટલ હતું ‘દુશ્મન’. મહેશ ભટ્ટનું બેનર. આ એક રિવેન્જ મૂવી હતી, જેમાં કાજોલનો ડબલરોલ હતો. એ વખતે ખાસ જાણીતા ન બનેલા મોટી મોટી આંખોવાળા આશુતોષ રાણાએ આ ફ્લ્મિમાં ઓડિયન્સ કાંપી ઊઠે એવો વિલનનો રોલ કર્યો હતો. ફ્લ્મિ હિટ થઈ અને તેને ડિરેકટ કરનાર તનુજા ચંદ્રા નામની ટ્વેન્ટી-સમથિંગ જુવાનડી એકદમ પ્રકાશમાં આવી ગઈ. અલબત્ત, ‘દુશ્મન’ની પહેલાં તનુજાના નામે બે ફ્લ્મિો ચડી ગઈ હતી, એક લેખિકા તરીકે. એક હતી મહેશ ભટ્ટની ઓફ્બીટ ‘તમન્ના’ (જેમાં પરેશ રાવલે હિજડાની અફ્લાતૂન ભૂમિકા ભજવેલી) અને બીજી હતી યશ ચોપડાની અલ્ટ્રા ગ્લેમરસ ‘દિલ તો પાગલ હૈ’ (શાહરૂખ-માધુરી-કરિશ્મા). આ બંને ફ્લ્મિો ‘દુશ્મન’ની એક જ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૭માં. તનુજાએ, અલબત્ત, આ ફ્લ્મિો એકલપંડે નહોતી લખી, આ બંનેમાં તેઓ સહલેખિકા હતાં.

તનુજાને ફ્લ્મિી કલ્ચર વારસામાં મળ્યું છે. તનુજાનાં મમ્મી કામના ચંદ્રા સફ્ળ ફ્લ્મિલેખિકા. ‘પ્રેમરોગ’, ‘ચાંદની’, ‘૧૯૪૨: અ લવસ્ટોરી’, ‘કરીબ’ અને લેટેસ્ટ ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફ્લ્મિો કામના ચંદ્રાના બાયોડેટામાં બોલે છે. જાણીતાં ફ્લ્મિ જર્નલિસ્ટ-રાઇટર-રિવ્યુઅર અનુપમા ચોપડા તનુજાનાં મોટાં બહેન થાય. આ ન્યાયે ટોચના ફ્લ્મિમેકર વિધુ વિનોદ ચોપડા તનુજાના જિજાજી થાય. અમેરિકામાં સેટલ થઈ ગયેલા તનુજાના ભાઈ વિક્રમ ચંદ્રા એવોર્ડવિનિંગ નવલકથાકાર છે, જેમના ‘સેક્રેડ ગેમ્સ’ નામના પુસ્તક પરથી નેટફ્લિક્સ સૈફ્ અલી ખાનને લઈને વેબ-સિરીઝ બનાવી રહૃાું છે. નેટફ્લિકસની આ પહેલી ઇન્ડિયન સિરીઝ હશે. ટૂંકમાં, તનુજાનો આખો પરિવાર ક્રિયેટિવ આર્ટ્સ સાથે સંકળાયેલો છે.

Tanuja Chandra

‘દુશ્મન’ પછી એક વર્ષ બાદ તનુજાની બીજી ડિરેક્ટોરિઅલ ફ્લ્મિ આવી – ‘સંઘર્ષ’. તે ઓસ્કરવિનિંગ ફ્લ્મિ ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ’ પરથી પ્રેરિત હતી. અત્યાર સુધી ફ્કત મારધાડવાળી મસાલા ફ્લ્મિો કરનાર અક્ષયકુમારને જિંદગીમાં પહેલી વાર ‘પર્ફેર્મન્સ ઓરિએન્ટેડ’ રોલ મળ્યો હતો. ફ્લ્મિમાં પ્રીતિ ઝિન્ટા પણ હતી. અદ્ભુત ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ્સ’ને મનમાં રાખીને ‘સંઘર્ષ’ જોવા ગયેલા દર્શકોને એમાં કયાંથી મજા આવે, પણ સમગ્રપણે આ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સનું ધ્યાન જરૂર ખેંચી શકી. સૌને નવાઈ એ વાતની લાગતી હતી કે તનુજા ચંદ્રા નામની આ ચશ્મિસ્ટ છોકરી દેખાવે તો સાવ દુબળીપાતળી ને સીધીસાદી છે, પણ એની ફ્લ્મિો આટલી હિંસક અને ડાર્ક કેમ હોય છે?
બોલિવૂડની હોટ-એન્ડ-હેપનિંગ ડિરેકટર તરીકે પ્રતિષ્ઠા હજુ બને ત્યાં તો તનુજા ચંદ્રાનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં. ત્રીજી ફ્લ્મિ, ‘યે ઝિંદગી કા સફર’ (અમિષા પટેલ-જિમી શેરગિલ, ૨૦૦૧). ફ્લોપ. ‘સૂર’ (લકી અલી – ગૌરી કાર્ણિક, ૨૦૦૨). ગીતસંગીત સારાં પણ ફ્લ્મિ હરખાવું પડે એવી નહીં. ‘ફ્લ્મિ સ્ટાર’ (પ્રિયાંશુ ચેટર્જી – મહિમા ચૌધરી, ૨૦૦૫). હરામ બરાબર કોઈએ આ ફ્લ્મિનું નામ પણ સાંભળ્યું હોય તો! ‘ઝિંદગી રોકસ’ (સુસ્મિતા સેન-શાઇની આહુજા, ૨૦૦૬). ડિટ્ટો. ‘હોપ એન્ડ અ લિટલ સુગર’ (મહિમા ચૌધરી-અનુપમ ખેર વગેરે, ૨૦૦૮). ડિટ્ટો.
…અને બસ, તનુજા ચંદ્રાની ફ્લ્મિોગ્રાફીનો ધી એન્ડ. વેલ, ઓલમોસ્ટ. ૨૦૦૮થી ૨૦૧૭ એટલે કે પૂરાં નવ વર્ષ દરમિયાન તનુજા એવી રીતે ગાયબ થઈ ગયાં કે છાપામાં ‘ખોવાયા છે’ પ્રકારની જાહેરાત આપવી પડે. ગણ્યાગાંઠયા અપવાદ સિવાય ન કોઈ ફ્લ્મિી ઇવેન્ટમાં દેખાય, ન કોઈ એવોર્ડ ફ્ંકશનમાં ફરકે. ટીવી પર આજકાલ અલગ-અલગ શોઝમાં ફ્લ્મિી લોકો પડયાપાથર્યા રહે છે, પણ સ્મોલ સ્ક્રીન પર પણ તનુજાનું નામોનિશાન નહીં. ફ્લ્મિી સામયિકો-લખાણોમાં એમનો ઉલ્લેખ ન મળે. અરે, કોઈના મોઢે પણ એમનું નામ ન સંભળાય. તનુજા ચંદ્રા લગભગ ભુલાઈ ગયાં.
પણ થોડાં અઠવાડિયાં પહેલાં ‘કરીબ કરીબ સિંગલ’નું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયાં, પ્રમોશનલ એકિટવિટી શરૂ થઈ અને એકાએક આ ફ્લ્મિના ડિરેક્ટર અને સ્ક્રીનપ્લેરાઇટર તરીકે તનુજા ચંદ્રા પ્રગટયાં. ઇરફાન જેવા ધરખમ હીરો સામે પાર્વતી નામની તદ્દન અજાણી મલયાલી એકટ્રેસ મુખ્ય ભૂમિકામાં હતી. ટ્રેલર મસ્ત હતાં, પણ આખું સેટ-અપ લો-પ્રોફાઇલ હતું. તરત ધ્યાન ખેંચાય એવી વાત એ હતી કે વાયોલન્ટ અને ડાર્ક ફ્લ્મિો માટે જાણીતાં તનુજા ચંદ્રાએ આ વખતે પોતાની મૂળ ફ્લ્મિી તાસીર કરતાં તદ્દન અલગ એવી રોમેન્ટિક કોમેડી પર હાથ અજમાવ્યો હતો.
ફ્લ્મિ આ મહિને રિલીઝ થઈ. સુંદર, સહજ અને ઓડિયન્સને હસતા રાખે એવી મજાની ફ્લ્મિ. ૨૦૧૭ની શરૂઆતમાં ઇરફાનને આપણે ‘હિન્દી મીડિયમ’ નામની અફ્લાતૂન ફ્લ્મિમાં હલકાફૂલકા અવતારમાં જોયા હતા. ‘કરીબ કરીબ સિંગલ’ જાણે એ જ હળવાફૂલ અવતારનું એકસટેન્શન છે. ‘કરીબ કરીબ સિંગલ’ કંઈ મહાન માસ્ટરપીસ નથી, ક્ે નથી એણે બોક્સઓફ્સિ પર તોફાન મચાવ્યું, પણ નિઃશંકપણે તે આ વર્ષની સૌથી એન્જોયેબલ ફ્લ્મિોમાંની એક જરૂર છે. આ ફ્લ્મિ જોઈને ઇરફાનના નવેસરથી પ્રેમમાં પડી જવાય છે અને પાર્વતીની હવે પછીની હિન્દી ફ્લ્મિની રાહ જોવાનું મન થાય છે. સૌથી વધારે ધરપત તો, અગાઉ કહૃાું તેમ, એ વાતે થાય છે કે ભલે ‘દુશ્મન’-‘સંઘર્ષ’ પછી તનુજા ચંદ્રાની કરિયર અપેક્ષા પ્રમાણે આગળ ન વધી, ભલે એ વચ્ચેના વર્ષોમાં એ સાવ વિસરાઈ ગયાં પણ થેન્ક ગોડ, એમનો ક્રિયેટિવ ફોર્સ આજેય અકબંધ છે, રિલેવન્ટ છે, કદાચ વધારે અણિયાળો બન્યો છે.
એક મિનિટ. તનુજા ચંદ્રા હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે વચ્ચેનાં વર્ષોમાં હું ભલે મીડિયા અને પબ્લિકની નજરમાંથી ઓઝલ થઈ ગઈ હોઈશ, પણ હું નિષ્ક્રિય કયારેય નહોતી બની. તનુજાએ બે ફ્લ્મિોની સ્ક્રીપ્ટ્સ પર કામ કર્યું હતું. કેટલાય ડ્રાફ્ટ્સ તૈયાર કર્યા, કાસ્ટિંગ સુધી વાત પહોંચી ગઈ, પણ છેલ્લી ઘડીએ એક પછી એક બંને પ્રોજેકટ્સ અભેરાઈ પર ચડી ગયા. આ આખી પ્રોસેસમાં એમનો કીમતી સમય વેડફઈ ગયો. એમ તો એમણે આ ગાળામાં ‘બિજનીસ વુમન’ નામનું અંગ્રેજી પુસ્તક પણ લખ્યું. ઉત્તર પ્રદેશના અતરંગી અને અસલી પાત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ આ જ વર્ષે જુલાઈમાં રિલીઝ થયો હતો.
બનતું હોય છે આવું. ફ્લ્મિલાઇન છે જ એવી. એક ફ્લ્મિ બનવા માટે એકસાથે એટલા બધા ગ્રહોની યુતિ થવી પડતી હોય છે કે એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે વચ્ચેના ખાલી અવકાશમાં ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ.

Saandeep Patel

આજકાલ ગુજરાતી ફ્લ્મિ ‘લવની ભવાઈ’ તરંગો ફેલાવી રહી છે. એના ડિરેકટર સંદીપ પટેલે અગાઉ ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ (૧૯૯૯) અને ‘ગગો કે’ દા’ડાનું પૈણું પૈણું કરતો’તો’ (૨૦૦૫) બનાવી હતી. એ જમાનો ‘જૂની ગુજરાતી ફ્લ્મિો’નો હતો. વચ્ચેનાં વર્ષોમાં એમણે ખૂબ બધી ટીવી સીરિયલો ડિરેકટ કરી. દરમિયાન ગુજરાતી સિનેમાનો નવો દોર શરૂ થયો અને સંદીપ પટેલ બાર વર્ષ પછી ફરી પાછા ફ્લ્મિમેકર તરીકે મેદાનમાં પાછા ઉતર્યા. બાર વર્ષનો ગાળો બહુ લાંબો કહેવાય. ટીવીના કર્મ્ફ્ટ ઝોનમાં બહાર આવીને નવા સિનેમેટિક માહોલમાં, નવા ઓડિયન્સ માટે, નવી સેન્સિબિલિટી સાથે ફ્લ્મિ બનાવવી સહેલી નથી, પણ ‘લવની ભવાઈ’ જેવી ખુશનુમા, યુથફુલ અને સફ્ળ ફ્લ્મિ બનાવીને સંદીપ પટેલે પુરવાર કર્યું કે એક ફ્લ્મિમેકર તરીકેનું એમનું પેશન કયારેય ઠર્યું નહોતું. બલકે, તે વધારે ધારદાર બન્યું છે. પ્રોજેક્ટ ફ્લોર પર હોય કે ન હોય, પણ એક ક્રિયેટિવ આર્ટિસ્ટ તરીકે તેઓ સતત જાગૃત અને અપડેટેડ રહૃાા છે.
ઘણા કિસ્સાઓ છે. મેઘના ગુલઝારે ૨૦૦૨માં ‘ફ્લિહાલ’ બનાવી હતી. પાંચ વર્ષ પછી ‘જસ્ટ મેરીડ’ નામની ફ્લ્મિ આવી. પછી એ ગાયબ થઈ ગયા. પછી સીધા ૨૦૧૫માં પ્રગટયાં – આરુષી મર્ડર કેસ પર આધારિત ‘તલવાર’ નામની અફ્લાતૂન, ગર્વ થાય એવી ફ્લ્મિ લઈને. માસ્ટર ફ્લ્મિમેકરોની વાત કરીએ તો, સ્ટેન્લી કુબ્રિકની અંતિમ બે ફ્લ્મિો ‘ફુલ મેટલ જેકેટ’ (૧૯૮૭) અને ‘આઇઝ વાઇડ શટ’ (૧૯૯૯) વચ્ચે અગિયાર વર્ષનો ગાળો હતો, ડેવિડ લીનની ‘રાયન્સ ડોટર’ (૧૯૭૦) અને ‘અ પેસેજ ટુ ઇન્ડિયા’ (૧૯૮૪) વચ્ચે ૧૪ વર્ષનો ગાળો હતો, જ્યારે ટેરેન્સ મલિકની ‘ડેઝ ઓફ્ હેવન’ (૧૯૭૮) અને ‘ધ થિન રેડ લાઇન’ (૧૯૯૮) વચ્ચે વીસ વર્ષનો ગાળો હતો!
પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી.

                                                                        000

Wednesday, November 15, 2017

ટાગોર, નોબેલ પ્રાઇઝ અને ફ્રસ્ટ્રેશન

Sandesh - Ardh Saptahik Purti - 8 Nov 2017
ટેક ઓફ

'નોબેલ પ્રાઇઝને કારણે)અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે.'



વીન્દ્રનાથ ટાગોરને ૧૯૧૩માં સાહિત્યનું નોેબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ૪૮ વર્ષના હતા. યુરોપિયન ન હોય એવી કોઈ વ્યકિતને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એવી આ પહેલી ઘટના. કેટલી પ્રચંડ સિદ્ધિ. ભારત આજે સો કરતાં વધારે વર્ષ પછીય ટાગોરને મળેલા આ સન્માનના કેફ્માં ઝુમી રહૃાું છે. કોઈપણ સાહિત્યકાર માટે નોબેલ પ્રાઇઝ કરતાં વધારે મોટી સ્વીકૃતિ બીજી કઈ હોવાની. આ કક્ષાનું આંતરરાષ્ટ્રીય બહુમાન મળે એટલે માણસ ધન્ય ધન્ય થઈ જાય, સુખી સુખી થઈ જાય, ખરું?
ના!
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને આનંદ, ગર્વ, સંતોષ બધું જ થયું હશે, એક સર્જક તરીકેનો એમનો ઇગો પણ ખૂબ સંતોષાયો હશે, પણ એમણે લખેલા પત્રો વાંચતા આપણને સમજાય છે કે નોબેલ પ્રાઇઝે એમને આૃર્ય થાય એટલી હદે અકળાવી મૂકયા હતા. આ પત્રો ગુરિદેવે વિલિયમ રોધેન્સ્ટાઇનને લખ્યા છે. લંડનવાસી ચિત્રકાર રોધેન્સ્ટાઇન એટલે ટાગોરના પરમ મિત્ર. ટાગોરને અને એમની કૃતિઓને પશ્ચિમમાં સર્વપ્રથમ ઇન્ટ્રોડયુસ કરાવનાર વ્યકિત આ જ. તેઓ પહેલી વાર પ્રત્યક્ષ મળ્યા ત્યારે ટાગોર ઓગણચાલીસ વર્ષના હતા અને રોધેન્સ્ટાઇન પચાસના. ક્રમશઃ અંતરંગ બનતી ગયેલી એમની મૈત્રી ત્રણ દાયકા સુધી વિસ્તરી. મેરી લેગો નામનાં અમેરિકન મહિલાએ આ બંને કલાપુરુષો વચ્ચે થયેલા પત્રવ્યવહારનું અદ્ભુત સંપાદન કર્યું છે.
ટાગોરે નોબેલ પ્રાઇઝને કારણે પેદા થયેલું ફ્રેસ્ટ્રેશન મુકતમને પોતાના વિશ્વાસુ સખા રોધેન્સ્ટાઇન સાથે શેર કર્યું છે. ૧૮ નવેમ્બર, ૧૯૧૩ના રોજ શાંતિનિકેતનથી ટાગોર લખે છેઃ
મારા પ્રિય મિત્ર,
મને નોબેલ-સન્માનથી નવાજેશ મળી એ સંદેશો આવ્યો એ જ ઘડીએ મારું હૃદય સ્નેહ અને કૃતજ્ઞાતાથી સભર તમારી તરફ્ વળ્યું છે. (આ ઘટનાથી) મારા મિત્રોમાંથી તમારા કરતાં વધુ ખુશી કોઈને ન થાય તેની મને ખાતરી છે. સર્વોચ્ચ સન્માન તો એ છે કે આવા સન્માનથી પ્રિયજનોના હૈયે હર્ષના હિલ્લોળ ઊઠે. પણ સાથે સાથે આ બધું મારી આકરી કસોટી કરે એવું છે. પ્રજાના ઉન્માદનો જે વંટોળ ઊઠયો છે એ સાચે જ બિહામણો છે. કૂતરાની પૂંછડીએ ખાલી ડબલું બાંધીએ તો એ જ્યાં જશે ત્યાં અવાજ કરીને લોકોને ભેગા કરશે. બસ, આના જેવી જ નઠારી સ્થિતિ મારી છે. થોડા દિવસથી (ખુશાલીના) તાર-કાગળનો ઢગલો થાય છે. જેમને મારે માટે સદ્ભાવનાનો છાંટો નહોતો કે જેમણે મેં લખેલો અક્ષરેય વાંચ્યો નથી એ લોકોનો કોલાહલ સહુથી કર્ણકટુ છે. આ શોરબકોરથી કેટલો થાકયો છું એ તમને કઈ રીતે કહું? ખરેખર તો આ લોકો મને નહીં, મને મળેલ સન્માનને નવાજવા નીકળ્યા છે. હા, શાંતિનિકેતનનાં બાળકો જે સાચુકલા ગર્વ અને આનંદપૂર્વક પ્રસંગ ઉજવે છે એ એકમાત્ર સાટું વાળનાર બીના છે.
પ્રજાનો ઉન્માદ ટાગોરને બિહામણો લાગે છે અને પોતાની જાતને તેઓ લગભગ કૂતરા સાથે સરખાવી દે છે! ત્રણ જ અઠવાડિયાં પછી, ૧૦ ડિસેમ્બર ૧૯૧૩ના રોજ કવિવર બીજા એક કાગળમાં સ્પષ્ટપણે એવા મતલબનું લખે છે કે નોબેલને લીધે જે મારી આસપાસ જે હાઇપ ઊભી થઈ છે તે મારી પ્રકૃતિને અનુરૂપ છે જ નહીં.

Rabindranath Tagore with William Rothenstein, July 1912

મારા મિત્ર,
મારા આ દિવસો ખલેલોથી ખદબદ, મારે માટે સાવ નકામા છે. પત્રો લખીને, ખોબે ભરીને આભારવચનો પાઠવીને અને મુલાકાતીઓને આવકારીને હું થાકી ગયો છું. તમને કઈ રીતે સમજાવું કે એકાએક આવી પડેલ આ બહુમાનને ગાંઠે એવી મારી પ્રકૃતિ નથી. શિયાળાનો આ તડકો મધુરો લાગે છે, અને હરિયાળી પોતાનો વૈભવ મારી ચોતરફ્ પાથરીને બેઠી છે… મારે નિરાંતની મિજલસ રચવી છે અને મારા વિચારોને આકાશની નીલિમામાં ઝબોળવા છે. ચોપાસ ઊડતાં પંખીઓ કોઈ માનઅકરામની પરવા વિના આનંદના ટહુકા કર્યા કરે છે. આજે સવારે જ એક એક વાછરડું ઘાસ ઉપર લંબાવીને નિરાંતે તડકો માણી રહૃાું હતું, ત્યારે મારા મનમાં આ વિશાળ સૃષ્ટિ પર વેરાયેલી નિસર્ગ-સંપદાને અને જીવનના આ વૈભવને મુકતપણે માણવાની ઉત્કંઠા ઊગે છે. પણ મારા સત્ત્વ સાથે જેનો કોઈ મેળ નથી એવી બાબતો મારા ચિત્ત પર સવાર થઈ છે ને મારો સમય બરબાદ કરી કરી છે. મારા મિજાજ પર તમને હસવું આવશે, પણ આ પણ એક સત્ય છે.
સ્નેહપૂર્વક, હું છું સદાય તમારો
રબીન્દ્રનાથ ટાગોર
ફેબ્રુઆરી ૧૯૧૪માં ટાગોરે રોધેન્સ્ટાઇનને લખેલા કાગળનો એક અંશઃ
‘…મારા અંગ્રેજ મિત્રો પરના મારા પત્રો સામાન્ય રીતે ટૂંકા હોય. કારણ એ નથી કે મારી યાદદાસ્ત ક્ષીણ છે કે મારો પ્રેમ અલ્પ છે, કે લખવાના વિષયોનો તોટો છે. તમને મારે માટે અનુકંપા ન જ હોય, કારણ કે તમારી ભાષામાં લખવું મારે માટે સરળ નથી એ તમે સમજી નહીં શકો. અંગ્રેજી ભાષાના સાદા વપરાશો બાબતમાં હું છબરડા વાળતો હોઉં. વાકયરચના નાની કરવાની શબ્દ-કરામતો મને આવડતી ન હોય. ઘણી વાર સાવ સાદી વાત અંગ્રેજીમાં લખતા ન આવડે. લોકોને પ્રશ્ન થાય કે ‘ગીતાંજલિ’નાં કાવ્યોના અનુવાદ આમણે કર્યા હશે? – તો એમાં નવાઈ નથી.
મને અન્યાય કરનારો એક લાભ તમને એ છે કે તમે મને અંગ્રેજીમાં લખેલા પત્રોનો જવાબ હું મારી બંગાળી ભાષામાં નથી લખી શકતો. આમ, તમારા મારી ભાષાના અજ્ઞાાનને કારણે મારે સહેવાનું થાય, તેમ તમારી ભાષાના મારા અજ્ઞાાનને કારણે તમારે સહન કરવાનું બને છે કે નહીં એ જાણતો નથી.’
આવડો મોટો જગપ્રસિદ્ધ કવિ ‘મને અંગ્રેજી બરાબર ફાવતું નથી’ એવા મતલબની કબૂલાત કરે છે! અંગત મિત્રની સામે જ ભલે, પણ પોતાના અહંકારને દાબડીમાં બંધ કરીને આવું પારદર્શક વિધાન કરવા માટે કેટલા નિખાલસ હોવું પડે? નોબેલ પ્રાઇઝ મળ્યું એના સાડાત્રણ વર્ષ પછી ૬ જુલાઈ, ૧૯૧૭ના રોજ ટાગોર લખે છેઃ
મારા પરમ મિત્ર,
હું અમેરિકામાં ભાષણો ઠપકારતો આમથી તેમ ઘુમતો હતો ત્યારે તમારા કેટલાક પત્રો મારી સુધી પહોંચ્યા નહીં હોય.
અમેરિકાના પ્રવાસ-સાહસ પછી હંુ ઈંગ્લેન્ડ રોકાયા વિના સ્વદેશ પાછો આવ્યો એ મારી મોટી નિરાશાની વાત બની. મારા એક સમયના મનગમતા એકાંત પર અચાનક આવી પડેલી ખ્યાતિના ખાબકેલા કોઈ બોમ્બનો ધુમાડો હજુ ઠર્યો નથી. કોઈ દારુણ તોફન મારા જીવન પર કાયમી ખાનાખરાબી ઝીંકી ગયું હોય એવું લાગે છે. હું આમાંથી નાસી છૂટવા માગું છું, પણ લાગે છે કે એ મારી હસ્તીનો હિસ્સો બની ગયું છે. કીર્તિની આ ઝાકઝમાળ એવી નઠારી નીવડી છે કે મારું વતન જ મારે માટે વસવાલાયક મટી ગયું છે. મને કેમ ભૂલી જવો એ મારા દેશબાંધવો સમજતા નથી. એ બાબત એમને માટે ઇચ્છનીય નથી તેમ મારે માટે પણ સારી નથી. ઘરની દીવાલોને આંખ અને જીભ હોતી નથી તો એ વસવાયોગ્ય હોય છે. મારી આસપાસ જે દીવાલો છે એ જોઈ શકે છે અને બોલબોલ કર્યા કરે છે. તેથી મને મારા અંગ્રેજ મિત્રોનું શરણું લેવાની ઇચ્છા જાગે છે.
…પણ અવની ન આકાશ બેઉમાં વિહાર કરનાર જીવ જેવી બેવડી વૃત્તિ મને વરેલી છે. મારો ખોરાક પશ્ચિમમાં છે અને શ્વાસ હું પૂર્વમાંથી શ્વસું છું. માળો બાંધવાની જગ્યા મને જડતી નથી. લાગે છે કે મારે યાયાવર પંખી બની રહેવું પડશે – જેણે વારેવારે સાગર પાર કરવાનો હશે અને બંને ઓવારે માળો બાંધવા પડશે.



ટાગોર એવી રીતે વાત કરે છે જાણે નોબેલ પ્રાઇઝ મળવું એ એમના જીવનની કોઈ દુર્ઘટના હોય! ૧ જૂન ૧૯૧૮ના રોજ તેઓ પત્રમાં લખે છે કે,મારી આસપાસ એક પડ બાઝ્યું છે – ખ્યાતિ અને પ્રચારનું પડ. એને ભેદીને નિરાંતમાં લહેરાતી મોજો માણવાની સ્વાધીનતા મેળવી શકું તેમ નથી.’
ભારતીયોએ ટાગોરને પોતાના મસ્તક પર મૂકયા ખરા, પણ પશ્ચિમના સાહિત્યજગતે એમના પર મહાનતાનો થપ્પો માર્યો તે પછી. આ વાસ્તવિકતાથી ટાગોર સભાન હોય જ. આથી જ ૨૬ નવેમ્બર ૧૯૩૨ના રોજ તેઓ લખે છેઃ
‘કેટલીક વાર મનોમન ક્ષોભ પામું છંુ કે મારા દેશબાંધવો અને અમારું સાહિત્યજગત મારા કર્તૃત્વની કદર કરી શકે એ માટે બહારના જગતમાં મારો મહિમા થાય એની રાહ જોવાની થઈ…. (મારાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરીને) તે અંગ્રેજી વાચકો પાસે મૂકવાનું ન વિચાર્યું હોત તો મારા એ અનુવાદો કેવળ નિજાનંદ માટે હતા. જાહેરમાં મૂકવા માટે નહોતા. જો એવું બન્યું હોત તો જીવનપર્યંત મને આનંદ અને સંતોષ હોત. તમે ફ્રી એક વાર (વીસમી સદીના મહાનતમ કવિઓમાંના એક એવા ઈંગ્લેન્ડના) યેટ્સનો મારા વતી પાડ માનજો કે મારી કૃતિઓના વિદેશી અવતારના જોખમી સાહસમાં એમણે મદદ કરી. એમના સાહિત્ય-બંધુત્વનું મૂલ્ય હું જરાય ઓછું નથી કરતો. પછી તો મેં મારી ગદ્ય-પદ્ય કૃતિઓના અંગ્રેજી અનુવાદો કોઈની સહાય વિના કર્યા છે. પણ એ તો મારા વિચારોની અભિવ્યકિત માટે, મારી નથી એ ભાષાની મારી ક્ષમતા સિદ્ધ કરવા નહીં.’
ટાગોરના આ પત્રો ખરેખર વિસ્મય પમાડે છે. કવિવરના આંતરજગતમાં લટાર મારવા માટે ટાગોર-રોધેન્સ્ટાઇના દ્વિપક્ષી પત્રવ્યવહારવાળો આખો લેખ વાંચવા જેવો છે, જે રવીન્દ્રચર્યા નામના નિરંજન ભગત- રાજેન્દ્ર શુક્લ - શૈલેશ પારેખ સંપાદિત પુસ્તકનો હિસ્સો છે.

0 0 0 

Thursday, November 9, 2017

ચેમ્પિયનોનું માઇન્ડસેટ કેવું હોય?

Sandesh - Ardh Saptahik purti - 25 Nov 2017
ટેક ઓફ

'જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali

‘એ તો ચેમ્પિયન માણસ છે.’
કોઈના વિશે આ પ્રકારનો પ્રશંસાત્મક અભિપ્રાય સાંભળીએ ત્યારે આપણા મનમાં કેવા વિચાર જાગે? સૌથી પહેલો વિચાર તો એ આવે કે એ માણસ શ્રેષ્ઠ હશે, નંબર વન હશે અથવા કમસે કમ પોતાના ક્ષેત્રમાં ઘણો જ આગળ હશે. જો સ્પોર્ટ્સનો મામલો હોય તો તરત એવો વિચાર આવે કે એ માણસમાં ભારોભાર ‘નેચરલ ટેલેન્ટ’ હશે. સ્કૂલ લેવલની ટીમથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કુદરતી પ્રતિભાવાળા ખેલાડીઓની બહુ બોલબાલા હોય છે.
એક્ઝેકટલી શું હોય છે આ કુદરતી પ્રતિભા? બૌદ્ધિક ક્ષમતા નરી આંખે દેખાતી નથી, પણ શારીરિક ક્ષમતા ઘણું કરીને દ્રશ્યમાન હોવાની. જેમ કે, ખેલાડીની હાઇટ-બોડી, બાંધો, ચપળતા આ બધું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બોક્સિંગના એક્સપર્ટ્સ જન્મજાત પ્રતિભાશાળી ખેલાડીને પારખવા માટે બોક્સરની મુઠ્ઠીનું કદ, છાતીની પહોળાઈ અને વજન જેવા માપદંડો પર આધાર રાખતા હોય છે. અમેરિકન પ્રોફેશનલ બોક્સર મુહમ્મદ અલી (જન્મઃ ૧૯૪૨, મૃત્યુઃ ૨૦૧૬)ની ગણના વીસમી સદીના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. મજાની વાત એ છે કે બોક્સિંગના ટિપિકલ માપદંડો અનુસાર મુહમ્મદ અલી ‘નેચરલ’ કે ‘કુદરતી રીતે પ્રતિભાશાળી’ નહોતા. એમની પાસે સ્પીડ હતી, પણ એમનો શારીરિક બાંધો ઉત્કૃષ્ટ બોક્સરો જેવો નહોતો. એમની સ્ટ્રેન્થ પણ ઓછી હતી અને એમની મુદ્રાઓ તેમજ મુવ્ઝ ‘કલાસિક’ નહોતી. નિષ્ણાતો કહેતા કે પ્રતિસ્પર્ધીના મુક્કાઓને ખાળવાની મુહમ્મદ અલીની રીત ખોટી હતી. સામાન્ય સમજ એવી છે કે બોક્સરે પોતાનું જડબું એકસપોઝ્ડ ન રાખવું જોઈએ, પણ મુહમ્મદ અલી રાખતા. આ સિવાય પણ એમનામાં બીજું એવું ઘણું હતું જે કુદરતી રીતે પ્રતિભાશાળી બોક્સરમાં ન હોવું જોઈએ.
સની લિસ્ટન નામના ઓર એક અમેરિકન બોકસર ૧૯૫૩થી ૧૯૭૦ સુધી એટલે કે મૃત્યુપર્યંત પ્રોફેશનલ બોક્સર તરીકે સક્રિય હતા. તેઓ ૧૯૬૨માં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા. સની લિસ્ટન ‘નેચરલ’ ગણાતા. એક આદર્શ બોક્સર પાસે હોવું જોઈએ તે બધું જ એમની પાસે હતું – મુઠ્ઠી-છાતીની પરફેક્ટ સાઇઝ, હાઇટ-વેઇટ, સ્ટ્રેન્થ, અનુભવ, બધું જ. ખાસ કરીને એમના પાવરફ્ુલ મુક્કા બેજોડ ગણાતા. સની લિસ્ટનની છાપ એવી સજ્જડ હતી કે મુહમ્મદ અલી કયારેય એમને હરાવી શકશે એવું લોકો વિચારી પણ ન શકતા. આ બંનેની તુલના જ હાસ્યાસ્પદ લાગતી. સચ્ચાઈ એ છે કે મુહમ્મદ અલી આજે લેજન્ડ ગણાય છે, બોકિસંગમાં રસ ન હોય એવા લોકોએ કમસે કમ પણ એમનું નામ તો સાંભળ્યું જ હોય છે, જ્યારે સની લિસ્ટન માટે ‘એ કોણ?’ એવો પ્રશ્ર પૂછવો પડે છે ને વિકિપિડીયા ખોલવું પડે છે.
આવું કેવી રીતે બન્યું? સની લિસ્ટન જેવા નેચરલ બોક્સર કરતાં મુહમ્મદ અલી શી રીતે કયાંય આગળ નીકળી ગયા? કોના જોરે? કેરલ ડ્વેક નામનાં પ્રતિષ્ઠિત સાયકોલોજિસ્ટ-લેખિકા આનો જવાબ એક જ શબ્દમાં આપી દે છે – ‘માઇન્ડસેટ’. યોગાનુયોગે કેરલ ડ્વેકના પુસ્તકનું નામ પણ આ જ છે. કેરલ લખે છે કે મુહમ્મદ અલી પાસે સ્પીડ અને ચપળતા તો હતાં જ, પણ એમની ખરી તેજસ્વિતા એમના દિમાગમાં હતી. તેઓ પ્રતિસ્પર્ધીના માત્ર મુવ્ઝને જ નહીં, પણ એના આખા વ્યક્તિત્વનો અભ્યાસ કરતા. તેઓ સની લિસ્ટનની ફઇટિંગ સ્ટાઇલનું બારીકાઈથી નિરીક્ષણ કરતા અને રિંગની બહાર એ કેવી રીતે વર્તે છે, એ કેવા પ્રકારના આદમી છે ને એવું બધંુ પણ ઝીણવટભેર નોંધતા. મુહમ્મદ એમના એકેએક ઇન્ટરવ્યૂ વાંચી જતા, એમની સાથે સંપર્કમાં હોય તેવા લોકો સાથે વાતચીત કરતા ને સની લિસ્ટનની માનસિકતા સમજતા. આ રીતે જે ડેટાનો મગજમાં સંગ્રહ થતો એના પરથી સની લિસ્ટન (તેમજ અન્યોનું) બને તેટલું વિગતોવાળું માનસિક ચિત્ર ઊભું કરવાની કોશિશ કરતા.
દરેક ફાઇટ પહેલાં મુહમ્મદ અલીનું વર્તન વિચિત્ર બની જતું, એના પાગલ જેવા વર્તનની પાછળ નક્કર ગણતરી રહેતી. સૌથી નિર્ણાયક એવો નોક-આઉટ પન્ચ કયાં અને કેવી રીતે પડશે તે કળાવું ન જોઈએ. સની લિસ્ટન ક્ે બીજા કેઈપણ પ્રતિસ્પર્ધીને ને લાગવું જોઈએ કે આ માણસ ગાંડો થઈ ગયો છે અને ગાંડો માણસ તો કંઈપણ કરી શકે છે!
એવું જ થયું. મુહમ્મદ અલીએ સની લિસ્ટનને હરાવી દઈને ઇતિહાસ રચી નાખ્યો. એક જાણીતા બોક્સિંંગ મેનેજરે કહેલું કે મુહમ્મદ અલી વિરોધાભાસોના પૂતળા જેવા હતા. રિંગમાં એમનું ફિઝિકલ પર્ફોર્મન્સ ટેકનિકલી સાવ ખોટું રહેતું, પણ એનું દિમાગ સતત સાચી દિશામાં દોડતું. મુહમ્મદ અલીએ પુરવાર કર્યું કે બોક્સિંગ રિંગમાં વિજય દિમાગને કારણે થાય છે, મુઠ્ઠી (એટલે કે પાવરફ્ુલ પન્ચ)ને કારણે નહીં.

Michael Jordon

ઓલ-ટાઇમ-ગ્રેટ બાસ્કેટબોલ પ્લેયર ગણાતા માઇકલ જોર્ડનના કિસ્સામાં પણ એવું જ થયેલું. મુહમ્મદ અલીની જેમ માઇકલ જોર્ડન પણ નેચરલ પ્લેયર નહોતા અને એમની મહાનતા પણ એકસપર્ટ લોકોને મોડી મોડી સમજાઈ હતી. માઇકલ જોર્ડન પ્રોફેશનલ ખેલાડી નહોતા બન્યા એ અરસામાં એમને યુનિવર્સિટીની બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવેલા. પોતાનું સિલેકશન ન થયું એટલે માઇકલ જોર્ડન દુઃખી દુઃખી થઈ ગયેલા. એમની મમ્મીએ કહૃાું: આમ મોઢું લટકાવીને બેસી રહેવાથી કંઈ નહીં થાય. જા, મહેનત કર. શિસ્ત કેળવ. માઇકલ જોર્ડને માની વાત ગંભીરતાથી લીધી. સવારના છ વાગ્યામાં તેઓ પ્રેક્ટિસ કરવા ઘરેથી નીકળી જતા.
બાસ્કેટ બોલની સખત પ્રેક્ટિસ કરતા અને પછી કોલેજ જતા. એમની ડિફેન્સિવ ગેમ, બોલ હેન્ડલિંગ અને શૂટિંગ આ બધું જ નબળું હતું. માઇકલ જોર્ડને પોતાનાં તમામ નબળાં પાસાંને દૂર કરવા ખૂબ પ્રેક્ટિસ કરી. એમની મહેનત કરવાની તત્પરતા જોઈને કોચ નવાઈ પામી જતા. એક વાર એમની ટીમ એક સીઝનમાં છેલ્લી ગેમ હારી ગઈ. મેચ પૂરી થતાંની સાથે જ જોર્ડન બોલ લઈને પોતાના શોટ્સને પરફેકટ કરવા મંડી પડયા – આવતા વર્ષની સીઝનની તૈયારીના ભાગ રૂપે! પછી જે કંઈ બન્યું એની દુનિયા સાક્ષી છે. સર્વકાલીન સર્વોત્તમ ખેલાડીઓમાં ગણના થવા માંડી તે પછી પણ માઇકલ જોર્ડને પ્રેક્ટિસ કરવાનું છોડયું નહીં. તેઓ પહેલાં જેટલી જ તીવ્રતાથી પ્રેક્ટિસ કરતા. એમના માટે કોઈએ સરસ કહૃાું છેઃ હી ઇઝ અ જિનિયસ હું કોન્સ્ટન્ટલી વોન્ટ્સ ટુ અપગ્રેડ હિઝ જિનિયસ!
લોકો ભલે માઇકલ જોર્ડનની મહાનતાને એમના ફિઝિકલ પરફેક્શન સાથે જોડે, પણ તેઓ સ્વયં હંમેશાં કહેતા રહૃાા કે સ્પોર્ટ્સમાં સફ્ળતા માટે શારીરિક યોગ્યતા કરતાં માનસિક તાકાત અને જિગરનું જોર વધારે મહત્ત્વનાં છે. કેરલ ડ્વેક કહે છેઃ
‘તમને કયારેય એવું લાગ્યું છે કે અમુક-તમુક સ્પોર્ટમાં તમે જમાવટ કરી શકતા નથી? શકય છે કે આ વાત સાચી હોય. એ પણ શકય છે આ વાત ખોટી હોય. જ્યાં સુધી તમે તમારું હંડ્રેડ પર્સન્ટ નહીં આપો, પૂરેપૂરા પ્રયત્નો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે જે-તે સ્પોર્ટમાં ખરેખર નબળા છો કે કેમ. મુહમ્મદ અલી અને માઇકલ જોર્ડન જેવા દુનિયાના કેટલાય મહાન ખેલાડીઓ કંઈ શરૂઆતથી જ મહાન નહોતા. રમવાની શરૂઆત કરી ત્યારે તેઓ સાવ સાધારણ હતા. તમને સાચ્ચે જ કોઈ સ્પોર્ટ માટે પેશન હોય તો અધવચ્ચે હથિયાર હેઠા ન મૂક્ી દો. ભરપૂર કોશિશ કરો અને પછી જુઓ કે શું રિઝલ્ટ મળે છે. જેને આપણે નેચરલ ટેલેન્ટ કહીએ છીએ તે ઊલટાની ક્યારેક બાધા ઊભી કરતી હોય છે. કુદરતી પ્રતિભા ધરાવતા ખેલાડીઓનું દિમાગ જડતાનું ભોગ બની જાય, એવું શકય છે. તેઓ ઘણી વાર વિપરીત પરિસ્થિતિ હેન્ડલ કરી શકતા નથી. ફ્કિસ્ડ માઇન્ડસેટ ન રાખો, પણ ગ્રોથ માઇન્ડસેટ અપનાવો. નિષ્ફ્ળતા કે પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થઈ જવાને બદલે તેમાંથી શીખવાની, ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે કેવો ચમત્કાર થાય છે.’

Muhammad Ali (left) and Michael Jordan

સોનાની લગડી જેવી આ વાત માત્ર સ્પોર્ટ્સ પૂરતી સીમિત રાખવા જેવી નથી. ભણતર હોય (‘ફ્લાણાનું દિમાગ ગણિતમાં ખૂબ સરસ દોડે છે, પણ હું ગણિતમાં એના જેવો નેચરલ નથી’), કળા હોય (‘ડાન્સમાં મારું શરીર ફ્લાણા જેવું વળતું નથી. એનામાં ડાન્સની કુદરતી ટેલેન્ટ છે, પણ મારે બહુ પ્રેક્ટિસ કરવી પડે છે’) કે કે આ પ્રકારની બીજી કોઈ આવડત હોય (‘ફ્લાણો મંચ પર કુદરતી રીતે ખીલે છે, એ આસાનીથી સ્પીચ આપી શકે છે, પણ ઓડિયન્સને જોઈને મારા ટાંટિયા ધ્રૂજવા લાગે છે’) – આ બધું જ શીખી શકાય છે, આ બધામાં મહારત હાંસલ કરી શકાય છે, જો સો નહીં પણ બસ્સો ટકા મહેનત કરવામાં આવે તો, પ્રમાણિકતાપૂર્વક અને એકધારા ખંતથી રિયાઝ કરવામાં આવે, તો. શકય છે કે એક દિવસ એવો આવે જ્યારે જે-તે ક્ષેત્રમાં તમે જેને નેચરલ ટેલેન્ટવાળા ગણતા હતા એનો દૂર દૂર સુધી કયાંય અતોપતો ન હોય, જ્યારે તમે સફ્ળતાના શિખર પર બિરાજતા હો!

0 0 0 

Tuesday, November 7, 2017

પરંપરાગત મીડિયા, સોશિયલ મીડિયા અને વિશ્વસનીયતા

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2017
Take off
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
Janet Cooke

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે બીજું કોઈ પાગલ થયું હોય કે ન હોય, સોશિયલ મીડિયા જરૂર ગાંડું થયું છે. બંને મુખ્ય પક્ષોનો વિરોધ કે સમર્થન કરનારાઓએ એવો પ્રચંડ ગોકીરો મચાવ્યો છે કે ખોપડીમાં જ્ઞાાનતંતુઓ બેહોશ થઈ જાય. ફેસબુક-વોટ્સએપ-ટ્વિટર પર બેફમપણે ફેરવર્ડ થઈ રહેલાં અભિપ્રાયો, વીડિયો કિલપ્સ, અહેવાલો, ડેટા, કબર ખોદીને બહાર ખેંચી કાઢેલી જૂની-પુરાણી વાતો, રમૂજ વગેરેેના ધમધમાટમાં મનોરંજનનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. હવે સ્થિતિ જરા બદલાઈ છે, પણ એક સમયે જન્માષ્ટમી દરમિયાન ભરાતા સૌરાષ્ટ્રના મેળાઓમાં લોકો કીડિયારાની જેમ ઊભરાતા. ઘાટ ઘાટના પાણી પીને આવેલા જાતજાતના લોકોથી છલકાતા આવા મેળામાં કોલાહલનું નિયમન કરી શકાતું નથી. સોશિયલ મીડિયા આ મેળા જેવું છે. અહીં આત્યંતિક ગાળાગાળીથી લઈને મધમાખીનેય ડાયાબિટીશ કરાવી નાખે એવી વખાણબાજી સુધીનું બધું જ બધું જ નિરંકુશ છે, બધું જ તારસ્વરે થાય છે, ભયજનક તીવ્રતાથી થાય છે.
સોશિયલ મીડિયાની સરખામણીમાં પરંપરાગત મીડિયા હંમેશાં સંતુલિત લાગવાનું. પરંપરાગત મીડિયા એટલે કે છાપાં-મેગેઝિનો અને ટેલિવિઝન. સોશિયલ મીડિયામાં કોઈ પૂછનાર નથી, રોકનાર નથી, કોઈ સિનિયર-જુનિયર નથી, હોદ્દાઓના સ્તર નથી, પણ પ્રિન્ટ અને ટીવી મીડિયામાં આ બધું જ છે. સમાજના બીજા ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નૈતિકતાના સ્તરમાં ગિરાવટ જરૂર આવી છે. ખોટી સ્ટોરી કે વિગતો ઊપજાવી કાઢવી, ચગાવવી, સાચી વાત દબાવી દેવી, સત્યને તોડીમરોડીને, એકાંગી કે વિકૃત બનાવીને પેશ કરવું – આ બધાં દૂષણો પત્રકારત્વમાં છે જ. આમ છતાંય આ એક્ શબ્દ એવો છે જે હજુ પણ અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલોની દુનિયામાં સૌથી પવિત્ર અને સૌથી વજનદાર છે. હંમેશાં રહેવાનો.
આ શબ્દ છે, વિશ્વસનીયતા. ક્રેડેબિલિટી.
પત્રકારત્વમાં હંમેશાં કહેવાય છે કે વિશ્વસનીયતા વર્જિનિટી સમાન છે. એક વાર પત્રકારની વિશ્વસનીયતા તૂટી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કૌમાર્ય ભંગ થઈ ચૂકેલી કન્યાને પુનઃ વર્જિન બનાવી શકાતી નથી એમ વિશ્વસનીયતા ખોઈ ચૂકેલો પત્રકાર ફરીથી સન્માનનીય બની શકતો નથી. આ સંદર્ભમાં જેનેટ કૂક નામની એક ભૂતપૂર્વ આફ્રિકન-અમેરિક્ન પત્રકારિણી વિશે વાત કરવી છે. પત્રકાર તરીકેની વિશ્વસીયતાની ઐસી કી તૈસી કરી નાખનાર જેનેટ કૂકનો કિસ્સો અમેરિકન જર્નાલિઝમમાં દંતકથા બની ગયો છે. એનો કિસ્સો રેફરન્સ પોઇન્ટ તરીકે એવો સજ્જડ બની ગયો છે કે આજે સાડત્રીસ વર્ષો પછી પણ તદ્દન ઊપજાવી કાઢેલા અહેવાલોની વાત નીકળે છે કે પત્રકારે શું ન જ કરવું જોઈએ એની ચર્ચા થાય ત્યારે જેનેટ કૂકને અવશ્ય યાદ કરાય છે.
એવો તો કેવો કાંડ કર્યો હતો ‘પુલિત્ઝર પ્રાઇઝ વિનર’ જેનેટે?
એ તેજતર્રાર પચ્ચીસ-છવ્વીસ જુવાનડી હતી ત્યારે અમરિકના અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં એની રિપોર્ટર તરીકે પસંદગી થઈ હતી. આંજી નાખે એવા એના બાયોડેટામાં ઊંચાં ઊંચાં કવોલિફ્કિેશન લખાયાં હતાં. માતૃભાષા અંગ્રેજી ઉપરાંત પોતે સ્પેનિશ અને ફ્રેન્ચ પણ કડકડાટ લખી-વાંચી-બોલી શકે છે એવો એણે દાવો કરેલો.
પત્રકારત્વમાં હરીફઈનું તત્ત્વ તીવ્ર હોય છે. માત્ર હરીફ્ છાપાં-મેગેઝિનો કે ચેનલોની વચ્ચે જ નહીં, પણ એક જ જગ્યાએ કામ કરતા પત્રકારોમાં પણ ધમાકેદાર સ્ટોરી બ્રેક કરીને સાથી પત્રકારો કરતાં આગળ નીકળી જવાની વૃત્તિ ફ્ૂંફડા મારતી હોય છે. એમાં કશું ખોટુંય નથી. ૧૯૮૦ની એક સુંદર બપોરે જેનેટ એના તંત્રીને કહૃાું: સર, મને એક ઇન્ટરેસ્ટિંગ ઇર્ન્ફ્મેશન મળી છે. એના પરથી સરસ સ્ટોરી થાય તેમ છે. તંત્રી કહેઃ શાના વિશે છે? જેનેટ કહેઃ નશીલી દવાના બંધાણી વિશે. તંત્રી કહેઃ આમાં નવું શું છે? જેનેટ કહેઃ સર, નવું એ છે કે નશીલી દવાનો આ બંધાણી ફ્કત આઠ વર્ષનો ટાબરિયો છે. આ છોકરાને હેરોઈન વગર એને ચાલતું નથી!

તંત્રી ચોંકી ગયા. આઠ જ વર્ષનો છોકરો… અને હેરોઈન જેવી ખતરનાક ડ્રગનો બંધાણી? એમણે કહૃાું: જેનેટ, આ તો હાઇકલાસ હૃાુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે! તંુ મચી પડ. છોકરાને શોધી કાઢ. એના મા-બાપને મળ. આપણે આ સ્ટોરી સરસ રીતે ચમકાવીશું.
જેનેટ કામે લાગી ગઈ. વોશિંગ્ટન શહેરમાંથી એ છોકરાનું પગેરું શોધવું આસાન નહોતું. જેનેટ આમથી તેમ દોડતી રહી. એક વાર તંત્રીને કહેઃ સર, એ છોકરાની મા વાત કરવા તૈયાર થતી નથી. એને બદનામીનો ડર લાગે છે. તંત્રી કહેઃ કશો વાંધો નહીં. આપણે સાચું નામ નહીં છાપીએ. છોકરાની અને એના ફેમિલીમાં જે કોઈ હોય તે બધાની ઓળખ ગુપ્ત રાખીશું, બસ?
આખરે બે મહિને જેનેટે બાવીસો શબ્દોનો સરસ મજાનો લેખ ઔફઇલ કર્યો. એને મથાળું આપ્યું: ‘જિમીઝ વર્લ્ડ’. એમાં એણે છોકરાની હાલતનું વર્ણન કરતાં લખ્યું હતું: 
‘જિમીના પરિવારમાં નશીલી દવાના બંધાણીઓની કમી નથી. જિમીને ડ્રગ્ઝની આદતનો આગલી બે પેઢીના વારસારૂપે મળ્યો છે. આ ચપળ છોકરાના વાળ ભૂખરા છે, આંખો વેલ્વેટી બ્રાઉન છે એના ઘઉંવર્ણા કોમળ હાથ પર ઈન્જેકશનની સોયના કેટલાય નિશાન દેખાય છે. વોશિંગ્ટનના સાઉથવેસ્ટ હિસ્સામાં રહેતા જિમીનો ચહેરો ચરબીદાર છે. એ નિર્દોષતાપૂર્વક કપડાં વિશે, પૈસા વિશે, બેઝબોઝની પોતાની ફેવરિટ ટીમ અને હેરોઇન વિશે વાતો કરે છે. પાંચ વર્ષનો હતો ત્યારથી એ આ ભયંકર ડ્રગ્ઝ લે છે.’
૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પહેલાં જ પાને જેનેટ કૂકની અત્યંત રસાળ શૈલીમાં લખાયેલો આ અહેવાલ છપાયો. જિમીની કહાણીએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી. લોકો ઉકળી ઉઠયા. આ શું થવા બેઠું છે? સમાજ કઈ દિશામાં જઈ રહૃાો છે? આઠ વર્ષનું માસૂસ બચ્ચું નશીલી દવાનું બંધાણી બની જાય એ તો હદ થઈ ગઈ. સરકારના પેટનું પાણી ક્ેમ હલતું નથી? પ્રશાસન ડ્રગ્ઝ વેચનારાઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી? વગેરે.

જેનેટ કૂકે સ્પષ્ટપણે કહી દીધું કે મેં ગુપ્તતા જાળવી રાખવાના સોગંદ ખાધા છે એટલે હું છોકરાનું સાચું નામ કે સરનામું કોઈને નહીં આપું. વોશિંગ્ટનના મેયરે છોકરાને શોધવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટને કામે લગાડી દીધું. ઘણા દિવસ થયા તોય છોકરાનો પત્તો ન મળ્યો એટલે જનતાનો ઉશ્કેરાટનો પાર ન રહૃાો: આ મેયર અને પોલીસ કર્મચારીઓ નકામા છે. એક આવડા અમથા છોકરાને શોધી શકતા નથી? થોડા સમય પછી મેયરે જાહેર કર્યું: અમને જિમીનો પતો મળી ગયો છે, પણ ભારે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે એની સ્ટોરી છપાઈ એના થોડા દિવસ પછી જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જિમી ઇઝ નો મોર!
જેનેટ કૂક અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના તંત્રીઓ ફોર્મમાં આવી ગયાં હતાં. સ્ટોરી ભલે પીડાદાયી કે નેગેટિવ હોય, પણ એને વાચકો તરફ્થી આવો જોરદાર પ્રતિસાદ મળે એટલે મીડિયાકર્મીઓ તો ખુશ થવાના જ. જેનેટની આ સ્ટોરીને પત્રકારત્વની દુનિયામાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા પુલિત્ઝર પ્રાઇઝ માટે સબમિટ કરવામાં આવી. એપ્રિલ ૧૯૮૧માં પરિણામો ઘોષિત થયા. જેનેટને ફ્ચિર રાઇટિંગ માટેના પુલિત્ઝર પ્રાઇઝની વિજેતા ઘોષિત થઈ. જેનેટની આ સિદ્ધિની મીડિયામાં સગર્વ નોંધ લેવાઈ. ચારે તરફ્ જેનેટની વાહ વાહ થઈ ગઈ.
જોકે આનંદની આ ઘડી લાંબી ન ટકી. ‘ધ વોશિંંગ્ટન પોસ્ટ’ની પહેલાં જેનેટ ‘ટોલેડો બ્લેડ’ નામનાં જે છાપામાં કામ કરતી હતી એના તંત્રીને જેનેટની બાયોડેટાની જાહેર થયેલી કેટલીક્ વિગતોમાં મરી-મસાલા છંટાયેલા દેખાયા. વધારે છાનબીન કરતાં ખબર પડી કે જેનેટની કોલેજની ડિગ્રીઓ ખોટી છે. એ કડકડાટ ફ્રેન્ચ અને સ્પેનિશ જાણે છે તે વાત પણ ખોટી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સિનિયર તંત્રીઓએ જેનેટને બોલાવીને કડકાઈથી ઉલટ તપાસ શરૂ કરી. આખરે અગિયાર કલાક સુધી ચાલેલા જોરદાર ગ્રિલિંગ પછી જેનેટે ધડાકો કર્યોઃ
આઠ વર્ષના ડ્રગ્ઝના બંધાણી છોકરાની સ્ટોરી સાચી નથી. આવો કોઈ છોકરો છે જ નહીં. મેં આખી કહાણી ઊપજાવી કાઢી હતી!
પણ આવું જેનેટે શા માટે કર્યું? પ્રેશરને કારણે. એણે આ સ્ટોરી પાછળ બે મહિના બરબાદ કર્યા હતાં. તંત્રીને જવાબ શો આપવો? શું એમ કહેવું કે સોરી સર, મને છોકરો ન મળ્યો? તો તો ભોંઠા પડવું પડે, સાહેબનો ઠપકો ખાવો પડે ને સાથી પત્રકારોના ઉપહાસનો ભોગ બનવું પડે. જેનેટની સચ્ચાઈ સામે આવતાં તરત જ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં માફીનામું પ્રગટ કરવામાં આવ્યું. એકલી જેનેટ જ નહીં, વોશિંગ્ટનનો મેયર પણ જૂઠો પુરવાર થયો. એણે કહૃાું કે પબ્લિકનંું પ્રેશર એટલું બધું હતું ક્ે મારે નછૂટક્ે આવી જાહેરાત કરવી પડી હતી!
જેનેટનું પુલિત્ઝર પ્રાઇઝ પાછું લઈ લેવામાં આવ્યું. એની પત્રકાર તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયંુ. થોડાં વર્ષો માટે એ પેરિસ ભાગી ગઈ હતી. એના ડિવોર્સ થઈ ગયા. આર્થિક હાલત એટલી વણસી ગઈ કે એની માએ પ્લેનની ટિકિટ મોકલી ત્યારે એ અમેરિકા પાછી આવી શકી. છેલ્લા ખબર મુજબ અમેરિકામાં કોઈ સ્ટોરના કાઉન્ટર પર એ કલાકના સાત-આઠ ડોલરના મહેનતાણામાં નોકરી કરતી હતી. મેડિકલ કવર નથી એટલે પોતાની બીમારીઓનો ઇલાજ પણ કરાવી શકતી નથી. એના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે એનો ઇન્ટરવ્યૂ લઇને એક મેગેઝિનમાં છાપ્યો હતો. કોઈ ફ્લ્મિ પ્રોડયૂસરે જેનેટની કહાણીના અધિકર ૧.૬ મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. જેનેટ અને એક્સ-બોયફ્રેન્ડે પ્રારંભિક રકમ અડધી અડધી વહેંચી લીધી, પણ આ ફ્લ્મિ કયારેય બની જ નહીં. ફ્લ્મિ ઉતરે કે ન ઉતરે, જેનેટ અમેરિકન જર્નાલિઝમમાં ‘અમર’ જરૂર બની ગઈ.
વિશ્વસનીયતા એ પત્રકાર અને લેખકની સૌથી મોટી મૂડી છે અને રહેવાની. માત્ર પત્રકાર-લેખક જ શા માટે, વિશ્વસનીયતાનો ગુણ તો સૌ કોઈ માટે એક્સરખો મહત્ત્વનો છે, ખરું?
0 0 0 

Monday, November 6, 2017

ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!

 સંદૃેશ -  સંસ્કાર પૂર્તિ - બુધવાર  - ૫ નવેમ્બર ૨૦૧૭ 

ટેક ઓફ

‘નાનો હતો ત્યારે હું ફિલ્મના સેટ પર જાણે દિૃલીપકુમાર અને વહીદૃા રહેમાનને ડિરેકટ કરી રહ્યો હોઉં એવી કલ્પના કરતો. આ કલ્પનામાં એટલી બધી સજ્જડ હોય કે વહીદૃા રહેમાને આગલા શોટમાં કાનમાં જે કડી પહેરી હતી તે આ શોટમાં નથી પહેરી તે પણ મને દૃેખાતું!'



‘હું વર્કોહોલિક માણસ છું. હું વેકેશન લેવામાં માનતો નથી. મને એની જરુર જ પડતી નથી. આખો દિૃવસ કામમાં રચ્યાપચ્યો હોઉં તો જ મને મજા આવે. સફળતાનો એક જ મંત્ર છે - હાર્ડ વર્ક. હજુ કેટલું બધું કરવાનું બાકી છે, જિંદૃગીમાં. ધેર ઇઝ નો પેક-અપ ઇન લાઇફ!'

ગૌતમ અધિકારીને બે-એક્ વર્ષ પહેલાં નિરાંતે મળવાનું થયેલું ત્યારે એમણે કહેલા આ શબ્દૃો બરાબર યાદૃ છે. કામ વિશે, ટીવી ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવાની એમને મોજ પડતી હતી, પણ પોતાની સિદ્ધિઓ વિશે કે જીવન વિશે આપવડાઈ કરવાનું એમને ફાવતું નહોતું. આ એક સદૃગુણ છે, જે બધા સફળ માણસોમાં હોતો નથી. ૨૭ ઓકટોબરે ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા ગૌતમ અધિકારીનું સ્થાન ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનાં સૌથી તેજસ્વી નામોમાં હંમેશાં રહેવાનું.

ગૌતમ અધિકારી એકાધિક ચેનલોના માલિક તો પછી બન્યા, બાકી કારકિર્દૃીની શરુઆત તેમણે ડિરેકટર તરીકે કરી હતી.  કરી હતી. ચાલીસ કરતાં વધારે વય ધરાવતા વાચકોને વર્ષો પહેલાં ઝી ટીવી પર ટેલિકાસ્ટ થયેલી ‘કમાન્ડર' નામની ડિટેક્ટિવ સિરીઝ હજુય યાદૃ હશે.

‘નાનપણથી મેં મારી જાતને એક ડિરેક્ટર તરીકે જોયો છે,' ગૌતમ અધિકારીએ કહેલું, ‘મારા મધ્યમવર્ગીય પરિવારમાંથી કોઈને ફિલ્મી દૃુનિયા સાથે નાહવાનિચાવવાનોય સંબંધ નહોતો, પણ તોય કોણ જાણ કેમ કોણ જાણે કેમ મને ડિરેકશન તરફ જબરું આકર્ષણ હતું. મને યાદૃ છે, નાનો હતો ત્યારે હું ફિલ્મના સેટ પર જાણે દિૃલીપકુમાર અને વહીદૃા રહેમાનને ડિરેકટ કરી રહ્યો હોઉં એવી કલ્પના કરતો. આ કલ્પનામાં એટલી બધી સજ્જડ હોય કે વહીદૃા રહેમાને આગલા શોટમાં કાનમાં જે કડી પહેરી હતી તે આ શોટમાં નથી પહેરી તે પણ મને દૃેખાતું!'

આ વિઝ્યુલાઇઝેશનની આવડતે એમને મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન અપાવ્યું. તેઓ ટ્રેઇન્ડ વિઝ્યુલાઇઝર બન્યા. એમને કેલિગ્રાફીમાં ખૂબ રસ પડતો, જે િંજદૃગીભર જળવાઈ રહ્યો. કોલેજ પૂરી કર્યા પછી એમણે પોતાની એડ એજન્સી શરુ કરી હતી, પણ એમની કિસ્મત તો સ્ક્રીન - નાની અને મોટી, બન્ને - લખાઈ હતી. ગૌતમ અધિકારીની કારકિર્દૃીની વિગતો એટલા માટે રિલેવન્ટ છે કે તેની સાથે ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનો આલેખ સમાંતરે વહે છે.

૧૯૮૪-૮૫માં અશોકકુમારવાળી ‘હમ લોગ' અને ૧૯૮૬માં રમેશ સિપ્પીની ‘બુનિયાદૃ' જેવી દૃૂરદૃર્શનની પ્રારંભિક (અને યાદૃગાર) સિરીયલોએ ભારતીય ટીવી સિરિયલોનાં ફોર્મેટ તેમ અપીલને ડિફાઇન કરવાનું કામ કરી નાખ્યું હતું. આ એ સમય હતો જ્યારે ભારતીય ટેલીવિઝનની દૃુનિયા હજુ ધીમે ધીમે ઊઘડવાની શરુઆત ક્રી રહી  હતી. આ બે સુપરહિટ શ્રેણીઓની સફળતાથી પ્રેરાઇને ગૌતમ અઘિકારીઓએ દૃૂરદૃર્શનમાં એક પ્રોજેકટની પ્રપોઝલ સબમિટ કરી, પણ ત્યાં સુધીમાં બધા ટાઇમ સ્લોટ ભરાઇ ગયા હતા અને ઓલરેડી બીજી કેટલીય સિરીયલો રાહ જોતી કતારમાં ઊભી હતી. દિૃલ્હીમાં તો પ્રોજેકટ પાસ ન થયો, પણ અધિકારીબંધુઓ નક્કી કરી લીધું કે કમસે કમ મુંબઇ દૃૂરદૃર્શનની બસ તો બિલકુલ ચુકાઈ જવી ન જોઈએ. મુંબઇ દૃૂરદૃર્શનને એમનો વિષય પસંદૃ પડ્યો. ૧૯૮૭માં એમની પહેલી સિરીયલ ટેલિકાસ્ટ થઈ, જે મરાઠી ભાષામાં હતી. એનુ નામ હતું, ‘બંદિૃની'.

ગૌતમ અધિકારીનો ડિરેકટર તરીકેનો આ પહેલો અનુભવ. એમની પાસે ન ડિરેકશનની કોઈ તાલીમ હતી કે ન એમણે ક્યારેય કોઈ ટીવી ડિરકટરના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ‘મને બરાબર યાદૃ છે, શૂટિંગ શરુ થવાનું હતું એની આગલી રાતે હું મટકુંય મારી નહોતો મારી શકયો,' ગૌતમ અધિકારીએ કહેલું, ‘હું જેટલો એકસાઇટેડ હતો એટલો જ નર્વસ પણ હતો. બીજે દિૃવસે સવારે હું એસેલ સ્ટુડિયો ગયો. જે મરાઠી એકટરોને સાઇન કરવામાં આવ્યા હતા એ બધા અનુભવી હતા ને મારા જેવા નવા નિશાળિયાએ એમને ડિરેકટ કરવાના હતા...અને મેં કર્યા!' 



આર્ટિસ્ટોને માત્ર એટલું જ જોવું હોય છે કે ડિરેકટર પાસે વૈચારિક સ્પષ્ટતા છે? કન્વિકશન છે? જો આ બન્ને સવાલનો જવાબ ‘હા' હોય તો ડિરેકટર પર ભરોસો મૂકવામાં તેઓ વાર લગાડતા નથી. ‘બંદિૃની'ને મરાઠી દૃર્શકોનો જબ્બર પ્રતિસાદૃ મળ્યો. એક તબકકે મુંબઇ દૃૂરદૃર્શન પર ‘છાયાગીત' (ફિલ્મી ગીતોનો અડધા કલાકનો સુપરડુપર હિટ સાપ્તાહિક શો) કરતાંય ‘બંદિૃની'ની વ્યુઅરશિપ વધારે હતી. બસ, ‘બંદિૃની' પછી ગૌતમ અધિકારીએ ક્યારેય પાછળ વળીને જોવાની જરુર ન પડી. ‘બંદિૃની' બાદૃ એમણે લાગલગાટ આઠ મરાઠી સિરીયલો ડિરેક્ટ કરી, જેમાં ખૂબ વખણાયેલી ‘પરમવીર ચક્ર' પણ આવી ગઈ.

૧૯૯૨ની બીજી ઓકટોબરે ભારતની સર્વપ્રથમ સેટેલાઇટ ચેનલ ઝી ટીવી લોન્ચ થઈ અને તે સાથે ભારતીય ટેલીવિઝનનું આખું ચિત્ર જ બદૃલાઈ ગયું. ઝી ટીવીની શરુઆતની સિરીયલોના ફાલમાં ગૌતમ અધિકારીની ‘કમાન્ડર' નામની જાસૂસી સિરીયલ પણ હતી, જેણે મરાઠી એકટર રમેશ ભટકરને ઘરેઘરમાં પહોંચાડી દૃીધા. ‘કમાન્ડ'રથી એક વાત સ્થાપિત થઈ ગઈ કે ગૌતમ અધિકારી જાસૂસી કથાઓ અફલાતૂન રીતે ડિરેકટ કરી જાણે છે. એમને ‘બાદૃશાહ ઓફ થ્રિલર્સ'નું બિરુદૃ અમસ્તુ નહોતું મળ્યું. અલબત્ત, તેઓ ઇમોશનલ ફેમિલી ડ્રામા પણ એટલી જ અસરકારકતાથી બહેલાવી શકતા હતા. ‘કમાન્ડર અને ‘પરમવીર ચક્ર ઉપરાંત એમની ‘હેલો ઇન્સપેકટર', ‘માર્શલ',  ‘સિલસિલા' વગેરે સિરીયલો ખૂબ લોકપ્રિય બની હતી. વિખ્યાત નવલકથાકાર હરકિસન મહેતાની બે લોકપ્રિય કથાઓ 'જડ-ચેતન' અને 'વંશ-વારસ' પરથી ગૌતમ અધિકારીએ અનુક્રમે 'ખામોશી' અને 'વક્ત કી રફતાર' નામની  સિરીયલો પ્રોડ્યુસ અને ડિરેકટ કરી હતી, જે ખૂબ સફળતા પામી હતી.

ગૌતમ અધિકારીની છાપ કડક ટાસ્ક માસ્ટરની હતી. એક દિૃવસમાં એક આખો એપિસોડ શૂટ કરી નાખવાનો ચીલો એમણે જ પાડ્યો હતો. તેમનું સાદૃું ગણિત એવું હતું કે જો તમારું એક દિૃવસનું શેડ્યુલ બાર કલાકનું હોય તો એટલા સમયમાંથી એક એપિસોડ માટે જરુરી એવાં બાવીસ મિનિટનાં વિઝ્યુઅલ્સ પેદૃા થવાં જ જોઈએ.

‘છૂટકો જ નથી. બસ, પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ અને વિચારોમાં સ્પષ્ટતા હોવી જોઈએ. મારા સેટ પર ઠાગાઠૈયાને કે લાસરિયાવેડાને સ્થાન નથી. મારો આસિસ્ટન્ટ મને સ્ક્રિપ્ટ વાંચી સંભળાવે એ જ મિનિટથી હું મનમાં શોટ્સ વિઝ્યુઅલાઇઝ કરવા માંડું. મને શોટ ડિવિઝન, કેમેરા એન્ગલ્સ વગેરે નકકી કરવામાં બહુ સમય લાગતો નથી. આ બધું હું ઇન્સિંટકિટવલી કરતો હોઉં છું. ચાલુ શૂટિંગે કયા સીનમાં કેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવશે તેની નોંધ પણ મનોમન કરતો જાઉં. જેમ કે, કોઈ શોટમાં પાત્ર કશું જ બોલ્યા વગર સીડી સડે છે અથવા પોઇન્ટ ‘એ'થી પોઇન્ટ ‘બી' સુધી ચાલે છે, તો મારા મનમાં તરત નોંધાઈ જાય કે આ શોટમાં મારે હેવી બેકગ્રાઉન્ડ જોઈશે કે જેથી રહસ્ય - રોમાંચને વધારે વળ ચડે.'

આ પ્રકારની સમજણ અને સ્પીડ જોતાં ગૌતમ અધિકારીના નામે ૩૦૦૦ કરતાંય વધારે એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હોવાનો લિમકા બુક (૧૯૯૯)નો રેકોર્ડ બોલતો હોય તો એમાં કંઈ નવાઈ પામવા જેવું ખરું?
‘૩૦૦૦ એપિસોડ એટલે.... તમે અઢી કલાકની એક ફિલ્મ ગણો તો સમજોને કે મેં અત્યાર સુધીમાં ૪૪૦ ફિલ્મો જેટલું શૂટિંગ તો ઓલરેડી કરી નાખ્યું છે!' આમ કહીને ગૌતમ અધિકારી હસી પડેલા.

એમણે,અલબત્ત, ફુલલેન્થ ફિચર ફિલ્મો પણ ડિરેકટ કરી જ હતી. જિતેન્દ્ર, મમતા કુલકર્ણી અને રાહુલ રોયને લઈને ૧૯૯૩માં તેમણે ‘ભૂકંપ' નામની હિન્દૃી ફિલ્મનું નિર્દૃેશન ર્ક્યું હતું. એમણે ગુજરાતી ફિલ્મો પણ બનાવી છે. એક સમય એવો હતો કે તેઓ એક હિન્દી સિરીયલ, એક મરાઠી સિરીયલ, એક હિંદૃી ફિલ્મ અને એક ગુજરાતી ફિલ્મ એકસાથે શૂટ કરતા હતા. આ પણ એક રેકોર્ડ હોવો જોઈએ!

ગૌતમ અધિકારી સિરીયલોની ક્રિયેટિવ બાજુ સફળતાપૂર્વક સંભાળી શકયા એનું મહત્ત્વનું કારણ એ રહ્યું છે કે પ્રોડકશનની જવાબદૃારી માર્કંંડ અધિકારી ઉપાડી લેતા. બન્ને ભાઈઓએ મળીને શ્રી અધિકારી બ્રધર્સ નામની પ્રોડકશન કંપની ખોલી. એસ-એ-બી સબ એટલે શ્રી અધિકારી બ્રધર્સનું શોર્ટ ફોર્મ. બોમ્બે સ્ટોક્ એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલી ભારતની તે પહેલી મિડીયા કંપની બની. ૧૯૯૯માં અધિક્ારીબંધુઓએ સબ ટીવી ચેનલ લોન્ચ કરી, જે હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝનનો હિસ્સો છે. અધિકારી બ્રધર્સની ટીવી વિઝન લિમિટેડ કંપની આજે ચેનલોનો આખો થાળ ધરાવે છે - હિન્દૃી મ્યુઝિક ચેનલ મસ્તી, ફિલ્મ ચેનલ દિૃલ્લગી, મરાઠી ચેનલ માઇબોલી, યુપી-બિહાર-ઉત્તરાખંડ-ઝારખંડને લક્ષ્યમાં રાખતી ચેનલ દૃબંગ, ધમાલ ગુજરાત વગેરે.
છેલ્લે છેલ્લે નાદૃુરસ્ત તબિયતને લીધે ગૌતમ અધિકારીએ વચ્ચે વચ્ચે નછૂટકે વિરામ લેવો પડતો હતો,પણ શરીર ઠીક થતાં જ તેઓ પાછા કામે વળગી જતા. આયુષ્યની રેખા ૬૭ વર્ષ કરતાં વધારે ખેંચાઈ હોત તો તેઓ હજુ ઘણું વધારે કામ કરી શક્યા હોત.

... પણ ઉપરવાળો જિંદૃગીનું પેક-અપ કયારે કરી નાખવાનો છે એની આપણને કયાં ખબર હોય છે!

0 0 0