Thursday, September 29, 2016

...તો રમેશ પારેખ કવિ ઉપરાંત અફલાતૂન નવલકથાકાર પણ હોત!

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૬  

 કોલમ: વાંચવા જેવું 

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’
                                                                                        
                     


ગુજરાતે જેમને ચિક્કાર પ્રેમ કર્યો છે એવા આપણી ભાષાના શ્રેષ્ઠ કવિ રમેશ પારેખના વ્યક્તિત્ત્વ વિશે બહુ લખાયું નથી અને લખાયું છે તો ગ્રંથસ્થ થયું નથી. આજનાં પુસ્તકના સંપાદક કૌશિક મહેતાની આ વાત સાથે કોણ સહમત નહીં થાય? આ વાત અથવા વિચારમાંથી જ આજનું પુસ્તક જન્મ્યું છે. રમેશ પારેખ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલી વીસેક વ્યક્તિઓએ આ પુસ્તક માટે દિલપૂર્વક સ્મરણલેખો લખ્યા છે. એેમાંથી કવિ વિશેની કેટલીય વાતો આપણી સામે ઊઘડે છે.

 જેમ કે, રમેશ પારેખ મેટ્રિકમાં હતા એ અરસામાં એક વાર્તા લખેલી - ‘પ્રેતની દુનિયા’. વાર્તા ‘ચાંદની’ સામયિકમાં છપાઈ. સાથે એમનો પરિચય અને તસવીર પણ છપાયાં. લટકામાં પાંચ રુપિયાનો પુરસ્કાર પણ મળ્યો. રમેશ પારેખને આશ્ર્ચર્યનો પાર  ન રહ્યો. લખવાના પૈસા પણ મળે? એ પૈસામાંથી એમણે પછી દોસ્તારોને ચા-નાસ્તો કરાવ્યા હતા. વર્ષો પછી મુંબઈમાં યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં એમને પાંચ લાખ રુપિયાની થેલી અર્પણ થઈ હતી, પણ પેલા પાંચ રુપિયાએ જે ગજબનાક રોમાંચ પેદા કરેલો એની તોલે આ પાંચ લાખની થેલી ક્યાંથી આવે?

 પુરસ્કારની પાર્ટીમાં રમેશ પારેખે દોસ્તારોને ગાંઠીયા જરુર ખવડાવ્યા હશે! એમને અને ખાસમખાસ કવિમિત્ર અનિલ જોશીને ગાંઠીયા ખૂબ વ્હાલા. કોઈ વાર ગાંઠીયા ખાતા ખાતા રમેશ પારેખ કહેતા કે, અનિલ, આપણને યમરાજ લેવા આવશે ત્યારે એને કહીશું યાર, ગાઠીયા ખાઈને આવું છું. તો યમરાજ સામું કહેશે, મારા માટે પણ પડીકું બંધાવતા આવજો, મરચાં ભૂલશો નહીં!

 અનિલ જોશીએ અમરેલી છોડ્યું ત્યારે વિદાય વખતે રમેશ પારેખ એમના ખભે માથું મૂકીને ધોધમાર રડ્યા હતા. અનિલ જોશી લખે છે કે, ‘એ ડૂસકાં હજીયે મારા ખભાને વળગેલાં છેે...’

 કૌશિક મહેતાને આપેલી એક મુલાકાતમાં રમેશ પારેખે તીખાં મરચાં જેવી ચટાકેદાર વાત કરી હતી. કવિ પોતાના નવલિકાકાળ દરમિયાન ‘ચિત્રલેખા’માં પણ ત્રણ મહિના કામ કરી ચુક્યા છે એ તમે જાણો છો? સ્થાપક તંત્રી હરકિસન મહેતાએ નોકરી આપતા પહેલાં ટેસ્ટ તરીકે તેમની પાસે ટૂંકી વાર્તા લખાવી હતી. તત્કાલીન આસિસ્ટન્ટ એડિટર બિપીન બૂચ પાસેથી કોરાં પાનાં લઈને રમેશ પારેખે ‘ચિત્રલેખા’ની મુંબઈસ્થિત ઓફિસમાં ત્યારે ને ત્યારે વાર્તા લખી નાખી હતી. એેનું શીર્ષક હતું, ‘એ આંખોએ શું કહ્યું?’ રમેશ પારેખને ખુદને વાર્તા કાચી લાગી હતી, પણ હરકિસનભાઈએ તે સીધી કમ્પોઝમાં મોકલી આપી હતી!

 આ ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન રમેશ પારેખ ‘જી’ મેગેઝિનમાં છપાતા હીરો-હિરોઈનોની તસવીરો માટે કેપ્શન તરીકે કાવ્યપંક્તિઓ પણ લખી આપતા. દરમિયાન એમની મૂળ પંચાયતની નોકરીનું ઠેકાણું લાઠીથી બદલાઈને પાછું અમરેલી થઈ જતાં એ વતન ઉપડી ગયા. હરકિસન મહેતાએ એમને રોકવાની ખાસ્સી કોશિશ કરી હતી, પણ એ ન જ માન્યા. જો રમેશ પારેખ મુંબઈ રોકાઈ ગયા હોત તો, કોને ખબર, હરકિસન મહેતાએ એમને અફલાતૂન નવલકથાકાર બનાવી દીધા હોત ને ગુજરાતને પ્રથમકક્ષ કવિ-નવલકથાકારનું અફલાતૂન કોમ્બિનેશન મળ્યું હોત!



 એક સર્જક શી રીતે લખતો હોય છે? ‘લખવાની પ્રક્રિયા સમજાવી શકાય તેવી હોતી જ નથી,’ કહીને રમેશ પારેખે પત્રકાર-લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાથેની વાતચીતમાં ઉમેરેલું:

 ‘હું તો એમ પણ કહું છું કે લખવાનો વિચાર નથી આવતા, સીધો ધક્કો જ વાગે છે. લખવાનું ભૂખ જેવું છે. ભૂખ કેમ લાગે છે એ સમજાવવું સહેલું નથી. ભૂખ લાગતી નથી. ભૂખ અનુભવાય છે. લખવાનું પણ આવું જ છે. કંઈક અનુભવાય છે, કંઈક અનુભૂતિ થાય છે, ક્યારેક એવું પણ લાગે છે કે યે કુછ અંદર કી બાત હૈ!’

 કાઠિયાવાડી ભાષાને શેડકઢો લહેકો ધરાવતા રમેશ પારેખ સારું ચિત્રકામ પણ કરી શકતા. કવિમિત્ર હર્ષદ ચંદારાણા સાથે તેમણે એક જમાનાના દુકાનોના સાઈનબોર્ડ, ચૂંટણીને લગતાં ચિત્રો અને સિનેમાના બોર્ડ સુધ્ધાં ચીતર્યા ં છે. પત્ની રસીલાનું પોટ્રેટ બનાવી રહેલા રમેેશ પારેખને જોઈને કવિ રાજેન્દ્ર શુક્લને જબરું આશ્ર્ચર્ય થયેલું.

 કવિના ગૃહસ્થજીવનનો એક રમૂજી કિસ્સો પુસ્તકમાં નોંધાયેલો છે. રમેશ પારેખે એક વાર જાતે ગુલાબ જાંબુ બનાવવાનો અખતરો કરેલો. જાંબુ તો ન બન્યા, પણ મીઠા રગડા જેવું કશુંક જરુર બન્યું. પત્ની રસીલા બેસતા વર્ષે ધરે આવતા મહેમાનોને નાસ્તો પીરસે ત્યારે સાથે રકાબીમાં પેલા પ્રવાહી જાંબુ જરુર આપે ને ઠાવકા મોંએ ઉમેરે પણ ખરા કે, આ ચા નથી હોં, જાંબુ છે, તમારા ભાઈએ બનાવ્યા છે! એ પછી કેટલાય દિવસો સુધી જમવાના સમયે કવિની થાળીમાં પ્રવાહી જાંબુ પીરસાતાં રહ્યાં ને કવિ રોટલી એમાં બોળીબોળીને ખાતા રહ્યા!
 
 નિવૃત્ત શિક્ષક છેલભાઈ વ્યાસ કહે છે તેમ, રમેશ પારેખ સ્વભાવે સાવ સરળ, દુનિયાદારીનો અદનો માણસ લાગે. હસે, રડે, ખીઝે, મૂંજાય, ઝઘડી પડે, પેટ છૂટી વાત કરે. જરાય દંભી નહીં, મોટપ નહીં... અને આવા સીધાસાદા  માણસ પાછળ આખુંય ગુજરાત ઘેલું થતું. સુરેશ દલાલે એમની લાક્ષાણિક શૈલીમાં નોંધ્યું છે તેમ, રમેશ પારેખ માત્ર ગુજરાતી કવિતાનું ઘરેણું નથી, પણ ગુજરાતી કવિતાની ત્વચા અને વાચા છે.

 ‘અડખેપડખે ઉપર-નીચે અંદર-બહાર અનરાધાર’ જીવેલા આ કવિ વિશે નરોત્તમ પલાણે સરસ લખ્યું છે:

 ‘રમેશ પારેખ પોતાની આખી જિંદગી દરમિયાન કાચેકાચા ઈશ્ર્વરને પોતાની અંદર અવળસવળ શેકતા રહ્યા છે... એ સતત વિકસતા જ રહેલા.’

 જોકે પાછલાં વર્ષોેમાં કવિનો સ્વભાવ ક્રમશ: વધુ ને વધુ ઉદાસ બનતો ગયેલો. તેમને ડિપ્રેશનના અટેક આવતા. આજે શારીરિક સ્તરે એ આપણી વચ્ચે નથી, પણ ગુજરાતી ભાષા જીવે છે ત્યાં સુધી રમેશ પારેખ જીવતા રહેવાના છે એ તો નક્કી.

 કાયમ કાળી ફ્રેમનાં ચશ્માં પહેરી રાખતા રમેશ પારેખે એક વાર જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે દિલથી ફોટો સેશન કર્યું હતું. સંજય વૈદ્યે તે વખતે તેમની ચશ્માં વગરની તસવીરો ખેંચી હતી, જેમાંના બે ફોટોગ્રાફ્સ પુસ્તકના આગલાં અને પાછળાં મુખપૃષ્ઠ પર મૂકાયા છે. આ નાનકડું પણ સુંદર પુસ્તક રમેશ પારેખના ચાહકોને જલસો પડી જાય એવું છે. અ મસ્ટ રીડ!  0 0 0

રમેશ પારેખ - સ્મરણ પાંચમનો મેળો  
સંપાદક: કૌશિક મહેતા 
પ્રકાશન: ડબલ્યુબીજી પબ્લિકેશન,
 બાપુનગર, અમદાવાદ. 
 ફોન: ૦૯૧૭૩૪ ૦૪૧૪૨
 કિંમત: Rs. ૧૦૦ /
  પૃષ્ઠ: ૯૮  

 



Wednesday, September 28, 2016

ટેક ઓફ: તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ... તૂ કિસ લિયે હતાશ હૈ


સંદશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

જીવનમાં ક્યારેક ફોકસ ગુમાવી બેસીએ ત્યારે જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી.





‘પિ'ન્ક ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમે આ કહાની, પાત્રો, ફિલ્મનો મેસેજ અને રજૂઆતથી એટલી હદૃે અસ્થિર થઈ ચુક્યા હો છો કે ‘ધી એન્ડ' થતાંની સાથે તમે તરત જ ઓડિરોટિયમના એકિઝટ ગેટ તરફ ચાલવાનું શરુ કરી શકતા નથી. એન્ડ ક્રેડિટ્સ સ્ક્રોલ થઈ રહ્યા હોય તે દૃરમિયાન હજુ પણ તમારી સીટ પર જ બેઠા હો છો ત્યારે તમને એક અણધાર્યું બોનસ મળે છે. તે છે તનવીર ગાઝીએ લખેલી અને અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં ગૂંજતી એક અફલાતૂન કવિતા. ઢીલા પડી ગયેલા માણસને ધનુષ્યના પણછની  જેમ તંગ કરી દૃે એવી, પોતાને શકિતહીન માનવા લાગેલી વ્યકિતના શરીરની રગેરગમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરી દૃે તેવી આ રચના છે.  આને ભુલેચુકેય ફેમિનિસ્ટ કે નારીવાદૃી કવિતા ન ગણશો. આ માનવવાદૃી કવિતા છે. તે સૌને એકસરખી તીવ્રતાથી અપીલ કરે છે. આવો, આ કવિતાને આખેઆખી માણીએ.  

કવિ કહે છે -

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...

જીવન આસાન હોતું નથી. ઘારો કે આસાન લાગતું હોય તોય આ સ્મૂધ તબક્કો આખી િંજદૃગી ટકવાનો હોતો નથી. કેટલાંય પરિબળો, આસપાસની પરિસ્થિતિઓ અને જેની સાથે આપણે ઇચ્છાપૂર્વક કે અનીચ્છાએ જોડાયેલા છીએ તેવી વ્યકિતઓ આપણા જીવન પર અસર કરતાં હોય છે. આને લીધે આપણે ક્યારેક આપણું ફોકસ ગુમાવી બેસીએ છીએ.  જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? આ કયો રસ્તો પકડી લીધો છે? બરાબર સમજાય છે કે ખોટી દિૃશામાં ફંટાઈ ગયા છીએ તો પણ કેમ અટકી જતા નથી? શા માટે ખોટા વહેણમાં ઢસડાયા કરીએ છીએ? શું એટલા માટે કે લાંબા સમયથી પકડી રાખેલો  રસ્તો ભલે ખોટો હોય તોય હવે એક ‘કમ્ફર્ટ ઝોન' બની ગયો છે? એમાં જીવવાની આદૃત પડી ગઈ છે? આ ઝોનમાંથી બહાર નીકળવાનો હવે ડર લાગે છે? એક સમાધાન કરી લીધુું છે જાત સાથે કે જે છે તે આ જ છે ને હવે આ જ રીતે િંજદૃગી પૂરી કરી નાખવાની છે?




એકધારું જૂઠ જીવ્યા કરવાથી આપણો માંહ્યલો, આપણો આત્મા પીડાયા કરે છે. એ ચીસો પાડીને આપણને કશુંક કહેતો હોય છે, પણ કાં તો આપણે જાણી જોઈને ધ્યાન-બહેરા થઈ જઈએ છીએ અથવા તો માંહ્યલાને ધમકાવીને ચુપ કરી દૃઈએ છીએ. આ સ્થિતિમાં જો સમયસર પરિવર્તન ન આવે તો શક્ય છે કે એટલે આપણી જ નજરમાં અપરિચિત બનવા લાગીએ. આપણું સત્ત્વ, આપણું સ્વત્ત્વ ગુમાવવા માંડીએ. આ સ્થિતિ તીવ્ર હતાશા જન્માવતી હોય છે. આથી જ કવિ કહે છે કે, તું શા માટે આટલો બધો ઉદૃાસ થઈને બેઠો છે, ભાઈ (અથવા બહેન)? તું શા માટે તારી અસલિયતને, તારી ઓરિજીનાલિટીને, તારા મૂળ વ્યકિતત્ત્વને ભુલી ગયો છે? તેને શોધતો કેમ નથી તું? કોણે બાંધી રાખ્યો છે તને?

દૃુનિયામાં બનાવટી માણસોનો તોટો નથી. કોમ્પ્રોમાઈઝ કરીને જીવી જીવનારાઓ ઊભરાઈ રહી છે આ ધરતી. આવી સ્થિતિમાં જરુર હોય છે સાચુકલું જીવન જીવી શકતા જેન્યુઈન માણસોની. આપણે ખુદૃનું વજૂદૃ શોધીશું અને કુદૃરતી રિધમ પ્રમાણે જીવીશું તો કેવળ આપણી જાત પર જ નહીં, લાંબા ગાળે આસપાસના માહોલ અને સમાજ પણ પણ ઉપકાર કર્યો ગણાશે.    

તનવીર ગાઝી આગળ લખે છે -

જો તુઝસે લિપટી બેડીયાં... સમજ ના ઇનકો વસ્ત્ર તૂ
યે બેડીયાં પિઘલા કે... બના લે ઇનકો શસ્ત્ર તૂ
બના લે ઇનકો શસ્ત્ર તૂ.

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ 
સમય કો ભી તલાશ હૈ...



આપણને બાંધી રાખતી ઝંઝીરોથી, બેડીઓથી ઘણી વાર આપણને પ્રેમ થઈ જતો હોય છે. આપણે સમજવું અને સ્વીકારવું પડશે કે આ બેડી જીવનરસને સૂકવી નાખતું બંધન છે, તે કોઈ આભૂષણ નથી. વસ્ત્ર તો બિલકુલ નથી. આપણને બાંધી રાખતી વસ્તુઓને તોડીફોડી નાખવાની હોય. અત્યાર સુધી જે ચીજ આપણને અવરોધરુપ બનીને ગૂંગળાવતી હતી તેને જ જો અસ્ત્ર કે  શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકીએ, કોઈક રીતે તેને આગળ વધવા માટેનો સ્ટેિંપગ સ્ટોન બનાવી શકીએ તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. ઘારો કે એમ ન થઈ શકે અને ખુદૃને આ હાનિકારક બંધનમાથી આઝાદૃ કરી શકીએ તોય ઘણું છે. તો હવે ઊભા છો શું? ચાલવા માંડો તમારી મંઝિલ તરફ. એકલા તમને જ મંઝિલ સુધી પહોંચવાની તાલાવેલી છે એવું નથી, મંઝિલ પણ ક્યારની તમારી રાહ જોઈને ઊભી છે.

ચરિત્ર જબ પવિત્ર હૈ... તો કયૂં હૈ યે દૃશા તેરી
યે પાપીયોં કો હક નહીં...કિ લેં પરીક્ષા તેરી.
કિ લેં પરીક્ષા તેરી....

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ.
સમય કો ભી તલાશ હૈ...

કવિ પૂછે છે કે કઈ વાતની બીક ડરે છે તને ? જ્યારે તારો કશો વાંક જ નથી, તું નિર્દૃોષ - નિષ્પાપ - પવિત્ર છે, તારું મન સાફ છે તો પછી તું શા માટે આટલો સહમેલો અને ડરેલો રહે છે? અમુક માણસો વધારે પડતા સીધા અને સરળ હોય છે. તેમને છળકપટ કરતાં કે માઈન્ડ-ગેમ્સ રમતાં આવડતું નથી. સ્વભાવગત ભીરુતાને કારણે સામેવાળા દૃુષ્ટ કે અતિ ચાલાક માણસને એ ખોંખારો ખાઈને અટકાવી શકતો નથી, એનો વિરોધ કરી શકતા નથી. ઢીલો માણસ ચુપચાપ સહન કરી લે છે, મનમાં ને મનમાં પીડાયા કરે છે, ધૂંધવાયા રાખે છે. સામેવાળો આપોઆપ સુધરી જશે, વહેલામોડી એને પોતાની ભુલ સમજાશે ને પછી સૌ સારાં વાનાં થઈ જશે એવા વિશફુલ િંથિંકગમાં જીવ્યા કરે છે. આ રાહમાં ને રાહમાં વર્ષો વીતી જાય છે, િંજદૃગી વેડફાઈ જાય છે.
સ્વભાવના ‘સારા હોવું એક વાત છે, પણ નમાલા હોવું, દૃુર્બળ હોવું તે તદ્દન જુદૃી વાત છે. જો માણસ નિર્દૃોષ અને સાચો હોય તો એણે દૃુર્બળ બનવાનું કોઈ કારણ નથી. સચ્ચાઈ સ્વયં એક તાકાત છે અને સાચા માણસના વ્યકિતત્ત્વ અને વર્તન-વ્યવહારમાં તે ઝળકવી જ જોઈએ. શું ઈમાનદૃાર માણસે લબાડ દૃુર્જનોની દૃયા પર જીવવાનું છે? શું  બેશરમ પાપીઓ એની પરીક્ષા લેશે? એનું મૂલ્યાંકન કરશે? એણે કઈ રીતે જીવવું તે નક્કી કરી આપશે? ઔકાત શું હોય છે આ નફ્ફટ નૈતિકતાહીન છછૂંદૃરોની?

Tanveer Ghazi


વારંવાર આંખ આડા કાન કર્યા પછી પણ, વારંવાર માફ કરી દૃીધા પછી પણ, વધારે પડતું સહન કરી લીધા પછી પણ જો સામેવાળો ન સુધરે તો આ પ્રકારની સ્પષ્ટતા અને વિદ્રોહી જીદૃ પ્રગટી જવા જોઈએ. આત્મવિશ્ર્વાસનો અભાવ હશે તે નહીં જ ચાલે. કોન્ફિડન્સ વગરનો માણસ સાચો હોય તોય હેરાન થતો રહે છે. પોતાની જેન્યુઈન કાબેલિયત પર વિશ્ર્વાસ રાખવો જ પડે, પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી જ પડે. જરુર હોય છે પોતાની અંદૃર ઝાંકવાની અને કાહ્લપનિક ડરથી પીછો છાડાવવાની. ભયમુકત થયા પછી -

જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હૈ
તૂ આરતી કી લૌ નહીં... તૂ ક્રોધ કી મશાલ હૈ
તૂ ક્રોધ કી મશાલ હૈ.

ચુનર ઉડા કે ધ્વજ બના... ગગન ભી કપકપાયેગા
અગર તેરી ચુનર ગીરી... તે એક ભૂકંપ આયેગા
એક ભૂકંપ આયેગા...

એકધારો અન્યાય સહન કરી રહેલા માણસનો પુણ્યપ્રકોપ વહેલામોડો પ્રગટતો હોય છે. એક પરાકાષ્ઠા પછી એના ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. પૂજાની થાળીમાં ટમટમતી પવિત્ર જ્યોત મશાલની માફક ભડભડવા લાગે છે. ‘ઇનફ ઇઝ ઇનફ કહીને એ જ્યારે પ્રચંડ ત્રાડ પાડે છે ત્યારે અત્યાર સુધી એનું દૃમન કરવાની ચેષ્ટા કરનારો ભયથી કાંપી ઉઠે છે.

પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી. એટલે જ તો કવિ પુન: એક જ વાત ભારપૂર્વક કહે છે કે -        

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...
                                                                             0 0 0 

Sunday, September 25, 2016

મલ્ટિપ્લેકસ: સરકાર રાજ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૫ ઓકટોબર ૨૦૧૬

મલ્ટિપ્લેકસ

‘તું મારી ફિલ્મમાં કામ કરીશ કે નહીં કરે? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.'   




કોઈ જ પૂર્વસંકેત આપ્યા વગર ‘પિન્ક' ફિલ્મ થિયેટરોમાં અને આપણાં દિૃલદિૃમાગમાં એકાએક બોમ્બની જેમ ફાટી છે. ભૂતકાળમાં પાંચ બંગાળી ફિલ્મો બનાવી ચુકેલા અનિરુદ્ધ રોય ચૌધરીની આ પહેલી હિન્દૃી ફિલ્મ છે. ડિરેકટર હોવાને નાતે તેઓ કેપ્ટન-ઓફ-ધ-શિપ ગણાય, પણ ‘પિન્કની સફળતાને કારણે લાઈમલાઈટમાં શૂજિત સરકાર આવી ગયા છે. તેઓ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર છે, જે ભૂતકાળમાં ‘વિકી ડોનર', 'મદ્રાસ કાફે' અને ‘પિકુ' જેવી બ્રિલિયન્ટ ફિલ્મો ડિરેકટ કરી ચુક્યા છે. ઇન્ટરેસ્ટિંગ માણસ છે શૂજિત. કેટલાય પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક ઇન્ટરવ્યુઝમાં ફેલાયેલા એમના કવોટ્સ પર એકસાથે નજર ફેરવવાથી એમના માનસિક જગતનો સરસ ચિતાર મળે છે. તો પ્રસ્તુત છે શૂજિત સરકારનું કવોટ-માર્શલ. ઓવર ટુ હિમ:  

હું આકસ્મિકપણે ફિલ્મકર બની ગયેલો માણસ છું. ફિહ્લમમેિંકગ કરતાં ફૂટબોલ પ્રત્યે મને વધારે લગાવ છે. જો હું આ લાઈનમાં ન આવ્યો હોત તો ચોક્કસપણે ફૂટબોલર બન્યો હોત. ગ્રેજ્યુએશન પછી હું દિૃલ્હીની લા મેરિડીઅન હોટલમાં કામ કરતો હતો. એક વાર એમ જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફ રખડી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલાક લોકો ચીસો પાડી રહ્યા છે. એ બધા એક થિયેટર ગ્રુપના લોકો હતા ને કોઈક સ્ટ્રીટ-પ્લે ભજવી રહ્યા હતા. પછી મેં કામિની થિયેટરમાં એક નાટક જોયું જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને અમરીશ પુરી અભિનય કરતા હતા. નાટક જોતી વખતે મને એવું લાગ્યું કે હું કોઈક જુદૃી જ દૃુનિયામાં પહોંચી ગયો છુંં. આ અનુભવે મારી ભીતર કશુંક બદૃલી નાખ્યું.  પછી મેં સફદૃર હાશ્મિનું જન નાટ્યમંચ થિયેટર ગ્રુપ જોઈન કર્યું. અમે ખૂબ બધાં સ્ટ્રીટપ્લે કર્યા્ં. આ શેરી નાટકોને કારણે સમાજના પ્રશ્ર્નો વિશેની, આપણી આસપાસની વાસ્તવિકતા વિશેની મારી સમજણ વિકસી, ફિલ્મો પ્રત્યેનો મારો પ્રેમ જાગ્રત થયો. પછી મેં ‘એકટ વન' નામનું થિયેટર ગ્રુપ જોઈન કર્યું. હું વધારે ફિલ્મો જોવા લાગ્યો. સત્યજીત રાયની ફિલ્મો ઓલરેડી જોઈ ચુક્યો હતો છતાંય મેં નવેસરથી એ ફિલ્મો જોવાનું શરુ કર્યુંં. સિનેમા વિશેની મારી દૃષ્ટિ ખુલી ગઈ હતી. આમ, મેં ફિલ્મમેિંકગનો કોઈ કોર્સ કર્યો નથી, પણ હું જે કંઈ શીખ્યો છું તે સત્યજીત રાયની ફિલ્મો જોઈને અને સિનેમા વિશેનું સાહિત્ય વાંચીને શીખ્યો છું.

મારી પહેલી પહેલી ‘...યહાં' (૨૦૦૫) ખાસ ચાલી નહીં. અમિતાભ બચ્ચનને લઈને બનાવેલી બીજી બીજી ફિલ્મ ‘શૂબાઈટ' કાનૂની વિવાદૃમાં ફસાઈ જવાને કારણે આજ સુધી રિલીઝ થઈ શકી નથી. હું હતાશ થઈ ગયેલો, ડિપ્રેશનનાં આવી ગયેલો. પછી મારી પત્નીએ મને સમજાવ્યું કે ભલે તારી ફિલ્મો ન ચાલે કે ડબ્બામાં પડી રહે, પણ તને લખતા આવડેે છે, તને ફિલ્મ બનાવતા આવડે છે. તારી આ ટેલેન્ટ કોઈ છીનવી શકવાનું નથી. મેં નક્કી કર્યું કે ગમે તે પરિણામ આવે, હું ફિલ્મો તો બનાવીશ જ. ‘...યહાં'નાં સાત વર્ષો પછી મેં સ્પર્મ ડોનર જેવા અતરંગી વિષય પર ‘વિકી ડોનર' બનાવી જે કમર્શિયલી અને ક્રિટીકલી બન્ને રીતે વખણાઈ. આ ફિલ્મથી મારા જીવનની દિૃશા બદૃલાઈ.


કોઈ સ્ટાર મને હા પણ ન કહે કે ના પણ ન પાડે ને લબડાવ્યા કરે ત્યારે એક તબક્કે હું ચોખ્ખું કહી દૃઉં છું: ભાઈ, તું મારી ફિલ્મમાં કરીશ કે નહીં કરે? યેસ ઓર નો? જે હોય તો હમણાં જ સ્પષ્ટ બોલી નાખ. મારી પાસે રાહ જોવાનો સમય નથી. હું ઓલરેડી ૪૯ વર્ષનો થઈ ગયો છું ને મરતાં પહેલાં મારે ૩૦ ફિલ્મો બનાવવાની છે.


મિતાભ બચ્ચન એક મહાન લેજન્ડ છે, પણ એમની સાથે કામ કરવું બહુ જ આસાન છે. એમની સાથેની મારી એક પણ મિટીંગ પંદૃર મિનિટ કરતાં વધારે ચાલી નથી. એ મને સ્ટોરી સંભળાવાનું કહે ને હું ફટાફટ નરેશન આપવા માંડું. એમને મારી આંખોમાં કોન્ફિડન્સ દૃેખાય, હું વિષયને સારી રીતે હેન્ડલ કરી શકીશ એવો ભરોસો દૃેખાય એટલે તરત મારા વિઝનને સરન્ડર થઈ જાય. હાથમાં સ્ક્રિપ્ટ આવતાં જ તેમનામાં એક બાળક જેવી ઉત્સુકતા પેદૃા થઈ જાય છે. અમિતાભ માટી જેવા છે, જેને તમે ગમે કોઈ પણ ઘાટ આપી શકો છો. અફકોર્સ, એમની પાસે ફિલ્મોમાં કામ કરવાનો ૪૫ વર્ષોનો અનુભવ છે. સ્ક્રિપ્ટમાં કેવોક દૃમ છે તે તેઓ તરત કળી જાય છે. આખેઆખી સ્ક્રિપ્ટ એમને અલ્પવિરામ અને પૂર્ણવિરામ સહિત યાદૃ હોય છે. એમના ખુદૃના પોઈન્ટ-ઓફ-વ્યુ હોવાના જ, પણ એમને કન્વિન્સ કરવા સહેલા છે.


મજોને કે હું સરેરાશ રોજની એક સ્ક્રિપ્ટ વાંચતો હોઈશ. જુઓ, તમને બહુ સારા શબ્દૃો, સરસ વાક્યો અને સરસ કોન્સેપ્ટ નોટ લખતા આવડતું હોય તો એનો મતલબ એવો નથી કે તમને સરસ સ્ક્રિપ્ટ લખતા પણ આવડતું જ હશે. સ્ક્રીનપ્લે લખવાની કળા બહુ જ અલગ વસ્તુ છે જેના પર બહુ ઓછા લોકો મહારત હાંસલ કરી શકે છે. મેં જોયું છે કે મોટા ભાગના લેખકો ટીવી સિરીયલોની માફક ફિલ્મ લખે છે. તેમનું લખાણ સિનેમેટિક નથી હોતું. હું હંમેશાં બધાને કહેતો હોઉં છું કે તમે સત્યજિત રાયની ફિલ્મોનો અભ્યાસ કરો. તમને ખબર પડશે કે ઉત્તમ સિનેમા કોને કહેવાય. આપણે ત્યાં જે સ્ક્રિપ્ટ્સ લખાય છે એમાં ઊંડાણ હોતું નથી. જો ઊંડાણ હોત તો આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મો બનતી હોત. સારી ફિલ્મો જોવા માટે લોકો ઇરાનીઅન ફિલ્મો ડીવીડી ઘરે લાવશે, પણ ઉત્કૃષ્ટ બંગાળી કે તમિલ કે મલયાલમ ફિલ્મો નહીં જુએ. કેટલું સરસ કામ થાય છે આ ભાષાની ફિલ્મોમાં.


બોલિવૂડમાં ન્યુ-એજ સિનેમાની શરુઆત રામગોપાલ વર્માએ કરી હતી, ‘સત્યા'થી, ૧૯૯૮માં. બીજી એક ફિલ્મ જેનાથી ઇન્ડસ્ટ્રીને નવેસરથી ધક્કો લાગ્યો તે હતી, અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે' (૨૦૦૪). ૨૦૦૭માં શિમીત અમીનની ‘ચક દૃે ઇન્ડિયા' ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીની શરુઆતની સ્પોર્ટ્સ ફિલ્મોમાંની તે એક, જેણે મોટો ક્રિયેટિવ ઇમ્પેકટ પેદૃા કર્યો. વિક્રમાદિૃત્ય મોટવાણેની ‘ઉડાન' (૨૦૧૦) એક મહત્ત્વની ફિલ્મ પૂરવાર થઈ.  ટીનેજરને કેન્દ્રમાં રાખીને બનેલી આ પહેલી કમિંગ- ઓફ-એજ ફિલ્મ. ૨૦૧૨માં આવેલી ‘પાનસિંહ તોમર' જોઈને મને તિગ્માંશુ ધુલિયાની ખૂબ ઈર્ષ્યા થઈ હતી. મને થાય કે આ ફિલ્મ મેં કેમ ન બનાવી. આ સિવાય અયાન મુખર્જીની ‘વેક અપ સિડ',  દિૃવાકર બનર્જીની ‘ખોસલા કા ઘોસલા', રિતેશ બત્રાની ‘ધ લંચબોકસ', રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝ - આ બધી જ બ્રિલિયન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મારી ફેવરિટ ફિલ્મો છે.


  
કોર્પોરેટ હાઉસીસ પાસે ચિક્કાર નાણું છે. એમના મેનેજમેન્ટમાં ઓકસફર્ડમાં ભણી આવેલા એકિઝક્યુટિવ્સ અને ન્યુયોર્કમાં ચાર-છ મહિનાનો ફિલ્મનો કોર્સ કરી આવેલા માણસો છે જે માનવા લાગ્યા હોય છે કે સ્ટીવન સ્પિલબર્ગ કરતાં તેમનામાં વધારે અકકલ છે. કોર્પોરેટ હાઉસ સાથે મિટીંગ થાય ત્યારે આવા વીસ લોકો તમારી સામે બેસી જશે અને પછી પ્લોટ પોઈન્ટ ને કલાઈમેકસ ને કેરેકટરરાઈઝેશન જેવા શબ્દૃોની ફેંકાફેંક કરીને તમને કન્ફયુઝ કરી નાખશે. સિનેમા વિશે કશું જ ન જાણતા લોકો પોતાનું ડહાપણ ડહોળવાનું શરુ કરે એટલે ડિરેકટર ક્યારેક ખોટો નિર્ણય લઈ લેતો હોય છે. આખરે સઘળો આધાર ડિરેકટરના કન્વિકશન પર છે. પોતાના ઓરિજિનલ આઇડિયા અને સ્ટોરી પ્રત્યે પ્રામાણિક રહેવું જ પડે.

શો-સ્ટોપર

 કોઇપણ સંબંધમાં ભરોસો હોવો ખૂબ જરુરી છે. જો સામેના પાત્ર પર ટ્રસ્ટ નહીં હોય તો તદ્દન નિર્દૃોષ વસ્તુ પણ નિર્દૃોષ નહીં લાગે. આવો સંબંધ ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી. 

- અભય દૃેઓલ